Showing posts with label હિંદુ. Show all posts
Showing posts with label હિંદુ. Show all posts

Saturday, 6 August 2011

હિંદુઓએ મુદ્દાઓના તાર્કિક અંત માટેની લડાઈ લડવી પડશે

-આનંદ શુક્લ

હિંદુ જાગી રહ્યો છે, પરંતુ નિષ્ક્રિય બનીને તમામ ઘટના-દુર્ઘટનાને થતી જોઈ રહ્યો છે. બોમ્બેમાં તાજેતરમાં બોમ્બ વિસ્ફોટો થયા, વળી પાછા નિર્દોષ લોકોનું લોહી રેડાયું. હિંદુઓએ બળાપો કાઢયો કે સરકાર કંઈ કરતી નથી, હિંદુ સંગઠનો કંઈ કરતા નથી, નેતાઓના પેટનું પાણી હાલતું નથી. પરંતુ હકીકત એ છે કે હિંદુ સમાજ કંઈ કરવા ઈચ્છતો નથી, સમાજના પેટનું પાણી હાલતું નથી. આખો સમાજ મૂઢ બનીને તમામ અત્યાચારો અને દુર્ઘટનાઓને થતી જોઈ રહ્યો છે. તેમને હજી સરકાર, સંગઠનો અને નેતાઓ પર વિશ્વાસ છે. પરંતુ મોટાભાગે તેમનો વિશ્વાસ નઠારા તંત્ર, નકામા સંગઠનો અને નપાવટ નેતાઓને કારણે ઠગારો નીવડે છે. હિંદુઓએ દેશના ભૂતકાળને યાદ રાખવો જોઈએ. તેમની સાથે થયેલા અને થઈ રહેલા છળ-કપટને યાદ રાખવા જોઈએ. પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે હિંદુ કંઈ યાદ રાખતો નથી અથવા તો એમ કહો કે હિંદુઓને ઘણી વસ્તુઓ વિસ્મૃત કરાવી દેવામાં નેતા, સંગઠનો અને સરકાર હંમેશા કામિયાબ થાય છે.

બહુ દૂર ન જઈએ તો યાદ કરો કે છેલ્લી એક સદીમાં ચાલેલા કેટલાં આંદોલનો તેના તાર્કિક અંત સુધી પહોંચી શક્યા અને કેટલાં આંદોલનો તાર્કિક અંત સુધી ન પહોંચ્યા? આવા આંદોલનમાં આઝાદીનું આંદોલન મુખ્ય છે. ભારતને આઝાદી મળી, પણ કેવી આઝાદી મળી? ખંડિત અને લોહિયાળ આઝાદી. કહેવામાં આવે છે કે ભારતમાં અહિંસક આંદોલનથી આઝાદી મળી, પરંતુ કેટલીક કહેવાતી લોહિયાળ ક્રાંતિ કરતાં વધારે લોહી ભારતે આઝાદીની ચળવળ વખતે અને આઝાદી વખતે રેડયું છે. આ આઝાદી માટે લડનારા નેતાઓ, સંગઠનોએ કહ્યું હતું કે ભારતને પૂર્ણ આઝાદી મળશે અને ભારત અખંડ રહેશે. પરંતુ ભારતના હિંદુ નેતાઓ અને તે વખતે હિંદુ સંગઠન તરીકે માન્યતા પ્રાપ્ત કોંગ્રેસ ભારતના ભાગલા રોકવામાં નિષ્ફળ ગઈ. મહાત્મા ગાંધી ભારતના લોહીયાળ ભાગલાની પરિસ્થિતિમાં પણ મહાત્મા બનીને વર્તયા. તેના કારણે હિંદુઓને બેફામ પીડા સહન કરવી પડી.

વાત એટલેથી અટકતી નથી, ભારતને ખંડિત આઝાદી તો મળી, પરંતુ તેની સાચી ઓળખ પણ સ્થાપિત થઈ નહીં. ભારતમાંથી છૂટા પડેલા પાકિસ્તાને પોતાને ઈસ્લામિક સ્ટેટ જાહેર કર્યું, પરંતુ ભારતના નેતાઓ અને તે સમયના એકમાત્ર સર્વશક્તિમાન સંગઠન કોંગ્રેસે ભારતના હિંદુઓને ઓળખ વગરનું સેક્યુલર સ્ટેટ આપ્યું. ભારતની આઝાદીની ચળવળ જે રીતે ચાલી અને તેનો જે અંત આવ્યો, તેમાં જે પરિણામ ભારતના હિંદુઓના માથે થોપવામાં આવ્યું, તે જરાપણ તાર્કિક ન હતું. છતાં હિંદુઓ તત્કાલિન સંગઠનો, નેતાઓ અને સરકાર પર પોતાની હિતરક્ષા માટેનો વિશ્વાસ રાખીને બેઠા રહ્યાં.

ત્યાર બાદ સ્વતંત્ર ભારતમાં ગોહત્યા વિરોધી આંદોલન થયું. ગાય હિંદુઓ માટે ધાર્મિક રીતે અતિ પવિત્ર છે. છતાં મુસ્લિમો તેની ખુલ્લેઆમ કતલ કરતાં હતા. આવી સ્થિતિમાં કેટલાંક નેતાઓ અને સંગઠનોએ ગોહત્યાના વિરોધમાં આંદોલન શરૂ કર્યું. દેશ આખો ગોહત્યા વિરોધમાં ઉભો થઈ ગયો. સંસદનો ઘેરાવો થયો, સરકારની અંદરના નેતાઓ પણ ગોહત્યાના વિરોધમાં આંદોલનના સમર્થનમાં સામે આવ્યા. ઈન્દિરા ગાંધી જેવાં શક્તિશાળી વડાપ્રધાનને ગોહત્યા વિરોધી આંદોલનએ માથે તણાવની રેખાઓ પાડી દીધી. પરંતુ ગોહત્યા વિરોધમાં ચાલેલા આંદોલનનો તાર્કિક અંત આવ્યો નહીં. તે વખતે આંદોલન કોઈપણ નક્કર પરિણામ વગર આટોપી લેવાયું. જો કે ભારતમાં કેટલાંક રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધિત કરતાં કાયદા ઘણાં રાજ્યોએ પારિત કર્યા. પરંતુ તેનો કડકાઈથી અમલ થતો નથી. સરકાર હેલ્મેટ પહેરવાના કાયદાના અમલ માટે તમામ શક્તિ લગાવી રહી છે. પોલીસ તંત્ર પણ વાહનચાલકોને હેલ્મેટ પહેરાવા મેદાને પડવા માટે તૈયાર છે. પરંતુ ગોહત્યા પ્રતિબંધક કાયદાના અમલ માટે પોલીસ તંત્ર અને સરકાર, સંગઠનો અને નેતાઓ કોઈ ગંભીર પગલાં ઉઠાવી રહ્યાં નથી. અખબારોમાં ગોહત્યાના સમાચાર અવાર-નવાર વાંચવામાં આવે છે. ત્યારે વાંચીને દુ:ખની લાગણી અવશ્ય થાય છે કે હિંદુ સમાજની સક્રિયતાની ધાક તંત્ર, સરકાર, સંગઠનો અને નેતાઓ પર બિલકુલ નથી, જેને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ સિવાય બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પહેલા આસામ-પ. બંગાળમાં આંદોલનો ચાલ્યા. ત્યારબાદ આખા દેશમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ આંદોલનો થયા. પરંતુ પરિણામ શું આવ્યું? મહાશૂન્ય. વોટની લાલચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેના આંદોલનને તેના તાર્કિક અંત સુધી પહોંચાડવામાં આવ્યું નહીં. બાંગ્લાદેશી ઘૂસણખોરોને બાંગ્લાદેશમાં ખદેડવા માટે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે બાંગ્લાદેશી ઘૂસણખોરોથી દક્ષિણ આસામ અને પ. બંગાળના સરહદી જિલ્લાઓ વસ્તીથી ઉભરાઈ રહ્યાં છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવાં ભારતના અન્ય શહેરોમાં બાંગ્લાદેશીઓની મોટી વસાહતો છે. જે લોકો બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આંદોલન કરતાં હતા, તેઓ સત્તા પર આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આ આંદોલનનો તાર્કિક અંત સત્તા સુધી પહોંચવાનો એક વળાંક પાર કરવા સુધીનો સાબિત થયો છે. આ બાબત હિંદુ સમાજ સામે છેતરપિંડી નથી? હિંદુ સમાજે તેમની સામે કેવી રીતે વર્તવું જોઈએ?

આ સિવાય કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની વાત, સમાન નાગરીક ધારો અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરની સ્થાપનાના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર છેડાયેલા આંદોલનનો શું હાલ થયો છે, તે તો આપણી સામે છે. આ આંદોલનો સત્તા પ્રાપ્તિ થયા બાદ બંધ કરી દેવામાં આવ્યા અને મુદ્દાઓને કોલ્ડબોક્ષના મ્યુઝિયમમાં સજાવીને રાખવામાં આવ્યા છે. હિંદુઓએ એમ વિચારી લીધું કે સમાજ અને રાષ્ટ્ર હિતના મુદ્દાઓ નેતાઓ, સંગઠનો અને સરકારે પોતાને હસ્તગત લીધા છે, માટે પોતે શાંતિથી ઉંઘી શકશે. પરંતુ તેમનો વિશ્વાસ ઠગારો નિવડયો. કારણ કે હિંદુઓએ સમાજ તરીકે, વ્યક્તિ તરીકે પોતાની સક્રિયતા ગુમાવી દીધી. તેને કારણે સત્તાની દુકાન પર બેઠેલા તમામ બેફિકર બનીને વર્તવા લાગ્યા.

હિંદુ સમાજે આ તમામ બાબતોનો હિસાબ લેવાનો વખત આવી ગયો છે. આતંકવાદ, નક્સલવાદ, લઘુમતી તુષ્ટિકરણના મુદ્દાઓ સામે પણ ચલાવવામાં આવેલા અભિયાનો ઉધામા સાબિત થયા છે. કારણ કે આ અભિયાન ચલાવનારાઓ પર હિંદુ સમાજને વિશ્વાસ ન નથી અને પોતે વ્યક્તિ તથા સમાજ તરીકે સક્રિય થવા માગતો નથી. પરંતુ હકીકત એ છે કે જે ખુદની મદદ કરે છે, તેને ઈશ્વર મદદ કરે છે, બાકીના ઈશ્વર સહાય વગરના જ રહે છે. શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોકને વારંવાર યાદ કરવામાં આવે છે-

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥

એટલે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગે છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે ત્યાર હું પોતે જન્મ લવું છું. સજ્જનોની રક્ષા અને દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનર્સ્થાપના માટે હું જુદાંજુદાં યુગોમાં અવતરિત થવું છું.
આ મહાન ગ્રંથરૂપે કૃષ્ણની વાણી પર હિંદુઓનો વિશ્વાસ હોવો સ્વાભાવિક છે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે દરેક જીવ શિવનો અંશ છે, માટે દરેક મનુષ્યમાં પણ ઈશ્વરીય અંશ છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગે છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે ત્યારે મનુષ્યમાં રહેલો ઈશ્વરનો અંશ પ્રભાવી બનવો જોઈએ અને તે વ્યક્તિ જ ઈશ્વર તરીકે વર્તીને દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનર્સ્થાપના કરવાની વૃતિ પોતાનામાં અવતરિત કરીને ઈશ્વરનો પ્રાદૂર્ભાવ કરી શકે છે. પરંતુ આવું કેટલાં હિંદુ કરવા માટેની તૈયારી રાખી રહ્યાં છે? ધર્મની રક્ષા કરો, તે તમારી રક્ષા કરશે- धर्मो रक्षति रक्षितः

પરંતુ આપણામાંથી કેટલાં ધર્મની સાચા અર્થમાં રક્ષા કરી શક્યા છે? જો ધર્મની સાચા અર્થમાં રક્ષા થઈ હોત, તો તે આપણી રક્ષા કરત અને આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશનના તાયફા કરવા પડયા ન હોત. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે દરેક હિંદુ દેવી-દેવતાના હાથમાં શસ્ત્ર અને શાસ્ત્ર બને છે. શાસ્ત્ર ધર્મ સમજાવા માટે છે અને શસ્ત્ર ધર્મનો અનાદર કરનારને સમજાવા માટે છે. આ કામ દરેક દેવી-દેવતાએ ખુદ કર્યું છે. ત્યારે જ તો તે દેવી-દેવતા બન્યા છે. ત્યારે હિંદુએ વ્યક્તિ તરીકે મજબૂત બનીને સામે આવવું પડશે. પોતાની ખુદની રક્ષા માટે ખુદના સિવાય અન્ય કોઈ પર આધાર રાખવાનું બંધ કરવું પડશે. આતંકવાદીના બોમ્બ-ગોળાથી બચવા, પોતાની ગાય બચાવવા, બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવા, કાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે, સમાન નાગરીક ધારા માટે, રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે, મુસ્લિમ તુષ્ટિકરણના રાજકારણને ડામવા માટે હિંદુઓએ ખુદ કોઈ સંગઠન, નેતા કે સરકારને ભરોસે રહ્યાં વગર મેદાનમાં આવવું પડશે. કારણ કે સરકારો, નેતાઓ અને સંગઠનો તો આવશે અને જશે, પરંતુ જો હિંદુઓએ ભારતને જીવંત રાખવું હશે, તો સ્વયં પોતાના મુદ્દાઓ માટે પરિસ્થિતિ પ્રમાણેની રણનીતિથી લડવું પડશે. હિંદુઓએ પોતાની લડતમાં સાચા તાર્કિક અંત સુધી પહોંચવું પડશે. આ સાચો તાર્કિક અંત એ છે કે હિંદુઓએ ભારતને તેની ઓળખ અક્ષુણ્ણપણે પાછી આપવી. શું તમે હિંદુ ભાઈઓ અને બહેનો ભારતને તેની અક્ષુણ્ણ ઓળખ પાછી અપાવવા માટે તૈયાર છો?

Thursday, 4 August 2011

કોમવાદના બહાને હિંદુઓને ગુનેગાર ઠેરવતું શેતાની બિલ!

- આનંદ શુક્લ

કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. પહેલા સચ્ચર સમિતિના રિપોર્ટ હેઠળ ભારતમાં મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કરતાં પણ ખરાબ હોવાનું સર્ટિફિકેટ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે અપાવ્યું. ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચના અહેવાલ હેઠળ મુસ્લિમ અને અન્ય લઘુમતીઓને તેમની સ્થિતિ સુધારવા માટે શિક્ષણ અને નોકરીઓમાં 15 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી. આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાની વાત વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ભૂતકાળમાં બોલી ચુક્યા છે, તેમણે પંદર સૂત્રીય કાર્યક્રમ પણ લાગુ કરાવી દીધો છે. પરંતુ આ દેશની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની મુસ્લિમ પરસ્તી આટલેથી અટકતી નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વડપણ નીચેની નેશનલ એડવાઈઝરી કમિટી (રાષ્ટ્રીય સલાહકાર સમિતિ) નેશનલ ઔરંગઝેબ કમિટી બનીને વર્તી રહી છે. આ કમિટીએ કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવ્યો છે. આ બિલનો મુસદ્દો ઘડવામાં એ વાતની ચિવટ રાખવામાં આવી છે કે કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા-હુલ્લડો માટે માત્ર બહુમતી હિંદુઓ જ ગુનેગાર હોઈ શકે, જ્યારે મુસ્લિમ-ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ પીડિત જ હોઈ શકે. કોંગ્રેસની મુસ્લિમ પરસ્ત રાજનીતિની ધાર વધુ તીખી કરનારા આ બિલને બનાવવામાં જે લોકોની સમિતિ હતી, તે ઘોર હિંદુ વિરોધી, નેહરુ-ગાંધી પરિવારના ભક્તો અને ઢોંગી સેક્યુલારિસ્ટોની લોબી છે. એનએસીની કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવનારી સમિતિમાં હર્ષ મંડર, ફરહ નકવી, ગોપાલ સુબ્રમણ્યમ, માજા દારુવાલા, નજમ બાજિરી, પી. આઈ. જોસ, તીસ્તા સીતલવાડ, ઉષા રાનાથન અને વૃંદા ગ્રોવરનો સમાવેશ થાય છે.

દેશના પંથનિરપેક્ષ હિંદુઓ પર જનોઈવઢ ઘા કરનારા આ બિલને કાયદાના નિષ્ણાતો ટાડા કરતાં પણ વધારે ખતરનાક ગણાવી રહ્યાં છે. તેમના મતે આ બિલથી દેશના પંથનિરપેક્ષ તાણાં-વાણા અને સંઘીય માળખાને ગંભીર જોખમ છે. આ કાયદાનો મુસદ્દો વાંચ્યા બાદ કોઈને પણ એવું લાગે કે સોનિયા ગાંધીના વડપણવાળી એનએસી પોતાના શેતાની બિલ દ્વારા દેશના કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરવાનું બંધારણ વિરોધી ષડયંત્ર કરી ચુક્યા છે. આ બિલ કેન્દ્ર સરકારને રાજ્યોના મામલાઓમાં હસ્તક્ષેપના નવા-નવા બહાના ઉપલબ્ધ કરવાનો કારસો છે.

ભારતમાં કોમી રમખાણો માત્ર હિંદુઓ કરે છે અને મુસ્લિમો-ખ્રિસ્તીઓનો કોઈપણ વાંક ન હોવાની થિયરી પર બિલનું ઘડતર થયું છે. આ દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર ગણાવાની વાત સોનિયા એન્ડ કંપનીએ ઘડેલા બિલમાં કરવામાં આવી છે. આ બિલની જોગવાઈ પ્રમાણે, કોમવાદી હિંસા અને કોમવાદી દુર્ભાવના માટે માત્ર હિંદુઓ પર જ કેસ ચાલશે, માત્ર હિંદુઓને જ દોષિત માનવામાં આવશે અને સજા માત્ર હિંદુઓને જ મળશે. જાણે કે હિંદુ હોવું આ દેશમાં મોટો ગુનો હોય! મુસદ્દામાં સૌથી મોટી શરારત સમૂહ શબ્દની પરિભાષામાં કરવામાં આવી છે. સમૂહનો અર્થ ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિથી છે. આ હિંદુ વિરોધી શરારતથી મોટાભાગના રાજ્યોમાં બહુમતીમાં રહેલા હિંદુઓ સમૂહની મર્યાદામાં આવશે નહીં. હિંદુઓ કોમવાદી હિંસા નિવારક કાયદા હેઠળ કોઈ સંરક્ષણ મેળવી શકશે નહીં, પછી તેઓ ભલે મુસ્લિમ કે ખ્રિસ્તી કોમવાદ, ઘૃણા અને હિંસાનો શિકાર હોય.

ઉદાહરણ તરીકે જો ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને બાળી નાખવાની ઘટના વખતે આ કાયદો હોત, તો ગોધરાકાંડની ઘટના માટે હિંદુઓની હત્યા બદલ ફરીયાદ થઈ શકી ન હોત. પરંતુ ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોની ઘટનામાં સાંપ્રદાયિક હિંસા નિવારક બિલની જોગવાઈઓનો ઉપયોગ કરી શકાત. બોલો છે ને, કોંગ્રેસી ન્યાય? તમે વિચારો કે પીડિતો વચ્ચે ધર્મ-જાતિ-ભાષા-વર્ગના આધારે ભેદભાવ કરવો કેટલો વ્યાજબી છે? આ બિલ કોમવાદી હિંસાના શિકાર હિંદુઓને બીજા દરજ્જાના નાગરીક તરીકે જોવાની તંત્રને ફરજ પાડશે.

પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે, પીડિતની વ્યાખ્યામાં લઘુમતી એટલે કે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના સભ્ય તરીકે કરવામાં આવી છે. પીડિત મુસ્લિમ કે ખ્રિસ્તી એટલે કોમવાદી હિંસામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદામાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારીનો પણ સમાવેશ થઈ જાય છે. લઘુમતી સમુદાયનો વ્યક્તિ હિંદુ પર મનોવૈજ્ઞાનિક નુકસાનનો ખોટો આરોપ લગાવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ બિલ કાયદો બને, તો કોઈપણ ગુમનામ મુસ્લિમ અથવા અન્ય લઘુમતી ફરીયાદકર્તા કોમવાદી ઘૃણા ભડકાવવા માટે કોઈ હિંદુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી શકે છે અને પોલીસ આને એક બિનજામીનપાત્ર ગુનો ગણીને ફરીયાદીની ઓળખ જાહેર કર્યા વગર આરોપી હિંદુની ધરપકડ કરશે અને આરોપી તરીકે પકડાયેલા હિંદુને ત્યાં સુધી દોષિત માની લેવાશે કે જ્યાં સુધી તે પોતાની જાતને નિર્દોષ સાબિત ન કરે. આ એક ગેરબંધારણીય બાબત છે. કારણકે ભારતમાં પ્રવર્તી રહેલા મોટાભાગના કાયદામાં આરોપીને દોષિત સાબિત કરવાની જવાબદારી ફરીયાદીના સિરે રહેલી છે. આવા મામલાઓને એસસી અને એસટી સામેની એટ્રોસિટીને સમાંતર ચલાવવામાં આવશે.

આ વાત આટલેથી અટકતી નથી હિંદુઓને અસભ્ય મૂર્તિપૂજકો અને કાફિર કહેનારા ખ્રિસ્તી-મુસ્લિમો હિંદુ દેવી-દેવતાના અપમાન કરશે, તો પણ તેમને ભારતીય બંધારણ દ્વારા હંમેશા નિર્દોષ ગણાવાશે. હિંદુ દેવી-દેવતા અને ભારતમાતાને નગ્ન ચિતરનારા ચિતારા મકબૂલ ફિદા હુસેનનો કિસ્સો હજીપણ લોકોની સામે છે. મકબૂલ ફિદા હુસેનનું ભલે અવસાન થયું, પણ આ કાયદાથી નવા મકબૂલ ફિદા હુસેનો ફૂટી નીકળે તો નવાઈ પામવા જેવું નથી. આ સિવાય હુલ્લડો દરમિયાન હિંદુ મહિલાઓ પર બળાત્કાર કે જાતિય અત્યાચારની ઘટના બનશે, તો તેના માટે હિંદુઓ આ બિલની જોગવાઈ પ્રમાણે ફરીયાદ નોંધાવી શકશે નહીં. જાતિય શોષણ અને જાતિય ગુનાના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમો હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકશે. હિંદુઓને બિલની જોગવાઈ પ્રમાણે તથાકથિત ગુના માટે બે વખત અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરાશે.

આ બિલ પોલીસ અને સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ આતંકવાદીઓ અને આઈએસઆઈની જેમ વર્તશે. મુસ્લિમો-ખ્રિસ્તીઓ વિરુદ્ધ હુલ્લડો દરમિયાન સુરક્ષાદળો પ્રભાવી ઢંગથી કામ કરી સ્થિતિ પર નિયંત્રણ નહીં કરે તો તેમની વિરુદ્ધ મુખ્ય આપરાધિક કલમો પ્રમાણે કેસ ચાલશે. આ બિલ મુસ્લિમ-ખ્રિસ્તી તરફી સ્પષ્ટ ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્યના સંબંધો પર નકારાત્મક અસર ઉભી કરનારું છે. કોમી હિંસાને આંતરીક ઉપદ્રવ ગણીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને બરખાસ્ત કરીને જે-તે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી શકે તેવી પણ જોગવાઈ છે. એટલે કે કેન્દ્રમાં સત્તા પર રહેલી પાર્ટીને કોઈ રાજ્યની સરકારને ગબડાવી હશે, તો ત્યાં કોમી રમખાણો કરાવીને તેઓ તેમ કરી શકશે! (ભારતના રાજકારણની હાલની નીચતાને કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ પણ શકે છે.) જો બહુમતીનું સરઘસ લઘુમતી વિસ્તારમાંથી કાઢવામાં આવે અને મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતી એમ કહે છે કે તેમને આ સરઘસથી મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને સરકાર વળતર આપશે. બિલ પ્રમાણે આવી ઘટનાઓમાં આરોપી બહુમતી હિંદુ જ હશે અને આવા આરોપી વ્યક્તિઓની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી નિર્દોષ છૂટી ન જાય.

આ સિવાય સત્તાના બીજા કેન્દ્ર જેવી વિશિષ્ટ અધિકારવાળી એક રાષ્ટ્રીય સમિતિ કે પંચની પણ બિલમાં વકીલાત કરવામાં આવી છે. બિલ પ્રમાણે, કોમી સૌહાર્દ, ન્યાય અને ક્ષતિપૂર્તિ માટે એક સાત સભ્યોની રાષ્ટ્રીય સમિતિ હશે. આ સમિતિના સાત સભ્યોમાંથી ચાર સભ્યો મુસ્લિમ-ખ્રિસ્તી અથવા અન્ય લઘુમતી સમુદાયાના હશે. આવી સમિતિઓ રાજ્ય સ્તરે પણ રચવામાં આવશે. સરકારે આ સમિતિને પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ સમિતિને કોઈ ફરીયાદની તપાસ કરવા, કોઈ ઈમારતમાં ઘુસવાની, છાપો મારવાની અને તપાસ કરવાના વિશિષ્ટ અધિકારો આપવામાં આવશે. આ સમિતિ કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ જારી કરી શકશે. આ સમિતિની નિમણૂક માટે વડાપ્રધાન, ગૃહમંત્રી, સંસદના બંને ગૃહોના વિપક્ષના નેતાઓ અને પ્રત્યેક રાજકીય પક્ષના એક નેતાનું કોલેજિયમ બનાવવામાં આવશે. રાજ્યોના સ્તરે પણ આવી વ્યવસ્થા હશે.

આ સિવાય સીઆરપીસીની કલમ-161 નીચે નિવેદન નોંધવામાં આવશે નહીં. પીડિતના નિવેદન માત્ર કલમ-164 હેઠળ એટલે કે કોર્ટની સામે લેવાશે. આ જોગવાઈ હેઠળ સરકારને સંદેશાઓ અને ટેલિકોમ્યુનિકેશન બાધિક કરવા અને રોકવાનો અધિકાર હશે. બિલના ઉપબંધ-67 પ્રમાણે, લોકસેવક વિરુદ્ધ મામલો ચલાવવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી. ફરીયાદકર્તા પીડિતના હિતમાં કામ કરવામાં આવશે, પીડિતનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. કેસની પ્રગતિનો રિપોર્ટ પોલીસ ફરીયાદકર્તાને જણાવશે.

જો કે આ ડ્રેકોનિયન લો વિશિષ્ટ દરજ્જો પામેલા મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ત્યાંની વિધાનસભાની સંમતિ બાદ જ લાગુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 1989માં અલગતાવાદે આતંકવાદના સ્વરૂપે માથું ઉંચક્યું અને સેંકડો હિંદુઓની કતલ કરીને ત્રણ લાખ જેટલાં કાશ્મીર ખીણમાં રહેતા હિંદુઓને તેમના આઝાદ દેશ ભારતમાં નિરાશ્રિત બનાવી દેવામાં આવ્યા છે. આ કામ ઈસ્લામિક જેહાદના રંગે રંગાયેલા મુસ્લિમ આતંકવાદીઓએ કર્યું છે. આજે પણ કાશ્મીરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાદળોએ ઘણી મહેનત કરવી પડે છે. અલગતાવાદ અને આતંકવાદની સ્થિતિ જેમની તેમ છે. ત્યારે જો કોમવાદી હિંસા નિવારક કાયદો જમ્મુ-કાશ્મીરમાં જ લાગુ ન થાય, તો તેનો અર્થ શો રહેવાનો?

વળી આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ પીડિતો અને દોષિતોને બરાબરીથી જોતું નથી. ત્યારે સરકારે આ બિલની સાથે કેટલાંક આંકડાઓ પણ જાહેર કરવા જોઈએ. દેશમાં આઝાદી પહેલા અને આઝાદી બાદ ક્યાં સ્થાનો પર કોમી હિંસા થઈ? થયેલી આ કોમી હિંસામાં કોને સૌથી વધારે ભોગવવું પડયું? આ કોમી રમખાણોમાં મરનાર હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ કોમી રમખાણો થવાના કારણ અથવા કારણો ક્યાં હતા? પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ આંકડાઓથી જ ખબર પડી શકે કે દેશમાં કોમી રમખાણો માટે માત્ર હિંદુ જ જવાબદાર છે કે મુસ્લિમ-ખ્રિસ્તીઓ પણ જવાબદાર હોય છે?
ભારતમાં જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપમાં મુસ્લિમ, પંજાબમાં શીખ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. ત્યારે આ રાજ્યોમાં કોમી હિંસાની ઘટનામાં સરકાર ક્યાં પ્રકારનું વલણ લેશે? આ સિવાયચ મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં કોઈ ધર્મના લોકોની સંખ્યા પચાસ ટકાથી ઉપર નથી અને કોઈને સ્પષ્ટ બહુમતી નથી. આ બંને રાજ્યોમાં કોમવાદી હિંસા વિરોધી કાયદાનો અમલ સરકાર કોને દોષિત ગણીને કરશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે?

આ બિલ કોંગ્રેસ દ્વારા હિંદુ-મુસ્લિમો વચ્ચે દુશ્મની પેદા કરીને ગલીએ ગલીએ દેશભરમાં રમખાણો કરીને પોતાની વોટબેંક મજબૂત કરવાની સાજિશ છે. શું આ કોમવાદી હિંસા નિવારક બિલથી દેશમાં કોમી સદભાવનાને ખરેખર પ્રોત્સાહન મળશે? ભારતમાં હિંદુઓ લઘુમતીમાં હોય તેવા શહેર અને જિલ્લાઓ ઘણાં છે. તો ત્યાં કોમવાદી હિંસા અને હુલ્લડો માટે કોને દોષિત ઠેરવવામાં આવશે? એક મુસ્લિમ બહુલ અને એક હિંદુ બહુલ શહેર વચ્ચે હુલ્લડો ફાટી નીકળે, તો પછી પોલીસ શું કરશે? આવી પરિસ્થિતિઓમાં પણ પોલીસ માત્ર હિંદુઓની ધરપકડ કરશે, કારણ કે ભારતીય કાયદામાં આ ઉલ્લેખિત છે? શું આ બિલ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને દેશમાં હિંદુઓ પર હુમલા કરવાની પરવાનગી આપી દેશે?

Thursday, 21 July 2011

પંથનિરપેક્ષ માળખા પર પ્રહાર



એ. સૂર્યપ્રકાશ 

લઘુમતી તુષ્ટિકરણના પોતાના એજન્ડા પર પ્રતિબદ્ધ યુપીએ સરકાર એક એવો કાયદો બનાવવા જઈ રહી છે, જે કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરી શકે છે, બંધારણની સંઘીય વિશેષતાઓને કમજોર કરી શકે છે અને કેન્દ્ર સરકારને રાજ્યોના શાસનમાં હસ્તક્ષેપ કરવાના નવા બહાના ઉપલબ્ધ કરાવી શકે છે. પ્રસ્તાવિત બિલને સાંપ્રદાયિક અને લક્ષિત હિંસા રોકથામ બિલ નામ આપવામાં આવ્યું છે અને તેનો જે ઉદેશ્ય બતાવાય રહ્યો છે તે કોમી સંઘર્ષની ઘટનાઓ પર અંકુશ લાગવવો, પરંતુ તેનું નિર્માણ એ પૂર્વગ્રહો સાથે કરવામાં આવ્યું છે કે તમામ સ્થિતિઓમાં ધાર્મિક બહુમતી જ લઘુમતી સમૂહ પર ઝુલમ કરે છે. માટે બહુમતી સમાજના સભ્યો દોષિત છે અને લઘુમતી સમુદાયના લોકો પીડિત. આ ધારણા  આ કાયદાનો આધાર છે, માટે એ સ્વાભાવિક છે કે પ્રસ્તાવિત કાયદો 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર માને છે અને મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય ધાર્મિક લઘુમતીઓને પીડિત સ્વરૂપે જોવે છે. 

આ કાયદાનો મુસદ્દો એ રાષ્ટ્રીય સલાહકાર પરિષદે તૈયાર કર્યો છે જે છદ્મ સેક્યુલારિસ્ટો, હિંદુ વિરોધીઓ અને નહેરુ-ગાંધી પરિવારના સમર્થકોનો એક સમૂહ છે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેના અધ્યક્ષ છે. આ પરિષદને કેન્દ્રની એક એવી સરકાર પાસેથી બરાબર મહત્વ મળી રહ્યું છે, જેનું નેતૃત્વ પહેલીવાર લઘુમતી સમાજના એક સભ્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસ્તાવિત કાયદામાં એવી જોગવાઈ છે કે તે કોમી સૌહાર્દને પ્રોત્સાહન આપવાનું તો દૂર, હિંદુઓની વચ્ચે પંથનિરપેક્ષતાની પ્રતિબદ્ધતાને જ કમજોર કરી શકે છે. 

બિલના મુસદ્દા પ્રમાણે, જો કોઈ સમૂહની સદસ્યતાને કારણે જાણીજોઈને કોઈ વ્યક્તિ વિરુદ્ધ આવું કૃત્ય કરવામાં આવે જે રાષ્ટ્રના સેક્યુલર તાણા-વાણાને નષ્ટ કરનાર હોય. સૌથી મોટી શરારત શબ્દ સમૂહની પરિભાષામાં કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમૂહનું તાત્પર્ય ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અથવા જનજાતિથી છે. તેનો અર્થ છે કે હિંદુ, જે આજે મોટાભાગના રાજ્યોમાં બહુમતી છે, આ કાયદા હેઠળ સમૂહની મર્યાદામાં આવશે નહીં. માટે તેમને આ કાયદા હેઠળ સંરક્ષણ મળી શકશે નહીં, પછી ભલે તેઓ મુસ્લિમ અથવા ખ્રિસ્તી કોમવાદ, ધૃણા અથવા હિંસાના શિકાર હોય. અનેક વિશ્લેષકોએ કહ્યું પણ છે કે તેનો અર્થ છે કે જો 2002માં આ કાયદો લાગુ હોત તો જે 59 હિંદુઓને ગુજરાતના ગોધરા સ્ટેશનમાં સાબરમતી ટ્રેનમાં બાળીને મારી નાખવામાં આવ્યા તેમની હત્યા સંદર્ભે એફઆઈઆર દાખલ કરી શકાઈ ન હોત. કારણ કે આ કાયદા હેઠળ ગુજરાતમાં હિંદુ બહુમતી છે, પરંતુ મુસ્લિમ ગોધરા બાદના હુલ્લડો માટે આ કાયદાની જોગવાઈનો ઉપયોગ કરી શકત. તેનો સીધો અર્થ છે કે કોમવાદી હિંસાનો શિકાર થનારા હિંદુઓને બીજા દરજ્જાના નાગરીકના રૂપમમાં જોવામાં આવશે અને આ મહદ અંશે પાકિસ્તાન જેવા ઈસ્લામિક રાજ્યમાં લાગુ હિંદુ વિરોધી કાયદાની જેમ છે. 

પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે એક પીડિતની વ્યાખ્યા લઘુમતી સમુદાયના સભ્યના રૂપમાં કરવામાં આવી છે, જેને કોમવાદી હિંસાની ઘટનામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદમાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારી પણ સામેલ છે. આ વ્યાખ્યાના આધારે દેશના કોઈ ભાગમાં કોઈ મુસ્લિમ અથવા ખ્રિસ્તીનો જો કોઈ સામાન્ય મુદ્દા પર પોતાના હિંદુ પડોશી સાથે વિવાદ થશે તો તે આ કાયદાનો ઉપયોગ કરીને પોતાના પડોશી પર એ આરોપ લગાવી શકે છે કે તેણે તેને મનોવૈજ્ઞાનિક નુકસાન પહોંચાડયું છે. જો તે કોઈ કારણે આવું ન કરે તો તેના સંબંધી આવું કરી શકે છે. 

આ સમગ્ર કવાયતનો જે પાયાનો હેતુ નજરે પડે છે, તે છે હિંદુઓને નિશાન બનાવવા. બિલ કહે છે કે તેને આખા ભારતમાં લાગુ કરવામાં આવશે, પરંતુ જ્યારે દેશના એકમાત્ર મુસ્લિમ બહુલ રાજ્ય જમ્મુ-કાશ્મીરની વાત આવે છે, તો તેમાં કહેવામાં આવ્યું છે  કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર રાજ્યની સંમતિથી તેને ત્યાં લાગુ કરી શકે છે. 

જો કે આ બિલમાં આ પ્રકારે આખરી ઓપ આપવામાં આવ્યો છે કે હિંદુ સમુદાયે તેની વિચિત્ર જોગાવાઈઓનો માર સહન કરવો પડે, પરંતુ મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખોને પણ પરેશાની સહન કરવી પડે તેમ છે, કારણ કે બહુમતી-લઘુમતીના નિર્ધારણ માટે રાજ્ય જ એકમ છે. 2001ની વસ્તીગણતરીના આંકડા પ્રમાણે, શીખ પંજાબમાં 59.9 ટકા છે, જ્યારે હિંદુઓની વસ્તી 36.9 ટકા છે. જો આ કાયદો લાગુ થઈ જાય છે તો બહુમતી શીખ સમાજને હિંદુઓની ફરીયાદ પર પરેશાનીનો સામનો કરવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. તેવી જ રીતે ખ્રિસ્તીઓ નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલયમાં બહુમતીમાં છે. જો આ રાજ્યોમાં હિંદુઓ આ કાયદાનો મનફાવે તેવો ઉપયોગ કરે તો ખ્રિસ્તી સમુદાયને મુસીબતો ઉઠાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. માટે મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ સમુદાયએ કોંગ્રેસ પાર્ટીના આ દાવાઓ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ કે આ બિલ પંથનિરપેક્ષતાને મજબૂત કરશે, કારણ કે આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ દોષિતોને બરાબરીથી જોતું નથી. 

પ્રત્યેક રાજ્યમાં બહુમતી અને લઘુમતીના નિર્ધારણમાં એક અન્ય વિસંગતિ પણ છે. મણિપુરમાં હિંદુઓ 46 ટકા છે અને અરુણાચલ પ્રદેશમાં 34.60 ટકા છે. જો કે આ રાજ્યોમાં કોઈ ધાર્મિક સમૂહ પાસે સ્પષ્ટ બહુમતી નથી, માટે કોને પીડિત માનવામાં આવે અને કોને દોષિત? તેનાથી વધારે જો અનુસૂચિત જાતિ અને જનજાતિને હિંદુ સમાજથી અલગ કરી દેવામાં આવે તો આ રાજ્યોમાં હિંદુ વસ્તીની ટકાવારી શું હશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે? એ કહેવામાં સંકોચ ન હોવો જોઈએ કે જે કાયદો બનાવાય રહ્યો છે, તે હકીકતમાં કોમવાદી પણ છે અને એક સમુદાય એટલે કે હિંદુઓને નિશાન બનાવનારો પણ છે. જો આ બિલના સૂત્રધારો પોતાના મનસૂબામાં સફળ રહેશે તો ભારતની એકતા અને અખંડિતા જોખમમાં પડી જશે. આવું બિલ એ વ્યક્તિ ન બનાવી શકે કે જે લોકતાંત્રિક અને પંથનિરપેક્ષ ભારતને પ્રેમ કરે છે. આપણે તેની તપાસ કરવી જોઈએ કે બિલનો મૂળ મુસદ્દો ક્યાંથી આવ્યો છે?
 સૌજન્ય-દૈનિક જાગરણ