કેન્દ્રીય નાણાં મંત્રી પ્રણવ મુખર્જી અને તેમના કાર્યાલયની જાસૂસીના મામલામાં નવો વળાંક આવતો હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. આ જાસૂસી કાંડને લઈને જનતા પાર્ટીના સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધીના કહેવાથી પ્રણવ મુખર્જીની જાસૂસી કરાવવામાં આવી. તેમણે કહ્યું છે કે સોનિયાએ આના માટે ચિદમ્બરમનો ઉપયોગ કર્યો છે.
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે સોનિયા ગાંધીના કહેવાથી હસન અલી મામલામાં પ્રણવ મુખર્જીની જાસૂસી કરવામાં આવી અને આ જાસૂસી ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કરાવી છે. તેમણે કહ્યું છે કે તેમની જાણકારી પ્રમાણે સુપ્રીમ કોર્ટના દબાવમાં પ્રણવ મુખર્જી નમતા દેખાયા હતા. ઘણાં મોટા નામોનો ખુલાસો થઈ શકે તેમ હતો, માટે પ્રણવ મુખર્જીની જાસૂસી કરાવામાં આવી હતી.
સ્વામીએ કહ્યું કે માત્ર ચ્યુઈંગમનો હવાલો આપીને ખબરોને રદિયો આપવો બેતુકી વાત છે, કારણ કે ગુપ્તચર એજન્સીઓ જાસૂસી માઈક્રોફોન અથવા નાના કેમેરા લગાવવા માટે જ ચ્યુઈંગમનો ઉપયોગ કરે છે.
સુબ્રમણ્યમ સ્વામીના આ ખુલાસા બાદ દેશના રાજકીય વાતાવરણમાં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. ભાજપે આ જાસૂસી કાંડની તુલના અમેરિકાના વોટરગેટ સ્કેન્ડલ સાથે કરી છે અને મામલાની તપાસની માગણી કરી છે.
બીજી તરફ પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે આ નકલી મામલો છે. તેમા સમય બરબાદ કરવાની જરૂરત નથી.
બીજી તરફ, લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું છે કે નાણાં મંત્રી આને રફાદફા કરવા ઈચ્છે, તો તે તેમની મજબૂરી હોઈ શકે છે. ચ્યુઈંગમની વાત કરવી મજાક છે. તેની તપાસ થવી જોઈએ, જ્યારે કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લઈએ કહ્યું હતું કે તપાસમાં કંઈ જ મળ્યું નથી.
No comments:
Post a Comment