Friday, 9 September 2011

આ ઈતિહાસનો મોટો વળાંક ન હતો


- ટિમોથી ગાર્ટન એશ, બ્રિટિશ ઈતિહાસકાર

કલ્પના કરો કે આજથી 20 વર્ષ બાદ એટલે કે 11 સપ્ટેમ્બર, 2031એ જ્યારે દુનિયાના ઈતિહાસકાર આતંક વિરુદ્ધ જંગને પાછળ વળીને જોશે, તો શીત યુદ્ધના મુકાબલે શું તેને ઈતિહાસનો નિર્ણાયક વળાંક કહેશે? મને લાગે છે કે નહીં. વધારે સંભાવના એ છે કે તેઓ આને એવા તબક્કા તરીકે જોશે, જ્યારે દુનિયાની સત્તા પશ્ચિમથી નીકળીને પૂર્વના હાથમાં ચાલી ગઈ. એક વધારે શક્તિશાળી ચીન અને ઓછું શક્તિશાળી અમેરિકા સામે આવ્યું. એક મજબૂત ભારત અને કમજોર યૂરોપ બન્યું.

જેમ કે સ્ટેનફોર્ડના ઈતિહાસકાર ઈયાન મોરિસે પોતાના પુસ્તક વાયે વેસ્ટ રુલમાં લખ્યું છે કે હવે જે ભૂરાજકીય પરિવર્તન થશે, તે એક તરફ તો તકનીકની અભૂતપૂર્વ તેજીથી થઈ રહેલા આધુનિકીકરણની બૃહદ સીમાઓમાં થશે અને બીજી તરફ અભૂતપૂર્વ વૈશ્વિક પડકારોને કારણે થશે. નિસંદેહ આ વિચાર પણ ઈતિહાસની જાણકારી સાથે લગાવાયેલો એક અંદાજ જ છે. પરંતુ, જો પરિસ્થિતિ આ તરફ ગઈ, તો (અને જો ઈસ્લામી આતંકવાદથી દૂર અન્ય કોઈ રાહ પર પણ ગઈ તો પણ) આ ગત દશક અમેરિકી વિદેશ નીતિના એક પડાવ તરીકે જોવામાં આવશે, ઈતિહાસના કોઈ મુખ્ય માર્ગની જેમ નહીં.

અને જો પાછલા દિવસોમાં અરબ દેશોમાં ચાલેલા જનઆંદોલનોની હવાથી આધુનિકીકરણની આશા બંધાય છે, તો ન્યૂયોર્ક, મેડ્રિડ અને લંડનના આતંકવાદી હુમલા ભૂતકાળમાંથી ઉછળી આવેલા કેટલાંક વિસ્ફોટો લાગશે. ત્યારે આ માત્ર એક અંત દેખાશે, કોઈ શરૂઆત નહીં. અને જો અરબના આંદોલનોની આ હવા પર ઈસ્લામી આતંકવાદ હાવી થઈ ગયો, ત્યારે પણ તેનો અર્થ એ નથી કે ઈસ્લામની હિંસક અને ઉદાર વિચારધારાનો સંઘર્ષ આગામી કેટલાંક દશકોની મુખ્યધારા હશે. ઈસ્લામની હિંસક ધારા એક જોખમ બની રહેશે, પરંતુ તેને તેમ છતાં પણ નિર્ણાયક ક્ષણ કહી શકાશે નહીં.

આ મુદ્દા પર આપણે જો આમ થાત તો-વાળા અંદાજમાં પણ વિચારી શકીએ છીએ. 2001ના ઉનાળામાં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે પોતાનો જે ભૂરાજનીતિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો, તેમા નવા સામરીક પ્રતિસ્પર્ધીઓ તરીકે સમગ્ર ધ્યાન ચીન પર આપવાની વાત કહી હતી. હવે માની લો કે 11 સપ્ટેમ્બરનો આતંકવાદી હુમલો થયો ન હોત, તો અમેરિકા પોતાનું સમગ્ર ધ્યાન ચીનથી સ્પર્ધામાં જ લગાવત. શું થાત, જ્યારે તેને આ અનુભવ થાત કે જે શીત યુદ્ધના ખાત્મા અને મૂડીવાદના વૈશ્વિકરણને પોતાની જીત માની રહ્યું હતું, તેનાથી જ પેદા થયેલી પૂર્વની શક્તિને પશ્ચિમની સામે મોટો પડકાર ઉભો કરી દીધો છે? ત્યારે કદાચ અમેરિકા એવા નિષ્કર્ષ પર પહોંચત કે આ સ્પર્ધા માટે જંગી તાકાતની નહીં, પરંતુ શિક્ષણ, ઊર્જા, પર્યાવરણ અને ઈનોવેશન પર રોકાણ વધારવાની જરૂરત છે. એશિયાના ઉદય સામે તેને એ વિચારવા માટે મજબૂર થવું પડત કે અમેરિકામાં ઉપભોગ, રોકાણ અને બચતના સંબંધોમાં ફરીથી સંતુલન બેસાડવાનો સમય પાકી ગયો છે. અને અમેરિકા જો આ બધાંમાં કમિયાબ પણ થઈ જાત, તો પણ ચીન અને ભારતનો ઉદય ચાલુ જ રહેત. ત્યારે પણ સત્તાનું સંતુલન પશ્ચિમથી પૂર્વ તરફ ઝુકત. ગ્લોબલ વોર્મિંગનું જોખમ ત્યારે પણ રહેત. જળ સંકટ, મહામારીઓ તમામ મુશ્કેલીઓ ત્યારે પણ માથે ચઢીને બોલત. એ જરૂર છે કે ત્યારે પશ્ચિમી દેશ અને ખાસ કરીને અમેરિકા કંઈક સારી સ્થિતિમાં હોત.

હવે જો આ થાત તો-વાળી કલ્પનાને બંધન કરી દઈએ. હુમલો થયો. અમેરિકાએ જવાબ આપવનો જ હતો. એક વહીવટી તંત્ર જે પહેલા એક ગુંચવાડામાં ફસાયેલું હતું, તેને બદલાની એક ભાવના મળી ગઈ. દસ વર્ષ બાદ આપણે કહી શકીએ છીએ કે અલ કાયદાનું જોખણ ઓછું થઈ ચુક્યું છે. તે સંપૂર્ણપણે ખતમ થયું નથી, પણ ઓછું તો થયું છે. પરંતુ કઈ કિંમતે? અમેરિકાએ બે મોટી લડાઈઓ લડી. અફઘાનિસ્તાનની લડાઈ લડવી તેની મજબૂરી હતી, પરંતુ ઈરાકની લડાઈ તેણે પોતે પસંદ કરી. અફઘાનિસ્તાનની લડાઈ જલ્દીથી પૂરી થઈ શકતી હતી. તે ઓછી લાગત પર વધારે પરિણામ આપી શકતી હતી, પરંતુ શરત હતી કે બુશ વહીવટી તંત્રે ઈરાકમાં ઘૂસણખોરી ન કરી હોત. અમેરિકાએ સોફ્ટ પાવરની પોતાની છબીને અબૂ ગરીબ જેવી ભયાનક ચીજોથી ખુદ ધૂળમાં મેળવી છે. અને આ દશકમાં જે થયું, તે વધારે ગડબડ છે. પરમાણુ હથિયારવાળો દેશ પાકિસ્તાન દસ વર્ષ પહેલાના મુકાબલે હવે વધારે ખતરનાક છે. આ દસ વર્ષમાં યૂરોપના મુસ્લિમ સમુદાય સહીત ઈસ્લામિક વિશ્વમાં પરસ્પર વિરોધી પ્રવૃતિઓ જોવા મળી છે. અરબ જનઆંદોલનો અને યૂરોપના મુસ્લિમ સમુદાયોએ ઉદારતા અને આધુનિકીકરણની ઝલક રજૂ કરી છે. જ્યારે પાકિસ્તાન અને યમન જેવા દેશોમાં ઉગ્ર ઈસ્લામ હાવી થયો છે.

આ દસ વર્ષની લડાઈની જે કિંમત ચુકવવી પડી છે, તેના પર બ્રાઉન યૂનિવર્સિટીએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ જંગ પર, જેમાં 22 લાખ અમેરિકી ગયા અને 10 લાખ યુદ્ધવીર તરીકે પાછા આવી ચુક્યા છે. આ પરિયોજનામાં અનુમાન લગાવાયું છે કે અફઘાનિસ્તાન, ઈરાક અને પાકિસ્તાનમાં ચાલી રહેલી લડાઈ પર 32થી 40 અબજ ડોલરનો ખર્ચ આવ્યો છે. 2020 સુધી આ ખર્ચ 44 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. આ આંકડાઓ પર વિવાદ થઈ શકે છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ ખર્ચ વધારે ભારે છે. ઉભડક રીતે જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રીય કર્જના એક ચતુર્થાંસ અને આ કર્જ પણ સકલ ઘરેલુ ઉત્પાદની બરાબર થવાનું છે.

અને આ આંકડાઓમાં એ બધી બાબતો જોડવામાં આવી નથી, જેમને અર્થશાસ્ત્રીઓની ભાષામાં અવસરની લાગત કહેવામાં આવે છે. મામલો એ છે કે 40 અબજ ડોલરમાં રોજગારના કેટલાં અવસર પેદા કરી શકાતા હતા અથવા કેટલાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર ઉભાં કરી શકાતા હતા. અથવા અડધી કિંમતમાં જ જો આતંકવાદનો મુકાબલો કરી લેવાત, તો શું થઈ શકતું હતું. તેનાથી પણ મોટો મુદ્દો છે કે અમેરિકાએ ઊર્જા, રાષ્ટ્રીય ફોક્સ અને કલ્પનાશક્તિના મામલાઓમાં પોતાના અવસરોમાં કેટલું નુકસાન કરી લીધું છે.

હાલ અમેરિકા પાસે બે પ્રકારના હીરો છે. એક તરફ સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ જેવા લોકો છે, તો બીજી તરફ વર્દી પહેરનારા ફોજના હીરો છે. પરંતુ આપણી મુશ્કેલી એ છે કે નામી યુદ્ધવીર જ્યારે અહીં પાછા ફરશે, તો તેમના માટે નોકરીઓ નહીં હોય. માટે આ સપ્તાહ કોંગ્રેસમાં રોજગાર પેદા કરવા સંદર્ભે બરાક ઓબામાનું જે ભાષણ થશે, તે વધારે મહત્વપૂર્ણ હશે, તેના કરતાં રવિવારે ગ્રાઉન્ડ ઝીરો પર થનારા ભાષણને મુકાબલે. યોદ્ધાઓનું સમ્માન થવું જોઈએ, પરંતુ હાલ અમેરિકાને એવા નાયકોની જરૂરત છે, જે રોજગાર પેદા કરી શકે.

Tuesday, 6 September 2011

સરકાર પર અંકુશનો સવાલ



ડૉ. ભરત ઝુનઝુનવાલા

અન્ના હજારેના આંદોલનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદ અને મતદારો વચ્ચે ઘેરી તિરાડ પડી ચુકી છે. સંસદીય લોકશાહીનો મૌલિક અધિકાર છે કે સાંસદ મતદાતાઓના હિતમાં કાર્ય કરશે, પરંતુ વર્તમાન વ્યવસ્થામાં સાંસદોનો પ્રયત્ન મતદાતાઓને ફોસલાવી તેમના મત હાસિલ કરવા માત્રનો રહી ગયો છે. 17મી સદીમાં થયેલા વિચારક જીન જૈક્વેસ રોસેના વિચારોના આધારે જ આધુનિક લોકશાહીને સૃજિત કરવામાં આવી છે. તેમણે લખ્યું હતું કે, આ સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા છે કે ચૂંટાયેલા લોકો જનતા પર શાસન કરે જ્યાં સુધી એ સુનિશ્ચિત કરવામાં આવે કે તેઓ જનહિતમાં શાસન કરશે, પોતાના વ્યક્તિગત હિત માટે નહીં. આજે આપણા સાંસદ વ્યક્તિગત હિતમાં શાસન કરી રહ્યાં છે, માટે આ વ્યવસ્થા વિકૃત અને અમાન્ય થઈ ગઈ છે. સાંસદો દ્વારા બંધારણની દુહાઈ આપીને પોતાની સર્વોચ્ચતા સ્થાપિત કરવી વ્યર્થ છે. આ મહાન સંસ્કૃતિના પાછલા પાંચ હજાર વર્ષોમાં ન જાણે કેટલાં બંધારણ આવ્યા અને ગયા. આ બંધારણ પણ ચાલ્યુ જશે. બંધારણની દુહાઈ આપવી એવી રીતે છે જેમ વસિયતનામાના આધારે આજે કોઈ વ્યક્તિ પોતાની પૈતૃક જમીનદારીનો હક માંગે. આ પ્રકારે આપણા સાંસદ એક દસ્તાવેજના આધારે પોતાની સર્વોચ્ચતા સિદ્ધ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. 

બંધારણીય લોકશાહીના સ્વાર્થી થઈ જવાનું મૂળ કારણ પાર્ટીતંત્ર અને વ્હિપનો અધિકાર છે. દલબદલ કાયદા હેઠળ વ્યવસ્થા કરવામાં આવી છે કે પાર્ટીના અધિકારી સાંસદોને કોઈ પ્રસ્તાવ પર વિશેષ પક્ષમાં વોટિંગ કરવા માટે બાધ્ય કરી શકે છે. જેમ કોંગ્રેસ અને ભાજપ પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને આદેશ આપી શકતા હતા કે જનલોકપાલ બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવામાં આવે. મતદારો જનલોકપાલ બિલના પક્ષમાં હોય તો પણ સાંસદને બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવું પડશે, નહીંતર તેને પાર્ટી અથવા સંસદમાંથી બરતરફ કરવામાં આવશે. માટે સાંસદ દ્વારા નાખવામાં આવેલો મત પાર્ટીના અધિકારીઓના આદેશ પર નિર્ભર હોય છે, સાંસદના વિવેકને આધારે હોતો નથી. જનતાની ભૂમિકા માત્ર એટલી છે કે તે નક્કી કરી શકે છે કે તેના હિતોનું હનન કોઈ રામભરોસે કરશે કે મોહમ્મદ ઈશફાક? સાંસદ વોટ ક્યાં પક્ષમાં નાખશે, તેને નિર્ધારીત કરવાનો જનતાનો અધિકાર છીનવી લેવાયો છે. 

વ્હિપ સિવાય પણ મતદારો અપ્રાસંગિક છે. સાંસદો અને ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પાર્ટીના અધિકારીઓને અનુરૂપ વોટ આપવો પડશે. માટે જનલોકપાલ બિલ પારિત થઈ જાય તો પણ સુશાસનની મૂળ સમસ્યા જેમની તેમ જ રહેવાની છે. જનલોકપાલની નિમણૂક બાદ પણ સાંસદ જનવિરોધી નીતિઓ બનાવતા રહેશે. મોટી કંપનીઓના લાભ માટે ગરીબ ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક અધિગ્રહીત થતી રહેશે. ચિકન અને પિત્ઝાનો કારોબાર કરનારી બહુરાષ્ટ્રીય કંપનીઓને લાભ પહોંચાડવા માટે નાગરીકોના આરોગ્યને દાવ પર લગાવવામાં આવશે. વિદેશી કંપનીઓ દ્વારા બનાવાયેલી નવી દવાઓની તપાસ માટે ભારતીય નાગરીકોની બલિ દેવાતી રહેશે. 

અમીરોના એરકન્ડિશનર ચલાવવા માટે દેશની નદીઓની હત્યા થતી રહેશે. અમેરિકી પરમાણુ ઊર્જા કંપનીઓને લાભ પહોંચાડવા માટે ભારતની સ્વતંત્રતાને સીમિત કરી દેવામાં આવશે, વગેરે. જનલોકપાલ કાયદાથી આ જનવિરોધી કાર્યોને સંપાદીત કરવામાં મંત્રીઓ દ્વારા લેવામાં આવનારી લાંચ પર કંઈક અંકુશ જરૂરથી લાગી શકે છે, પરંતુ જનવિરોધી નીતિઓને બનાવવામાં સહેજ પણ રોક લાગશે નહીં. જો કોઈ વિશેષ નીતિ પર આંદોલન ઉભું થઈ જાય અને સંસદ ઘૂંટણિયા ટેકવી દે તો પણ વાત બનતી હોય તેમ નથી, કારણ કે જનઆંદોલન દરરોજ ઉભું થતું નથી, જેમ સરકાર બળજબરીથી ખેડૂતોની જમીનનું અધિગ્રહણ કરવા માટે કાયદો બનાવવા માટે તૈયાર છે. જન આંદોલનથી આ કાયદો રોકાય ગયો તો પણ ક્લિનિકલ ટ્રાયલ, જંક ફૂડ, નદીઓની હત્યા, દેશની સ્વતંત્રતાને ગિરવી રાખવાનું ચાલુ રહેશે. 

જન આંદોલનને થકવાડીને ઢીલું કરવામાં સરકાર માહિર છે. મારું નિશ્ચિત માનવું છે કે જનલોકપાલ બિલના પક્ષમાં પ્રસ્તાવ પારિત કરવા છતાં સંસદ તેને પારિત કરશે નહીં. જનતા થાકી જશે અને આ આંદોલન સમાપ્ત થઈ જશે. કેટલાંક સમય પહેલા આ પ્રકારના અનશન પર્યાવરણવિદ્દ ડૉ. ગુરુદાસ અગ્રવાલે કર્યા હતા. આપવામાં આવેલા આશ્વાસનથી સરકાર બે વખત પાછી હટી ગઈ. ત્રીજી વખત 37 દિવસના ઉપવાસ બાદ સરકારે ગંગા પર ઉત્તરકાશીની ઉપર લોહારીનાગપાલા બંધને રોકવાની માગણી માની, પરંતુ આજે ફરીથી સરકારે પોતાના વાયદાથી પીછેહઠ કરી છે અને એક મોટી પરિયોજનાના સ્થાન પર મોટી સંખ્યામાં નાની પરિયોજનાઓના માધ્યમથી ગંગાની હત્યા કરવા માટે તૈયાર છે. ઉપવાસ અને જનઆંદોલનને લાંબા સમય સુધી ચાલુ રાખવા કઠિન હોય છે. માટે પાર્ટીઓ અને સાંસદોનો વ્યક્તિગત સ્વાર્થ હાવી થઈ જાય છે અને જનતા થાકીને મૂક સંમતિ આપી જ દે છે. 

આ સમસ્યાના સમાધાન માટે લાંબાગાળાની વ્યવસ્થા બનાવવી પડશે. જેથી સંસદ પર સતત અંકુશ રાખી શકાય. આપણે સમજી લેવું જોઈએ કે સરકારનું મૂળ ચરિત્ર જ જનવિરોધી હોય છે. આ જનવિરોધી સરકાર દ્વારા જનલોકપાલ બિલ પારિત થઈ જાય, તો તે ચોર દ્વારા મંદિરમાં પૂજા કરવા જેવું હશે. તેમ છતાં પણ અન્ના હજારે આંદોલનને અંકુશની એક સફળ કડીના રૂપમાં જોવું જોઈએ. 

આ લાંબાગાળાની વ્યવસ્થા બનાવવામાં આપણે આપણી પરંપરાઓમાંથી બોધપાઠ લઈ શકીએ છીએ. પ્રોફેસર ઈલા ઘોષ જણાવે છે કે કાલિદાસના રઘુવંશમાં અધ્યાપક, પુરોહિત, મંત્રી અને જનતાને ધૂર્ત શાસક પર નિયંત્રણ કરવાનું માધ્યમ બતાવાયા છે. આ નિયંત્રણ વ્યવસ્થાના ઘણાં બિંદુ છે. એક, તેમના દ્વારા શાસક પર આરોપ લગાવી શકાય છે, જેવી રીતે રાજીવ ગાંધી પર બોફોર્સ મામલામાં લગાવાયો હતો. બીજું, તેના દ્વારા શાસકની ટીકા કરી શકાય છે. શાસકના કાર્ય પ્રત્યે લોકો અસંમતિ વ્યક્ત કરી શકે છે. ત્રણ, તેમના દ્વારા ધરણાં, અનશન, ઘેરાવ વગેરે થઈ શકે છે. ચાર, જનતા દ્વારા શાસકને શ્રાપ આપી શકાય છે. શ્રાપથી શાસકની આંતરીક શક્તિનો હ્રાસ થાય છે અને તે ખોટા કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. પાંચ, સંતોની અગ્નિને છોડી શકાય છે, જેમ રાજા સાગરના પુત્ર માર્યા ગયા હતા. છ, જનતા શાસક પર અવિશ્વાસ કરીને તેના કાર્યોમાં અસહયોગ કરી શકે છે, જેવી રીતે સરકાર કહે છે કે દિકરીને દહેજ ન આપો, પરંતુ જનતાએ દિકરીના અધિકારને છીનવી લેવાનો ઈન્કાર કર્યો છે. આ તમામ ઉપાયોથી સરકારના મૂળ જનવિરોધી ચરિત્ર પર અંકુશ લગાવી શકાય છે. એક આંદોલનથી સરકારનું ચરિત્ર કંઈ બદલાશે નહીં. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Monday, 5 September 2011

ડ્રેગનથી મુકાબલો


-મારુફ રઝા

ભારત સાથે સૌથી વધારે દુશ્મની અને આક્રમક વલણ દાખવનાર પડોશી દેશ ચીન છે. ચીનની દાદાગીરીનું સૌથી તાજેતરનું ઉદાહરણ વિયેતનામની નિયમિત યાત્રાએ જઈ રહેલા એક ભારતીય યુદ્ધજહાજ આઈએનએસ ઐરાવતને તથાકથિત ચીની સમુદ્રી ક્ષેત્ર ખાલી કરવાની ચેતવણી દ્વારા સામે આવ્યું છે. આમ તો આ ઘટના જુલાઈના છેલ્લા અઠવાડિયાની છે, પરંતુ તેના સંદર્ભે ઢાંકપિછોડો કરાયા બાદ હવે અત્યારે જાણ થઈ છે. આમ ઢાંકપિછોડો કરવા પાછળનું દેખીતું કારણ ચીન સંદર્ભેની ભારતની બિનઆક્રમક અને દબ્બુ નીતિ પ્રમાણે મામલાને વધારે સળગવા ન દેવાની વૃતિ છે. વિયેતનામના નિયમિત પ્રવાસે ગયેલા આઈએનએસ ઐરાવતને જ્યારે ચીની નૌસેના દ્વારા ચેતવણી આપવામાં આવી, ત્યારે તે ચીની સરહદથી 40 સમુદ્રી માઈલ દૂર હતું. ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે તટસ્થ જળસીમામાં નિયમિત પ્રવાસે જઈ રહેલા ભારતીય યુદ્ધજહાજની સાથે દાદાગીરી કરવા પાછળ ચીનની મનસા શું હતી?

ભારતની વિદેશ નીતિ સ્વીકારે કે અસ્વીકારે, પણ એક વાત સ્પષ્ટ છે કે ચીન ભારતને પોતાનું મિત્ર માનતું નથી. આમ તો ચીનનો શત્રુવત વ્યવહાર હોય છે, પણ સારી ભાષામાં કહીએ તો ચીન ભારતને રણનીતિક પ્રતિસ્પર્ધી માને છે. ભારતીય યુદ્ધજહાજ દક્ષિણ ચીનના સમુદ્ર વિસ્તારમાં જે ક્ષેત્રમાં હતું, ત્યાં તેલ જેવાં પ્રાકૃતિક સંસાધનો છે. ચીન સંપૂર્ણ આક્રમતા સાથે આ ક્ષેત્ર પર દાવો કરી રહ્યું છે. આ સિવાય આ વિસ્તારમાં વિયેતનામ ચીન સામે એશિયાની નવી શક્તિ તરીકે ઉભું થઈ રહ્યું છે. ત્યારે વિયેતનામ સાથે ભારતના મજબૂતાઈથી વધી રહેલા સંબંધો ચીનને પોતાના હિતો વિરુદ્ધના લાગે છે. તો સામે પક્ષે ભારતની ચિંતાનું કારણ પણ સ્પષ્ટ છે કે ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે અને તેણે ભારતની ઉત્તર તથા દક્ષિણે પોતાના સૈન્ય અને નૌસૈનિક અ઼ડ્ડાઓ પણ બનાવી લીધા છે.

ચીને મ્યાંમારમાં નૌસૈનિક થાણું અને શ્રીલંકા તથા પાકિસ્તાનના ગ્વાદર વિસ્તારમાં પોર્ટ બનાવીને ભારતને વ્યૂહાત્મક રીતે ઘેરી લીધું છે. તેની સાથે ચીને ગત કેટલાંક વર્ષોથી સુનિયોજીત ઢબે ભારતીય સરહદો નજીક સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. લડાખ, ઉત્તરાખંડ, હિમાચલ અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી સિવાય હિમાલયની ઉત્તરે તિબેટમાં સુખોઈ અને યંત્રીકૃત દલો સાથે જમીની અને હવાઈ સૈન્ય અભ્યાસ પણ કર્યો છે. વળી ચીન હવે ઉત્તર કોરિયા સિવાય પાકિસ્તાનને એશિયામાં પોતાનું બીજું પીછલગ્ગુ માને છે. ચીનને આશા છે કે એક વખત જ્યારે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના વિસ્તારોમાંથી અમેરિકી અને નાટો સૈનિકો પાછા ફરશે, તો તે દક્ષિણ-પશ્ચિમ એશિયામાં અમેરિકાની જગ્યા લઈને બાદશાહત ભોગવશે.

ભારત વિકાસના મામલે અને આર્થિક પ્રગતિમાં ચીનનું દુનિયામાં સૌથી મોટું પ્રતિસ્પર્ધી છે. ત્યારે ભારતની પ્રગતિને પાકિસ્તાની ષડયંત્રમાં ગુંચવી નાખવાની કોશિશ ચીન દ્વારા સતત થઈ રહી છે. ભારત પર નિશાન સાધી શકાય તેવી મિસાઈલો ચીન પાકિસ્તાનને આપી રહ્યું છે. ચીને પાકિસ્તાનને પરમાણુ બોમ્બ બનાવવાની પરમાણ્વિક ટેક્નોલોજી પણ પ્રદાન કરી છે. જેમ કે એક વિશ્લેષકે કહ્યું છે કે પાકિસ્તાનનો પોતાનો કોઈ પરમાણુ કાર્યક્રમ નથી, જે પણ છે તે ચીનનો પરમાણુ કાર્યક્રમ છે. પરંતુ આંચકો લાગે તેવી વાત એ છે કે ચીનની આ બેવડી માનસિકતા સામે દુનિયા આખીએ આંખ આડા કાન કર્યા છે, કારણ કે તેણે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાન અને ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર બનાવવામાં મદદ કરીને ચીને સૌથી વધારે વખત એનપીટી- પરમાણુ બિન પ્રસાર સંધિનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને ચીનની મદદથી બનાવેલા પરમાણુ હથિયારો માત્ર ભારત માટે જ નહીં, પરંતુ આખી દુનિયા પર ઝળુંબતું જોખમ થઈ ગયા છે. ભારતની સંસદ અને વડાપ્રધાને દેશની જનતાને આશ્વસ્ત કરી છે કે ભારત ચીનના આવા આક્રમક વલણને ઠેકાણે લાવવા માટે પૂરી રીતે સક્ષમ છે. પરંતુ અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભારત કઈ રીતે પોતાના કૂટનીતિક પ્રભાવનો ઉપયોગ કરીને ઉપખંડમાં ચીનના વર્ચસ્વને પડકારશે.

1962નું ચીની આક્રમણ થયા બાદ વણસેલા સંબંધો અતીતથી વિરુદ્ધ હવે બદલાઈ રહ્યા છે. પહેલા ચીનના ભયથી ભારત નિષ્ક્રિય રહ્યું હતું, પરંતુ હવે તેણે આક્રમક રાજનયિક વલણ અપનાવી લીધું છે. ચાહે અરુણાચલ પ્રદેશ પર દાવો કરવાનો મામલો હોય કે પછી ભારતીય સેનાના ઉત્તર કમાન્ડના વડા લેફ્ટિનેન્ટ જનરલ બી. એસ. જસવાલને વીઝા આપવાથી ઈન્કારનો મામલો હોય, ભારતે ચીનનો પૂરતી દ્રઢતાથી મુકાબલો કર્યો છે. જો કે અફસોસની વાત એ છે કે મનમોહન સિંહની સરકારે ચીનના વિકાસને એક વાસ્તવિકતાના રૂપમાં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું છે કે વાતચીત જ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ ચીન પોતાની શરતો પર જ વાતચીત કરવા માટે તૈયાર છે. લાંબા સમયથી ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદથી દેખાય છે કે વર્ષો બાદ પણ ચીન ભારત પાસેથી સરહદોના નક્શા સ્વીકારવાના મામલે ચુપ છે.

હવે સવાલ એ છે કે ચીનના પ્રભાવને ભારત કેવી રીતે પડકારે? વ્યૂહાત્મક સ્તર પર ભારતે ચીનને ચારે તરફથી એક ઘેરો બનાવીને ઘેરવું જોઈએ અને વિયેતનામ આ મામલામાં કોઈ અન્ય દેશ કરતાં શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે છે. દક્ષિણ એશિયાઈ દેશોનું એક જોડાણ બનાવવું જોઈએ, જેની સાથે ઉત્તરમાં રશિયા અને જાપાન પણ હોય. આમ થવાથી ચીન પર કૂટનીતિક દબાણ નાખી શકાશે. તો જમીન પર ભારતીય સેનાએ અરુણાચલ અને લડાખમાં ઘૂસણખોરી અથવા સમુદ્રમાં આઈએનએસ ઐરાવત સાથે થયેલી ઘટના જેવી પરિસ્થિતિઓમાં કોઈપણ બેતુકા વ્યવહારથી બચીને ચીનને સખત ટક્કર આપવી જોઈએ. જેવી રીતે ભારતે 1967માં ચીનને નાથુલામાં જવાબ આપ્યો હતો. સાથેસાથે ભારતીય સેનાએ ચીની સેનાઓ સાથે સૈન્ય અભ્યાસ બિલકુલ છોડી દેવો જોઈએ. આવી વાતો કાગળ પર જ સારી લાગે છે, દીર્ઘકાલિક દ્રષ્ટિએ આનાથી કદાચ કોઈ ઉદેશ્ય સિદ્ધ થતા નથી. વળી ચીની સૈનિકો ભારતીય ભાષાઓમાં માહિર હોય છે, જ્યારે ભારતીય સૈનિકો મંદારિન ભાષાના જાણકાર હોતા નથી. આવી સ્થિતિમાં ભારતીય સૈનિકો પાસેથી રણનીતિઓ સંદર્ભે ચીની સૈનિકો વધારે માહિતી મેળવી શકે છે. આમ આવા અભ્યાસોમાં આપણે આપીએ છીએ વધારે અને ઘણું ઓછું મેળવીએ છીએ.

हिंदु अंतरमन की वेदना का ज्वालामुखी

-          आनंद शुक्ल

भारत में विश्व में सबसे ज्यादा हिंदुओं का निवास है. भारत एक राष्ट्र के रूप में सनातन काल से हिंदु रह्या है. हालाकि भारत के हिंदुओं का दुर्भाग्य है कि वह हिंदु राज्य नहीं है. भारत में हिंदुओं की राजनीतिक आकांक्षाओं की पूर्ति केलिए 64 वर्ष पहले मिली खंडित आजादी से अब तक कोई व्यवस्था नहीं है. भारत में हिंदुत्व का झंडा लेकर घुमनेवाले कुछ राजनीतिक पक्षो का उदय हुआ और उसमे से एकाद पक्ष अभी जीवित है. भारतीय जनसंघ की स्थापना हिंदुत्व की विचारधारा के आधार पर की गई थी. तो आपातकाल के बाद जनता पार्टी में दो सभ्यपद के विवाद के कारण अलग होनेवाले जनसंघीओंने भाजप की स्थापना की थी. परंतु भाजप भी गांधीवादी समाजवाद और बाद में हिंदुत्व के वैचारीक मार्गो पर अस्पष्टताओं और असमंजसताओं के साथे आगे बढा. रामजन्मभूमि आंदोलनने भारतीय राजनीति का हिंदुकरण करने का काम किया. भारतीय राजनीति में नई दिशा ईसी आंदोलनने खोली. 1997 तक लग रह्यां था कि हिंदुओं को खंडित आजादी के बाद अब अपनी राजनीतिक आकांक्षाओं की पूर्ति केलिए कोई उचित राजनीतिक अभिव्यक्ति का साधन भाजप के रूप में मिल गया है. 


किन्तु भाजप द्वारा अपने आप को सेक्युलर दिखाने के शोख के कारण हिंदुओं के मुद्दे और उनकी ऊचित राजनीतिक अभिव्यक्ति को भारत की राजनीति में कोई स्थान नहीं है. हालाकि भाजपने एनडीए के तेहत सत्ता का पूर्ण स्वाद चखने के बाद जाहिर किया कि उनकी विचारधारा हिंदुत्व की है. लेकिन सत्ताकाल के वर्षो के दैरान भाजपने रामजन्मभूमि पर भव्य राममंदिर निर्माण, जम्मु-काश्मीर में से आर्टीकल-370 को हटना और समान नागरीक कानून को लाने के मुद्दो को कोमन मिनिमम प्रोग्राम के बहाने अपने से दूर रखा था. भाजपने गठबंधन राजनीति का अनिवार्यपन दर्शाते हुए, ईन सभी मुद्दो को अपने चूनावी मेनिफेस्टो में जरूर से रखा था. ताकि कोई यह कहे न शके कि उन्होंने हिंदुत्व की विचारधारा से जुडे ईन मुद्दो के साथ कोई समझौता कर लिया है. लोकसभा प्रतिपक्ष की नेता और भाजप की वरिष्ठ नेत्री श्रीमती सुष्मा स्वराजने अपने एक वक्तव्य में रामजन्मभूमि मंदिर मुद्दे को एनकैश हुए चैक के समान बताकर अपने हाथ खिंच लिए. भाजप के वरिष्ठ नेता मुख्तार अब्बास नक्वीने भी हिंदु जनभावना को आहत करनेवाला निवेदन देकर रामजन्मभूमि पर भव्य राममंदिर के सवाल पर जवाब दिया था कि भाजप कोई कन्स्ट्रकशन कंपनी नहीं है. भाजप के ईन नेताओं के रामजन्मभूमि मामले में अभिव्यक्त होते विचार और अभिप्रायों से उनका हिंदुत्व के प्रति घट रहा आग्रह स्पष्ट रूप से दिखाय देता है.

कुछ संतों और हिंदुवादी संगठनो के कार्यकर्ता दबी जुबान में कहेते सुने जाते है कि भाजप कॉंग्रेस में और कॉंग्रेस मुस्लिम लीग में परिवर्तित हो चुकी है. भाजप और कॉंग्रेस की कथनी-करनी से हिंदु समाज की ईस निराशा कोई इन्कार कर नहीं शक्ता. भाजप के कॉंग्रेसीकरण की बात बहोत सारे राजनीतिक विश्लेषक हंमेशा से करते आये है. पार्टी विथ डिफरन्स मुस्लिम तुष्टिकरण, भ्रष्टाचार, उदारवाद, भूमंडलीककरण, विनाश की ओर जाता विकास की विकृत अवधारणाओं के मुद्दो पर कॉंग्रेस जैसा ही अभिप्राय रखती है. राष्ट्रीय स्वयंसेवक संघ के चिंतक मा. गो. वैद्यने तत्कालिन परिस्थितिओं के मुताबिक भाजप और कॉंग्रेस को साथ में मिलकर सरकार बनाने की बात कही है. हिंदु विचारधारे के प्रवर्तमान पावर हाऊस राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक पद पर आसिन होने के समय मोहनराव भागवतने भाजप की सर्जरी और किमोथैरपी देने की बात भी की थी. हालाकि अहेमदाबाद में आयोजित एक सेमिनार में सरसंघचालक मोहनराव भागवतने नई राजनीतिक पार्टी बनाने की बात पर यह कहेते हुए पूर्णविराम रखा था कि हमारे पार अभी दीनदयालजी जैसे ऊंचे कद के नेता नहीं है. उन्होने कहा था कि हम भाजप को सुधारेंगे. चर्चा ऐसी भी है कि नया पक्ष बनेंगा, तो वह नया पक्ष भी भाजप की तरह नहीं बनेगा उसकी कोई गेरेन्टी दे शकता है?

लेकिन हिंदुवादी संगठनों के कार्यकर्ताओं की व्यथा ऐसी है कि हिंदु संगठन सक्रिय बन के कोई काम करते है, तो उसका राजनीतिक लाभ भाजप को ही होनेवाला है. यू देखा जाये तो हिंदुवादी संगठनो का कार्य भाजप केलिए मतो में परिवर्तित होता रहा है. लेकिन उसकी कोई राहत हिंदुवादी संगठनो को नहीं हो रही है. हिंदुवादी संगठनो और उनके कार्यकर्ताओं के साथ भाजप द्वारा कॉंग्रेस से भी खराब बर्ताव होने के कई उदाहरण है. ऐसी परिस्थिति में हिंदुवादी संगठन में ऐसी भावना देखी जा शक्ती है कि गाय का दोहन कर के कूत्तियां को दूध पिलाने जैसी स्थिति है और हद तो तब होती है कि वह कुत्तियां दूध पिलाने वाले को ही काटती है, तो.. इसका ईलाज क्या है? प्रवर्तमान राजनीतिक परिस्थितिओं में हिंदु जनता अपने आप को राजनीतिक क्षेत्र में अनाथ समज रही है. यह परिस्थिति कॉंग्रेस और वामपंथीओं के साथे सेक्युलर होने का दम भरनेवाले दंभी छोटे-मोटे राजनीतिक पक्षों केलिए बहोत ही अनुकूल है. ईन परिस्थितिओं के चलते हिंदुवादी संगठनो में सब से ज्यादा प्रभावी राष्ट्रीय स्वयंसेवक संघ के सर्वोच्च नेता सरसंघचालक मोहनराव भागवत कोई परिणाम मिले ऐसी सर्जरी और कैमोथैरपी कर पाये हो ऐसा दिखाई नहीं दिया है.

हिंदु समाज के विश्वास और भावनाओं का राजनीतिक लाभ लेकर सत्तासुख भोगने के बाद उनसे घात करना कोई नई बात नहीं है. आजादी के पहेले कॉंग्रेस को हिंदुओं का सबसे ज्यादा समर्थन था. कॉंग्रेस 1935 और 1946 के प्रांतिय चुनावोमें काफी प्रदेशो में सत्ता में आई, उस केलिए उसे हिंदु जनसमुदाय का प्रचंड समर्थन था. मुस्लिम लीग के नेता महंमदअली जिन्ना कॉंग्रेस को हिंदुओं की पार्टी और महात्मा गांधी को हिंदु नेता कहते थे. हालाकि महात्मा गांधी को हिंदु-मुस्लिम एकता के निष्फल प्रयोग करने में और कॉंग्रेस को मुस्लिमो का भी समर्थन प्राप्त है ऐसी पार्टी दिखाने केलिए गहेरी राजनीतिक आकांक्षा थी. उसके कारण भारत को जो नुकसान हुआ है, वह किसिसे भी छिपा नहीं है. सनातन काल से अखंड हिंदु राष्ट्र, कॉंग्रेस और महात्मा गांधी की हिंदु हितो की सुरक्षा करने में अक्षम नीतिओं के कारण खंडित हुआ. भारत के टुकडे करके पाकिस्तान नामका मुस्लिम राज्य बनाया गया, तो खंडित भारत को हिंदु राज्य बनाने की बजाय तत्कालिन नेताओंने उसे सेक्युलर राज्य बनाया. हिंदु मन की वेदना है कि सेक्युलारिज्म की माला जपनेवाले ईन नेताओंने अपने दंभ को जीवित रखने केलिए भारत को हिंदु राज्य क्यों नहीं बनने दिया? भारत को हिंदु राज्य बनाया जाये या नहीं, उस केलिए जनता के किसी प्रकार के जनमत लेने कि तत्कालिन नेताओंने जरा भी चेष्टा नहीं की. 

महात्मा गांधीने नेहरु-सरदार को पाकिस्तान के आक्रमक रवैये के बावजूद 55 करोड रूपयें देने केलिए अनशन के द्वारा बाध्य कर लिया था. गांधीजीने उस वक्त अपने अनशन तोडने केलिए एक दूसरी शर्त रखी थी कि दिल्ही की मस्जिदों में शरण लिए हुए हिंदु-शीख शरर्णार्थीओं को उन मस्जिदों का कब्जा मुसलमानो को देना होंगा. महात्मा गांधी की इस मांग को मानते हुए हिंदु-शीखोंने मस्जिदों को मुसलमानो को सौंप दिया. हिंदु अंतरमन की वेदना कितनी विचलित करनेवाली होंगी कि नाथूराम गोडसे नाम के एक व्यक्तिने महात्मा गांधी को तीन गोलियां दागकर मार डाला? (यहां गांधीजी कि हत्या को ऊचित ठहेराने का कोई प्रयास नहीं है, किन्तु हिंदुओं के हितो को नुकसान पहोंचानेवाली बातें नग्न सच के नाते सामने आई तो उसका क्या परिणाम हुआ, यह दिखाने का ही उदेश्य है.)

सरदार पटेल के मृत्यु के बाद देशमें कॉंग्रेस के द्वारा मुसलमानों को वोटबैंक के रुप में ही देखा गया. मुसलमानों के वोट लेने केलिए उन्होने मुस्लिम तुष्टिकरण की नीति सेक्युलारिज्म के नाम से खुल्ले तौर पर चालु की. मदरसो कि स्थापना हो, मुस्लिमों को हजयात्रा केलिए सबसिडी देना हो, मुस्लिम गुंडों कि असमाजिक प्रवृतिओं को अनदेखा करना हो, काश्मीर में अलगतावादीओं को सर ऊंचा करने केलिए ढीली नीति अपनाने की बात हो, कॉंग्रेस इन सब बातों में अव्वल रही है. मुस्लिम तुष्टिकरण की कॉंग्रेसी मानसिकता में आनेवाली विकृतिआं समय समय पर बढती गई.

हाल के समय में मुस्लिम-ईसाई और अन्य लघुमती समुदायों को धर्म के आधार पर आरक्षण देने की पेरवी करना, बांग्लादेशी घूसपैठियों के प्रति नरम रवैया रखना, आतंकवाद के खिलाफ सख्त कानून को राजनीति के चलते नहीं आने देना, हिंदु आतंकवाद की बात को उछाल कर हिंदु संगठनो को लश्करे तोईबा से भी खतरनाक बताना, सांप्रदायिक हिंसा को रोकने केलिए हिंदु विरोधी कानून तैयार करना, रामसेतु तोडने केलिए सेतुसमुद्रम परियोजना को आगे बढाने केलिए कोशिशे करना, काश्मीर के अलगतावादीओं को दिल्ही में सेमिनार करने देना, पाकिस्तान के विरुद्ध अस्पष्ट नीति रखना, अफजल गूरु जैसे आतंकवादी को संसद पर हमला करने के मामले में सुप्रीम कोर्ट के द्वारा फांसी की सजा मिली है, फिर भी कुछ नहीं करना- जैसी मुस्लिम तुष्टिकरण की नीतिआं कॉंग्रेस अध्यक्ष सोनिया गांधी की प्रेरणा और कुछ दंभी सेक्युलर संगठनो के सीधे दोरीसंचार से आगे बढा रही है.

मुस्लिम तुष्टिकरण की राष्ट्रविरोधी कॉंग्रेसी-सेक्युलर नीतिओं के खिलाफ हिंदुओं में राख के नीचे अंगारे भडक रहे है. किन्तु हद तो तब होती है कि हिंदुत्व की बात करनेवाला भाजप भी इन तमाम मुद्दो पर सेक्युलर बनकर के बर्ताव कर रह्या है. मुस्लिम भी भाजप के साथ है, यह दिखाने केलिए भाजप के दिग्गज और केन्द्रीय नेता भरचक प्रयास कर रहे है. तब हिंदु अंतरमन को वेदना होना स्वाभाविक है. कॉंग्रेसने तो राष्ट्रविरोधीओं के प्रति नरम रुख के चलते हिंदु अंतरमन का हंमेशा निरादर किया है. किन्तु हिंदु अंतरमन की अवमानना अपने आप को हिंदुत्ववादी कहेनेवाले भाजप के द्वारा होती है, तो उसकी वेदना विराट हिंदु समाज के हर व्यक्ति को होना अनिवार्य है. लेकिन राजनीतिक छलावे से साशंकित विराट हिंदु समाज की वेदनाओं को राजनीतिक अभिव्यक्ति देने का कोई साधन हाल के समय में उपलब्ध नहीं है. तो ऐसी स्थिति तो भारत केलिए और उसके विराट हिंदु समाज केलिए बेहद खतरनाक करार दी जाती रही है. कुछ हिंदुत्ववादी चिंतको का कहेना है कि ऐसी स्थिति में हिंदु संगठनो के नेताओं को हिंदुओं की राष्ट्रीय स्तर पर राजनीतिक अभिव्यक्ति के एकमात्र साधन भाजप को सीधा अल्टीमेटम दे देना चाहिए कि हिंदुओं की भावनाओं और मांगो की ईज्जत करे. अगर ईन सब बातो के चलते भाजप अपने मार्ग पर वापिस नहीं आता, तो हिंदुओं को अपनी सटीक राजनीतिक अभिव्यक्ति केलिए हिंदु अंतरमन की वेदनाओं को ध्यान में रखकर हिंदु संगठनों और नेताओं को अन्य विकल्पों का विचार करना चाहिए.

भारत में हिंदु पहेचान प्रस्थापित करने, उसे द्रढीभूत करने, उसे बनाये रखने केलिए राजनीतिक बल की आवश्यकता रहेनेवाली है. अगर राजनीतिक बल कमजोर होगा या दोहरे चरित्रवाला होगा, तो उसका नुकसान हिंदु पहेचान को होगा. भारत का आत्मा हिंदुत्व है, हिंदुओं और हिंदुत्व को नुकसान अंत में भारत को नुकसान है. तब हिंदुत्व के मुद्दो पर किसी भी प्रकार का समाधान हिंदु जनमत का अनादर करके न हो, वह देखना अति आवश्यक है. अपने हितों को हिंदु समाज कोई संगठन, कोई राजनीतिक पक्ष या कोई नेताओं के हवाले न करे. अपने हितों को नुकसान होने कि स्थिति में हिंदु समाज को स्वयंभू आंदोलन कि कमान अपने हाथो में लेनी आवश्यक है. परंतु ऐसी व्यवस्था के विकल्प केलिए भी कार्यकर्ताओं, नेताओं, संगठन, दल की आवश्यकता रहेंगी.

अगर हिंदु समाज ऐसे स्वयंभू अपने आप के अभिव्यक्त करेगा, तो हिंदुत्व के नाम पर सत्ता पर आने के बाद कोई राममंदिर निर्माण जैसे भावनात्मक मुद्दे पर राजनीति नहीं करेंगा, कोई गोहत्या प्रतिबंधक कानून को बनाके भूल नहीं जायेगा, कंधारकांड की तरह कोई आतंकवादीओं को मुक्त करने की हिंमत नहीं करेगा, संसद पर हमले के बाद आरपार की लडाई की कविताएं करने की कोई हिंमत नहीं कर पायेगा, कोई पाकिस्तान को पाठ पढाने की बजाये शांतिवार्ता की माला नहीं जपेगा, कोई सरकार हिंदु मंदिरों को अपने कब्जे में लेकर के मुस्लिमो को हजयात्रा केलिए सबसिडीयां देने की जुर्रत नहीं करेगा, कोई उर्दू के शिक्षकों को बडे पैमाने पर भरती नहीं करेगा, कोई हजयात्रा की सबसिडी में ज्यादा वृद्धि और सुविधाएं देने की हिंमत नहीं कर सकेगा.