સી. ઉદય ભાસ્કર, સૌજન્ય- દૈનિક જાગરણ
ત્રણ જુલાઈ, 1999 કારગીલ યુદ્ધની નાટકીય ક્ષણ હતી, જે તે વર્ષે ભારતમાં પાકિસ્તાની ઘૂસણખોરીને કારણે શરૂ થયું હતું. શરૂઆતમાં મુશર્રફના નેતૃત્વમાં ચોરી-છૂપીથી રજૂ કરાયેલા ભડકારોથી આશ્ચર્યચકિત રહી ગયેલી ભારતીય સેનાએ ધીરે-ધીરે પકડ બનાવવાની શરૂ કરી અને આગામી કેટલાંક સપ્તાહમાં ઘૂસણખોરોને મારી ભગાડીને બીહડ પહાડીઓ પર પોતાનો કબજો જમાવી દીધો. આ પ્રયત્નમાં ભારતને મોટી સંખ્યામાં સૈનિકોની શહાદત આપવી પડી.
12 વર્ષ પહેલા, ત્રણ જુલાઈએ તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને મળવા માટે ઈસ્લામાબાદથી વોશિંગ્ટન ડીસી રવાના થયા. 4 જુલાઈએ અમેરિકી સ્વતંત્રતા દિવસ પર કોઈપણ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વગર આ બેઠક થઈ. આ બેઠકમાં જનરલ મુશર્રફના દુસ્સાહસને બંધ કરવાનો રસ્તો ખુલ્યો અને કારગીલ યુદ્ધ સમાપ્ત થયું. નિયંત્રણ રેખાની પવિત્રતા કાયમ થઈ ગઈ અને પાકિસ્તાનના પરમાણુ હુમલાની આશંકા પણ ધીરે-ધીરે દૂર થઈ ગઈ. બાદમાં ખબર પડી કે ક્લિન્ટન-શરીફ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ પાકિસ્તાની સેના દ્વારા ભારતીય ભૂભાગ પર કબજો જમામવવા માટે પરમાણુ હથિયારોના ઉપયોગને આમંત્રણ આપનારા બેહદ ખતરનાક સૈન્ય જુગાર સંદર્ભે સખત વલણ અપનાવ્યું હતું. ત્યારે સ્પષ્ટ થયું કે વડાપ્રધાન શરીફને આ સંદર્ભે કોઈ જાણકારી હતી નહીં કે સૈન્ય પ્રમુખ ક્યા પ્રકારે પરમાણુ ક્ષમતાનો દુરુપયોગ અમેરિકા અને ભારત બંને દેશોને ભયભીત કરવા માટે કરી રહ્યાં હતા. એ અલગ વાત છે કે મુશર્રફની આ ગુસ્તાખ પહેલ શરૂ થઈ શકી નહી.
ઈતિહાસનો આ નાનકડો ટુકડો 2 મે, 2011ના એબટાબાદમાં ઓસામા બિન લાદેનના નાટકીય પ્રકરણ બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘટનાક્રમના સંદર્ભમાં ખાસ મહત્વ રાખે છે. પોતાના જૂના નિવેદન પ્રમાણે, 22 જૂને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઘોષણા કરી કે 11 સપ્ટેમ્બર બાદના મોટાભાગના લક્ષ્યોની પૂર્તિ થઈ જવાને કારણે અમેરિકા અફઘાન-પાક ક્ષેત્રમાંથી સૈનિકોની વાપસીની પ્રક્રિયા 2011ના અંત સુધીમાં શરૂ કરી દેશે. પોતાના વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની સલાહથી વિપરીત ઓબામા યોજના પ્રમાણે 2011માં 10 હજાર અમેરિકી સૈનિકોની વાપસી થઈ જશે. 2012ના મધ્ય સુધી વધુ 20 હજાર સૈનિકોને પાછા બોલાવવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર રીતે 2014 સુધી અમેરિકા અફઘાનિસ્તાનની સુરક્ષા કાબુલ સરકાર અને અફઘાન સુરક્ષા દળોના હવાલે કરીને પોતાના છેલ્લે રહેલા સૈનિકોને પણ પાછા બોલાવી લેશે.
અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીના પરિણામ પર અભ્યાસની વચ્ચે જ થોડા દિવસો પહેલા કાબુલના લેન્ડમાર્ક ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલ પર આતંકવાદી હુમલામાં 21 લોકોના મોત નીપજ્યા. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાની સેના અને અલકાયદાથી નજીકના સંબંધવાળા હક્કાની નેટવર્કનો હાથ છે. આતંકવાદી સમૂહ ઘણી આસાનીથી કાબુલની વચ્ચોવચ આવેલી ઉચ્ચ સુરક્ષાવાળી હોટલમાં પ્રવેશ કરી ગયા અને સ્થાનિક અફઘાન સુરક્ષા દળો આ હુમલાને અટકાવવામાં નિષ્ફળ ગયા. નાટો સહાયતાના જોરે અફઘાન સુરક્ષા દળ આ પ્રકારના પડકારોનો સામનો કરી શકે છે.
શરૂઆતની તપાસથી સંકેત મળે છે કે અફઘાનિસ્તાનના હક્કાની નેટવર્કનો પાકિસ્તાની સેના સાથે ઘેરો સંબંધ છે અને આ પ્રકારના હુમલાઓને પાકિસ્તાન સમર્થિત સમૂહો દ્વારા અમેરિકી વાપસી બાદ અફઘાનિસ્તાનની સત્તામાં ભાગીદારીની દાવેદારીના પ્રયાસો તરીકે જોઈ શકાય છે.
અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારી અને કૂટનીતિક અવાર-નવાર કહી રહ્યાં છે કે જ્યાં સુધી સામરીક લાભ માટે પાકિસ્તાની સેના આતંકી સંગઠનોને સમર્થન આપતી રહેશે, ત્યાં સુધી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા કાયમ થઈ શકે નહીં. સાથે જ, અલકાયદા, તાલિબાન અને લશ્કરે તોઈબાની ઉગ્ર ઈસ્લામી વિચારધારા પાકિસ્તાની સમાજના વિભિન્ન વર્ગોમાં ઘર કરી રહી છે. તાજેતરમાં એક બ્રિગેડિયરની ધરપકડ તેનું તાજું ઉદાહરણ છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષાને લઈને ચિંતા વધી જાય છે. પાકિસ્તાન ઝડપથી પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. ગત દસ વર્ષોમાં તે 200થી વધારે પરમાણુ બોમ્બ બનાવી ચુક્યું છે.
આ નાજૂક અવસરે 3 જુલાઈ, 1999ની ઘટનાઓ અને કારગીલ યુદ્ધ સમાપ્ત કરવાની રીતો પરથી પાઠ શીખી શકાય છે. પાકિસ્તાની સેનાએ પરમાણુ હથિયારોના ઉપયોગના ખતરનાક આયામ રજૂ કર્યા છે. પરમાણુ હથિયારથી સજ્જ અન્ય દેશોથી વિપરીત પાકિસ્તાન જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સેના જ આ હથિયારોની સંરક્ષક છે. તેના સિવાય, મે-1999થી પાકિસ્તાની સેના પોતાના પરમાણુ હથિયારોનો ઉપયોગ સંશોધનવાદી એજન્ડા આગળ વધારવા અને પોતાના પક્ષમાં વિદ્યમાન સીમાઓને બદલવા માટે કરી રહી છે. લાદેનના મોત બાદ પાકિસ્તાની સેનાની વિશ્વસનીયતા સતત ઘટી રહી છે. તેની સાથે જ તે પોતાના દોસ્તો અને દુશ્મનોને બ્લેકમેલ કરવા માટે પરમાણુ હથિયારની ધોંસ દેખાડી રહ્યું છે.
પ્રસિદ્ધ પાકિસ્તાની પરમાણુ ભૌતિકશાસ્ત્રી પરવેઝ સાવધાન કરતાં કહે છે, લાદેનના મોત બાદ પાકિસ્તાની સેના પાસે બે જ મુખ્ય સામરીક સંપત્તિઓ બચી છે- અફઘાનિસ્તાનમાં અમેરિકી કમજોરી અને પરમાણુ બોમ્બ. જુલાઈમાં અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ભારત આવી રહ્યાં છે. ભારત અને અમેરિકા બંનેને પાકિસ્તાની સેનાની કુટિલ ચાલોનો તોડ કાઢવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ આ ત્યારે જ સંભવ છે કે જ્યારે ભારતની રાજકીય સત્તા જુદાંજુદાં ક્ષેત્રોમાં થઈ રહેલા ગોટાળાની મલિન છાયામાંથી ખુદને મુક્ત કરીને આ સંદર્ભે તટસ્થ વિશ્લેષણ કરે.
No comments:
Post a Comment