Saturday, 25 March 2023

.. રાહુલજી, ગુસ્સો કેમ કરો છો એક સવાલ તો હતો!

 

-    આનંદ શુક્લ

રાહુલ ગાંધી પૂર્વ સાંસદ બન્યા બાદ પહેલીવાર મીડિયાની સામે આવ્યા. આક્રમકતા-શૈલી બધું ઠીકઠાક રહ્યું, પણ ખાલી એક પત્રકારના સવાલે પ્રેસ કોન્ફરન્સમાં તેમને ગુસ્સે કરી દીધા.. આ ગુસ્સો થોડો ખટકશે ખરો, થશે એક સવાલ જ તો હતો કે જેવા તમે પુછો છો...

રાહુલજી આટલો ગુસ્સો શા માટે... એક સવાલ જ તો હતો. તમે તો આકરા સવાલો પીએમ મોદીથી માંડીને ભાજપ-સંઘ પરિવારને પુછી જ રહ્યા છો. આજની પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારનો સવાલ આપને સહન થયો નહીં. રાહુલ ગાંધીજી તમે તો ગાંધી છો, ગાંધી માફી માંગવા જેવું કામ પણ કરતા નથી અને કોઈની પર ગુસ્સે પણ થતા નથી. સત્ય અને અહિંસા જ આપના હથિયાર છે. શાબ્દિક હિંસા પણ અહિંસાને અપવિત્ર કરી શકે છે. પત્રકારે સવાલ કર્યો તો તેના જવાબમાં રાહુલ ગાંધી તમે તેના પર ભાજપ માટે કામ કરવાનો આરોપ મૂક્યો અને બાદમાં કહ્યુ કે હવા નીકળી ગઈ?

રાહુલ ગાંધી આપના સરળ વ્યક્તિત્વને આ સુટ થતું નથી. આ પત્રકાર ભાજપ માટે કામ કરી રહ્યો હોય, તો પણ ભાજપનો સવાલ સમજીને જવાબ આપી દેવો હતો. હવે આ પત્રકારનો સવાલ એ હતો કે રાહુલજી જે જજમેન્ટ આવ્યું, તેના પર ભાજપે કહ્યું છે કે તમે ઓબીસીનું અપમાન કર્યું. આખા દેશમાં પ્રેસ કોન્ફરન્સની તૈયારી થઈ રહી છે. તમે આના શું કહેવા માંગો છો?

મોદી સરનેમ માનહાનિ વિવાદમાં ઓબીસીનો મુદ્દો જોડાતા રાજકીય સમીકરણોના ગડબડની શક્યતાઓને જોઈને કદાચ રાહુલજી ગુસ્સે થઈ ગયા હશે. પત્રકારના સવાલ પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે પહેલા તમારો એટેમ્પ્ટ ત્યાંથી આવ્યો, પછી અહીંથી. તમે સીધું ભાજપ માટે કેમ કામ કરી રહ્યા છો?  થોડું ફેરવી-તોળીને પુછો. હું તમને ઉદાહરણ આપું છું કે એવી રીતે બોલો પહેલા રાહુલજી- જો તમે ભાજપ માટે કામ કરવા માંગો છો, તો ભાજપનો સિમ્બલ ચેસ્ટ પર લગાવી દો. પછી હું તમને જવાબ આપીશ. પત્રકાર દેખાવાનું નાટક કરો નહીં. હવા નીકળી ગઈ?

મીડિયા અને પત્રકાર પર ઘણીવાર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. ગોદી મીડિયા તરીકે ઓળખાતા મીડિયાના વર્ગને રાહુલ ગાંધી પોતાના નિશાને રાખે છે. પરંતુ એક સવાલ રાહુલ ગાંધી તમને અકળાવી જાય છે, આવા તો ઘણાં સવાલો થતા રહેશે અને પુછાતા રહેશે. તમારી લડાઈ ખૂબ લાંબી ચાલવાની પુરી શક્યતા છે. ત્યારે તમે આંગળી ચિંધીને જે આક્ષેપો કરો છો, તેવા આક્ષેપોમાં તમે ફસાવો નહીં, ખાલી એક સવાલ જ તો હતો આ...

No comments:

Post a Comment