Wednesday, 29 June 2011

કોંગ્રેસનો અરાષ્ટ્રીય ચહેરો



તરુણ વિજય, સૌજન્ય- દૈનિક જાગરણ

કોંગ્રેસના મૂળ સ્વભાવ અને ચરિત્રને સમજ્યા વગર વર્તમાન રાજનીતિના પતનનું વિશ્લેષણ શક્ય નથી. વિડંબણા એ છે કે કોંગ્રેસના સત્તા કેન્દ્રીત અહંકારી સ્વભાવનો પ્રસાર ભારતની રાજનીતિમાં ઘર કરી ચુક્યો છે. સત્તા માટે કોઈપણ સીમા સુધી જવું અને રાજનીતિમાં વોટના લાભ માટે બિનઉપયોગી જનકલ્યાણને છોડી દેવું તેનો સ્વભાવ બની ગયો છે. સત્તાની આતુરતા અને સંઘર્ષના ગભરાટના કારણે જ કોંગ્રેસે 1947માં પાકિસ્તાન પ્રસ્તાવનો સ્વીકાર કરીને ભારતના ભાગલા કરાવ્યા. પચાસના દશકમાં ચીનના હાથે તિબેટ ખોયું અને 1.25 લાખ વર્ગ કિલોમીટર જમીન ચીન તથા પાકિસ્તાનના કબજામાં જવા દીધી. લેડી એડવિના માઉન્ટબેટનના પ્રભાવમાં નેહરુ કાશ્મીરનો મામલો સરદાર પટેલની સંમતિ વગર રાષ્ટ્રસંઘમાં લઈ ગયા જે કારણે કલમ-370નું એવું બંધારણીય વિધાન લાગુ કરાવ્યું કે જે બાદમાં અલગતાવાદ અને આતંકવાદના પોષણનું સૌથી મોટું કારણ બની ગયું. કોંગ્રેસની આવી સત્તાભોગી માનસિકતાને કારણે 1962માં ચીનનો હુમલો થયો. 1965માં આપણે જીતીને પણ હાર્યા તો 1971માં ઈન્દિરા ગાંધીને મળેલી અભૂતપૂર્વ સર્વપક્ષીય પ્રશંસા અને સમર્થન છતાં શિમલા સમજૂતીમાં આપણે કાશ્મીરના મુદ્દો નિર્ણાયકપણે હલ કરી શક્યા નહીં. જો કે તે સમયે પાકિસ્તાનની ગરદન આપણા હાથમાં હતી. તેના કારણે તે સમયે વરિષ્ઠ કવિ સોમ ઠાકુરે લખ્યુ હતુ- ઈતિહાસ લીખા થા ખૂન સે જો સ્યાહી સે કાટ દિયા હમને.

ચૂંટણીના લાભ માટે હુલ્લડો, કારણ વગરની પોલીસ કાર્યવાહી, બ્લુ સ્ટાર તથા 1984ના શીખ વિરોધી રમખાણો વગેરેથી તેનું સત્તાવિલાસી ચરિત્ર અને ઈતિહાસ સાબિત થાય છે. 1947 બાદથી આજ સુધી સૌથી વધારે હિંદુ-મુસ્લિમ હુલ્લડો માત્ર કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થયા. યુપીએ-1 અને યુપીએ-2 દરમિયાન કોંગ્રેસે સચ્ચર સમિતિથી લઈને હજયાત્રીઓ માટે જરૂરી પાસપોર્ટમાં પોલીસ તપાસની જરૂરતને ખતમ કરીને સામાજીક ખાઈ પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે જેને સારી રીતે સમજી શકાય છે.

સામાન્ય જનતા મોટાભાગે ઈતિહાસને જલ્દી ભૂલાવી દે છે. કોંગ્રેસ કેટલી નિર્મમ અને સંવેદનહીન હોઈ શકે છે તેનું સૌથી ખતરનાક ઉદાહરણ જો 1975માં લાગુ કરાયેલી કટોકટી છે તો તાજું ઉદાહરણ સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ દ્વારા પ્રસ્તાવિત સાંપ્રદાયિક હિંસા નિષેધ વિધેયક છે. આ વિધેયક કોંગ્રેસના વિકૃત અને હિંદુ વિરોધી અરાષ્ટ્રીય ચરિત્રનું સૌથી ખરાબ ઉદાહરણ છે.
આ વિધેયક દ્વારા ન કેવળ હિંદુઓને આક્રમક અને અપરાધી વર્ગમાં લાવીને ઉભા કર્યા છે, પરંતુ હિંદુ-મુસ્લિમો વચ્ચે શત્રુતા પેદા કરીને દરેક ગલી-કસબામાં હુલ્લડ કરાવવાની સાજિશ છે. જો આ ઔરંગઝેબી ફરમાન કાયદાનું રૂપ લે છે તો કોઈપણ હિંદુ પર કોઈપણ મુસ્લિમ નફરત ફેલાવવાનો, હુમલો કરવાનો, સાજિશ કરવાનો અથવા નફરત ફેલાવા માટે આર્થિક મદદ આપવા અથા શત્રુતાભાવ ફેલાવવાના નામે કેસ દાખલ કરાવી શકશે અને તે બિચારા હિંદુને આ કાયદા હેઠળ ક્યારેય ફરીયાદકર્તા મુસ્લિમની ઓળખ સુધીનો હક નહીં હોય. તેમાં ફરીયાદકર્તાના નામ અને સરનામાની જાણકારી તે વ્યક્તિને આપવામાં નહીં આવે કે જેની વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી રહી છે. તેના સિવાય ફરીયાદરક્તા મુસલમાન પોતાના ઘરે બેસીને ફરીયાદ કરાવી શકશે. આ પ્રકારે જાતિય શોષણ અને જાતિય અપરાધના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમ હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકેશે અને આ તમામ મામલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર કરાતા અપરાધોની સાથે સમાંતર ચલાવવામાં આવશે. તેનો અર્થ છે કે સંબંધિત હિંદુ વ્યક્તિને ક્યારેય એ જણાવવામાં આવશે નહીં કે તેની વિરુદ્ધ કોણે ફરીયાદ કરી છે? તેના સિવાય તેને એક જ તથાકથિત અપરાધ માટે બે વખત બે અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરવામાં આવશે. એટલું જ નહીં, આ વિધેયક પોલીસ અને સૈનિક અધિકારીઓ વિરુદ્ધ તેવા પ્રકારે જ વર્તાવ કરે છે કે જેવી રીતે કાશ્મીરી આતંકવાદી અને આઈએસઆઈ તેમની વિરુદ્ધ વલણ અપનાવે છે. વિધેયકમાં સમૂહ એટલે કે મુસ્લિમ વિરુદ્ધ કોઈપણ હુમલા અથવા હુલ્લડના સમયે જો પોલીસ, અર્ધલશ્કરી દળો અથવા સેના તુરંત વધુ પ્રભાવી ઢંગથી સ્થિતિ પર નિયંત્રણ પ્રાપ્ત નહીં કરે તો તે દળના નિયંત્રણકર્તા અથવા પ્રમુક વિરુદ્ધ આપરાધિક કલમો પ્રમાણે કેસ ચલાવવામાં આવશે. કુલ મળીને દરેક સ્થિતિમાં પોલીસ અથવા અર્ધલશ્કરી દળના અધિકારીઓને કઠઘરામાં ઉભા રહેવું પડશે, કારણ કે સ્થિતિ પર નિયંત્રણ જેવી પરિસ્થિતિને કોઈપણ રીતે પરિભાષિત કરી શકાય છે. આ વિધેયકની કલમો કોઈપણ સભ્ય, સમાન અધિકાર સંપન્ન અને ભેદભાવરહીત ગણતંત્ર માટે ઈદી અમીન અને સાઉદી અરેબિયાના શાહોની જેમ જ અન્ય આસ્થાઓના લોકો પ્રત્યે નફરત અને આક્રમકતાનું દર્શન કરાવે છે.

પ્રસિદ્ધ ન્યાયવિદ્ જે. એસ. વર્મા અને ન્યાયમૂર્તિ બી. એલ. શ્રીકૃષ્ણે પણ આ બિલને એકતરફી ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં નકારાત્મક અસર નાખનારું ગણાવ્યું છે. જરા જોવો, આ બિલને બનાવનારાઓએ સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે જે સાત સભ્યોની સમિતિની રચનાની ભલામણ કરી છે, તેમાં ચાર સભ્યો મજહબી લઘુમતી હશે. વિધેયક માનીને ચાલે છે કે જો સમિતિમાં લઘુમતીઓ એટલે કે મુસલમાનોની બહુમતી નહીં હોય તો સમિતિ ન્યાય કરી શકશે નહીં. અપેક્ષા છે કે આ સાત સભ્યો કોઈપણ કોમી હિંસાને રોકશે, તપાસ પર નજર રાખશે, આપરાધિક કેસો, પેશીઓ, રાહત કાર્યો અને પુનર્વાસને પોતાની દેખરેખમાં ચલાવશે. આખરે આ સાત સભ્યો હશે અથવા ફરિશ્તા અથવા પછી કટોકટીના દરોગા?

(તરુણ વિજય રાજ્યસભાના સાંસદ છે.)

No comments:

Post a Comment