અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનું કહેવું છે કે અમેરિકા જ્યારે પણ ભારત સાથે સંબંધ સુધારવાની કોશિશ કરે છે, તો પાકિસ્તાનમાં એક પ્રકારની અસહજતા ઉત્પન્ન થઈ જાય છે, જેમાં નફા અને નુકસાનનો દ્રષ્ટિકોણ હોય છે.
હિલેરીએ કહ્યું કે અમે જ્યારે ક્યારેય ભારત સાથે સંબંધો સુધારવાની કોશિશ કરીએ છીએ, પાકિસ્તાનમાં અસહજતાનો ભાવ પેદા થઈ જાય છે. ભારત સાથે અમે 1990ના દશકથી જ સંબંધો સુધારવાની શરૂઆત કરી દીધી હતી.
તેમણે સેનેટની વિદેશ મામલાઓની સમિતિની સમક્ષ ગુરુવારે કહ્યું કે પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ હોય છે કે શું તમે અમારા દોસ્ત છો અથવા તેમના દોસ્ત. આ બાબતો તેમના માટે નફા-નુકસાનની કસોટી પર તોળવાનો ખેલ છે.
હિલેરીએ કહ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની બહાલીથી ઉત્સાહિત છે. તેની સાથે જ તેમણે ભારતના એ વલણનું સમર્થન કર્યુ છે કે પાકિસ્તાને પોતાની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃતિઓ માટે થવા દેવો જોઈએ નહીં.
No comments:
Post a Comment