Showing posts with label આઝાદી. Show all posts
Showing posts with label આઝાદી. Show all posts

Sunday, 14 August 2011

બીમારી નહીં, લક્ષણ છે ભ્રષ્ટાચાર


માર્ક ટુલી

કોઈપણ દેશ માટે ચોસઠ વર્ષની સફર ઓછી હોતી નથી. જે તબક્કામાં ભારતે આઝાદી હાસિલ કરી હતી, તે સંક્રમણનો તબક્કો હતો. દેશમાં ગરીબી હતી, બેરોજગારી હતી, નિરક્ષરતા હતી, આરોગ્ય ક્ષેત્રમાં ખરાબ પરિસ્થિતિ હતી, ચારે તરફ અનિશ્ચિતતાનો માહોલ હતો. આ તમામ મોરચા પર ગત છ દશકોમાં ઘણી પ્રગતિ થઈ છે, રોજગારના નવા અવસરો પેદા થયા છે, સાક્ષરતાનો દર વધ્યો છે, સરેરાશ ઉંમર 65 વર્ષથી વધારે થઈ ચુકી છે. પરંતુ જેવી પ્રગતિ થવી જોઈતી હતી, તેવી થઈ નથી. ખાસ કરીને ગરીબી ઓછી થઈ શકી નથી. હું વારંવાર એ વાતને રેખાંકીત કરુ છુ કે સરકારી પ્રણાલી આજે પણ અંગ્રેજી રાજની છાયામાંથી પુરી રીતે મુક્ત થઈ શકી નથી. આ દેશના લોકતંત્રની આ સૌથી મોટી ખામી છે.

વાસ્તવમાં સ્વતંત્રતા મળ્યા બાદ ભારતે લોકતાંત્રિક વ્યવસ્થાને અપનાવી તો લીધી, પરંતુ તેનો લાભ આમ આદમી સુધી યોગ્ય રીતે પહોંચ્યો નથી. તેનું સૌથી મોટું કારણ છે કે ઉપનિવેશિક પ્રણાલીમાં જે ખામીઓ હતી, તેને દૂર કરવામાં આવી નથી. જે સંશોધન અને સુધાર થવા જોઈતા હતા, તે થયા નથી. ઉદાહરણ તરીકે ભારતમાં આજે પણ અંગ્રેજોના જમાનાના અનેક કાયદા લાગુ છે. દેશની પ્રગતિ અને ભવિષ્ય માટે સૌથી વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે તમામ લોકતાંત્રિક સંસ્થાઓએ એકબીજાનું સમ્માન કરવું જોઈએ, કારણ કે જ્યાં સુધી લોકતંત્રના પાયા મજબૂત નહીં થાય, દેશ મજબૂત થઈ શકે નહીં. સંસદ, નોકરશાહી અને ન્યાયપાલિકા લોકતંત્રના મુખ્ય સ્તંભ છે. તેમણે એકબીજાના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. ભારતમાં મુશ્કેલી એ છે કે રાજકીય વર્ગ પોતાને સર્વોચ્ચ સમજવા લાગ્યો છે. રાજનેતાને લાગે છે કે સંસદ સર્વોચ્ચ છે, માટે તે લોકતંત્રની બીજી સંસ્થાઓના કામકાજમાં પણ હસ્તક્ષેપ કરી શકે છે. જ્યારે સંસદની સર્વોચ્ચતાનો ક્યારેય આ અર્થ નથી. બીજી વાત, આજે પણ દેશમાં બાબુ રાજ ચાલી રહ્યું છે. પરિણામે કોઈપણ સરકારી કામ કરાવવામાં ઘણો સમય લાગે છે, ફાઈલો અટકેલી રહે છે. કોમ્પ્યુટર પણ આ સુસ્તી અને અક્ષમતાને દૂર કરી શક્યા નથી.

સ્પષ્ટ છે કે ભારતની સામે પ્રશાસનિક સુધાર અને સુશાસન બે મોટા પડકારો છે. આજે ભ્રષ્ટાચારનો મુદ્દો ગરમ છે, તે આનાથી પણ સંલગ્ન છે. ભ્રષ્ટાચારને લઈને અન્ના હજારેનું આંદોલન થઈ હોય અથવા બાબા રામદેવનું તેનાથી ઈન્કાર કરી શકાય નહીં કે ભ્રષ્ટાચાર આજે એક મોટો મુદ્દો છે, કારણ કે દેશની મોટાભાગની વસ્તી તેનો રોજ સામનો કરે છે. સવાલ એ છે કે તેનાથી કેવી રીતે નિપટવામાં આવે. 1974માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણું મોટું આંદોલન થયું હતું, તે આંદોલનને ઘણી સફળતા પણ મળી હતી. પરંતુ અંતમાં કંઈ થયું નહીં અને દેશ ફરીથી તે રસ્તા પર આવી ગયો. ભ્રષ્ટાચાર કોઈ બીમારી નથી, તે બીમારીનું લક્ષણ છે, માટે એ વિચારવું પડશે કે આગળ શું કરવામાં આવે.

માટે ઘણી વાર ભ્રષ્ટાચાર અને પ્રશાસનિક સુધારના મુદ્દાની ચર્ચા કરતા રાજકીય વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવાય છે. પરંતુ આપણે તેને લોકતંત્રની ખામી કહી શકીએ નહીં. ભારતના લોકતંત્રે તો એક ઉદાહરણ કાયમ કર્યું છે. ભારતની સાથે જ બનેલા પાકિસ્તાન અને ત્યાર બાદ તેનાથી અલગ થઈ નવું રાષ્ટ્ર બનેલા બાંગ્લાદેશ જેવા પડોશીઓની તરફ આપણે જોઈએ, તો ખબર પડે છે કે ભારતનું લોકતંત્ર કેટલું મજબૂત છે. બાંગ્લાદેશે જ્યારે લોકતંત્ર છોડીને લશ્કરી શાસનની રાહ પકડી તો તેની દુર્દશા થઈ ગઈ. પરંતુ હવે ફરીથી લોકતંત્રની રાહ પર છે અને પ્રગતિ કરી રહ્યું છે.

લોકો આજે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાની વાત કરવા લાગ્યા છે, જ્યારે દેશની મોટી વસ્તી 20 રૂપિયાથી ઓછી આવક પર જીવવા મજબૂર છે. આપણી સૌથી મોટી ચિંતા આ હોવી જોઈએ. વર્તમાનનો યોગ્ય રીતે સામનો કરવો જોઈએ, ત્યારે જ ભવિષ્ય સારું થઈ શકે છે. નહીં તો આવનારા આવતીકાલમાં મુશ્કેલી વધારે મોટી હોઈ શકે છે.

સૌજન્ય- અમર ઉજાલા

હવે કેટલાંક ભારતીયોથી આઝાદી જોઈએ



એમ. જે. અકબર

1920માં ગાંધીજી ઘણાં વધારે સુકૂનમાં હતા. તેઓ જાણતા હતા કે એક વખત લોકોમાં જાગૃતિ આવી જશે, તો આઝાદી માટે કોઈ રોકી શકશે નહીં. તે સમયથી 25 વર્ષ આગળનું જોઈ શકતા હતા. કદાચ 1947માં ગાંધીજી પચાસ વર્ષ આગળના ભારતને વાંચી શકતા હતા. ગાંધીજી આધુનિક ભારતની ઉપલબ્ધિઓથી જરૂર ખુશ હોત, પરંતુ જ્યાં સુધી માતૃભૂમિ પર ભૂખ અને ભ્રષ્ટાચાર ઉપસ્થિત રહેત, તેઓ આપણને શાંતિથી એક પળ માટે પણ ઉંઘવા દેત નહીં. 

આપણે 15 ઓગસ્ટ, 1947ના મૂળ કથાનકની કેન્દ્રીય ધુરી જ ગુમાવી બેઠા છીએ. આપણે વિચાર્યું કે એડવિના અને લોર્ડ માઉન્ટબેટનના મહેલ પર તિરંગો લહેરાવા માત્રથી જ આઝાદીની તે જંગ આપણે ફતેહ કરી લીધી છે, જેનો 1919માં મહાત્મા ગાંધીએ આગાજ કર્યો હતો. વાસ્તવમાં આ તો માત્ર આઝાદીની બીજી લડાઈની શરૂઆત હતી. 

અંગ્રેજોની વિરુદ્ધ લડવામાં આવેલી પહેલી લડાઈથી ઘણી વધારે મુશ્કેલ. આઝાદીની આ બીજી લડાઈ પોતાના જ સાથીદારો વિરુદ્ધ લડવાની હતી. આજે જ્યારે હું મારી આસપાસ વિખરાયેલી સમસ્યાઓને જોવું છું, જેનાથી આપણને હજી પણ મુક્તિ જોઈએ, તો અતીત અને વર્તમાન એકસાથે પોતાના મહત્વનો દાવો કરીને આમને-સામે આવી ઉભા હોય છે. આ પ્રાથમિકતામાં સૌથી ઉપર છે- ભૂખ. આ ભૂખ સુધી પહોંચવા માટે આપણે માઓવાદીઓના ગઢમાં ફેરવાઈ ગયેલા ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં જવાની જરૂરત નથી. આ વિસ્તારોમાં માઓવાદીઓએ કોઈ આદર્શવાદના સહારે લોકોને એકજૂટ કર્યા નથી. તેમણે તેમને માનવાધિકારના નામ પર જોડયા છે. એક દુર્બલ શરીર અને પીડિત આત્મા માટે પેટ ભરીને ભોજનનો અધિકાર વધારે મોટી વસ્તુ બીજી કઈ હોઈ શકે છે. માઓવાદીઓની બંદૂકમાંથી નીકળી ગોળીનો અવાજ હજી પણ માત્ર ગુર્રાહટ સુધી જ સમેટાયો છે. આ ભૂખ હજી ક્રોધમાં ફેરવાઈ નથી. 

ગરીબ અથવા ગરીબી કોઈ એવી અસલિયત નથી જેનાથી આપણો પનારો પડયો ન હોય. તે ભારતના સૌથી વધારે બગડેલા અને આત્મસંતુષ્ટિથી ભરેલા શહેર દિલ્હીની સડકો પર ઉંઘતા મળી શકે છે. એક નાના-મોટા શહેરની કિંમતને બરાબરના ગગનચુંબી એપાર્ટમેન્ટની બરાબર સામે ખુલ્લા મેદાનમાં મળી શકે છે. ગલીઓ આજે પણ તે અસાધારણ બાળકોની એક આખી પેઢી માટે એકમાત્ર આશરો છે, જે તે વખતે પણ પોતાના હોઠો પર મુસ્કુરાહટ માટે હોય છે. જ્યારે ભીખ માટે તેમનો હાથ આગળ વધતો નથી. એક બેઘર બાળકનું ભવિષ્ય શું હોય છે? શું જેલ જ તેનું રહેઠાણ છે? તિહાડ સુધી પહોંચનારા 90 ટકા કિશોરો પાસે સંપત્તિના નામ પર એક બીજું ખમીસ સુદ્ધાં હોતું નથી. આઝાદીના સાડા છ દશક બાદ પણ ભારત તેમને રહેઠાણના નામે માત્ર જેલની ચાર દિવાલો ઉપલબ્ધ કરાવી શક્યું છે. હું બિનજરૂરી રીતે કઠોર અથવા કર્કશ હોવાનો આભાસ આપવા માંગતો નથી. 

1947માં આપણને એક એવું ભારત મળ્યું, જ્યાં તેના પૂર્વ ભાગમાં આવેલા દુષ્કાળમાં માત્ર ત્રણ વર્ષમાં 40 લાખ લોકો માર્યા ગયા હતા. આ દુષ્કાળનું કેન્દ્ર બંગાળ હતું. અંગ્રેજોની ખોટી નીતિઓના કારણે આ દુષ્કાળની યાદો આપણે પાછળ છોડી દીધી છે. પંરતુ આ દેશની તે અડધો અબજ વસ્તીને દિલાસો આપી શકે નહીં જે આજે પણ કોઈપણ પ્રકારે પોતાની જિંદગીની ગાડીને ખેંચવા માટે દિવસ-રાત એક કરી દે છે. જિંદગીમાં 20 વર્ષની ઉંમર સુધી પહોંચતા-પહોંચતા જેમની આશા દમ તોડી નાખે છે. આખા ભારતને આગામી એક દશક સુધી આ ભૂખ અને બદહાલીની વિરુદ્ધ આઝાદીનો જંગ લડવાનો રહેશે. 

1947માં અંગ્રેજોના ગયા બાદ પેદા થયેલી ભાગ્યશાળી પેઢી પાસે આ આખરી મોકો છે. આ તેનું આખરી કર્તવ્ય છે. ઈતિહાસમાં રોકાયેલી આ અડધી રાતની પેઢી આજે પોતાની જિંદગીના શિખર પર છે. તેનો વિચાર કાચની જેમ સ્પષ્ટ છે. તે ભ્રષ્ટ ભારતીયોથી આઝાદી ચાહે છે. એ માનવું મૂર્ખતાપૂર્ણ હશે કે માત્ર બીજો માણસ ભ્રષ્ટ છે. જો ભ્રષ્ટાચાર માત્ર શક્તિશાળી મંત્રીઓ સુધી સીમિત છે, તો જેલમાં દોષિત લોકો માટે પુરતી જગ્યા છે. ભ્રષ્ટાચાર ઘાતક છે, કારણ કે તેનું મૂળ સિસ્ટમમાં સૌથી નીચે સુધી જાય છે. 
પાસપોર્ટ કાર્યાલયમાં ઉપસ્થિત ક્લાર્કથી લઈને જિલ્લા અધિકારીના કાર્યાલયમાં ઉપસ્થિત બાબુ અને કોન્સ્ટેબલ સુધી, દરેક પોતાના ખિસ્સામાં કંઈકને કંઈક નાખી રહ્યો છે. મુક્તિ મેળવવાની પ્રાથમિકતા યાદી ઘણી લાંબી છે. ભારતીયોને પક્ષપાત, પાખંડ, ચાપલુસી, મૂર્ખતાથી મુક્તિ જોઈએ. તેમાં ચાપલુસી સૌથી ખતરનાક છે. તે પોતાના નેતાના અહમને તુષ્ટ કરવા માટે સત્યને તોડમરોડ સાથે રજૂ કરે છે. દરેક પાર્ટી આ બીમારીથી દોષિત છે. 

15 ઓગસ્ટે જ્યારે યૂનિયન જેકની જગ્યાએ તિરંગો લહારાયો, ત્યારે આ ખ્વાબને સાકાર કરનારા મહાત્મા ગાંધી આઝાદીનો ઉત્સવ મનાવવાનું નૈતિક સાહસ એકઠું કરી શક્યા ન હતા. તે દિલ્હીમાં ચાલી રહેલા ઉત્સવનો ભાગ ન હતા. તેઓ કોલકત્તામાં ભારતીયોને ભારતીયોથી બચાવવાની કોશિશમાં લાગેલા હતા. બેલગછિયામાં જ્યારે બીબીસીએ તેમનો ઈન્ટરવ્યૂ કર્યો, તો તેઓ આ આઝાદીની પ્રશંસામાં કોઈ શબ્દ શોધી શક્યા ન હતા. માનવતાના વિધ્વંસ વિરુદ્ધ તેઓ એક એકલવાયી લડાઈ લડી રહ્યાં હતા. 1947ની સરખામણી 1919 અને 1920માં ગાંધીજી કંઈક વધારે સુકૂનમાં હતા. તેઓ જાણતા હતા કે એક વખત લોકોમાં જાગૃતિ આવી જશે, તો પછી આઝાદી માટે કોઈ રોકી શકશે નહીં. તેઓ સમયથી 25 વર્ષ આગળનું જોઈ શકતા હતા. 

કદાચ 1947માં ગાંધીજી પચાસ વર્ષ આગળના ભારતને વાંચી શકતા હતા. ગાંધીજી આધુનિક ભારતની ઉપલબ્ધિઓ પર જરૂર ખુશ હોત, પરંતુ જ્યાં સુધી માતૃભૂમિ પર ભૂખ અને ભ્રષ્ટાચાર હાજર રહેત, તેઓ આપણને શાંતિથી સુવા દેત નહીં.


સૌજન્ય- પ્રભાત ખબર