(રાજનાથ સિંહ સૂર્ય, સૌજન્ય- દૈનિક જાગરણ)
બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ તુરંત મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાયક નિધિ સમાપ્ત કરી દીધી અને હવે કેન્દ્ર સરકારને માગણી કરી છે કે ઓછામાં ઓછું તેમના રાજ્ય માટે સાંસદ નિધિને સમાપ્ત કરી દેવામાં આવે. હવે તે કદાચ સંભવ નથી, કારણ કે જ્યારે સાંસદ નિધિની જોગવાઈ શરૂ થઈ તો તે એક કરોડ રૂપિયા વાર્ષિક હતી. તેના ઉપયોગના માપદંડો નિર્ધારીત હતા, પરંતુ માન્યતા એ થઈ ગઈ હતી કે સાંસદ ચાહે તેવી રીતે તેનો વ્યય કરી શકે છે. માપદંડોને અનુરૂપ વ્યય ન થવાને કારણે જ્યારે ઓડિટના વાંધા સાથે તેનું વિવરણ સંસદની નિયામક સમિતિ સામે રજૂ કરવામાં આવ્યું તો ખબર પડી કે 80 ટકાથી વધારે વ્યય માપદંડને અનુરૂપ નથી. માપદંડોને અનુરૂપ વ્યય સુનિશ્ચિત કરવાનું દાયિત્વ જિલ્લાધિકારી પર હોય છે, માટે ઓડિટ રિપોર્ટથી પ્રાપ્ત તથ્યોના આધારે ઘણા જિલ્લાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીએ નોકરશાહીને કંઈક સજાગ કરી છે. હું રાજ્યસભા સભ્ય તરીકે આ સમિતિનો સભ્ય હતો, જ્યારે ધનરાશિને એક કરોડથી વધારીને 2 કરોડ કરી દેવામાં આવી હતી.
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ અને નેશનલ ઈલેકશન વોચના એક સર્વેક્ષણ પ્રમાણે તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં જે 334 ઉમેદવારો ફરીથી ચૂંટણીમાં ઉતર્યા હતા, તેમની સંપત્તિ પાંચ વર્ષના કાર્યકાળમાં 71 ટકાથી લઈને 195 ટકા સુધી વધી છે. આ પ્રકારે 2009ની લોકસભા ચૂંટણીમાં જે સાંસદ ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તેમની વ્યક્તિગત સંપત્તિમાં 289 ટકાની વૃદ્ધિ થઈ છે. આ આંકડા ઉમેદવારી પત્રક ભરતી વખતે દાખલ કરવામાં આવેલા વિવરણ પર આધારીત છે. જો આ સાંસદો અને ધારાસભ્યોની અઘોષિત સંપત્તિનો ખુલાસો થઈ જાય, તો આ આંકડા બેગણા થઈ શકે છે.
સર્વેક્ષણ પ્રમાણે, સૌથી વધારે 195 ટકાનો વધારો તમિલનાડુના ધારાસભ્યોની સંપત્તિમાં થયો છે. ત્યાર બાદ બીજો ક્રમ આસામનો આવે છે, અહીં 197 ટકાનો વધારો થયો છે. ધારાસભ્યોની સંપત્તિમાં સૌથી ઓછો 71 ટકાનો વધારો કેરળમાં થયો છે. ગત ચૂંટણીની અપેક્ષાએ આ ચૂંટણીમાં કરોડપતિઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. સર્વેક્ષણ પ્રમાણે તમિલનાડુમાં પહેલા 57 કરોડપતિ ધારાસભ્યો હતા, જે આ ચૂંટણી સમયે 120 થઈ ગયા. આસામનો ક્રમ બીજો આવે છે, અહીં તેમની સંખ્યા 16થી વધીને 47ની થઈ ગઈ છે. સર્વેક્ષણનું જે વિવરણ અખબારોમાં પ્રકાશિત થયું છે, તેને જોયા બાદ આ વાત સ્પષ્ટ બની જાય છે કે આપણા દેશમાં મહત્વપૂર્ણ લોકોની સંપત્તિમાં સતત વધારો થતો રહ્યો છે અને ગરીબોને આત્મહત્યાનો વિકલ્પ પસંદ કરવો પડે છે. જો આ મહત્વપૂર્ણ લોકોની અઘોષિત સંપત્તિનું વિવરણ મળી જાય, તો એ સ્પષ્ટ થઈ શકે કે આમ જનતા માટે બજેટમાં ફાળવાતી ધનરાશિ ક્યાં ગુમ થઈ જાય છે.
બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ તુરંત મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાયક નિધિ સમાપ્ત કરી દીધી અને હવે કેન્દ્ર સરકારને માગણી કરી છે કે ઓછામાં ઓછું તેમના રાજ્ય માટે સાંસદ નિધિને સમાપ્ત કરી દેવામાં આવે. હવે તે કદાચ સંભવ નથી, કારણ કે જ્યારે સાંસદ નિધિની જોગવાઈ શરૂ થઈ તો તે એક કરોડ રૂપિયા વાર્ષિક હતી. તેના ઉપયોગના માપદંડો નિર્ધારીત હતા, પરંતુ માન્યતા એ થઈ ગઈ હતી કે સાંસદ ચાહે તેવી રીતે તેનો વ્યય કરી શકે છે. માપદંડોને અનુરૂપ વ્યય ન થવાને કારણે જ્યારે ઓડિટના વાંધા સાથે તેનું વિવરણ સંસદની નિયામક સમિતિ સામે રજૂ કરવામાં આવ્યું તો ખબર પડી કે 80 ટકાથી વધારે વ્યય માપદંડને અનુરૂપ નથી. માપદંડોને અનુરૂપ વ્યય સુનિશ્ચિત કરવાનું દાયિત્વ જિલ્લાધિકારી પર હોય છે, માટે ઓડિટ રિપોર્ટથી પ્રાપ્ત તથ્યોના આધારે ઘણા જિલ્લાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીએ નોકરશાહીને કંઈક સજાગ કરી છે. હું રાજ્યસભા સભ્ય તરીકે આ સમિતિનો સભ્ય હતો, જ્યારે ધનરાશિને એક કરોડથી વધારીને 2 કરોડ કરી દેવામાં આવી હતી.
માપદંડો પ્રમાણે કોઈપણ એક સંસ્થા અથવા પ્રોજેક્ટને એક વખતમાં 25 લાખ રૂપિયાથી વધારે રકમ આ ધનરાશિમાંથી અનુદાન તરીકે આપી શકાય નહીં. સમિતિની સામે બે મામલાઓ આવ્યા કે જેમાં સાંસદે સંપૂર્ણ ધનરાશિ એક જ સંસ્થાને આપી દેવાનો નિર્ણય કર્યો હતો. અરુણ શૌરીએ પોતાના બે કાર્યકાળની સંપૂર્ણ ધનરાશિ બાર કરોડ રૂપિયા કાનપુર આઈઆઈટી અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ શંકર રાય ચૌધરીએ ચાર કરોડ રૂપિયા દિલ્હીની એક સ્વયંસેવી સંસ્થાને આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અધિકારીઓએ માપદંડોનો હવાલો આપીને તેનો વિરોધ કર્યો હતો. મે મારો કાર્યકાળ સમાપ્ત થયા બાદ વાંચ્યુ કે સમિતિએ બંનેનો સ્વીકાર કરી લીધો હતો. માપદંડોના આ પ્રકારના ઉલ્લંઘનનો લાભ અન્ય કેટલાને મળ્યો હશે? જ્યારે નિયમ એ છે કે ધનરાશિને મતવિસ્તારથી બહાર ઉપયોગમાં લાવી શકાય નહીં. રાજ્યસભાના સભ્યો માટે રાજ્ય મતક્ષેત્ર હોય છે, કારણ કે તેમની ચૂંટણી ધારાસભ્યો કરે છે. હવે કેન્દ્રે આ ધનરાશિ વધારીને પાંચ કરોડ રૂપિયા વાર્ષિક કરી દીધી છે. તેની સાથે જ મતવિસ્તારની બહાર ત્યાં સુધી કે અન્ય રાજ્યોમાં પણ દસ લાખ રૂપિયા સુધી ખર્ચ કરવાનો અધિકાર આપી દેવાયો છે. ધનરાશિ નિયોજનની નિયમાવલીને વધુ ઉદાર બનાવીને સાંસદોને મનમાની કરવાની તક આપી દેવામાં આવી છે. તેનું પરિણામ શું થશે? સાંસદ નિધિ અને વિધાયક નિધિ એવી રીતે ઈમાન ડગાવવાનું કામ કરી રહી છે કે જેમ ઈમાનદારમાં ઈમાનદાર નોકરની નિયત માલિકની બહુમૂલ્ય વસ્તુ જોઈને બદલાઈ જાય છે.
સરકારી કાર્યદાયી સંસ્થાઓ પાસેથી પણ તેમને જ ઠેકો મળે છે જે સંસદ અથવા વિધાયક દ્વારા સ્વીકૃત કરવામાં આવે છે. કોઈપણ જિલ્લામાં એવા નવયુવાન ઠેકદારોનો સમૂહ મળી જશે જે સાંસદ અને વિધાયક નિધિ માટે જ કામ કરે છે અને રાજધાનીઓમાં કાર્યાલય બનાવીને મોટી-મોટી ગાડીઓમાં ફરે તથા જનપ્રતિનિધિઓ અને નેતાઓનું મનોરંજન કરતા દેખાય છે. જ્યારે દેશમાં મંત્રી અથવા બંધારણીય દાયિત્વ નિભાવનારા લોકો કરોડો-અબજોના ગોટાળા પોતાના પદનો દુરુપયોગ કરીને કરી રહ્યાં છે, ત્યારે સાંસદ અને વિધાયક નિધિથી કમાવવાનો અવસર રાજકીય લોકોને ભ્રષ્ટાચાર તરફ લઈ જઈ રહ્યો છે. તેના પુરાવા સર્વેક્ષણના આંકડાઓથી સ્પષ્ટ થાય છે, ધારાસભ્ય અને સાંસદોના પહેલાના અને અત્યારના રહેન-સહેન તથા આચરણને જોઈને પણ સ્પષ્ટ થઈ જાય છે. તેનો પ્રભાવ નીચે સુધી ગયો છે. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મનરેગાની યોજના બાદ કઈ હેસિયતમાં પહોંચી ગયા છે, તે પણ તેનું જ પરિણામ છે. એક રાજનેતા જ્યારે ધન આપતા પકડાય ગયા તો તેમણે કહ્યું કે મિઠાઈ ખાવા માટે રૂપિયા આપી રહ્યાં હતા, પરંતુ તમિલનાડુની ચૂંટણીમાં રૂપિયા-સોનું, ટેલિવિઝન અને લેપટોપ આપવાની ઘટનાઓના વિવરણ પ્રકાશિત થયા બાદ પણ કંઈ થયું નથી. હવે જનતાને જ ભ્રષ્ટ આચરણ કરનારા જનપ્રતિનિધિઓથી નિપટવાનું રહેશે, જેમ કે તમિલનાડુની જનતાએ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં કર્યું. હવે સમય આવી ગયો છે કે ઈમાનદાર લોકોને પણ લાલચુ બનાવનાર આ નિધિઓને સમાપ્ત કરવાની પહેલ કરવામાં આવે.
(રાજનાથ સિંહ સૂર્ય- લેખક રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ છે)
No comments:
Post a Comment