Showing posts with label food grains. Show all posts
Showing posts with label food grains. Show all posts

Tuesday, 28 June 2011

મોંઘવારીથી 6 લાખ કરોડ રૂપિયાનું ભારણ વધ્યું


મોંઘવારીના કારણે ગત ત્રણ વર્ષ દરમિયાન ભારતીય ઘરો પર લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો બોજો અલગથી પડી રહ્યો છે.

રિસર્ચ ફર્મ ક્રિસિલના એક અભ્યાસ પ્રમાણે, મોંઘવારીનો દર 2008-09થી 2010-11 વચ્ચે 8 ટકા થઈ ગયો, જે તેના ગત ત્રણ વર્ષમાં 5 ટકા જ હતો. તેના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી અને એકસ્ટ્રા ખર્ચ 5.8 કરોડ રૂપિયા વધી ગયો.

2008થી 2011 વચ્ચે ખાદ્ય પદાર્થોની કિંમત ફેકટરીમાં તૈયાર વસ્તુઓના મુકાબલે ઘણી વધારે ઝડપથી વધી છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં તેજી શરૂઆતમાં સપ્લાઈની કમીને કારણે આવી, જેની અસર બાદમાં અન્ય વસ્તુઓ પર પણ પડી. તેમ છતાં પણ બજારમાં ખાદ્ય અને બિન-ખાદ્ય બંને પ્રકારના પદાર્થોની માંગ ઝડપથી વધી છે. તેનું કારણ એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની આવક સતત વધી છે. આવક વધવાની સાથે જ પ્રોટીન આધારીત ખાદ્ય પદાર્થો જેમ કે ઈંડા, મીટ, માછલી, દૂધ વગેરેની માંગ પણ વધી છે.

મોંઘવારીની અસર પણ બધાં પર એક જેવી પડતી નથી. ગરીબ વર્ગના લોકો ખાદ્ય પદાર્થો પર આવકનો મોટો ભાગ ખર્ચ કરે છે. મોંઘવારી દર વધારવામાં ખાદ્ય પદાર્થોનું મહત્વનું યોગદાન હોવાને કારણે ગરીબો પર મોંઘવારીની અસર વધારે પડે છે. મધ્યમ વર્ગ પોતાની આવકનો મોટો ભાગ ટીવી, ફ્રિજ જેવી વસ્તુઓ પર ખર્ચ કરે છે. કંસ્યૂમર ડ્યૂરેબલ કેટેગરીની આ વસ્તુઓના ભાવ ઘટવાનો લાભ મધ્યમ વર્ગને મળ્યો છે. પરંતુ ખાદ્ય પદાર્થોની મોંઘવારીએ આ લાભને ફિક્કો કરી દીધો છે.