Showing posts with label અફઘાનિસ્તાન. Show all posts
Showing posts with label અફઘાનિસ્તાન. Show all posts

Tuesday, 9 August 2011

કઈ દિશામાં અફઘાનિસ્તાન?


અફઘાનિસ્તાનમાં ગત ત્રણ દિવસોની અંદર નાટોના બે હેલિકોપ્ટર્સનું ધ્વસ્ત થવું માત્ર આશ્ચર્યજનક જ નથી, તેનાથી ત્યાં શાંતિ અને સ્થાયિત્વની આશાઓને પણ ઘેરો આંચકો લાગ્યો છે. જો કે તેનાથી એ કદાપિ ન માની લેવું જોઈએ કે નાટોના સૈનિકો ત્યાં સારું કામ જ કરી રહ્યાં છે. તેમના પર નિર્દોષ નાગરીકો, બાળકો અને મહિલાઓને નિશાન બનાવવાના આરોપ છે અને સ્થાનિક નાગરીક સતત આવી ઘટનાઓની વિરુદ્ધ રોષ પ્રગટ કરે છે. પરંતુ ગત શનિવારે જે યોજનાબદ્ધ રીતે નાટોના હેલિકોપ્ટરને જાળમાં ફસાવીને પાડી નાખવામાં આવ્યું, તેનાથી તાલિબાનની સતત વધતી શક્તિની જ ખબર પડે છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે હેલિકોપ્ટરોને નિશાન બનાવવાની ક્ષમતા તાલિબાનોને આખરે ક્યાંથી પ્રાપ્ત થઈ?

મહત્વપૂર્ણ છે કે શનિવારે થયેલી દુર્ઘટનામાં 30 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં આતંકવાદની વિરુદ્ધ દસ વર્ષીય અભિયાનમાં એક સાથે આટલા અમેરિકી સૈનિકો આનાથી પહેલા ક્યારેય માર્યા ગયા ન હતા. અફઘાનિસ્તાનથી વિદેશી સેનાઓની વિદાઈના તબક્કામાં તાલિબાનનું આમ મજબૂત થવું ચિંતનીય છે. ગત વર્ષે જ સાતસોથી વધારે વિદેશી સૈનિક અફઘાનિસ્તાનમાં માર્યા ગયા હતા, તો આ વર્ષે અથ્યાર સુધીમાં મરનારા સૈનિકોની સંખ્યા 390ની આસપાસ થઈ ગઈ છે, જેમાંથી 50 તો ઓગસ્ટ માસમાં જ માર્યા ગયા છે. જો કે બરાબર આ દિવસોમાં ત્યાં નિર્દોષ નાગરીકોના મોતની વધતી સંખ્યા પણ પરેશાન કરનારી છે. આ વર્ષના શરૂઆતી છ માસમાં માર્યા ગયેલા નિર્દોષોની સંખ્યા 1500ની આસપાસ છે. સ્પષ્ટ છે કે એક તરફ મજબૂત થતાં તાલિબાન જ્યાં નાટો સૈનિકોને નિશાન બનાવી રહ્યાં છે, ત્યાં તેમની જવાબી કાર્યવાહીમાં નિર્દોષ લોકો મરી રહ્યાં છે.

સવાલ એ છે કે આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની શાંત થવાની આશા કેવી રીતે કરી શકાય
? ત્યાં સ્થાયિત્વની ઘણી આશા એટલા માટે પણ નથી કે વિદેશી મદદના જોરે જે લોકોએ ક્ષેત્રીય સ્તર પર પોતાની મજબૂત પકડ બનાવી છે, તેમનું આચરણ શંકાસ્પદ છે. જૂના સમયના ગુનેગાર, અફીણના દાણચોર અને કબીલાઈ સરદાર પ્રાંતોના ગવર્નર બની બેઠા છે. આવા પ્રકારના લોકો મોટાભાગે તાલિબાનો દ્વારા માર્યા પણ જાય છે, તેવામાં સ્થિતિ ખરાબ જ થઈ જાય છે. સ્પષ્ટ છે કે અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થાયિત્વનું જે મોડલ પસંદ કરવામાં આવ્યું છે, તે તે દેશ માટે જોખમ જ પેદા કરી રહ્યું છે. વિદેશી સેનાઓના ચાલ્યા ગયા બાદ તેનો સૌથી વધારે લાભ પાકિસ્તાનને થશે. જો કે ભારત અફઘાનિસ્તાનને વિકાસના મુખ્ય પ્રવાહમાં પાછું લાવવા માટે ઈચ્છુક છે, માટે પ્રવર્તમાન સ્થિતિ તેના માટે વધારે વિચારણીય છે.

સૌજન્ય- અમર ઉજાલા

Tuesday, 19 July 2011

કોણ ભરશે અફઘાનનું શૂન્ય



વેદપ્રતાપ વૈદિક

અફઘાનિસ્તાને પોતાના પગ પર ઉભા રહેવાનું શરૂ કરી દીધું છે.

આ રવિવારે નાટો સેનાઓએ બામિયાન નામના પ્રાંતની બાગડોર અફઘાન સેનાને સોંપી દીધી છે. આ બામિયાન એ પ્રાંત છે, જ્યાં ભગવાન બુદ્ધની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમા સેંકડો વર્ષોથી ઉભી હતી અને જેને તાલિબાનોએ ધ્વસ્ત કરી દીધી હતી. બામિયાનની જેમ હવે છ અન્ય સ્થાનોનું સૈન્ય સંચાલન પણ ઝડપથી અફઘાનોના હાથમાં આવી જશે. આ છ સ્થાનો છે- કાબુલ, મજારે શરીફ, હેરાત, પંજશેર, મેહતર લાભ અને લશ્કરગાહ!

હાલ લગભગ દોઢ લાખ વિદેશી ફોજી જવાન અફઘાનિસ્તાનમાં તેનાત છે. તેમને 2014 સુધી અફઘાનિસ્તાન ખાલી કરવાનું છે. ગત દસ વર્ષોથી આ વિદેશી જવાન જ આખા અફઘાનિસ્તાનને કાબુમાં રાખેલું છે. આ તમામ જવાનો આમ તો નાટોના કમાન્ડ હેઠળ છે, પરંતુ મેદાની દ્રષ્ટિએ દરેક દેશના જવાનોની પોતપોતાની કમાન્ડ પણ છે. બામિયાનની કમાન્ડ ન્યૂઝીલેન્ડના હાથમાં હતી. નાટોની આ સેનાઓ લગભગ સ્વાયત છે. અફઘાન સરકારનું તેમના પર કોઈ નિયંત્રણ નથી. અફઘાન સેનાઓની સાથે તેમનો ઘણીવાર કોઈ તાલમેલ સુદ્ધાં હોતો નથી. 

હવે પહેલીવાર પોતાની સુરક્ષા સંબંધિત નિર્ણય અફઘાન સેના ખુદ કરશે. અત્યાર સુધી તો સ્થિતિ એ હતી કે નાટો સેનાઓ અનેક ગંભીર અભિયાન પોતાની મેળે શરૂ કરી દેતી હતી અને તેની ખબર અફઘાન રાષ્ટ્રપતિ અને સેનાપતિને અખબારોના માધ્યમથી પડતી હતી. એ તો ઠીક છે કે હવે દરેક મહત્વપૂર્ણ લશ્કરી નિર્ણય આ સૂબાઓમાં તેઓ ખુદ કરશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું અફઘાન સેના આ નિર્ણયો લાગુ કરવામાં સક્ષમ સાબિત થશે? આ વર્ષ અફઘાનિસ્તાનમાં જેટલા વિદેશી સૈનિકો માર્યા ગયા, એટલાં પહેલા ક્યારેય મર્યા નથી. હકીકતમાં અફઘાન સેનાનું મનોબળ હાલના સમયમાં ઘણું નીચે છે, જેના ઘણાં કારણો છે. 

તેમાં પહેલું તો એ છે કે ન તો તેમની પાસે યથેષ્ટ શસ્ત્રો છે અને ન તો તેમને પુરતી તાલીમ આપવામાં આવી છે. વિદેશી સૈનિકોએ અફઘાન સૈનિકો પર ક્યારેય સંપૂર્ણપણે ભરોસો કર્યો નથી. તેઓ હંમેશા એવી શંકાથી આક્રાંત રહે છે કે જો અફઘાન સૈનિકોને કિંમતી હથિયાર આપી દેવામાં આવશે, તો તેઓ તેને વેચી દેશે અથવા તેને લઈને તાલિબાન કબાઈલીયોના પક્ષમાં સામેલ થઈ જશે. જ્યાં સુધી તેમના પ્રશિક્ષણનો સવાલ છે, તો મોટાભાગના અફઘાન જવાન પશ્તો ભાષા બોલે છે અને સમજે છે. અમેરિકી સૈન્ય પ્રશિક્ષક માત્ર અંગ્રેજી બોલી શકે છે. અફઘાન જવાનોને ફારસી અને હિંદી-ઉર્દૂમાં પણ સમજાવી શકાય છે, પરંતુ એ પણ નાટો પ્રશિક્ષકોની મર્યાદાની વાત નથી. આ સિવાય ગામડાંમાં રહેનારા પઠાણોના મનમાં અમેરિકીઓ અને વિદેશીઓ પ્રત્યે સ્વાભાવિકપણે અંતર હોય છે. તેઓ તેમને ઉપનિવેશિક માલિક માને છે. કહેવાનો આશય છે કે દસ વર્ષના લાંબા સમયગાળા છતાં નાટો સેનાઓ કોઈ મજબૂત રાષ્ટ્રીય અફઘાન સેના ઉભી કરી શકી નથી. 

વિદેશી સરકારો એવી ગલતફેમીમાં જીવી રહી છે કે પોતાની સેનાઓ દ્વારા તેઓ તાલિબાનનો મૂલોચ્છેદ કરી દેશે અને અફઘાનિસ્તાન શાંતિનું સામ્રાજ્ય બની જશે. તેમાં તેમણે અબજો ડોલરો જ ગુમાવ્યા નથી, પરંતુ તેમના હજારો જવાનો પણ બેમોત માર્યા ગયા. એટલું જ નહીં, તેમના પોતાના દેશમાં તેમના વિરુદ્ધ રાજકીય માહોલ પણ ગરમ થયું છે. 

જ્યોર્જ બુશની ચૂંટણીમાં હાર અને ઓબામાની જીતમાં અફઘાનિસ્તાનની પણ સુનિશ્ચિત ભૂમિકા રહી છે. પરંતુ પશ્ચિમી રાષ્ટ્રોએ પોતાની પાછલી ભૂલોમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. તેઓ ચાહત તો ગત બે વર્ષોમાં ઓછામાં ઓછા પાંચ લાખ જવાનોની રાષ્ટ્રીય અફઘાન સેના અને પોલીસ ફોર્સ ઉભું કરી શક્યા હોત. હવે જ્યારે તેમણે પોતાની કમાન અફઘાન સેનાને સોંપવાની શરૂ કરી દીધી છે, ઘણું અનિશ્ચયનું વાતાવરણ બની ગયું છે. 

અફઘાનિસ્તાનથી પાનિયું છોડવવાની ઉતાવળમાં જો પશ્ચિમી દેશ આ પ્રકારે કમાન છોડીને ચાલ્યા ગયા તો અફઘાનિસ્તાનમાં અરાજકતા તો ફેલાશે જ, વિદેશી સેનાઓનું ત્યાંથી ભાગી નીકળવું પણ મુશ્કેલ થઈ જશે. જરા યાદ કરો, પહેલા અફઘાન-બ્રિટિશ યુદ્ધની ઘટનાઓને. અંગ્રેજોના 16 હજાર સૈનિકોએ ચાર વર્ષ સુધી કાબુલ પર પોતાનો કબજો જરૂરથી બનાવી રાખ્યો, પરંતુ તેમની વાપસી વખતે પંદર હજાર નવસો નવ્વાણુ સૈનિકોની અફઘાનોએ કતલ કરી દીધી હતી. માત્ર એક અંગ્રેજ લશ્કરી ડોક્ટર જીવ બચાવીને ભાગી શક્યો હતો. 1842માં બ્રિટિશ સામ્રાજ્યની ઈજ્જતો અફઘાનિસ્તાને ધૂળમાં મેળવી દીધી, શું હવે 2014માં અમેરિકા તે દિવસ જ જોવા માંગે છે? જો હવાઈ જહાજોના જમાનામાં પશ્ચિમી જવાન પોતાનો જીવ બચાવવામાં સફળ થઈ જશે તો પણ તેમના દેશ પોતાની ઈજ્જત બચાવવામાં સફળ નહીં થાય.
તો હવે તેમની ઈજ્જત કેવી રીતે બચે? વિદેશી સેના અફઘાનિસ્તાન જરૂર ખાલી કરે. જો તેઓ નહીં કરે તો તેમના રાષ્ટ્રોની પણ તે સ્થિતિ બની શકે છે, જે સોવિયત સંઘની થઈ હતી અફઘાનોથી લડતા-લડતા તેઓ દેવાળિયા બની જશે. જો તેઓ અફઘાનિસ્તાનથી હટી જશે તો તાલિબાનનો સૌથી મોટા આધાર ધ્વસ્ત થઈ જશે. તેમના પ્રભાવનો સૌથી મોટો આધાર એ છે કે તેઓ પોતાની માતૃભૂમિની આઝાદી માટે લડી રહ્યાં છે. તેને તેઓ વિદેશી કબજાથી મુક્ત કરાવશે. આ આધાર ધ્વસ્ત થતા જ તેઓ વાતચીતની મેજ પર પણ આવી જશે. તે જ તેમની સૌથી મોટી અડચણ છે. 

પરંતુ સવાલ એ છે કે વિદેશી સેનાઓ હટતા જ શું કાબુલની સરકાર ધરાશાયી નહીં થાય? બિલકુલ થઈ જશે. તે થોડા કલાકો પણ ટકી શકશે નહીં. તો પછી શું કરવામાં આવે? પાંચ લાખ અફઘાન જવાનોની સેના અને પોલીસ ફોર્સ ઉભી કરવાનું કામ સંપૂર્ણપણે ભારતને સોંપવામાં આવે. પશ્ચિમી રાષ્ટ્ર તમામ ખર્ચ ઉઠાવે તો ભારત આ કામ સારી રીતે કરી શકે છે. પાકિસ્તાન તેનો જરૂરથી વિરોધ કરશે. આ મામલામાં પાકિસ્તાનનો સાથ લેવાની ભરચક કોશિશ કરવામાં આવે. જો ભારત-પાકિસ્તાન સંયુક્ત કમાન બની શકે તો શું કહેવું? અને જો આ સંભવ ન હોય તો ભારતે દ્રઢતાપૂર્વક પોતાના મિશનમાં દ્રઢ રહેવું જોઈએ. પાકિસ્તાનની દરેક આડોડાઈને ઉખાડવા માટે કમર કસવી જોઈએ. આ કામ અમેરિકાની ખુલ્લી સંમતિ વગર થઈ શકે નહીં. પાકિસ્તાન જો ભારતનો રસ્તો રોકશે તો ભારતે ઈરાન-અફઘાન સીમાંત પર જરંજ-દિલારામ સડક આખરે કેમ બનાવી છે? તે ક્યારે કામ આવશે? મહાશક્તિઓના વિનમ્ર અનુયાયી બનાવાના સ્થાને ભારતે પોતાના ક્ષેત્રની રાજનીતિ પોતાના દમખમ પર ચલાવવી જોઈએ.
(સૌજન્ય- રાષ્ટ્રીય સહારા)