Wednesday, 20 July 2011

વિશ્લેષણ: ઈસ્લામિક આતંકનો સમૂળ નાશ કેવી રીતે?


ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

13મી જુલાઈ, 2011ના મુંબઈ ખાતેના આતંકી વિસ્ફોટ ભારતના હિંદુઓ માટે નિર્ણાયક આત્મસંશોધનની જરૂરત ઉભી કરે છે. હિંદુઓ હલાલ ફેશનમાં મરવાનું, દેશના આખરી ધૈર્યપાત સુધી દરરોજ રક્તરંજિત થવાનું સ્વીકારી શકે નહીં. અહીં મે આતંકવાદને વ્યાખ્યાયિત કર્યો છે કે બળના ગેરકાયદેસર પ્રયોગથી નાગરીક વસ્તીને તેની ઈચ્છા અને કલ્યાણની વિરુદ્ધ કામ કરવા અથવા ન કરવા બિવડાવવું.

રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે ઈસ્લામિક આતંકવાદ ભારતની પ્રથમ ક્રમાંકની સમસ્યા છે. આના સંદર્ભે 2012માં કોઈ શંકા રહેવાની નથી. મને અંદેશો છે કે તે વર્ષે તાલિબાન પાકિસ્તાન પર કબજો જમાવશે અને અમેરિકીઓ અફઘાનિસ્તાનમાંથી નાસી જશે. ત્યાર બાદ ઈસ્લામ પોતાના સંપૂર્ણપણે બાકી રહેલા ધંધા હેઠળ હિંદુઓની સામે સંઘર્ષમાં આવશે. અલ કાયદાના નેતા તરીકે ઓસામા બિન લાદેનના અનુગામીએ ઘોષણા કરી છે કે આતંકવાદી સંગઠન માટે ભારત પ્રાથમિક લક્ષ્ય છે, અમેરિકા નહીં.

ધર્મઝનૂની મુસ્લિમો માટે હિંદુઓની બહુમતીવાળું ભારત ઈસ્લામની જીતનું બાકી રહેલું પ્રકરણ છે. બીજા બધાં ઈસ્લામ દ્વારા જીતાયેલા દેશો ઈસ્લામના આક્રમણના બે દાયકાઓમાં 100 ટકા ઈસ્લામમાં ધર્માંતરીત થઈ ગયા હતા. 800 વર્ષના ઈસ્લામના ક્રૂર શાસન છતાં 1947ના અખંડ ભારતમાં 75 ટકા હિંદુઓ હતા. ધર્મઝનૂનીઓ માટે તે વિસંવાદી બને છે.

એક રીતે, હું હિંદુઓને નિશાન બનાવવા બદલ મુસ્લિમ ધર્મઝનૂનીઓનો દોષ કાઢતો નથી. હું હિંદુઓનો દોષ કાઢું છું કે જેઓ સનાતન ધર્મમાં પરવાનગીવાળા પોતાના વ્યક્તિત્વને આત્યાંતિક સ્તરે લઈ ગયા છે. લાખો હિંદુઓ સંપૂર્ણપણે સ્વયંભૂ રીતે રાજ્યના સંરક્ષણ વગર કુંભ મેળામાં એકઠા થાય છે, પરંતુ તેઓ કાશ્મીર, મઉ, મેલવિશ્રામ અને મલાપ્પુરમમાં હિંદુઓને નિશાન બનાવવાની વાતની જાણ વગર ઘરે પાછા ફરે છે અને હિંદુઓને સંગઠિત બનાવવા માટે પોતાની નાની આંગળી પણ ઉંચી કરતાં નથી. જો હિંદુઓમાંથી અડધા લોકો જાતિ અને ભાષાથી ઉપર ઉઠીને મતદાન કરે તો, સાચો હિંદુ પક્ષ સંસદ અને વિધાનસભાઓમાં બે તૃતિયાંશ બહુમતી મેળવી શકે.

ભારત વિરુદ્ધ ઈસ્લામિક આતંકવાદના તાજેતરના ઈતિહાસ અને આતંકવાદ સામે ભારતે ભીડેલી બાથ પરથી પહેલો બોધપાઠ એ મળ્યો છે કે હિંદુ નિશાન છે અને ભારતના મુસ્લિમો ધીમી પ્રતિક્રિયાશીલ પ્રક્રીયા હેઠળ ઉદ્દામવાદી બનવા માટે પ્રોગ્રામ થઈ રહ્યાં છે અને આમ તેઓ ધીમે ધીમે હિંદુઓ વિરુદ્ધ આત્મઘાત તરફ આગળ વધી રહ્યાં છે. તે હિંદુ માનસિકતાના પાયાને ખોદી કાઢીને નાગરીક યુદ્ધનો ભય ઉભો કરવા આતંકી હુમલા કરે છે.

હિંદુઓએ આતંકવાદીને હિંદુઓ તરીકે સામુહિક પ્રતિક્રિયા આપવી પડશે અને હિંદુઓએ વ્યક્તિગત રીતે અલગ અથવા ખરાબ સ્થિતિમાં પોતે વ્યક્તિગત રીતે અસર પામેલા ન હોવાને કારણે આત્મસંતુષ્ટ ન બનવું જોઈએ. જો એક હિંદુ માત્ર હિંદુ હોવાના કારણે મરે છે, તો પછી દરેક હિંદુ જરાક મરશે. આ અનિવાર્ય માનસિક વલણ છે, વિચારસરણીને વરેલા હિંદુઓનો જરૂરી હિસ્સો છે.

ઈસ્લામિક આતંકવાદની સામે ઉભા રહેવા આપણને હિંદુ તરીકેના સામુહિક અભિપ્રાયની જરૂર છે. જો ભારતના મુસ્લિમો હિંદુ માટે સાચી લાગણી ધરાવતા હોય, તો તેઓ આપણી સાથે ભળી શકે છે. તેઓ ગર્વ સાથે એમ ન સ્વીકારે કે તેઓ મુસ્લિમ હોવા છતાં તેમના પૂર્વજ હિંદુઓ હતા, ત્યાં સુધી હું તેમને માનીશ નહીં. જો કોઈ મુસ્લિમ પોતાનો હિંદુ વારસો કબૂલ કરે તો આપણે હિંદુઓએ તેને હિંદુસ્તાન એટલે કે બૃહદ હિંદુ સમાજના ભાગ તરીકે સ્વીકારવો જોઈએ. ઈન્ડિયા એટલે કે ભારત એટલે કે હિંદુસ્તાન હિંદુઓનું અને જેમના પૂર્વજ હિંદુઓ છે, તેમનું રાષ્ટ્ર છે. અન્યો કે જે આ વાત સ્વીકારવાનું ઈન્કારે છે, અથવા જે વિદેશીઓ નોંધણી દ્વારા ભારતીય નાગરીક બન્યા છે, તે ભારતમાં રહી શકે છે, પરંતુ તેમને મતદાનનો અધિકાર ન હોવો જોઈએ. (તેનો અર્થ એ કે તેઓ પ્રતિનિધિ ચૂંટી શકે નહીં.)

આતંકને ડામવાના યુદ્ધની કોઈપણ નીતિની શરૂઆત દરેક હિંદુને વિરાટ હિંદુ બનાવવાથી શરૂ થાય છે. તેના માટે વ્યક્તિમાં હિંદુ માઈન્ડસેટ હોવો જોઈએ એટલે કે તેનાથી વ્યક્તિગત ચરીત્ર અને રાષ્ટ્રીય ચરીત્ર ઓળખી શકાય. ઉદાહરણ તરીકે મનમોહન સિંહ પાસે ઉચ્ચ વ્યક્તિગત ચરીત્ર છે, પરંતુ અર્ધશિક્ષિત સોનિયા ગાંધીના રબર સ્ટેમ્પ તરીકે અને તમામ રાષ્ટ્રીય મુદ્દાઓ પર નિરર્થક રહીને તેમણે સાબિત કર્યું છે કે તેમનું કોઈ રાષ્ટ્રીય ચરિત્ર નથી.

આતંકને ડામવાના યુદ્ધમાં બીજો બોધપાઠ એ છે કે 1989માં મુફ્તિ મહંમદ સઈદની પુત્રી રુબિયાને મુક્ત કરાવવા પાંચ આતંકવાદીઓને મુક્ત કરવાની અને 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-814ના હાઈજેક બાદ ત્રણ આતંકીઓને મુક્ત કરવાની શરતી શરણાગતિ અથવા કોઈ માગણી સ્વીકારવી જોઈએ નહીં.

ત્રીજો બોધપાઠ છે કે કોઈપણ અને ગમે તેટલી નાની આતંકવાદી ઘટના હોય, રાષ્ટ્રે સામુહિક રીતે પ્રતિકાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, જ્યારે અયોધ્યા મંદીર પર હુમલો થયો, તો આપણે તે સ્થળે રામમંદિરનું પુનર્નિમાણ કરીને પ્રતિકાર કરવો જોઈએ.

રક્તરંજિત હ્રદયવાળા ઉદારોના જણાવ્યા પ્રમાણે, આતંકવાદીઓ નિરક્ષરતા, ગરીબી, ભેદભાવ અને જુલમને કારણે પેદા થાય છે. તેમની દલીલ છે કે તેમનો નાશ કરવાની જગ્યાએ, સમાજમાંથી આ ચાર સમસ્યાઓના મૂળ કારણને સમાપ્ત કરવું જોઈએ. આ વાહીયાત બાબત છે. ઓસામા બિન લાદેન અબજોપતિ હતો. ટાઈમ્સ સ્ક્વેર ખાતેના નિષ્ફળ આતંકી હુમલાનો નિષ્ફળ આતંકવાદી શહઝાદ પાકિસ્તાનના ઉચ્ચ પરિવારમાંથી આવે છે અને તે અમેરિકી યુનિવર્સિટીમાંથી એમબીએ થયેલો છે.

એ પણ હાસ્યાસ્પદ વિચાર છે કે આતંકવાદીઓ મરણિયા અને વિચારશક્તિવિહીન હોવાથી તેમના પર ધાક બેસાડી શકાય નહીં. આતંકવાદીના માસ્ટમાઈન્ડના રાજકીય લક્ષ્યો હોય છે અને તેમના ગાંડપણ તેમની પદ્ધતિ છે. આતંકવાદને નિરુત્સાહ કરવાના અસરકારક વ્યૂહમાં તેમના રાજકીય લક્ષ્યોને હરાવવા અને આતંક વિરોધી કાર્યવાહીથી તેમને વાહિયાત બનાવવા. માટે, ભારતમાં ઈસ્લામિક આતંકવાદના રાજકીય લક્ષ્યોને વ્યર્થ બનાવવા માટે હું નીચેની વ્યૂહરચનાની તરફદારી કરું છું.

ગોલ-1, ભારતને કાશ્મીર મુદ્દે બિવડાવવું

વ્યૂહરચના- કલમ-370 રદ્દ કરવી અને ખીણમાં એક્સ સર્વિસમેનોને વસાવવા. હિંદુ પંડિત સમુદાય માટે પનુન કાશ્મીર બનાવવું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે લેવાની તક પેદા કરવી. જો પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરવાનું ચાલુ રાખે, તો બલુચી અને સિંધીઓને તેમની સ્વતંત્રતા અપાવવા સહાયતા કરવી.

ગોલ-2, મંદીરોમાં વિસ્ફોટો, હિંદુ ભક્તોની હત્યા

વ્યૂહરચના- કાશી વિશ્વનાથ મંદીર અને મંદીર પર બનેલી 300 મસ્જિદોને દૂર કરવી.

ગોલ-3, ભારતને દારુલ ઈસ્લામમાં ફેરવવું

વ્યૂહરચના- સમાન નાગરીક ધારો અમલી બનાવવો, સંસ્કૃતનો અભ્યાસ અને વંદેમાતરમનું ગાન ફરજિયાત બનાવવું અને ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે કે જ્યાં બિનહિંદુઓ ગર્વથી કબૂલ કરે કે તેમના પૂર્વજો હિંદુઓ હતા, તો જ તેઓ મતદાન કરી શકે. ઈન્ડિયાનું હિંદુસ્થાન તરીકે ફરીથી નામકરણ કરવું કે જે હિંદુઓ અને જેમના પૂર્વજો હિંદુઓ છે, તેમનું રાષ્ટ્ર છે.

ગોલ-4, ગેરકાયદેસર ઘૂસણખોરી, ધર્માંતરણ અને પરિવાર નિયોજનનો ઈન્કાર કરીને ભારતનું વસ્તી સમીકરણ બદલવું

વ્યૂહરચના- હિંદુઓને અન્ય કોઈપણ ધર્મમાં ધર્માંતરણ પર પ્રતિબંધ મુક્તો રાષ્ટ્રીય કાયદો ઘડવો. ઘરવાપસી પર પ્રતિબંધ ન મુકવો. ઘોષણા કરવી જોઈએ કે જાતિનો આધાર ધર્મ નહીં, પણ નૈતિક શિક્ષણ અને શાસ્ત્ર રહેશે. બિનહિંદુઓને આચાર સંહીતાનું પાલન કરવા તૈયાર હોય, તો તેમને તેમની પસંદગીની જાતિમાં ફરીથી ધર્માંતરીત થવા માટે સ્વાગત કરવું જોઈએ. બાંગ્લાદેશમાંથી ભારત આવેલા ગેરકાયદેસર ઘૂસણખોરોના પ્રમાણમાં તે દેશ પાસેથી જમીન ખાલસા કરવી. હાલ, સિલ્હટથી ખુલના સુધીનો ઉત્તરીય વિસ્તાર ગેરકાયદેસર ઘૂસણખોરોને વસાવવા માટે ખાલસા કરી શકાય તેમ છે.

ગોલ-5, મસ્જિદ, મદરસાઓ અને ચર્ચોમાં હિંદુઓને બદનામ કરતાં લખાણો અને ઉપદેશો આપીને હિંદુઓમાં સ્વાભિમાનશૂન્યતા પેદા કરવી અને તેમને અમુક શરતો હેઠળ શરણે લાવવા મજબૂર બનાવવા.

વ્યૂહરચના- હિંદુ માઈન્ડસેટના વિકાસનો પ્રચાર કરવો

આ પ્રકારની પ્રતિરોધક વ્યૂહરચનાથી ભારત પાંચ વર્ષોની અંદર જ પોતાની આતંકવાદની સમસ્યાને ઉકેલી શકે છે. પરંતુ તેના માટે પહેલા આપણે ઉપર દર્શાવેલા ચાર બોધપાઠ શીખવા પડશે, અને રાષ્ટ્રની સુરક્ષા માટે સાહસિક, જોખમી અને કડક નિર્ણયો લેવા માટે હિંદુ માઈન્ડસેટ જોઈશે. જો યહુદીઓ ગેસ ચેમ્બરમાં ગરીબ ઘેટાંના બચ્ચાની જેમ ચાલીને માત્ર 10 વર્ષમાં ખૂંખાર સિંહો બની શકતા હોય, તો તેમના કરતાં સારી પરિસ્થિતિઓમાં રહેલા હિંદુઓ માટે તે અઘરી વાત નથી. (ગમે તેમ તો પણ આપણે ભારતમાં 83 ટકા છીએ.)

ગુરુ ગોવિંદ સિંહે આપણને બતાવ્યું છે કે આધ્યાત્મિક માર્ગદર્શન નીચે માત્ર પાંચ નિર્ભિક વ્યક્તિઓ કેવી રીતે સમાજમાં પરિવર્તન પેદા કરી શકે છે. જો અડધો અડધ હિંદુ મતદારોને હિંદુ તરીકે હ્રદયપૂર્વક હિંદુ એજન્ડાને વરેલી પાર્ટી માટે વોટ કરવા માટે સમજાવી શકાય, તો આપણે પરિવર્તનના સાધન તરફ ધીમે ધીમે આગળ વધી શકીએ. અત્યારની આ સત્યની ક્ષણે લોકતાંત્રિક હિંદુસ્થાનમાં આતંકવાદને નિરુત્સાહ કરવા માટેની વ્યૂહરચનાની આ છેલ્લી લીટી છે.

(લેખક જનતા પાર્ટીના અધ્યક્ષ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને અર્થશાસ્ત્રના પ્રોફેસર છે)
(સૌજન્ય- ડીએનએ 16 જુલાઈ, 2011)


No comments:

Post a Comment