સ્વામીનાથન અંકલેસરિયા અય્યર, સૌજન્ય- નવભારત ટાઈમ્સ
બાબા રામદેવનું વિદેશોમાં જમા કાળા ધન માટે આંદોલન અપ્રભાવી રહ્યું, કારણ કે તે માત્ર શંકા પર આધારીત હતું. પરંતુ આશ્ચર્યની એ વાત છે કે મીડિયા પણ આ કલ્પિત કથાને વારંવાર પુનરોચ્ચારિત કરી રહ્યું છે કે ઘણાં મોટા પ્રમાણમાં આપણા દેશનું કાળું ધન સ્વિસ બેંકોમાં પડેલુ છે. આવું માત્ર મૂર્ખ લોકો જ કરી શકે છે, જેમને પોતાના ધનની યોગ્ય વ્યવસ્થા કરવાનું આવડતું નથી. કારણ કે સ્વિસ બેંકોમાં વ્યાજનો દર એક ટકાથી પણ ઓછો છે. જે લોકો પાસે ખરેખર કાળું ધન છે, તેઓ તેની વ્યવસ્થા માટે આર્થિક સલાહકાર રાખે છે. બજારમાં આ પ્રકારના અનેક સલાહકાર અને વિશેષજ્ઞ હાજર છે, જેઓ આવા ધનને શેર માર્કેટ, બોન્ડ્સ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરાવી શકે છે અને 10થી 20 ટકા સુધી કમાણીનો ભરોસો અપાવી શકે છે. જ્યારે આ પ્રકારનો વિકલ્પ અહીં જ હાજર છે તો કોઈ નૌસિખિયો જ સ્વિસ બેંકોમાં નાણાં જમા કરાવવા જશે.
જર્મનીમાં માત્ર 18 ખાતા
જર્મનીની લિક્ટેંશ્ટાઈન બેંકના ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે. તેણે વિશેષ રૂપથી ઓળખ કરીને ત્યાં 26 ભારતીયોના ખાતા કાઢયા, જેમાંથી માત્ર 18 ખાતાઓ એવા છે કે જેમને અહીં ટેક્સની મર્યાદામાં લાવી શકાય. તેના સિવાય સંપૂર્ણ બે વર્ષોની મહેનત બાદ તેમાંથી માત્ર 39 કરોડ રૂપિયા ટેક્સની પ્રાપ્તિ કરી શકાય. બની શકે છે, જ્યારે સ્વિસ બેંકના રહસ્યો ખુલે તો કંઈક વધારે ટેક્સની વસૂલી થઈ જાય. સરકાર ઘણાં દેશો સાથે આ પ્રકારની સંધિ કરી રહી છે કે તેમની બેંકોમાંથી વધારેમાં વધારે માહિતી આપણને મળી શકે. કોઈ સારા રોકાણની રાહ જોવામાં કોઈ નેતા અથવા વેપારી થોડા સમય માટે આવી કોઈ સ્વિસ બેંકમાં પોતાનું કાળું ધન રાખી શકે છે, જ્યાં સુધી કોઈ સારા રોકાણ સલાહકારની વ્યવસ્થા થઈ જતી નથી. પરંતુ દશકો પહેલા જે કાળું ધન વિદેશોમાં મોકલવામાં આવ્યું છે અથવા દશકોથી જે મોકલાતું રહ્યું છે, તેનો મોટાભાગનો હિસ્સો કોઈપણ સંપત્તિના સ્વરૂપમાં વિશ્વના કોઈપણ ખૂણામાં છુપાવીને રાખવામાં આવ્યો હોઈ શકે છે.
છુપાવવા માટે ભારત શ્રેષ્ઠ
તે ક્યાં રાખવામાં આવ્યું હશે, કોઈ જાણતું નથી. પરંતુ તેને છુપાવવા માટે સૌથી સારી જગ્યા ભારત વર્ષ જ છે- સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા અથવા યૂરોપ નહીં. વર્ષ 2000થી અત્યાર સુધીના સમયગાળામાં અમેરિકામાં મકાનની કિંમતો બેગણી થઈ ગઈ, પરંતુ રિયલ એસ્ટેટમાં આ ઉછાળો એક ગુબ્બારાની જેમ હતો, જે ફૂટી ગયો. પરંતુ ભારત વર્ષમાં રિયલ એસ્ટેટ, ઘર અથવા જમીન-સંપત્તિની કિંમતો દશ ગણી થઈ ગઈ છે, જેવું કે રાજનેતા પોતાની સંપત્તિના ઘોષણાપત્રમાં દેખાડે છે. આ જમીન-સંપત્તિ પ્રત્યે તેમનું આકર્ષણ દેખાય છે.
ન્યૂયોર્કમાં દેખાઈ રહ્યું છે કે ડાઉ જોન્સનો ઈન્ડેક્ષ વર્ષ 2000થી ઉપર છે, પરંતુ ભારતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ છ ગણો ઉપર પહોંચ્યો છે. ભારતમાં બોન્ડનું વ્યાજ 8 ટકા છે. જ્યારે અમેરિકા અને જર્મનીમાં આ ત્રણ ટકાની નજીક છે. આજે ભારતમાં ઈન્કમટેક્ષના નિયમો ઘણાં જ સરળ છે, જેને જમા કરીને કોઈપણ ભારતીય પોતાની સંપત્તિ રાખી શકે છે. લભાંશ અને કેપિટલ ગેન પર કોઈ ટેક્સ નથી. આ પ્રકારે કાળા ધનના મોટાભાગને, જે વિદેશોમાં હતો, ગત બે દશકોમાં સફેદ બનાવીને દેશની અંદર લવાયો છે. સંભવ છે કે તે ધન આજે દેશના આર્થિક વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે. પરંતુ જમીન-સંપત્તિની કિંમતોમાં આટલો વધારો અને ચૂંટણીમાં આટલા મોટા પ્રમાણમાં ખર્ચ તો નિશ્ચિતપણે આ કાળા ધનનું જ પરિણામ છે.
આજે ભારતમાં લગભગ 6 અબજ ડોલર વાર્ષિક એનઆરઆઈ દ્વારા વિદેશોમાંથી મોકલાયેલુ અને 50 અબજ ડોલર વ્યવસાયમાં ભાગ તરીકે આવે છે. જે કાળું ધન વિદેશોમાં છે, તે પણ અહીં આ નાણાંના એક મોટા ભાગ તરીકે લાવામાં આવે છે. ઘણાં બધાં નાણાં એ દેશોમાંથી વ્યવસાયિક લેણદેણ તરીકે આવે છે, જે દેશો સાથે આપણા ડુઅલ ટેક્સ એવોયડેન્સ એગ્રીમેન્ટ છે અથવા જ્યાં ટેક્સના દર ઓછા છે. આ દેશોમાંથી કાળું ધન સફેદ બનાવીને ફરીથી ભારતમાં રોકાણ કરીને ઈન્કમટેક્ષ બચાવી શકાય છે. પરંતુ આપણે માત્ર વિદેશોથી આવનારા નાણાં પર જ આટલી હાઈતોબા કેમ મચાવી રહ્યાં છીએ? હજી ભારતમાં 3.1 કરોડ લોકો ઈન્કમટેક્ષ આપે છે, જે આપણી વસ્તીના માત્ર 2.5 ટકા છે. આ ટકાવારી 10 ગણી વધીને ઓછામાં ઓછી 25 ટકા હોવી જોઈએ. દેશની અંદર કોઈપણ અડચણ વગર કાળું ધન સફેદ અને સફેદ ધન કાળું થતું રહે છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં હજારો કરોડ રૂપિ.યા દર વર્ષે લગાવાય છે. તેના જાણકારો તમને સલાહ આપશે કે કેવી રીતે તમારા નાણાં કાળા-સફેદ કરી શકાય છે. ગામડાંઓમાં કરોડો રૂપિયાનો કારોબાર પણ કેશથી જ થાય છે. ત્યાં કોઈ ઈન્કમટેક્ષ આપતું નથી. આયકર અધિકારી ભ્રષ્ટ છે અને તેમને તકનીકી જાણકારી પણ ઓછી છે. માટે પકડાવાની સંભાવના ઘણી ઓછી છે. કંપનીઓ પોતાની અંદર સેંકડો કંપનીઓ બનાવે છે અને તેમાથી પેદા થાય છે અભેદ્ય જાળું. દેશનો એક મોટો ભાગ ઈન્કમટેક્ષ ઓફિસના 50 કિલોમીટરના અંતરથી બહાર છે.
બાબા પહેલા આ શોધે
અહીં એટલું સંભવ નથી કે કાળા ધનના દરેક સંભવિત માર્ગોનું વર્ણન કરી શકાય. પરંતુ જો બાબા રામદેવ, અન્ના હજારે અને સરકાર કાળું ધન શોધવા માટે ગંભીર છે, તો તેમની પ્રાથમિકતા સ્વિસ બેંક ન હોવી જોઈએ. તેઓ સૌથી પહેલા દેશની અંદર રહેલા કાળા ધનને શોધે. મોટાભાગનું કાળું ધન દેશની બહાર જતું નથી અને જે જાય છે, તેમાંથી ઘણું બધું ધન સફેદ થઈને દેશની અંદર ફરીથી આવી જાય છે.
No comments:
Post a Comment