મારુફ રજા
પોતાના બે દિવસના પ્રવાસ બાદ ચેન્નઈથી રવાના થતાં અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે ભારત માટે આ નેતૃત્વ કરવાનો સમય છે. બેશક ભારતની ક્ષમતા અમેરિકાને આશ્વસ્ત કરે છે, પરંતુ નવી દિલ્હીની પણ પોતાની મર્યાદાઓ છે. તેમ છતાં અમેરિકા ચાહે છે કે એશિયામાં ચીનના વર્ચસ્વને ભારત પડકારે. શું ભારત અમેરિકા અને એશિયાની આશાઓ પર ખરું ઉતરશે?
દક્ષિણ એશિયામાં ચીન જો કે એક શક્તિ નથી, પરંતુ આ ક્ષેત્રમાં તે પોતાની મજબૂત ઉપસ્થિતિની તૈયારી કરી રહ્યું છે. મ્યાંમાર અને બાંગ્લાદેશમાં નૌસૈનિક થાણાં બનાવી અને શ્રીલંકાના હંબનટોટા અને પાકિસ્તાનના ગ્વાદરમાં પોર્ટનું નિર્માણ કરી ચીન ભારતને ઘેરવાની નીતિ પર કામ કરી રહ્યું છે. જ્યારે એક મત એ પણ છે કે પોર્ટોના નિર્માણ પાછળ ચીનનો વિચાર પશ્ચિમ એશિયા અને આફ્રિકાથી થનારી ઊર્જાની આપૂર્તિ સુરક્ષિત કરવાનો છે.
પાકિસ્તાન સાથે સંબંધ બીજિંગની પ્રાથમિકતા યાદીમાં હજી પણ માત્ર ઉપર જ નથી, પંરતુ તેની પાછળ એક મજબૂત રણનીતિક સમીકરણ પણ કામ કરી રહ્યું છે. બીજિંગના રણનીતિક આકલન પ્રમાણે, તિબેટમાં મજબૂત સૈન્ય ઉપસ્થિતિ અને પારંપરીક અને પરમાણુ શક્તિથી સંપન્ન એક શક્તિશાળી પાકિસ્તાની સેના દ્વારા જ ભારતની સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિથી બચી શકાય છે. માટે ગત કેટલાંક વર્ષો દરમિયાન બીજિંગે સુનિયોજીત રીતે ભારતીય સીમા પર પોતાની સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. સરહદ પર ઘૂસણખોરી સિવાય ચીને તિબેટના પઠાર પર હિમાલનની ઉત્તરમાં સુખોઈ જેટ વિમાનો અને સૈનિકોની સાથે અભ્યાસ પણ કર્યો છે. ચીન ચાહે છેકે અફઘાનિસ્તાનથી અમેરિકા અને નાટો સૈનિકોની વિદાઈની સાથે જ તે પાકિસ્તાનના સહયોગથી દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં અમેરિકાની જગ્યા લે.
ચીનના સામરીક આકલનમાં પાકિસ્તાન બાદ નેપાળનું સ્થાન આવે છે. ભારત વિરુદ્ધ નેપાળનો ઉપયોગ જ્યાં યુદ્ધ અને શાંતિ, બંને તબક્કામાં કરી શકાય છે, ત્યાં દલાઈ લામા ન રહેવાની સ્થિતિમાં તિબેટમાં અસ્થિરતા પેદા કરવા માટે પણ નેપાળનો ઉપયોગ કારગર થઈ શકે છે. ચીનની નજર બાંગ્લાદેશના તેલ અને ગેસ પર પણ છે, અને ત્યાં ચીની ઉત્પાદનને મ્યાંમારના અરાકાન ક્ષેત્રથી જોડવું માત્ર સમયની વાત છે, જેથી બાંગ્લાદેશના તેલ અથવા ગેસને પાઈપલાઈન દ્વારા સીધા યન્નાનથી જોડી શકાય. અરાકાનથી યન્નાનને જોડનારી પાઈપલાઈન પર કામ ચાલી રહ્યું છે. ચીની મદદથી મ્યાંમારના રસ્તે યન્નાનથી બાંગ્લાદેશ સુધી રેલવે લાઈન બિછાવવાની વાત પણ ચાલી રહી છે. બીજિંગે ચટગાંવમાં પોર્ટ બનાવવા અને પહેલા ઉપગ્રહના નિર્માણમાં મદદની પણ વાત કહી છે.
નેપાળ અને બાંગ્લાદેશ, બંને આજે ચીનના ખેમામાં છે, તો તેના માટે નવી દિલ્હીની નીતિઓ જવાબદાર છે. તેવામાં વર્ચસ્વવાદી ચીનનો મુકાબલો કરવા માટે ભારત શું કરે? રણનીતિક સ્તર પર ભારતને જોઈએ કે તે ચીનની આસપાસના એ દેશો સાથે ધરોબો વધારે, જે બીજિંગના વર્ચસ્વ માટે જોખમરૂપ દેખાય છે. એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે રશિયા અને જાપાનની સાથે ધરોબો ઉપયોગી થશે.
હિલેરી ક્લિન્ટને નવી દિલ્હીને આ સૂચન કર્યું છે. જ્યારે એશિયાઈ દેશો વચ્ચે રણનીતિક સ્તર પર ભારતની સ્થિતિ માત્ર એક પર્યવેક્ષકની છે. દુર્યોગથી આપણા રાજનયિકોની પાસે દ્રષ્ટિકોણનો અભાવ છે. સ્પષ્ટ છે કે આપણા રાજનેતાઓ અને રાજનયિકો માટે આ તે દિશામાં વિચારવાનો સમય છે. આપણી સેનાએ અરુણાચલ અને લડાખમાં ચીની ઘૂસણખોરીને જોરદાર જવાબ આપવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.
(સૌજન્ય- અમર ઉજાલા)
No comments:
Post a Comment