Saturday, 2 July 2011

ઉત્તરદાયિત્વવિહીન વ્યવસ્થા



(દેશમાં લોકશાહીને જીવંત રાખવા માટે શાસન પ્રણાલીમાં ફેરફારોની તરફદારી કરી રહ્યાં છે એસ. શંકર. સૌજન્ય- દૈનિક જાગરણ)

ઈ.સ. 1935માં અંગ્રેજોના બનાવેલા બ્રિટિશ ઈન્ડિયા એક્ટ પર જ આપણી રાજકીય વ્યવસ્થા આધારીત છે. અર્થાત જે વ્યવસ્થા એક વિદેશી, ઉપનિવેશિક સત્તાએ મૂળ પોતાના ઉદેશ્યથી બનાવી હતી, તે સ્વતંત્ર ભારતમાં અપનાવી લેવામાં આવી. બંધારણના ઘડવૈયાઓએ 1950માં જે રાજકીય તંત્ર અંગીકાર કર્યું, તે એક ઔપચારીકતા હતી. દેશમાં વડાપ્રધાન અને મંત્રી પરિષદ પહેલેથી કાર્યરત હતા. બ્રિટિશ વેસ્ટમિંસ્ટર સંસદીય પ્રણાલી અપનાવાનો નિર્ણય પહેલેથી જ થઈ ચુકયો હતો. બંધારણ સભાએ તેના પર માત્ર મહોર લગાવી. પરંતુ આપણે આ આયાતીત સંસદીય પ્રણાલીના શરીરને તો અપનાવ્યું, તેની આત્માને નહીં. સિદ્ધાંત, વ્યવહારનું આ બેવડાપણું સ્વતંત્ર ભારતની રાજકીય વ્યવસ્થાની એક પાયાગત દુર્બળતા રહી છે. 

આ બેવડાપણું સ્વતંત્રતા પ્રાપ્તિની પહેલથી ભારતીય નેતૃત્વમાં હતું. કોંગ્રેસ પાર્ટીની સંગઠિક પદ્ધતિ સંસદીય અથવા સમિતિવાદી હતી, પરંતુ વાસ્તવિક કાર્યસંચાલન એક પ્રકારની અધ્યક્ષીય સત્તા કરતી હતી. તમામ મહત્વપૂર્ણ નિર્ણય કોઈ હાઈકમાન્ડ લેતું હતું. ચાહે તે શીર્ષસ્થ વ્યક્તિ પાર્ટીના કોઈ પદ પર પણ ન હોય! આ કડવું સત્ય સ્વીકારવું પડશે કે મહાત્મા ગાંધી જે પ્રકારે કોંગ્રેસ પાર્ટીને ચલાવતા હતા, તેઓ બ્રિટિશ લેબર અથવા કંઝરવેટિવ પાર્ટીમાં અકલ્પનીય હતું. પરંતુ આ લાક્ષણિક ઉદાહરણ પણ છે કે યૂરોપીય સંગઠનિક નિયમ અને ભારતીય મિજાજનો મેળ બેસતો ન હતો. આ મેળ વગરની સ્થિતિ આજે દેશ માટે નવી-નવી સમસ્યાઓ પેદા કરી રહી છે. 

સ્વતંત્રતાથી પહેલા પણ કોંગ્રેસના સિદ્ધાંતો અને નેતાઓના આચરણમાં વિરોધાભાસ હતો. કોંગ્રેસમાં મહાત્મા ગાંધી આ વિરોધાભાસી વ્યવહારનો ઘણી કુશળતાથી દુરુપયોગ કરતા હતા. આ બેવડાપણું અને અંતર્વિરોધ સ્વતંત્ર ભારતમાં આખી રાજકીય પ્રણાલીમાં સ્થાનાંતરીત થઈ ગયો. ખુદ પ્રથમ વડાપ્રધાન નક્કી કરવાની પ્રક્રીયા તેની સાક્ષી બની, જ્યારે કોંગ્રેસ નેતાઓની પહેલી પસંદ ન હોવા છતાં ગાંધીજીએ નેહરુને કોંગ્રેસ અને દેશ પર થોપ્યા. પછી નેહરુએ આ શૈલી સરકાર ચલાવવામાં અપનાવી. 1950માં જ વલ્લભભાઈ પટેલના નિધન બાદ વધુ સરળતા થઈ ગઈ. તમામ મહત્વપૂર્ણ નિર્ણયો નેહરુ લેતા હતા. ઘણીવાર મંત્રીમંડળની બેઠકમાં નિર્ણયોને માત્ર સૂચિત કરવામાં આવતા હતા. આ મનોહર પદ્ધતિથી નિર્ણયોના દુષ્પરિણામોની સીધી જવાબદારી ઉઠાવવાથી પણ નેહરુ બચી જતા હતા. કારણ કે તમામ નિર્ણયો મંત્રી પરિષદના હતા, માટે આખી મંત્રી પરિષદ તેનો બચાવ કરવા માટે બાધ્ય થઈ જતી હતી. કાશ્મીર, તિબેટ, પંચશીલ, ચીન, સમાજવાદ, અમેરિકા વગેરે મામલાઓમાં આ બેવડાપણું સ્પષ્ટ નજરે પડે છે. માટે સિદ્ધાંત-વ્યવહારમાં બેવડાપણાંએ એક એવી વિકૃતિ પેદા કરી, જેણે ઝડપથી આપણા રાજકીય તંત્રને ગ્રસિત કરી દીધું. જો કોઈ સર્વોચ્ચ સ્તરે ભયંકર ભૂલ કરીને બચી શકતું હતું, તો નીચે માટે પણ તે ઉત્તરદાયિત્વવિહીન અધિકાર-ભોગની શૈલી બની જવી સ્વાભાવિક હતી. ધ્યાન આપો, આવું બ્રિટિશ સંસદીય વ્યવહારમાં થતું નથી. ભૂલ કરનાર વાઈસરોય અથવા કોઈપણ અધિકારી દંડ વગર રહેતો ન હતો.

આ પ્રકારે સમયની સાથે આપણા દેશના રાજકીય તંત્રમાં સંસદીય તંત્ર એક મ્હોરા જેવું રહ્યું, જ્યારે વાસ્તવિક વ્યવસ્થા અઘોષિત રૂપથી અધ્યક્ષીય જેવી રહી. ન કેવળ સરકાર, પરંતુ રાજકીય પક્ષોના કાર્યસંચાલનામાં પણ આવી જ સ્થિતિ છે. ગાંધી, નેહરુથી લઈને બીજૂ, સિદ્ધાર્થ રે, એન. ટી. રામારાવ, જયલલિતા, લાલુ, મુલાયમ, માયાવતી, કરુણાનિધિ અને સોનિયા ગાંધી સુધી અનેક નેતાઓએ તે શૈલીને અપનાવી. દેખાડવા માટે સમિતિ પરંતુ વાસ્તવમાં એક વ્યક્તિ સર્વાધિકાર રાખતો રહ્યો.
પરિણામે એક અનુત્તરદાયી અધ્યક્ષીય તંત્ર બન્યું, જેમાં ન તો સંસદીય પ્રણાલીનો આત્મા છે, ન તો અધ્યક્ષીય પ્રણાલીના લાભ. જો કે હાલના તંત્રમાં બંનેની કમીઓ હાજર છે. પરિણામે આપણે ત્યાં એવા શાસન પ્રમુખ થઈ જાય છે, જે વારંવાર કહી શકે છે કે તેમને નિર્ણયો સંદર્ભે જાણ ન હતી. જ્યારે આવા સ્વચ્છંદ નેતા, મંત્રી, અધિકારી પણ હોય છે જે તમામ નિર્ણય લઈને પણ તેના દુષ્પરિણામના ઉત્તરદાયિત્વથી બચેલા રહે છે. આ બધાં સ્તર પર થઈ રહ્યું છે. એ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી કે સોનિયા ગાંધી અને મહાત્મા ગાંધીની શાસન શૈલીમાં સમાનતાઓ છે. તેમાં સંસદીય અને અધ્યક્ષીય પ્રણાલીની અઘોષિત પરંતુ ખતરનાક ઘાલમેલ છે.

તેનાથી વર્તમાન ભારતીય સંસદીય તંત્ર એક અકાર્યકુશળ, પરંતુ અત્યંત ખર્ચીલો બોજ બની ગયું છે. મોટાભાગના સાંસદ યોગ્ય કાયદો બનાવવા સથા સુસંગત નીતિ-નિર્માણ સિવાય બાકી તમામ કામ કરતા રહે છે. આ પ્રકારે, મોંઘી ચૂંટણી પ્રક્રિયા બાદ દેશને એક સમર્થ, કાર્યકુશળ શાસકની જગ્યાએ માત્ર એક ઉચ્ચ વેતન-સુવિધા ભોગી સામાન્ય પ્રશાસક મળે છે. પક્ષીય ઉઠાપટકના તબક્કામાં સાંસદો, મંત્રીઓ અને નેતાઓનું પુરું ધ્યાન આ નાજૂક સત્તા-સંતુલનને બનાવી રાખવા અથવા બગાડવામાં રહે છે. પરિણામે શાસન કાર્ય ઉપેક્ષિત, બાધિત રહે છે.

દેશમાં ચાલી રહેલી ખીચડી, ઉત્તરદાયિત્વવિહીન વ્યવસ્થાથી ઘણાં ક્ષેત્રોમાં અરાજક સ્થિતિ પેદા થઈ ગઈ છે. જેનો લાભ દેશી-વિદેશી શત્રુ ઉઠાવે છે. આંતરીક સુરક્ષા, વિદેશી સંબંધ, શિક્ષણ વગેર ક્ષેત્ર આનાથી ઘણાં પ્રભાવિત થઈ રહ્યાં છે. તે દરમિયાન, ભારતીય નોકરશાહીનું વિશાળ તંત્ર માનો સ્વાયત થઈ ચુકયું છે. તે મોટાભાગે પોતાની ઈચ્છાથી ચાલે છે, અને ખુદ પોતાનો ખ્યાલ રાખવો જ તેનું મુખ્ય કાર્ય છે. ખાસ કરીને આઈએએસ અને આઈએફએસ સંગઠનોનું વિશિષ્ટ ક્ષેત્ર છે, જેમને કોઈ અકર્મણ્યતા, કમી અથવા ભૂલના દોષિત ઠેરવી શકાતા નથી. સાંસદોની અયોગ્યતા, અનિચ્છાનું કારણ નીતિ-નિર્માણ મોટાભાગે ઉચ્ચ નોકરશાહ જ કરે છે. નીતિઓના પ્રારૂપ જેમ-તેમ બનાવડાવે છે અને સંસદમાં કોઈપણ વાસ્તવિક તપાસ કર્યા વગર તે જ નિર્ણય બની જાય છે.

લોકતંત્રને જીવંત બનાવી રાખવા માટે વર્તમાન સંસદીય પ્રણાલીના સ્થાને અધ્યક્ષીય પ્રણાલી અપનાવવાની જરૂરત છે. નહીંતર ઉત્તરદાયિત્વવિહીન રાજભોગ અને ઘણાં મામલાઓમાં દિશાહીન શાસનનો રોગ દૂર થવાનો નથી. વર્તમાન સંસદીય પ્રણાલીની સરખામણીમાં અધ્યક્ષીય પ્રણાલી વધારે પારદર્શી, ઉત્તરદાયિત્વપૂર્ણ અને ઓછી ખર્ચાળ છે. અધ્યક્ષીય પ્રણાલીમાં અધ્યક્ષને નિર્ણય લેવા અને તેનું પાલન કરવા માટે સીધો ચૂંટવામાં આવે છે. તેના હાથમાં તમામ અધિકાર પણ રહે છે. કાર્યકાળ નિયત રહેવાથી, તેની સંખ્યા પણ સીમિત રહેવાથી તે બિનજરૂરી દબાણોથી મુક્ત રહે છે. તેને પોતાના ઉત્તરદાયિત્વનું પણ પ્રત્યક્ષ ભાન હોય છે, કારણ કે સંસદ જ નહીં, દેશની સામે પણ તે તમામ સાચા-ખોટાનો ઉત્તરદાયી હોય છે. સાંસદોની ભૂમિકા સીમિત હોવાથી રાજ્યતંત્રમાં વિખરાવ અને ભ્રષ્ટાચારની સંભાવના પણ ઘણી ઓછી થઈ જાય છે. 

(લેખક સ્વતંત્ર ટિપ્પણીકાર છે)

No comments:

Post a Comment