Showing posts with label china. Show all posts
Showing posts with label china. Show all posts

Thursday, 7 July 2011

સંરક્ષણ નીતિ પર પુનર્વિચારનો વખત



ડૉ. હર્ષ વી. પંત, સૌજન્ય- પ્રભાત ખબર

ભારત સરકારે ગંભીરતાથી ભાળ મેળવવી જોઈએ કે તેની સેનાની અત્યારની અને ભવિષ્યની વાસ્તવિક જરૂરતો શું છે અને તેને અનુરૂપ ઘરેલુ સંરક્ષણ અને નિર્માણ ઉદ્યોગનું પુનર્ગઠન કરવું જોઈએ, નહીંતર વૈશ્વિક શક્તિ તરીકે ઉભરવાનું સપનું ક્યારેય પૂર્ણ નહીં થાય.

આઝાદીના છ દશક બાદ આજે ભારતની સંરક્ષણ નીતિ એક ચાર રસ્તે ઉભી છે. ઘણાં લોકોના એ મત બાદ કે દેશની સંરક્ષણ નીતિ સમક્ષ પડકારો ચારે તરફથી વધી રહ્યાં છે, કેન્દ્ર સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ ટાસ્ક ફોર્સ રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની સમક્ષ હાજર પડકારોની સમગ્ર સમીક્ષા કરશે. તેના અધ્યક્ષ ભૂતપૂર્વ કેબિનેટ સચિવ નરેશ ચંદ્રા છે, જે સંરક્ષણ સચિવ અને અમેરિકામાં ભારતના રાજદૂત પણ રહી ચુક્યા છે. 

એક દશક પહેલા 1999માં ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કારગીલ રિવ્યૂ કમિટીએ કંઈક આવું જ આકલન કર્યું હતું. ટાસ્ક ફોર્સ રચવાનું સરકારનું પગલું સ્વાગત યોગ્ય છે, પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે આ પહેલા રચાયેલી ઘણી ટાસ્ક ફોર્સની ભલામણો સરકાર નજરઅંદાજ કરતી રહી છે, જેનાથી આપણી સંરક્ષણ નીતિ સમક્ષ પડકારો સતત યથાવત છે. 

સૈન્ય ઉપકરણો પર ખર્ચ પ્રત્યે ભારતની ઉદારતા પશ્ચિમી દેશોને આકર્ષિત કરી રહી છે, જેનાથી વૈશ્વિક સંરક્ષણ બજારનો વિસ્તાર થઈ રહ્યો છે. પરંતુ આ વિરોધાભાસ જ છે કે એક તરફ દેશનું રાજકીય નેતૃત્વ ઉત્સાહની સાથે સૈન્ય શક્તિ વધારવાની વાત કરે છે, બીજી તરફ સંરક્ષણ ક્ષેત્રના પડકારો ગંભીર બન્યા છે. ભારતમાં જ્યારે પણ સંરક્ષણ સંબંધિત આકાંક્ષાઓની વાત થાય છે અથવા તેના માટે ખજાનાનું મોઢું ખોલવામાં આવે છે, ત્યારે બધાંની નજર તેના પર ચોંટી જાય છે. 

ભારતીય વાયુસેનાને બહુઆયામી એરક્રાફ્ટ વેચવા માટે સંરક્ષણ ક્ષેત્રે દુનિયાના મોટા ખેલાડીઓ વચ્ચે હોડ મચી જાય છે. ગત પાંચ વર્ષોથી ભારત હથિયારોનું દુનિયાનું બીજું સૌથી મોટું ખરીદાર છે.
હથિયારોની વૈશ્વિક નિકાસમાંથી સાત ટકાની આયાત ભારત જ કરે છે. ચોથી સૌથી શક્તિશાળી સેના અને સૌથી મોંઘા સંરક્ષણ બજેટવાળા દેશમાં સામેલ ભારતે આગામી એક દશકમાં પોતાની સેનાની રક્ષા પંક્તિના આધુનિકીકરણ માટે કમર કસી લીધી છે અને હાઈટેક સંરક્ષણ ટેકનીક પર અબજો ડૉલરનો ખર્ચ કરાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા કેપીએમજીના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, ભારત સંરક્ષણ ખરીદી પર એક દશકમાં 100 અબજ ડોલરનો ખર્ચ કરી શકે છે. સંરક્ષણ ઉપકરણો પર ખર્ચની આ ઉદારતા પશ્ચિમી દેશોના સંરક્ષણ ઉદ્યોગની સાથે સાથે ત્યાંની સરકારોને પણ લલચાવે છે. 

એરચીફ માર્શલ પી. વી. નાયકે થોડા સમય પહેલા સ્પષ્ટ કહ્યુ હતુ કે ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાય રહેલા લગભગ અડધા ઉપકરણો યા તો જૂના થઈ ગયા છે અથવા થવાના છે. જો કે તેમણે દેશને આશ્વસ્ત કર્યો હતો કે વાયુસેના સીમાઓની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે, પરંતુ એ પણ સ્પષ્ટ કહેવાનું હતું કે વાયુસેનાના મોટાભાગના ઉપકરણ સંચાલનની સારી સ્થિતિમાં નથી. તેવા સમયે જ્યારે દેશનું રાજકીય નેતૃત્વ ભારતને સૈન્ય શક્તિના રૂપમાં ઉભરવાની વાત કરી રહ્યું છે, સૈન્ય નેતૃત્વ તરફથી આવા નિવેદન સંરક્ષણ નીતિ સંદર્ભે ગંભીર ચિંતાઓને વધારી દે છે. આવા સમયમાં, જ્યારે એશિયામાં ક્ષેત્રીય સુરક્ષાનું વાતાવરણ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ભારત સરકારે આ ચિંતાઓને પ્રાથમિકતાના આધારે ઉકેલવી જોઈએ. 

ભારતનો સુરક્ષા માહોલ ઝડપથી બગડી રહ્યો છે, કારણ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરીથી સત્તામાં પાછા ફરે તેવી સંભાવનાઓ છે. પાકિસ્તાનમાં સત્તા પર સેનાની પકડ મજબૂત થતી રહી છે. ચીન પોતાના ક્ષેત્રીય હિતો પ્રત્યે પહેલાથી વધારે આક્રમક છે. પાકિસ્તાન અને ચીનનો સૈન્ય સહયોગ વધી રહ્યો છે. કાશ્મીરમાં આતંકવાદ અને ઘણાં રા્જ્યોમાં વધતી નક્સલ હિંસાને કારણે આંતરીક સુરક્ષાના જોખમોથો પહેલેથી જ યથાવત છે.

જો કે જીડીપીની ટકાવારીમાં જોઈએ તો વાર્ષિક સંરક્ષણ ખર્ચ 1962 બાદ સૌથી નીચલા સ્તર પર છે. એટલું જ નહીં, સંરક્ષણ મંત્રાલય ગત ઘણાં વર્ષોથી સંરક્ષણ માટે બજેટમાં ફાળવાયેલી ધનરાશિ ખર્ચ કરી શકતું નથી. સંરક્ષણ અધિગ્રહણની પ્રક્રિયા ભ્રષ્ટાચાર અને નોકરશાહીમાં ફસાયેલી છે. 80ના દશકથી સંરક્ષણ સોદાઓમાં ઘણાં ગોટાળા ઉજાગર થઈ ચુક્યા છે. તેવામાં નોકરશાહી જોખમ લેવાથી બચી રહી છે, જેના કારણે ખરીદ પ્રક્રિયા ધીમી થઈ છે. મોટાભાગના સંરક્ષણ અધિગ્રહણ કાર્યક્રમ વિલંબિત થવાને કારણે ખર્ચ વધે છે અને તકનીક પણ જૂની થઈ જાય છે.


ખરીદીની જટિલ પ્રક્રિયાઓ અને નોકરશાહીના કારણે સંરક્ષણ દળો દ્વારા વાર્ષિક ખર્ચ માટે મંજૂર ધનરાશિનો મોટો હિસ્સો દર વર્ષે પાછો આપવામાં આવે છે. જ્યારે દેશની સેનાઓ આધુનિક હથિયારો અને અન્ય ઉપકરણોની પ્રતીક્ષા કરી રહી છે. સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ઉદ્યોગ સંરક્ષણ દળોની જરૂરિયાતો પૂરી કરવા માટે સતત અક્ષમ બની રહ્યો છે. તેવામાં એ આશ્ચર્યજનક નથી કે ભારતીય સેના માને છે કે ઉપકરણોની કમીને કારણે તે પોતાની ક્ષમતાનો અડધો ઉપયોગ કરવામાં જ સક્ષમ છે અને તેની પૂર્ણ તૈયારીઓમાં લગભગ વીસ વર્ષ લાગશે. નૌસેનાના વિશ્લેષકોનું તો ત્યાં સુધીનું માનવું છે કે ભારતીય નૌસેની ક્ષમતા ઘટી રહી છે. કારગીલ યુદ્ધ દરમિયાન સક્ષમ ઉપકરણોની કમીને કારણે યુદ્ધ લાંબુ ખેંચાયુ હતું. ત્યારે સેના પ્રમુખે સક્ષમ હથિયારોની કમીથી સૈનિકોની વધી રહેલી કુંઠાને રાખાંકીત કરી હતી. 

Monday, 4 July 2011

પૂર્વોત્તરમાં ઘેરાતું જોખમ



બલબીર પુંજ, સૌજન્ય- દૈનિક જાગરણ

તાજેતરમાં પૂર્વોત્તર પ્રાંતમાં સક્રિય પાંચ આતંકવાદી સમૂહોના એકીકરણની પ્રક્રિયા મ્યાંમારની ધરતી પર ચીની ગુપ્તચર વિભાગના સૌજન્યથી સંપન્ન થઈ. આ ઘટનાએ ફરી એકવાર ભારતને અસ્થિર અને ખંડિત કરવાના ચીની એજન્ડાને રેખાંકીત કર્યો છે. બીજી તરફ જે પ્રકારે ભારતીય સત્તા અધિષ્ઠાન ચીનના સામ્રાજ્યવાદી અને ભારત વિરોધી એજન્ડાને નજરઅંદાજ કરતા આવ્યા છે, તેનાથી 1962ના અપમાનજનક અનુભવની પુનરાવૃતિનો ખતરો વધી જાય છે.

પૂર્વોત્તર પ્રાંતમાં સક્રિય પાંચ આતંકવાદી સમૂહોના એકીકરણમાં સ્વતંત્ર પૂર્વોત્તર દેશના સર્જનના લક્ષ્યને નિર્ધારીત કરવામાં આવ્યો. નેશનાલિસ્ટ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એનએસસીએન)ના નેતા એસ. એસ. ખાપલાંગના નેતૃત્વમાં ઉલ્ફા, નેશનલ લિબરેશન ફ્રંટ ઓફ બોડોલેન્ડ, યૂનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રંટ, પીપલ્સ લિબરેશન આર્મી, પીપલ્સ લિબરેશન આર્મી ઓફ કાંગલેપાક વગેરે આતંકવાદી સંગઠનોના નેતાઓની આ બેઠકમાં સીપીઆઈના નેતાઓના સામેલ થવાની ગુપ્તચર સંસ્થાઓને ખબર છે. સ્વતંત્ર સાર્વભૌમ પૂર્વોત્તર દેશના ગઠનની પ્રેરણા પાછળ ચીનના જાસૂસી અધિકારીઓનો હાથ છે. પૂર્વોત્તરના આતંકવાદી સંગઠનો સાથે માઓવાદીનું મળવું સુરક્ષાની દ્રષ્ટિએ એક ગંભીર ખતરો છે.

પરોક્ષ રીતે ચીન ભારતને અસ્થિર કરવામાં લાગેલું છે. ભારતને હજાર ઘાવ આપીને તેને ટુકડામાં વહેંચો- તે પાકિસ્તાનો ઘોષિત એજન્ડા છે, પરંતુ આ ઘોષિત એજન્ડાને અમલી બનાવવો ચીનની અઘોષિત નીતિ છે. બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળ અને પાકિસ્તાનમાં જેહાદીઓના પ્રશિક્ષણ અને અડ્ડાઓ ઉપલબ્ધ કરાવવા પાછળ ચીનનો મોટો હાથ છે. ભારતમાં સક્રિય ઉલ્ફા, નક્સલી અને માઓવાદીઓ સાથે ઈસ્લામી અલગતાવાદીઓને તાલીમ અને નાણાંકીય મદદ ઉપલબ્ધ કરાવવામાં પાકિસ્તાન સાથે ચીનનું પણ યોગદાન છે. ભારતની બે હજાર માઈલની આંતરરાષ્ટ્રીય સીમા ચીન સાથે લાગે છે. આઝાદીથી લઈને અત્યાર સુધી આ સીમા પર વિવાદ યથાવત છે. ચીને અક્સાઈ ચીનના 38 હજાર વર્ગ કિલોમીટર ક્ષેત્ર પર જ્યાં અવૈદ્ય કબજો કરી રાખ્યો છે, ત્યાં તે અરુણાચલ પ્રદેશને ભારતનું અંગ માનતું નથી. ચીન તિબેટમાંથી નીકળનારી બ્રહ્મપુત્ર નદીના પ્રવાહને પણ વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ તિબેટમાં ચીન આધારભૂત સંરચનાનો ઝડપી વિકાસ કરી રહ્યું છે. ચીન દશકાઓથી આ દિશામાં પ્રયત્નશીલ છે, પરંતુ 2008માં તેણે પહેલીવાર દુનિયાને જણાવ્યું કે તે જાંગમૂમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ લગાવનાર છે. આ ક્ષેત્ર ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર હોવાને કારણે સંવેદનશીલ છે, પરંતુ સામરીક હિત હોવાને કારણે આ જોખમોને નજરઅંદાજ કરી ત્યાં 510 મેગાવોટ વાળા હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ સિવાય તિબેટ અને અન્ય સીમાવર્તી ક્ષેત્રોમાં ભારતની ઘેરાબંધી માટે ઘણાં અન્ય પ્રોજેક્ટ પર ચીન ઝડપથી કામ કરી રહ્યું છે. 

સેટેલાઈટથી પ્રાપ્ત તસવીરોથી ખુલાસો થયો છે કે મધ્ય ચીનના દેલિંગા અને દા કૈદામમાં ઓછામાં ઓછા એવા સાઠ લોંચિગ પેડ વિકસિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ઉત્તરી ભારતને નિશાન બનાવીને પરમાણુ મિસાઈલ છોડી શકાય છે. ચીન દ્વારા વિકસિત ડીએફ-31 મિસાઈલની મારક ક્ષમતા 11,200 કિલોમીટર છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના પોર્ટોમાં ચીને પોતાના નૌસૈનિકી અડ્ડા સ્થાપિત કરી રાખ્યા છે. પાકિસ્તાનના ગ્વાદરમાં તેનાત ચીની મિસાઈલની મારક ક્ષમતા એટલી છે કે મુંબઈ જેવા શહેર તેની રેન્જમાં છે. ચીન ન કેવળ સામરીક દ્રષ્ટિએ ભારતની ઘેરાબંધી કરી રહ્યું છે, પરંતુ તે ભારતના રાજકીય પ્રભુત્વને પણ પ્રભાવહીન કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાંમાર અને પાકિસ્તાનને ભારે નાણાંકીય મદદ આપીને ચીન તેમને પોતાની તરફ કરવાની જુગતમાં છે. 

એ અતિશયોક્તિ નથી કે ચીનની દરેક ચાલમાં આવનારા બે-ત્રણ દશકોની રણનીતિ ભરેલી છે. નેપાળમાં ચીને માઓવાદીઓના સહયોગથી એક એવો વર્ગ પોષિત કર્યો છે કે જે ઘોર ભારત વિરોધી અને ચીન પરસ્ત છે. ભારતની અર્થવ્યવસ્થાને તબાહ કરવા માટે ચીની તકનીકથી બનનારી નકલી નોટોની ખેપ પાકિસ્તાનથી નિરંતર આવતી રહે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના દવાના કારોબારને નુકસાન પહોંચાડવા માટે ચીનમાં નકલી દવાઓ બનાવાઈ રહી છે અને તેના પર મેડ ઈન ઈન્ડિયાનું લેબલ લગાવીને અન્ય દેશોમાં વેચવામાં આવી રહી છે. 

જમ્મુ-કાશ્મીર સરકારે ગત વર્ષ કેન્દ્રને મોકલેલા રિપોર્ટમાં કહ્યું છે કે ચીન ઈંચ-ઈંચ કરી ભારતીય ક્ષેત્રો પર કબજો કરી રહ્યું છે. સીમા પર મોટા પ્રમાણમાં બંકર વગેરેના નિર્માણ કાર્યો ચાલી રહ્યાં છે. લડાખ અને ઉત્તરાખંડમાં ભારતીય સીમાના વારંવાર અતિક્રમણ વસ્તુત્ 1962માં ભારતની પીઠમાં છરો ઘોંપનારી ચીનની વિસ્તારવાદી મનસાને જ રેખાંકીત કરે છે. ચીની સૈનિકો દ્વારા કરતાં ભારતીય સીમાના અતિક્રમણને વર્તમાન સત્તા અધિષ્ઠાન સામાન્ય ઘટના ગણાવે છે, જ્યારે તિબેટ અને અન્ય સીમાવર્તી ક્ષેત્રોમાં યુદ્ધસ્તર પર આધારભૂત સંરચનાઓનો વિકાસ કરીને ચીન આપણી ડેરી સુધી ચઢી આવ્યું છે.

પૂર્વોત્તરના આતંકવાદી સંગઠનો સાથે માઓવાદીઓની સાઠગાંઠ નવી વાત નથી. ડિસેમ્બર-2010માં પશ્ચિમ બંગાળ સીપીઆઈ (માઓવાદી)ના રાજ્ય સચિવ સુદીપ ચોંગદારની ઘરપકડ બાદ જ તેનો ખુલાસો થયો હતો કે પીએલએના માધ્યમથી માઓવાદીઓને મોટા પ્રમાણમાં દારૂગોલો અને હથિયાર મળી રહ્યાં છે. આ ખુલાસા બાદ કેન્દ્ર સરકાર આ અલગતાવાદી સંગઠનો પર લગમા કસવાની જગ્યાએ તેમની સાથે મૈત્રી કરવા માટેની ઉતાવળી છે. આ વાતના પુરતા પ્રમાણ છે કે અલગ-અલગ કારણોથી ભારતને અસ્થિર અને ખંડિત કરવામાં લાગેલા સંગઠન-તે ચાહે ઈસ્લામી સંગઠન હોય અથવા વિદેશી નાણાંથી પોષિત ચર્ચનો એક ભાગ અથવા સ્થાનિક કારણોથી ઉલ્ફા જેવા પૂર્વોત્તરના આતંકી સંગઠન, આ બધાંને એક કડીમાં જોડવા, તેમની વચ્ચે સારો સમન્વય કાયમ કરવા અને તેમને સૈન્ય અથવા વૈચારીક અસ્ત્ર ઉપલબ્ધ કરાવા પાછળ ચીનનો હાથ છે. ભારતને અંદરથી કમજોર અને અસ્થિર કરવું ચીનનો એજન્ડા છે. મ્યાંમારનો એ દાવો છે કે તે પોતાની જમીનો દુરુપયોગ ભારત વિરોધી પ્રવૃતિઓ માટે થવા દેશે નહીં, પરંતુ આ દાવો ખોટો સાબિત થયો છે. પશ્ચિમી દેશ લોકતંત્રના દમન માટે જ્યાં મ્માંમારના ઘોર ટીકાકાર છે, ત્યારે ચીન દરેક પગલે તેની સાથે ઉભું છે. મ્યાંમારમાં પૂર્વોત્તરના અલગતાવાદી સંગઠનોનો મિલનોત્સવ વસ્તુત્ ચીની રણનીતિનો ભાગ છે. સત્તા અધિષ્ઠાને તેને ચેતવણી તરીકે લેવું જોઈએ. પડોશી દેશો સાથે મૈત્રી કાયમ કરવાની છટપટાહટમાં ઈતિહાસના બોધપાઠ ભૂલવા જોઈએ નહીં.

(બલબીર પુંજ- લેખક રાજ્યસભાના સાંસદ છે)

Saturday, 2 July 2011

ચીને દેખાડયો વિકાસનો માર્ગ


નીતિશ કુમાર, મુખ્યમંત્રી, બિહાર

ચીનમાં ભગવાન બુદ્ધ પ્રત્યે ઘેરી આસ્થા છે. ત્યાંના લોકોએ બુદ્ધિઝમને વે ઓફ લાઈફ બનાવી લીધું છે. યુ-એન-સાંગની પશ્ચિમ એટલે કે ભારતની યાત્રાના સંસ્મણ ત્યાં ઘણાં લોકપ્રિય છે. ઘણી ધારાવાહિક પણ બની ચુકી છે. પરંતુ યુ-એન-સાંગના લાંબા સમય સુધી નાલંદામાં રહીને ભગવાન બુદ્ધના ગયામાં જ્ઞાન પ્રાપ્ત કરવાની અસર ચીનના જનજીવન પર ખાસી છે. તેનો અહેસાસ મને તાજેતરની મારી ચીન યાત્રા દરમિયાન ઘણો વધારે થયો. સ્પષ્ટ લાગ્યું કે બૌદ્ધ વિચારધારા બંને દેશોના સંબંધોને વધું નજીક લાવી શકે છે. ચીનની મારી યાત્રા અનેક અર્થોમાં બેહદ ઉપયોગી રહી. ભારત અને ચીનની પરસ્પર સમજ વધી છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધને 60 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ચીનમાં ભારત મહોત્સવ અને ભારતમાં ચીન મહોત્સવના આયોજન કરવામાં આવ્યા. બંને દેશોએ આ વર્ષને ઈયર ઓફ એક્સચેન્જ ઘોષિત કર્યું છે. વિદેશ મંત્રાલય મને બે વર્ષથી ચીન યાત્રાનું આમંત્રણ આપી રહ્યું હતું. આ વર્ષે ચીનના રાજદૂત બિહાર આવ્યા, તો તેમમે પણ ચીન આવવાનું આમંત્રણ આપ્યું.

મારી ચીન યાત્રાનો પહેલો પડાવ હતો શંઘાઈ. એક સમય હતો, જ્યારે ચીનના લોકો શંઘાઈને મુંબઈની તર્જ પર વિકસિત કરવા ચાહતા હતા, પરંતુ આજે મુંબઈ શંઘાઈથી ઘણું પાછળ છૂટી ગયું છે. શંઘાઈનો વિકાસ જોઈને હું ચકિત હતો. ત્યાં સાત લેયરના ફ્લાઈ ઓવર છે, આઠ લેનની સડકો છે. તેના પરથી પસાર થતી વખતે તમને ક્યાંય જોડાણનો અહેસાસ થતો નથી. મે દિલ્હી અને પટનાના ફ્લાઈઓવરો સાથે તેમની સમાનતાનો અનુભવ કરવા ચાહો, પરંતુ તેમ થયું નહીં. ત્યાંના ફ્લાઈઓવરોના જોઈન્ટ પર થોડો પણ જર્ક નથી. આ ચીનની નિર્માણ સંદર્ભેની શાનદાર ગુણવત્તા છે. ત્યાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવાયેલી સડકો છે અને તેને કારણે તેના પર કોઈ ભીડભાડ નથી. બધું જ સ્મૂથ છે. મુખ્ય સડકોનું શું કહેવું, અંદરની સડકો પણ તેવી જ છે. હું જાણવા ચાહું છું કે આપણે આવી સડકો અને ફ્લાઈઓવરો અથવા ઓવરબ્રિજ શા માટે બનાવી શકીએ નહીં? વધારેમાં વધારે તકનીક અને બજેટનું અંતર હોઈ શકે છે. આપણે તકનીક લાવી શકીએ, બજેટમાં સંશોધન કરી તેની ભરપાઈ કરી શકીએ. તો પછી આવું કેમ ન કરી શકીએ? હું આ સવાલ મારા એન્જિનિયરોને પુછવા માંગીશ. આ એન્જિનિયરો અને આપણા માટે પડકાર પણ છે. અમે આપણે ત્યાંના એન્જિનિયરોને ચીન મોકલીશું, જેથી તેઓ સમજી શકે કે ચીનમાં નિર્માણ કેવી રીતે થાય છે.

ચીનની સૌથી મોટી તાકાત છે, સંકલ્પ લેવાની અને તેના પર ખરા ઉતરવાની. ત્યાં મને જણાવવામાં આવ્યું કે તેમણે વસ્તીને એક અબજ 36 કરોડ કરવાનો સંકલ્પ કર્યો છે. આજે તેમની વસ્તી એક અબજ 34 કરોડ છે. પરંતુ આપણા સંકલ્પ ક્યાં છે? શું આપણે વસ્તી પર નજર રાખી રહ્યાં છીએ? મને લાગે છે કે આપણે કોઈ અન્ય બાબતમાં ચીનથી આગળ નીકળીએ કે ન નીકળીએ, પણ વસ્તીમાં ચીનથી જરૂર આગળ નીકળી જઈશુ. ચીને પોતાની ભાષામાં ગજબની પ્રગતિ કરી છે. ત્યાંના લોકો પોતાની ભાષામાં વાત કરે છે. તેમનામાં ચીની ભાષામાં વાત કરતી વખતે હીન ભાવના આવતી નથી. ત્યાંના નેતા-અધિકારી પણ પોતાની ભાષામાં વાત કરે છે. પરંતુ આપણે ખોટું હિંદી બોલીએ છીએ, તો કોઈ વાત નથી, પરંતુ અંગ્રેજી ખોટું બોલીએ, તો શરમથી લચી પડીએ છીએ. આપણી અડધી ઉંમર તો અંગ્રેજી શીખવામાં વહી જાય છે.

સામ્યવાદી ચીને કૃષિ ક્ષેત્રમાં કોર્પોરેટ સંસ્કૃતિ અપનાવી છે. ત્યાં ખેતીનું કોર્પોરેટાઈઝેશન કરી દેવામાં આવ્યું છે. ત્યાંના ખેડૂત કંપની બનાવીને ખેતી કરે છે. એક-એક કંપની પાસે ત્રણથી ચાર હજાર હેકટર જમીન છે. ચીનના ખેડૂત માત્ર પોતાની જરૂરતોની ચીજો જ ઉપજાવતા નથી, પરંતુ એ જાણકારી પણ રાખે છે કે ક્યાં દેશમાં કઈ વસ્તુની માંગ છે. તેના આધારે તેઓ પાક લે છે અને તેની નિકાસ કરે છે. માઈલો સુધી ગ્રીન હાઉસ નજરે પડે છે. શૈંગડોનના ગામમાં જ્યારે મે ખેડૂતો સાથે વાત કરી, તો તેમણે જણાવ્યું કે ક્યો પાક ક્યાં દેશમાં વેચાશે. જર્મનીમાં કઈ વસ્તુની માંગ છે, તો ક્યાં દેશમાં કઈ વસ્તુની માંગ છે. હું ત્યાંની ડુંગળી જોઈને દંગ હતો. ત્યાંના ખેડૂતો 22 પ્રકારના શાકભાજી ઉગાડે છે. આપણે ચીનની જેમ ખેતી કરી શકતા નથી. આપણે સરકારી જમીન પર પણ નિર્માણ કાર્ય કરવામાં મુશ્કેલીનો સામનો કરીએ છીએ. હું મારે ત્યાંના ખેડૂતો સાથે વાત કરીશ. બધાં માને છે કે દેશની બીજી હરિત ક્રાંતિ બિહારથી શરૂ થશે. બિહાર આજે ઈન્દ્રધનુષી હરિત ક્રાંતિના મુખ પર ઉભું છે. અમે ચાહીએ છીએ કે અમારા ખેડૂતોને બહેતર તકનીક અને સાધન મળે. અમે અમારા ખેડૂતોને ચીન મોકલીશું.

ચીન શહેરીકરણમાં પણ ઘણું આગળ નીકળી ચુક્યું છે. ત્યાં શહેરીકરણનો સરેરાશ 49-50 ટકા છે. ચીનના ગામ ઝડપથી શહેરમાં ફેરવાઈ રહ્યાં છે. ત્યાં શહેરોની સુવિધાઓ ઉપલબ્ધ કરવાયા રહી છે. ચકાચક સડકો, સડકોની બંને બાજું વૃક્ષો, બહુમાળી ઈમારતો, દૂરદૂર સુધી ફેલાયેલા ખેતરો અને ગ્રીન હાઉસ ચીનની પ્રગતિની કહાણી ખુદ કહે છે. ચીને કૃષિ અને ઉદ્યોગના વિકાસમાં બહેતર સમન્ય સ્થાપિત કર્યો છે. આપણી નવી પેઢી શંઘાઈને જોઈ રહી છે. તે જાત-પાતમાં વહેંચાવા ઈચ્છતી નથી. તે વિકાસ ચાહે છે. આપણા પૂર્વજોએ લાંબા સંઘર્ષથી આપણને આઝાદી અપાવી છે. આજે આપણે જ્યાં સુધી પહોંચ્યા છીએ, તે આઝાદીને કારણે સંભવ બન્યું છે. નવી પેઢીની કસોટીઓ પર આપણે ખરા ઉતરીશું નહીં, તો ઈતિહાસ અને નવી પેઢી આપણને માફ કરશે નહીં. આપણી વચ્ચે સારું કરવાની પ્રતિસ્પર્ધા હોય, તો સારી વાત હશે, પરંતુ વિકાસ પર સંમતિ જરૂરી છે.

મારું માનવું છે કે આપણે ભલે ભગવાન બુદ્ધને ભુલાવી જ દીધા, પરંતુ તેઓ જ આપણો ઉદ્ધાર કરશે. ચીનમાં બિહાર પ્રત્યે ઘેરી દિલચસ્પી છે. ત્યાંના લોકો બિહારને પ્રગતિ કરતું જાણીને ખુશ થઈ રહ્યાં છે. તેઓ બિહારમાં રોકાણ કરવા ચાહે છે. ચીન યાત્રા દરમિયાન હું જે વીજ પરિયોજના જોવા ગયો હતો, ત્યાંના પ્રબંધને બિહારમાં વીજળીઘર લગાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. મે કેન્દ્ર સરકારને ગયા ખાતેના એરપોર્ટનું નામ ભગવાન બુદ્ધ આંતરરાષ્ટ્રીય એરપોરટ્ કરવાનો અનુરોધ કર્યો છે. તેનાથી ભગવાન બુદ્ધમાં આસ્થા રાખનારા અન્ય દેશોના લોકોમાં સારો સંદેશ જશે.
 (સૌજન્ય- લાઈવ હિંદુસ્તાન)

Friday, 1 July 2011

અમેરિકા-ચીનની ચાલાકીઓ



રાજીવ રંજન તિવારી, સૌજન્ય- દૈનિક જાગરણ

પાકિસ્તાનમાં જ્યારે અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેન માર્યો ગયો તો અમેરિકાની નજર કેટલાંક સમય માટે પાકિસ્તાન પ્રત્યે વાંકી થઈ ગઈ. ત્યારે ચીને ઈશારા-ઈશારામાં કહી દીધું કે તે પાકિસ્તાનનો વાળ વાંકો થવા દેશે નહીં.

આ સિવાય જ્યારે કોરિયાઈ પ્રાયદ્વીપમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા આપસમાં લડી રહ્યા હતા, તો અમેરિકા દક્ષિણ કોરિયાની મદદમાં લાગેલું હતું, જ્યારે ચીન ઉત્તર કોરિયાનું કવચ બનીને બેઠું હતું. ન જાણે આવા કેટલાં ઉદાહરણ છે, જેનાથી એ પ્રતીત થાય છે કે અમેરિકા અને ચીન વચ્ચે ખૂબ જ કટુતા છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. બંનેદેશોના કૂટનીતિક સંબંધો દુનિયાને બુદ્ધુ બનાવી રહ્યાં છે.

જો ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો એ સ્પષ્ટ થઈ જાશે કે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ઘણાં મધુર રહ્યાં છે. આજે ભલે દેખાડા માટે બંને દેશો એકબીજાની વખતોવખત ટીકા કરી નાખે, પરંતુ તેમની વચ્ચેની પ્રગાઢતા કંઈક બીજી જ બાબત દર્શાવે છે.

સંદેશ એ છે કે ભારત સહીત દુનિયાના અન્ય દેશો એ ગલતફેમી કદાપિ ન પાળે કે ચીન અને અમેરિકાના પરસ્પરના સંબંધો ખરાબ છે. આ સંબંધોની ખરાબીમાંથી તેમને કોઈ લાભ મળી શકે છે.
નોબલ પુરસ્કાર વિજેતા અમેરિકી રાજનયિક અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે 1971ના પાકિસ્તાન-બાંગ્લાદેશ યુદ્ધમાં અમેરિકા ચાહતું હતું કે પાકિસ્તાનનો સાથે આપવા માટે ચીન પોતાની સેના મોકલે. તેના માટે તેણે ચીનથી પહેલ પણ કરી હતી. અમેરિકાની પેશકશ હતી કે જો પાકિસ્તાનનો સાથ આપવા માટે ચીન પર રશિયા હુમલો કરે છે, તો ચીન તરફથી અમેરિકા પણ મેદાનમાં ઉતરી જશે, જ્યારે રશિયા તે વખતે ભારતનું પ્રગાઢ મિત્ર હતું. 

ઓન ચાઈનાપુસ્તકમાં થયેલા આ ખુલાસાને પાકિસ્તાની મીડિયા અમેરિકાને પાકિસ્તાનનું જૂનું અને વફાદાર મિત્ર ગણાવવા માટે મીઠુંમરચું ભભરાવીને પ્રચારીત કરી રહ્યું છે.

પુસ્તકમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે 1971માં બાંગ્લાદેશ અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાન માટે સૈન્ય મદદ માંગવા માટે કિસિંજર ખુદ ચીનને મળ્યા હતા. તેમણે ચીનની સાથે એ વાયદો કર્યો હતો કે જો રશિયા યુદ્ધમાં આવે છે, તો ચીન અને પાકિસ્તાનની સાથે અમેરિકા પણ ઉભું રહશે.

આ પહેલો મોકો હતો, જ્યારે ચીન-રશિયા અને અમેરિકાના સંબંધો વચ્ચે યુદ્ધને લાવવાનું જોખમ ઉઠાવવામાં આવ્યું હતું. તે વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલા રિચર્ડ નિક્સનના વિરોધી હંમેશા તેમના પર પાકિસ્તાન પર ઝુકાવનો આરોપ પણ લાગવતા રહ્યાં હતા. હવે આ ખુલાસાને પાકિસ્તાની મીડિયા અમેરિકાને પાકિસ્તાનનું જૂનું મિત્ર બતાવવા માટે ઉપયોગમાં લઈ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા એ વાત પર ભાર મૂકી રહ્યું કે પાકિસ્તાની પોતાના દુશ્મન અને દોસ્ત વચ્ચે ફરક કરવાનું પણ જાણતા નથી.

પાકિસ્તાની એ પણ ભૂલી જાય છે કે તેમના દોસ્તોની પણ તેમના મુલ્કની આંતરીક રાજનીતિને કારણે કેટલીક મજબૂરીઓ છે. તે વખતે આંતરરાષ્ટ્રીય માહોલ પણ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ના લોકોના પક્ષમાં હતો. એવી પરિસ્થિતિમાં અમેરિકા અને ચીન ખુલીને પાકિસ્તાનને મદદ કરી શક્યા ન હતા. 

જો કે ક્યારેક ચીનને અમેરિકાનો દોસ્ત ગણાવનારા હેનરી કિસિંજરનો ચીન સંદર્ભેનો અભિપ્રાય બદલાઈ ગયો છે. કિસિંજર માને છે કે ચીન હાલના સમયમાં અમેરિકા સામે એક મોટો પડકાર છે. આમ તો અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ગત 40 વર્ષોથી એક જેવા જ રહ્યાં છે, પરંતુ હવે સમીકરણ બદલાઈ રહ્યાં છે. વૈશ્વિક આર્થિક મંદી બાદ ચીનમાં એવા લોકોની સંખ્યા વધી છે, જે માને છે કે હવે દુનિયામાં વિશ્વ શક્તિની ધુરી બદલાઈ ચુકી છે. ચીન હવે મોટી શક્તિ બનીને ઉભર્યુ છે અને આંતરરાષ્ટ્રીય મામલામાં ચીનની દખલમાં આ વાત દેખાવી જોઈએ. આને લોકોએ અમેરિકાની ભૂલ તરીકે જોવું જોઈએ નહીં, કારણ કે ગત બે હજાર વર્ષોમાંથી 1800 વર્ષો ચીનનો પ્રભાવ રહ્યો છે, જ્યારે ગત 40 વર્ષોથી જ અમેરિકાનો દબદબો છે.

હવે વિશ્વની પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ન તો અમેરિકા એકલપંડે વિશ્વ શક્તિ બનેલું રહી શકે છે અને ન તો પીછેહઠ કરી શકે છે. આ અમેરિકા માટે પડકારરૂપ સમય છે. 

ચીન શક્તિના રૂપમાં અમેરિકાનો મુકાબલો કરવા માટે વિશ્વમાં સૌથી પ્રબળ દાવેદાર છે અને ચીનના જટિલ ઈતિહાસના પ્રકાશમાં અમેરિકા માટે આ પડકાર વધુ મુશ્કેલ થઈ જાય છે. કિસિંજર બાદ, ચીનને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની રણનીતિ પણ સ્પષ્ટ છે. અમેરિકાની ચાહત છે કે તેઓ ચીન સાથે સમજ વધારે અને એવા સંબંધો સ્થાપિત કરે, જેમાં બંને દેશોના લોકોને લાગે કે બધું ઠીકઠાક રહ્યું છે.

એટલું જ નહીં, તત્કાલિન ચીની વડાપ્રધાન વેન જિયાબાઓએ 23 સપ્ટેમ્બર, 2008ના રોજ ન્યૂયોર્કમાં કહ્યુ હતુ કે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ વ્હાઈટ હાઉસના સ્વામી કોઈપણ બને, પરંતુ ચીન અમેરિકાના સંબંધો પહેલેથી મધુર રહ્યાં છે અને રહશે. આ ઐતિહાસિક ધારા ઉલટી વહી શકે નહીં. વેન જિયાબાઓએ પાછલા વર્ષોમાં ચીન-અમેરિકા સંબંધોના વિકાસનું સિંહાવલોકન કર્યું અને બંને દેશો વચ્ચે રાજકીય અને અર્થ-વ્યાપારના ક્ષેત્રોમાં સતત મજબૂત થયેલા સહયોગના તથ્યો અને આંકડાઓ સિવાય અનેક મૈત્રીની કહાનીઓ પણ બતાવી, જેનાથી ત્યાં હાજર લોકોમાં મિત્રતાની સ્નેહપૂર્ણ યાદો તાજી થઈ ગઈ. 

ચીન અને અમેરિકા પ્રતિસ્પર્ધી નથી. બંને સહયોગના ભાગીદાર છે અને હંમેશા મિત્ર બનેલા રહી શકે છે. આ દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે ચીન ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. તેનો અર્થ એ નથી કે તેનાથી અમેરિકાને નુકસાન પહોંચશે, પરંતુ અમેરિકા પણ ચીનના વિકાસમાંથી લાભ મેળવી શકે છે. અમેરિકા અને ચીન બંને એક સાથે વિકસિત થઈ શકે છે. 

ચીનની હાર્દિક અભિલાષા છે કે ચીન-અમેરિકા મૈત્રીપૂર્ણ સહયોગ ભિન્ન સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં બંને દેશોના મેળ-મેળાપથી સહઅસ્તિત્વ થવામાં અને સમાન વિકાસના રસ્તા પર આગળ ચાલવાનું ઉદાહરણ બનશે. વેન જિયાબાઓ કહે છે કે તેમને આના માટે ચીન-અમેરિકા સંબંધો પર પાક્કો વિશ્વાસ થયો છે, કારણ કે બંને દેશો વચ્ચે વ્યાપક સમાન હિતો અસ્તિત્વ ધરાવે છે. સહયોગના ક્ષેત્ર દ્વિપક્ષની મર્યાદાથી ઘણા વધારે વિસ્તૃત છે અને તેનો આખા વિશ્વમાં મહત્વનો પ્રભાવ પડી રહ્યો છે. માટે બંને પક્ષોની સમાનતાવાળી વાર્તા દ્વારા એકબીજા પ્રત્યેની આશંકાઓ દૂર કરવી જોઈએ, પરસ્પર વિશ્વાસ વધારવો જોઈએ. ચીન અને અમેરિકા હવે એકબીજા પાસેથી શીખી રહ્યાં છે અને એકબીજાના પ્રશંસક બની ગયા છે. 

અમેરિકી શ્રમ મંત્રી સુશ્રી એલેઈન લાન ચાઓએ કહ્યું કે ચીન-અમેરિકા સંબંધોની મજબૂતી વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે ઘણી જરૂરી છે. માટે અમેરિકાએ ચીન સાતે સંપર્ક અને સહયોગ બનાવી રાખવો જોઈએ.

જો કે તાજી પરિસ્થિતિ તો એ જ બતાવી રહી છે કે અમેરિકા અને ચીનની પાસે બતાવવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે. આજે આખી દુનિયામાં એ સંદેશ ફેલાયો છે કે ચીનની આર્થિક અને તકનીકી પ્રગતિથી અમેરિકા ખિજાઈ રહ્યું છે અને બંને દેશો વચ્ચે સંબંધો ઠીક નથી, પરંતુ તેવું નથી. જરૂરત પડે ત્યારે બંને એકસાથે ઉભા રહી શકે છે.

રસપ્રદ એ પણ છે કે ભારત વિરોધી પાકિસ્તાનની મદદ કરવાની હોડ લાગી છે. માટે ખાસકરીને ભારતને ચીન અને અમેરિકા બંનેથી સચેત રહેવાની જરૂરત છે.

ચીન ક્યારેય ભરોસાપાત્ર રહ્યું નથી



રમેશ દુબે, સૌજન્ય- દૈનિક જાગરણ

વેપારને છોડી દઈએ તો સીમા વિવાદ, અરુણાચલ પ્રદેશ, સ્ટેપલ વીઝા, કાશ્મીર વગેરેને લઈ ભારત અને ચીનના સંબંધો નાજૂક જ રહ્યાં છે. તેનું જ્વલંત ઉદાહરણ છે ચીન દ્વારા સાગ્પો નદી (બ્રહ્મપુત્ર નદીનું તિબેટીયન નામ) પર બનાવાય રહેલી જાગમૂ જળ વિદ્યુત પરિયોજના. 510 મેગાવોટની આ જળ વિદ્યુત પરિયોજનામાં 85-85 મેગાવોટના છ બંધ બનાવવામાં આવ્યા છે. આ પરિયોજના સંદર્ભે ચીનની સરકારે ભારત સાથે કોઈ નક્કર જાણકારી વહેંચી નથી.

ભારત દ્વારા ચિંતા પ્રગટ કરાયા બાદ ચીને પોતાના વલણમાં નરમાશનો સંકેત આપતાં કહ્યું છે કે સીમા પાર નદી સાથે જોડાયેલા મુદ્દા પર તે જવાબદારી સાથે પગલા ઉઠાવશે. તે પોતાના જળ સંસાધનોને વિકસિત કરવાની સાથે જ તેના પડોશી દેશો પર પડનારી અસરનો પણ ખ્યાલ રાખશે.

જાગમૂ પરિયોજનાથી ઉપજેલા તાત્કાલિક વિવાદથી હટીને જોવામાં આવે તો બંને દેશો વચ્ચે નદીઓના પાણીને લઈ વિવાદનો લાંબો ઈતિહાસ છે. વર્ષ 2000માં ભારતે ચીન પર આરોપ લગાવ્યો છે કે તે બ્રહ્મપુત્રના વહેણ સંબંધિત નવા આંકડા ઉપલબ્ધ કરાવી રહ્યું નથી, જેના કારણે ભારતીય ભૂભાગમાં પૂર અને ભારે તબાહી આવી રહી છે. 2002માં બંને દેશો વચ્ચે જળ સ્તર સંબંધિત આંકડાઓને વહેંચવા સંદર્ભે સંમતિ બની.

2003માં ચીની વૈજ્ઞાનિકોએ ચીન થઈને વહેનારી બ્રહ્મપુત્ર નદી પર વિશાળ જળ વિદ્યુત પરિયોજના શરૂ કરવાની સંભાવનાનો અભ્યાસ કર્યો. બ્રહ્મપુત્રના આ ભાગમાં 6.8 કરોડ કિલોવોટ જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા હોવાનું જાણવા મળ્યું, જે ચીનની કુલ ક્ષમતાનો 1/10 ભાગ છે. પરંતુ આ પરિયોજનાઓના અમલીકરણથી બ્રહ્મપુત્રના પ્રવાહમાં 60 ટકાનો ઘટાડો થશે, જેનો ભારત અને બાંગ્લાદેશ પર ગંભીર પ્રભાવ પડશે.

ભારતને ચારે તરફથી ઘેરવાની રણનીતિ હેઠળ ચીને પહેલા ભારતના પડોશી દેશોને આર્થિક-સૈન્ય મદદ કરીને તેમને ભારત વિરોધમાં તૈયાર કરવામાં લાગેલું છે. મ્યાંમારમાં મોટા પાયા પર વિકાસ કાર્યો કરી અને નેપાળમાં આર્થિક તથા સૈન્ય મદદ આપીને તે ભારત વિરુદ્ધ તેને ઉભા કરી રહ્યું છે.

બાંગ્લાદેશમાં ચીનની સામરીક ઘૂસણખોરી ચાલુ છે. પાકિસ્તાન સાથે તેમની નજદીકીઓ જગજાહેર છે. ચીનની પાક અધિકૃત કાશ્મીરમાં ઉપસ્થિતિ ઘણાં સવાલો ઉભા કરી રહી છે. આ ક્ષેત્રના કારાકોરમ હાઈવેનો ઉપયોગ ગુપ્ત રૂપથી પરમાણુ સામગ્રીને બીજિંગથી ઈસ્લામાબાદ મોકલવા માટે કરાઈ રહ્યો છે. ક્ષેત્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ભારતના ઘણાં સમારીક હિતો આ હાઈવે સાથે જોડાયેલા છે. 

નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર દ્વારા જમીન પર ઘેર્યા બાદ ચીન હવે ભારતને સમુદ્રી માર્ગો પર કંટક બિછાવવાનું કામ કરી રહ્યું છે. તેના પ્રમાણે તે શ્રીલંકાના હંબનટોટા પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે, તો માલદીવના સૌથી મોટા પોર્ટ મારાઓ પર એક નૌસૈનિક અડ્ડો સ્થાપિત કરી રહ્યું છે, પરંતુ ભારતના સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે સૌથી મોટું જોખમ ચીનની ભાગીદારીથી બનનારું પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ છે.

મધ્ય-પૂર્વ અને ચીન વચ્ચે મુખ્ય સમુદ્રી રસ્તા સુધી પહોંચને કારણે ગ્વાદરનું ચીન માટે ભારે રણનીતિક મહત્વ છે. દક્ષિણ એશિયાના તટીય વિસ્તારોમાં મુક્ત આવાગમન અને સૈન્ય પડકારોને નિપટવા માટે હિંદ મહાસાગર સુધી ચીનની સીધી પહોંચ બેહદ મહત્વપૂર્ણ છે. આ ચીનને એક એવી સામરીક જગ્યા ઉપલબ્ધ કરાવી દેશે, જે તેને મોટી નૌસૈનિક બઢત અપાવી શકે છે. તે ભારત માટે સીધો પડકાર છે. ગ્વાદર પોર્ટને કારણે ચીનને એનર્જી રુટ પર સ્થાપિત થવાનો મોકો મળી જશે અને તે ચીનને હિંદ મહાસાગરમાં અમેરિકા અને ભારતની નૌસૈનિક ગતિવિધિઓ પર નજર રાખવાની જગ્યા ઉપલબ્ધ કરાવી દેશે. 

ભારત-ઈરાન-પાકિસ્તાન પાઈપ લાઈન પરિયોજના હજી ફાઈલોમાં જ છે, પરંતુ ચીન-તુર્કમેનિસ્તાન ગેસ પાઈપ લાઈનના ઉદઘાટન દ્વારા ચીને ભારતથી માઈલોની સરસાઈ મેળવી લીધી છે. 1833 કિલોમીટર લાંબી આ પાઈપ લાઈનથી 2013 સુધી ચીનને 40 અબજ ઘન મીટર ગેસ મળવા લાગશે, જે તેની ઘરેલુ જરૂરિયાતોનો અડધો હિસ્સો હશે. આ પાઈપલાઈનથી ચીનની મધ્ય એશિયામાં સીધી પહોંચ બનશે. મધ્ય એશિયાની માફક ભારત પોતાના પડોશી દેશ મ્યામાર પાસેથી ગેસ લેવામાં ઉણો ઉતર્યો.

એટલું જ નહીં, આફ્રિકાથી તેલ ગેસ દોહનની સાથેસાથે ચીન જે પ્રકારે પાન એશિયન એનર્જી પર જોર આપી રહ્યું છે, ભવિષ્યમાં ભારત તેની આગળ ક્યાય ટકી શકશે નહીં.