Showing posts with label યૂરોપ. Show all posts
Showing posts with label યૂરોપ. Show all posts

Friday, 9 September 2011

આ ઈતિહાસનો મોટો વળાંક ન હતો


- ટિમોથી ગાર્ટન એશ, બ્રિટિશ ઈતિહાસકાર

કલ્પના કરો કે આજથી 20 વર્ષ બાદ એટલે કે 11 સપ્ટેમ્બર, 2031એ જ્યારે દુનિયાના ઈતિહાસકાર આતંક વિરુદ્ધ જંગને પાછળ વળીને જોશે, તો શીત યુદ્ધના મુકાબલે શું તેને ઈતિહાસનો નિર્ણાયક વળાંક કહેશે? મને લાગે છે કે નહીં. વધારે સંભાવના એ છે કે તેઓ આને એવા તબક્કા તરીકે જોશે, જ્યારે દુનિયાની સત્તા પશ્ચિમથી નીકળીને પૂર્વના હાથમાં ચાલી ગઈ. એક વધારે શક્તિશાળી ચીન અને ઓછું શક્તિશાળી અમેરિકા સામે આવ્યું. એક મજબૂત ભારત અને કમજોર યૂરોપ બન્યું.

જેમ કે સ્ટેનફોર્ડના ઈતિહાસકાર ઈયાન મોરિસે પોતાના પુસ્તક વાયે વેસ્ટ રુલમાં લખ્યું છે કે હવે જે ભૂરાજકીય પરિવર્તન થશે, તે એક તરફ તો તકનીકની અભૂતપૂર્વ તેજીથી થઈ રહેલા આધુનિકીકરણની બૃહદ સીમાઓમાં થશે અને બીજી તરફ અભૂતપૂર્વ વૈશ્વિક પડકારોને કારણે થશે. નિસંદેહ આ વિચાર પણ ઈતિહાસની જાણકારી સાથે લગાવાયેલો એક અંદાજ જ છે. પરંતુ, જો પરિસ્થિતિ આ તરફ ગઈ, તો (અને જો ઈસ્લામી આતંકવાદથી દૂર અન્ય કોઈ રાહ પર પણ ગઈ તો પણ) આ ગત દશક અમેરિકી વિદેશ નીતિના એક પડાવ તરીકે જોવામાં આવશે, ઈતિહાસના કોઈ મુખ્ય માર્ગની જેમ નહીં.

અને જો પાછલા દિવસોમાં અરબ દેશોમાં ચાલેલા જનઆંદોલનોની હવાથી આધુનિકીકરણની આશા બંધાય છે, તો ન્યૂયોર્ક, મેડ્રિડ અને લંડનના આતંકવાદી હુમલા ભૂતકાળમાંથી ઉછળી આવેલા કેટલાંક વિસ્ફોટો લાગશે. ત્યારે આ માત્ર એક અંત દેખાશે, કોઈ શરૂઆત નહીં. અને જો અરબના આંદોલનોની આ હવા પર ઈસ્લામી આતંકવાદ હાવી થઈ ગયો, ત્યારે પણ તેનો અર્થ એ નથી કે ઈસ્લામની હિંસક અને ઉદાર વિચારધારાનો સંઘર્ષ આગામી કેટલાંક દશકોની મુખ્યધારા હશે. ઈસ્લામની હિંસક ધારા એક જોખમ બની રહેશે, પરંતુ તેને તેમ છતાં પણ નિર્ણાયક ક્ષણ કહી શકાશે નહીં.

આ મુદ્દા પર આપણે જો આમ થાત તો-વાળા અંદાજમાં પણ વિચારી શકીએ છીએ. 2001ના ઉનાળામાં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે પોતાનો જે ભૂરાજનીતિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો, તેમા નવા સામરીક પ્રતિસ્પર્ધીઓ તરીકે સમગ્ર ધ્યાન ચીન પર આપવાની વાત કહી હતી. હવે માની લો કે 11 સપ્ટેમ્બરનો આતંકવાદી હુમલો થયો ન હોત, તો અમેરિકા પોતાનું સમગ્ર ધ્યાન ચીનથી સ્પર્ધામાં જ લગાવત. શું થાત, જ્યારે તેને આ અનુભવ થાત કે જે શીત યુદ્ધના ખાત્મા અને મૂડીવાદના વૈશ્વિકરણને પોતાની જીત માની રહ્યું હતું, તેનાથી જ પેદા થયેલી પૂર્વની શક્તિને પશ્ચિમની સામે મોટો પડકાર ઉભો કરી દીધો છે? ત્યારે કદાચ અમેરિકા એવા નિષ્કર્ષ પર પહોંચત કે આ સ્પર્ધા માટે જંગી તાકાતની નહીં, પરંતુ શિક્ષણ, ઊર્જા, પર્યાવરણ અને ઈનોવેશન પર રોકાણ વધારવાની જરૂરત છે. એશિયાના ઉદય સામે તેને એ વિચારવા માટે મજબૂર થવું પડત કે અમેરિકામાં ઉપભોગ, રોકાણ અને બચતના સંબંધોમાં ફરીથી સંતુલન બેસાડવાનો સમય પાકી ગયો છે. અને અમેરિકા જો આ બધાંમાં કમિયાબ પણ થઈ જાત, તો પણ ચીન અને ભારતનો ઉદય ચાલુ જ રહેત. ત્યારે પણ સત્તાનું સંતુલન પશ્ચિમથી પૂર્વ તરફ ઝુકત. ગ્લોબલ વોર્મિંગનું જોખમ ત્યારે પણ રહેત. જળ સંકટ, મહામારીઓ તમામ મુશ્કેલીઓ ત્યારે પણ માથે ચઢીને બોલત. એ જરૂર છે કે ત્યારે પશ્ચિમી દેશ અને ખાસ કરીને અમેરિકા કંઈક સારી સ્થિતિમાં હોત.

હવે જો આ થાત તો-વાળી કલ્પનાને બંધન કરી દઈએ. હુમલો થયો. અમેરિકાએ જવાબ આપવનો જ હતો. એક વહીવટી તંત્ર જે પહેલા એક ગુંચવાડામાં ફસાયેલું હતું, તેને બદલાની એક ભાવના મળી ગઈ. દસ વર્ષ બાદ આપણે કહી શકીએ છીએ કે અલ કાયદાનું જોખણ ઓછું થઈ ચુક્યું છે. તે સંપૂર્ણપણે ખતમ થયું નથી, પણ ઓછું તો થયું છે. પરંતુ કઈ કિંમતે? અમેરિકાએ બે મોટી લડાઈઓ લડી. અફઘાનિસ્તાનની લડાઈ લડવી તેની મજબૂરી હતી, પરંતુ ઈરાકની લડાઈ તેણે પોતે પસંદ કરી. અફઘાનિસ્તાનની લડાઈ જલ્દીથી પૂરી થઈ શકતી હતી. તે ઓછી લાગત પર વધારે પરિણામ આપી શકતી હતી, પરંતુ શરત હતી કે બુશ વહીવટી તંત્રે ઈરાકમાં ઘૂસણખોરી ન કરી હોત. અમેરિકાએ સોફ્ટ પાવરની પોતાની છબીને અબૂ ગરીબ જેવી ભયાનક ચીજોથી ખુદ ધૂળમાં મેળવી છે. અને આ દશકમાં જે થયું, તે વધારે ગડબડ છે. પરમાણુ હથિયારવાળો દેશ પાકિસ્તાન દસ વર્ષ પહેલાના મુકાબલે હવે વધારે ખતરનાક છે. આ દસ વર્ષમાં યૂરોપના મુસ્લિમ સમુદાય સહીત ઈસ્લામિક વિશ્વમાં પરસ્પર વિરોધી પ્રવૃતિઓ જોવા મળી છે. અરબ જનઆંદોલનો અને યૂરોપના મુસ્લિમ સમુદાયોએ ઉદારતા અને આધુનિકીકરણની ઝલક રજૂ કરી છે. જ્યારે પાકિસ્તાન અને યમન જેવા દેશોમાં ઉગ્ર ઈસ્લામ હાવી થયો છે.

આ દસ વર્ષની લડાઈની જે કિંમત ચુકવવી પડી છે, તેના પર બ્રાઉન યૂનિવર્સિટીએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ જંગ પર, જેમાં 22 લાખ અમેરિકી ગયા અને 10 લાખ યુદ્ધવીર તરીકે પાછા આવી ચુક્યા છે. આ પરિયોજનામાં અનુમાન લગાવાયું છે કે અફઘાનિસ્તાન, ઈરાક અને પાકિસ્તાનમાં ચાલી રહેલી લડાઈ પર 32થી 40 અબજ ડોલરનો ખર્ચ આવ્યો છે. 2020 સુધી આ ખર્ચ 44 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. આ આંકડાઓ પર વિવાદ થઈ શકે છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ ખર્ચ વધારે ભારે છે. ઉભડક રીતે જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રીય કર્જના એક ચતુર્થાંસ અને આ કર્જ પણ સકલ ઘરેલુ ઉત્પાદની બરાબર થવાનું છે.

અને આ આંકડાઓમાં એ બધી બાબતો જોડવામાં આવી નથી, જેમને અર્થશાસ્ત્રીઓની ભાષામાં અવસરની લાગત કહેવામાં આવે છે. મામલો એ છે કે 40 અબજ ડોલરમાં રોજગારના કેટલાં અવસર પેદા કરી શકાતા હતા અથવા કેટલાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર ઉભાં કરી શકાતા હતા. અથવા અડધી કિંમતમાં જ જો આતંકવાદનો મુકાબલો કરી લેવાત, તો શું થઈ શકતું હતું. તેનાથી પણ મોટો મુદ્દો છે કે અમેરિકાએ ઊર્જા, રાષ્ટ્રીય ફોક્સ અને કલ્પનાશક્તિના મામલાઓમાં પોતાના અવસરોમાં કેટલું નુકસાન કરી લીધું છે.

હાલ અમેરિકા પાસે બે પ્રકારના હીરો છે. એક તરફ સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ જેવા લોકો છે, તો બીજી તરફ વર્દી પહેરનારા ફોજના હીરો છે. પરંતુ આપણી મુશ્કેલી એ છે કે નામી યુદ્ધવીર જ્યારે અહીં પાછા ફરશે, તો તેમના માટે નોકરીઓ નહીં હોય. માટે આ સપ્તાહ કોંગ્રેસમાં રોજગાર પેદા કરવા સંદર્ભે બરાક ઓબામાનું જે ભાષણ થશે, તે વધારે મહત્વપૂર્ણ હશે, તેના કરતાં રવિવારે ગ્રાઉન્ડ ઝીરો પર થનારા ભાષણને મુકાબલે. યોદ્ધાઓનું સમ્માન થવું જોઈએ, પરંતુ હાલ અમેરિકાને એવા નાયકોની જરૂરત છે, જે રોજગાર પેદા કરી શકે.

Sunday, 31 July 2011

ઉકળી રહ્યું છે યૂરોપ


સુનિલ ખિલનાની

ગત ઉનાળાની એક રાત્રે સ્ટોકહોમના સેન્ટ્રલ સ્ક્વેરમાં ફરતી વખતે મે એક ભયભીત કરનારું દ્રશ્ય જોયું. કાળા કપડાંમાં સુસજ્જિત યુવાનો, જેમાંના કેટલાંકના હાથોમાં ટોર્ચ હતી, અઠારમી સદીના સ્વીડિશ યોદ્ધા રાજા ચાર્લ્સ 12માની પ્રતિમા સામે ઉભા જમણા હાથથી તેઓ ફાંસીવાદી રીતે સેલ્યૂટ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે ચાર્લ્સ 12મો સ્વીડિશ દક્ષિણપંથી રાષ્ટ્રવાદીઓનો નાયક ગણાય છે. ડઝનબંધ પોલીસકર્મીઓએ તે યુવાનોને સુરક્ષિત ઘેરામાં રાખ્યા હતા, જેથી તેઓ પોતાના નાયકના દર્શન કરી શકે, જ્યારે થોડા અંતરે ફાંસીવાદ વિરોધી એક નાનકડો સમૂહ તેમની વિરુદ્ધ સૂત્રો પોકારી રહ્યો હતો.

યૂરોપમાં દક્ષિણપંથી ઉભાર સંદર્ભે મે સાંભળ્યું હતું, હવે હું તેના ભદ્દા પ્રદર્શનનો એક નમૂનો જોઈ રહ્યો હતો. મારી જિજ્ઞાસા શાંત કરવા માટે મે સાઈકલ ચલાવતા એક વૃદ્ધ સ્વીડિશ નાગરીકને પુછયું કે મામલો શું છે. તેનો જવાબ હતો, આ લોકો હકીકતમાં ટીવી શો માટે એક દ્રશ્યનું શૂંટિંગ કરી રહ્યાં છે. મને લાગ્યું કે હું પણ કેવો મૂર્ખ છું. આના આધારે હું યૂરોપીય સભ્યતાના પતનની કલ્પના કરી રહ્યો હતો. જ્યારે અહીં તો ટેલિવિઝનની એક ઐતિહાસિક શ્રેણીનું શૂટિંગ થઈ રહ્યું હતું.

આ ઘટનાના કેટલાંક માસ બાદ ઘોર રાષ્ટ્રવાદી સ્વીડન ડેમોક્રેટ્સ પાર્ટીએ પહેલીવાર સંસદમાં પ્રવેશ કર્યો. ગત એપ્રિલમાં દક્ષિણપંથી ટ્રુ ફિન્સ પાર્ટીને ફિનલેન્ડના પોપ્યુલર વોટનો પાંચમો ભાગ મળ્યો. જ્યારે ડેનમાર્કમાં કટ્ટર સ્વદેશી ડેનિશ પીપલ્સ પાર્ટી ગત એક દશકથી રાષ્ટ્રીય રાજનીતિમાં એક મહત્વપૂર્ણ શક્તિ છે. ક્યારેક પોતાની ઉદારવાદી રાજનીતિક સંસ્કૃતિ માટે ઓળખાનાર આ  તમામ દેશોમાં આજે દક્ષિણપંથી પાર્ટીઓ જ ગઠબંધન સરકારનો એજન્ડા અને તેમના નિર્ણયો નક્કી કરી રહી છે.

એ સવાલ ઉભો થઈ શકે કે દૂરના આ નાના દેશોની ઘટનાઓનો આપણા માટે શું અર્થ છે. પરંતુ આ ઘટનાઓનો પોતાનો અર્થ છે, કારણ કે આ એક સર્વવ્યાપક સમસ્યાનો પૂર્વાભાસ છે. એક એવા યુગમાં, જ્યાં મૂડી, વસ્તુ અને સેવાઓ દુનિયાભરમાં અભૂતપૂર્વ તીવ્રતાથી ચાલે છે, ત્યારે લોકોની ગતિ અને તેમની સ્થિતિ નક્કી કરવાનો માપદંડ શું હોવો જોઈએ?
જે વસ્તુ યૂરોપની ઘોર દક્ષિણપંથી પાર્ટીઓને એક કરે છે, તે અપ્રવાસી-વિદ્વેષી તો છે જ, યૂરોપ અને તે યૂરોપીય સંઘને પણ નકારે છે, જે આખા યૂરોપમાં લોકોના મુક્ત આવાગમનનો ટેકેદાર છે. યૂરોપીય સંઘે જે એકીકરણનું લક્ષ્ય સામે રાખ્યું હતું, આજે તે હચમચતું દેખાઈ રહ્યું છે. તેની બે મુખ્ય વિશિષ્ટતાઓ, સંયુક્ત કરો અને તમામ 27 દેશોમાં લોકોનું બેરોકટોક આવાગમન, ઘોર ડાબેરી અને ઘોર દક્ષિણપંથીઓ વચ્ચે ક્ષોભનું કારણ બની ગઈ છે. યૂરોપના ગરીબ ક્ષેત્ર અથવા કર્જના દબાણથી રાહત દાખવનારા વિસ્તારો પણ યૂરોપીય સંઘ વિરોધી છે, ચાહે તે એથેન્સનું સિગ્મા સ્ક્વેયર હોય, આખું સ્પેન હોય, મેડ્રિડ, બાર્સિલોના, લંડન અને પેરિસ હોય. જો કે આ યૂરોપીય સંઘના અમીર દેસોના બેંકરો અને નાણાંકીય વ્યવસ્થાપકોનો વિરોધ કરતાં નથી.

આ યૂરોપની સામાજીક અને આર્થિક અનિશ્ચિતતા જ છે, જે ત્યાંની ગલીઓમાં દક્ષિણ અને ડાબેરી વિરોધના સ્વરૂપે સામે આવે છે. યૂરો જોન અને સેનજેન ત્યારે અસ્તિત્વમાં આવ્યા હતા, જ્યારે વૈશ્વિકરણનો વિચાર હાવી હતો-જે બજાર અને તકનીકી અંતરસંબંધો દ્વારા બહેતર બદલાવમાં વિશ્વાસ કરે છે. વૈશ્વિકરણનું આ સૌથી ભ્રામક મિથક છે, જે અમીર અને ગરીબ, વિકસિત અને વિકાસશીલ દેશોને એકસાથે લાવે છે. ભૂમંડલીકરણની સ્થાપાનઓ વિરોધાભાસી છે. તે કુલ મળીને એક પરિવર્તનશીલ પ્રક્રીયા છે, જે દુનિયાને એકજૂટ રાખે છે અને જેમાં સતત પ્રતિસ્પર્ધાત્મક સંતુલન બનાવી રાખવાની જરૂરત હોય છે. તે બાળકોના શી-શૉ ગેમ જેવું છે. એવું લાગે છે કે વૈશ્વિકરણ માળખાગત અસંતુલનથી પેદા થયું છે, જે અસ્થિરતાને ખતમ કરી દે છે, પરંતુ તેના બદલામાં ભીષણ રાજકીય અસ્થિરતાને જન્મ આપે છે.

વૈશ્વિક મેળ-મેળાપ અને એકજૂટતાને પ્રોત્સાહન આપવાની જગ્યાએ વૈશ્વિકરણ આત્મપ્રશંસાને વધારી દે છે અને લોકોને શિકાર પણ બનાવે છે-પરિણામે તેની વિરુદ્ધ સ્થાનિક સ્તર પર અસંતોષ પેદા થાય છે. વૈશ્વિકરણ માત્ર દેશોની વચ્ચેનું આર્થિક ભૂગોળ જ નથી બદલતું, તે રાષ્ટ્ર-રાજ્યો અને મોટા સંઘોના આર્થિક ભૂગોળને પણ બદલી નાખે છે. આ તેનું જ પરિણામ છે કે દેશનો કેટલોક ભાગ આર્થિક વિકાસથી જગમગતો રહે છે, તો બાકીનો વિસ્તાર ગરીબ બની રહે છે. આંતરરાષ્ટ્રીય પ્રવૃતિઓ જ્યાં સરહદો પર રોકાય જાય છે, ત્યાં રાષ્ટ્ર-રાજ્યો, ખાસ કરીને ઉદારવાદી લોકતંત્રમાં, નાગરીકતાનો અર્થ નાગરીકોને બેરોકટોક આવાગમનનો અધિકાર આપવો પણ છે. બજારવાદી લોકતંત્રોમાં આ સ્થિતિ છે. અમેરિકા અને ભારત બાદ (જ્યાં શિવસેના બેરોકટોક આવાગમનને પ્રતિબંધિત કરવાની આગ્રહી છે.) યૂરોપીય સંઘની આ સ્થિતિ છે. ચીનની સ્થિતિ અલગ છે, ત્યાં નાગરીક પ્રવૃતિઓ સરકારી લાઈસન્સો દ્વારા નિયંત્રિત થાય છે.

વૈશ્વિકરણે બેશક લાખો લોકોનું જીવનસ્તર બદલ્યું છે, તેમ છતાં એક મૌલિક દાર્શનિક સવાલ ઉભો થાય છે, દુનિયામાં તે કઈ જગ્યા છે, જ્યાં લોકો વચ્ચે અંતર નથી? તેના ત્રણ પ્રકારના જવાબ છે. તેનો પહેલો, સૌથી જૂનો અને સૌથી પ્રભાવશાળી જવાબ છે કે લોકોએ એ સમાજ અથવા વર્ગમાં રહેવું જોઈએ, જ્યાં તેઓ પેદા થયા છે. એ પણ કે સંસ્કૃતિ, ભાષા અને પરંપરા જ કોઈ વિસ્તારની સ્વાભાવિક સરહદો છે. આ પ્રશ્નનો બીજો ઉત્તર તે છે, જે ઉદારવાદી લોકો આપે છે કે બજાર જ્યાં બોલાવે અને જ્યાં મૂડી તેને રોજગાર આપે, લોકોને ત્યાં બેરોકટોક જવાની મંજૂરી આપવી જોઈએ. ત્રીજો મૌલિક દ્રષ્ટિકોણ છે, જે ન્યાય અને આચારશાસ્ત્રની ભાષામાં વ્યક્ત થાય છે, લોકોને ત્યાં જવાનો અધિકાર છે, જ્યાં તેઓ સમજે છે કે પોતાનું જીવન યાપન સર્વોત્તમ રૂપથી કરી શકે છે. અને તેવામાં તેમણે આ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની આઝાદી પણ હોવી જોઈએ, જે તેમને પોતાની ઈચ્છિત જગ્યાએ જતાં રોકે છે.

આગામી દિવસોમાં જેમ-જેમ મૂડી, સંપત્તિના દાવા અને ન્યાયની માગણી પરસ્પર ટકરાશે, આ પ્રકારના તર્કો વચ્ચે સંઘર્ષ વધશે. એ સાચું છે કે બૌદ્ધિક તર્કો દ્વારા આ જટિલ અને સંવેદનશીલ મુદ્દાનો હલ નીકળશે નહીં, પરંતુ બૌદ્ધિક કોશિશોના અભાવમાં આપણી સામે નોકરશાહીના કાયદા અને રહસ્યમય વીઝા કાયદા સિવાય કોઈ વિકલ્પ હશે નહીં. સ્વીડિશ ટીવી પર આવનારું આ ઐતિહાસિક નાટક કદાચ ભવિષ્ય સંદર્ભે એ બધું વિસ્તારથી જણાવે, જેને આપણે જાણવા ચાહીએ છીએ.