Monday, 8 August 2011

સમાજને ખોખલો કરી રહેલો ભ્રષ્ટાચાર



સોમનાથ ચેટર્જી

ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે લોકો આંગળી ઉઠાવી રહ્યાં છે, તેમણે પણ પોતાના અંતરમાં જોવું જોઈએ. તેમને પણ એ અહેસાસ થવો જોઈએ કે તેઓ કેટલા પાણીમાં છે. એ જોવું પણ જરૂરી છે કે કરપ્શન કેવી રીતે થઈ રહ્યું છે. કેવી રીતે આ સમાજમાં દરેક જગ્યાએ પગ પહોળા કરી રહ્યું છે. કરપ્શનને સમાજની ચિંતામાં ડૂબેલા કેટલાંક લોકો જ પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેને વધુ મજબૂત કરી રહ્યાં છે. મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલા રહેવા માટે ઘણાં લોકો ભ્રષ્ટાચારના મુદ્દા પર હો-હલ્લો મચાવી રહ્યાં છે.
આજે કંઈક દુ:ખનો વિષય બની ગયો છે, ભ્રષ્ટાચાર. ભારતની આઝાદીને 60થી વધારે વર્ષો થઈ ચુક્યા છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના ઈતિહાસમાં ભ્રષ્ટાચાર સૌથી મોટી સમસ્યા બની ગઈ તે દુર્ભાગ્યજનક છે. આ આપણા માટે શરમજનક ઘટના છે. ભ્રષ્ટાચાર મોટામોટા લોકો કરે છે. આ તે લોકો છે, જેમની પાસે પૈસા છે, પાવર છે. જેમને કોઈ બાબતની પરવાહ નથી. પરંતુ ભ્રષ્ટાચારની વિરુદ્ધ જે લોકો આંગળી ઉઠાવી રહ્યાં છે, તેમણે પણ પોતાની અંદર જોવું જોઈએ. તેમને પણ એ અહેસાસ હોવો જોઈએ કે તે કેટલાં પાણીમાં છે. એ જોવું પણ જરૂરી છે કે કરપ્શન કેવી રીતે થઈ રહ્યું છે. કેવી રીતે આ સમાજમાં તે દરેક સ્થાને પગ ફેલાવી રહ્યું છે. 

કરપ્શનને સમાજની ચિંતામાં ડૂબેલા કેટલાંક લોકો જ પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેને વધુ મજબૂત કરી રહ્યાં છે. મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલા રહેવા માટે પણ ઘણાં લોકો ભ્રષ્ટાચારના મુદ્દા પર હો-હલ્લા કરી રહ્યાં છે. એટલે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારતી નિપટવું આસાન નથી. તેના વિરુદ્ધ આપણે વ્યાપક તૈયારી સાથે ઉતરવું પડશે. નાની ઉંમરથી જ બાળકોને કરપ્શન વિરુદ્ધ શિક્ષિત કરવાની જરૂરત છે. જ્યાં સુધી આવું નહીં થાય, આપણે કરપ્શનને રોકી શકીશું નહીં. કરપ્શન આપણા દેશને ખાઈ રહ્યું છે. તેના કારણે સમાજનો વિકાસ પણ રોકાય ગયો છે. હાલમાં જે પ્રકારે કરપ્શન વધી રહ્યું છે, તે ચિંતાનો વિષય છે. તેનો પાયો ઘણો મજબૂત છે અને તેની મર્યાદામાં યુવા વર્ગ ઘણી ઝડપથી આવી રહ્યો છે. 

મહાનગરોથી લઈને નાના શહેરો સુધીમાં મોટામોટા શોપિંગ મોલ ઉભાં થઈ ગયા છે. આવા શોપિંગ મોલ, જેમાં પ્રવેશ કરવા બાબતે આમ આદમી વિચારી પણ શકતો નથી. આ શોપિંગ મોલમાં ખરીદી કરવા માટે યુવાવર્ગ લલચાયેલો છે. તેના માટે યુવક-યુવતીઓ ખોટા રસ્તે જઈ રહ્યાં છે. શોપિંગ કરવું છે, તો તેમને પૈસા જોઈએ. તેમને મોટા ઘરના બાળકોને બતાવવું છે કે તેમની પાસે પણ પૈસા છે. આ જોવાનું છે, જેના કારણે તેઓ કોઈપણ ખોટું કામ કરવાથી ચુકતા નથી. એટલે કે કરપ્શન આપણા યુવાવર્ગને ઝડપથી નિશાન બનાવી રહ્યું છે. તે સમાજને ખોખલો બનાવી રહ્યું છે. ભ્રષ્ટાચારનું નેટવર્ક ઘણું મજબૂત છે. 

ચારે તરફ તેની જાળ ફેલાયેલી છે. તેને પ્રોત્સાહન આપવા માટે ચારે તરફથી નાણાંનો વરસાદ થઈ રહ્યો છે. મે જોયું કે લોકપાલ બિલ વિરુદ્ધ કેટલાંક લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. એવું લાગે છે કે જેમકે તે લોકો જ બધું જાણે છે. અન્ય લોકો તો માત્ર તમાશો જોઈ રહ્યાં છે. પરંતુ હકીકત કંઈક બીજી જ છે. અસલમાં તેઓ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરપ્શન વિરુદ્ધ હો-હલ્લામાં સામેલ થઈ ગયા છે. તેના માટે મીડિયા દોષિત છે. મીડિયામાં એક વર્ગ એક વિશેષ ક્લાસ માટે કામ કરી રહ્યો છે. 

મીડિયાનું વલણ પક્ષપાતપૂર્ણ છે. તે કોઈ એક પક્ષના કરપ્શનને છુપાવી, વિરોધ પક્ષના ખોટા કામને ઉભારી રહ્યું છે. આવું ક્યારેય ન થવું જોઈએ. અખબારોમાં કોર્પોરેટ હાઉસ તરફથી મોટીમોટી જાહેરાતો આપવામાં આવી રહી છે, તેના માટે નાણાં ક્યાંથી આવે છે. હકીકતમાં પોતાના પ્રચાર માટે તેઓ ભ્રષ્ટાચારનો સહારો લઈ રહ્યાં છે. આ ઘણું દુખદ છે. કરપ્શનને રોકવા માટે દ્રઢ માનસિકતાની જરૂર છે. હું કરપ્શનમાં સામેલ થઈશ નહીં- આપણે આ માનસિકતા સાથે આગળ વધવું પડશે, ત્યારે આપણે કરપ્શનને જડબાતોડ જવાબ આપી શકીશું.

-(સોમનાથ ચેટર્જી- લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સાથે સુદીપ સરકારની વાતચીત પર આધારીત, સૌજન્ય-પ્રભાત ખબર)

No comments:

Post a Comment