Monday, 18 August 2025

હુલ્લડો કેમ થાય છે?

- Anand shukla

તમામ ભારતીયોના પૂર્વજો એક છે. આપણે સૌ એક છીએ. પૂજાપદ્ધતિ બદલાવાથી પૂર્વજો નથી બદલાતા અને એટલે સભ્યતા, સંસ્કૃતિ પણ બદલાતા નથી. પરંતુ ભારતમાં ભારતીય મૂળ સિવાયના પંથ-સંપ્રદાયોમાં મતાંતરણ રાષ્ટ્રાંતરણ બની ગયાનું સૌથી મોટું ઉદાહરણ આપણી માતૃભૂમિનું વિભાજન છે. કોમવાદની લાગણીને કારણે હુલ્લડો થાય છે. આ હુલ્લડો સ્વતંત્રતા પહેલાના દોઢસોથી વધુ વર્ષની સમસ્યા છે અને વિભાજન સાથે મળેલી આઝાદી પછી પણ હુલ્લડનું તંત્ર યથાવત છે. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓને બદ કરતા હુલ્લડો હિંદુ અને મુસ્લિમો વચ્ચે થાય છે. ભારતમાં સ્વતંત્રતા પહેલા અને પછી મુસ્લિમોને લઘુમતીનો દરજ્જો મળેલો છે. પરંતુ ભારતમાં દિલ્હી સહિતના ઘણાં સ્થાનો પર 800 વર્ષ સુધી શાસનતંત્રમાં રહેલા મુસ્લિમો ભારતની લઘુમતી નહીં,પણ બીજી સૌથી મોટી બહુમતી છે. પરંતુ બ્રિટિશરો દ્વારા તેમણે કરેલી રાજનીતિને કારણે અને ભારતીય નેતાઓની દૂરંદેશીમાં સર્જાયેલી લઘુમતી તુષ્ટિકરણની ખામીને કારણે હુલ્લડોની સમસ્યા યથાવત રહી છે. જ્યાં સુધી દેશમાં ચાલી રહેલી ધાર્મિકતાના આધારે લઘુમતી-બહુમતીના ભેદભાવો યથાવત રહેશે, ત્યાં સુધી દેશમાં રાષ્ટ્રીય સમન્વયની સ્થિતિમાં ખામી રહેશે અને આ ખામી હુલ્લડ તંત્રને યથાવત રાખશે.

હુલ્લડોનું તંત્ર ભારતમાં કેમ યથાવત છે, તેને વસ્તુનિષ્ઠ રીતે મૂલવવાની જરૂર છે. ઈસ્લામી મજહબી સિદ્ધાંતોની મૂળ એવી વર્ગ-વિભાજનની દ્રષ્ટિને આના માટે સમજવાની જરૂર છે. મોમિન-કાફિર, દારુલ હરબ-દારુલ ઈસ્લામ, જાયજ-નાજાયજ જેવા વર્ગ-વિભાજન આની પાછળના કારણો છે. માત્ર ધર્મ, ઈશ્વર જ નહીં, પણ સભ્યતા અથા જીવનની તમામ વસ્તુઓને બે વિભાગમાં વિભાજીત કરવામાં આવી છે એટલે કે વિશ્વને મુસ્લિમ અને બિનમુસ્લિમ દૃષ્ટિકોણ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. સામાન્ય મુસ્લિમોની વચ્ચે જ જેહાદી અને આતંકી જૂથો કે તેમની સાથે સહાનુભૂતિ ધરાવતા લોકો સ્થાન બનાવી લેતા હોય છે. દિલ્હીના શાહીનબાગ ખાતેના દેખાવો અને તેના પછી થયેલા હુલ્લડોને લઈને આવી ઘણી વાતો કહેવાય છે. ભૂતકાળના ઘણાં હુલ્લડોને લઈને પણ આવી ચર્ચાઓ વખતોવખત થતી રહી છે.

હિંદુઓ વૈચારિક પૃષ્ઠભૂમિ અને દ્રષ્ટિકોણથી તૈયાર થયેલી માનસિકતા પ્રમાણે શાંતિપ્રિય એટલે કે હિંસાથી બચનારા લોકો છે. તેનો ફાયદો મજહબી સિદ્ધાંતોથી ઉન્માદી બનેલા લોકો સંગઠિત હિંસા કરે છે. કાશ્મીર ખીણમાંથી હિંદુઓને પોતાના જ દેશમાં ખદેડીને વિસ્થાપિત કરવાની ઘટના આનું સૌથી મોટું ઉદાહરણ છે. ઈતિહાસમાં આવા બીજા ઘણાં ઉદાહરણો છે. સામાન્ય મુસ્લિમોને રાજનીતિક ઈસ્લામિક સિદ્ધાંતોના આધારે ગેરમાર્ગે દોરીને ઈસ્લામના નામે દરેક દેશી-વિદેશી અભિયાનને મદદ કરવા માટે અને તેના દ્વારા ઈસ્લામી વર્ચસ્વને વધારવાની વ્યૂહરચનાની દિશામાં મુસ્લિમ સમુદાયના જેહાદી તત્વો હુલ્લડો માટે અને તેના દરમિયાન કામ કરતા હોય છે. આપણા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરે પણ નોંધ્યું છે કે मुसलमान केलिए तो जहां इस्लामी शासन है, वही उसका देश है.(મુસલમાનો માટે તો જ્યાં ઈસ્લામી શાસન છે, તે તેમનો દેશ છે) રાજનીતિક ઈસ્લામના સિદ્ધાંતો મુલ્લા-મૌલવીઓના સંસર્ગમાં પાક્કા બનેલા મુસલમાનને ક્યારેય મંજૂરી આપી શકે નહીં કે તે બિનઈસ્લામિક શાસન ધરાવતા દેશને માતૃભૂમિ તરીકે સ્વીકારે અને કોઈ બિનમુસ્લિમને પોતાના બંધુ-બાંધવ સમજે. કૉંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલા વિદુષી એની બેસન્ટે બરાબર 100 વર્ષ પહેલા કહ્યું હતું કે  हम यह मानने केलिए मजबूर हैं कि मुसलमानों का मुख्य लगाव मुस्लिम देशों से है, मातृभूमि से नहीं. वे अच्छे और विश्वसनीय नागरिक नहीं हो सकते. स्वतंत्र भारत में मुस्लिम आबादी स्वतंत्रता केलिए खतरा होगी. (આપણે એ માનવા માટે મજબૂર છીએ કે મુસ્લિમોનો મુખ્ય લગાવ મુસ્લિમ દેશોથી છે, માતૃભૂમિથી નહીં. તે સારા અને વિશ્વસનીય નાગરિક થઈ શકે નહીં. સ્વતંત્ર ભારતમાં મુસ્લિમ વસ્તી સ્વતંત્રતા માટે એક ખતરો હશે.)

હુલ્લડ તંત્રમાં સામેલ રાજકીય મજહબી સિદ્ધાંતોથી પ્રેરિત આવા તત્વો બિનમુસ્લિોને ઘૃણિત, હીન, ભ્રમિત અથવા દુષ્ટ સમજે છે, કે જેમણે આજે નહીં તો આવતી કાલે ઈસ્લામ સ્વીકારવાનો છે અથવા સમાપ્ત થવાનું છે. પછી પંદર મિનિટ પોલીસ હટાવવાની  નિવેદનબાજી હોય કે 20-25 કરોડ વિરુદ્ધ 100 કરોડની વાતો કરનારા જેહાદી સિદ્ધાંતોથી પ્રેરિત કહેવાતા રાજકીય નેતાઓ હોય, કે મજહબી ઉન્માદથી પ્રેરિત થઈને લોહી વહેવડાવનારા દહેશતગર્દો હોય, આ બધાં એક જેવા છે. બિનમુસ્લિમોએ આ સમસ્યાને સમજવી જરૂરી છે. અહીં પૂજાપદ્ધતિના ભેદભાવ કારણભૂત નથી, પરંતુ વાત પૂજાપદ્ધતિથી આગળની વર્ગ-વિભાજનના સિદ્ધાંતોથી ઘડાયેલી મજહબી માનસિકતાની છે. આ નહીં સમજાય ત્યાં સુધી હુલ્લડ કે તેના આતંકથી પંજાબીઓ, બંગાળીઓ, કાશ્મીરીઓ, કેરાળીઓની જેમ બિનમુસ્લિમોને હિંસાચારનો સામનો કરવો પડશે.

ભારત જેહાદ અને રાજનીતિક ઈસ્લામથી પેદા થયેલા આતંકને સહન કરનારો દેશ છે. વિભાજન થવું અને પશ્ચિમી પંજાબ, સિંધ જેવા વિસ્તારોના ઘણાં ભાગો હવે પાકિસ્તાન છે, ત્યાં હિંદુઓ લગભગ સમાપ્તિની સ્થિતિમાં છે. પૂર્વ બંગાળ જે પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતીય સેનાના પરાક્રમથી બાંગ્લાદેશ બન્યું છે, ત્યાં પણ ત્રણ ચતુર્થાંસ જેટલા હિંદુઓ સમાપ્ત થયા છે, અથવા ભારતમાં ખદેડી દેવાયા છે અથવા તેમને ધર્માંતરિત કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આવી જ કોશિશો સ્વતંત્ર ભારતમાં કાશ્મીરથી કેરળ સુધી થઈ રહી છે. સંસદ પર હુમલો કરનારા અફઝલ ગુરુ અને કાશ્મીરમાં આતંક ફેલાવનારા બુરહાન વાની જેવા આતંકીઓને આતંકી નહીં માનવા તેવું કહેનારાઓની એક જમાત ઉભી થઈ છે અને હિંદુઓ સામેના હિંસાચાર સામે અવાજ ઉઠાવનારને આતંકી-કોમવાદી જેવા શબ્દોથી માંડી અપશબ્દો કહેવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં કાશ્મીરથી લઈને કેરળ અને નગાલેન્ડથી લઈને ભારતના બીજા છેડા સુધી જો કોઈને સામુહિક અપમાન, વિસ્થાપન અને હિંસાનો સામનો કરવો પડયો છે, તો તે હિંદુ સમુદાય છે. ભારતમાં હિંદુઓની બહુમતી છે. તેમ છતાં આમ બને છે. એટલે કે લઘુમતીની સુરક્ષાના નામે બહુમતીને અસુરક્ષિત રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે બહુમતીને સુરક્ષાની જરૂર નથી, માત્ર લઘુમતીઓને હોય છે. ગુજરાતના 2002ના ગોધરકાંડ પછી થયેલા હુલ્લડ પર સેંકડો રિસર્ચ પેપર્સ, ડઝનબંધ પુસ્તકો, અગણિત ચોપાનિયાં અને ફિલ્મ સુદ્ધાં બનાવવામાં આવ્યા. એકેડેમિક અભ્યાસ અને સાંસ્કૃતિક ગતિવિધિઓના નામે ગુજરાતના હિંદુઓની સામે જાણેકે ગોધરામાં ટ્રેન સળગાવનારાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા તત્વોને છાવરીને તેમને બૈદ્ધિક સંરક્ષણ આપવામાં આવ્યું. પણ હિંદુઓની સામુદાયિક સુરક્ષાની અણદેખી કરવામાં આવી.

આની પાછળનું મૂળ કારણ હિંદુ-મુસ્લિમ હુલ્લડો પર મૂળભૂત તથ્યો પર વિચાર કરવાની જગ્યાએ તેનાથી બચવાની કોશિશ હોય છે. વાસ્તવિકતા છૂપાવવાથી એક રીતે સમાજમાં નિર્માલ્યતા આવતી હોય છે. પૂજાપદ્ધતિના ભેદભાવ કરતાં માનસિકતા આવા હુ્લ્લડો માટે જવાબદાર છે. 1978માં અલીગઢ, 1979માં જમશેદપુર, 1980માં મુરાદાબાદ, 1982માં મેરઠ, 1989માં ભાગલપુર, 1992-93માં મુંબઈ કે 2002માં ગુજરાતના રમખાણો હોય, તેની શરૂઆત મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવી હતી. હુ્લલડખોરોને ગુનાહિત તત્વો કહીને ઉપદેશાત્મક ભાષણબાજી એક ક્ષુલ્લક બાબત છે. આવા વ્યવહારથી મૂળ ગુનો અને ગુનેગાર બંને બચી જાય છે. હિંદુ અને મુસ્લિમો ભારતમાં સદીઓથી રહે છે અને એકબીજાને જોવે, સમજે છે. બંને સમુદાયોના લોકો દુનિયાના અન્ય દેશોમાં અન્ય સમુદાયો સાથે પણ રહે છે. આ દરમિયાન બંને સમુદાયોના લોકોના જે-તે દેશ અને ત્યાંના સ્થાનિકો સાથેના સંબંધો પણ આખી દુનિયાને દેખાય છે. અપ્રવ્રાસી હિંદુઓની મોટી સંખ્યા અમેરિકા, યુરોપ, આફ્રિકા અને મધ્ય-પૂર્વ એશઇયાના ઘણાં દેશોમાં લાંબા સમયથી છે. પરંતુ તેમને ઝઘડાળુ સમુદાય તરીકે જોવામાં આવતા નથી અને તેમનો ક્રાઈમ રેટ પણ નીચો છે. જ્યારે મુસ્લિમ સમુદાયના લોકોનો દુનિયાના મોટાભાગના દેશોામં અન્ય સમુદાય સાથે વિવાદ, હિંસા અને શંકા-કુશંકાના સંબંધો છે.

ભારતીય મુસ્લિમ સમુદાયમાંથી અલકાયદા કે આઈએસઆઈએસમાં જનારા મુસ્લિમોની સંખ્યા ઓછી હોવાની દલીલબાજી કરવામાં આવે છે. પરંતુ અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેને અમેરિકા બાદ તેનું લક્ષ્ય ભારત હોવાનું જણાવ્યું હતું. તેના વારસદાર આતંકી  અલ ઝવાહિરીએ પણ 3 સપ્ટેમ્બર, 2014ના રોજ ભારતમાં અલકાયદાની શાખા ખોલતી વખતે પુનરોચ્ચાર કર્યો હતો કે તે આસામ, કાશ્મીર અને ગુજરાત પર પોતાનું કામ કેન્દ્રિત કરશે, કારણ કે ત્યાં મુસ્લિમો સારી સંખ્યામાં છે. તાજેતરના વર્ષોમાં અલકાયદા અને આઈએસઆઈએસ સહીતના આતંકી સંગઠનો સાથે જોડાયેલા ઘણાં લોકોની ધરપકડો કરવામાં આવી છે. એક હજાર વર્ષથી જગજાહેર છે કે વિદેશી આક્રમણખોર મુસ્લિમ, ભારતમાં શાસક રહેલા મુસ્લિમ અને હિંદુઓના પાડોશી મુસ્લિમ-સૌની માનસિકતા હિંદુઓ માટે એક સરખો વ્યવહાર કરનારી છે. હિંદુ મંદિરો અને દેવીદેવતાઓની મૂર્તિઓ તોડવી, અપમાન, બળજબરીથી ધર્માંતરણ અને હત્યા. આવું ત્યારે થઈ રહ્યું છે કે જ્યારે પૂજાપદ્ધતિને લઈને કોઈ ભેદભાવની હિંદુઓની માનસિકતા નથી અને તમામ ભારતીયોના(ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ) પૂર્વજો એક છે. રાજનીતિક ઈસ્લામની ચાર દશક પહેલા લેનિનવાદ-માઓવાદ કે માર્ક્સવાદની કરાતી ટીકાની જેમ શા માટે આલોચના કરાતી નથી? શું લેનિનવાદ કે માઓવાદની ટીકા રશિયન કે ચીનીઓની વિરુદ્ધ ઘૃણા ફેલાવતી હતી. આજે રાજનીતિક ઈસ્લામની ગતિવિધિઓની ટીકા કરવથી બચવા માટે લેવાતી ચતુરાઈની મદદ દર્શાવે છે કે આ જ વૈચારિક સંઘર્ષનું કેન્દ્રબિંદુ છે. આ બિલકુલ અહિંસક લડાઈ છે, જે કોમવાદી હિંસાના મૂળ કારણને સમાપ્ત કરી શકે છે અથવા નિષ્ક્રિય કરી શકે છે. પણ આ કેન્દ્રબિંદુ પર લડાઈનો પ્રારંભ થઈ શક્યો નથી અને તેને કારણે હુલ્લડો થાય છે અને હુલ્લડોનું તંત્ર પણ યથાવત છે.

No comments:

Post a Comment