Sunday, 3 July 2011

રાજકારણનો અર્થ ખજાનો શોધવાનો ધંધો



કે. એન. ગોવિંદાચાર્ય, રાજકીય વિચારક, સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

આખો દેશ ભ્રષ્ટાચાર, કાળા ધન અને રાજકીય દળોના તકવાદથી પરેશાન છે.

પાર્ટીઓના બેવડાપણાંને કારણે કોઈ મુદ્દા પર કોઈ સ્પષ્ટ નીતિ બની રહી નથી. દેશમાં રાજનીતિ સામાજીક પરિવર્તન અને સેવાનું માધ્યમ ન થઈને પૈસાથી રાજનીતિ અને રાજનીતિથી પૈસા બનાવવાનો ખેલ બની ગઈ છે. પાર્ટીઓની સત્તોન્મુખ રાજનીતિને કારણે સામાન્ય કાર્યકર્તા હતાશ-પરેશાન છે. મોટાભાગના મુદ્દાઓ પર રાજકીય પક્ષોનો અભિપ્રાય એક જેવો બની રહ્યો છે. સુચિતાનો અભાવ સર્વત્ર દેખાઈ રહ્યો છે. રાજનીતિમાં સત્તા, સંપત્તિ અને સમ્માનનું જોડાણ થઈ ગયું છે.
રાજકીય પક્ષોનું આકલન મુખ્યત્વે પાંચ વાતોથી કરવાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જાય છે. આ છે- પ્રેરણા, વિચારધારા, કાર્યપદ્ધતિ, આચરણ અને વ્યવહાર. આ વાતોને યોગ્ય રીતે કોઈ પક્ષમાં લાગુ કરવા માટે જરૂરી છે આત્મવિલોપન. કોઈ પક્ષમાં તેનો અભાવ થઈ જાય તો ગડબડો સ્વાભાવિક છે. કોઈ પક્ષ આ વાતોને સાધી લે છે તો તે સ્વાભાવિક પરિવર્તનનું ઓજાર બની જાય છે.

દુર્ભાગ્યથી આજે મોટાભાગના પક્ષોમાં તેનો અભાવ દેખાય છે, જે પક્ષમાં આની કમી થઈ જાય તે રાષ્ટ્રીય મહત્વના લક્ષ્યને પૂરા કરવામાં ઉપયોગી ભૂમિકા નિભાવી શકે નહીં. આવા પક્ષો તો સામાજીક અને આર્થિક હેસિયત વધારવાના માધ્યમ માત્ર બનીને રહી જાય છે. મૂલ્યો અને મુદ્દાઓથી ભટકેલા રાજકીય પક્ષોની સરકાર ભ્રષ્ટાચારના નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેની દીવાલ દિવસેને દિવસે પહોળી થઈ રહી છે. રાજકીય પક્ષ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાના હલ કરવામાં નહીં, પરંતુ તેનો રાજકીય લાભ લેવામાં પોતાની ઊર્જા લાગવી રહ્યાં છે.

અત્યારે કહેવા માટે લોકપાલના સવાલ પર સત્તા અને વિપક્ષનો અભિપ્રાય જુદોજુદો છે. પરંતુ વિપક્ષી દલો પોતાના વિચાર જાહેર કરી રહ્યાં નથી, કારણ કે ભ્રષ્ટાચારના સવાલ પર મોટાભાગે તમામ પાર્ટીઓ અને સરકારોનો અભિપ્રાય સમાન છે. ભારતમાં સમગ્ર શાસક વર્ગે ભ્રષ્ટાચાર, કાળા ધન અને ઘણાં બધાં મુદ્દાઓ પર મૌન સંમતિ બનાવી લીધી છે. જ્યાં સુધી ગરીબપરસ્ત સરકાર બનતી નથી, ત્યાં સુધી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે નહીં. 

આજે જનપ્રતિનિધિ હોવાનો દાવો કરનારા સાંસદ, મંત્રી, ધારાસભ્ય- તમામ જનતાના નામે મૂડીવાદીઓ અને કોર્પોરેટ હાઉસોના હિતમાં કામ કરી રહ્યા છે. તેવામાં જ્યારે જનતા પોતાનો હક માંગી રહી છે તો તેના નેતાઓને જનતાના પ્રતિનિધિ માનવામાં આવી રહ્યા નથી. આ આશ્ચર્યજનક અને ખતરનાક સંકેત છે. હું તમામ રાજકીય પક્ષો પર બેવડાપણાંનો આરોપ લગાવી રહ્યો છું. પીએમઓ, ચીફ જસ્ટિસને લોકપાલની મર્યાદામાં રાખવામાં આવે કે નહીં, સત્તા પક્ષ સાથે જ વિપક્ષે પણ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ. પરંતુ વિપક્ષ તક શોધી રહ્યું છે. આ રાજકીય તકવાદની ચરમસીમા છે.

ભ્રષ્ટાચાર, કાળું ધન કોઈ અન્ના હજારે, બાબા રામદેવ અને ગોવિંદાચાર્યનો મુદ્દો નથી. બધાંએ આ રોગ વિરુદ્ધ એકજૂટ થઈ સત્તાપક્ષ સામે લડવું પડશે. સાથે જ વ્યક્તિગત અહમને ત્યાગવો પડશે. અનુભવ અને ઉદાહરણને જોતા કહી શકાય કે સત્તાપક્ષ અને વિપક્ષમાં કોઈ અંતર રહી ગયું નથી. નીતિ અને નિયતિ પણ તમામ રાજકીય પક્ષોની એક છે. હા, આ ખુશીની વાત છે કે જનતા દ્વારા આંદોલન થઈ રહ્યું છે. આ લોકશાહીની અસલી શક્તિ છે. જનતા હવે ભ્રષ્ટ સરકારોને સહન કરવાની વિરુદ્ધ છે. તેવામાં જો તેનું સમાધાન કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનો વધશે. સાથે જ સરકારી દમન વધાવની આશંકાથી પણ ઈન્કાર કરી શકાય નહીં.

લોકપાલ બિલ પર શરૂઆતથી જ સરકારનું વલણ ટાળવાનું છે. જનાક્રોશને ઓછો કરવા માટે યૂપીએ સરકારે લોકપાલ બિલ બનાવવાની વાત મંજૂર કરી હતી. ત્યાર બાદ જ તેઓ રામદેવના મુદ્દા પર દમન કરવા ઉતરી આવી. આનાથી તેની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. પહેલા દિવસથી જ સરકાર ખોટી નિવેદનબાજી અને છેતરપિંડી કરવા પર ઉતારુ છે. શાતિર લોકો પાસેથી અન્ના સદાશયતાની આશા કેમ રાખી રહ્યાં છે? લોકપાલ, ભ્રષ્ટાચાર અને કાળા ધન મુદ્દે સૌએ એકજૂટ થઈને સરકારની મનસાને બદલવી પડશે.

પ્રસ્તુતિ- પ્રદીપ સિંહ

No comments:

Post a Comment