Showing posts with label શૂન્યવાદી. Show all posts
Showing posts with label શૂન્યવાદી. Show all posts

Thursday, 28 July 2011

કટ્ટરપંથી હિંસાનો નવો ચહેરો



અશ્વિની કુમાર, ટાઆઈએસએસમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર

આતંકવાદને કોઈપણ રીતે રાજકીય લક્ષ્યોને હાસિલ કરવાનો પ્રયત્ન કહી શકાય નહીં. આ માત્ર બળજબરીની વાત કરે છે, એ વ્યક્તિની વાત કરતો નથી કે જેની ઓળખ જ તેના સામાજીક સંબંધો અને ખાનગી અધિકારોથી થાય છે. 

મુંબઈમાં બોમ્બ વિસ્ફોટો અને ઓસ્લોમાં ફાયરિંગની ઘટનાએ કટ્ટરપંથી આતંકવાદના ક્રૂર અને બદસૂરત ચહેરાની ફરીથી યાદ અપાવી દીધી છે. જો કે ઓસ્લોનું ફાયરિંગ પશ્ચિમના બહુસંસ્કૃતિવાદ વિરુદ્ધ ધૃણાની પરિણતિના રૂપમાં સામે આવ્યું છે, પરંતુ કટ્ટરપંથીઓના વૈશ્વિક આતંકવાદથી તેના તાર ઉંડાણથી જોડાય છે. દુખદ એ છે કે મુંબઈ અને નોર્વે, બંને સ્થાનોની હિંસામાં સમજી-વિચારીને રણનીતિ હેઠળ માનવ સ્વતંત્રતાની અવધારણાને નિશાન બનાવવામાં આવી છે. ઉટોયા દ્વીપમાં એક કેમ્પમાં સામેલ નિર્દોષ કિશોરો અને દાદરમાં મહેનતકશ મધ્યમવર્ગ, મુંબઈના ઝવેરી બજાર અને ઓપેરા હાઉસમાં કારોબીઓ તથા ગુજરાતના વ્યવસાયિકોની હત્યાઓએ કટ્ટરપંથી હિંસાનો નવો ચહેરો ઉજાગર કર્યો છે. આ હત્યાઓને ન તો દુશ્મન દેશ દ્વારા અંજામ આપવામાં આવી છે અને ન આ કોઈ ગૃહ યુદ્ધની પરિણતિ છે.
26/11ની દુખદ હિંસા પર લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ડિસેમ્બર-2008માં આપવામાં આવેલા મારા ભાષણમાં મે આ વાત પર ચર્ચા કરી હતી કે શું કટ્ટરપંથીઓની આવી હિંસાને નવા પ્રકારની હિંસા કહી શકાય છે, જે માત્ર સંપૂર્ણપણે અત્યાધુનિક જ નથી, પરંતુ નિશ્ચિતરૂપે રાજનીતિ વિરોધી પણ છે. સાથે જ આ કોઈ હિતની જગ્યાએ વિશ્વાસની શક્તિથી પ્રેરીત છે. ધ્યાન આપો, નોર્વેની ઘટનાને અંજામ આપનારા 32 વર્ષીય હત્યારા બ્રેવિલે હાલમાં ટ્વિટર પર એ સંદેશ પ્રસારીત કર્યો હતો કે વિશ્વાસથી ભરેલો એક વ્યક્તિ માત્ર પોતાના હિતોની ચિંતા કરનારા એક લાખ લોકોની સેના બરાબર છે.

પારંપરીક યુદ્ધોની ક્રૂરતા અને 20મી સદીના અધિનાયકવાદી શાસનથી વિપરીત મુંબઈ અને અન્ય સ્થાનોની આતંકવાદી હિંસા માત્ર અપ્રત્યાશિત અને બિનરાજકીય નથી, પરંતુ ક્રૂરતાનો ચરમ ઉત્સવ જેવી છે. ઈન્ટરનેટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા બ્રેકિંગ ન્યૂઝ તરીકે તેના મિનિટે મિનિટના કવરેજથી તેને અંજામ આપનારાઓને માનસિક ઊર્જા મળે છે. આ કવરેજથી આતંકવાદને આસાનીથી દર્શક અને શ્રોતાઓ મળી જાય છે. તેવામાં એ માનવું એક મોટી ભૂલ હશે કે આધુનિક આતંકવાદી ઘટના હિંસાનું તે જૂનું સ્વરૂપ છે, જેને અલ્જીરિયાઈ ક્રાંતિકારી ફ્રેંજ ફેનને ધરતી પરનું કલંક કહ્યું હતું. હિંસાનું આ નવું સ્વરૂપ પોતાના પગમાં ધાનના ખેતરોનું કીચડ લગાવવા અથવા દુનિયાના કોઈ ગરીબ વિસ્તારની ગંદી ફેક્ટરી સુધી પહોંચવા ઈચ્છુક નથી. વાસ્તવમાં વૈશ્વિક આતંકવાદનો સાર સ્વચ્છતા અને અરાજનીતિકરણમાં નિહિત છે, જ્યાં તેને પ્રસિદ્ધિ માટે પુરતો પ્રચાર મળી જાય છે. 

આ કારણ છે કે આપણને એ જાણીને આશ્ચર્ય નથી થતું કે મુંબઈવાસીઓ એકસાથે મોતના શોકમાં પણ ડૂબેલા છે અને હેરી પોટર સીરીઝની નવી ફિલ્મનો જશ્ન પણ મનાવી રહ્યાં છે. આ નવી હિંસા મોતનો શોક મનાવવા અને જીવનનો જશ્ન માનાવવા સંબંધિત પરંપરાગત ગ્રંથિઓને મિટાવી દે છે. વિડંબણા એ છે કે કટ્ટરપંથી આતંકવાદને સમૂહવાદી ક્રાંતિ (જેમાં ધાર્મિક અને શૈક્ષણિક સમૂહોને સામેલ કરી શકાય છે) અને માહિતીની ક્રાંતિની જોડિયા પ્રક્રિયાથી ઊર્જા મળી રહી છે. 

રાષ્ટ્ર રાજ્ય કાયદાકીય રૂપથી વૈદ્ય અને ધર્મનિરપેક્ષ પ્રકારની હિંસાનનો સહારો લે છે. તેનાથી વિપરીત નવ આતંકની પ્રણાલી યુદ્ધનો ઉભાર લઈ રહેલી વૈશ્વિક નૈતિક આર્થિકીમાં નિહિત છે. વિડંબણા એ છે કે આતંક આજે આંદોલનોના આંદોલનના રૂપમાં વિકસિત થઈ ગયો છે. તેણે પોતાનામાં જૈવિક, વિકેન્દ્રીત અને પરસ્પર જોડાયેલા ઈન્ટરનેટના માર્ગોની પેટર્ન પર વિકસિત કરી લીધો છે. તેવામાં એ કોઈ આશ્ચર્યની રીતે આવતું નથી કે આતંકી ઘટનાની જવાબદારી આજકાલ ઈમેઈલ દ્વારા જ લેવાય છે. આતંકની આ સ્વયં ગતિશીલ હોવાની પ્રકૃતિ એ વાતની વ્યાખ્યા કરે છે કે આતંકવાદી એક એક કેન્દ્રીકૃત અને સંગઠિત સંગઠનના સ્થાને અસ્થિર, સતત રૂપ બદલીને અદ્રશ્ય સત્તા સંરચનાને પોતાના અસ્તિત્વને બચાવી રાખવા અને હુમલાઓને અંજામ આપવા માટે વધારે યોગ્ય સમજે છે. 

રાષ્ટ્ર રાજ્યોના યુદ્ધોની જૂની હિંસા મોટીમોટી નિયમિત સેનાઓ દ્વારા અંજામ આપવામાં આવતી હતી. તેનો ખર્ચ સાર્વજનિક મહેસૂલના સહારે ઉઠાવવામાં આવતો હતો. જૂની હિંસાના ઘણાં સ્વરૂપ સાર્વજનિક પ્રકારના પણ હતા. તેમાં સડકો પર થનારી હિંસા, જાતીય હિંસા વગેરે સામેલ હતા. તેનાથી વિપરીત નવી હિંસાનો જન્મ ગુપ્ત રૂપે થાય છે. એ કારણ છે કે જો આપણે આતંકવાદી હુમલાખોરોને ઓળખી પણ લઈએ છીએ, તો તેના નેટવર્ક સુધી પહોંચવાનું મોટાભાગે સંભવ હોતું નથી. નવી હિંસાના સોદાગર બિલકુલ ગુમનામ સ્વરૂપે રહે છે. કારણ સ્પષ્ટ છે કે કોઈને ફિદાયીન બનાવાની ટ્રેનિંગ સાર્વજનિક રીતે આપી શકાય નહીં. તેવામાં સતત એકલાપણું અને ગુપ્ત રૂપે રહેવાની સ્થિતિ આતંકવાદીઓમાં એક પ્રકારે સાર્વજનિક સ્થાનોથી પ્રતિશોધની ભાવના ભરે છે. 

ધ્યાન આપવા યોગ્ય છે કે ઓસ્લોનો આતંકવાદી એક ઈમિગ્રેશન વિરોધી પાર્ટીનો સભ્ય હતો. તે બહુસંસ્કૃતિવાદ અને ઈસ્લામના વિરોધમાં બ્લોગ લખતો હતો. તેના સંદર્ભે એ કહી શકાય કે ભારતના તથાકથિત ભગવા આતંકવાદમાં પણ કટ્ટરપંથી વૈશ્વિક આતંકવાદના સહયોગી બનાવાની ક્ષમતા છે. આતંકવાદને કોઈપણ પ્રકારથી પોતાની રીતે રાજકીય લક્ષ્યોને હાસિલ કરવાનો પ્રયાસ કહી શકાય નહીં. આ મૂળ સ્વરૂપે રાજકારણ વિરોધી અને નિશ્ચિત રૂપે શૂન્યવાદી (નિહિલિસ્ટિક) છે. કારણ કે આ માત્ર બળજબરીઓ અને ઓળખની વાત કરે છે, એ વ્યક્તિની કોઈ વાત કરતું નથી કે જેની ઓળખ જ તેના સામાજીક સંબંધો અને ખાનગી અધિકારોથી થાય છે. 

એક પ્રકારથી મુંબઈ અને ઓસ્લોની આતંકવાદી ઘટનાઓને એ ચરમ વિશિષ્ટતાવાદી હિંસક આધુનિક પરિયોજનાને આગળ વધારવા સ્વરૂપે જોવી જોઈએ, જે માણસ અને તેની સ્વતંત્રતાને નિરર્થક માને છે. ભારત જેવું વિશાળ લોકતાંત્રિક રાષ્ટ્ર પોતાને એક ડરમાણા સિક્યોરિટી સ્ટેટમાં બદલી શકે નહીં. આવું કરવાથી પોતાની મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવાની તેની ક્ષમતા સમાપ્ત થઈ જશે.
(સૌજન્ય- પ્રભાત ખબર)