સુધાંશુ રંજન
અન્ના હજારેના આંદોલનને દેશમાં અને દેશની બહાર જે વ્યાપક સમર્થન મળી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારથી જનતા પરેશાન છે. આ અનાયાસ નથી કે વડાપ્રધાન મનમોહન સિંહએ સ્વાધીનતા દિવસના સંબોધનમાં 16 વખત ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો. અન્ના હજારે હકીકતમાં લોકાની હતાશાને જ પ્રતિબિંબિત કરી રહ્યા છે. તેમણે ઘોષણા કરી છે કે તેમના અનશન જનલોકપાલ બિલને કાયદો બનાવવા સુધી ચાલુ રહેશે. જ્યારે સરકારના પ્રમાણે, જનલોકપાલ વિધેયકની 40માંથી 24 માગણી પૂર્ણપણે અને 10 માગણીઓ આંશિક રીતે સ્વીકારી લેવામાં આવી છે. માત્ર છ માગણીઓને જ સ્વીકારવામાં આવી નથી, માટે અન્નાના અનશન અયોગ્ય છે.
એ સાચું છે કે લોકપાલ કોઈ એવો જાદૂ કરી દેશે નહીં, જેનાથી ભ્રષ્ટાચાર રાતોરાત સમાપ્ત થઈ જાય. પરંતુ ભ્રષ્ટાચારીઓને દંડિત કરનારી અત્યારે જે સંસ્થાઓ દેશમાં કામ કરી રહી છે, તેમના ક્રિયાકલાપો પર વિચાર કરવાની જરૂરત છે કે આખરે તે કામ કેમ કરી શકતી નથી. તેમ છતાં પણ સરકારી લોકપાલ વિધેયકમાં એક ખતરનાક જોગવાઈ છે કે ખોટી ફરીયાદ કરનારને બે વર્ષની જેલની સજા છે, જ્યારે ભ્રષ્ટાચારના મામલામાં લઘુત્તમ સજા છ માસની છે. જો ફરીયાદકર્તાને દંડિત કરવામાં આવશે, તો પછી ફરીયાદ કરવાનું સાહસ કોણ ભેગું કરી શકશે. કેટલીક વખત તકનીકી કારણોથી પુરાવાના અભાવમાં ફરીયાદો પ્રમાણિત થઈ શકતી નથી, પરંતુ આરોપો સાચા હોય છે. તાજેતરમાં સુભાષ અગ્રવાલે લોકસભા સચિવાલય પાસેથી માહિતી માંગી કે કેટલાં સાંસદોએ પોતાની સંપત્તિની ઘોષણા કરી છે. તેમને જવાબ મળ્યો કે 70 સાંસદોએ ઘોષણા કરી નથી. તેમણે પછી પુછયું છે કે તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે, તો તેમને જણાવવામાં આવ્યું કે તેના માટે કોઈએ ઔપચારીક રીતે ફરીયાદ કરવી પડશે. પછી તેમણે ફરીયાદ પણ કરી, તો તેમને સૂચિત કરવામાં આવ્યા કે આ ફરીયાદ એફિડેવિટ દાખલ કરીને કરવી પડશે અને જો તેમનું એફિડેવિટ દાખલ કરતાં પહેલા કોઈએ પોતાની સંપત્તિ ઘોષિત કરી દીધી, તો તેમની ફરીયાદ ખોટી માનવામાં આવશે અને તેમની સામે જ કાર્યવાહી થશે. એટલે કે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની મનસા જ નથી.
દેશની શાસન વ્યવસ્થામાં ભ્રષ્ટાચારના કીટાણુ સ્વતંત્રતા પ્રાપ્તિના તુરંત બાદથી પ્રવેશ કરી ગયા હતા. 1950માં કેન્દ્ર સરકારેના પ્રખ્યાત નોકરશાહ એ.ડી.ગોરવાલાને શાસન વ્યવસ્થામાં સુધાર કરવા માટે સૂચન આપવા માટે કહેવામાં આવ્યું હતું. એક વર્ષ બાદ પોતાના રિપોર્ટમાં તેમણે બે કડવી ટિપ્પણીઓ કરી કે નેહરુ મંત્રીમંડળના કેટલાંક ભ્રષ્ટ મંત્રીઓ સંદર્ભે આમ જાણકારી છે, અને એ છે કે સરકાર આ મંત્રીઓને ખોટી રીતે બચાવી રહી છે.
તે વખત સુધી માત્ર જીપ ગોટાળો સામે આવ્યો હતો, જેમાં વી. કે. કૃષ્ણમેનન પર આંગળી ચિંધાઈ હતી. ભારતીય સેનાએ 155 જીપોની માગણી કરી હતી, જેનો ઉપયોગ અશાંત કાશ્મીર અને હૈદરાબાદમાં થવાનો હતો. સેનાએ તેના માટે એક બ્રિગેડિયરની સેવા ઉપલબ્ધ કરાવી હતી, પરંતુ કૃષ્ણમેનને તેમને નજરઅંદાજ કરીને એજન્ટ દ્વારા એક વિદેશી કંપનીને જીપની આપૂર્તિ કરવાનો આદેશ આપી દીધા. જો કે કૃષ્ણમેનન એક ઈમાનદાર વ્યક્તિ માનવામાં આવતા હતા અને જીપની ગુણવત્તા સંદર્ભે પણ શંકા ન હતી, પરંતુ પ્રક્રિયાનું પાલન ન કરવાને કારણે તે વિપક્ષના નિશાન પર આવી ગયા.
બીજો ગોટાળો જીવન વીમા નિગમ-મુંદરા ડીલ હતો, જે સ્વતંત્ર ભારતનો પહેલો નાણાંકીય ગોટાળો હતો. હરિદાસ મુંદરા કોલકત્તા સ્ટોક એક્સચેન્જના દલાલ અને ઉદ્યોગપતિ હતા. તેમણે પોતાના પ્રભાવથી જીવન વીમા નિગમનું 1.24 કરોડ રૂપિયાનું રોકાણ પોતાની છ સમસ્યાગ્રસ્ત કંપનીઓમાં કરાવી દીધું. તત્કાલિન કોંગ્રેસ સાંસદ ફિરોઝ ગાંધીએ આખો ગોટાળો સંસદમાં ઉજાગર કર્યો.
સરકારે ન્યાયમૂર્તિ એમ. સી. છાગલાની એક સભ્યની તપાસ સમિતિની રચના કરી. રિપોર્ટમાં તત્કાલિન નાણાં મંત્રી ટી.ટી. કૃષ્ણમાચારીને કાયદાકીય રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા અને તેમને રાજીનામું આપવું પડયું. મુંદરાને જેલની સજા થઈ. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ કેન્દ્રીય સતર્કતા પંચની રચના થઈ.
ત્યાર બાદ ગોટાળાનો તબક્કો સતત ચાલુ રહ્યો, જ્યારે સીબીઆઈ આરોપીઓને સજા અપાવવામાં અક્ષમ સાબિત થઈ, કારણ કે આ સાચા અર્થમાં સ્વાયત નથી અને રાજકીય દબાણ હેઠળ કામ કરે છે. સીબીઆઈ દ્વારા દાખલ લગભગ નવ હજાર મામલા જુદીજુદી કોર્ટોમાં પેન્ડિંગ છે, જેમાંથી લગભગ 2000 મામલા તો એક દશકથી વધારે સમયથી પેન્ડિંગ છે. તેના સિવાય એકલ નિર્દેશ એક ભેદભાવ કરનારી જોગવાઈ છે, તેના હેઠળ કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ અથવા તેનાથી ઉપરના અધિકારી પર ખટલો ચલાવવા મેટ તેને નિયુક્ત કરનારા અધિકારીની પૂર્વાનુમતિ લેવી પડે છે. આ સમાનતાના અધિકારનું હનન કરે છે.
ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે વિશેષાધિકાર ખતમ કરવા યોગ્ય રીતે પરિભાષિત પ્રક્રિયા બનાવવી જરૂરી છે. તેના સિવાય ભ્રષ્ટાચારની પરિભાષાને વ્યાપક રૂપ આપવાની પણ જરૂરત છે. સર્વોચ્ચ અદાલતના ડૉ. એસ. દત્ત વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મામલામાં વ્યવસ્થા આપી હતી કે ભ્રષ્ટ શબ્દમાં માત્ર લાંચ લેવી જ સામેલ નથી. તેનો ઉપયોગ એવા આચરણથી થાય છે, જે નૈતિક રીતે પતિત છે. અન્ના હજારેનું આંદોલન પણ માત્ર જનલોકપાલ માટે નથી, આ આપણા સમગ્ર જીવનમાં ઘર કરી ચુકેલા ભ્રષ્ટાચારને ખતમ કરવાના ઉદેશ્યથી પણ શરૂ થયું છે. આશા કરીએ કે આ આંદોલન તેના લક્ષ્ય સુધી પહોંચશે.
No comments:
Post a Comment