યોગગુરુ રામદેવ પર હવે જગદગુરુ શંકરાચાર્ય પીઠાધીશ્વર (દ્વારકા શારદા પીઠ) સ્વામી સ્વરૂપાનંદે પણ શાબ્દિક હુમલો કર્યો છે. શંકરાચાર્યે બાબા રામદેવને જૂઠ્ઠા ગણાવ્યા છે. સ્વામી સ્વરૂપાનંદે કહ્યું છે કે સત્યાગ્રહી ક્યારેય સત્યાગ્રહ છોડીને ભાગે નહીં, તે ધરપકડ વ્હોરે છે.
શંકરાચાર્યે મંગળવારે મેરઠના સમ્રાટ પેલેસ ખાતે રાજરાજેશ્વરી મંદિરમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે હિંદુઓની ત્રણ ઓળખ છે, ગંગા, ગૌમાતા અને રામજન્મભૂમિ, પરંતુ રામદેવ આના સંદર્ભે ક્યારેય કંઈ બોલ્યા નથી.
શંકરાચાર્યે રામદેવના સંદર્ભમાં પુછાયેલા એક સવાલ પર તેમને આડે હાથ લેતા કહ્યું હતું કે રામદેવનો સત્યાગ્રહ અસત્ય પર ટકેલો હતો. માટે તેમના આવો જ હાલ થવાનો હતો. તેમણે સત્યાગ્રહને લઈને દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.
શ્રી શ્રી રવિશંકર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે આ અબજપતિ સંતે કરોડપતિ રામદેવને જ્યૂસ પીવડાવીને અનશન તોડાવી નાખ્યા.
શંકરાચાર્યે અન્નાના આંદોલન પર પણ એમ કહીને આંગળી ચિંધી કે લોકપાલ બિલ માટે અન્નાનું આ આંદોલન મીડિયા દ્વારા પ્રાયોજીત છે. તેમણે કહ્યું હતું કે એસએમએસ અને પ્રચાર-પ્રસાર કરીને મીડિયાને પહેલા જ સહભાગી બનાવી લેવાયું છે.
કોમવાદી હિંસા વિરોધી બિલ પર શંકરાચાર્યે કહ્યું કે કાયદો બધા માટે બરાબર છે અને તેવામાં કોઈપણ કાયદો બંધારણથી વિપરીત બનાવી શકાય નહીં.
No comments:
Post a Comment