Showing posts with label communal violence bill. Show all posts
Showing posts with label communal violence bill. Show all posts
Wednesday, 29 June 2011
કોંગ્રેસનો અરાષ્ટ્રીય ચહેરો
તરુણ વિજય, સૌજન્ય- દૈનિક જાગરણ
કોંગ્રેસના મૂળ સ્વભાવ અને ચરિત્રને સમજ્યા વગર વર્તમાન રાજનીતિના પતનનું વિશ્લેષણ શક્ય નથી. વિડંબણા એ છે કે કોંગ્રેસના સત્તા કેન્દ્રીત અહંકારી સ્વભાવનો પ્રસાર ભારતની રાજનીતિમાં ઘર કરી ચુક્યો છે. સત્તા માટે કોઈપણ સીમા સુધી જવું અને રાજનીતિમાં વોટના લાભ માટે બિનઉપયોગી જનકલ્યાણને છોડી દેવું તેનો સ્વભાવ બની ગયો છે. સત્તાની આતુરતા અને સંઘર્ષના ગભરાટના કારણે જ કોંગ્રેસે 1947માં પાકિસ્તાન પ્રસ્તાવનો સ્વીકાર કરીને ભારતના ભાગલા કરાવ્યા. પચાસના દશકમાં ચીનના હાથે તિબેટ ખોયું અને 1.25 લાખ વર્ગ કિલોમીટર જમીન ચીન તથા પાકિસ્તાનના કબજામાં જવા દીધી. લેડી એડવિના માઉન્ટબેટનના પ્રભાવમાં નેહરુ કાશ્મીરનો મામલો સરદાર પટેલની સંમતિ વગર રાષ્ટ્રસંઘમાં લઈ ગયા જે કારણે કલમ-370નું એવું બંધારણીય વિધાન લાગુ કરાવ્યું કે જે બાદમાં અલગતાવાદ અને આતંકવાદના પોષણનું સૌથી મોટું કારણ બની ગયું. કોંગ્રેસની આવી સત્તાભોગી માનસિકતાને કારણે 1962માં ચીનનો હુમલો થયો. 1965માં આપણે જીતીને પણ હાર્યા તો 1971માં ઈન્દિરા ગાંધીને મળેલી અભૂતપૂર્વ સર્વપક્ષીય પ્રશંસા અને સમર્થન છતાં શિમલા સમજૂતીમાં આપણે કાશ્મીરના મુદ્દો નિર્ણાયકપણે હલ કરી શક્યા નહીં. જો કે તે સમયે પાકિસ્તાનની ગરદન આપણા હાથમાં હતી. તેના કારણે તે સમયે વરિષ્ઠ કવિ સોમ ઠાકુરે લખ્યુ હતુ- ઈતિહાસ લીખા થા ખૂન સે જો સ્યાહી સે કાટ દિયા હમને.
ચૂંટણીના લાભ માટે હુલ્લડો, કારણ વગરની પોલીસ કાર્યવાહી, બ્લુ સ્ટાર તથા 1984ના શીખ વિરોધી રમખાણો વગેરેથી તેનું સત્તાવિલાસી ચરિત્ર અને ઈતિહાસ સાબિત થાય છે. 1947 બાદથી આજ સુધી સૌથી વધારે હિંદુ-મુસ્લિમ હુલ્લડો માત્ર કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થયા. યુપીએ-1 અને યુપીએ-2 દરમિયાન કોંગ્રેસે સચ્ચર સમિતિથી લઈને હજયાત્રીઓ માટે જરૂરી પાસપોર્ટમાં પોલીસ તપાસની જરૂરતને ખતમ કરીને સામાજીક ખાઈ પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે જેને સારી રીતે સમજી શકાય છે.
સામાન્ય જનતા મોટાભાગે ઈતિહાસને જલ્દી ભૂલાવી દે છે. કોંગ્રેસ કેટલી નિર્મમ અને સંવેદનહીન હોઈ શકે છે તેનું સૌથી ખતરનાક ઉદાહરણ જો 1975માં લાગુ કરાયેલી કટોકટી છે તો તાજું ઉદાહરણ સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ દ્વારા પ્રસ્તાવિત સાંપ્રદાયિક હિંસા નિષેધ વિધેયક છે. આ વિધેયક કોંગ્રેસના વિકૃત અને હિંદુ વિરોધી અરાષ્ટ્રીય ચરિત્રનું સૌથી ખરાબ ઉદાહરણ છે.
આ વિધેયક દ્વારા ન કેવળ હિંદુઓને આક્રમક અને અપરાધી વર્ગમાં લાવીને ઉભા કર્યા છે, પરંતુ હિંદુ-મુસ્લિમો વચ્ચે શત્રુતા પેદા કરીને દરેક ગલી-કસબામાં હુલ્લડ કરાવવાની સાજિશ છે. જો આ ઔરંગઝેબી ફરમાન કાયદાનું રૂપ લે છે તો કોઈપણ હિંદુ પર કોઈપણ મુસ્લિમ નફરત ફેલાવવાનો, હુમલો કરવાનો, સાજિશ કરવાનો અથવા નફરત ફેલાવા માટે આર્થિક મદદ આપવા અથા શત્રુતાભાવ ફેલાવવાના નામે કેસ દાખલ કરાવી શકશે અને તે બિચારા હિંદુને આ કાયદા હેઠળ ક્યારેય ફરીયાદકર્તા મુસ્લિમની ઓળખ સુધીનો હક નહીં હોય. તેમાં ફરીયાદકર્તાના નામ અને સરનામાની જાણકારી તે વ્યક્તિને આપવામાં નહીં આવે કે જેની વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી રહી છે. તેના સિવાય ફરીયાદરક્તા મુસલમાન પોતાના ઘરે બેસીને ફરીયાદ કરાવી શકશે. આ પ્રકારે જાતિય શોષણ અને જાતિય અપરાધના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમ હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકેશે અને આ તમામ મામલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર કરાતા અપરાધોની સાથે સમાંતર ચલાવવામાં આવશે. તેનો અર્થ છે કે સંબંધિત હિંદુ વ્યક્તિને ક્યારેય એ જણાવવામાં આવશે નહીં કે તેની વિરુદ્ધ કોણે ફરીયાદ કરી છે? તેના સિવાય તેને એક જ તથાકથિત અપરાધ માટે બે વખત બે અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરવામાં આવશે. એટલું જ નહીં, આ વિધેયક પોલીસ અને સૈનિક અધિકારીઓ વિરુદ્ધ તેવા પ્રકારે જ વર્તાવ કરે છે કે જેવી રીતે કાશ્મીરી આતંકવાદી અને આઈએસઆઈ તેમની વિરુદ્ધ વલણ અપનાવે છે. વિધેયકમાં સમૂહ એટલે કે મુસ્લિમ વિરુદ્ધ કોઈપણ હુમલા અથવા હુલ્લડના સમયે જો પોલીસ, અર્ધલશ્કરી દળો અથવા સેના તુરંત વધુ પ્રભાવી ઢંગથી સ્થિતિ પર નિયંત્રણ પ્રાપ્ત નહીં કરે તો તે દળના નિયંત્રણકર્તા અથવા પ્રમુક વિરુદ્ધ આપરાધિક કલમો પ્રમાણે કેસ ચલાવવામાં આવશે. કુલ મળીને દરેક સ્થિતિમાં પોલીસ અથવા અર્ધલશ્કરી દળના અધિકારીઓને કઠઘરામાં ઉભા રહેવું પડશે, કારણ કે સ્થિતિ પર નિયંત્રણ જેવી પરિસ્થિતિને કોઈપણ રીતે પરિભાષિત કરી શકાય છે. આ વિધેયકની કલમો કોઈપણ સભ્ય, સમાન અધિકાર સંપન્ન અને ભેદભાવરહીત ગણતંત્ર માટે ઈદી અમીન અને સાઉદી અરેબિયાના શાહોની જેમ જ અન્ય આસ્થાઓના લોકો પ્રત્યે નફરત અને આક્રમકતાનું દર્શન કરાવે છે.
પ્રસિદ્ધ ન્યાયવિદ્ જે. એસ. વર્મા અને ન્યાયમૂર્તિ બી. એલ. શ્રીકૃષ્ણે પણ આ બિલને એકતરફી ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં નકારાત્મક અસર નાખનારું ગણાવ્યું છે. જરા જોવો, આ બિલને બનાવનારાઓએ સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે જે સાત સભ્યોની સમિતિની રચનાની ભલામણ કરી છે, તેમાં ચાર સભ્યો મજહબી લઘુમતી હશે. વિધેયક માનીને ચાલે છે કે જો સમિતિમાં લઘુમતીઓ એટલે કે મુસલમાનોની બહુમતી નહીં હોય તો સમિતિ ન્યાય કરી શકશે નહીં. અપેક્ષા છે કે આ સાત સભ્યો કોઈપણ કોમી હિંસાને રોકશે, તપાસ પર નજર રાખશે, આપરાધિક કેસો, પેશીઓ, રાહત કાર્યો અને પુનર્વાસને પોતાની દેખરેખમાં ચલાવશે. આખરે આ સાત સભ્યો હશે અથવા ફરિશ્તા અથવા પછી કટોકટીના દરોગા?
(તરુણ વિજય રાજ્યસભાના સાંસદ છે.)
Monday, 20 June 2011
સ્વ-લક્ષ્ય સિદ્ધિ માટે સરકાર તૈયાર
-એન. કે. સિંહ
કોમવાદ અને લક્ષિત હિંસા (ન્યાય તથા ક્ષતિપૂર્તિ) નિરોધક વિધેયક-2011નો મુસદ્દો જો પારિત થઈ જશે તો કોમવાદી હિંસાની પરિભાષા બદલાઈ જશે.
તેના પ્રમાણે, કોમવાદી હિંસા એ છે કે જે ધાર્મિક અને ભાષાયી લઘુમતીઓ વિરુદ્ધ હોય. એટલે કે જો બહુમતી પર હુમલો થાય છે, તો તે આ વિધેયક પ્રમાણે કોમવાદી હિંસા નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઈઝરી કમિટી (એનએસી)ના આ મુસદ્દાના અનુભાગ 3(સી) પ્રમાણે, કોમવાદી અને લક્ષિત હિંસા એ હિંસા છે કે જે કોઈ સમૂહના સભ્ય વિરુદ્ધ જાણીકરીને અને એ જાણતા કે તે આ સમૂહનો સભ્ય છે, તેને નુકસાન પહોંચાડવા માટે, અચાનક અથવા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હોય. આ અનુભાગના ઉપબંધ (ઈ)માં સમૂહની પરિભાષામાં ધાર્મિક અને ભાષાકીય લધુમતી અને અનુસૂચિત જાતિ અથવા જનજાતિના વ્યક્તિને જ લેવામાં આવ્યા છે.
સંપૂર્ણ ખરડો ફક્ત એક જબરદસ્ત સંકીર્ણ માનસિકતાનું પ્રતિબિંબ જ નથી, પરંતુ તેમાં એ વાતની પણ કોશિશ કરવામાં આવી છેકે આ પ્રકારની નવપરિભાષિત હિંસાના મામલામાં કેન્દ્રનું વર્ચસ્વ હોય અને તે જ્યારે પણ ચાહે રાજ્ય સરકારોને આ આધાર પર બરખાસ્ત કરી શકે.
ગત બે દશકના આંકડા જણાવે છે કે ગોધરા અને તેના પછી થયેલી કોમવાદી હિંસને બાકાત કરવામાં આવે, તો દેશમાં આવી ઘટનાઓમાં ઘણો ઘટાડો થયો છે. જેમજેમ શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અને જીવનયાપનની શરતો બદલાઈ રહી છે, સમાજનો વિચાર અને સમજ બદલાઈ રહ્યાં છે. પરંતુ આ ખરડાના મુસદ્દાની જોગવાઈઓએ ફરી એકવાર વર્ગો વચ્ચે ધર્મ આધારીત વૈમનસ્યની સ્થિતિ લાવી દીધી છે.
જો રાજકીય રીતે જોઈએ તો યૂપીએ સરકાર લઘુમતીઓને ખુશ કરવાના ચક્કરમાં રાજકીય હારાકિરી કરી છે. બહુમતીઓનું એક ચરિત્ર રહ્યું છે કે તેઓ લઘુમતીઓ માટે દરેક પ્રકારની ઉદારવાદી નીતિઓને, ભલે તે વોટની રાજનીતિ હેઠળ કરવામાં આવી હોય, જો તેને સાચી માનતા નથી તો ઓછામાં ઓછો તેનો વિરોધ પણ કરતા નથી. પરંતુ હિંસાની વ્યાખ્યાને લઈને તેમનો દ્રષ્ટિકોણ બિલકુલ અળગ છે. હિંસા કરનારને કોઈ ધર્મ વિશેષ સાથે જોડવા રાજ્યના મૂળ ધર્મનિરપેક્ષ ચરિત્ર પર શંકા પેદા કરે છે, માટે બહુમતી ફરી એકવાર તીવ્ર પ્રતિક્રિયા આપવા લાગી છે. આ કારણ છે કે ભાજપને તેમા અચાનક એક મોટો મુદ્દો દેખાઈ રહ્યો છે અને હવે ધાર્મિક આધારે તે બહુમતીઓને ફરી એકવાર આંદોલિત કરવાની કોશિશ કરશે.
એનએસી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ મુસદ્દો સમાજને જોડવાના સ્થાને તોડવાનો એક અયોગ્ય ઉપક્રમ લાગે છે. તેનાથી એ પણ ખબર પડે છે કે ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલી સરકાર અને તેનો મુખ્ય ઘટક પક્ષ કોંગ્રેસ હતાશાની સ્થિતિમાં હવે લઘુમતીઓને પોતાની સાથે જોડવા માટે કંઈપણ કરવા માટે તૈયાર છે. ઉદારણ તરીકે આ અનુભાગના અનુબંધ (જે)માં પીડિતની પરિભાષા કંઈક આ પ્રકારે કરવામાં આવી છે- “તે વ્યક્તિ કે જે કાયદામાં વર્ણિત સમૂહનો સભ્ય (એટલે કે લઘુમતી) હોય અને જેને આ પ્રકારની કોઈપણ હિંસાના કારણે ભૌતિક, માનસિક અથવા આર્થિક નુકસાન અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય”- આનો અર્થ એ થયો કે જો બહુમતીનું કોઈ સરઘસ, એ જાણતા પણ, કે જે વિસ્તારમાંથી સરઘસ જઈ રહ્યું છે, તે લઘુમતીઓનો વિસ્તાર છે, કાઢે છે અને જો એવું કરવાથી સમૂહના કોઈ લઘુમતી એમ કહે છે કે તેને મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને વળતર આપવામાં આવશે.
આ પ્રસ્તાવિત કાયદાની પકડમાં માત્ર બહુમતી જ આવશે અને સાથે જ તેને ત્યાં સુધી દોષિત માનવામાં આવતો રહેશે કે જ્યાં સુધી તે પોતાને નિર્દોષ સિદ્ધ કરી ન લે. આ ખરડાની જોગવાઈઓ એટલી કડક છે કે ઉપબંધ 73 અને 74 પ્રમાણે આ જવાબદારી આરોપિત બહુમતી પર હશે કે તેઓ પોતાને નિર્દોષ સાબિત કરે. સમાન્ય રીતે અપરાધ ન્યાય શાસ્ત્રમાં આ જવાબદારી આરોપ લગાવનાર એટલે કે ફરીયાદીની હોય છે.
આ ખરડાના મુસદ્દા પ્રમાણે એક સાત સભ્યોનું રાષ્ટ્રીય પ્રાધિકરણ બનશે તેની પાસે નિર્બાધ શક્તિઓ હશે. તે કોઈપણ રાજ્યની પોલીસ અથવા વહીવટી અધિકારીને નિર્દેશ આપી શકશે, કોઈપણ મામલાની તપાસ સીધી કરાવી શકશે, જિલ્લાધિકારીની જવાબદારી હશે કે આ પ્રકારની ઘટનાઓની માહિતી તાત્કાલિક તેમને ઉપલબ્ધ કરાવે. ખૂબ ચાલાકીથી આ ખરડાના મુસદ્દામાં આ પ્રકારની તથાકથિત હિંસાને આંતરીક ઉપદ્રવની પરિભાષામાં સામેલ કરી લેવામાં આવી છે.
એ જણાવી દેવું જરૂરી છે કે બંધારણના અનુચ્છેદ-355 હેઠળ આ કેન્દ્રની જવાબદારી હોય છે કે તે આંતરીક ઉપદ્રવની સ્થિતિમાં દરેક રાજ્યની સુરક્ષા કરે અને એ પણ સુનિશ્ચિત કરે કે તે રાજ્યમાં સરકાર બંધારણની જોગવાઈને અનુરૂપ કામ કરી રહી છે. કહેવાનું તાત્પર્ય છે કે ખરડાના મુસદ્દાના અનુભાગ-20માં વર્ણિત અધિકારો હેઠળ જો ક્યાંય ઉપરોક્ત પ્રકારની કોમવાદી હિંસા થાય છે, તો કેન્દ્ર રાજ્ય સરકારને બરખાસ્ત કરી શકે છે.
મુસદ્દામાં એ પણ જોગવાઈ છે કે આ પ્રકારના પંચો રાજ્યોમાં પણ બનશે, પરંતુ તેની શક્તિ કોમવાદી હિંસાના તમામ મુખ્ય મુદ્દાઓ પર સીમિત અથવા માત્ર સલાહકારી રહેશે. રાષ્ટ્રીય પંચને વડાપ્રધાન, ગૃહમંત્રી, લોકસભાના વિપક્ષના નેતા તથા તમામ રાષ્ટ્રીય પાર્ટીઓના નેતા પસંદ કરશે. મુસદ્દામાં લઘુમતી વર્ચસ્વને એટલું મજબૂત કરવામાં આવ્યું છે કે આ સાત સભ્યોના પંચમાં ઓછામાં ઓછા ચાર સભ્યો ધાર્મિક અને ભાષાકીય લઘુમતી વર્ગમાંથી રહેશે અને તેમાંથી એક અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય હશે.
ઉપબંધ-82 પ્રમાણે તેમાં આરોપિત બહુમતી જ હશે અને આવા આરોપિત વ્યક્તિની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત કરાયેલી રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી છૂટી ન જાય.
લાગે છે કે આખે આખો મુસદ્દો ગુજરાતમાં ગોધરા બાદ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. મુસદ્દો તૈયાર કરનારી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ એટલે કે એનએસીના સભ્યોના દિલમાં ગોધરાનો ટ્રેન કાંડ અથવા આઝમગઢની ઘટનાઓ રહી નથી.
અહીં અમારો આશય એ નથી કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ કોઈ ખાસ સમુદાયને લઈને પક્ષપાતપૂર્ણ વલણ રાખે છે. એનએસી ગરીબોને લઈને પોતાની સજાગતા દેખાડી ચુકી છે. ખાસ કરીને ખાદ્ય સુરક્ષા બિલને લઈને જે પ્રકારે તેણે ગરીબીની રેખાથી ઉપરના પણ એક વર્ગને સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે, તે વખાણવાલાયક કોશિશ હતી. ખુદ પરિષદના અધ્યક્ષે ગરીબોને લઈને ઘણાં મામલાઓને લઈને પરિષદના અભિપ્રાયને સર્વોપરી માન્યો અને સરકારે નમવું પડયું. માટે રાજકીય બેલેન્સશીટની દ્રષ્ટિએ પણ કોમવાદી હિંસા નિરોધક બિલ પોતાનામાં જ પૂર્ણ વિધેયક હોવું જોઈએ કે જેથી કોમવાદી શક્તિઓને, કોંગ્રેસ અને સોનિયા ગાંધીને ઘેરવાનો મોકો મળે નહીં.
દેશમાં હાલ કોમી સૌહાર્દનો માહોલ સ્પષ્ટપણે નજરે પડે છે અને એવી કોઈ નીતિ જે સરકારની નિયત પર શંકા પેદા કરે તે ન તો રાજકીય રીતે યોગ્ય હશે, ન તો સામાજીક રીતે.
(લેખક વરિષ્ઠ પત્રકાર છે. સૌજન્ય-સહારાલાઈવ વેબસાઈટ)
Subscribe to:
Posts (Atom)