એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોની મોંઘવારી ઓછી કરવાની કોઈ રીત સરકાર પાસે નથી. 11 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારી વધીને 9.13 ટકા થઈ. 4 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં તે 8.96 ટકા હતી. સરકાર અથવા નીતિ-નિર્માતા આ મોંઘવારીનો કોઈ ઉપાય શોધી શક્યા નથી, તમામ જાણકારોને પણ સમજ પડતી નથી કે મોંઘવારી કેવી રીતે ઓછી કરાય.
મુશ્કેલી એ છે કે માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં, તમામ ચીજોની કિંમતો વધી રહી છે. રિજર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, પરંતુ મોંઘવારી કાબૂમાં આવી રહી નથી. રિજર્વ બેંકના અધિકારીઓનો અભિપ્રાય એ છે કે ખાદ્ય મોંઘવારી ઓછી કરવા માટે સ્થાયી ઉપાય એ છે કે ખાવા-પીવાની ચીજોની આપૂર્તિ વધારવામાં આવે. હવે આશા મોનસૂનથી છે કે જો સારો વરસાદ થશે તો મોંઘવારી ઓછી થાય, પરંતુ વરસાદથી પણ કેટલી આશા લગાવી શકાય. ગત વર્ષ શાનદાર મોનસૂન અને રેકોર્ડ ઉપજ છતાં મોંઘવારીમાં ક્યાં કોઈ ફરક પડયો?
હવે એક વાત સ્વીકાર કર્યા બાદ જ આગળ વધી શકાય છે કે ખાદ્ય પદાર્થોની આપૂર્તિમાં જે સમસ્યા છે, તેને દૂર કરીને જ આ મોંઘવારીનો ગ્રાફ સ્થાયી રીતે રોકી શકાય છે. સ્પષ્ટ છે કે જો આ સમસ્યાઓનો હલ કરી પણ લેવામાં આવે છે, તો તેની અસર થવામાં વખત લાગશે. માટે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કોઈ નથી.
એક મોટી સમસ્યા એ છે કે ગત વર્ષોમાં ખેતીની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી ખેતીનો વિકાસદર લગભગ નગણ્ય જ રહ્યો છે, જ્યારે વસ્તી વધતી ગઈ છે અને અનાજની માગણી પણ વધી રહી છે. બીજી સમસ્યા એ છે કે જો અનાજ અથવા અન્ય ખાદ્ય વસ્તુઓ પેદા થાય છે, તેમનો ગ્રાહકો સુધી પહોંચવાનો રસ્તો બેહદ જટિલ, વાંકોચુકો અને કંટકો ભરેલો છે.
તેનાથી થાય છે એ કે જે ખાદ્ય વસ્તુઓ ઉપલબ્ધ છે, તે પમ ગ્રાહકો સુધી પહોંચતી નથી અથવા પહોંચે છે, તો તેમાં ઘણી બધી બરબાદી છે. તેમાં ઘણાં નાણાં ખર્ચ થાય છે અને સમય પણ બરબાદ થાય છે, જેનું પરિણામ વસ્તુઓની અછત અથવા ખૂબ મોંઘવારીના સ્વરૂપે સામે આવે છે. આપણે ત્યાં આપૂર્તિ શ્રૃંખલા એવી છે કે તેમાં માત્ર વચેટિયાઓને ફાયદો થાય છે, ખેડૂત અને ગ્રાહકો,બંને નુકસાનમાં રહે છે.
ખેતીની ઉત્પાદકતા વધારવાની ચર્ચા સરકારી ક્ષેત્રોમાં ગત એક-બે વર્ષમાં શરૂ થઈ છે, પરંતુ જમીની સ્તર પર તેને અમલમાં લાવવામાં કેટલાંક વધુ વર્ષ લાગી જશે. લગભગ 45 વર્ષ પહેલા શરૂ થયેલી હરિત ક્રાંતિ દેશના મોટા ભાગ સુધી પહોંચી નથી. ખાસ કરીને દેશના પૂર્વ ભાગમાં ખેતી પર વિશેષ ધ્યાન આપીને ખાદ્યાન્ન ઉત્પાદન મોટા પ્રમાણમાં વધારી શકાય છે.
બીજી સમસ્યા ભંડારણ અને વિતરણની છે. દર વર્ષે દેશમાં ન જાણે કેટલું અનાજ યોગ્ય ભંડારણ વગર સડી જાય છે. તેવી જ રીતે શાકભાજી અને ફળોનો લગભગ એક ચતુર્થાંસ બાગ ગ્રાહકો સુધી પહોંચતા પહેલા સડી જાય છે. યોગ્ય ભંડારણ, ગ્રાહકો સુધી ઝડપી પહોંચ અને વચેટિયાઓની સંખ્યામાં ઘટાડાથી ખાદ્ય મોંઘવારી પર લગામ લગાવી શકાય છે.
ખાદ્ય મોંઘવારીની તેજ ચાલ દેશના વિકાસ પર પણ બ્રેક લગાવી શકે છે, કારણ કે જે પરિવાર ગરીબી રેખાની હદમાં નથી, પરંતુ તેની આસપાસ છે, તેમની આવકનો મોટો ભાગ ભોજનમાં ખર્ચાય જાય છે. મોંઘા ભોજનનો અર્થ એ છે કે તેમની તે આવક, જે તેમનું જીવનસ્તર ઉઠાવવામાં મદદગાર થઈ શકતી હતી, તે ભોજન પર ખર્ચાય જશે. સસ્તુ ભોજન માત્ર સારા આરોગ્ય અને ઉત્પાદકતા માટે જ જરૂરી નથી, પરંતુ તે દેસના ગરીબ વર્ગોના જીવનસ્તરને ઉંચે ઉઠાવવામાં પણ મદદગાર છે. પરંતુ આ સ્પષ્ટ છે કે સમસ્યા પાયાગત છે, માટે તેનો ઉકેલ પણ ઘણો જ બુનિયાદી અને જમીની સ્તરનો હોવો જોઈએ.
No comments:
Post a Comment