Sunday, 31 July 2011

ઉકળી રહ્યું છે યૂરોપ


સુનિલ ખિલનાની

ગત ઉનાળાની એક રાત્રે સ્ટોકહોમના સેન્ટ્રલ સ્ક્વેરમાં ફરતી વખતે મે એક ભયભીત કરનારું દ્રશ્ય જોયું. કાળા કપડાંમાં સુસજ્જિત યુવાનો, જેમાંના કેટલાંકના હાથોમાં ટોર્ચ હતી, અઠારમી સદીના સ્વીડિશ યોદ્ધા રાજા ચાર્લ્સ 12માની પ્રતિમા સામે ઉભા જમણા હાથથી તેઓ ફાંસીવાદી રીતે સેલ્યૂટ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે ચાર્લ્સ 12મો સ્વીડિશ દક્ષિણપંથી રાષ્ટ્રવાદીઓનો નાયક ગણાય છે. ડઝનબંધ પોલીસકર્મીઓએ તે યુવાનોને સુરક્ષિત ઘેરામાં રાખ્યા હતા, જેથી તેઓ પોતાના નાયકના દર્શન કરી શકે, જ્યારે થોડા અંતરે ફાંસીવાદ વિરોધી એક નાનકડો સમૂહ તેમની વિરુદ્ધ સૂત્રો પોકારી રહ્યો હતો.

યૂરોપમાં દક્ષિણપંથી ઉભાર સંદર્ભે મે સાંભળ્યું હતું, હવે હું તેના ભદ્દા પ્રદર્શનનો એક નમૂનો જોઈ રહ્યો હતો. મારી જિજ્ઞાસા શાંત કરવા માટે મે સાઈકલ ચલાવતા એક વૃદ્ધ સ્વીડિશ નાગરીકને પુછયું કે મામલો શું છે. તેનો જવાબ હતો, આ લોકો હકીકતમાં ટીવી શો માટે એક દ્રશ્યનું શૂંટિંગ કરી રહ્યાં છે. મને લાગ્યું કે હું પણ કેવો મૂર્ખ છું. આના આધારે હું યૂરોપીય સભ્યતાના પતનની કલ્પના કરી રહ્યો હતો. જ્યારે અહીં તો ટેલિવિઝનની એક ઐતિહાસિક શ્રેણીનું શૂટિંગ થઈ રહ્યું હતું.

આ ઘટનાના કેટલાંક માસ બાદ ઘોર રાષ્ટ્રવાદી સ્વીડન ડેમોક્રેટ્સ પાર્ટીએ પહેલીવાર સંસદમાં પ્રવેશ કર્યો. ગત એપ્રિલમાં દક્ષિણપંથી ટ્રુ ફિન્સ પાર્ટીને ફિનલેન્ડના પોપ્યુલર વોટનો પાંચમો ભાગ મળ્યો. જ્યારે ડેનમાર્કમાં કટ્ટર સ્વદેશી ડેનિશ પીપલ્સ પાર્ટી ગત એક દશકથી રાષ્ટ્રીય રાજનીતિમાં એક મહત્વપૂર્ણ શક્તિ છે. ક્યારેક પોતાની ઉદારવાદી રાજનીતિક સંસ્કૃતિ માટે ઓળખાનાર આ  તમામ દેશોમાં આજે દક્ષિણપંથી પાર્ટીઓ જ ગઠબંધન સરકારનો એજન્ડા અને તેમના નિર્ણયો નક્કી કરી રહી છે.

એ સવાલ ઉભો થઈ શકે કે દૂરના આ નાના દેશોની ઘટનાઓનો આપણા માટે શું અર્થ છે. પરંતુ આ ઘટનાઓનો પોતાનો અર્થ છે, કારણ કે આ એક સર્વવ્યાપક સમસ્યાનો પૂર્વાભાસ છે. એક એવા યુગમાં, જ્યાં મૂડી, વસ્તુ અને સેવાઓ દુનિયાભરમાં અભૂતપૂર્વ તીવ્રતાથી ચાલે છે, ત્યારે લોકોની ગતિ અને તેમની સ્થિતિ નક્કી કરવાનો માપદંડ શું હોવો જોઈએ?
જે વસ્તુ યૂરોપની ઘોર દક્ષિણપંથી પાર્ટીઓને એક કરે છે, તે અપ્રવાસી-વિદ્વેષી તો છે જ, યૂરોપ અને તે યૂરોપીય સંઘને પણ નકારે છે, જે આખા યૂરોપમાં લોકોના મુક્ત આવાગમનનો ટેકેદાર છે. યૂરોપીય સંઘે જે એકીકરણનું લક્ષ્ય સામે રાખ્યું હતું, આજે તે હચમચતું દેખાઈ રહ્યું છે. તેની બે મુખ્ય વિશિષ્ટતાઓ, સંયુક્ત કરો અને તમામ 27 દેશોમાં લોકોનું બેરોકટોક આવાગમન, ઘોર ડાબેરી અને ઘોર દક્ષિણપંથીઓ વચ્ચે ક્ષોભનું કારણ બની ગઈ છે. યૂરોપના ગરીબ ક્ષેત્ર અથવા કર્જના દબાણથી રાહત દાખવનારા વિસ્તારો પણ યૂરોપીય સંઘ વિરોધી છે, ચાહે તે એથેન્સનું સિગ્મા સ્ક્વેયર હોય, આખું સ્પેન હોય, મેડ્રિડ, બાર્સિલોના, લંડન અને પેરિસ હોય. જો કે આ યૂરોપીય સંઘના અમીર દેસોના બેંકરો અને નાણાંકીય વ્યવસ્થાપકોનો વિરોધ કરતાં નથી.

આ યૂરોપની સામાજીક અને આર્થિક અનિશ્ચિતતા જ છે, જે ત્યાંની ગલીઓમાં દક્ષિણ અને ડાબેરી વિરોધના સ્વરૂપે સામે આવે છે. યૂરો જોન અને સેનજેન ત્યારે અસ્તિત્વમાં આવ્યા હતા, જ્યારે વૈશ્વિકરણનો વિચાર હાવી હતો-જે બજાર અને તકનીકી અંતરસંબંધો દ્વારા બહેતર બદલાવમાં વિશ્વાસ કરે છે. વૈશ્વિકરણનું આ સૌથી ભ્રામક મિથક છે, જે અમીર અને ગરીબ, વિકસિત અને વિકાસશીલ દેશોને એકસાથે લાવે છે. ભૂમંડલીકરણની સ્થાપાનઓ વિરોધાભાસી છે. તે કુલ મળીને એક પરિવર્તનશીલ પ્રક્રીયા છે, જે દુનિયાને એકજૂટ રાખે છે અને જેમાં સતત પ્રતિસ્પર્ધાત્મક સંતુલન બનાવી રાખવાની જરૂરત હોય છે. તે બાળકોના શી-શૉ ગેમ જેવું છે. એવું લાગે છે કે વૈશ્વિકરણ માળખાગત અસંતુલનથી પેદા થયું છે, જે અસ્થિરતાને ખતમ કરી દે છે, પરંતુ તેના બદલામાં ભીષણ રાજકીય અસ્થિરતાને જન્મ આપે છે.

વૈશ્વિક મેળ-મેળાપ અને એકજૂટતાને પ્રોત્સાહન આપવાની જગ્યાએ વૈશ્વિકરણ આત્મપ્રશંસાને વધારી દે છે અને લોકોને શિકાર પણ બનાવે છે-પરિણામે તેની વિરુદ્ધ સ્થાનિક સ્તર પર અસંતોષ પેદા થાય છે. વૈશ્વિકરણ માત્ર દેશોની વચ્ચેનું આર્થિક ભૂગોળ જ નથી બદલતું, તે રાષ્ટ્ર-રાજ્યો અને મોટા સંઘોના આર્થિક ભૂગોળને પણ બદલી નાખે છે. આ તેનું જ પરિણામ છે કે દેશનો કેટલોક ભાગ આર્થિક વિકાસથી જગમગતો રહે છે, તો બાકીનો વિસ્તાર ગરીબ બની રહે છે. આંતરરાષ્ટ્રીય પ્રવૃતિઓ જ્યાં સરહદો પર રોકાય જાય છે, ત્યાં રાષ્ટ્ર-રાજ્યો, ખાસ કરીને ઉદારવાદી લોકતંત્રમાં, નાગરીકતાનો અર્થ નાગરીકોને બેરોકટોક આવાગમનનો અધિકાર આપવો પણ છે. બજારવાદી લોકતંત્રોમાં આ સ્થિતિ છે. અમેરિકા અને ભારત બાદ (જ્યાં શિવસેના બેરોકટોક આવાગમનને પ્રતિબંધિત કરવાની આગ્રહી છે.) યૂરોપીય સંઘની આ સ્થિતિ છે. ચીનની સ્થિતિ અલગ છે, ત્યાં નાગરીક પ્રવૃતિઓ સરકારી લાઈસન્સો દ્વારા નિયંત્રિત થાય છે.

વૈશ્વિકરણે બેશક લાખો લોકોનું જીવનસ્તર બદલ્યું છે, તેમ છતાં એક મૌલિક દાર્શનિક સવાલ ઉભો થાય છે, દુનિયામાં તે કઈ જગ્યા છે, જ્યાં લોકો વચ્ચે અંતર નથી? તેના ત્રણ પ્રકારના જવાબ છે. તેનો પહેલો, સૌથી જૂનો અને સૌથી પ્રભાવશાળી જવાબ છે કે લોકોએ એ સમાજ અથવા વર્ગમાં રહેવું જોઈએ, જ્યાં તેઓ પેદા થયા છે. એ પણ કે સંસ્કૃતિ, ભાષા અને પરંપરા જ કોઈ વિસ્તારની સ્વાભાવિક સરહદો છે. આ પ્રશ્નનો બીજો ઉત્તર તે છે, જે ઉદારવાદી લોકો આપે છે કે બજાર જ્યાં બોલાવે અને જ્યાં મૂડી તેને રોજગાર આપે, લોકોને ત્યાં બેરોકટોક જવાની મંજૂરી આપવી જોઈએ. ત્રીજો મૌલિક દ્રષ્ટિકોણ છે, જે ન્યાય અને આચારશાસ્ત્રની ભાષામાં વ્યક્ત થાય છે, લોકોને ત્યાં જવાનો અધિકાર છે, જ્યાં તેઓ સમજે છે કે પોતાનું જીવન યાપન સર્વોત્તમ રૂપથી કરી શકે છે. અને તેવામાં તેમણે આ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની આઝાદી પણ હોવી જોઈએ, જે તેમને પોતાની ઈચ્છિત જગ્યાએ જતાં રોકે છે.

આગામી દિવસોમાં જેમ-જેમ મૂડી, સંપત્તિના દાવા અને ન્યાયની માગણી પરસ્પર ટકરાશે, આ પ્રકારના તર્કો વચ્ચે સંઘર્ષ વધશે. એ સાચું છે કે બૌદ્ધિક તર્કો દ્વારા આ જટિલ અને સંવેદનશીલ મુદ્દાનો હલ નીકળશે નહીં, પરંતુ બૌદ્ધિક કોશિશોના અભાવમાં આપણી સામે નોકરશાહીના કાયદા અને રહસ્યમય વીઝા કાયદા સિવાય કોઈ વિકલ્પ હશે નહીં. સ્વીડિશ ટીવી પર આવનારું આ ઐતિહાસિક નાટક કદાચ ભવિષ્ય સંદર્ભે એ બધું વિસ્તારથી જણાવે, જેને આપણે જાણવા ચાહીએ છીએ.

સંકટમાં દરેક સરકાર



હરિવંશ

ભારત માટે સૌથી જરૂરી વસ્તુ છે શાસન. તે પણ કેન્દ્રનું. શાસન એટલે કેન્દ્રનું શક્તિશાળી હોવું. મધુ લિમયે જે સત્તાના વિકેન્દ્રીકરણ સિદ્ધાંતના પાલનમાં પળીને મોટા થયા, તે પણ માનતા હતા કે મજબૂત ભારત માટે દિલ્હીનું સશક્ત હોવું જરૂરી છે.

કોંગ્રેસની સતત દુર્દશા અને રાજા દ્વારા થનારી રોજની ફજેતીએ કેન્દ્રને સૌથી વધારે કમજોર કરી દીધી છે. ભાજપ, ભારતમાં કોંગ્રેસનો વિકલ્પ બની શક્યું નથી. યેદિયુરપ્પા જેવાના પાપ ભાજપ જેવા પક્ષોને ડુબાડી રહ્યાં છે. માટે ભાજપ સશક્ત, સાર્થક અને સમયને અનુરૂપ વિપક્ષની ભૂમિકામાં નથી, કારણ કે યેદિયુરપ્પાના મેન્ટર (સંરક્ષક) ભાજપમાં મોટા પદો પર છે. યેદિયુરપ્પા મામલા પર ભાજપ લોકલાજ છોડીને સતી થવા ઈચ્છે છે, તો તેનાથી દેશનું મોટું નુકસાન નથી. ભાજપ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરે છે, તો તેના પક્ષમાં યેદિયુરપ્પા જેવા લોકો સભ્ય પણ ન હોવા જોઈએ. પરંતુ સંકેત છે કે તે મુખ્યમંત્રી પદ છોડશે, તો તેમને કર્ણાટક ભાજપનું અધ્યક્ષ પદ જોઈએ. માટે ભાજપ તો ભવિષ્યહીન છે, પરંતુ કોંગ્રેસ? કોંગ્રેસનું, ભારતની મુક્તિના સંઘર્ષ અને જન્મ સાથે જોડાણ રહ્યું છે. અતીતમાં આ પાર્ટી, સંયુક્ત સમાજની અભિવ્યક્તિનો મંચ રહી છે. જો આ પાર્ટી રાજા, અમર સિંહ જેવાના સવાલોથી ઘેરાય જાય, તો ચર્ચિલના કહેલા પ્રસંગનું સ્મરણ થાય છે. આઝાદી મળવાની હતી, ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે આ વૃદ્ધ પેઢીના ગુજર્યા બાદ આ દેશને ચલાવવાની ક્ષમતા અહીંના લોકોમાં નથી. આ દેશ તૂટી અને વિખેરાય જશે.

રાજાએ કોર્ટમાં વડાપ્રધાન અને ચિદમ્બરમ પર જે પલટવાર કર્યો છે, તેણે કેન્દ્ર સરકારની શાખ ખતમ કરી નાખી છે. કોંગ્રેસ બચાવમાં કહી રહી છે કે ભાજપ પહેલા યેદિયુરપ્પાની વાત કરે, તેમને હટાવે. શું વડાપ્રધાન મનમોહન સિંહની સરખામણી યેદિયુરપ્પાથી થશે? આ જવાબ કોંગ્રેસ ભાજપને આપી રહી છે અથવા દેશને? શું ભાજપ અને યેદિયુરપ્પા જ દેશ છે? અથવા યેદિયુરપ્પા અને ભાજપની બહાર પણ ભારત છે? વડાપ્રધાનની એક છબી રહી છે. તેમની વ્યક્તિગત છબી હજી સુધી બેદાગ રહી છે. પરંતુ રાજાના સવાલોએ નાણાં મંત્રી અને વડાપ્રધાન પદની બંધારણીય ભૂમિકા, મંત્રીમંડળના સામૂહિક દાયિત્વ પર ગંભીર સવાલ કર્યા છે, કોઈ તત્કાલિન નાણાં મંત્રીને કોર્ટમાં ખેંચવા ચાહે છે, કોઈ ભૂતપૂર્વ સરકારી સચિવ કહે છે કે હું જેલમાં છું, તો રિજર્વ બેંકના ગવર્નર સાચા કેવી રીતે છે? ભારત સંઘની શક્તિનું પ્રતીક છે, વડાપ્રધાન, નાણાં મંત્રી, ગૃહ મંત્રી, રિજર્વ બેંકના ગવર્નર વગેરે. આ પદ પણ આરોપોના લપેટામાં આવ્યા, તો ભારત સંઘની શક્તિનું શું થશે? આ પદ માત્ર બંધારણીય-કાયદાકીય સત્તાના પ્રતીક નથી. લોક નજરમાં આ સર્વોચ્ચ પદ, વૈદ્યતા ખોવા લાગશે, તો ભારતનું ભવિષ્ય શું હશે?
બીજી તરફ, કોંગ્રેસ સંગઠનની પરિસ્થિતિ વધુ ખરાબ છે. મણિશંકર અય્યર નિવેદન આપે છે કે કોંગ્રેસ સરકસ છે. તે 24 અકબર રોડ પુસ્તકના વિમોચન પ્રસંગે બોલી રહ્યાં હતા. મણિશંકર અય્યર રાજીવ ગાંધીના પારિવારીક મિત્ર રહ્યાં છે. અધિકારીમાંથી તેઓ મંત્રી બન્યા. કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કહ્યું છે કે પર્યાવરણ મંત્રીના રૂપમાં તેઓ પોતાની સરકારમાં શિખંડીની ભૂમિકામાં હતા. દિગ્વિજય સિંહ જેવા નેતા નવા અવતારમાં છે. જો આ પદનો વ્યક્તિ (જેમાં ક્યારેક દેશ ભાવિ વડાપ્રધાનની છબી જોતો હતો) સડક પર ઉતરીને મારામારી કરે, તો તે પાર્ટીના પતનને રાષ્ટ્રીય આપત માની લેવી જોઈએ. એટલું જ નહીં, કોંગ્રેસ એ પણ ભૂલી ગઈ છે કે તે કોઈ મહાન પરંપરાની દેણ છે. (ગાંધીજીની ઈચ્છા પ્રમાણે આઝાદી બાદ ભંગ થઈ લોકસેવક સંઘ બન્યો હોત, તો કદાચ દેશનો ઘણો ઉપકાર હોત.) મોટા કોંગ્રેસી નેતા જ્યારે મારામારી કરે છે, તો નાના કોંગ્રેસી નેતા શું કરશે? રાંચીમાં કપિલ સિબ્બલ આવ્યા હતા. આઈસાના કેટલાંક નવયુવાનો બહાર તેમનો વિરોધ કરી રહ્યાં હતા. તેમને કોંગ્રેસીઓએ ખરાબ રીતે માર્યા. શું સત્તામદમાં કોંગ્રેસના લોકો લઘુત્તમ મર્યાદા પણ ભૂલી રહ્યાં છે? શું તેઓ વિરોધને કચડી નાખવા ચાહે છે? જો આ રસ્તો સાચો છે, તો જે જૂનાં મોટા કોંગ્રેસી નેતાઓએ આઝાદીની લડાઈમાં પ્રતિકાર અથવા વિરોધ પ્રદર્શનને રાજનીતિ તરીકે કારગર હથિયાર તરીકે પસંદ કર્યા હતા, શું તેઓ બધાં અપરાધી હતા? શું કોંગ્રેસ રાજનીતિની ફિલોસોફી બદલવા ચાહે છે?

જે હથિયારોથી કોંગ્રેસ અસ્તિત્વમાં આવી, સત્યાગ્રહ, ધરણાં, સવિનય કાનૂન ભંગ, પ્રદર્શન, વિરોધ, તેને તે ખૂબસૂરતીથી કચડી રહી છે. યાદ કરો જ્યારે પહેલી વાર લોકતંત્રમાં આ નવા વધુ ધારદાર સાત્વિક પ્રતિરોધક હથિયાર સાધન તરીકે અપનાવાયા, ત્યારે દુનિયાએ આશ્ચર્યની સાથે ભારત તરફ જોયું. કોંગ્રેસે બાબા રામદેવના આંદોલનને કચડી નાખવા નવું હથિયાર શોધી લીધું છે. વિરોધને દબાવવા-કચડવા માટે. દિલ્હી પોલીસ પાસે અન્ના હજારેના આંદોલન પર રોક લગાવડાવી દીધી. બીજી તરફ દિગ્વિજય સિંહે નિવેદન આપ્યું કે સરકાર કોઈના અનશનથી ડરતી નથી. બાબા રામદેવના પ્રદર્શન-ધરણાંમાં દિલ્હી પોલીસે જે કર્યું, હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન છુપાયેલા-દબાયેલા તથ્યો અને સંકેત સામે આવી રહ્યાં છે. દિલ્હી પોલીસ, દિલ્હી વહીવટી તંત્રના તાબામાં છે, પરંતુ બાબા રામદેવના ધરણાં દરમિયાન તેને રામલીલા મેદાનમાં કાર્યવાહી કરવા માટે ઉપરથી આદેશ મળ્યા? શું આ સંઘીય માળખા હેઠળ શાસન છે? હવે આ જ રણનીતિ અન્ના હજારે સાથે અપનાવાય રહી છે. 

કોંગ્રેસના આ વલણ પર આરજેડી, સમાજવાદી પાર્ટી અને ડાબેરીની ભૂમિકા અથવા ચુપકીદી ધ્યાન આપવા લાયક છે? મોંઘવારીનો વિરોધ કરતાં ઘૂમી રહ્યાં હતા મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ યાદવ. પરંતુ બહાર વિરોધ, લોકસભામાં કોંગ્રેસને મદદ. આ પ્રકારે ભ્રષ્ટાચારના એવા-એવા મામલા સામે આવ્યા છે, જેવા વીતેલા 60 વર્ષોમાં આવ્યા નથી. મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની જ ઉપજ છે. પરંતુ આજના જેવો ભ્રષ્ટાચાર જાહેર જીવનમાં ક્યારેય રહ્યો નથી, પરંતુ આ જમીની નેતા મૌન છે. લાલુજી રામદેવજીની વિરુદ્ધ બોલે છે. લોકપાલ મુદ્દા પર આ પક્ષોનો મત શું છે? ખબર નથી. સાંસદ લાંચકાંડમાં, પૂર્ણ તપાસ વગર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મુક્ત કરી દેવાઈ. ઓછામાં ઓછી તપાસ પૂરી થવાની લોકલાજ તો દાખવત. જે કટ્ટર વેરી થઈ ગયા હતા, એકબીજાને મિટાવી દેવાનો શંખનાદ કરી રહ્યાં હતા, તે મુલાયમ સિંહ-અમર સિંહમાં નવા પ્રેમનું રહસ્ય શું છે?

અન્ના હજારે અને બાબા રામદેવના પ્રસંગમાં જે પ્રકારે કોંગ્રેસીઓના નિવેદન આવી રહ્યાં છે, તે સંકેત છે કે મહાન વરસાવાળી આ પાર્ટી ક્યાં પહોંચી ગઈ છે? અન્ના હજારે અને રામદેવથી આપણે અસંમત હોઈ શકીએ, આ બંનેની બધી માગણીઓ અને પસ્તાવોથી સંમત પણ ન થઈ શકાય. પરંતુ જાહેર જીવનમાં લોકમર્યાદા જાળવી રાખવાની જવાબદારી કોની છે? શાસક પાર્ટીની અથવા અન્ના હજારે કે રામદેવજીની?

એ પણ દુર્ભાગ્ય છે કે કોંગ્રેસના સતત હ્રાસથી જન્મેલા મહાશૂન્યને ભરવા માટે આજે કોઈ વિકલ્પ નથી. આ વિશ્લેષણનો એ નિષ્કર્ષ પણ છે કે આઝાદી બાદ કોંગ્રેસ સત્તા ચલાવવામાં નિપુણ બની શકી નથી. આઝાદીની આગથી આ પાર્ટી તપાઈને નીકળી. સૌથી વધારે સમય સુધી શાસન આ પક્ષના લોકોએ કર્યું. તેમ છતાં આ પક્ષ દેશને રાજકીય સ્થિરતા આપી શક્યો નથી. ગત 60 વર્ષોના ઈતિહાસ પર આપણે નજર નાખીએ, ખાસ કરીને 1962 બાદ. દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્રની સરકાર ડગમગવા લાગે છે. તે પોતાની વૈદ્યતા, નૈતિક-આભા અને પ્રામાણિકતા ખોતી નજરે પડે છે. શાસન સંચાલન કઠિન લાગે છે. અરાજકતાની પરિસ્થિતિ દેખાવા લાગે છે. જેમને જનતા શક્તિ આપીને મજબૂત બનાવે છે, ગાદી પર બેસાડે છે, તે પક્ષઘાતના શિકાર બની જાય છે. 

શરૂઆતમાં 15 વર્ષ સુધી પંડિત નેહરુએ ભારત પર એકછત્ર રાજ્ય કર્યું. 1962માં કોંગ્રેસને જનતાએ ભારે બહુમતી સાથે ચૂંટી, પરંતુ ચીન યુદ્ધે કોંગ્રેસને અસમયે નિસ્તેજ કરી દીધી. 1957થી 1962 સુધી કોંગ્રેસને વધારે બહુમતી મળી હતી. ચીનના હુમલાની સાથે જ 10 માસમાં તે લોક સમર્થન વિખેરાઈ ગયું. કોંગ્રેસ નિસ્તેજ થઈ ગઈ. કેન્દ્ર સરકારની વિશ્વસનીયતા, વહીવટી કૌશલ પર સવાલ ઉઠવા લાગ્યા. આ પરાજયે દેશના મન અને માન બંને તોડી નાખ્યા. પંડિતજી આંદોલનની દેણ હતા. તેઓ ઓળખી ગયા. લોક નજરમાં પાર્ટી ગુનેગાર બની રહી છે. પંડિતજીનો અધ્યાય ખતમ થઈ ગયો હતો. તેમ છતાં તેમણે પાર્ટીનું તેજ-શૌર્ય પાછું મેળવવાની કોશિશ કરી. કામરાજ પ્લાનથી.

1963માં પંડિત નેહરુએ કામરાજ યોજના લાગુ કરી. મોટા-મોટા કોંગ્રેસી મોરારજી દેસાઈ, લાલબહાદૂર શાસ્ત્રી, જગજીવન રામ, કામરાજ, બીજૂ પટનાયક, ભગવંતરામ મંડલાઈ, વિનોદાનંદ ઝા જેવા નેતાઓને હટાવાયા. પંડિત નેહરુએ સમજી લીધું, જનતા નારાજ છે, માટે કોંગ્રેસની અંદર સફાઈ જરૂરી છે. પંડિત નેહરુ અસ્વસ્થ હતા અને વડાપ્રધાન હોવા છતાં અપ્રભાવી ભૂમિકામાં હતા. પછી પંડિતજી રહ્યાં નહીં. લાલબહાદૂર શાસ્ત્રીએ કમાન સંભાળી, પછી ઈન્દિરા ગાંધીએ. આ તબક્કામાં દુષ્કાળ, કાશ્મીરમાં મુજાહિદ, પાકિસ્તાન સાથે યુદ્ધ, બે વડાપ્રધાનોના મોત, દેશે બધું જોયું અને ભોગવ્યું. તે દિવસોમાં દિલ્હીને કમજોર જાણીને રાજ્યોમાં અરાજકતા પગ ફેલવવા લાગી. 1966માં અલગ પંજાબ માટે સંત ફતેસિંહે આત્મદાહની ધમકી આપી. વિશાખાપટ્ટનમમાં સ્ટીલ કારખાનાના સવાલ પર આંધ્ર પ્રદેશમાં હુલ્લડ ફેલાયા. ગોવધના પ્રશ્ને સંસદનો ઘેરાવ થયો. આ બધી બાબતોના પરિણામે ભારતના નવ રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો કરી દીધો. પછી 1966થી ઈન્દિરા ગાંધીના યુગની શરૂઆત થઈ.
1967થી 1971 વચ્ચે પક્ષપલટાથી લઈને રાજકારણના દરેક અનૈતિક હથકંડાઓને લોકમાન્યતા આપવાનો તબક્કો શરૂ થયો. ઈન્દિરા ગાંધીએ 1969માં કોંગ્રેસના ભાગલા કરી દીધા. કોંગ્રેસના કાયાકલ્પ માટે. 1967માં લોકસભામાં કોંગ્રેસને બહુમતી જરૂર મળી હતી, પરંતુ સંખ્યા ઘણી ઘટી ગઈ હતી. શ્રીમતી ગાંધીએ રાજકારણને પાયાના સવાલો સાથે જોડવાની પહેલ કરી. કોંગ્રેસને તોડી અને દેશને નવા સપના આપ્યા. તેમને બે તૃતિયાંશ બહુમતી મળી, પરંતુ પરિણામ શું આવ્યું, આ બે તૃતિયાંશ બહુમતીનું?

1971માં દેશે ઈન્દિરા ગાંધીને તે સત્તા આપી, જે પંડિત નેહરુ જેવા કદ્દાવર નેતાને મળી ન હતી. 1971ના અંતમાં બાંગ્લાદેશ યુદ્ધ થયું. શ્રીમતી ગાંધી મહાશક્તિશાળી બન્યા. ત્યારે અટલ બિહારી વાજપેયીએ તેમને દુર્ગા પણ કહ્યાં. 1973માં પેટ્રોલના ભાવ વધ્યા, મોંઘવારી દરવાજો ખખડાવા લાગી, દુષ્કાળ પડયો, ઘઉંના થોક વેપારનું રાષ્ટ્રીયકરણ થયું, તો શ્રીમતી ગાંધીએ પણ માન્યું કે દેશને એક આર્થિક જાદૂગર જોઈએ. તેમણે જર્મનીના લૂડવીકની ચર્ચા કરી, જેમણે પશ્ચિમ જર્મનીનો આર્થિક કાયાપલટ કર્યો હતો. પરંતુ ભારતમાં કોઈ ચમત્કાર થયો નહીં. 

1974માં દેશ ફરીથી રાજકીય સંકટમાં ફસાવવા લાગ્યો. વધતાં ભ્રષ્ટાચાર, અનૈતિક રાજનીતિ, ચૂંટણીમાં સુધારા જેવા ગંભીર મામલા પર કોઈ ઉકેલ નીકળ્યો નહીં. ગવર્નેંસનું કોઈ મોડલ કોંગ્રેસ વિકસિત કરી શકી નહીં. કુશાસન, ભ્રષ્ટાચાર, ચૂંટણીઓમાં ધાંધલી, ગુનેગારોના હાથમાં જતી રાજનીતિ, બ્લેક મનીની વધતી શક્તિ, પાર્ટીઓની અંદર ખતમ થતું લોકતંત્ર, કોંગ્રેસનો વિકલ્પ ન ઉભરવા જેવા અનેક પાયાના સવાલો હતા, જે ગત બે દશકોથી દેશની પીઠ પર બોજ બની ચુક્યા હતા. પરંતુ તેને ઉકેલવાની કોશિશ કોઈ સ્તરે ન હતી. તેને ઉકેલવાના બે જ રસ્તા હતા. પહેલો આદર્શ રાજનીતિ, જે પોતાના વિચારો, સિદ્ધાંતો, કલ્પનાઓ અને સપનાઓથી બુઝેલા મન અને કોમને એક નવો બોધ, ગતિ અને અર્થ આપી શકે, એક નવી રાહ પર લઈ જઈ શકે. પરંતુ લોકસત્તાને જગાડનારી તે રાજનીતિ જ ખતમ થઈ ગઈ. રાજનીતિનો અર્થ થઈ ગયો સત્તા. જયપ્રકાશ નારાયણ અપવાદ હતા, તેઓ લોક રાજનીતિના આગેવન હતા. આ લોક રાજનીતિએ સત્તા રાજનીતિને પડકારી. તેનું પરિણામ સામે હતું. દેશને પાટા પર લાવવાનો બીજો રસ્તો હતો, શ્રેષ્ઠ શાસન. પંડિત નેહરુના જીવનકાળમાં જ પ્રો. ગુન્નાર મિર્ડલે ભારતને ફંક્શનલ એનાર્કી કહ્યું. તેના ચોપટ થઈ રહેલા શાસકીય માપદંડો જોઈને. આ સમસ્યા સતત ગંભીર અને બેકાબૂ થતી ગઈ છે. આજે ભારતનો મોટો ભાગ લગભગ અશાસિત છે. ત્યાં સત્તાનું નહીં, સત્તાના સમાંતર કેન્દ્રોનું રાજ છે. લોકસભામાં પ્રબળ અને પ્રચંડ બહુમત બાદ પણ ઈન્દિરા ગાંધી દેશના રાજકીય અને આર્થિક પડકારોનો હલ શોધી શક્યા નહીં. 

1975માં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ તે સત્તામાં રહેવા છતાં પણ આભા ખોઈ બેઠા. અંતે ઈમરજન્સી લગાવીને તેમણે પોતાની ચમક પાછી મેળવવાની કોશિશ કરી. પરંતુ 21 માસમાં તે પણ ધ્વસ્ત થઈ ગયા. 1977માં જનતા પાર્ટી બે તૃતિયાંશ બહુમતીથી જીતી. પહેલીવાર કોંગ્રેસ કેન્દ્રમાંથી હટી. પરંતુ આ જનતા લહેર પણ 28 માસની અંદર ઉતરી ગઈ. દેશની પાયાગત સમસ્યાઓ પોતાની જગ્યાએ યથાવત રહી. 1980માં ફરીથી ઈન્દિરા ગાંધી સત્તામાં પાછા ફર્યા. 1983 આવતા સુધી તે અસહાય દેખાવા લાગ્યા. તે પોતાનો જાદૂઈ સ્પર્શ ગુમાવી ચુક્યા હતા. પંજાબની સમસ્યા, ભિંડરાવાલેનો પડકાર નવા સંકટ તરીકે સામે આવ્યો હતો. 1984માં તેમનો દુખદ અંત થયો. તેમના મોતની લહેરે રાજીવ ગાંધીને તે શક્તિ અને સમર્થન આપ્યા, જે પંડિત નેહરુ અથવા ઈન્દિરા ગાંધીને મળ્યું ન હતું. એક નવા સપનાની સાથે રાજીવ ગાંધીનો ઉદય થયો. પરંતુ ત્રણ વર્ષ પણ પસાર થયા ન હતા કે બોફોર્સનો મુદ્દો તેમને લઈને ડૂબ્યો. ફરી એક વખત બિનકોંગ્રેસી સરકાર બની. વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન બન્યા, પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત અથવા ચૂંટણી સુધાર જેવા પાયાગત સવાલો પાછળ છૂટી ગયા. દેશમાં મંડળ અને કમંડળનો તબક્કો શરૂ થયો. 

ચંદ્રશેખરને કોંગ્રેસે સત્તામાં બેસાડયા, પછી કેટલાંક માસમાં તેમની સરકાર પાડી નાખી, ચરણ સિંહની જેમ. આ બંને સરકારોને પાડવાનું કામ કોંગ્રેસે કર્યું. પછી નરસિંહ રાવની સરકાર બની. પરંતુ બે વર્ષોમાં જ તે પોતાનું તેજ ગુમાવી બેઠી. પહેલીવાર સાંસદોને લાંચ આપવાનો આરોપ લાગ્યો. સાસંદોને સુખી રાખવા માટે તેમણે સાંસદ ફંડ શરૂ કર્યું. હર્ષદ મેહતા અને લખુભાઈએ સીધી વડાપ્રધાનને લાંચ આપ્યાનો આરોપ લગાવ્યો. હર્ષદ મેહતાએ સીધો વડાપ્રધાન કાર્યાલયમાં લાંચ આપવાનો આરોપ લગાવ્યો. દેવગૌડા, ગુજરાલની સરકારો દેશમાં અસ્થિરતાનો તબક્કો લાવી. 5-6 વર્ષોમાં 2-3 સરકારો આવી અને ગઈ. પછી આવ્યો એનડીએનો તબક્કો, જેમાં ઘણાં મુદ્દા ઉભર્યા. ગુજરાતથી લઈને સંરક્ષણ સોદા સુધીના. ત્યાર બાદ યુપીએની વાપસી થઈ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. સ્વચ્છ છબીવાળી તેમની ઈમેજ છે. પંરતુ તેમના મંત્રીમંડળમાં અનેક ગંભીર આરોપોથી ઘેરાયેલા લોકો હતા. બે-અઢી વર્ષોમાં જ અનેક ગંભીર આરોપોથી તેમની સરકાર ઘેરાઈ ગઈ. અંત આવતા સુધી સંસદમાં પરમાણુ કરારના પ્રસંગ પર સાંસદોને લાંચના પ્રકરણે યુપીએ સરકારનો બચેલો યશ પણ ધોઈ નાખ્યો. હવે તે મામલા પણ પલટીને રંગ લાવવા લાગ્યા છે. વિકિલીક્સથી લઈને ઘણાં અન્ય સ્ત્રોતોથી ખુલાસા થયા. પછી અમર સિંહના બચાવમાં સત્તાની ભૂમિકા, પૂરી તપાસ પહેલા જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને ક્લીન ચીટ.

યુપીએનો બીજો કાર્યકાળ તો વધુ સંકટપૂર્ણ છે. લોકસભા ચૂંટણીઓના દોઢ વર્ષ બાદ જ આ સરકાર શ્રીહીન થવા લાગી. તેના મંત્રીઓ પર અનેક ગંભીર આરોપો લાગ્યા. રાજા પ્રકરણ, કોમનવેલ્થ ગેમ્સ ગોટાળા જેવા અનેક ગોટાળાથી કેન્દ્ર સરકાર સત્વહીન બની છે, તેનો નૈતિક પ્રતાપ ખતમ થઈ ચુક્યો છે.
આ પ્રકારે તમે ધ્યાન આપો કે દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્ર એક ગંભીર સંકટમાં ઘેરાઈ જાય છે. આ સંકટ શું છે? તેનું મૂળ શું છે? શું આપણે ભારતીય શાસન ચલાવવા-સંભાળવા યોગ્ય નથી? શું ચર્ચિલે આપણી યોગ્યતાની સાચી ભવિષ્યવાણી કરી હતી? ક્યાં કારણોથી આવું વારંવાર થઈ રહ્યું છે? જ્યાં સુધી તે કારણો શોધવામાં નહીં આવે, પરિસ્થિતિ સુધરવાની નથી. દેશ લગભગ અશાસિત થઈ ગયો છે. તેને ઠીક કરવા માટે પહેલી જરૂરત છે- ચૂંટણી સુધાર, ભ્રષ્ટાચારની વિરુદ્ધ કડક કાયદા, ભ્રષ્ટ લોકોને ફાંસી અથવા આજીવન કેદની સજા. વિદેશોમાં રાખેલા ભારતીય ધનની વાપસી. કોર્પોરેટ હાઉસોના દલાલોનો રાજનીતિમાંથી સફાયો. ત્વરીત ન્યાય પ્રક્રીયા અને કેસોનો નિપટારો. કુદરતી સંસાધનોની લૂંટ પર પ્રતિબંધ. જેમને અસીમિત અધિકાર છે, તેમાં કાપ. સંસ્થાઓને મજબૂત બનાવવી. પ્રતિભાને સંરક્ષણ, વોટની રાજનીતિથી દેશને ઉપર માનવો. રાજકીય પક્ષોમાં વિચારોની વાપસી. રાજકીય પક્ષોની અંદર લોકતંત્ર, પરિવારવાદનો ખાતમો. સિસ્ટમને નૈતિક બનાવવી, જેથી એકાઉન્ટિબિલિટી નક્કી થાય. આટલાં મોટાં-મોટાં ગોટાળા થયા, પરંતુ કોઈ એકે તેની જવાબદારી લીધી? બ્રિટેનમાં મડરેક પ્રકરણ થયું છે. ત્યાંના વડાપ્રધાને જવાબદારી લીધી છે. પોતાની ભૂલ માની છે. તેને ઠીક કરવા માટે બંધારણીય પહેલ કરી છે. ભારતમાં 2જીથી લઈને કોમનવેલ્થ ગેમ્સ સુધીના ગોટાળાઓમાં કોઈએ કહ્યું નથી કે અમારાથી ભૂલ થઈ છે. આ મામૂલી લોકલાજ અને શરમ પણ રાષ્ટ્રીય જીવનમાં બચી નથી. શાસન કેવું ઢીલુંઢાલું ચાલી રહ્યું છે? ચિદમ્બરમ હાર્વર્ડથી ભણેલા છે. ખૂબ તેજ-તર્રાર અને સક્ષમ ગણાય છે. તેમણે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓની યાદી સોંપી, તેમાં ઘણાં આતંકવાદીઓ ભારતીય જેલોમાં છે. તેનાથી આખી દુનિયામાં ભારતની જગ હસાઈ થઈ. તેનો કોઈ દોષિત છે કે નહીં? હકીકત એ છે કે આપણી આખી સિસ્ટમ ઈનએફિશિયન્ટ, અક્ષમ અને અકર્મણ્ય લોકોથી ભરાઈ ગઈ છે. જાહિલોની ફોજ તો આવી જ રીતે કામ કરશે ને?

બીજી તરફ, પાકિસ્તાનમાં ઘૂસીને અમેરિકાએ લાદેનને માર્યો, તો ભારતીય સેનાધ્યક્ષનું અમર્યાદિત અને ધ્યાન આપવા લાયક નિવેદન આવ્યું કે આપણી અંદર પણ આમ કરવાની ક્ષમતા છે. શું આ એક ગંભીર રાષ્ટ્ર અને સમાજનું નિવેદન છે? આટલા મોટા પદો પર બેઠેલા લોકો આવી કેવી બિનજવાબદાર વાતો કરી શકે છે? પરાકાષ્ઠા તો ત્યારે થઈ, જ્યારે વડાપ્રધાને આ વિષય પર કહ્યું કે અમેરિકા જેવી કાર્યવાહીની આપણી અંદર ક્ષમતા જ નથી. સેનાધ્યક્ષ કંઈક કહે છે, વડાપ્રધાન કંઈક કહે છે. યાદ રાખો, આ વિરોધી નિવેદનો નથી. સરકારમાં બેઠેલા શિખરના લોકોના નિવેદનો છે. આ દેશ કેવી રીતે ચાલી રહ્યો છે? ઉપરના સ્તરે કેવો તાલમેલ છે? કોના નિયંત્રણમાં છે આ દેશ? એ સ્પષ્ટ નથી. સતત આતંકવાદી હુમલા થઈ રહ્યાં છે, તેને આપણે રોકી શકતા નથી. ન તો આ ટોળકીઓને ધ્વસ્ત કરી શકીએ છીએ, ન તો ખરાં અપરાધીને પકડી શકીએ છીએ. પરંતુ આપણાં એર ચીફ માર્શલ પી.વી.નાયકે 26 જુલાઈએ નિવેદન આપ્યું કે પાકિસ્તાને દુસ્સાહસ કર્યું, તો આપણે તેને મિટાવી દઈશું. આ નિવેદન એવા સમયે આવ્યું, જ્યારે બંને દેશોના વિદેશ સચિવ અને વિદેશ મંત્રી 27 જુલાઈની વાતચીતની તૈયારીમાં લાગેલા હતા. શું આ રાજનીતિ અથવા કૂટનીતિ છે?

શક્તિનો અહેસાસ કેવો હોય છે, આ જોવું હોય, તો ચીન પાસેથી શીખો. તાજેતરમાં ઓબામા, દલાઈ લામાને મળ્યા. આ મુલાકાત પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગંભીર વાંધો ઉઠાવ્યો. બીજા દિવસે વ્હાઈટ હાઉસની માફીના લહેજામાં સ્પષ્ટતા આવી. ચીનના કોઈ મોટા નેતા અથવા મંત્રીએ નિવેદન આપ્યું ન હતું. પરંતુ માત્ર પ્રવક્તાના નિવેદન પર, અમેરિકા જેવા મહાશક્તિશાળી દેશે તુરંત સ્પષ્ટતા આપી. આ છે શક્તિનું રહસ્ય. જૂની કહેવત છે કે કરનારા અથવા વરસનારા ગરજતા નથી.

Thursday, 28 July 2011

આરએસએસનો નકલી ભય



રાજનાથ સિંહ સૂર્ય

ભારતીયતા જ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીયતા જ મંત્રીધર્મ છે. આ વિચારધારામાં આસ્થા રાખનારાઓને કોંગ્રેસ મહામંત્રી દિગ્વિજય સિંહ પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ. તેમણે આ અવધારણાથી લોકોને જોડવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કામને આસાન કરી દીધું છે. જનસંઘની સ્થાપના 1951માં થઈ હતી. 1952માં પહેલી લોકસભા ચૂંટણીમાં જનસંઘને અડધા મતવિસ્તારોમાં ઉમેદવાર પણ મળ્યા ન હતા. દક્ષિણ ભારતના રાજ્યોમાં તો સ્થિતિ વધુ ખરાબ હતી. તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આખા દેશમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં જનસંઘની આકરી ટીકા કરી. ત્યાં સુધી કે તેને નાઝી અને ફાસિસ્ટ જર્મની તથા ઈટાલીથી પ્રેરણા લેનારું સંગઠન ગણાવ્યું. ત્યારે જનસંઘ અધ્યક્ષ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું કે નેહરુ તેમના સૌથી મોટા પ્રચારક છે. તેમણે દેશભરમાં અમારી ઓળખ બનાવી છે. નેહરુ ડાબેરી વિચારધારાથી પ્રભાવિત હતા. તેમના નેતૃત્વમાં જે સરકારે 1948માં ગાંધીજીની હત્યા બાદ સંઘ પર પ્રતિબંધ લગાવ્યો તેણે 1962માં ચીની હુમલા બાદ સંઘને ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થવા માટે નિમંત્રણ આપ્યું. સંઘના સ્વયંસેવક પોતાના ગણવેશમાં તેમાં સામેલ થયા હતા. ત્યારથી લઈને આજ સુધી સંઘને ત્રણ વખત પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. પહેલો પ્રતિબંધ તેના પોતાના સંગઠનની શક્તિના જોરે નાકામ કર્યો. ત્યાર બાદ 1975માં ઈન્દિરા ગાંધીએ પ્રતિબંધિત કર્યો, તો 1977માં સંઘે કોંગ્રેસના ચૂંટણીમાં હાર આપીને તેનો મુકાબલો કર્યો. આ પ્રકારે જ્યારે નરસિમ્હા રાવના કાર્યકાળમાં 1992માં પ્રતિબંધ લાગ્યો તો કોર્ટે તમામ આરોપોને નિરાધાર ગણીને પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો. 

શિક્ષણ, સામાજીક સદભાવ અને સ્વાવલંબનના આધારે વિકાસના ક્ષેત્રમાં સંઘનું ઉલ્લેખનીય કામ છે. આઝાદી સમયે કોંગ્રેસ સિવાય દેશમાં સમાજવાદી અને સામ્યવાદી પાર્ટીઓ જ હતી, તેમની નીતિઓમાં કોઈ મતભેદ ન હતો. જનસંઘની સ્થાપનાથી એક વૈચારીક ભિન્નતા મળી અને નવી રાજકીય શક્તિનો ઉદય થયો. આજ કોંગ્રેસથી પણ વધારે રાજ્યોમાં ભાજપ સત્તાસીન છે. સામ્યવાદી વિચારધારાના સંગઠન તમામ ક્ષેત્રોમાં ધ્વસ્ત થઈ ચુક્યા છે. ભ્રષ્ટાચાર અને કુશાસનની ઓળખ બનવાથી હતા કોંગ્રેસને લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો નકલી ભય ઉભો કરીને તે દેશના મુસલમાનોના વોટના સહારે ચૂંટણીની વેતરણી પાર કરી લેશે. મુસલામાનોમાં સંઘ પ્રત્યે ભયનો જે કૃત્રિમ માહોલ છે, તેને ભડકાવીને તમામ બિનભાજપી પક્ષો ભયદોહનની રાજનીતિ કરી રહ્યાં છે. હવે તો મુસલમાનો પણ આ ભ્રામક પ્રચારથી ઉબવા માંડયા છે. બિહારમાં મુસ્લિમ ગુમરાહ થયા નહીં અને ગુજરાતમાં પણ નિષ્પક્ષ તથા વિકાસોન્મુખી કામોએ તેમને ભ્રમિત થતાં રોક્યા છે. 

મનમોહન સિંહ અને સોનિયા ગાંધીની છબી વિકૃત થઈ રહી છે. કોંગ્રેસમાં તેનાથી બેચેની છે. મંત્રીમંડળના સભ્યો વડાપ્રધાનના નિર્દેશની સતત અવહેલના કરી રહ્યાં છે. આતંકી ઘટનાઓમાં પાકિસ્તાની હુમલાખોરોના પકડાવાથી સંતુલન બનાવવા માટે હિંદુ આતંકવાદનો નકલી ભય ઉભો કરવામાં આવે છે. હવે સોનિયા ગાંધીની સુપર કેબિનેટ હિંદુ વિરોધી સાંપ્રદાયિકતા વિરોધી બિલ પાસ કરાવવા ચાહી રહી છે. આ આશ્યર્યની વાત છે કે જે કોંગ્રેસ દિગ્વિજય સિંહના અભિપ્રાયને તેમનો વ્યક્તિગત મત કહીને પોતાનો પાલવ છોડાવી રહી છે, તે એક એવું બિલ લાવવા જઈ રહી છે કે જેમાં કોઈ સંસ્થા અથવા વ્યક્તિગત વિચારોની અભિવ્યક્તિ અથવા કૃત્ય માટે ધરપકડની જોગવાઈ છે.

દિગ્વિજય સિંહનો નવીનતમ વિચાર છે સંઘ બોમ્બ બનાવવાની ફેક્ટરી છે. જો પિયા મન ભાવે, વહી સુહાગિન- ઉક્તિ પ્રમાણે, તે સોનિયા ગાંધીની નજરોમાં અહમદ પટેલ બાદ સૌથી વિશ્વસ્ત  માનવામાં આવે છે. દિગ્વિજય સિંહને મધ્ય પ્રદેશમાં બે સ્થાનો પર કાળા ઝંડા દેખાડવામાં આવ્યા. ટીવી પર તેમને જે પ્રકારે ભાગતા દેખાડવામાં આવ્યા, તેનાથી તેમની હિંમતબાજ હોવાની છબીની તેમણે પણ કરવી જોઈએ. જે પ્રકારે તેમણે કોઈપણ પ્રકારની તપાસ વગર રાજસ્થાનના પત્રકારને સંઘી ઘોષિત કરીને ઉત્તેજના પેદા કરવાની કોશિશ કરી અને બાદમાં ખોટી સાબિત થઈ તે હાલ તેમના બાકીના આરોપોના પણ છે. કેન્દ્ર સરકાર આરોપો સંદર્ભે તપાસમાં ઘણી ઝડપ દેખાડે છે. શું તેમણે દિગ્વિજય સિંહ પાસેથી સંઘને બોમ્બ બનાવવાની ફેક્ટરી બનાવવાની જાણકારી ન લેવી જોઈએ? તે આતંકવાદી ઘટનાઓમાં સંઘનો હાથ હોવાનો દાવો કરે છે, પરંતુ જાણકારી આપતા નથી. જેમને કારણ વગર ફસાવાય રહ્યાં છે, તેમની વિરુદ્ધ પ્રતિનિધિ મંડળને વડાપ્રધાનને મેળવાય છે. પ્રત્યેક વિસ્ફોટ બાદ તપાસ એજન્સી જે દિશામાં સક્રીય હોય છે, તેનાથી વિપરીત નિવેદન આપવું દિગ્વિજય સિંહનો એકમાત્ર કાર્યક્રમ રહે છે. હવે તો તે ભ્રષ્ટાચારના આરોપમાં પદથી હટાવાયેલા અથવા જેલમાં નાખવામાં આવેલા લોકોની પણ જાહેરમાં તરફદારી કરી રહ્યાં છે. 

દિગ્વિજય સિંહની આ હરકતોથી મનમોહન સિંહની સરકારને મુશ્કેલી હોવી જોઈએ, હિંદુત્વ પ્રત્યે નિષ્ઠાવાન લોકોને નહીં. કોંગ્રેસી તો પરેશાન છે તેમાં કોઈ શંકા નથી, કારણ કે પોતાના ભાવિ વડાપ્રધાનને જે ચમત્કારીક સંચાલનથી તેમને કેટલીક આશા બંધાઈ છે, તેને તેઓ ધૂળમાં મેળવતા જઈ રહ્યાં છે. માટે જે લોકો એ ચાહે છે કે દેશની વ્યવસ્થાનું સંચાલન સમાજને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્ત કરનારાઓના હાતણાં આવવું જોઈએ, તેમણે દિગ્ગી રાજાને અભિનંદન આપવા જોઈએ. તે એ કામમાં લાગેલા છે. જ્યાં સુધી સંઘનો સવાલ છે, તે એવા તમામ કપોળકલ્પિત આરોપો બાદ સમાજમાં વધુ પહોંચ બનાવવા માટે અનુકૂળતા મેળવી રહ્યો છે. 

(સૌજન્ય- દૈનિક જાગરણ)

કટ્ટરપંથી હિંસાનો નવો ચહેરો



અશ્વિની કુમાર, ટાઆઈએસએસમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર

આતંકવાદને કોઈપણ રીતે રાજકીય લક્ષ્યોને હાસિલ કરવાનો પ્રયત્ન કહી શકાય નહીં. આ માત્ર બળજબરીની વાત કરે છે, એ વ્યક્તિની વાત કરતો નથી કે જેની ઓળખ જ તેના સામાજીક સંબંધો અને ખાનગી અધિકારોથી થાય છે. 

મુંબઈમાં બોમ્બ વિસ્ફોટો અને ઓસ્લોમાં ફાયરિંગની ઘટનાએ કટ્ટરપંથી આતંકવાદના ક્રૂર અને બદસૂરત ચહેરાની ફરીથી યાદ અપાવી દીધી છે. જો કે ઓસ્લોનું ફાયરિંગ પશ્ચિમના બહુસંસ્કૃતિવાદ વિરુદ્ધ ધૃણાની પરિણતિના રૂપમાં સામે આવ્યું છે, પરંતુ કટ્ટરપંથીઓના વૈશ્વિક આતંકવાદથી તેના તાર ઉંડાણથી જોડાય છે. દુખદ એ છે કે મુંબઈ અને નોર્વે, બંને સ્થાનોની હિંસામાં સમજી-વિચારીને રણનીતિ હેઠળ માનવ સ્વતંત્રતાની અવધારણાને નિશાન બનાવવામાં આવી છે. ઉટોયા દ્વીપમાં એક કેમ્પમાં સામેલ નિર્દોષ કિશોરો અને દાદરમાં મહેનતકશ મધ્યમવર્ગ, મુંબઈના ઝવેરી બજાર અને ઓપેરા હાઉસમાં કારોબીઓ તથા ગુજરાતના વ્યવસાયિકોની હત્યાઓએ કટ્ટરપંથી હિંસાનો નવો ચહેરો ઉજાગર કર્યો છે. આ હત્યાઓને ન તો દુશ્મન દેશ દ્વારા અંજામ આપવામાં આવી છે અને ન આ કોઈ ગૃહ યુદ્ધની પરિણતિ છે.
26/11ની દુખદ હિંસા પર લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ડિસેમ્બર-2008માં આપવામાં આવેલા મારા ભાષણમાં મે આ વાત પર ચર્ચા કરી હતી કે શું કટ્ટરપંથીઓની આવી હિંસાને નવા પ્રકારની હિંસા કહી શકાય છે, જે માત્ર સંપૂર્ણપણે અત્યાધુનિક જ નથી, પરંતુ નિશ્ચિતરૂપે રાજનીતિ વિરોધી પણ છે. સાથે જ આ કોઈ હિતની જગ્યાએ વિશ્વાસની શક્તિથી પ્રેરીત છે. ધ્યાન આપો, નોર્વેની ઘટનાને અંજામ આપનારા 32 વર્ષીય હત્યારા બ્રેવિલે હાલમાં ટ્વિટર પર એ સંદેશ પ્રસારીત કર્યો હતો કે વિશ્વાસથી ભરેલો એક વ્યક્તિ માત્ર પોતાના હિતોની ચિંતા કરનારા એક લાખ લોકોની સેના બરાબર છે.

પારંપરીક યુદ્ધોની ક્રૂરતા અને 20મી સદીના અધિનાયકવાદી શાસનથી વિપરીત મુંબઈ અને અન્ય સ્થાનોની આતંકવાદી હિંસા માત્ર અપ્રત્યાશિત અને બિનરાજકીય નથી, પરંતુ ક્રૂરતાનો ચરમ ઉત્સવ જેવી છે. ઈન્ટરનેટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા બ્રેકિંગ ન્યૂઝ તરીકે તેના મિનિટે મિનિટના કવરેજથી તેને અંજામ આપનારાઓને માનસિક ઊર્જા મળે છે. આ કવરેજથી આતંકવાદને આસાનીથી દર્શક અને શ્રોતાઓ મળી જાય છે. તેવામાં એ માનવું એક મોટી ભૂલ હશે કે આધુનિક આતંકવાદી ઘટના હિંસાનું તે જૂનું સ્વરૂપ છે, જેને અલ્જીરિયાઈ ક્રાંતિકારી ફ્રેંજ ફેનને ધરતી પરનું કલંક કહ્યું હતું. હિંસાનું આ નવું સ્વરૂપ પોતાના પગમાં ધાનના ખેતરોનું કીચડ લગાવવા અથવા દુનિયાના કોઈ ગરીબ વિસ્તારની ગંદી ફેક્ટરી સુધી પહોંચવા ઈચ્છુક નથી. વાસ્તવમાં વૈશ્વિક આતંકવાદનો સાર સ્વચ્છતા અને અરાજનીતિકરણમાં નિહિત છે, જ્યાં તેને પ્રસિદ્ધિ માટે પુરતો પ્રચાર મળી જાય છે. 

આ કારણ છે કે આપણને એ જાણીને આશ્ચર્ય નથી થતું કે મુંબઈવાસીઓ એકસાથે મોતના શોકમાં પણ ડૂબેલા છે અને હેરી પોટર સીરીઝની નવી ફિલ્મનો જશ્ન પણ મનાવી રહ્યાં છે. આ નવી હિંસા મોતનો શોક મનાવવા અને જીવનનો જશ્ન માનાવવા સંબંધિત પરંપરાગત ગ્રંથિઓને મિટાવી દે છે. વિડંબણા એ છે કે કટ્ટરપંથી આતંકવાદને સમૂહવાદી ક્રાંતિ (જેમાં ધાર્મિક અને શૈક્ષણિક સમૂહોને સામેલ કરી શકાય છે) અને માહિતીની ક્રાંતિની જોડિયા પ્રક્રિયાથી ઊર્જા મળી રહી છે. 

રાષ્ટ્ર રાજ્ય કાયદાકીય રૂપથી વૈદ્ય અને ધર્મનિરપેક્ષ પ્રકારની હિંસાનનો સહારો લે છે. તેનાથી વિપરીત નવ આતંકની પ્રણાલી યુદ્ધનો ઉભાર લઈ રહેલી વૈશ્વિક નૈતિક આર્થિકીમાં નિહિત છે. વિડંબણા એ છે કે આતંક આજે આંદોલનોના આંદોલનના રૂપમાં વિકસિત થઈ ગયો છે. તેણે પોતાનામાં જૈવિક, વિકેન્દ્રીત અને પરસ્પર જોડાયેલા ઈન્ટરનેટના માર્ગોની પેટર્ન પર વિકસિત કરી લીધો છે. તેવામાં એ કોઈ આશ્ચર્યની રીતે આવતું નથી કે આતંકી ઘટનાની જવાબદારી આજકાલ ઈમેઈલ દ્વારા જ લેવાય છે. આતંકની આ સ્વયં ગતિશીલ હોવાની પ્રકૃતિ એ વાતની વ્યાખ્યા કરે છે કે આતંકવાદી એક એક કેન્દ્રીકૃત અને સંગઠિત સંગઠનના સ્થાને અસ્થિર, સતત રૂપ બદલીને અદ્રશ્ય સત્તા સંરચનાને પોતાના અસ્તિત્વને બચાવી રાખવા અને હુમલાઓને અંજામ આપવા માટે વધારે યોગ્ય સમજે છે. 

રાષ્ટ્ર રાજ્યોના યુદ્ધોની જૂની હિંસા મોટીમોટી નિયમિત સેનાઓ દ્વારા અંજામ આપવામાં આવતી હતી. તેનો ખર્ચ સાર્વજનિક મહેસૂલના સહારે ઉઠાવવામાં આવતો હતો. જૂની હિંસાના ઘણાં સ્વરૂપ સાર્વજનિક પ્રકારના પણ હતા. તેમાં સડકો પર થનારી હિંસા, જાતીય હિંસા વગેરે સામેલ હતા. તેનાથી વિપરીત નવી હિંસાનો જન્મ ગુપ્ત રૂપે થાય છે. એ કારણ છે કે જો આપણે આતંકવાદી હુમલાખોરોને ઓળખી પણ લઈએ છીએ, તો તેના નેટવર્ક સુધી પહોંચવાનું મોટાભાગે સંભવ હોતું નથી. નવી હિંસાના સોદાગર બિલકુલ ગુમનામ સ્વરૂપે રહે છે. કારણ સ્પષ્ટ છે કે કોઈને ફિદાયીન બનાવાની ટ્રેનિંગ સાર્વજનિક રીતે આપી શકાય નહીં. તેવામાં સતત એકલાપણું અને ગુપ્ત રૂપે રહેવાની સ્થિતિ આતંકવાદીઓમાં એક પ્રકારે સાર્વજનિક સ્થાનોથી પ્રતિશોધની ભાવના ભરે છે. 

ધ્યાન આપવા યોગ્ય છે કે ઓસ્લોનો આતંકવાદી એક ઈમિગ્રેશન વિરોધી પાર્ટીનો સભ્ય હતો. તે બહુસંસ્કૃતિવાદ અને ઈસ્લામના વિરોધમાં બ્લોગ લખતો હતો. તેના સંદર્ભે એ કહી શકાય કે ભારતના તથાકથિત ભગવા આતંકવાદમાં પણ કટ્ટરપંથી વૈશ્વિક આતંકવાદના સહયોગી બનાવાની ક્ષમતા છે. આતંકવાદને કોઈપણ પ્રકારથી પોતાની રીતે રાજકીય લક્ષ્યોને હાસિલ કરવાનો પ્રયાસ કહી શકાય નહીં. આ મૂળ સ્વરૂપે રાજકારણ વિરોધી અને નિશ્ચિત રૂપે શૂન્યવાદી (નિહિલિસ્ટિક) છે. કારણ કે આ માત્ર બળજબરીઓ અને ઓળખની વાત કરે છે, એ વ્યક્તિની કોઈ વાત કરતું નથી કે જેની ઓળખ જ તેના સામાજીક સંબંધો અને ખાનગી અધિકારોથી થાય છે. 

એક પ્રકારથી મુંબઈ અને ઓસ્લોની આતંકવાદી ઘટનાઓને એ ચરમ વિશિષ્ટતાવાદી હિંસક આધુનિક પરિયોજનાને આગળ વધારવા સ્વરૂપે જોવી જોઈએ, જે માણસ અને તેની સ્વતંત્રતાને નિરર્થક માને છે. ભારત જેવું વિશાળ લોકતાંત્રિક રાષ્ટ્ર પોતાને એક ડરમાણા સિક્યોરિટી સ્ટેટમાં બદલી શકે નહીં. આવું કરવાથી પોતાની મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવાની તેની ક્ષમતા સમાપ્ત થઈ જશે.
(સૌજન્ય- પ્રભાત ખબર)

Wednesday, 27 July 2011

સ્વતંત્ર વૈચારીક સત્તા છે જરૂરી



ડૉ. ભરત ઝુનઝુનવાલા

લોકતંત્ર ત્યારે સફળ છે, જ્યારે જનહિતને યોગ્ય રીતે ચિન્હિત કરનારી અને તેના અનુસાર વિચારોને યોગ્ય દિશા આપનારી સ્વતંત્ર સત્તા વિદ્યમાન હોય. મારી સમજમાં ન્યાયતંત્ર અને પ્રેસ સંપૂર્ણ સ્વતંત્ર નતી. માટે સમાજને સ્વતંત્ર વિચાર આપનારી સ્વતંત્ર સત્તા જોઈએ.

લોકતંત્રનો સિદ્ધાંત છે કે જનતાની સત્તા સર્વોપરી છે. જનતા જાણે છે કે તેનું હિત કેવી રીતે થશે. જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જનતાના હિતોને વધારશે. પરંતુ મોટાભાગે જોવામાં આવ્યું છે કે  જનતા પોતાના હિતોને ચિન્હિત કરી શકતી નથી. જેવી રીતે બાળકો જાણી જોઈને જંક ફૂડનો ઉપયોગ કરે છે અને પોતાના આરોગ્યને નષ્ટ કરે છે. બંધુઆ મજૂર જમીનદારને જ પોતાના ભાઈ-બાપ સમજે છે. માટે જનતાના વિચારને યોગ્ય દિશા આપવામાં ન આવો, તો લોકતંત્ર વિપરીત દિશામાં ચાલી નીકળે છે. જનતાનો સ્વભાવ અલ્પદર્શી હોય છે. 

ઈમાનદાર વ્યક્તિને મતદાર વોટ ઓછા જ આપે છે. તેની દ્રષ્ટિ તાત્કાલિક વ્યક્તિગત સ્વાર્થ પર હોય છે. જેવાં કે ઈમાનદાર નેતા ગામમાં સડક બનાવશે અથવા પીવાના પાણીની વ્યવસ્થા કરાવશે. તેનાથી વિપરીત ભ્રષ્ટ નેતા સાડીઓ વહેંચાવશે અને ભાઈ-ભત્રીજાઓના મનવાંછિત ટ્રાન્સફર કરાવશે. તે બજેટમાંથી એક કરોડનો ગોટાળો કરશે તો એક લાખની સાડી વહેંચશે. સામાન્ય રીતે મતદારોને એક કરોડની સડક દેખાતી નથી, પરંતુ એક લાખ રૂપિયાની સાડી દેખાઈ જાય છે. મોટાભાગના મતદારોની બૈદ્ધિક શક્તિ એટલી નથી કે તેઓ સમજી શકે કે આજે એક સાડી લેવાથી ગામમાં સડક આવશે નહીં અને તેઓ લાંબા સમય સુધી ગરીબ બનેલા રહેશે.

આ સ્થિતિનો લાભ ઉઠાવીને નેતા તેમને છેતરી લે છે. અમેરિકી મનોવૈજ્ઞાનિક એડવર્ડ બર્નેજએ તેનો ખુલાસો કર્યો છે. તેઓ અમેરિકી ટોબેકો કંપની માટે કામ કરતા હતા. 20ના દશકમાં સિગરેટની ખપત વધારવા માટે તેમણે મહિલા સશક્તિકરણની કાર્યકર્તાઓને સમજાવ્યું કે તેઓ ન્યૂયોર્કમાં ખુલ્લી સડક પર સિગરેટ પીતા સરઘસ કાઢે. તેનાથી સિગરેટની ઘણી પબ્લિસીટી થઈ. અમેરિકી રાષ્ટ્રપતિ વૂડરો વિલ્સનની સાથે જનતાને પ્રથમ વિશ્વ યુદ્ધમાં પક્ષમાં વાળવાનું પણ તેમણે કામ કર્યું હતું. હિટલરના પ્રચાર પ્રમુખ જોસેફ ગોબેલ્સે બર્નેજ દ્વારા પ્રતિપાદીત સિદ્ધાંતોના આધારે જર્મનીની જનતાને પોતાની નસ્લ શુદ્ધ કરવાના પક્ષમાં મનાવી હતી. બર્નેજને જનસંપર્ક અને પ્રોપેગેન્ડના વિજ્ઞાનનો જનક માનવામાં આવે છે. 

લોકતંત્ર સંદર્ભે બર્નેજના વિચારો ચોંકાવનારા છે. તેઓ કહે છે કે જનતા એક ઘેટાંનું ટોળું છે, જેનું નેતૃત્વ કરવાનું હોય છે. જનતાના વિચારો એ નેતાઓ દ્વારા નિર્ધારીત થાય છે જેમનામાં જનતા વિશ્વાસ કરે છે. નેતા જનચેતનાને પ્રભાવિત કરે છે. તેઓ લખે છે કે નેતાઓની ફોર્મ્યુલાથી જનતાની સોચ નિર્ધારીત થાય છે. વિચાર હતો કે સાક્ષરતાથી લોકોની બુદ્ધિનો વિકાસ થશે અને તેઓ સત્તા સંદર્ભે નિર્ણય સ્વયં લઈ શકશે. પરંતુ સાક્ષરતાએ વિકસિત બુદ્ધિના સ્થાને સમાજને રબરની મોહર આપી છે. જાહેરાત, લેખ, પ્રકાશિત વૈજ્ઞાનિક આંકડાઓ અને ઈતિહાસના કેટલાંક ઉદાહરણોથી આ રબર મોહરનું નિર્માણ કરવામાં આવે છે. લાખો લોકોને એક જ પ્રકારની માહિતી આપવાથી તેમની બુદ્ધિ એક જેવી થઈ જાય છે.

જનતાના વિચાર ઉપલબ્ધ માહિતીના આધાર પર નિર્ધારીત થાય છે. જેમ પ્રવાસીને ત્રણ-ચાર લોકો ખોટું જણાવી દે કે આગળનો રસ્તો ખરાબ છે, તો તેઓ અનાયાસે જ બીજા રસ્તે ચાલી નીકળે છે.
જનતાની બુદ્ધિને વાળવાનો રસ્તો એ છે કે વિશેષ પ્રકારની માહિતી પ્રભાવી ઢંગથી પીરસવામાં આવે જે તેના અચેતનમાં બેસી જાય. જેમ ઈરાક દ્વારા કુવૈત પર આક્રમણના ચિત્ર વારંવાર દેખાડીને અમેરિકી નાગરીકોને આક્રમણ કરવાના પક્ષમાં મનાવી લેવાયા. આ પ્રકારે જનતા પ્રભાવિત થઈ જાય છે. આ વાતને અર્થશાસ્ત્રી ઈ. જે. મિશાને આ પ્રકારે કહી હતી, ઉપભોક્તાને કોઈ વસ્તુની ઈચ્છા કરવા માટે મનાવી શકાય છે, જો તેના માટે પુરતા સંસાધનોનો પ્રયોગ કરવામાં આવે. પ્રશ્ન છે કે જ્યારે નેતા જ ખોટી માહિતી પીરસતા રહેતા હોય ત્યારે જનતા યોગ્ય દિશા કેવી રીતે ઓળખે? ખાસ કરીને ત્યારે જ્યારે શાસક હિટલર વગેરેની જેમ દુરાચારી હોય. તેનો હલ છે, લોકતાંત્રિક શાસન તંત્રની બહાર એક એવી વૈચારીક સત્તા હોવી જોઈએ જે શાસકો દ્વારા સુનિયોજીત ઢંગથી પીરસવામાં આવી રહેલી એકતરફી માહિતીનો પર્દાફાશ કરે. એટલે કે મુખ્ય મુદ્દો જનતાને સુદિશા આપવાનો છે. જો લોકતંત્ર માત્ર પર આપણે નિર્ભર થઈશું, તો સાચી દિશા મળવી જરૂરી નથી. પરંતુ જનતા ખોટી દિશામાં પણ વધી શકે છે, જેમ કે હિટલરના સમયમાં થયું હતું. 

લોકતંત્ર ત્યારે સફળ છે, જ્યારે જનતાના હિતોને યોગ્ય રીતે ચિન્હિત કરનારી અને તેના પ્રમાણે વિચારોને યોગ્ય દિશા આપનારી સ્વતંત્ર સત્તા વિદ્યમાન હોય. મારી સમજથી ન્યાયતંત્ર અને પ્રેસ સંપૂર્ણ પણે સ્વતંત્ર નથી. ન્યાયાધીશોની નિમણૂક સરકાર દ્વારા જ કરવામાં આવે છે. સેવાનિવૃતિ બાદ કોઈ પંચની અધ્યક્ષતા હાસિલ થાય, તેના માટે તેઓ સરકારના ખોટા કામોમાં સાથ આપી શકે છે. વહીવટી તંત્ર પર મંત્રીઓનું સીધું નિયંત્રણ રહે છે. પ્રેસની ભૂમિકા સરખામણીમાં સકારાત્મક છે, પરંતુ વિરોધ કરવાથી સરકાર દ્વારા તેમના ઉત્પીડનની ઘટનાઓ સામે આવી રહી છે. માટે સમાજને સ્વતંત્ર વિચાર આપનારી સ્વતંત્ર સત્તા હોવી જોઈએ. જનતાને તેમના પક્ષ અને વિપક્ષ બંનેના વિચારો મળે, તો તો તે કોઈ નિર્ણય પર પહોંચી શકે છે. વર્તમાન સમયમાં માહિતી પ્રસારણનું આવું કાર્ય અણ્ણા હજારે અને બાબા રામદેવ કરી રહ્યાં છે. માટે તેમને સમ્માન આપવું જોઈએ. 

વિશ્વની તમામ સભ્યતાઓ એક-દોઢ હજાર વર્ષથી વધારે જીવિત રહી શકી નથી. પ્રાચીન મિસર, સુમેર, યૂનાન અને રોમ તમામ લુપ્ત થઈ ગયા. માત્ર ભારત અને ચીનની સભ્યતાઓ પાંચ હજાર વર્ષોથી જીવિત છે. આ સફળતાનું રહસ્ય આ સ્વતંત્ર સત્તામાં છે. ઈતિહાસકાર એ. એલ. બાશમ લખે છે કે શક્તિશાળી રાજા બ્રાહ્મણોના દુરાચાર પર નિયંત્રણ કરતો હતો, જ્યારે બ્રાહ્મણો રાજના દુરાચાર પર. રોમિલા થાપર લખે છે કે પુરોહિત દ્વારા રાજા પર નિયંત્રણ કરવામાં આવતું હતું. ગાંધીજી પણ ચાહતા હતા કે રચનાત્મક કાર્યકર્તા સરકારી અનુદાનથી સ્વતંત્ર રહીને જનતાનું માર્ગદર્શન કરશે. લેનિનનો વિચાર હતો કે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સરકારને યોગ્ય દિશા આપવામાં આવશે. આ વિચારધારાઓમાં સરકારની બહાર કોઈ સ્વતંત્ર સત્તાને સ્વીકારવામાં આવી છે. 

અણ્ણા-રામદેવ જ નહીં દેશમાં અનેક વ્યક્તિ છે જે પોતપોતાના ક્ષેત્રમાં આ ભૂમિકાનો નિર્વાહ કરી રહ્યાં છે. માટે આ સ્વતંત્ર સત્તાઓને લોકતંત્રના અભિન્ન અંગ માનવા જોઈએ.

ફાઈ અને ભારતીય બુદ્ધિજીવી



પુષ્પરંજન

કાશ્મીર પર 15 એપ્રિલ, 2005ના આઠ સૂત્રીય બ્રસેલ્સ પ્રસ્તાવ પર જે 15 લોકોના હસ્તાક્ષર છે, તેમાં મજીદ ટ્રાંબો અને ડૉ. ફાઈ સિવાય કુલદીપ નૈય્યર અને કાશ્મીરના ભૂતપૂર્વ સચિવ અને તે સમયે ટેરીના ડાયરેક્ટર અશોક જેટલી પણ સામેલ છે. 

ભૂતપૂર્વ વિદેશ સચિવ જી. પાર્થસારથિએ માન્યું છે કે તેઓ કાશ્મીરી અલગતાવાદીઓની કોન્ફરન્સમાં ગયા હતા. પરંતુ શિક્ષાવિદ્દ રાધા કુમાર અને કાશ્મીરના ભૂતપૂર્વ સેક્રેટરી અશોક જેટલીએ હજી સુધી પોતાની ચુપકીદી તોડી નથી. જાણકારી મળી છે કે તેઓ પણ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા ફંડેડ કાશ્મીર સેન્ટરની કોન્ફરન્સમાં બ્રસેલ્સ ગયા હતા. રાધા કુમાર અને જી. પાર્થ સારથિ 2006માં, જ્યારે અશોક જેટલી 2005માં ગયા હતા. 

આઈએસઆઈનું ફંડ લેનારા ડૉ. ફાઈ સાથે પત્રકાર દિલીપ પડગાંવકરના સંબંધોનો વિવાદ હજી ઠંડો પડયો ન હતો કે રાધા કુમારનું નામ પણ સામે આવ્યું. ભારત સરકારે ઓક્ટોબર-2010માં કાશ્મીરી અલગતાવાદીઓ સાથે સંવાદ માટે ત્રણ વાર્તાકારોની નિમણૂક કરી હતી. પડગાંવકર, શિક્ષાવિદ્દ રાધા કુમાર અને માહિતી કમિશનર એમ. એમ. અંસારી. આ ત્રણેય સીધા ગૃહ મંત્રી અને વડાપ્રધાનને રિપોર્ટ કરે છે.

કાલે જ મને બ્રસેલ્સથી 2006માં થયેલી કાશ્મીર કોન્ફરન્સની કેટલીક તસવીરો મળી. જેમાં કાશ્મીરની વાર્તાકાર રાધા કુમાર ડૉ. ફાઈ સાથે બેઠેલી દેખાય છે. એ કતારમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને 1997માં ભારતમાં હાઈકમિશનર રહેલા રિયાઝ ખોખર બેઠેલા દેખાઈ રહ્યાં છે. કાશ્મીર સેન્ટરના એક બીજા સત્રમાં પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દેખાઈ રહ્યાં છે. આ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ જી. પાર્થસારથિ અને પ્રખ્યાત શિક્ષાવિદ્દ રાધા કુમાર સાથેસાથે બેઠેલા દેખાય છે. 

રાધા કુમારને જ્યારે કાશ્મીરના વાર્તાકાર તરીકે પસંદ કરવામાં આવ્યા, ત્યારે ગૃહ મંત્રાલયને તેમની આ કોન્ફરન્સમાં ભાગ લેવાની વાતની જાણકારી હતી કે નહીં, તે સવાલ સત્તાના વર્તુળોમાં ફરવા લાગ્યો છે. ભરોસાપાત્ર સૂત્રો જણાવે છે કે કાશ્મીરના બંને સરકારી વાર્તાકારો- દિલીપ પડગાંવકર અને રાધા કુમારના સીવીમાં આવા સંમેલનોનો ઉલ્લેખ નથી. 

આશ્ચર્યની વાત છે કે એફબીઆઈએ માત્ર ડૉ. ફાઈ જેવા એક ચહેરાનો નકાબ ઉઠાવ્યો છે. બાકી ચહેરા છૂટી ગયા અથવા છોડી દેવાય, એ મોટો સવાલ છે. કાશ્મીર માટે લોબિંગ કરવાની વાત કોઈ નવી ખબર નથી. નવી વાત એ પણ નથી કે ફાઈને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી નાણાં મળતા હતા. આ સમાચારથી ભડકો ત્યારે થયો, જ્યારે અમેરિકી ગુપ્તચર સંસ્થા એફબીઆઈએ તે ભારતીય પત્રકારો અને બુદ્ધિજીવીઓને બેપરદા કર્યા, જે ફાઈના સેમિનારમાં અમેરિકા જઈને કાશ્મીરી અલગતાવાદી થિંક ટેંકને તાકાત આપતા હતા. કાશ્મીરી અલગતાવાદી યૂરોપમાં શું ખિચડી પકવી રહ્યાં છે, તેના પર એફબીઆઈ અને બ્રિટિશ ગુપ્તચર સંસ્થાએ હજી સુધી ચુપકીદી સાધી રાખી છે. 

કુલદીપ નૈય્યર, કાશ્મીર ટાઈમ્સા વેદ ભસીન, દિલીપ પડગાંવકર, હરિંદર બાવેજા, ભારત ભૂષણ, મનોજ જોશી, પ્રફુલ્લ બિદવઈ, આ પત્રકારત્વ જગતના તે મોટા નામ છે કે જેમની કાબેલિયત પર શંકા કરી શકાય નહીં. કુલદીપ નૈય્યર સહીત તમામ ફાઈને યોગ્ય રીતે જાણતા નથી. પ્રો. કમલ મિત્ર ચિનોય, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર સચ્ચર, ડાબેરી એક્ટિવિસ્ટ ગૌતમ નવલખા જેવાં બુદ્ધિજીવીઓએ આ મુદ્દા પર પ્રભુ મુરત દેખી તિન તૈસી વાળા અંદાજમાં સ્પષ્ટતા આપી છે.

ખબર નથી કે ભારતમાં કેટલાં લોકોને ખબર છે કે ડૉ. ફાઈથી પણ મોટા બોસ બ્રસેલ્સમમાં બેસે છે. નામ છે બેરિસ્ટર મજીદ ટ્રાન્બો. કાશ્મીર અને મુંબઈ યુનિવર્સિટીથી ભણેલા બેરિસ્ટર ટ્રામ્બોએ લંડનમાં જ આઈએસઆઈની બંદગી સ્વીકારી લીધી. આ 1990ના દિવસોની વાત છે, જ્યારે કુલદીપ નૈય્યર બ્રિટનમાં ભારતના હાઈકમિશનર હતા. તે સમયે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશનર ઓસફ દુર્રાનીએ તહરીકે કાશ્મીરની સ્થાપના બર્મિઘમમાં કરી હતી. 

જુલાઈ 1990ના અંતિમ સપ્તાહમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય જમાત-એ-ઈસ્લામીના પ્રમુખ અબ્દુર રશીદ દુર્રાનીને બ્રિટને સ્પાર્ક બ્રુક સંમેલનમાં બોલાવ્યા હતા. આ સંમેલનમાં હાઉસ ઓફ લોર્ડસના સભ્ય નાજિર અહમદે કાશ્મીર પર પ્રો એક્ટિવ પોલિસી અખત્યાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોન્ફરન્સમાં કાશ્મીર સેન્ટર લંડન અને કાશ્મીર સેન્ટર બ્રુસેલ્સની સ્થાપનાનો વિચાર મૂકવામાં આવ્યો હતો. 

1990માં જ ડૉ. અયૂબ ઠાકુરે વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટની સ્થાપના કરી હતી. 1993 આવતા અમેરિકા, કેનેડા, યૂરોપ, મધ્ય-પૂર્વમાં તેની ડઝનબંધ શાખાઓ ખુલી હતી. તેના સભ્યો ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોન્ફરન્સ (ઓઆઈસી)ના સંમેલનોમાં સતત જતા-આવતા રહે છે અને અહીં કાશ્મીરની આઝાદીની વાત ઉઠાવતા રહે છે. ખબર નહીં કે આનાથી કુલદીપ નૈય્યર કેવી રીતે અજાણ રહ્યાં. ડૉ. કાજી, ડૉ. જી.એન. મીર, ડૉ. ફાઈ, ડૉ. નાજિર અહમદ કુરૈશી વગેરે વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટના એવા જાણીતાં વ્યક્તિઓ છે, જેમને કાશ્મીર પર કૂટનીતિનો કક્કો વાંચનારા પણ ઓળખે છે.

પત્રકારમાંથી કૂટનીતિક બનેલા કુલદીપ નૈય્યરને ક્યારથી અને કેવી રીતે બેરિસ્ટર ટ્રાંબો અને ડૉ. ફાઈએ આઈનામાં ઉતારી લીધા, એ તો આમાંથી કોઈક જ સારી રીતે જણાવી શકે છે. અમેરિકાથી પહેલા કાશ્મીર સેન્ટર બ્રસેલ્ના સંમેલનોમાં કુલદીપ નૈય્યર ફાઈને મળતા રહ્યાં છે, તેની પુષ્ટિ બ્રસેલ્સમાં લાગેલી તસવીરો કરે છે. પરંતુ આ તસવીરોથી વધારે ગંભીર મામલો છે, કાશ્મીર પર બ્રસેલ્સ પ્રસ્તાવ આ પ્રસ્તાવ પર ભૂતપૂર્વ હાઈ કમિશનર કુલદીપ નૈય્યરે પણ હસ્તાક્ષર કર્યા હતા.

15 એપ્રિલ, 2005ના આઠ સૂત્રી પ્રસ્તાવમાં કાશ્મીરમાં રોકટોક વગર આવાગમન, કાશ્મીરના રાજકીય કેદીઓની મુક્તિ, માનવાધિકારવાદીઓની ફ્રી મૂવમેન્ટ, સેનાની સંખ્યામાં ઘટાડો, સ્પેશ્યલ પાવર એક્ટ સમાપ્ત કરવો, પોલીસની મનમાની અને કસ્ટડીમાં મોત સંદર્ભે તપાસની માગણી કરવામાં આવી છે. આ પ્રસ્તાવ પર જે 15 વ્યક્તિઓના હસ્તાક્ષર છે, તેમાં મજીદ ટ્રાંબો અને ડૉ. ફાઈ સિવાય કુલદીપ નૈય્યર અને કાશ્મીરના ભૂતપૂર્વ સચિવ અને તે સમયના ટેરીના ડાયરેક્ટર અશોક જેટલી પણ સામેલ છે. તેનાથી આ મામલાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. ખાસ કરીને તે વખતે જ્યારે પાકિસ્તાન સતત ફાઈના ટેકામાં ખુલીને સામે આવી રહ્યું છે.  

(લેખક ઈયૂ-એશિયા ન્યૂઝના દિલ્હી ખાતેના સંપાદક છે, સૌજન્ય-પ્રભાત ખબર)

Monday, 25 July 2011

ચીનને પડકાર


મારુફ રજા

પોતાના બે દિવસના પ્રવાસ બાદ ચેન્નઈથી રવાના થતાં અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે ભારત માટે આ નેતૃત્વ કરવાનો સમય છે. બેશક ભારતની ક્ષમતા અમેરિકાને આશ્વસ્ત કરે છે, પરંતુ નવી દિલ્હીની પણ પોતાની મર્યાદાઓ છે. તેમ છતાં અમેરિકા ચાહે છે કે એશિયામાં ચીનના વર્ચસ્વને ભારત પડકારે. શું ભારત અમેરિકા અને એશિયાની આશાઓ પર ખરું ઉતરશે?

દક્ષિણ એશિયામાં ચીન જો કે એક શક્તિ નથી, પરંતુ આ ક્ષેત્રમાં તે પોતાની મજબૂત ઉપસ્થિતિની તૈયારી કરી રહ્યું છે. મ્યાંમાર અને બાંગ્લાદેશમાં નૌસૈનિક થાણાં બનાવી અને શ્રીલંકાના હંબનટોટા અને પાકિસ્તાનના ગ્વાદરમાં પોર્ટનું નિર્માણ કરી ચીન ભારતને ઘેરવાની નીતિ પર કામ કરી રહ્યું છે. જ્યારે એક મત એ પણ છે કે પોર્ટોના નિર્માણ પાછળ ચીનનો વિચાર પશ્ચિમ એશિયા અને આફ્રિકાથી થનારી ઊર્જાની આપૂર્તિ સુરક્ષિત કરવાનો છે.

પાકિસ્તાન સાથે સંબંધ બીજિંગની પ્રાથમિકતા યાદીમાં હજી પણ માત્ર ઉપર જ નથી, પંરતુ તેની પાછળ એક મજબૂત રણનીતિક સમીકરણ પણ કામ કરી રહ્યું છે. બીજિંગના રણનીતિક આકલન પ્રમાણે, તિબેટમાં મજબૂત સૈન્ય ઉપસ્થિતિ અને પારંપરીક અને પરમાણુ શક્તિથી સંપન્ન એક શક્તિશાળી પાકિસ્તાની સેના દ્વારા જ ભારતની સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિથી બચી શકાય છે. માટે ગત કેટલાંક વર્ષો દરમિયાન બીજિંગે સુનિયોજીત રીતે ભારતીય સીમા પર પોતાની સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. સરહદ પર ઘૂસણખોરી સિવાય ચીને તિબેટના પઠાર પર હિમાલનની ઉત્તરમાં સુખોઈ જેટ વિમાનો અને સૈનિકોની સાથે અભ્યાસ પણ કર્યો છે. ચીન ચાહે છેકે અફઘાનિસ્તાનથી અમેરિકા અને નાટો સૈનિકોની વિદાઈની સાથે જ તે પાકિસ્તાનના સહયોગથી દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં અમેરિકાની જગ્યા લે.

ચીનના સામરીક આકલનમાં પાકિસ્તાન બાદ નેપાળનું સ્થાન આવે છે. ભારત વિરુદ્ધ નેપાળનો ઉપયોગ જ્યાં યુદ્ધ અને શાંતિ, બંને તબક્કામાં કરી શકાય છે, ત્યાં દલાઈ લામા ન રહેવાની સ્થિતિમાં તિબેટમાં અસ્થિરતા પેદા કરવા માટે પણ નેપાળનો ઉપયોગ કારગર થઈ શકે છે. ચીનની નજર બાંગ્લાદેશના તેલ અને ગેસ પર પણ છે, અને ત્યાં ચીની ઉત્પાદનને મ્યાંમારના અરાકાન ક્ષેત્રથી જોડવું માત્ર સમયની વાત છે, જેથી બાંગ્લાદેશના તેલ અથવા ગેસને પાઈપલાઈન દ્વારા સીધા યન્નાનથી જોડી શકાય. અરાકાનથી યન્નાનને જોડનારી પાઈપલાઈન પર કામ ચાલી રહ્યું છે. ચીની મદદથી મ્યાંમારના રસ્તે યન્નાનથી બાંગ્લાદેશ સુધી રેલવે લાઈન બિછાવવાની વાત પણ ચાલી રહી છે. બીજિંગે ચટગાંવમાં પોર્ટ બનાવવા અને પહેલા ઉપગ્રહના નિર્માણમાં મદદની પણ વાત કહી છે.

નેપાળ અને બાંગ્લાદેશ, બંને આજે ચીનના ખેમામાં છે, તો તેના માટે નવી દિલ્હીની નીતિઓ જવાબદાર છે. તેવામાં વર્ચસ્વવાદી ચીનનો મુકાબલો કરવા માટે ભારત શું કરે? રણનીતિક સ્તર પર ભારતને જોઈએ કે તે ચીનની આસપાસના એ દેશો સાથે ધરોબો વધારે, જે બીજિંગના વર્ચસ્વ માટે જોખમરૂપ દેખાય છે. એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે રશિયા અને જાપાનની સાથે ધરોબો ઉપયોગી થશે.

હિલેરી ક્લિન્ટને નવી દિલ્હીને આ સૂચન કર્યું છે. જ્યારે એશિયાઈ દેશો વચ્ચે રણનીતિક સ્તર પર ભારતની સ્થિતિ માત્ર એક પર્યવેક્ષકની છે. દુર્યોગથી આપણા રાજનયિકોની પાસે દ્રષ્ટિકોણનો અભાવ છે. સ્પષ્ટ છે કે આપણા રાજનેતાઓ અને રાજનયિકો માટે આ તે દિશામાં વિચારવાનો સમય છે. આપણી સેનાએ અરુણાચલ અને લડાખમાં ચીની ઘૂસણખોરીને જોરદાર જવાબ આપવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.

(સૌજન્ય- અમર ઉજાલા)

Sunday, 24 July 2011

ભારતીય હિતો સાથે રમત



સ્વપ્ન દાસગુપ્તા

એક ભારતીય અખબારના પત્રકાર તરીકે 90ના દશકના મધ્યમાં મે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં જમ્મુ-કાશ્મીર પર આયોજીત એક વાતચીતમાં ભાગ લીધો હતો. આ બેઠક કોઈ ખાસ મહત્વપૂર્ણ ન હતી અને તેમાં ભાગ લેવાનું એકમાત્ર કારણ એ હતું કે દૂતાવાસના એક ભારતીય અધિકારીએ મારા પર તેમાં સામેલ થવાનું દબાણ કર્યું હતું. તે દિવસોમાં કાશ્મીર ઉકળી રહ્યું હતું અને પશ્ચિમી સરકારોની અલગતાવાદીઓ પ્રત્યે મૂક સંવેદના હતી. બેઠક બિલકુલ ફીકી રહેત જો ત્યાં દશ તથાકથિત કાશ્મીરી કાર્યકર્તા સૂત્રોચ્ચાર ન કરત. મજબૂર થઈને સુરક્ષાકર્મીઓએ હસ્તક્ષેપ કરવો પડયો અને આખો હોલ ખાલી કરાવવો પડયો. સ્પષ્ટ છે કે આ બધાંથી ભારતીય અધિકારી ગુસ્સે ભરાયા હતા, પરંતુ તેઓ અસહાય હતા. માત્ર દશ પ્રતિબદ્ધ નવયુવાનોએ પાકિસ્તાનને એક નાનકડી જીત અપાવી દીધી હતી.
ગત વર્ષ મારા હ્રદયમાં આ ઘટનાની યાદો તાજી થઈ ગઈ, જ્યારે લંડન પ્રવાસ દરમિયાન મે પચાસ તોફાની દેખાવકારોને ભારતીય ઉચ્ચાયુક્ત સામે ધરણા પર બેઠેલા જોયા. બાદમાં મે ભારતીય દૂતાવાસના એક અધિકારીને પુછયું કે દેખાવકારો શેના માટે ગડબડ ફેલાવી રહ્યાં હતા? નિશ્ચિતપણે ભારત-પાકિસ્તાન કૂટનીતિ હવે લંડનમાં સૂત્રોચ્ચારની બેહૂદગીથી ઘણી આગળ નીકળી ચુકી છે. દૂતાવાસના અધિકારીએ જવાબ આપ્યો કે આ મૂર્ખતાપૂર્ણ તમાશો છે. પાકિસ્તાન પોતાના સ્થાનિક ટેકેદારોને કુશ કરવા માટે અવાર-નવાર આવા પ્રદર્શન કરતું રહે છે. બસમાં ભરીને કેટલાંક દેખાવકારોને અહીં લાવવામાં આવે છે, જે કેટલાંક કલાક સુધી સૂત્રોચ્ચાર કરે છે. ત્યાર બાદ અહીંથી દૂર ઉભેલા પાકિસ્તાની એજન્ટો તેમને કેટલાંક પાઉન્ડ અને સિગરેટ આપે છે અને તેઓ ચાલ્યા જાય છે. આ પાકિસ્તાનની નિરર્થક કવાયત છે. 

મને લાગે છે કે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના નિદેશક ગુલામ નબી ફઈ પણ વોશિંગ્ટન ડીસીમાં આવી જ કવાયતનો હિસ્સો હતો. તે હવે યુએસ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈના ઉલ્લંઘનના કારણે એફબીઆઈના શિકંજામાં છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો દાવો છે કે ફઈના સંગઠનને 90ના દશકના મધ્યથી પાકિસ્તાની સરકાર પાસેથી લગભગ 40 લાખ ડોલરની મદદ મળી ચુકી છે. તેના સંગઠનની લંડન અને બ્રુસેલ્સમાં પણ શાખાઓ છે. એ પણ આરોપ છે કે ફઈ ગત 20 વર્ષોથી ઈસ્લામાબાદના નિર્દેશાનુસાર કામ કરી રહ્યો છે અને જૂન-2008થી પાકિસ્તાની ગુપ્તચર વિભાગના લોકો સાથે ચાર હજાર વખત વાત કરી ચુક્યો છે. આરોપોથી સંકેત મળે છે કે ફઈ કુખ્યાત આઈએસઆઈના ખુલ્લા મંચ તરીકે કામ કરી રહ્યો હતો. 

ફઈની પ્રવૃતિઓ લંડનમાં એક સિગરેટ પેકેટ માટે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા નવયુવાનોથી વધારે કુટિલ હતી. તે સંમેલન અને સેમિનારનું આયોજન કરતો હતો અને કાશ્મીર પર અમેરિકી નીતિને પ્રભાવિત કરવા માટે કાયદા ઘડનારાઓ માટે લોબિંગ કરતો હતો. જો તમે તેની નિષ્ઠા પાકિસ્તાન સાથે જોડાયેલી મેળવો છો તો તેની પ્રવૃતિ કાયદાની મર્યાદામાં કહી શકાય છે, પરંતુ પાકિસ્તાનના હિતોના પ્રોત્સાહનના અંગ તરીકે ફઈ મોટા જતનથી ભારતથી આવા ભારતીયોને લોભાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે વોશિંગ્ટનમાં દરેક વર્ષ સંમેલન આયોજીત કરતો હતો અને તેમાં પસંદગીના ભારતીયોને બોલાવીને તેમની ખૂબ આગતા-સ્વાગતા કરતો હતો. તેમને આવવા જવા માટે બિઝનેસ ક્લાસની ટિકિટ પણ મોકલતો હતો. સ્વાભાવિક છે, તેની દિલચસ્પી એવા ભારતીયોમાં હતી, જેમનો ઝુકાવ પાકિસ્તાની હિતો તરફ રહે છે. તેની દિલચસ્પી ખાસ પ્રકારના ભારતીયોમાં હતી. એવા ભારતીયો જે ભારતીય સત્તાના આલોચક હોય સાથેસાથે બૃહત્તર ભારતીય પ્રતિષ્ઠાનોમાં જાણીતી વ્યક્તિ હોય. તથાકથિત માનવાધિકાર કાર્યકર્તા અને સ્વતંત્ર પત્રકાર અથવા સ્તંભકારની પ્રાથમિકતા ફઈની યાદીમાં શીર્ષસ્થ હતી. એ જણાવવાની જરૂરત નથી કે જે ભારતીય કાશ્મીર પર આધિકારીક નીતિથી અસંમતિ દર્શાવતા હતા, તે ઈસ્લામાબાદને ખુશ કરવા માટે તેમ કરતાં હતા.

મુદ્દો એ નથી કે એક ભૂતપૂર્વ ન્યાયાધીશ અથવા પછી એક મોટા સમૂહના સંપાદક એટલા માટે વિરોધી વિચાર રાખે છે, કારણ કે લોકતાંત્રિક ભારત તેમને આવું કરવાનો અધિકાર આપે છે. મુદ્દો એ છે કે શું તેમને એ અહેસાસ નથી કે એક ત્રીજા દેશમાં ફઈ તેમના વિચારોનો પાકિસ્તાનના હિતોને પ્રોત્સાહન આપવામાં દુરુપયોગ કરી શકતો હતો. પુરાવાથી માલૂમ પડે છે કે જે ભારતીય ફઈ દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમેરિકા ગયો હતો, તે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના એજન્ડાથી સારી રીતે પરિચિત હતા. પર્યટનની લાલચ તેમના માથા પર એટલી હદે ચઢીને બોલી રહી હતી કે તેઓ એક શત્રુ રાષ્ટ્રના હિતોની પૂર્તિ માટે પણ તૈયાર થઈ ગયા. આપણને આ સંદર્ભે કોઈ ગલતફેમી ન હોવી જોઈએ કે પાકિસ્તાન એક શત્રુ દેશ છે, જેની સાથે ભારત અઘોષિત યુદ્ધ લડી રહ્યું છે. આગતા-સ્વાગતા અને આઈએસઆઈ પ્રાયોજીત ખાતિરદારીમાં અંતર છે. જે લોકો આ અંતરને સ્વીકારતા નથી, તેમને જાહેર જીવનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. 

ફઈની કેટલાંક ભારતીયો સાથે નિકટતાએ પાકિસ્તાનના ભારતને એક હજાર જખ્મો આપવાના યુદ્ધમાં ભારતને કૂટનીતિક રીતે શર્મિંદા જ નથી કર્યું, પરંતુ તેણે આ ટકરાવને વધારવામાં યોગદાન આપ્યું જેનાથી નિર્દોષ લોકોના જીવ ગયા. ફઈને ભારતીયોના અપરાધોને ખોટો નિર્ણય માનીને માફ કરી દેવા બેહદ વિનમ્ર વલણ હશે. ભારતીયો માટે ન રમવું અપરાધ નથી, પરંતુ પાકિસ્તાન માટે રમવું વિશ્વાસઘાત છે.

(સૌજન્ય- દૈનિક જાગરણ)

Thursday, 21 July 2011

પંથનિરપેક્ષ માળખા પર પ્રહાર



એ. સૂર્યપ્રકાશ 

લઘુમતી તુષ્ટિકરણના પોતાના એજન્ડા પર પ્રતિબદ્ધ યુપીએ સરકાર એક એવો કાયદો બનાવવા જઈ રહી છે, જે કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરી શકે છે, બંધારણની સંઘીય વિશેષતાઓને કમજોર કરી શકે છે અને કેન્દ્ર સરકારને રાજ્યોના શાસનમાં હસ્તક્ષેપ કરવાના નવા બહાના ઉપલબ્ધ કરાવી શકે છે. પ્રસ્તાવિત બિલને સાંપ્રદાયિક અને લક્ષિત હિંસા રોકથામ બિલ નામ આપવામાં આવ્યું છે અને તેનો જે ઉદેશ્ય બતાવાય રહ્યો છે તે કોમી સંઘર્ષની ઘટનાઓ પર અંકુશ લાગવવો, પરંતુ તેનું નિર્માણ એ પૂર્વગ્રહો સાથે કરવામાં આવ્યું છે કે તમામ સ્થિતિઓમાં ધાર્મિક બહુમતી જ લઘુમતી સમૂહ પર ઝુલમ કરે છે. માટે બહુમતી સમાજના સભ્યો દોષિત છે અને લઘુમતી સમુદાયના લોકો પીડિત. આ ધારણા  આ કાયદાનો આધાર છે, માટે એ સ્વાભાવિક છે કે પ્રસ્તાવિત કાયદો 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર માને છે અને મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય ધાર્મિક લઘુમતીઓને પીડિત સ્વરૂપે જોવે છે. 

આ કાયદાનો મુસદ્દો એ રાષ્ટ્રીય સલાહકાર પરિષદે તૈયાર કર્યો છે જે છદ્મ સેક્યુલારિસ્ટો, હિંદુ વિરોધીઓ અને નહેરુ-ગાંધી પરિવારના સમર્થકોનો એક સમૂહ છે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેના અધ્યક્ષ છે. આ પરિષદને કેન્દ્રની એક એવી સરકાર પાસેથી બરાબર મહત્વ મળી રહ્યું છે, જેનું નેતૃત્વ પહેલીવાર લઘુમતી સમાજના એક સભ્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસ્તાવિત કાયદામાં એવી જોગવાઈ છે કે તે કોમી સૌહાર્દને પ્રોત્સાહન આપવાનું તો દૂર, હિંદુઓની વચ્ચે પંથનિરપેક્ષતાની પ્રતિબદ્ધતાને જ કમજોર કરી શકે છે. 

બિલના મુસદ્દા પ્રમાણે, જો કોઈ સમૂહની સદસ્યતાને કારણે જાણીજોઈને કોઈ વ્યક્તિ વિરુદ્ધ આવું કૃત્ય કરવામાં આવે જે રાષ્ટ્રના સેક્યુલર તાણા-વાણાને નષ્ટ કરનાર હોય. સૌથી મોટી શરારત શબ્દ સમૂહની પરિભાષામાં કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમૂહનું તાત્પર્ય ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અથવા જનજાતિથી છે. તેનો અર્થ છે કે હિંદુ, જે આજે મોટાભાગના રાજ્યોમાં બહુમતી છે, આ કાયદા હેઠળ સમૂહની મર્યાદામાં આવશે નહીં. માટે તેમને આ કાયદા હેઠળ સંરક્ષણ મળી શકશે નહીં, પછી ભલે તેઓ મુસ્લિમ અથવા ખ્રિસ્તી કોમવાદ, ધૃણા અથવા હિંસાના શિકાર હોય. અનેક વિશ્લેષકોએ કહ્યું પણ છે કે તેનો અર્થ છે કે જો 2002માં આ કાયદો લાગુ હોત તો જે 59 હિંદુઓને ગુજરાતના ગોધરા સ્ટેશનમાં સાબરમતી ટ્રેનમાં બાળીને મારી નાખવામાં આવ્યા તેમની હત્યા સંદર્ભે એફઆઈઆર દાખલ કરી શકાઈ ન હોત. કારણ કે આ કાયદા હેઠળ ગુજરાતમાં હિંદુ બહુમતી છે, પરંતુ મુસ્લિમ ગોધરા બાદના હુલ્લડો માટે આ કાયદાની જોગવાઈનો ઉપયોગ કરી શકત. તેનો સીધો અર્થ છે કે કોમવાદી હિંસાનો શિકાર થનારા હિંદુઓને બીજા દરજ્જાના નાગરીકના રૂપમમાં જોવામાં આવશે અને આ મહદ અંશે પાકિસ્તાન જેવા ઈસ્લામિક રાજ્યમાં લાગુ હિંદુ વિરોધી કાયદાની જેમ છે. 

પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે એક પીડિતની વ્યાખ્યા લઘુમતી સમુદાયના સભ્યના રૂપમાં કરવામાં આવી છે, જેને કોમવાદી હિંસાની ઘટનામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદમાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારી પણ સામેલ છે. આ વ્યાખ્યાના આધારે દેશના કોઈ ભાગમાં કોઈ મુસ્લિમ અથવા ખ્રિસ્તીનો જો કોઈ સામાન્ય મુદ્દા પર પોતાના હિંદુ પડોશી સાથે વિવાદ થશે તો તે આ કાયદાનો ઉપયોગ કરીને પોતાના પડોશી પર એ આરોપ લગાવી શકે છે કે તેણે તેને મનોવૈજ્ઞાનિક નુકસાન પહોંચાડયું છે. જો તે કોઈ કારણે આવું ન કરે તો તેના સંબંધી આવું કરી શકે છે. 

આ સમગ્ર કવાયતનો જે પાયાનો હેતુ નજરે પડે છે, તે છે હિંદુઓને નિશાન બનાવવા. બિલ કહે છે કે તેને આખા ભારતમાં લાગુ કરવામાં આવશે, પરંતુ જ્યારે દેશના એકમાત્ર મુસ્લિમ બહુલ રાજ્ય જમ્મુ-કાશ્મીરની વાત આવે છે, તો તેમાં કહેવામાં આવ્યું છે  કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર રાજ્યની સંમતિથી તેને ત્યાં લાગુ કરી શકે છે. 

જો કે આ બિલમાં આ પ્રકારે આખરી ઓપ આપવામાં આવ્યો છે કે હિંદુ સમુદાયે તેની વિચિત્ર જોગાવાઈઓનો માર સહન કરવો પડે, પરંતુ મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખોને પણ પરેશાની સહન કરવી પડે તેમ છે, કારણ કે બહુમતી-લઘુમતીના નિર્ધારણ માટે રાજ્ય જ એકમ છે. 2001ની વસ્તીગણતરીના આંકડા પ્રમાણે, શીખ પંજાબમાં 59.9 ટકા છે, જ્યારે હિંદુઓની વસ્તી 36.9 ટકા છે. જો આ કાયદો લાગુ થઈ જાય છે તો બહુમતી શીખ સમાજને હિંદુઓની ફરીયાદ પર પરેશાનીનો સામનો કરવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. તેવી જ રીતે ખ્રિસ્તીઓ નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલયમાં બહુમતીમાં છે. જો આ રાજ્યોમાં હિંદુઓ આ કાયદાનો મનફાવે તેવો ઉપયોગ કરે તો ખ્રિસ્તી સમુદાયને મુસીબતો ઉઠાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. માટે મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ સમુદાયએ કોંગ્રેસ પાર્ટીના આ દાવાઓ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ કે આ બિલ પંથનિરપેક્ષતાને મજબૂત કરશે, કારણ કે આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ દોષિતોને બરાબરીથી જોતું નથી. 

પ્રત્યેક રાજ્યમાં બહુમતી અને લઘુમતીના નિર્ધારણમાં એક અન્ય વિસંગતિ પણ છે. મણિપુરમાં હિંદુઓ 46 ટકા છે અને અરુણાચલ પ્રદેશમાં 34.60 ટકા છે. જો કે આ રાજ્યોમાં કોઈ ધાર્મિક સમૂહ પાસે સ્પષ્ટ બહુમતી નથી, માટે કોને પીડિત માનવામાં આવે અને કોને દોષિત? તેનાથી વધારે જો અનુસૂચિત જાતિ અને જનજાતિને હિંદુ સમાજથી અલગ કરી દેવામાં આવે તો આ રાજ્યોમાં હિંદુ વસ્તીની ટકાવારી શું હશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે? એ કહેવામાં સંકોચ ન હોવો જોઈએ કે જે કાયદો બનાવાય રહ્યો છે, તે હકીકતમાં કોમવાદી પણ છે અને એક સમુદાય એટલે કે હિંદુઓને નિશાન બનાવનારો પણ છે. જો આ બિલના સૂત્રધારો પોતાના મનસૂબામાં સફળ રહેશે તો ભારતની એકતા અને અખંડિતા જોખમમાં પડી જશે. આવું બિલ એ વ્યક્તિ ન બનાવી શકે કે જે લોકતાંત્રિક અને પંથનિરપેક્ષ ભારતને પ્રેમ કરે છે. આપણે તેની તપાસ કરવી જોઈએ કે બિલનો મૂળ મુસદ્દો ક્યાંથી આવ્યો છે?
 સૌજન્ય-દૈનિક જાગરણ

Wednesday, 20 July 2011

વિશ્લેષણ: ઈસ્લામિક આતંકનો સમૂળ નાશ કેવી રીતે?


ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

13મી જુલાઈ, 2011ના મુંબઈ ખાતેના આતંકી વિસ્ફોટ ભારતના હિંદુઓ માટે નિર્ણાયક આત્મસંશોધનની જરૂરત ઉભી કરે છે. હિંદુઓ હલાલ ફેશનમાં મરવાનું, દેશના આખરી ધૈર્યપાત સુધી દરરોજ રક્તરંજિત થવાનું સ્વીકારી શકે નહીં. અહીં મે આતંકવાદને વ્યાખ્યાયિત કર્યો છે કે બળના ગેરકાયદેસર પ્રયોગથી નાગરીક વસ્તીને તેની ઈચ્છા અને કલ્યાણની વિરુદ્ધ કામ કરવા અથવા ન કરવા બિવડાવવું.

રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે ઈસ્લામિક આતંકવાદ ભારતની પ્રથમ ક્રમાંકની સમસ્યા છે. આના સંદર્ભે 2012માં કોઈ શંકા રહેવાની નથી. મને અંદેશો છે કે તે વર્ષે તાલિબાન પાકિસ્તાન પર કબજો જમાવશે અને અમેરિકીઓ અફઘાનિસ્તાનમાંથી નાસી જશે. ત્યાર બાદ ઈસ્લામ પોતાના સંપૂર્ણપણે બાકી રહેલા ધંધા હેઠળ હિંદુઓની સામે સંઘર્ષમાં આવશે. અલ કાયદાના નેતા તરીકે ઓસામા બિન લાદેનના અનુગામીએ ઘોષણા કરી છે કે આતંકવાદી સંગઠન માટે ભારત પ્રાથમિક લક્ષ્ય છે, અમેરિકા નહીં.

ધર્મઝનૂની મુસ્લિમો માટે હિંદુઓની બહુમતીવાળું ભારત ઈસ્લામની જીતનું બાકી રહેલું પ્રકરણ છે. બીજા બધાં ઈસ્લામ દ્વારા જીતાયેલા દેશો ઈસ્લામના આક્રમણના બે દાયકાઓમાં 100 ટકા ઈસ્લામમાં ધર્માંતરીત થઈ ગયા હતા. 800 વર્ષના ઈસ્લામના ક્રૂર શાસન છતાં 1947ના અખંડ ભારતમાં 75 ટકા હિંદુઓ હતા. ધર્મઝનૂનીઓ માટે તે વિસંવાદી બને છે.

એક રીતે, હું હિંદુઓને નિશાન બનાવવા બદલ મુસ્લિમ ધર્મઝનૂનીઓનો દોષ કાઢતો નથી. હું હિંદુઓનો દોષ કાઢું છું કે જેઓ સનાતન ધર્મમાં પરવાનગીવાળા પોતાના વ્યક્તિત્વને આત્યાંતિક સ્તરે લઈ ગયા છે. લાખો હિંદુઓ સંપૂર્ણપણે સ્વયંભૂ રીતે રાજ્યના સંરક્ષણ વગર કુંભ મેળામાં એકઠા થાય છે, પરંતુ તેઓ કાશ્મીર, મઉ, મેલવિશ્રામ અને મલાપ્પુરમમાં હિંદુઓને નિશાન બનાવવાની વાતની જાણ વગર ઘરે પાછા ફરે છે અને હિંદુઓને સંગઠિત બનાવવા માટે પોતાની નાની આંગળી પણ ઉંચી કરતાં નથી. જો હિંદુઓમાંથી અડધા લોકો જાતિ અને ભાષાથી ઉપર ઉઠીને મતદાન કરે તો, સાચો હિંદુ પક્ષ સંસદ અને વિધાનસભાઓમાં બે તૃતિયાંશ બહુમતી મેળવી શકે.

ભારત વિરુદ્ધ ઈસ્લામિક આતંકવાદના તાજેતરના ઈતિહાસ અને આતંકવાદ સામે ભારતે ભીડેલી બાથ પરથી પહેલો બોધપાઠ એ મળ્યો છે કે હિંદુ નિશાન છે અને ભારતના મુસ્લિમો ધીમી પ્રતિક્રિયાશીલ પ્રક્રીયા હેઠળ ઉદ્દામવાદી બનવા માટે પ્રોગ્રામ થઈ રહ્યાં છે અને આમ તેઓ ધીમે ધીમે હિંદુઓ વિરુદ્ધ આત્મઘાત તરફ આગળ વધી રહ્યાં છે. તે હિંદુ માનસિકતાના પાયાને ખોદી કાઢીને નાગરીક યુદ્ધનો ભય ઉભો કરવા આતંકી હુમલા કરે છે.

હિંદુઓએ આતંકવાદીને હિંદુઓ તરીકે સામુહિક પ્રતિક્રિયા આપવી પડશે અને હિંદુઓએ વ્યક્તિગત રીતે અલગ અથવા ખરાબ સ્થિતિમાં પોતે વ્યક્તિગત રીતે અસર પામેલા ન હોવાને કારણે આત્મસંતુષ્ટ ન બનવું જોઈએ. જો એક હિંદુ માત્ર હિંદુ હોવાના કારણે મરે છે, તો પછી દરેક હિંદુ જરાક મરશે. આ અનિવાર્ય માનસિક વલણ છે, વિચારસરણીને વરેલા હિંદુઓનો જરૂરી હિસ્સો છે.

ઈસ્લામિક આતંકવાદની સામે ઉભા રહેવા આપણને હિંદુ તરીકેના સામુહિક અભિપ્રાયની જરૂર છે. જો ભારતના મુસ્લિમો હિંદુ માટે સાચી લાગણી ધરાવતા હોય, તો તેઓ આપણી સાથે ભળી શકે છે. તેઓ ગર્વ સાથે એમ ન સ્વીકારે કે તેઓ મુસ્લિમ હોવા છતાં તેમના પૂર્વજ હિંદુઓ હતા, ત્યાં સુધી હું તેમને માનીશ નહીં. જો કોઈ મુસ્લિમ પોતાનો હિંદુ વારસો કબૂલ કરે તો આપણે હિંદુઓએ તેને હિંદુસ્તાન એટલે કે બૃહદ હિંદુ સમાજના ભાગ તરીકે સ્વીકારવો જોઈએ. ઈન્ડિયા એટલે કે ભારત એટલે કે હિંદુસ્તાન હિંદુઓનું અને જેમના પૂર્વજ હિંદુઓ છે, તેમનું રાષ્ટ્ર છે. અન્યો કે જે આ વાત સ્વીકારવાનું ઈન્કારે છે, અથવા જે વિદેશીઓ નોંધણી દ્વારા ભારતીય નાગરીક બન્યા છે, તે ભારતમાં રહી શકે છે, પરંતુ તેમને મતદાનનો અધિકાર ન હોવો જોઈએ. (તેનો અર્થ એ કે તેઓ પ્રતિનિધિ ચૂંટી શકે નહીં.)

આતંકને ડામવાના યુદ્ધની કોઈપણ નીતિની શરૂઆત દરેક હિંદુને વિરાટ હિંદુ બનાવવાથી શરૂ થાય છે. તેના માટે વ્યક્તિમાં હિંદુ માઈન્ડસેટ હોવો જોઈએ એટલે કે તેનાથી વ્યક્તિગત ચરીત્ર અને રાષ્ટ્રીય ચરીત્ર ઓળખી શકાય. ઉદાહરણ તરીકે મનમોહન સિંહ પાસે ઉચ્ચ વ્યક્તિગત ચરીત્ર છે, પરંતુ અર્ધશિક્ષિત સોનિયા ગાંધીના રબર સ્ટેમ્પ તરીકે અને તમામ રાષ્ટ્રીય મુદ્દાઓ પર નિરર્થક રહીને તેમણે સાબિત કર્યું છે કે તેમનું કોઈ રાષ્ટ્રીય ચરિત્ર નથી.

આતંકને ડામવાના યુદ્ધમાં બીજો બોધપાઠ એ છે કે 1989માં મુફ્તિ મહંમદ સઈદની પુત્રી રુબિયાને મુક્ત કરાવવા પાંચ આતંકવાદીઓને મુક્ત કરવાની અને 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-814ના હાઈજેક બાદ ત્રણ આતંકીઓને મુક્ત કરવાની શરતી શરણાગતિ અથવા કોઈ માગણી સ્વીકારવી જોઈએ નહીં.

ત્રીજો બોધપાઠ છે કે કોઈપણ અને ગમે તેટલી નાની આતંકવાદી ઘટના હોય, રાષ્ટ્રે સામુહિક રીતે પ્રતિકાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, જ્યારે અયોધ્યા મંદીર પર હુમલો થયો, તો આપણે તે સ્થળે રામમંદિરનું પુનર્નિમાણ કરીને પ્રતિકાર કરવો જોઈએ.

રક્તરંજિત હ્રદયવાળા ઉદારોના જણાવ્યા પ્રમાણે, આતંકવાદીઓ નિરક્ષરતા, ગરીબી, ભેદભાવ અને જુલમને કારણે પેદા થાય છે. તેમની દલીલ છે કે તેમનો નાશ કરવાની જગ્યાએ, સમાજમાંથી આ ચાર સમસ્યાઓના મૂળ કારણને સમાપ્ત કરવું જોઈએ. આ વાહીયાત બાબત છે. ઓસામા બિન લાદેન અબજોપતિ હતો. ટાઈમ્સ સ્ક્વેર ખાતેના નિષ્ફળ આતંકી હુમલાનો નિષ્ફળ આતંકવાદી શહઝાદ પાકિસ્તાનના ઉચ્ચ પરિવારમાંથી આવે છે અને તે અમેરિકી યુનિવર્સિટીમાંથી એમબીએ થયેલો છે.

એ પણ હાસ્યાસ્પદ વિચાર છે કે આતંકવાદીઓ મરણિયા અને વિચારશક્તિવિહીન હોવાથી તેમના પર ધાક બેસાડી શકાય નહીં. આતંકવાદીના માસ્ટમાઈન્ડના રાજકીય લક્ષ્યો હોય છે અને તેમના ગાંડપણ તેમની પદ્ધતિ છે. આતંકવાદને નિરુત્સાહ કરવાના અસરકારક વ્યૂહમાં તેમના રાજકીય લક્ષ્યોને હરાવવા અને આતંક વિરોધી કાર્યવાહીથી તેમને વાહિયાત બનાવવા. માટે, ભારતમાં ઈસ્લામિક આતંકવાદના રાજકીય લક્ષ્યોને વ્યર્થ બનાવવા માટે હું નીચેની વ્યૂહરચનાની તરફદારી કરું છું.

ગોલ-1, ભારતને કાશ્મીર મુદ્દે બિવડાવવું

વ્યૂહરચના- કલમ-370 રદ્દ કરવી અને ખીણમાં એક્સ સર્વિસમેનોને વસાવવા. હિંદુ પંડિત સમુદાય માટે પનુન કાશ્મીર બનાવવું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે લેવાની તક પેદા કરવી. જો પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરવાનું ચાલુ રાખે, તો બલુચી અને સિંધીઓને તેમની સ્વતંત્રતા અપાવવા સહાયતા કરવી.

ગોલ-2, મંદીરોમાં વિસ્ફોટો, હિંદુ ભક્તોની હત્યા

વ્યૂહરચના- કાશી વિશ્વનાથ મંદીર અને મંદીર પર બનેલી 300 મસ્જિદોને દૂર કરવી.

ગોલ-3, ભારતને દારુલ ઈસ્લામમાં ફેરવવું

વ્યૂહરચના- સમાન નાગરીક ધારો અમલી બનાવવો, સંસ્કૃતનો અભ્યાસ અને વંદેમાતરમનું ગાન ફરજિયાત બનાવવું અને ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે કે જ્યાં બિનહિંદુઓ ગર્વથી કબૂલ કરે કે તેમના પૂર્વજો હિંદુઓ હતા, તો જ તેઓ મતદાન કરી શકે. ઈન્ડિયાનું હિંદુસ્થાન તરીકે ફરીથી નામકરણ કરવું કે જે હિંદુઓ અને જેમના પૂર્વજો હિંદુઓ છે, તેમનું રાષ્ટ્ર છે.

ગોલ-4, ગેરકાયદેસર ઘૂસણખોરી, ધર્માંતરણ અને પરિવાર નિયોજનનો ઈન્કાર કરીને ભારતનું વસ્તી સમીકરણ બદલવું

વ્યૂહરચના- હિંદુઓને અન્ય કોઈપણ ધર્મમાં ધર્માંતરણ પર પ્રતિબંધ મુક્તો રાષ્ટ્રીય કાયદો ઘડવો. ઘરવાપસી પર પ્રતિબંધ ન મુકવો. ઘોષણા કરવી જોઈએ કે જાતિનો આધાર ધર્મ નહીં, પણ નૈતિક શિક્ષણ અને શાસ્ત્ર રહેશે. બિનહિંદુઓને આચાર સંહીતાનું પાલન કરવા તૈયાર હોય, તો તેમને તેમની પસંદગીની જાતિમાં ફરીથી ધર્માંતરીત થવા માટે સ્વાગત કરવું જોઈએ. બાંગ્લાદેશમાંથી ભારત આવેલા ગેરકાયદેસર ઘૂસણખોરોના પ્રમાણમાં તે દેશ પાસેથી જમીન ખાલસા કરવી. હાલ, સિલ્હટથી ખુલના સુધીનો ઉત્તરીય વિસ્તાર ગેરકાયદેસર ઘૂસણખોરોને વસાવવા માટે ખાલસા કરી શકાય તેમ છે.

ગોલ-5, મસ્જિદ, મદરસાઓ અને ચર્ચોમાં હિંદુઓને બદનામ કરતાં લખાણો અને ઉપદેશો આપીને હિંદુઓમાં સ્વાભિમાનશૂન્યતા પેદા કરવી અને તેમને અમુક શરતો હેઠળ શરણે લાવવા મજબૂર બનાવવા.

વ્યૂહરચના- હિંદુ માઈન્ડસેટના વિકાસનો પ્રચાર કરવો

આ પ્રકારની પ્રતિરોધક વ્યૂહરચનાથી ભારત પાંચ વર્ષોની અંદર જ પોતાની આતંકવાદની સમસ્યાને ઉકેલી શકે છે. પરંતુ તેના માટે પહેલા આપણે ઉપર દર્શાવેલા ચાર બોધપાઠ શીખવા પડશે, અને રાષ્ટ્રની સુરક્ષા માટે સાહસિક, જોખમી અને કડક નિર્ણયો લેવા માટે હિંદુ માઈન્ડસેટ જોઈશે. જો યહુદીઓ ગેસ ચેમ્બરમાં ગરીબ ઘેટાંના બચ્ચાની જેમ ચાલીને માત્ર 10 વર્ષમાં ખૂંખાર સિંહો બની શકતા હોય, તો તેમના કરતાં સારી પરિસ્થિતિઓમાં રહેલા હિંદુઓ માટે તે અઘરી વાત નથી. (ગમે તેમ તો પણ આપણે ભારતમાં 83 ટકા છીએ.)

ગુરુ ગોવિંદ સિંહે આપણને બતાવ્યું છે કે આધ્યાત્મિક માર્ગદર્શન નીચે માત્ર પાંચ નિર્ભિક વ્યક્તિઓ કેવી રીતે સમાજમાં પરિવર્તન પેદા કરી શકે છે. જો અડધો અડધ હિંદુ મતદારોને હિંદુ તરીકે હ્રદયપૂર્વક હિંદુ એજન્ડાને વરેલી પાર્ટી માટે વોટ કરવા માટે સમજાવી શકાય, તો આપણે પરિવર્તનના સાધન તરફ ધીમે ધીમે આગળ વધી શકીએ. અત્યારની આ સત્યની ક્ષણે લોકતાંત્રિક હિંદુસ્થાનમાં આતંકવાદને નિરુત્સાહ કરવા માટેની વ્યૂહરચનાની આ છેલ્લી લીટી છે.

(લેખક જનતા પાર્ટીના અધ્યક્ષ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને અર્થશાસ્ત્રના પ્રોફેસર છે)
(સૌજન્ય- ડીએનએ 16 જુલાઈ, 2011)


Tuesday, 19 July 2011

કોણ ભરશે અફઘાનનું શૂન્ય



વેદપ્રતાપ વૈદિક

અફઘાનિસ્તાને પોતાના પગ પર ઉભા રહેવાનું શરૂ કરી દીધું છે.

આ રવિવારે નાટો સેનાઓએ બામિયાન નામના પ્રાંતની બાગડોર અફઘાન સેનાને સોંપી દીધી છે. આ બામિયાન એ પ્રાંત છે, જ્યાં ભગવાન બુદ્ધની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમા સેંકડો વર્ષોથી ઉભી હતી અને જેને તાલિબાનોએ ધ્વસ્ત કરી દીધી હતી. બામિયાનની જેમ હવે છ અન્ય સ્થાનોનું સૈન્ય સંચાલન પણ ઝડપથી અફઘાનોના હાથમાં આવી જશે. આ છ સ્થાનો છે- કાબુલ, મજારે શરીફ, હેરાત, પંજશેર, મેહતર લાભ અને લશ્કરગાહ!

હાલ લગભગ દોઢ લાખ વિદેશી ફોજી જવાન અફઘાનિસ્તાનમાં તેનાત છે. તેમને 2014 સુધી અફઘાનિસ્તાન ખાલી કરવાનું છે. ગત દસ વર્ષોથી આ વિદેશી જવાન જ આખા અફઘાનિસ્તાનને કાબુમાં રાખેલું છે. આ તમામ જવાનો આમ તો નાટોના કમાન્ડ હેઠળ છે, પરંતુ મેદાની દ્રષ્ટિએ દરેક દેશના જવાનોની પોતપોતાની કમાન્ડ પણ છે. બામિયાનની કમાન્ડ ન્યૂઝીલેન્ડના હાથમાં હતી. નાટોની આ સેનાઓ લગભગ સ્વાયત છે. અફઘાન સરકારનું તેમના પર કોઈ નિયંત્રણ નથી. અફઘાન સેનાઓની સાથે તેમનો ઘણીવાર કોઈ તાલમેલ સુદ્ધાં હોતો નથી. 

હવે પહેલીવાર પોતાની સુરક્ષા સંબંધિત નિર્ણય અફઘાન સેના ખુદ કરશે. અત્યાર સુધી તો સ્થિતિ એ હતી કે નાટો સેનાઓ અનેક ગંભીર અભિયાન પોતાની મેળે શરૂ કરી દેતી હતી અને તેની ખબર અફઘાન રાષ્ટ્રપતિ અને સેનાપતિને અખબારોના માધ્યમથી પડતી હતી. એ તો ઠીક છે કે હવે દરેક મહત્વપૂર્ણ લશ્કરી નિર્ણય આ સૂબાઓમાં તેઓ ખુદ કરશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું અફઘાન સેના આ નિર્ણયો લાગુ કરવામાં સક્ષમ સાબિત થશે? આ વર્ષ અફઘાનિસ્તાનમાં જેટલા વિદેશી સૈનિકો માર્યા ગયા, એટલાં પહેલા ક્યારેય મર્યા નથી. હકીકતમાં અફઘાન સેનાનું મનોબળ હાલના સમયમાં ઘણું નીચે છે, જેના ઘણાં કારણો છે. 

તેમાં પહેલું તો એ છે કે ન તો તેમની પાસે યથેષ્ટ શસ્ત્રો છે અને ન તો તેમને પુરતી તાલીમ આપવામાં આવી છે. વિદેશી સૈનિકોએ અફઘાન સૈનિકો પર ક્યારેય સંપૂર્ણપણે ભરોસો કર્યો નથી. તેઓ હંમેશા એવી શંકાથી આક્રાંત રહે છે કે જો અફઘાન સૈનિકોને કિંમતી હથિયાર આપી દેવામાં આવશે, તો તેઓ તેને વેચી દેશે અથવા તેને લઈને તાલિબાન કબાઈલીયોના પક્ષમાં સામેલ થઈ જશે. જ્યાં સુધી તેમના પ્રશિક્ષણનો સવાલ છે, તો મોટાભાગના અફઘાન જવાન પશ્તો ભાષા બોલે છે અને સમજે છે. અમેરિકી સૈન્ય પ્રશિક્ષક માત્ર અંગ્રેજી બોલી શકે છે. અફઘાન જવાનોને ફારસી અને હિંદી-ઉર્દૂમાં પણ સમજાવી શકાય છે, પરંતુ એ પણ નાટો પ્રશિક્ષકોની મર્યાદાની વાત નથી. આ સિવાય ગામડાંમાં રહેનારા પઠાણોના મનમાં અમેરિકીઓ અને વિદેશીઓ પ્રત્યે સ્વાભાવિકપણે અંતર હોય છે. તેઓ તેમને ઉપનિવેશિક માલિક માને છે. કહેવાનો આશય છે કે દસ વર્ષના લાંબા સમયગાળા છતાં નાટો સેનાઓ કોઈ મજબૂત રાષ્ટ્રીય અફઘાન સેના ઉભી કરી શકી નથી. 

વિદેશી સરકારો એવી ગલતફેમીમાં જીવી રહી છે કે પોતાની સેનાઓ દ્વારા તેઓ તાલિબાનનો મૂલોચ્છેદ કરી દેશે અને અફઘાનિસ્તાન શાંતિનું સામ્રાજ્ય બની જશે. તેમાં તેમણે અબજો ડોલરો જ ગુમાવ્યા નથી, પરંતુ તેમના હજારો જવાનો પણ બેમોત માર્યા ગયા. એટલું જ નહીં, તેમના પોતાના દેશમાં તેમના વિરુદ્ધ રાજકીય માહોલ પણ ગરમ થયું છે. 

જ્યોર્જ બુશની ચૂંટણીમાં હાર અને ઓબામાની જીતમાં અફઘાનિસ્તાનની પણ સુનિશ્ચિત ભૂમિકા રહી છે. પરંતુ પશ્ચિમી રાષ્ટ્રોએ પોતાની પાછલી ભૂલોમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. તેઓ ચાહત તો ગત બે વર્ષોમાં ઓછામાં ઓછા પાંચ લાખ જવાનોની રાષ્ટ્રીય અફઘાન સેના અને પોલીસ ફોર્સ ઉભું કરી શક્યા હોત. હવે જ્યારે તેમણે પોતાની કમાન અફઘાન સેનાને સોંપવાની શરૂ કરી દીધી છે, ઘણું અનિશ્ચયનું વાતાવરણ બની ગયું છે. 

અફઘાનિસ્તાનથી પાનિયું છોડવવાની ઉતાવળમાં જો પશ્ચિમી દેશ આ પ્રકારે કમાન છોડીને ચાલ્યા ગયા તો અફઘાનિસ્તાનમાં અરાજકતા તો ફેલાશે જ, વિદેશી સેનાઓનું ત્યાંથી ભાગી નીકળવું પણ મુશ્કેલ થઈ જશે. જરા યાદ કરો, પહેલા અફઘાન-બ્રિટિશ યુદ્ધની ઘટનાઓને. અંગ્રેજોના 16 હજાર સૈનિકોએ ચાર વર્ષ સુધી કાબુલ પર પોતાનો કબજો જરૂરથી બનાવી રાખ્યો, પરંતુ તેમની વાપસી વખતે પંદર હજાર નવસો નવ્વાણુ સૈનિકોની અફઘાનોએ કતલ કરી દીધી હતી. માત્ર એક અંગ્રેજ લશ્કરી ડોક્ટર જીવ બચાવીને ભાગી શક્યો હતો. 1842માં બ્રિટિશ સામ્રાજ્યની ઈજ્જતો અફઘાનિસ્તાને ધૂળમાં મેળવી દીધી, શું હવે 2014માં અમેરિકા તે દિવસ જ જોવા માંગે છે? જો હવાઈ જહાજોના જમાનામાં પશ્ચિમી જવાન પોતાનો જીવ બચાવવામાં સફળ થઈ જશે તો પણ તેમના દેશ પોતાની ઈજ્જત બચાવવામાં સફળ નહીં થાય.
તો હવે તેમની ઈજ્જત કેવી રીતે બચે? વિદેશી સેના અફઘાનિસ્તાન જરૂર ખાલી કરે. જો તેઓ નહીં કરે તો તેમના રાષ્ટ્રોની પણ તે સ્થિતિ બની શકે છે, જે સોવિયત સંઘની થઈ હતી અફઘાનોથી લડતા-લડતા તેઓ દેવાળિયા બની જશે. જો તેઓ અફઘાનિસ્તાનથી હટી જશે તો તાલિબાનનો સૌથી મોટા આધાર ધ્વસ્ત થઈ જશે. તેમના પ્રભાવનો સૌથી મોટો આધાર એ છે કે તેઓ પોતાની માતૃભૂમિની આઝાદી માટે લડી રહ્યાં છે. તેને તેઓ વિદેશી કબજાથી મુક્ત કરાવશે. આ આધાર ધ્વસ્ત થતા જ તેઓ વાતચીતની મેજ પર પણ આવી જશે. તે જ તેમની સૌથી મોટી અડચણ છે. 

પરંતુ સવાલ એ છે કે વિદેશી સેનાઓ હટતા જ શું કાબુલની સરકાર ધરાશાયી નહીં થાય? બિલકુલ થઈ જશે. તે થોડા કલાકો પણ ટકી શકશે નહીં. તો પછી શું કરવામાં આવે? પાંચ લાખ અફઘાન જવાનોની સેના અને પોલીસ ફોર્સ ઉભી કરવાનું કામ સંપૂર્ણપણે ભારતને સોંપવામાં આવે. પશ્ચિમી રાષ્ટ્ર તમામ ખર્ચ ઉઠાવે તો ભારત આ કામ સારી રીતે કરી શકે છે. પાકિસ્તાન તેનો જરૂરથી વિરોધ કરશે. આ મામલામાં પાકિસ્તાનનો સાથ લેવાની ભરચક કોશિશ કરવામાં આવે. જો ભારત-પાકિસ્તાન સંયુક્ત કમાન બની શકે તો શું કહેવું? અને જો આ સંભવ ન હોય તો ભારતે દ્રઢતાપૂર્વક પોતાના મિશનમાં દ્રઢ રહેવું જોઈએ. પાકિસ્તાનની દરેક આડોડાઈને ઉખાડવા માટે કમર કસવી જોઈએ. આ કામ અમેરિકાની ખુલ્લી સંમતિ વગર થઈ શકે નહીં. પાકિસ્તાન જો ભારતનો રસ્તો રોકશે તો ભારતે ઈરાન-અફઘાન સીમાંત પર જરંજ-દિલારામ સડક આખરે કેમ બનાવી છે? તે ક્યારે કામ આવશે? મહાશક્તિઓના વિનમ્ર અનુયાયી બનાવાના સ્થાને ભારતે પોતાના ક્ષેત્રની રાજનીતિ પોતાના દમખમ પર ચલાવવી જોઈએ.
(સૌજન્ય- રાષ્ટ્રીય સહારા)

Monday, 18 July 2011

આતંકવાદ પર ક્ષુદ્ર રાજકારણ



બલબીર પુંજ
(કોંગ્રેસ પર રાજકીય લાભ માટે આતંકવાદ વિરુદ્ધ નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવી રહ્યાં છે, બલબીર પુંજ)

શું ભારત અમેરિકાની તર્જ પર આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ જીતી શકે છે? જો વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રતીક્ષારત વડાપ્રધાન કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના નિવેદનોને જોઈએ તો નિરાશા હાથ લાગે છે. વડાપ્રધાન કહે છે કે આતંકી હુમલાની ભનક ગુપ્તચર વિભાગને ન લાગવાને કારણે આતંકવાદી હુમલો કરવામાં કામિયાબ રહ્યાં. બીજી તરફ રાહુલ ગાંધી આતંકવાદી હુમલો રોકી શકવો બેહદ મુશ્કેલ ગણાવી રહ્યાં છે. તેમના અવિવેકી નિવેદનના બચાવમાં ઉતરેલા દિગ્વિજય સિંહ માને છે કે ભારત ઓછામાં ઓછું પાકિસ્તાનથી તો સારું છે, જ્યાં રોજ બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યાં છે. આ કેવી માનસિકતા છે?

અમેરિકામાં 9/11એ થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાની જે કડક વ્યવસ્થા કરવામાં આવી તેને કારણે ફરીથી એકપણ આતંકવાદી ઘટના ત્યાં થઈ નથી. તેનાથી વિપરીત ભારતમાં આતંકવાદી કોઈપણ જગ્યાએ હુમલો કરવા માટે સક્ષમ થઈ રહ્યાં છે. કારણ? આ પહેલા 26/11એ મુંબઈ પર મોટો હુમલો થયો હતો. વડાપ્રધાન-ગૃહમંત્રીએ ત્યારે ભ્રમરો ચઢાવીને આગળ હુમલો થવાની સ્થિતિમાં ભારત જવાબી કાર્યવાહી કરશેની ધમકી આપી હતી. વાસ્તવમાં ભારતમાં આતંકવાદની ઉપજાઉ જમીન કોંગ્રેસની મુસ્લિમ વોટબેંકની નીતિ અને ડાબેરીઓના વિકૃત સેક્યુલરવાદને કારણે જ મળી રહી છે. 
એનડીએ સરકારના કાર્યકાળમાં આતંકવાદ વિરુદ્ધ સખત કાયદો બનાવાયો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે સત્તામાં આવતાની સાથે જ પોટાને રદ્દ કરીને આતંકવાદીઓનું માનવર્ધન કર્યું. 26/11ના હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીની રચના કરીને સરકારે આતંકવાદ વિરુદ્ધ શૂન્ય સહનશીલતા દર્શાવવાનો દાવો કર્યો, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સીની ગત ત્રણ વર્ષની ઉપલબ્ધિ શું છે? એજન્સીએ પોતાની તમામ શક્તિ ભગવા આતંકવાદનો આભાસ ઉભો કરવામાં બરબાદ કરી છે. ભગવા આતંકવાદ કોંગ્રેસનો રાજકીય એજન્ડા હોઈ શકે છે, પરંતુ શું આ કુનીતિથી જેહાદનું ઝેર ઓછું થઈ જશે? પ્રતિબંધિત મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન-સીમી પોતાના નવા અવતાર ઈન્ડિયન મુજાહિદ્દીનના રૂપમાં ભારતની સનાતન સંસ્કૃતિને નિરંતર લોહીલુહાણ કરવામાં લાગી છે. ત્યારે ભારતનું સત્તા અધિષ્ઠાન આતંકવાદનો સામનો હિંદુ આતંકવાદનો દેકારો ઉભો કરવામાં વ્યસ્ત છે. 

આજે ચારે તરફ અરાજકતાનો માહોલ છે. દેશનો ચાલીસ ટકા ભાગ નક્સલી હિંસાનો શિકાર છે. જેહાદી ઈસ્લામનું ઝેર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાઈ ચુક્યું છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને કારણે કેટલાંક રાજ્યોની વસ્તીના સ્વરૂપમાં પરિવર્તનની સાથે આંતરીક સુરક્ષા પર પણ ગંભીર જોખમ ઝળુંબી રહ્યું છે, પરંતુ સેક્યુલર સત્તા અધિષ્ઠાન હિંદુ આતંકનો પ્રલાપ કરી રહ્યું છે. પોટા જેવા આતંકવાદ નિરોધક કાયદાને સેક્યુલરિસ્ટ મુસ્લિમોની હેરાનગતિનું યંત્ર ગણાવે છે. કેટલીક બિનકોંગ્રેસી રાજ્ય સરકારોએ જ્યારે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદો લાવવા ઈચ્છયો છે, તો કેન્દ્ર સરકાર તેમના માર્ગમાં અડચણ ઉભી કરે છે. ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢના આતંકવાદ નિરોધક કાયદા કેન્દ્ર સરકાર પાસે છેલ્લા ચાર વર્ષોથી મંજૂરી માટે વિલંબિત છે. 2005થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 20 મોટી આતંકવાદી ઘટનાઓ દેશના જુદાંજુદાં ભાગોમાં થઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈપણ દોષિતોને સજા થઈ શકી નથી. સંસદ પર હુમલો કરવાનું ષડયંત્ર રચનારા અફઝલ ગુરુની ફાંસીની સજા પણ વિલંબિત છે. બીજી તરફ મુંબઈ હુમલામાં એકમાત્ર જીવિત પકડયાલા આતંકવાદી અજમલ કસાબને સુરક્ષિત રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શું તેના પણ હાલ અફઝલ ગુરુ જેવા જ થશે? કોયમ્બટૂર બોમ્બ વિસ્ફોટના આરોપી અબ્દુલ નાસેર મદનીને પેરોલ પર મુક્ત કરવા માટે કેરળ વિધાનસભાનું વિશેષ સત્ર હોળીની રજાવાળા દિવસે આયોજીત કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ-માર્ક્સવાદીઓએ સર્વસંમતિથી તેની મુક્તિ માટેનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. શું આવી માનસિકતા રહેવાથી આતંકવાદનો ખાત્મો સંભવ છે?

આતંકવાદને લઈ કોંગ્રેસનું બેવડું સ્વરૂપ કોઈનાથી છુપાયેલુ નથી. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓના પણ મોત થયા હતા, પરંતુ પોતાના જવાનોની શહાદતને અપમાનિત કરીને કોંગ્રેસના કેટલાંક નેતા અથડામણ બાદ બટલા હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મુસ્લિમ વોટબેંકની ખાતિરદારીમાં મુલાયમ સિંહ યાદવ જેવા નેતાઓ પહેલેથી જ બેઠેલા હતા. સત્તાસીન કોંગ્રેસે પોતાના નેતાઓને આતંકવાદીઓનો સાથ આપનારા કટ્ટરપંથી તત્વોથી અંતર બનાવવાનો નિર્દેશ આપવાની જગ્યાએ સુરક્ષાકર્મીઓની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા. બટલા હાઉસ એન્કાઉન્ટર અને ઘણાં અન્ય રાજ્યોની તપાસમાં આતંકવાદ અને ઉત્તર પ્રદેશના આઝમગઢ વચ્ચે ઘેરો સંબંધ સામે આવ્યો, પરંતુ વોટબેંકની રાજનીતિને કારણે આજમગઢ સેક્યુલારિસ્ટોનું નવું તીર્થ બની ગયું. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ અને અન્યત્ર આતંકી પ્રવૃતિમાં સામેલ હોવાને કારણે આજમગઢના જે યુવાનોની ધરપકડકરવામાં આવી, તેમના ઘરો પર માતમ મનાવવા માટે સેક્યુલરિસ્ટોની ભીડ લાગી ગઈ. સુરક્ષા જવાનોનું મનોબળ તોડનારા સેક્યુલરિસ્ટ શું ક્યારેય આતંકવાદ વિરુદ્ધ ઉભા થઈ શકશે?

ઘણાં વર્ષોથી આખા દેશમાં કોમી સૌહાર્દ છે. પરંતુ યુપીએ સરકાર કોમી હિંસા રોકથામ બિલ-2011નો મુસદ્દો તૈયાર કરીને બેઠી છે. આ બિલને લાવવાનો ઉદેશ્ય પણ મુસ્લિમ સમાજને કટ્ટરપંથી વર્ગને ખુશ કરી પોતાની વોટબેંક વધારવાનો છે. આ મુસદ્દામાં પહેલેથી જ એમ માની લેવાયું છે કે કોમવાદી તણાવ માટે માત્ર બહુસંખ્યક જવાબદાર છે અને લઘુમતીઓનો તેમા કોઈ દોષ નથી. કોમવાદી તણાવ અને સંઘર્ષની સ્થિતિમાં માત્ર બહુમતી સમાજને જ દંડિત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. વોટબેંકની રાજનીતિને કારણે શું આ કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયત્ન નથી? વસ્તુત્ સામાજીક ટકરાવથી જ કોંગ્રેસ પોતાના રાજકીય હિત સાધતી આવી છે. કોઈપણ પ્રકારનો આતંકવાદ ભારતીય સાર્વભૌમત્વ અને અખંડતાને પ્રત્યક્ષ પડકાર છે. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘુસીને મારી નાખવો પાકિસ્તાનની સાર્વભૌમતાનું ઉલ્લંઘન ભલે હોય, પરંતુ તેનાથી અમેરિકાની દ્રઢ ઈચ્છાશક્તિ પણ રેખાંકીત થઈ છે. આખો અમેરિકી સમાજ આ મામલામાં બરાક ઓબામા સાથે ઉભો હતો. વોટબેંકની વૈચારીક ગુલામીમાં બંધાયેલા ભારતીય સત્તા અધિષ્ઠાન પાસેથી આવી અપેક્ષા વ્યર્થ છે.
(લેખક ભાજપના રાજ્યસભા સાંસદ છે) સૌજન્ય- દૈનિક જાગરણ