Thursday, 30 June 2011
આગામી સંઘર્ષની આહટ
આર. વિક્રમ સિંહ, સૌજન્ય- દૈનિક જાગરણ
વાયદા પ્રમાણે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાઓની વાપસી જુલાઈથી શરૂ થઈ રહી છે. સાથે જ અમેરિકા, કરજઈ અને તાલિબાનની ત્રિપક્ષીય વાતચીતની પણ ચર્ચા છે. તાલિબાનની ભાગીદારી એટલા માટે છે કે અફઘાન સમસ્યાના જે રાજકીય સમાધાનની વાત થઈ રહી છે, તે ત્રિભુજ તાલિબાન વગર પૂર્ણ થઈ શકે તેમ નથી. ક્ષેત્રીય શક્તિઓનમાં અસંતુલન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ચૌધરી અહમદ મુખ્તારનું એ નિવેદન કે પાકિસ્તાન સૈન્ય શક્તિમાં ભારતની બરાબરી કરી શકે નહીં, અમેરિકી વાપસીથી ભારતીય આશંકાઓને દૂર કરવાની પ્રાયોજીત કોશિશ છે. લાદેનના મોતે સમજૂતીનો માહોલ બનાવી દીધો છે. વાતચીતની દિશા સત્તામાં તાલિબાનની ભાગીદારી સુધી જઈ શકે છે. નેપાળમાં કમ્યુનિસ્ટ ગુરિલ્લા યુદ્ધથી ચૂંટણીના રાજકારણ સુધી એક મોટી પ્રગતિ કરી શકે, પરંતુ આ કામ અફઘાનિસ્તાનમાં કેવી રીતે થશે, તે જોવાની વાત હશે. શું તાલિબાનને ચૂંટણીના રાજકારણમાં ભાગ લેવા માટે તૈયાર કરી શકાય છે? જો જવાબ હકારમાં છે, તો સમાધાનની રાહ બનતી દેખાઈ રહી છે. અફઘાનિસ્તાનને પોતાના જૂનિયર પાર્ટનરની હેસિયતમાં લાવવાના પાકિસ્તાની પ્રયાસ ચાલુ રહેશે. જ્યાં સુધી ભારતની વાત છે, અફઘાનિસ્તાનના વિકાસમાં અત્યાર સુધી રહેલા આપણા યોગદાનનો લાભ લોકતાંત્રિક અફઘાનિસ્તાનમાં જ મળી શકે છે, તાલિબાની અફઘાનિસ્તાનમાં નહીં.
પાકિસ્તાની સહયોગથી ચીન એક સ્પષ્ટ ભારત વિરોધી ધરીની પટકથા લખતું દેખાઈ રહ્યું છે. ચીને તો ગુલામ કાશ્મીરમાં પોતાની ઉપસ્થિતિથી કાશ્મીર સમસ્યામાં પણ પોતાની ભૂમિકાની નિશાનદેહી કરી લીધી છે. ક્ષેત્રીય વર્ચસ્વનો ચીની વિચાર ડામચુક અતિક્રમણ અને બ્રહ્મપુત્ર જળ વિવાદ ઉભો કરવાથી જાહેર થઈ જાય છે. ચીની નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ છે કે એબટાબાદ કાંડ બાદ ચીન પાકિસ્તાનની રાજકીય સ્થિરતાનું જમાનતદાર બનવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના ગયા બાદ આ શાપિત ક્ષેત્ર યથાસ્થિતિનો ભાર વહન કરી શકશે નહીં. જો કે આ વાપસીની સાથે આવનારા સંઘર્ષની આહટ પણ સંકળાયેલી છે. યુદ્ધ હંમેશા શક્તિઓના અસંતુલનનું આદર્શ સમાધાન હોય છે.
અમેરિકી વાપસી બાદના પરિદ્રશ્યમાં આપણી પાસે શું વિકલ્પ હશે? કાશ્મીર સમસ્યા અને ચીન સીમા વિવાદ પર આ વાપસીનો શું પ્રભાવ હશે અને એ પણ કે ચીની અહંકાર આગળ શું ગુલ ખિલાવશે? આપણી આ સમસ્યાઓનું શું કોઈ રાજકીય સમાધાન શક્ય છે? દરેક સમસ્યાનું રાજકીય સમાધાન હોતું નથી. એ પાંચસોથી વધારે રજવાડાઓને આઝાદી બાદ સરદાર પટલે ભારતમાં સામેલ કરાવ્યા હતા, શું કોઈ બીજું રાજકીય સમાધાન શક્ય હતું? આપણી સામે એક ઉદાહરણ ગોવાની આઝાદીનું છે. જો આપણે રાજકીય સમાધાન શોધત તો ગોવા આજે પણ પોર્ટુગીઝ કોલોની હોત. પરંતુ સમસ્યાનું સૈન્ય સમાધાન કાઢવામાં આવ્યું. આ પ્રકારે કાશ્મીરની સમસ્યા રણનીતિક અનિર્ણયનું પરિણામ છે. રાજનીતિ પાસે તેનો ઉકેલ નથી, કારણ કે આપણે કોઈપણ પંચાયતમાં કાશ્મીર ખીણને પાકિસ્તાનને આપવા માટે સંમત થઈ શકીશું નહીં. જ્યારે તેઓ ખીણથી ઓછામાં માનશે નહીં. 1971 બાદ આપણી સૈન્ય શ્રેષ્ઠતાનો લાભ ગુમાવી દીધો છે. આજની પરિસ્થિતિમાં સૈન્ય સમાધાન પણ શક્ય નથી. આપણે જોઈએ છીએ કે દક્ષિણ એશિયાની પરંપરાઓમાં સંસ્કૃતિ-સમાજની શક્તિઓ રાજનીતિની સરખામણીમાં વદારે પ્રભાવી રહી છે. સંસ્કૃતિઓ રાજકીય, પ્રાકૃતિક સીમાઓની રક્ષા નહીં, પરંતુ અતિક્રમણ કરે છે. સંસ્કૃતિઓ જ ધર્મોની સંવાહક હોય છે. સાંસ્કૃતિક સંબંધોની સમૃદ્ધ પરંપરાને કારણે તિબેટ ક્યારેય પણ ભારતનું શત્રુ બન્યું નથી. આ એક સમ્રાટનો ધર્મ વિજય હતો, માટે તિબેટ-ભારત સીમા વિવાદ ક્યારેય રહ્યો નથી. જો નેપાળ-ભારત-તિબેટની સાંસ્કૃતિક ધરીના પરિપેક્ષ્યમાં જોઈએ તો કોઈપણ પ્રકારના ભાગલા અર્થહીન જેવા છે. હાલનો સીમા વિવાદ ચીનની વિસ્તારવાદી રાજકીય મહત્વકાંક્ષાનું પરિણામ છે. આ સીમાઓ હવે જબરદસ્ત દબાણમાં આવી જશે.
ચીન-પાકિસ્તાન જોડાણ કાશ્મીર પર પોતાનું બનાવેલું સમાધાન થોપવાની કોશિશ કરશે. કાશ્મીરીઓએ સમજવું જોઈએ કે તેમની સંસ્કૃતિ સમયકાળ સાથે બદલાનારા ધર્મોથી ઘણી વધારે પ્રાચીન છે. કાશ્મીરી સભ્યતા-સંસ્કૃતિની સીમા પાકિસ્તાન નક્કી કરી શકે નહીં. આ સમસ્યાઓનું રાજકીય સમાધાન શક્ય નથી. લોકતાંત્રિક રાજનીતિ તો મોટાભાગે વિવાદીત ક્ષેત્રોને અડધું-અડધું વહેંચવાની વાત વિચારે છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુલામ કાશ્મીર અને ભારતને જોડવાનો સાંસ્કૃતિક, સામાજીક અભિયાન જ એકમાત્ર માર્ગ દેખાઈ રહ્યો છે. તવાંગ મઠનું તિબેટી પરંપરાથી જોડાયેલું હોવું સાંસ્કૃતિક દ્રષ્ટિથી કોઈ સમસ્યા નથી, પરંતુ તેનો લાભ લઈને જ્યારે ચીન પોતાની રાજકીય સીમા નક્કી કરે છે, તો તે એક સમસ્યા બની જાય છે. ચીની-પાકિસ્તાની નેતૃત્વ સૈન્ય સમાધાન અસફળ થવા પર રાજકીય સમાધાનની વાત કરે છે, જ્યારે આપણા નીતિ-નિયંતા સૈન્ય સમાધાનની સંભાવનાઓ પર દ્રષ્ટિપાત પણ કરતા નથી.
જો રાજકીય સમાધાન નથી, સૈન્ય સમાધાન આજની સ્થિતિમાં સંભવ નથી, તો સમાધાન શું છે? આ વિસ્તારમાં વાપસી બાદ ફરીથી અમેરિકી હસ્તક્ષેપની દૂર-દૂર સુધી સંભાવના ન હોવાથી આ ક્ષેત્રના ચીનના રહેમોકરમ પર આવી જશે. ચીન દાદાગીરી કરશે અને પાકિસ્તાન તેનું ખાસ સાથી બની જશે. આપણને તોડવા માટે આતંકી, કોમવાદી, વિભાજનકારી એજન્ટોને મજબૂત કરવામાં આવશે. સમજૂતીપરસ્ત અસહાય રાજનીતિ શાંતિના તર્કનો સહારો લેશે જેવો કે દેશના વિભાજન સમયે લીધો હતો. મજબૂર રાજનીતિ દેશના આત્મસમ્માનનો સોદો કરવા ઈચ્છશે. આપણે આ દેશના લોકો શું કરીશું? આપણે રાષ્ટ્રહિતની વિરુદ્ધ દરેક સમજૂતીથી, ફરીથી ગુલામ થવાનો ઈન્કાર કરી દેવો જોઈએ. કાશ્મીર પર, અરુણાચલ પર કોઈ થોપેલું સમાધાન મંજૂર નહીં હોય. યુદ્ધોની ભૂમિકા બનશે. પરમાણુ હુમલાનો ભય દેખાડવામાં આવશે. તેઓ હુમલા કરી પણ શકે છે. પોતાના અસ્તિત્વના આ યુદ્ધમાં આપણે એકલા હોઈશું. એકલા હોવાનો અર્થ યુદ્ધ હારવું તેવો થતો નથી. આ વાત આપણા શત્રુઓએ જાણવી જોઈએ કે આ દેશ કાશ્મીર અને અરુણાચલને ક્યારેય પણ સમજૂતીના મેજ પર રાખશે નહીં. જે યુદ્ધોથી ભાગે છે, તેમના પર સમજૂતી, શરતો થોપવામાં આવે છે અને જે યુદ્ધ માટે સદા તૈયાર છે, તેમની શરતોનું સમ્માન કરવામાં આવે છે. યુદ્ધ એક સંભાવના છે. યથાસ્થિતિનો વિસ્તાર અનંત સુધી હોતો નથી. આ યુદ્ધ આપણને ઘણાં મહાન બનાવી દેશે કારણ કે બાંગ્લાદેશની જેમ એક પખ્તૂન રાષ્ટ્રની સંભાવના ક્ષિતિજ પર છે. બોલતી મશીનગનો, ગગડતી ટેન્કો અને ચીસો પાડતા જહાજો વચ્ચે ઝુઝુમતી સેનાઓના જયકારાની મોસમ આવવાની છે.
(આર. વિક્રમ સિંહ ભારતીય સેનાના ભૂતપૂર્વ અધિકારી છે)
નેતૃત્વનું સંકટ
અભય કુમાર દુબે, સૌજન્ય- અમર ઉજાલા
સરકાર અને જાહેર જીવનના ભ્રષ્ટાચારથી બચવા માટે થઈ રહેલી જદ્દોજેહાદનું આગળ જઈને જે પણ પરિણામ નીકળે, પરંતુ ઓછામાં ઓછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ સમયે આપણો દેશ રાજકીય ક્ષેત્રમાં સક્ષમ અને કુશળ નેતૃત્વની ઘેરી કમીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સરકાર, વિપક્ષ અને લગભગ તમામ રાજકીય પક્ષો તો નેતૃત્વના સંકટના શિકાર છે જ, સરકાર વિરુદ્ધ નાગરીક હસ્તક્ષેપની ઈચ્છા રાખનારા તત્વોને પણ ખબર નથી કે રાજકીય નેતૃત્વ ખરેખર શું છે. તેનું સૌથી વધારે દિલચસ્પ ઉદાહરણ ત્યારે જોવા મળ્યું, જ્યારે જન લોકપાલ બિલ માટે સંઘર્ષ કરી રહેલા અન્ના, વિદેશી બેંકોમાં જમા કાળું ધન કાઢવાનું અભિયાન ચલાવનારા બાબા રામદેવ અને આ બંનેના પ્રયત્નોના દમ પર પોતાની રાજનીતિને પાણી પાવાની કોશિશ કરનારા ગોવિંદાચાર્ય વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા થઈ.
અન્નાનું કહેવુ હતુ કે રામદેવમાં સામાજીક આંદોલન ચલાવવા માટે જરૂરી નેતૃત્વ ક્ષમતાનો અભાવ છે. જ્યારે ગોવિંદાચાર્યનું કહેવુ હતુ કે રામદેવ અને અન્ના, બંને જ રાજકીય નેતૃત્વની ક્ષમતાથી વંચિત છે. એ સાચું છે કે રામદેવમાં જો રાજકીય કૌશલ હોત, તો તેઓ તે રાત્રે દેશના નાયક બની શકતા હતા. જો તેઓ સૂત્રો પોકારત ટેકેદારોથી ઘેરાઈને પોલીસને માત્ર અડધો કલાક રોકી શકત, તો પછી રામદેવ આખા દેશને રાજકીય યોગ શીખવવાનો દાવો કરવાની સ્થિતિમાં આવી જાત. આ અનોખો મોકો તેમના હાથમાંથી વહી ગયો. પરંતુ રામદેવની નેતૃત્વકારી ક્ષમતાઓ પર પ્રશ્નચિન્હ લગાવનારા હજારેએ શું કર્યું? તેમણે પોતાના કૌશલહીન નિવેદનોથી જીતેલી બાજી હાથમાંથી જવા દીધી.
તેમનુ પહેલું અનશન ભારતીય લોકતંત્રની ઐતિહાસિક ઘડી બની શકતું હતું, પરંતુ તેમણે પોતાની ટિપ્પણીઓ દ્વારા એ તમામ ડાબેરી અને સેક્યુલર તત્વોને પોતાના પર શંકા કરવા માટે મજબૂર કરી દીધા, જે ખુદ કોઈ સરકાર વિરોદી નૈતિક સહારાની શોધમાં હતા. જો અન્ના તે ભૂલ ન કરત, તો આજે તેની સાથે તમામ ડાબેરી કાર્યકર્તાઓ ઉભા હોત અને તેમના પર સંઘના મ્હોરા હોવાનો આરોપ લગાવતા પહેલા કોંગ્રેસ સો વખત વિચારત. આ બંનેની રાજકીય બુદ્ધિ પર શંકા કરનારા ગોવિંદાચાર્યની સ્થિતિ પણ કંઈ સારી નથી. અટલ બિહારી વાજપેયીને મ્હોરા કહેવાની રણનીતિક ભૂલને કારણે આજ સુધી રાજકીય વનવાસ કાપી રહેલા ગોવિંદાચાર્યે પોતાના વક્તવ્યોથી સંઘ પરિવાર અને રામદેવના સૂત્રનો પર્દાફાશ કરી દીધો. પરંતુ ગોવિંદાચાર્ય જેવા લોકો પૃષ્ઠભૂમિમાં રહીને જ કોઈ આંદોલનનો સાથ આપી શકે છે. જનતાની આગેવાની કરવી તેમના વશની વાત નથી.
બીજી તરફ પ્રવર્તમાન સરકારનો બંદોબસ્ત કંઈક આ પ્રકારે છે કે સર્વોચ્ચ નેતૃત્વના રાજકીય આયામ તેના વહીવટી પક્ષથી સંપૂર્ણપણે કપાઈ ગયા છે. રાજનીતિની કમાન સોનિયા ગાંધીના હાથમાં છે અને વહીવટી બાગડોર મનમોહન સિંહની પાસે છે. શરૂઆતમાં આ સમીકરણ ઘણું નવું અને પ્રભાવશાળી લાગતું હતું, પરંતુ તેની સીમાઓ સ્પષ્ટ થવા લાગી છે. નેતૃત્વના બે ધ્રુવોમાં વહેંચાઈ જવાને કારણે આ સરકાર ઘણી વાર સારી પહેલથી વંચિત નજરે પડી છે. સરકારની આ નાકામીઓને કારણે તેના વિરુદ્ધ ઉઠનારો એક અવાજ પણ ઘણા મોટા પડઘાનું રૂપ લઈ લે છે. વિપક્ષનું નેતૃત્વ પણ એવા લોકોના હાથમાં છે, જે સતત એવી હરકતો કરતા રહે છે કે જેનાથી તેમની પાર્ટી શર્મસાર થાય છે અથવા તેમની પાસે મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર અમલ કરવા માટે કોઈ લાઈન જ હોતી નથી.
ડાબેરીઓની હાલત એ છે કે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં ભાગ લેવાની વાત તો દૂર રહી, તેમની પાસે કોઈ પ્રકારનું નિવેદન આપવાની રાજકીય બુદ્ધિ પણ રહી નથી. કમ્યુનિસ્ટ પાર્ટીઓની આવી બિચારપણાની સ્થિતિ પહેલીવાર જોવા મળી છે. એ સાચું છે કે સિવિલ સોસાયટીના અસ્તિત્વથી તેમને સૈદ્ધાંતિક ગુંચવણ છે, પરંતુ ભ્રષ્ટાચારના સવાલ પર પોતાની સ્વતંત્ર રાજનીતિ કરવાથી તેમને કોઈએ રોક્યા નથી.
ભારતીય જાહેર જીવનમાં નેતૃત્વની મુખ્યત્વે ત્રણ પેટર્ન રહી છે. પહેલુ રૂપ છે, બુદ્ધિજીવી પ્રકારના જનનેતાનું. તેનું પ્રતિનિધિત્વ ગાંધી, નેહરુ, લોહિયા, ચરણ સિંહ અને જયપ્રકાશ નારાયણ જેવી હસ્તીઓના હાથમાં રહ્યું છે. આ નેતૃત્વકારી પેઢીમાં બંને પ્રકારની ક્ષમતાઓ હતી. તે સરકાર પણ ચલાવી શક્તી હતી અને વિપક્ષનો ઝંડો પણ બુલંદ કરતી હતી. દુર્ભાગ્યે આ પ્રકારના નેતાઓની પેઢી હવે સમાપ્ત થવાના આરે છે. નેતૃત્વનું બીજું રૂપ, સંગઠન આધારીત નેતાઓનું રહ્યું છે. વલ્લભભાઈ પટેલ, હરકિશન સિંહ સુરજીત અને લાલકૃષ્ણ અડવાણીની ગણતરી આ પ્રકારના નેતાઓમાં થાય છે.
સોનિયા ગાંધી પણ આ પ્રકારના નેતા છે. નેતૃત્વનો ત્રીજો પ્રકાર જાતિગત અને સમુદાયગત નેતાઓનો છે. મુલાયમ સિંહ યાદવ, માયાવતી, ચંદ્રાબાબુ નાયડુ જેવા લોકો આ પરંપરાની દેણ છે. આ લોકો રાજકીય કુશળતાના ધની છે અને તેમની પાસે જનાધાર પણ છે. પરંતુ તેમની મુશ્કેલી એ છે કે તેમની પહોંચ અને અપીલ રાષ્ટ્રીય નથી. શું આ વિડંબણા નથી કે આઝાદીના ચોસઠ વર્ષ બાદ પણ આપણું લોકતંત્ર આવી ક્ષણોનો સામનો કરી રહ્યું છે, જ્યારે તેજીથી ઉભરી રહેલા ભારતની બાગડોર સંભાળનારા હાથ મંચ પરથી ગેરહાજર છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રને એક એવા નેતાની પ્રતિક્ષા છે, જેની આંગળીઓ જનતાની નસ પર હોય, જે પક્ષ અને વિપક્ષની ભાષા એકસાથે બોલવામાં માહેર હોય, જે માત્ર આમ નહીં, ખાસની આગેવાનીનો પણ દાવો કરી શકે.
Wednesday, 29 June 2011
કોંગ્રેસનો અરાષ્ટ્રીય ચહેરો
તરુણ વિજય, સૌજન્ય- દૈનિક જાગરણ
કોંગ્રેસના મૂળ સ્વભાવ અને ચરિત્રને સમજ્યા વગર વર્તમાન રાજનીતિના પતનનું વિશ્લેષણ શક્ય નથી. વિડંબણા એ છે કે કોંગ્રેસના સત્તા કેન્દ્રીત અહંકારી સ્વભાવનો પ્રસાર ભારતની રાજનીતિમાં ઘર કરી ચુક્યો છે. સત્તા માટે કોઈપણ સીમા સુધી જવું અને રાજનીતિમાં વોટના લાભ માટે બિનઉપયોગી જનકલ્યાણને છોડી દેવું તેનો સ્વભાવ બની ગયો છે. સત્તાની આતુરતા અને સંઘર્ષના ગભરાટના કારણે જ કોંગ્રેસે 1947માં પાકિસ્તાન પ્રસ્તાવનો સ્વીકાર કરીને ભારતના ભાગલા કરાવ્યા. પચાસના દશકમાં ચીનના હાથે તિબેટ ખોયું અને 1.25 લાખ વર્ગ કિલોમીટર જમીન ચીન તથા પાકિસ્તાનના કબજામાં જવા દીધી. લેડી એડવિના માઉન્ટબેટનના પ્રભાવમાં નેહરુ કાશ્મીરનો મામલો સરદાર પટેલની સંમતિ વગર રાષ્ટ્રસંઘમાં લઈ ગયા જે કારણે કલમ-370નું એવું બંધારણીય વિધાન લાગુ કરાવ્યું કે જે બાદમાં અલગતાવાદ અને આતંકવાદના પોષણનું સૌથી મોટું કારણ બની ગયું. કોંગ્રેસની આવી સત્તાભોગી માનસિકતાને કારણે 1962માં ચીનનો હુમલો થયો. 1965માં આપણે જીતીને પણ હાર્યા તો 1971માં ઈન્દિરા ગાંધીને મળેલી અભૂતપૂર્વ સર્વપક્ષીય પ્રશંસા અને સમર્થન છતાં શિમલા સમજૂતીમાં આપણે કાશ્મીરના મુદ્દો નિર્ણાયકપણે હલ કરી શક્યા નહીં. જો કે તે સમયે પાકિસ્તાનની ગરદન આપણા હાથમાં હતી. તેના કારણે તે સમયે વરિષ્ઠ કવિ સોમ ઠાકુરે લખ્યુ હતુ- ઈતિહાસ લીખા થા ખૂન સે જો સ્યાહી સે કાટ દિયા હમને.
ચૂંટણીના લાભ માટે હુલ્લડો, કારણ વગરની પોલીસ કાર્યવાહી, બ્લુ સ્ટાર તથા 1984ના શીખ વિરોધી રમખાણો વગેરેથી તેનું સત્તાવિલાસી ચરિત્ર અને ઈતિહાસ સાબિત થાય છે. 1947 બાદથી આજ સુધી સૌથી વધારે હિંદુ-મુસ્લિમ હુલ્લડો માત્ર કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થયા. યુપીએ-1 અને યુપીએ-2 દરમિયાન કોંગ્રેસે સચ્ચર સમિતિથી લઈને હજયાત્રીઓ માટે જરૂરી પાસપોર્ટમાં પોલીસ તપાસની જરૂરતને ખતમ કરીને સામાજીક ખાઈ પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે જેને સારી રીતે સમજી શકાય છે.
સામાન્ય જનતા મોટાભાગે ઈતિહાસને જલ્દી ભૂલાવી દે છે. કોંગ્રેસ કેટલી નિર્મમ અને સંવેદનહીન હોઈ શકે છે તેનું સૌથી ખતરનાક ઉદાહરણ જો 1975માં લાગુ કરાયેલી કટોકટી છે તો તાજું ઉદાહરણ સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ દ્વારા પ્રસ્તાવિત સાંપ્રદાયિક હિંસા નિષેધ વિધેયક છે. આ વિધેયક કોંગ્રેસના વિકૃત અને હિંદુ વિરોધી અરાષ્ટ્રીય ચરિત્રનું સૌથી ખરાબ ઉદાહરણ છે.
આ વિધેયક દ્વારા ન કેવળ હિંદુઓને આક્રમક અને અપરાધી વર્ગમાં લાવીને ઉભા કર્યા છે, પરંતુ હિંદુ-મુસ્લિમો વચ્ચે શત્રુતા પેદા કરીને દરેક ગલી-કસબામાં હુલ્લડ કરાવવાની સાજિશ છે. જો આ ઔરંગઝેબી ફરમાન કાયદાનું રૂપ લે છે તો કોઈપણ હિંદુ પર કોઈપણ મુસ્લિમ નફરત ફેલાવવાનો, હુમલો કરવાનો, સાજિશ કરવાનો અથવા નફરત ફેલાવા માટે આર્થિક મદદ આપવા અથા શત્રુતાભાવ ફેલાવવાના નામે કેસ દાખલ કરાવી શકશે અને તે બિચારા હિંદુને આ કાયદા હેઠળ ક્યારેય ફરીયાદકર્તા મુસ્લિમની ઓળખ સુધીનો હક નહીં હોય. તેમાં ફરીયાદકર્તાના નામ અને સરનામાની જાણકારી તે વ્યક્તિને આપવામાં નહીં આવે કે જેની વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી રહી છે. તેના સિવાય ફરીયાદરક્તા મુસલમાન પોતાના ઘરે બેસીને ફરીયાદ કરાવી શકશે. આ પ્રકારે જાતિય શોષણ અને જાતિય અપરાધના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમ હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકેશે અને આ તમામ મામલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર કરાતા અપરાધોની સાથે સમાંતર ચલાવવામાં આવશે. તેનો અર્થ છે કે સંબંધિત હિંદુ વ્યક્તિને ક્યારેય એ જણાવવામાં આવશે નહીં કે તેની વિરુદ્ધ કોણે ફરીયાદ કરી છે? તેના સિવાય તેને એક જ તથાકથિત અપરાધ માટે બે વખત બે અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરવામાં આવશે. એટલું જ નહીં, આ વિધેયક પોલીસ અને સૈનિક અધિકારીઓ વિરુદ્ધ તેવા પ્રકારે જ વર્તાવ કરે છે કે જેવી રીતે કાશ્મીરી આતંકવાદી અને આઈએસઆઈ તેમની વિરુદ્ધ વલણ અપનાવે છે. વિધેયકમાં સમૂહ એટલે કે મુસ્લિમ વિરુદ્ધ કોઈપણ હુમલા અથવા હુલ્લડના સમયે જો પોલીસ, અર્ધલશ્કરી દળો અથવા સેના તુરંત વધુ પ્રભાવી ઢંગથી સ્થિતિ પર નિયંત્રણ પ્રાપ્ત નહીં કરે તો તે દળના નિયંત્રણકર્તા અથવા પ્રમુક વિરુદ્ધ આપરાધિક કલમો પ્રમાણે કેસ ચલાવવામાં આવશે. કુલ મળીને દરેક સ્થિતિમાં પોલીસ અથવા અર્ધલશ્કરી દળના અધિકારીઓને કઠઘરામાં ઉભા રહેવું પડશે, કારણ કે સ્થિતિ પર નિયંત્રણ જેવી પરિસ્થિતિને કોઈપણ રીતે પરિભાષિત કરી શકાય છે. આ વિધેયકની કલમો કોઈપણ સભ્ય, સમાન અધિકાર સંપન્ન અને ભેદભાવરહીત ગણતંત્ર માટે ઈદી અમીન અને સાઉદી અરેબિયાના શાહોની જેમ જ અન્ય આસ્થાઓના લોકો પ્રત્યે નફરત અને આક્રમકતાનું દર્શન કરાવે છે.
પ્રસિદ્ધ ન્યાયવિદ્ જે. એસ. વર્મા અને ન્યાયમૂર્તિ બી. એલ. શ્રીકૃષ્ણે પણ આ બિલને એકતરફી ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં નકારાત્મક અસર નાખનારું ગણાવ્યું છે. જરા જોવો, આ બિલને બનાવનારાઓએ સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે જે સાત સભ્યોની સમિતિની રચનાની ભલામણ કરી છે, તેમાં ચાર સભ્યો મજહબી લઘુમતી હશે. વિધેયક માનીને ચાલે છે કે જો સમિતિમાં લઘુમતીઓ એટલે કે મુસલમાનોની બહુમતી નહીં હોય તો સમિતિ ન્યાય કરી શકશે નહીં. અપેક્ષા છે કે આ સાત સભ્યો કોઈપણ કોમી હિંસાને રોકશે, તપાસ પર નજર રાખશે, આપરાધિક કેસો, પેશીઓ, રાહત કાર્યો અને પુનર્વાસને પોતાની દેખરેખમાં ચલાવશે. આખરે આ સાત સભ્યો હશે અથવા ફરિશ્તા અથવા પછી કટોકટીના દરોગા?
(તરુણ વિજય રાજ્યસભાના સાંસદ છે.)
Tuesday, 28 June 2011
સામરીક દ્રષ્ટિએ ભારતની બરાબરી કરી શકીએ નહીં: પાક.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ચૌધરી અહમદ મુખ્તારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે પાકિસ્તાન સામરીક દ્રષ્ટિએ ભારતનો મુકાબલો કરી શકે નહીં. ભારત પાસે યુદ્ધમાં વધારે સમય ટકવાની ક્ષમતા છે.
બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં મુખ્તારે કહ્યુ કે જો પાકિસ્તાન સામરીક દ્રષ્ટિએ ભારતનો મુકાબલો કરવા ચાહે અને જેટલા આધુનિક હથિયાર ભારત પાસે છે, તે બધાં ખરીદવાની કોશિશ કરે તો તે કદાચ પાકિસ્તાન માટે સંભવ નહીં હોય. પોતાની વાતને સમજાવતા તેમણે કહ્યુ કે ભારતની અર્થવ્યવસ્થા પાકિસ્તાનથી 6થી 7 ગણી મોટી છે અને તેનો વેપાર પાકિસ્તાનની સરખામણીએ પાંચથી છ ગણો વધારે છે.
તેમણે કહ્યુ કે પાકિસ્તાન અને ભારતની લડવાની ક્ષમતા 20-22 દિવસ સુધીની હતી. ભારતે હવે ઘણાં હથિયાર એકઠા કરી લીધા છે. કદાચ ભારત 45 દિવસો સુધી ટકી શકે છે. પાકિસ્તાન આમ કરી શકે નહીં. તેમને પુછવામાં આવ્યુ કે શું ભારતને સૌથી મોટા દુશ્મન તરીકે રજૂ કરવું પાકિસ્તાનની સમસ્યાઓનું અસલ કારણ છે?
તેમણે કહ્યુ કે ધીરે-ધીરે બંને દેશ સંબંધોમાં આવેલુ અંતર ઓછું કરી રહ્યા છે. આપણે પહેલા લડી ચુક્યા છીએ, આજે પણ સરહદોને લઈને સમસ્યાઓ છે અને મુંબઈ આતંકી હુમલાનું ફેકટર પણ છે, આ તમામ બાબતો છતાં બંને દેશોના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે.
મોંઘવારીથી 6 લાખ કરોડ રૂપિયાનું ભારણ વધ્યું
મોંઘવારીના કારણે ગત ત્રણ વર્ષ દરમિયાન ભારતીય ઘરો પર લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો બોજો અલગથી પડી રહ્યો છે.
રિસર્ચ ફર્મ ક્રિસિલના એક અભ્યાસ પ્રમાણે, મોંઘવારીનો દર 2008-09થી 2010-11 વચ્ચે 8 ટકા થઈ ગયો, જે તેના ગત ત્રણ વર્ષમાં 5 ટકા જ હતો. તેના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી અને એકસ્ટ્રા ખર્ચ 5.8 કરોડ રૂપિયા વધી ગયો.
2008થી 2011 વચ્ચે ખાદ્ય પદાર્થોની કિંમત ફેકટરીમાં તૈયાર વસ્તુઓના મુકાબલે ઘણી વધારે ઝડપથી વધી છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં તેજી શરૂઆતમાં સપ્લાઈની કમીને કારણે આવી, જેની અસર બાદમાં અન્ય વસ્તુઓ પર પણ પડી. તેમ છતાં પણ બજારમાં ખાદ્ય અને બિન-ખાદ્ય બંને પ્રકારના પદાર્થોની માંગ ઝડપથી વધી છે. તેનું કારણ એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની આવક સતત વધી છે. આવક વધવાની સાથે જ પ્રોટીન આધારીત ખાદ્ય પદાર્થો જેમ કે ઈંડા, મીટ, માછલી, દૂધ વગેરેની માંગ પણ વધી છે.
મોંઘવારીની અસર પણ બધાં પર એક જેવી પડતી નથી. ગરીબ વર્ગના લોકો ખાદ્ય પદાર્થો પર આવકનો મોટો ભાગ ખર્ચ કરે છે. મોંઘવારી દર વધારવામાં ખાદ્ય પદાર્થોનું મહત્વનું યોગદાન હોવાને કારણે ગરીબો પર મોંઘવારીની અસર વધારે પડે છે. મધ્યમ વર્ગ પોતાની આવકનો મોટો ભાગ ટીવી, ફ્રિજ જેવી વસ્તુઓ પર ખર્ચ કરે છે. કંસ્યૂમર ડ્યૂરેબલ કેટેગરીની આ વસ્તુઓના ભાવ ઘટવાનો લાભ મધ્યમ વર્ગને મળ્યો છે. પરંતુ ખાદ્ય પદાર્થોની મોંઘવારીએ આ લાભને ફિક્કો કરી દીધો છે.
અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા
વેદપ્રતાપ વૈદિક, સૌજન્ય- નવભારત ટાઈમ્સ
બરાક ઓબામાએ ઘોષણા કરી છે કે જુલાઈ-2011 એટલે કે આગામી મહીનાથી અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાંથી વાપસી શરૂ થઈ જશે. તેનો અર્થ એ થયો કે ગત દશ વર્ષોથી દક્ષિણ એશિયામાં જે રાજનીતિ ચાલી રહી છે, તેમાં કંઈક પાયાગત પરિવર્તન આવવાનું ચાલુ થઈ જશે. આ ફેરફારો ક્યાં હોઈ શકે?
સૌથી પહેલો ફેરફાર તો એ થઈ શકે કે અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાઈ જાય. અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં કરજઈ સરકાર ટકેલી રહી, કારણ કે વિદેશી સેનાઓ તાલિબાન અને અલ કાયદા સાથે લડતી રહી. જો કાબુલમાં આંતરરાષ્ટ્રીય સેનાઓ નહીં હોય તો કરજઈ સરકાર એવી જ રીતે ધ્વસ્ત થાત, જેમ નજીબુલ્લાહ, રબ્બાની અને મુલ્લા ઉમરની સરકારો પડી હતી. આ જોખમ પ્રત્યે ઓબામા તંત્ર સતર્ક જરૂર છે. પરંતુ હજી સુધી કોઈ એવી મજબૂત વ્યવસ્થા નથી કરી કે કરજઈ સરકાર પોતાના બળે જેહાદીઓનો મુકાબલો કરી શકે. એવી સ્થિતિમાં અમેરિકા અને તેના સહયોગી દેશોની સેનાઓ અફઘાનિસ્તાનથી માત્ર કેટલીક હદ સુધી જ હટશે. સંપૂર્ણપણે નહીં હટે.
સ્થાયી સૈનિક અડ્ડા
એવી ખબરો પણ છે કે અમેરિકા ચાહે પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડી દે, પરંતુ અફઘાનિસ્તાનના પાંચ-છ સામરિક સ્થાનો પર પોતાના સ્થાયી સૈન્ય અડ્ડાઓ બનાવી રાખશે. આ ખબરથી આસપાસના તમામ દેશો ચિંતિત છે. પાકિસ્તાનને એ ચિંતા છે કે અમેરિકા અફઘાનિસ્તાનનું સ્થાયી સંરક્ષક બની જશે, તો તેને સપના અધુરા રહી જશે. તે અફઘાનિસ્તાન પર પોતાની દાદાગીરી કેવી રીતે ચલાવી શકશે? ભારતની વિરુદ્ધ તેને પાકિસ્તાન પોતાની સામરીક પુંછડી કેવી રીતે બનાવી શકશે?
રશિયા, ચીન, ઉજબેકિસ્તાન, કજાકિસ્તાન અને ઈરાન જેવા દેશોને એ ચિંતા છે કે જો અમેરિકા અફઘાનિસ્તાનમાં એવી રીતે ટકી ગયું કે જેવી રીતે યૂરોપીય દેશોમાં 65 વર્ષોથી ટકેલું છે, તો તેમના પોતાના હિત પ્રભાવિત થયા વગર રહેશે નહીં. પોતાના સૈન્ય અડ્ડાઓથી અમેરિકા આ દેશોના આંતરીક મામલાઓમાં સીધો હસ્તક્ષેપ કરી શકે છે, તે જાસૂસી જાળ પણ આસાનીથી બિછાવી શકે છે. તે ચાહે તો આંતરીક બંડ પણ ભડકાવી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાનની સામરીક સ્થિતિ અથવા તેના ખનીજોથી જો કોઈ પડોશી દેશને કોઈ લાભ થશે, તો તેની ચાવી પણ અમેરિકાના હાથમાં હશે. તમામ પડોશી રાષ્ટ્રો સાથે મળીને પણ અમેરિકાના પ્રભુત્વને પડકારી શકે તેમ નથી.
કોણ આપશે સુરક્ષાની ગેરેન્ટી?
તેઓ એટલા માટે સુરક્ષાની ગેરન્ટી આપી શકશે નહીં, કારણ કે આ બધાં રાષ્ટ્રો સાથે મળીને પણ અફઘાનિસ્તાનને તેની સુરક્ષાની ખાતરી આપી શકે તેમ નથી. રશિયાથી પહેલા જ અફઘાનિસ્તાન સળગી ઉઠયું છે. ચીન પોતાના દૂરગામી હિતોને ધ્યાનમાં રાખીને આ રિસ્ક લેવા ઈચ્છશે નહીં. પાકિસ્તાનને ખબર છે કે દરેક અફઘાન તેના ઈરાદાઓ સંદર્ભે કેટલો આશંકિત છે. પાકિસ્તાનની સાથે ત્રણ-ત્રણ વખત અફઘાનિસ્તાન સાથે યુદ્ધની નોબત આવી ગઈ છે. ઈરાન, ઉજબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન અને તજાકિસ્તાનની એટલી સૈન્ય હેસિયત નથી કે તેઓ કોઈ રાષ્ટ્રને લશ્કરી સુરક્ષા આપી શકે. આવી સ્થિતિમાં ભારત એકમાત્ર એવું રાષ્ટ્ર છે, જે અફઘાન સેનાને પોતાના પગ પર ઉભી કરી શકે છે. ભારત ચાહે તો વર્ષભરમાં પાંચ લાખ અફઘાન જવાનોને પ્રશિક્ષણ આપીને એવી સેના ઉભી કરી શકે છે કે જે આંતરીક અને બહારી બંને જોખમોનો મુકાબલો કરી શકે છે. પરંતુ શું અમેરિકા આ વિકલ્પ માટે તૈયાર થશે?
જો અમેરિકા આ વિકલ્પ માટે તૈયાર થઈ જાય તો અફઘાનિસ્તાન સંપૂર્ણ એશિયાની શાંતિ અને સમૃદ્ધિનું કેન્દ્ર બની શકે છે. અફઘાનિસ્તાનથી અમેરિકાના હટતાની સાથે જ તાલિબાનનું બની રહેવાનો તર્ક ધ્વસ્ત થઈ જશે. તાલિબાનનો મુખ્ય મુદ્દો એ છે કે તેઓ અફઘાન માતૃભૂમિને વિદેશી કબજામાંથી મુક્ત કરવા ચાહે છે. જો કાબુલમાં એવી સરકાર કાયમ થઈ જાય, જે હકીકતમાં સાર્વભૌમ હોય અને જન સમર્થિત હોય તો પછી ત્યાં અશાંતિ અને હિંસા રહી શકે નહીં. આવી સ્થિતિમાં મધ્ય એશિયાની અપાર ખનીજ સંપત્તિ ભારત, ચીન, રશિયા અને અમેરિકા જેવા સમર્થ રાષ્ટ્રોને સહજ સુલભ થઈ જશે. તેઓ ખુદ તો અપાર સમૃદ્ધિના સ્વામી બનશે અને તેઓ આ મુસ્લિમ રાષ્ટ્રોને પણ માલામાલ કરી દેશે. અફઘાનિસ્તાન સંપૂર્ણ એશિયાની સમૃદ્ધિનો ચોક બની જશે.
કિનારો કરે અમેરિકા
આના સંકેત અત્યારથી મળવા શરૂ થઈ ગયા છે. અફઘાન રાષ્ટ્રપતિ હામિત કરજઈની તાજેતરની ઈસ્લામાબાદની યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને આવાગમનની તમામ સમસ્યાઓ દૂર થઈ ગઈ. હવે અફઘાનિસ્તાની માલ પાકિસ્તાન થઈને વાઘા બોર્ડર સુધી એટલે કે ભારત સુધી આવી શકશે. એ યોગ્ય છે કે પાકિસ્તાન અફઘાની ટ્રકોને ભારતની સરહદમાં ઘુસવા દેશે નહીં.
તેમ છતાં અફઘાન-ભારત વેપાર વધશે. બીજી તરફ પાકિસ્તાની માલ અફઘાનિસ્તાન થઈને મધ્ય એશિયાના તમામ ગણતંત્રો સુધી જઈ શકશે. જે દિવસે પાકિસ્તાન આ રસ્તો ભારત માટે ખોલી દેશે, તમામ દેશો માટે સારા સમાચાર બની જશે. આખરે પાકિસ્તાન ક્યાં સુધી આ લાલચથી બચતું રહેશે? જો અમેરિકા ખરેખર દક્ષિણ એશિયાથી થોડો કિનારો કરી લે અને પાકિસ્તાનના મોઢામાં લાડુ મુકવાના બંધ કરી દે તો પાકિસ્તાન ખુદ આ રસ્તો ભારત માટે ખોલી દેશે.
વાસ્તવમાં અફઘાનિસ્તા થઈ મધ્ય એશિયામાં જનારા આ માર્ગોના ખુલવાની શક્યતા વધતી રહી છે. હાલ કજાકિસ્તાનમાં સંપન્ન થયેલા શંઘાઈ સહયોગ સંગઠનના સંમેલનમાં પણ ઘણી ઉદારતાના સ્વર ફૂટયા છે. રશિયા અને ચીન ચાહે છે કે ભારત, પાકિસ્તાન, ઈરાન અને મંગોલિયા પણ તેના સભ્ય બની જશે. અફઘાનિસ્તાન તો લગભગ બની જ ગયું છે. આ નવી પહેલનો સંકેત સ્પષ્ટ છે. રશિયા અને ચીન આ સંગઠનને માત્ર અમેરિકા વિરોધી મોરચો બનાવવા ઈચ્છતા નથી. તેઓ ચાહે છે કે એશિયાના તમામ રાષ્ટ્ર આ સંગઠન હેઠળ એવી ભૂમિકા નિભાવે, જેનાથી અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થાય, પરસ્પર સહયોગના નવા આયામ પણ ખુલે. સેંકડો વર્ષ જૂનાં ચીનથી યૂરોપ સુધી જનારો સિલ્ક રુટ ફરીથી હર્યો-ભર્યો થશે અને આ એશિયાનો અછૂતો અને અવિકસિત ભૂભાગ વિશ્વ સમૃદ્ધિનું કેન્દ્ર બની જશે. શંઘાઈ રાષ્ટ્રોનું આ સપનું ત્યારે પૂર્ણ થઈ શકે છે, જ્યારે અમેરિકા થોડી દૂરંદેશી અને ઉદારતાનો પરિચય આપે.
Monday, 27 June 2011
ભારત-પાક. વચ્ચે સ્પષ્ટ નીતિના અભાવમાં પરિણામ ઝીરો
(અવધેશ કુમાર, સૌજન્ય-રાષ્ટ્રીય સહારા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર સંબંધ સારા કરવા, વિશ્વાસ બહાલી કરવા વગેરેની વાતો તો થશે.
બંને એકબીજાની સુખ-શાંતિની સાથે સંયુક્ત નિયતિને પણ પુનરાવર્તિત કરશે, તેમાં ભાવુક અને શ્રેષ્ઠ સંદેશ આપનારા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવશે, પરંતુ ધરાતલ પર માત્ર અને માત્ર ભૂતકાળની જટિલતાઓ યથાવત રહેશે અને પ્રગતિના નામે કુલ મળીને શૂન્ય પરિણામ જ સામે આવશે. ભારતના વિદેશ સચિવ નિરુપમા રાવની બે દિવસીય પાકિસ્તાન યાત્રા બાદ ફરીથી તે ત્રાસદાયક સત્ય સામે આવ્યું છે. નિરુપમા રાવ અને પાકિસ્તાનના વિદેશ સચિવ સલમાન બશીરનું સંયુક્ત વક્તવ્ય સાંભળીએ તો પહેલી નજરમાં આશાનું મોટું આકાશ ફેલાતું નજરે પડશે, પરંતુ પરખીશુ તો બે દિવસની વાતચીતનું નક્કર પરિણામ શું આવ્યું તો કૂટનીતિક શબ્દાવલિઓના અંધેરમાં કંઈક ફંફોસવાનો પ્રયાસ અંતહીન સાબિત થઈને રહી જશે.
આ વખતની વાતચીતની થીમ વિશ્વાસ બહાલી ઉપાય (કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ)ની હતી. આ શબ્દ પ્રયોગ વારંવાર થઈ રહ્યો હતો. વાતચીત ત્રણ ભાગોમાં વિભાજીત હતી. વિશ્વાસ બહાલી ઉપાયો સહીત શાંતિ અને સુરક્ષા પહેલો ભાગ હતો. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીર તથા સૌથી છેલ્લે મિત્રવત આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો એજન્ડા હતો. એ સારી વાત છે કે વાતચીતના પાસાઓને વિભાજીત કરીને એક વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું, પરંતુ પરિણામ શું આવ્યું?
સંયુક્ત વક્તવ્ય અને પત્રકાર પરિષદમાં કહેવામાં આવેલી વાતો પ્રમાણે, પરમાણુ અને અન્ય પરંપરાગત હથિયારોના ક્ષેત્રમાં વિશ્વાસ નિર્માણના ઉપાયો પર ખુલીને ચર્ચા થઈ અને નક્કી થયું કે તેની સાથે સંબંધિત વ્યવસ્થાઓને સશક્ત કરવા માટે વિશેષજ્ઞ સ્તરની વાતચીત થાય અને આ વર્ષના અંતમાં તેમાં વધારાના વિષય જોડવામાં આવે. આ પ્રકારે નિયંત્રણ રેખાની આરપાર વિશ્વાસ બહાલીના ઉપાય તરીકે કાર્યદળની બેઠક બોલાવવાનો નિર્ણય થયો. તે બંને તરફ વેપાર અને પ્રવાસની જે વ્યવસ્થાઓ છે, તેને સશક્ત અને સક્રિય કરવાના ઉપાયનું સૂચન કરશે અને વધારે વિશ્વાસ બહાલીની રીતો પ્રસ્તાવિત કરશે.
આ વાતોનો વ્યવહારીક અર્થ શું છે? પરમાણુ અને પરંપરાગત હથિયાર ક્ષેત્રમાં વિશ્વાસ નિર્માણના ક્યાં વિષયો પર ખુલીને ચર્ચા થઈ, તે સ્પષ્ટ થવું જોઈએ. આ મામલામાં આજના પાકિસ્તાન સાથે ભારતની કોઈ વિશ્વસનીય વાતચીત સંભવ જ નથી. પરમાણુ ક્ષેત્રમાં વિશ્વાસ બહાલી ઉપાયમાં બે સમજૂતી પહેલેથી જ છે- મિસાઈલ છોડવાની પૂર્વ સૂચના અને પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદીનું વાર્ષિક આદાન-પ્રદાન. વિશેષજ્ઞ બેસીને આનાથી આગળ શું કરશે. પાકિસ્તાનના પરમાણુ હથિયાર સૌથી વધારે જોખમી છે. તેની આતંકવાદીઓના હાથમાં જવાની આશંકા બનેલી રહે છે. સવાલ છે કે શું ભારત સાહસ સાથે પાકિસ્તાનને એ કહી શકે છે અને પાકિસ્તાન આ સત્યનો સ્વીકાર કરીને બચવાના ઉપાયો પર ભારત સાથે સહયોગ કરશે? જો તે આમ ન કરે તો તેના પર વાતચીત બેઈમાની છે.
લોકોનો પરસ્પર સંપર્ક વધે, આર્થિક ગતિવિધઓમાં વધારો થાય, તેના માટે નિયંત્રણ રેખાની આરપાર જવા-આવવા માટે વીઝા વગેરે આસાનીથી મળે, નિયમ વધુ નરમ બને અને આવાગમનની સુવિધાઓ વધે, તેનાથી અસંમતિ હોઈ જ ન શકે. પરંતુ આ બીમાર શરીર પર કંઈક સારા કપડા પહેરાવવા જેવા પગલાં માત્ર હશે, જેમનું દ્વિપક્ષીય સંબંધોમાં પરિવર્તનની દ્રષ્ટિથી મહત્વ નગણ્ય હશે. વાતચીતની વચ્ચે જ અમેરિકાની પ્યૂ સંસ્થાના એક સર્વેક્ષણ રિપોર્ટમાં પાકિસ્તાનના 57 ટકા લોકોએ અલ કાયદા અને તાલિબાનથી વધારે ખતરનાક ભારત હોવાનું માન્યું છે. પાકિસ્તાનની સત્તા (જેમાં નેતાઓ સિવાય મુલ્લા અને મિલેટ્રી સામેલ છે), મદરસા અને આધુનિક શિક્ષણ સંસ્થાનોએ આ જે માનસિકતા પેદા કરી છે, તેનો અંત આસાન નથી. આ માનસિકતામાં પળેલા લોકો નિર્ણાયક સ્તર પર છે.
જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો આપણા વિદેશ સચિવ કહે છે કે જમ્મુ-કાશ્મીર જેવા જટિલ મુદ્દાને ઉકેલવા માટે તેને બંદૂક અને ઉગ્રવાદી હિંસાની છાયામાંથી અલગ કરવો પડશે. તેમની એ વાતથી પણ અસંમતિ નહીં થઈ શકે કે આતંક અને હિંસા મુક્ત માહોલમાં જ આવા જટિલ મુદ્દાઓના સમાધાનની વાતચીત થઈ શકે છે. પરંતુ આવી શબ્દાવલિઓથી જો હિંસાનો અંત થવાનો હોત તો તે ઘણો પહેલા જ થઈ જાત. સંયુક્ત વક્તવ્યમાં કહેવામાં આવ્યું છે કે બંને વિદેશ સચિવોએ કાશ્મીર મુદ્દા પર પોતાના મતનું આદાન-પ્રદાન કર્યું અને અસમંતિઓ ઘટાડવા અને સંમતિ દ્વારા શાંતિપૂર્ણ સમાધાન શોધવાની દ્રષ્ટિથી વાતચીત ચાલુ રાખવાની સંમતિ વ્યક્ત કરી. પરંતુ બીશરે એ કહેવાનું પણ જરૂરી ગણ્યું કે કોઈએ પણ પોતાના વલણમાં ફેરફાર કર્યો નથી. પોતાના વલણમાં ફેરફાર ન કરવા અને આગળ વધવા વચ્ચે શું સમાનતા હોઈ શકે છે?
આપણા વિદેશ સચિવે તો જમ્મુ-કાશ્મીર પર વાતચીત કરતાં કહ્યું છે કે 21મી સદીમાં સૈનિક સંઘર્ષ માટે કોઈ સ્થાન નથી. પરંતુ આ વાતચીતના એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પાક અધિકૃત કાશ્મીરમાં કહ્યું કે તેમની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું નિર્માણ જ કાશ્મીરને આઝાદ કરાવવા માટે થયું. તેમણે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ટાંકીને ઘાસનો રોટલો ખાઈને પણ એક હજાર વર્ષ સુધી કાશ્મીર માટે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વિદેશ સચિવોની વાતચીત પહેલા વડાપ્રધાનના આટલા આક્રમક વક્તવ્યનો શું અર્થ હોઈ શકે? ત્યાર બાદ પણ આપણે જમ્મુ-કાશ્મીર પર દરેક ડગલે આગળ વધવાની વાત કરી રહ્યાં છીએ.
પાકિસ્તાન હાલના સમયમાં પોતના જીવનના સૌથી કઠિન તબક્કામાં ફસાયું છે. પોતાના દ્વારા ઉત્પન્ન અને સંરક્ષિત આતંકવાદી જ તેને એક રાષ્ટ્રના રૂપમાં ધ્વસ્ત કરવા માટે તલપાપડ છે અને આખી દુનિયામાં તેની શાખ ઘટી ગઈ છે. જે સેનાને પાકિસ્તાનની અંદર સૌથી વધારે માન-પાન મળતું હતું, લાદેન પ્રકરણ બાદ તેના માટે માથું ઉઠાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. હેડલી અને રાણાએ આઈએસઆઈ અને લશ્કરના સંબંધોની સાક્ષી આપીને પરિસ્થિતિને વધારે ખરાબ કરી નાખી છે. આવા લજ્જિત, ગભરાયેલા અને આત્મવિશ્વાસથી હીન પાકિસ્તાન સાથે નિપટવામાં આપણી કૂટનીતિની આવી દશા દુર્ભાગ્યપૂર્ણ છે.
આપણાથી વધારે વાતચીતની જરૂર પાકિસ્તાનને છે, પરંતુ તે ઉદંડતા સાથે પોતાનો પક્ષ રાખે છે અને આપણે કૂટનીતિક શબ્દોમાંથી બહાર નીકળતા નથી. હકીકતમાં પાકિસ્તાન સાથે વાતચીતનું આપણું લક્ષ્ય શું છે, તે જ આજ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મુંબઈ હુમલા બાદ સમગ્ર વાતચીતને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. પછી અચાનક ભૂટાનની રાજધાની થિમ્પૂ અને ઈજીપ્તના શર્મ અલ શેખમાં દોસ્તી અને વિશ્વાસ બહાલીની પ્રક્રિયા અને સમગ્ર વાતચીત શરૂ કરવાનો નિર્ણય લેવાયો.
ફેબ્રુઆરીમાં વાતચીત ફરીથી શરૂ થયા બાદ સંરક્ષણ, ગૃહ અને વાણિજ્ય સચિવોની બેઠકો થઈ ચુકી છે. વડાપ્રધાન મનમોહન સિંહે સૌથી મોટું પગલું પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને વિશ્વ કપ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે નિમંત્રણ આપીને ઉઠાવ્યું. આ વાતચીતને સામાન્ય પાટા પર લાવવાના ઈરાદાનું તે સૌથી મોટું પ્રમાણ હતું. અને ત્યારે ગિલાની કાશ્મીર માટે એક હજાર વર્ષ સુધી લડવાનું નિવેદન આપી રહ્યાં છે. સરહદ પાર આતંકવાદ પર તેઓ કોઈ વચન આપવા માટે તૈયાર નથી, પરંતુ વિદેશ સચિવની વાતચીતના એક દિવસ પહેલા સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટની ચાર્જશીટ દાખલ કરીને તેની નકલ પાકિસ્તાન લઈ જવામાં આવે છે. શું તેનાથી પાકિસ્તાનનું માનસ પરિવર્તિત થશે?
સાચું કહીએ તો આ એક ભ્રમિત, દ્વિપક્ષીય સંબંદોના મામલામાં લક્ષ્યહીન, કારણ વગર અંધારામાં તીર ચલાવનારા અને પોતાના રાષ્ટ્રહિતથી વધારે દુનિયાને ધ્યાનમાં રાખનાર નેતૃત્વની કરણી છે. ભારતે પાકિસ્તાનની જટિલ માનસિકતા સહીત સર્વપક્ષીય હકીકતોનું ધ્યાન રાખીને જો વાતચીતનું લક્ષ્ય નિશ્ચિત કર્યું હોત તો તેની ભૂમિકા ભટકાવની ન હોત. જો અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામા એલાન કરી શકે કે પાકિસ્તાન અમેરિકીઓની હત્યા કરનારાઓનું સુરક્ષિત આશ્રયસ્થાન બને તેને તેઓ સહન કરશે નહીં, તો શું આપણા નેતૃત્વે આવું દ્રઢતાપૂર્વક કહેવામાં સમસ્યા શા માટે આવે છે?
Sunday, 26 June 2011
કોંગ્રેસ-ભાજપમાં શ્રેષ્ઠ કોણ?
આશુતોષ, મેનેજિંગ એડીટર, આઈબીએન-7, સૌજન્ય- લાઈવ હિંદુસ્તાન વેબસાઈટ
એ સવાલ હંમેશાથી જ ઉઠે છે કે કોંગ્રેસ અને ભાજપમાં શ્રેષ્ઠ કોણ છે? જવાબ આપવો હંમેશા મુશ્કેલ હોય છે. કોંગ્રેસ આઝાદીની લડાઈમાંથી નીકળેલી પાર્ટી છે. આઝાદી બાદ રાષ્ટ્ર નિર્માણમાં તેની ભૂમિકા છે. જવાહરલાલ નેહરુના સેક્યુલર-ડેમોક્રેટિક-પોલિટિક્સે આ દેશને પાકિસ્તાન બનતો બચાવી લીધો. ભાજપ આ દાવો કરી શકે તેમ નથી. આઝાદીની લડાઈ સમયે ભાજપ હતું જ નહીં. આરએસએસ હતું.
ગાંધીજીની હત્યા બાદ લાગેલા પ્રતિબંધથી આરએસએસને રાજકીય પક્ષનું મહત્વ સમજમાં આવ્યું અને જનસંઘનો ઉદય થયો. શ્યામા પ્રસાદ મુખર્જી અને ત્યાર બાદ દીનદયાળ ઉપાધ્યાયે પાર્ટીની બાગડોર સંભાળી. હિંદુવાદમાં લપેટાયેલો ઉગ્ર-રાષ્ટ્રવાદ જનસંઘની ઓળખ બન્યો. કેડર આધારીત પાર્ટી થયા બાદ પણ તેનો જનાધાર સીમિત હતો.
કટોકટીએ જનસંઘને દેશની રાજનીતિના કેન્દ્રમાં લાવવામાં મદદ કરી. પરંતુ ભાજપનો અસલી ઉભાર અયોધ્યા આંદોલન વખતે દેખાયો. બોફોર્સની માર, મંડલ અને મંદિર પર સ્પષ્ટ સ્ટેન્ડ ન લેવાની લાચારી અને લચર નેતૃત્વે કોંગ્રેસને કેન્દ્રની સત્તાથી દૂર કરી દીધી અને ભાજપ પહેલીવાર કેન્દ્રમાં સરકાર બનાવવામાં કામિયાબ થયું. ત્યાર બાદથી જ દેશમાં દ્વિધ્રુવીય રાજનીતિની શરૂઆત થઈ.
દેશની રાજનીતિના એક ધ્રુવની આગેવાની કોંગ્રેસ પાસે અને બીજા ધ્રુવની આગેવાની ભાજપ પાસે રહી. પરંતુ નવી આર્થિક નીતિએ બંને મુખ્ય પક્ષો વચ્ચેના વૈચારીક અંતરને ઓછું કરી દીધું. આજે ભાજપ અને કોંગ્રેસમાં કોઈ ખાસ ફરક દેખાતો નથી. ન તેમના નેતાઓના આચરણમાં અને ન તેમની નીતિઓના સ્તરમાં કોઈ ફરક દેખાઈ રહ્યો છે. નહીંતર એક જમાનો હતો, કોંગ્રેસ સમાજવાદનો ઢોલ પીટતી હતી અને ગુટનિરપેક્ષતા આંદોલનની આગેવાન હોવા છતાં તે સોવિયત સંઘ સાથે ઘણો ધરોબો ધરાવતી હતી.
જનસંઘ અને ભાજપને ત્યારે આર્થિક રીતે ખુલ્લા બજારવાદની ટેકેદાર ગણાવાતા હતા અને તે અમેરિકા સાથે નજીકના સંબંધોની તરફેણ કરતા હતા. સમાજવાદના ખાત્માની સાથે જ કોંગ્રેસ પણ આર્થિક ઉદારવાદના ખોળામાં બેસી ગઈ. મનમોહન સિંહના સૌજન્યથી દેશમાં બજારવાદનનો પવન વહેવા લાગ્યો. આરએસએસને તમામ સ્વદેશી આંદોલન છતાં અટલ બિહારી વાજપેયીના છ વર્ષના શાસનમાં દેશ ઉદારીકરણના રસ્તાથી સહેજ પણ ભટક્યો નહીં. ક્યારેક-ક્યારેક તો એ લાગતું હતું કે કોંગ્રેસ પણ જો 1998થી 2004 સુધી કેન્દ્રમાં સત્તામાં રહેત, તો આર્થિક નીતિઓમાં કોઈ નવી વસ્તુ જોવા મળત નહીં.
ધ્યાનથી જોવામાં આવે તો સેક્યુલારિઝમ સિવાય માત્ર એક અંતર બંનેમાં નજરે પડે છે. ભાજપ કોંગ્રેસની સરખામણીએ વધારે લોકતાંત્રિક પાર્ટી દેખાય છે. નેહરુ-ગાંધીના વારસાને કારણે કોંગ્રેસમાં જે પ્રકારની આંતરીક લોકશાહી હોવી જોઈએ, તેમા સ્પષ્ટપણે કમી નજરે પડે છે.
આઝાદીના 63 વર્ષો બાદ પણ પાર્ટી નેહરુ-ગાંધીની મોહતાજ છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસની બાગડોર સંભાળી ન હોત, તો કદાચ કોંગ્રેસનું આજે કોઈ નામ પણ લેનારું ન હોત. નરસિંહ રાવ અને સીતારામ કેસરીએ પાર્ટીની અધોગતિ કરી દીધી હતી અને પાર્ટી એટલી હદે કમજોર થઈ ગઈ કે આજ સુધી કેન્દ્રમાં એકલા હાથે સરકાર બનાવવાનું વિચારી શકી નથી.
સોનિયા પર નિર્ભરતાએ પાર્ટીને કેન્દ્રમાં વાપસીમાં મદદ તો કરી, પરંતુ તેને હંમેશા માટે પંગુ પણ બનાવી દીધી. તમામ મોટા નેતાઓ હોવા છતાં પણ પાર્ટી રાહુલ ગાંધીમાં પોતાના આગલા નેતા અને વડાપ્રધાન જોવા માટે બાંધ્ય છે. પાર્ટીમાં આંતરીક ચૂંટણી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. એક વખત હતો, જ્યારે કોંગ્રેસ કાર્યકારિણીના સભ્યો ખુલ્લી ચૂંટણીઓ દ્વારા ચૂંટાતા હતા, આજે આ પરંપરા ખતમ થઈ ગઈ છે. કાર્યકારિણી માટે નેતા ઈલેક્ટ નહીં, સિલેક્ટ થાય છે. મુખ્યમંત્રીની ચૂંટણી ધારાસભ્યો નહીં, હાઈકમાન્ડ કરે છે.
ભાજપ આ મામલામાં અત્યાર સુધી ખુશકિસ્મત માની શકાય છે. પાર્ટી એક પરિવારના સહારે નથી. ત્યાં કોઈપણ સામાન્ય કાર્યકર્તા પાર્ટીના અધ્યક્ષ બનવાનો ખ્વાબ પાળી શકે છે અને દેશના વડાપ્રધાન પણ બની શકે છે. તેમને ત્યાં કોઈ એક નેતાનો આદેશ ચાલતો નથી. વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને નિર્ણયો કરે છે.
લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાએ પણ, ભલે આરએસએસના દબાણમાં જ સહી, પાર્ટીના અધ્યક્ષ અને વિપક્ષના નેતાનું પદ છોડવું પડે છે. પાર્ટીમાં વિકસિત થયેલા અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ જેવા લોકો વડાપ્રધાન બનાવાના સપના જોઈ શકે છે. તેના માટે તેમને પોતાની કાબેલિયત સાબિત કરવાની રહેશે. રાહુલ ગાંધીની જેમ પરિવારમાં જન્મ લેવો તે એકમાત્ર યોગ્યતા નથી.
મનમોહન સિંહના હોવા છતાં હું એ કહેવાની ગુસ્તાખી કરી શકુ કે કોંગ્રેસમાં કોઈ નીતિન ગડકરી પણ હોઈ શકે છે, તેમા મને શંકા નથી. મનમોહન સિંહને હું અપવાદ માનુ છુ. હું ત્યારે કોંગ્રેસને દાદ આપીશ, જ્યારે રાહુલ ગાંધીના હોવા છતાં પાર્ટી આગામી ચૂંટણીમાં અન્ય કોઈ નેતાને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરે. કહેનારા એ કહી શકે કે ભાજપમાં આરએસએસના ઈશારા વગર પાંદડુ પણ હલતુ નથી.
પરંતુ આરએસએસ પોતાની તમામ ખામીઓ છતાં પાર્ટીના રોજિંદા કામોમાં હસ્તક્ષેપ કરતું નથી, જ્યારે કોંગ્રેસમાં રોજિંદા નિર્ણયો નેહરુ-ગાંધી પરિવારના ઈશારા વગર થઈ શકતા નથી. આરએસએસ ભાજપ પર નિયંત્રણ રાખે છે, આ સચ્ચાઈ છે, પરંતુ તેનું નિયંત્રણ વૈચારીક છે, જ્યારે કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવાર દરેક જગ્યાએ, દરેક વખતે હાજર છે.
સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં નવી ઊર્જાનો સંચાર કર્યો, રાહુલની હાજરી પાર્ટીમાં શક્તિ આપે છે. નેહરુ-ગાંધી પરિવારને કારણે પાર્ટીમાં ભાજપ કરતાં ઘણું વધારે અનુશાસન છે, જૂથબંધી પર અંકુશ છે. જ્યારે ભાજપમાં આરએસએસની હાજરીમાં પણ અનુશાસનની કોઈ ગેરેન્ટી નથી. એક સર્વમાન્ય નેતાની ગેરહાજરીએ ભાજપને જૂથબાજીનું પર્યાય બનાવી દીધું છે. સુષ્મા, જેટલી, વેંકૈયા, રાજનાથ, અનંત કુમાર, મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી તમામ એકબીજાથી નિપટવામાં લાગેલા છે. પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીને પણ ગોપીનાથ મુંડેનો ડર લાગે છે.
શીર્ષસ્થ સ્થાનો પર જનાધારવિહીન નેતાઓએ કબજો જમાવી દીધો છે. અને આ નેતા દિવસભર જનાધારવાળા નેતાઓને બરબાદ કરવામાં લાગેલા રહે છે. કલ્યાણ સિંહ, ઉમા ભારતી, બાબુલાલ મરાંડી, શંકર સિંહ વાધેલા, વસુંધરા રાજે સિંધિયા અને હવે ગોપીનાથ મુંડે તેના ઉદાહરણ છે. વળી વૈચારીક સ્તર પર ભાજપ લઘુમતીઓને સુરક્ષાની ગેરેન્ટી આપી શકતું નથી. ગુજરાતના હુલ્લડો દિલમાં દહેશત ભરી રહ્યાં છે. તેવામાં કોંગ્રેસના સેક્યુલારિઝમ અને અનુશાસન પર જો પરિવારવાદનો ડાઘ છે, તો ભાજપમાં આંતરીક લોકતંત્ર અને ખુલ્લાપણા પર કોમવાદ તથા જૂથબાજીના નાગ ફેણ ચઢાવીને બેઠા છે. તેવામાં શ્રેષ્ઠ કોણ તે નિર્ણય આમ આદમી પર જ છોડી દેવો જોઈએ.
(આ લેખકના વ્યક્તિગત વિચારો છે.)
દિગ્વિજયની રાજકીય દિશા
સ્વપ્ન દાસગુપ્તા, સૌજન્ય- દૈનિક જાગરણ
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અકબર રોડ ખાતેના કાર્યાલયમાં મોટાભાગે આવનારા આગંતુકો માને છે કે અહીં માત્ર એક જ વ્યક્તિ લાયક છે જેની સાથે વાત કરી શકાય છે. તે છે પાર્ટીના બડબોલા મહામંત્રી દિગ્વિજય સિંહ. ગત બે વર્ષોમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. સર્વપ્રથમ, તેમણે સાથી મહામંત્રી અને નક્કી ઉત્તરાધિકારી રાહુલ ગાંધીના કાન બનવાની પ્રતિષ્ઠા હાસિલ કરી છે. દિગ્વિજય સિંહ જે પણ કહે છે, તેને 41 વર્ષીય રાહુલ ગાંધીનું સમર્થન હાસિલ હોય છે. બીજું, દિગ્વિજય સિંહે કોંગ્રેસના એકમાત્ર અસલ મુસ્લિમ નેતાની છબી બનાવી લીધી છે. આ એવું સમ્માન છે જેનાથી ક્યારેક સરદાર વલ્લભભાઈ પટેલે કટાક્ષ સાથે જવાહરલાલ નેહરુને નવાજ્યા હતા.
જ્યારથી અન્ના હજારેના અનશન અને બાબા રામદેવ સાથે થયેલા છળ-કપટથી સિવિલ સોસાયટીએ ખુદને રાજકીય પરિદ્રશ્ય પર ઉભારી છે, ત્યારથી દિગ્વિજય સિંહે કોંગ્રેસની મનમોહનના નેતૃત્વવાળી યુપીએ સરકારથી અલગ ઉભા રહેવાની તક છોડી નથી. જ્યારે લોકપાલબિલનો મુસદ્દો તૈયાર કરવા માટે કેબિનેટ મંત્રીઓ અને અન્ના હજારેની ટીમની સંયુક્ત સમિતિ રચવામાં આવી હતી, ત્યારે દિગ્વિજય સિંહે સિવિલ સોસાયટી બ્રિગેડની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે ચાર મંત્રી અને નોકરશાહ એરપોર્ટ પર બાબા રામદેવ સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા અને બાબાને આશ્વસ્ત કર્યા કે સરકાર તેમની માગણીઓ માનવા માટે રાજી છે, દિગ્વિજય સિંહે યોગગુરુને મહાઠગ ગણાવીને મંત્રીઓથી વિપરીત વલણ અપનાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય શરારત છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનો 41મો જન્મ દિવસ ઉજવ્યો તો દિગ્વિજય સિંહે ઘોષણા કરી કે આ યોગ્ય સમય છે જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવે.
કોઈ ફિલ્મમાં જેમ્સ બોન્ડનો ડાયલોગ હતો- કોઈ ઘટના પહેલીવાર અકસ્માત, બીજી વાર સંયોગ અને ત્રીજી વાર ષડયંત્ર છે. યુપીએ સરકાર અને વડાપ્રધાન મનમોહન સિંહને પરોક્ષપણે નિશાન બનાવવાની દિગ્વિજય સિંહના નિવેદનોની નિરંતરતાને કોઈપણ હિસાબે અકસ્માતની સંજ્ઞા આપી શકાય નહીં. જો દિગ્વિજય સિંહ પાર્ટીથી ઉપર થઈને વાત કરી રહ્યાં હોત તો કોંગ્રેસના માલિક તેમને કડક શબ્દોમાં સમજાવી દેત કે ફૂટ સોલ્જરોનું કામ જોવાનું છે, સાંભળવાનું નહીં. જો કે આ પ્રકારના કોઈ સંદેશ તેમને આપવાના સંકેત નથી, તેવામાં એવું માની લેવાનો મજબૂત આધાર છે કે દિગ્વિજય સિંહની નિવેદનબાજી પર સંમતિની મહોર લાગેલી છે, પરંતુ ઈન્કારની શરતની સાથે. જો કોઈ વાત ભયજનક રીતે ખોટી થઈ જાય છે, જેમ કે રાહુલ ગાંધીના જન્મ દિવસે અતિ ઉત્સાહભર્યો સંદેશ તો તેને તેમનું વ્યક્તિગત મંતવ્ય ગણાવીને છેડો છોડાવાય છે.
દિવસેને દિવસે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિગ્વિજય સિંહ કોંગ્રેસના પ્રથમ પરિવાર માટે લાકડાના ઘોડા નથી. શરૂઆતમાં વિભિન્ન ગાંધીવાદીઓ અને સિવિલ સોસાયટીના સમૂહો તથા કોંગ્રેસની વચ્ચે અંતર બનાવવામાં કંઈક સમજદારી નજરે પડતી હતી, પરંતુ જે યોજનાબદ્ધ રીતે દિગ્વિજય સિંહે અન્નાની ટીમ પર હુમલો કર્યો અને બાબા રામદેવની બેદર્દીની મજાક ઉડાડી તેનાથી સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે સંબંધ વિચ્છેદ અપરિહાર્ય થઈ ગયો.
એ મહત્વપૂર્ણ છે કે દિગ્વિજય સિંહ સિવિલ સોસાયટીને નિશાન બનાવવાથી જ થોભ્યા નથી. પ્રણવ મુખર્જીના સંદર્ભમાં આખી રાજકીય શાખ દાવ પર લગાવવાના નિવેદનથી સીધો હુમલો તેમની ગુસ્તાખીથી ઘણો વધારે અર્થ રાખતો હતો. સરકારની ભીરુતા પર દિગ્વિજયનો હુમલો સમજી-વિચારીને કરાયેલો સંકેત હતો. સ્પષ્ટ છે, તેની પાછળ વરિષ્ઠ નેતૃત્વનો હાથ હતો.
કોંગ્રેસના આંતરીક અસંતોષથી વડાપ્રધાનની અધિસત્તાને ક્ષતિ પહોંચી છે. છ માસ પહેલા કોંગ્રેસમાં મંત્રીમંડળનો ફેરફાર ચર્ચાનો વિષય હતો. આજે આ ચર્ચાનું સ્થાન એ સવાલે લઈ લીધું છે કે શું યુપીએ સરકારમાં વચાગાળાનું નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે? કોંગ્રેસે આખું અઠવાડિયું એ જતાવવાની કોશિશ કરી કે આ માત્ર અટકળ છે, પરંતુ આ મુદ્દો કેટલો ગરમ છે, તે સ્પષ્ટ છે. એક તરફ દિગ્વિજય સિંહની રાહુલને વડાપ્રધાન બનાવવાની વકીલાત અને બીજી તરફ રાજકીય મહત્વકાંક્ષી પર્યાવરણ જયરામ રમેશે ઉદ્યોગો વિરુદ્ધ હરિત શક્તિનો ઉપયોગ કરવાથી શું રાજકીય પર્યવેક્ષકોને એ નિષ્કર્ષ પર પહોંચવા બદલ દોષિત ઠેરવી શકાય કે વડાપ્રધાન લાચાર અને અશક્ત છે?
કમજોર, લાચાર અને લકવાગ્રસ્ત સરકારની છબીને કારણે શાસન પર નકારાત્મક અસર પડે છે. હંમેશા સુરક્ષિત ચાલનારી નોકરશાહીએ નિર્ણયો લેવાના લગભગ બંધ કરી દીધા છે. ન્યાયતંત્ર સુધારની મુદ્રામાં છે અને કેગ જેવી સંસ્થા સરકારી ધનની તપાસથી આગળ વધીને નીતિગત સમીક્ષા કરી રહી છે. આ બધાંનું પરિણામ એ થયું છે કે રાજકીય સંકટની સાથેસાથે ભારત આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું છે. નવ ટકા મોંઘવારીએ આમ આદમીની કમર તોડી નાખી છે. ઊંચા વ્યાજદરો અને ઘટતી માંગથી ઉદ્યોગ જગત ત્રસ્ત છે. વધતી રાજકોષીય ખાધ અને સુધારા પર અંકુશથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. કોંગ્રેસે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે દિગ્વિજય સિંહ દ્વારા પાર્ટી અને સરકાર વચ્ચે ખેંચવામાં આવેલી વિભાજન રેખા કાલ્પનિક છે. જો કે કોંગ્રેસના સંકટથી રાજકીય લાભ ઉઠાવવાની ભાજપની અક્ષમતાને કારણે પાર્ટી આત્મસંતુષ્ટિના નશામાં નજરે પડી રહી છે. કોઈપણ દેશમાં જ્યારે લોકતંત્રના મૂળિયા ભારત જેટલા ઉંડા નથી, આ સ્થિતિઓમાં સૈન્ય તખ્તાપલટ થઈ શકતો હતો, પરંતુ દિલ્હીમાં મહેલની અંદરથી સત્તાપલટની સ્થિતિઓ ઉભરી રહી છે. જોખમોથી ખેલવાનું જોખમ ભલે સફળ ન થાય, આ કોંગ્રેસને અસ્ત-વ્યસ્ત પરિસ્થિતિમાં જરૂરથી પહોંચાડી શકે છે.
(સ્વપ્ન દાસગુપ્તા- લેખક વરિષ્ઠ કોલમિસ્ટ છે)
દેશની સ્થિતિને અઘોષિત કટોકટી માનું છું: રામદેવ
પોતાના અનશન અને મૌન વ્રત બાદ રાજધાની નવી દિલ્હી આવેલા બાબા રામદેવે રવિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર સામે લડવાની ઈચ્છાશક્તિ નથી અને જે કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે.
યોગગુરુએ સરકારને સવાલ કર્યો કે જો તેમના મુદ્દા ખોટા હતા, તો તેમની સાથે વાતચીત કરવા માટે ચાર મંત્રીઓને એરપોર્ટ પર કેમ મોકલવામાં આવ્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે રામલીલા મેદાન પર પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલા ટેકેદારો સાથે બળાત્કારની કોશિશ કરવામાં આવી.
પોતાના અને પોતાના ટેકેદારો પર પોલીસ કાર્યવાહીના 21 દિવસ બાદ રાજધાની નવી દિલ્હી આવેલા યોગગુરુએ આજે પોતાનુ વલણ યથાવત રાખતા સરકાર પર ઘણાં નવા આક્ષેપો લગાવ્યા, પરંતુ પોતાની આગળની રણનીતિનો ખુલાસો કર્યો નથી. તેમણે માત્ર એટલું કહ્યું કે તેઓ એક જુલાઈથી હરિદ્વારમાં નિ:શુલ્ક નિવાસી શિબિર લગાવશે અને ચાર ઓગસ્ટથી ગ્રામ સ્વાવલંબન યોજના શરૂ કરશે, જેના અંતર્ગત 624 ગામડાંઓને આદર્શ ગામ બનાવવામાં આવશે.
રામદેવે તેમના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા ભાજપના મ્હોરા હોવાના આરોપોને રદિયો આપ્યો છે, પરંતુ લોકપાલના મુદ્દા પર ગાંધીવાદી અન્ના હજારે દ્વારા 16 ઓગસ્ટથી પ્રસ્તાવિત અનશનથી જોડાવા સંદર્ભેના સવાલોના જવાબ ટાળી દીધા હતા.
તેમણે માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ સાથે ફોન પર ચાર જૂને થયેલી વાતચીતનું વિવરણ જાહેર કરવાની માગણી પણ કરી હતી.
રામદેવે કહ્યુ કે આ સરકાર પહેલા ભ્રષ્ટાચારી હતી, પરંતુ હવે તે અત્યાચારી થઈ ગઈ છે. યોગગુરુએ કહ્યું કે તેમણે જનહિતમાં મુદ્દા ઉઠાવ્યા હતા, જેને હાસિયામાં ધકેલી દેવાયા છે. આ સરકારમાં ભ્રષ્ટાચાર સાથે લડવાની ઈચ્છાશક્તિ નથી. જે કોઈ ભ્રષ્ટાચાર-કાળા ધન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે અને ષડયંત્ર કરે છે.
રામદેવે પોલીસ કાર્યવાહીમાં ગંભીરપણે ઘવાયેલી પોતાની મહિલા સમર્થક રાજબાલાને જી.બી.પંત હોસ્પિટલમાં મળ્યા હતા. ત્યાર બાદ પત્રકાર પરિષદમાં તેમણે એક દસ્તાવેજ દેખાડીને દાવો કર્યો હતો કે દેશમાં અત્યાર સુધી જનતાએ કુલ 200 લાખ કરોડનો કર આપ્યો છે. સરકારે જણાવવું જોઈએ કે આ 200 લાખ કરોડ રૂપિયા કઈ જગ્યાએ ખર્ચ્યા છે.
દિલ્હી પાછા ફરવા સંદર્ભે પુછવામાં આવતા તેમણે કહ્યુ કે દિલ્હી આવવા માટે તેમણે આજનો દિવસ એટલા માટે પસંદ કર્યો, કારણ કે આ દિવસોમાં જ કટોકટી લાગુ કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે હવે તેઓ દેશની પરિસ્થિને અઘોષિત કટોકટી માને છે. ચાર જૂનની રાતની ઘટના એ ઈશારો કરે છે કે ક્યાંક સરકાર અને સરકાર દ્વારા પોષિત લોકોનું જ કાળું ધન વિદોશોમાં જમા નથી ને? કદાય એ કારણ છે કે તેમના આંદોલનને ચાર જૂને કચડી નાખવામાં આવ્યું.
રામદેવે કહ્યુ, જો કાળું ધન પાછું લાવવાનો મુદ્દો ખોટો હતો, જો તેમનું આંદોલન અલોકતાંત્રિક હતું અને જો તેઓ કોમવાદી છે, તો તેમની સાથે વાતચીત કેમ કરવામાં આવી. વડાપ્રધાને તેમને પત્ર કેમ લખ્યો. યોગગુરુએ કહ્યુ કે તેમના અને તેમના ટેકેદારો પર થયેલી કાર્યવાહી લોકતંત્રની હત્યા હતી. તેમણે એ આરોપ પણ લગાવ્યો કે ત્યાં અનશન માટે આવેલી તેમની મહિલા ટેકેદારો સાથે પોલીસ કાર્યવાહી દરમિયાન દારૂના નશામાં ધુત લોકોએ ખરાબ વ્યવહાર કર્યો, તેમને પકડી અને તેમની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવી.
રામદેવે કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલને પડકાર ફેંકતા કહ્યુ કે સરકાર તેમના ફોન ટેપ કરી રહી હતી. તેઓ ચાહે છે કે ચાર જૂને તેમની સિબ્બલ સાથે થયેલી વાતચીતની ટેપ જાહેર કરવામાં આવે. તે ટેપમાં સિબ્બલે કાળાધનને બંધારણીય રીતે રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરવા સહીતના અન્ય આશ્વાસન આપ્યા હતા. જો કે આ મુદ્દા પર એક અન્ય કાર્યક્રમ બાદ જ્યારે સિબ્બલની પાસે પત્રકારોએ જવાબ માંગ્યો, તો મંત્રી મહાશય પત્રકારોના સવાલોનો કોઈ જવાબ આપ્યા વગર ચાલ્યા ગયા હતા.
રામદેવે રામલીલા મેદાનથી ભાગી નીકળવાના આરોપ સંદર્ભે કહ્યુ હતુ કે ચાર જૂનની રાત્રે તેઓ ધરપકડ વ્હોરવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસનો ઈરાદો તેમની ધરપકડ કરવાની જગ્યાએ રસ્તામાંથી હટાવવાનો હતો. યોગગુરુએ કહ્યુ, તેમને જાનવરની મોત મરવું ન હતુ. તેમને કેન્દ્રની કઠપૂતળી બનેલી પોલીસના હાથે મરવુ ન હતુ, માટે તેઓ ત્યાંથી નીકળી ગયા. પોલીસે ત્યાં બંધ પંડાલમાં ટિયર ગેસના સેલ છોડયા અને બર્બર કાર્યવાહી કરી.
તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યુ, શું દેશમાં એક જ પાર્ટીના લોકોને રહેવાનો હક છે. શું દિલ્હીમાં માત્ર એક જ પાર્ટીના લોકો આવી શકે છે. આ કેવું લોકતંત્ર છે. તેમણે રામલીલા મેદના પર આતંકવાદી હુમલો થવાની આશંકા સંદર્ભે કેન્દ્રના દાવાઓને ફગાવ્યા હતા. નવ દિવસ બાદ અનશન તોડવા સંદર્ભેના સવાલો પર તેમણે કહ્યુ, તેમને મોરારી બાપુ અને શ્રી શ્રી રવિશંકર સહીત અખાડાના સંતોએ અનુરોધ કર્યો હતો, માટે તેમણે અનશન તોડયા હતા. તેમણે અનશન એટલા માટે તોડયા ન હતા કે જીવ જોખમમાં હતો.
યોગગુરુએ તેમના પર આરએસએસ અને ભાજપના મ્હોરા હોવાના આરોપો ફગાવતા કહ્યુ, તેઓ કોઈ પાર્ટી અથવા સંગઠનના મ્હોરા નથી. તેઓ દેશના 120 કરોડ લોકોના મ્હોરા છે. લોકપાલ મુદ્દા પર હજારેના પ્રસ્તાવિત અનશન સંદર્ભે રામદેવે કહ્યુ, જે કોઈપણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે, તેઓ તેમની સાથે ઉભા રહેશે. પછી તે ચાહે કોઈપણ પાર્ટી અથવા સંગઠન હોય.
તેમણે કહ્યુ કે સરકારના મુસદ્દામાં લોકપાલની મર્યાદામાં ટ્રસ્ટો અને બિનસરકારી સંગઠનો સાથે જ વડાપ્રધાન તથા સાંસદોને પણ સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવત તો તેમને ખુશી થાત. રામદેવે તેમની વિરુદ્ધ સતત નિવેદનબાજી કરનારા કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહનું નામ લીધા વગર કહ્યુ, તેમને (બાબા રામદેવને) કેટલાંક લોકો ચોર, ઠગ અને મહાઠગ કહે છે. પરંતુ તેઓ ચુપ રહ્યાં. તેઓ આવા બિનજવાબદાર લોકોની અશ્લિલ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપીને પોતાની જીભ ખરાબ કરવા ઈચ્છતા નથી.
પોતાના નજીકના સાથીદાર આચાર્ય બાલકૃષ્ણનો પાસપોર્ટ નકલી હોવાના આરોપો સંદર્ભે યોગગુરુએ કહ્યુ કે આ પાસપોર્ટ 1998માં બન્યો અને તે ગેરકાયદેસરનો નથી. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક તપાસ અધિકારીએ પાસપોર્ટ બનાવવા દરમિયાન ખોટો રિપોર્ટ આપ્યો હતો. આવું છે તો તે વહીવટી તંત્રની ભૂલ છે. તેમા બાલકૃષ્ણની કોઈ ભૂલ નથી. તેમણે કહ્યુ કે આ સરકારની ભ્રષ્ટાચાર અને કાળા ધનના મુદ્દાઓથી ધ્યાન હટાવવાની કોશિશ છે.
મનમોહન સરકાર દ્વારા આમ આદમીની હત્યાનું ષડયંત્ર!
-આનંદ શુક્લ
આમ આદમીના નામે સત્તા પર આવીને ખાસ માટે કામ કરવાની રાજકારણીઓની વૃતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા બંને વધી રહ્યાં છે. તેનાથી પણ વિકટ પરિસ્થિતિ છે કે દેશમાં ગરીબો માટે જીવન ખૂબ જ વિકટ બની ગયું છે. સરકાર ઔદ્યોગિક ગૃહો અને મૂડીપતિઓને ફાયદાકારક નીતિઓ પર ચાલી રહ્યું છે. તેંડૂલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે દેશમાં 37 ટકા લોકો ગરીબીની રેખાની નીચે જીવન ગુજારી રહ્યાં છે કે જેમને દિવસના 20 રૂપિયા પણ મળી રહ્યાં નથી. આવી પરિસ્થિતિમાં મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. મોંઘવારીને છૂટો દોર આપતા સરકારે તાજેતરમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જેના કારણે મોંઘવારી અને ફૂગાવાના દર ફરીથી ઉંચી સપાટીએ જશે. કલ્યાણ રાજની વિચારધારાને સ્થાને વિકાસ રાજ્યની વિચારધારાને અપનાવીને સરકારે દેશની ઘોર ખોદી છે.
સરકારને વિકાસ દર ટકાવી રાખવો હોય છે અને આ વિકાસદર સરકાર પાસેની મહેસૂલના દરોને કારણે ટકી રહે છે. સરકારની મહેસૂલમાં વધારો થાય, તો જ દેશનો વિકાસદર વધે છે. માટે સરકારે જ્યારથી જનકલ્યાણને સ્થાને વિકાસની રાજનીતિ હેઠળ કામ કરવાની શરૂઆત કરી છે, ત્યારથી દેશમાં મૂડીપતિઓ વધ્યા છે, સરકારની તિજોરીમાં આવક વધી છે. પરંતુ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દ્વારા અપનાવાયેલા અર્થશાસ્ત્રની ખાસિયત એ છે કે ગરીબોના ખિસ્સા બિલકુલ ખાલી થવા લાગ્યા છે અને જે લોકો ગરીબીની રેખાની આસપાસ છે, તેઓ ગરીબીની રેખા નીચે ધકેલાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ બંને મહાનુભાવોનું અર્થશાસ્ત્ર ક્રિમિનલ છે અને તેમની નીતિઓ આર્થિક આતંકવાદની નીતિઓ છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં 1.53 લાખથી વધારે કરોડપતિઓ છે. પરંતુ આજે દેશનો ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે. ત્યારે અત્રે વિચારવું પડે કે દેશની આર્થિક નીતિઓમાં ઘણી મોટી ખામી છે.
દેશમાં ગરીબીની રેખાની નીચે અથવા તેની આસપાસ આવતા પરિવારોની મોંઘવારીને કારણે શું હાલત થશે? પેટ્રોલ 68 રૂપિયે લિટર, ડીઝલ 44 રૂપિયે લિટર, રાધણ ગેસમાં એકસાથે 50નો વધારો, કેરોસિનના ભાવમાં વધારો, દાળના ભાવ 80-90ની આસપાસ, દૂધ 32 રૂપિયે લિટર, વીજળીના ભાવમાં તોળાઈ રહેલો ભાવવધારો, જેના કારણે પાંચ વર્ષ પહેલા ભારતમાં વ્યક્તિ જેટલી આસાનીથી જીવતો હતો, તેટલી આસાનીથી 2011માં આમ આદમી જીવી શકે તેમ નથી. મોંઘવારીની રફતાર વધતી જ રહી છે. 11 જૂને સમાપ્ત થયેલા અઠવાડિયામાં ફૂગાવાનો દર 9.06 ટકા, જ્યારે ખાદ્ય પદાર્થોમાં ફૂગાવાનો દર 9.13 ટકા પહોંચ્યો હતો. આ પરિસ્થિતિથી માત્ર આમ આદમી જ ચિંતિત નથી, રિજર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આવા દબાણોને કષ્ટકારક બતાવ્યા છે. રિજર્વ બેંક ચિંતિત છે, પરંતુ લાગે છે કે સરકાર આ બાબતે જરાપણ ગંભીર નથી.
તેને કારણે તો સરકાર વારંવાર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાથી બાજ આવતી નથી. આર્થિક નીતિની સામાન્ય જાણકારી રાખનાર પણ સમજી શકે છે કે ઈંધણની કિંમતોમાં વદારો કરવાથી લગભગ તમામ ચીજોના ભાવ વધશે. રિજર્વ બેંક તો પોતાની તરફથી પ્રયત્ન કરી રહી છે, બની શકે કે તે આગામી દિવસોમાં બેંકના રેટ વધારી દે, પરંતુ સરકારે આમ આદમી માટે જે કરવું જોઈએ તે કરી રહી નથી. દોષ માત્ર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો નથી. મોંઘવારી માટે શાસકને સ્થાને વેપારી બની ગયેલી કેન્દ્ર અને રાજ્યોની સરકારો બરાબરની ગુનેગાર છે. આપણી સરકારોને કોઈપણ કિંમતે મહેસૂલમાં વધારો જોઈએ છે.
ભાવ જેટલા વધશે, સરકારની આવક એટલી જ વધતી જવાની છે. ગત એક વર્ષમાં પેટ્રોલિયમ પેદાશોથી સરકારને પ્રાપ્ત થયેલી મહેસૂલમાં 21 ટકાનો વધારો થયો છે. જેના કારણે વર્ષ 2010-2011માં કેન્દ્ર સરકારની મહેસૂલ 1,35,434 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ આમાથી ઘણી મહેસૂલ પ્રાપ્તિ કરી રહી છે. 2009-10માં રાજ્ય સરકારોને 72,082 કરોડ રૂપિયાની મહેસૂલ મળી હતી અને વર્ષ 2010-11માં 89,991 કરોડ રૂપિયા મહેસૂલ મળી છે. સરકાર એક તરફ આપણા ખિસ્સા ખાલી કરી રહી છે, તો બીજી તરફ તે ઓઈલ કંપનીઓને ઉધારી માટે મજબૂર કરી રહી છે. સરકારી ઓઈલ કંપનીઓની ઉધારી 1,23,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન છે અને વિદ્વાન પ્રણવ મુખર્જી નાણાં મંત્રી છે, ત્યારે સવાલ એ છે કે જનતાને આખરે કઈ રાહત થઈ? મોંઘવારી આમ આદમીની કમર તોડી રહી છે અને સરકારને માત્ર તેમની મહેસૂલની પડી છે. વધતી મોંઘવારી અને ઓઈલના કારોબાર પર નજર કરવામાં આવે, તો સરકાર નફાખોર વેપારીથી પણ ખરાબ વ્યવહાર કરી રહી છે.
સરકારનો તર્ક છે કે દેશનો વિકાસ તેને પ્રાપ્ત થતી મહેસૂલની આવકમાંથી થઈ રહ્યો છે, પરંતુ સરકાર ભૂલી જાય છે કે વધતી મોંઘવારી વિકાસ અને તેના માટેના પ્રયત્નોની વ્યાપકતાને અર્થહીન સાબિત કરવા લાગી છે. દેશમાં હાલ ચાલતી આર્થિક નીતિઓથી કેટલાંક લોકોને લાભ પહોંચતો હશે, પરંતુ મોટાભાગના લોકો મુશ્કેલીમાં છે. દેશના કરોડો પરિવારો ધસમસતા મોંઘવારીના પૂરમાં બેહાલ બની રહ્યાં છે. તેમને ત્યાં બે વખત ચુલો પણ સળગતો નથી. તો બીજી તરફ દેશના ઉદ્યોગપતિઓ વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન પામે છે, દેશમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ભારતના આમ આદમી પર ચારે તરફથી સરકાર પ્રહારો કરી રહી છે. એક તરફ ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે, તો બીજી તરફ ભોજન બનાવવાના સાધનો મોંઘા થઈ રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે યુપીએ સરકારને આમ આદમીની સરકાર ગણાવવાનો દાવો કરનારી કોંગ્રેસનો હાથ ક્યાં છે? શું આ હાથ 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ સોસાયટી જેવાં કૌભાંડોના રૂપિયા ભેગા કરવામાં લાગેલો છે? તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને કાળું નાણું બે અલગ મુદ્દા છે. તેના સંદર્ભે બાબા રામદેવ અને અન્ના હજારેએ અનશન કર્યા છે. વળી અન્ના 16 ઓગસ્ટથી લોકપાલ મુદ્દે અનશન પર બેસવાના છે. ત્યારે બંનેએ સમજવું જોઈએ કે ભારતની તાત્કાલિક સમસ્યા આમ આદમીને મોંઘવારીને કારણે કઠિન બનેલા જીવનનું કષ્ટ છે. આ બંને અનશનવીરોએ હકીકતમાં મોંઘવારી સામે વ્યાપક અનશન આંદોલન ચલાવવું જોઈએ અને નફાખોર વેપારી જેવી વિકાસની આર્થિક નીતિઓ પર ચાલતી સરકારને જનકલ્યાણની વેલફેર સ્ટેટની આઝાદી વખતની નીતિઓ પર લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
આમ આદમીના નામે સત્તા પર આવીને ખાસ માટે કામ કરવાની રાજકારણીઓની વૃતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા બંને વધી રહ્યાં છે. તેનાથી પણ વિકટ પરિસ્થિતિ છે કે દેશમાં ગરીબો માટે જીવન ખૂબ જ વિકટ બની ગયું છે. સરકાર ઔદ્યોગિક ગૃહો અને મૂડીપતિઓને ફાયદાકારક નીતિઓ પર ચાલી રહ્યું છે. તેંડૂલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે દેશમાં 37 ટકા લોકો ગરીબીની રેખાની નીચે જીવન ગુજારી રહ્યાં છે કે જેમને દિવસના 20 રૂપિયા પણ મળી રહ્યાં નથી. આવી પરિસ્થિતિમાં મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. મોંઘવારીને છૂટો દોર આપતા સરકારે તાજેતરમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જેના કારણે મોંઘવારી અને ફૂગાવાના દર ફરીથી ઉંચી સપાટીએ જશે. કલ્યાણ રાજની વિચારધારાને સ્થાને વિકાસ રાજ્યની વિચારધારાને અપનાવીને સરકારે દેશની ઘોર ખોદી છે.
સરકારને વિકાસ દર ટકાવી રાખવો હોય છે અને આ વિકાસદર સરકાર પાસેની મહેસૂલના દરોને કારણે ટકી રહે છે. સરકારની મહેસૂલમાં વધારો થાય, તો જ દેશનો વિકાસદર વધે છે. માટે સરકારે જ્યારથી જનકલ્યાણને સ્થાને વિકાસની રાજનીતિ હેઠળ કામ કરવાની શરૂઆત કરી છે, ત્યારથી દેશમાં મૂડીપતિઓ વધ્યા છે, સરકારની તિજોરીમાં આવક વધી છે. પરંતુ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દ્વારા અપનાવાયેલા અર્થશાસ્ત્રની ખાસિયત એ છે કે ગરીબોના ખિસ્સા બિલકુલ ખાલી થવા લાગ્યા છે અને જે લોકો ગરીબીની રેખાની આસપાસ છે, તેઓ ગરીબીની રેખા નીચે ધકેલાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ બંને મહાનુભાવોનું અર્થશાસ્ત્ર ક્રિમિનલ છે અને તેમની નીતિઓ આર્થિક આતંકવાદની નીતિઓ છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં 1.53 લાખથી વધારે કરોડપતિઓ છે. પરંતુ આજે દેશનો ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે. ત્યારે અત્રે વિચારવું પડે કે દેશની આર્થિક નીતિઓમાં ઘણી મોટી ખામી છે.
દેશમાં ગરીબીની રેખાની નીચે અથવા તેની આસપાસ આવતા પરિવારોની મોંઘવારીને કારણે શું હાલત થશે? પેટ્રોલ 68 રૂપિયે લિટર, ડીઝલ 44 રૂપિયે લિટર, રાધણ ગેસમાં એકસાથે 50નો વધારો, કેરોસિનના ભાવમાં વધારો, દાળના ભાવ 80-90ની આસપાસ, દૂધ 32 રૂપિયે લિટર, વીજળીના ભાવમાં તોળાઈ રહેલો ભાવવધારો, જેના કારણે પાંચ વર્ષ પહેલા ભારતમાં વ્યક્તિ જેટલી આસાનીથી જીવતો હતો, તેટલી આસાનીથી 2011માં આમ આદમી જીવી શકે તેમ નથી. મોંઘવારીની રફતાર વધતી જ રહી છે. 11 જૂને સમાપ્ત થયેલા અઠવાડિયામાં ફૂગાવાનો દર 9.06 ટકા, જ્યારે ખાદ્ય પદાર્થોમાં ફૂગાવાનો દર 9.13 ટકા પહોંચ્યો હતો. આ પરિસ્થિતિથી માત્ર આમ આદમી જ ચિંતિત નથી, રિજર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આવા દબાણોને કષ્ટકારક બતાવ્યા છે. રિજર્વ બેંક ચિંતિત છે, પરંતુ લાગે છે કે સરકાર આ બાબતે જરાપણ ગંભીર નથી.
તેને કારણે તો સરકાર વારંવાર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાથી બાજ આવતી નથી. આર્થિક નીતિની સામાન્ય જાણકારી રાખનાર પણ સમજી શકે છે કે ઈંધણની કિંમતોમાં વદારો કરવાથી લગભગ તમામ ચીજોના ભાવ વધશે. રિજર્વ બેંક તો પોતાની તરફથી પ્રયત્ન કરી રહી છે, બની શકે કે તે આગામી દિવસોમાં બેંકના રેટ વધારી દે, પરંતુ સરકારે આમ આદમી માટે જે કરવું જોઈએ તે કરી રહી નથી. દોષ માત્ર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો નથી. મોંઘવારી માટે શાસકને સ્થાને વેપારી બની ગયેલી કેન્દ્ર અને રાજ્યોની સરકારો બરાબરની ગુનેગાર છે. આપણી સરકારોને કોઈપણ કિંમતે મહેસૂલમાં વધારો જોઈએ છે.
ભાવ જેટલા વધશે, સરકારની આવક એટલી જ વધતી જવાની છે. ગત એક વર્ષમાં પેટ્રોલિયમ પેદાશોથી સરકારને પ્રાપ્ત થયેલી મહેસૂલમાં 21 ટકાનો વધારો થયો છે. જેના કારણે વર્ષ 2010-2011માં કેન્દ્ર સરકારની મહેસૂલ 1,35,434 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ આમાથી ઘણી મહેસૂલ પ્રાપ્તિ કરી રહી છે. 2009-10માં રાજ્ય સરકારોને 72,082 કરોડ રૂપિયાની મહેસૂલ મળી હતી અને વર્ષ 2010-11માં 89,991 કરોડ રૂપિયા મહેસૂલ મળી છે. સરકાર એક તરફ આપણા ખિસ્સા ખાલી કરી રહી છે, તો બીજી તરફ તે ઓઈલ કંપનીઓને ઉધારી માટે મજબૂર કરી રહી છે. સરકારી ઓઈલ કંપનીઓની ઉધારી 1,23,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન છે અને વિદ્વાન પ્રણવ મુખર્જી નાણાં મંત્રી છે, ત્યારે સવાલ એ છે કે જનતાને આખરે કઈ રાહત થઈ? મોંઘવારી આમ આદમીની કમર તોડી રહી છે અને સરકારને માત્ર તેમની મહેસૂલની પડી છે. વધતી મોંઘવારી અને ઓઈલના કારોબાર પર નજર કરવામાં આવે, તો સરકાર નફાખોર વેપારીથી પણ ખરાબ વ્યવહાર કરી રહી છે.
સરકારનો તર્ક છે કે દેશનો વિકાસ તેને પ્રાપ્ત થતી મહેસૂલની આવકમાંથી થઈ રહ્યો છે, પરંતુ સરકાર ભૂલી જાય છે કે વધતી મોંઘવારી વિકાસ અને તેના માટેના પ્રયત્નોની વ્યાપકતાને અર્થહીન સાબિત કરવા લાગી છે. દેશમાં હાલ ચાલતી આર્થિક નીતિઓથી કેટલાંક લોકોને લાભ પહોંચતો હશે, પરંતુ મોટાભાગના લોકો મુશ્કેલીમાં છે. દેશના કરોડો પરિવારો ધસમસતા મોંઘવારીના પૂરમાં બેહાલ બની રહ્યાં છે. તેમને ત્યાં બે વખત ચુલો પણ સળગતો નથી. તો બીજી તરફ દેશના ઉદ્યોગપતિઓ વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન પામે છે, દેશમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ભારતના આમ આદમી પર ચારે તરફથી સરકાર પ્રહારો કરી રહી છે. એક તરફ ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે, તો બીજી તરફ ભોજન બનાવવાના સાધનો મોંઘા થઈ રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે યુપીએ સરકારને આમ આદમીની સરકાર ગણાવવાનો દાવો કરનારી કોંગ્રેસનો હાથ ક્યાં છે? શું આ હાથ 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ સોસાયટી જેવાં કૌભાંડોના રૂપિયા ભેગા કરવામાં લાગેલો છે? તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને કાળું નાણું બે અલગ મુદ્દા છે. તેના સંદર્ભે બાબા રામદેવ અને અન્ના હજારેએ અનશન કર્યા છે. વળી અન્ના 16 ઓગસ્ટથી લોકપાલ મુદ્દે અનશન પર બેસવાના છે. ત્યારે બંનેએ સમજવું જોઈએ કે ભારતની તાત્કાલિક સમસ્યા આમ આદમીને મોંઘવારીને કારણે કઠિન બનેલા જીવનનું કષ્ટ છે. આ બંને અનશનવીરોએ હકીકતમાં મોંઘવારી સામે વ્યાપક અનશન આંદોલન ચલાવવું જોઈએ અને નફાખોર વેપારી જેવી વિકાસની આર્થિક નીતિઓ પર ચાલતી સરકારને જનકલ્યાણની વેલફેર સ્ટેટની આઝાદી વખતની નીતિઓ પર લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
Saturday, 25 June 2011
એક સાધ્વીની રાજકીય પરિક્રમા
શોરબકોર વચ્ચે ઉમા ભારતીની ભાજપમાંથી વિદાય અને ત્યાર બાદ સાદગીભર્યા આયોજનમાં પાર્ટીમાં તેમના પુનરાગમનની યાત્રા સંદર્ભે જણાવી રહ્યાં છે, બૃજેશ સિંહ, સૌજન્ય- તહેલકા હિંદી
ઉમાનું આખું જીવન માનવીય સંસારના વિભિન્ન રંગોથી તરબતર છે. આઠ વર્ષની ઉંમરમાં ભાજપ સાથે જોડાનાર ઉમા ધર્મ અને રાજનીતિની ઘાલમેલ તથા ધર્મની શક્તિ તથા તેની મર્યાદાઓનું સૌથી વધારે બંધબેસતુ ઉદાહરણ છે. ટીકમગઢના એક લોધ પરિવારમાં જન્મેલી ઉમા રાગિની ભારતીએ જ્યારે ખૂબ નાની ઉંમરમાં જ ધાર્મિક પ્રવચન આપવાની શરૂઆત કરી તો અપેક્ષકૃત સ્ત્રી વિરોધી ગણાનાર બુંદેલખંડી સમાજ નતમસ્તક થઈ ગયો. જે ઉંમરમાં બાળકો ભણવા-ગણવાની શરૂઆત કરે છે, તે સમયે તેઓ રામાયણ અને ગીતા સહીત અન્ય ઘર્મગ્રંથોને કંઠસ્થ કરીને જનતા સામે તેનો મર્મ સમજાવી રહ્યાં હતા. આ બાળકીની ચારેતરફ એવી ખ્યાતિ થઈ કે તે જ્યાં પણ જતી તેને જોવા અને સાંભળવા માટે લાખોની સંખ્યામાં ભીડ આવતી હતી. તે સમયે આ બાળકી પર ગ્વાલિયર ઘરાનાની રાજમાતા વિજયરાજે સિંધિયાની નજર પડી. અહીં ધર્મસત્તાનો રાજનીતિ અને રાજસત્તા સાથે મેળ થયો. આ વિલક્ષણ બાળકી હવે પોતાના રાજકીય ગુરુના સંરક્ષણમાં હતી. સમયનું પૈંડુ ઘૂમતું ગયું અને પ્રવચન આપનારી છોકરી ધીરેધીરે રાજકીય ભાષણ આપવા લાગી. 25 વર્ની ઉંમરમાં મધ્ય પ્રદેશની ખજૂરાહો લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને ઉમાએ પહેલીવાર ઔપચારીક રીતે ચૂંટણીની રાજનીતિમાં ડગ માંડયા. જો કે તે સમય ઈન્દિરા ગાંધીની હત્યા બાદનો હતો. માટે કોંગ્રેસ પ્રત્યે ઉપજેલી સહાનુભૂતિની લહેરમાં ઉમાની નવીસવી રાજકીય નાવ ડૂબી ગઈ. બાદમાં તે જ ખજૂરાહોની જનતાએ તેમને સતત ચાર વખત સંસદમાં મોકલ્યા. ત્યાર બાદ ઉમાએ રાજધાની ભોપાલની દિશા લીધી. અહીંથી ચૂંટણી લડયા અને જીત્યા.
ધર્મ અને રાજનીતિના ઘાલમેલનું વ્યક્તિ તરીકેનું સૌથી વધારે બંધબેસતુ ઉદાહરણ ઉમા છે, તો પાર્ટી તરીકે ભાજપ
ધર્મ અને રાજનીતિની ઘાલમેલનું વ્યક્તિ તરીકે સૌથી વધારે બંધબેસતુ ઉદાહરણ ઉમા છે, તો પાર્ટી તરીકે ભાજપ. જો કે 90ના દશકમાં પાર્ટીનો એકમાત્ર એજન્ડા રામ અને અયોધ્યા હતો, માટે ત્યાં ઉમાની એક મોટી ભૂમિકા હોવી નક્કી હતી. અડવાણી અને બાકીના નેતાઓની આશાઓ પર પાંચ વર્ષની ઉંમરથી રામ નામ જપનારી ઉમા બિલકુલ ખરી ઉતરી હતી. ભગવા વસ્ત્રોવાળી ઉમાએ જ્યારે અન્ય નેતાઓ સાથે મળીને અયોધ્યામાં એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો-નું સૂત્ર આપ્યું તો ઉન્માદી ભીડે તેનું અક્ષરશ પાલન કર્યું. એક તરફ મસ્જિદનો ઢાંચો જમીનદોસ્ત થયો, બીજી તરફ ઉમા અને ભાજપનું રાજકીય કદ ઉપર જઈ રહ્યું હતું. ઉમાના જીવનનો આ ટર્નિંગ પોઈન્ટ હતો. હવે ઉમા માત્ર ઉમા ન હતા, પરંતુ અયોધ્યા આંદોલન ફિલ્મના મુખ્ય પાત્ર પણ હતા. સ્પષ્ટ હતું કે જ્યાં જ્યાં પણ આ ફિલ્મ ના પોસ્ટર લાગ્યા હતા, તેમાં અડવાણી સાથે ઉમા પણ હતા. ફિલ્મ હિટ થઈ ગઈ. ફિલ્મના પ્રોડયુસર અને ડાયરેક્ટર તેમને વધુ મોટો રોલ આપવા ઈચ્છતા હતા. બીજી તરફ ઉમાને અહેસાસ થઈ ગયો હતો કે તે કોઈ નાની-મોટી અદાકાર નથી. આત્મવિશ્વાસમાં વધારે જોડાવાની શરૂઆત થઈ ચુકી હતી. ત્યાર બાદ બનનારી એનડીએ સરકારમાં ઉમાએ માનવ સંસાધન, પર્યટન, યુવા અને ખેલ તથા કોલસા મંત્રાલય સંભાળ્યું હતું. પોતાની રાજનીતિની શરૂઆત ઉમાએ કેન્દ્રમાંથી કરી.
બીજી તરફ મધ્ય પ્રદેશમાં દિગ્વિજય સિંહ દસ વર્ષથી મુખ્યમંત્રી બનેલા હતા. જનતામાં સડક, વીજળી, પાણી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં નકારાત્મક વિકાસને કારણે રોષ હતો, તેના કારણે તેમની વિરુદ્ધ એક મજબૂત સત્તા વિરોધી લહેર હતી. પરંતુ ભાજપમાં એવો કોઈ નેતા ન હતો, જે દિગ્ગી રાજાની આ કમીને પોતાની તાકાત બનાવી શકે. મધ્ય પ્રદેશમાં પાર્ટીએ દિગ્ગીને હરાવવા માટેની જવાબદારી પોતાના એવા નેતાને આપી કે જેમને ક્યારેક દિગ્ગી પણ પગે લાગતા હતા. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એન. ડી. શર્મા કહે છે કે જ્યારે ઉમા ભારતીને હાઈકમાન્ડે રાજ્યમાં મોકલ્યા તો ધીમા અવાજે કેટલાંક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં હંમેશા એક વર્ગ એવો હતો જે ઉમાનો વિરોધી રહ્યો. પરંતુ જો કે ઉમાને દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા, માટે આ નેતાઓએ આ નિર્ણયને સ્વીકાર્યો હતો.
માનવ સંસાધન મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહેલા ઉમાએ રાજ્યના માનવ સંસાધનને એવી રીતે મેનેજ કર્યું કે દિગ્ગી રાજાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. ધર્મનિરપેક્ષતાની દુહાઈ આપનારા રાજા એક ભગવા મહિલાના હાથે પરાજીત થઈ ચુક્યા હતા. આટલી મોટી જીત બાદ ઉમાએ મુખ્યમંત્રી તો બનવાનું જ હતું. સાધ્વીના સ્વર્ણિમ યુગનો પ્રારંભ થઈ ચુક્યો હતો, પરંતુ તેમની ઉંમર ગર્ભમાં પાળનારા બાળક જેટલી જ હતી. માત્ર નવ માસમાં આ યુગને અનિશ્ચિતકાળ માટે ગ્રહણ લાગવાનું હતું. ઉમા એક તરફ જીતના જશ્નમાં મગન હતી, ત્યારે બીજી બાજુ સપાટી નીચે કંઈક બીજું જ ઘટી રહ્યું હતું. તેની ખબર ઉમાને પહેલેથી હતી, પરંતુ તેમણે તેની અસર ઓછી આંકી હતી. ઉમાએ ખુદ એ વાતનો સ્વીકાર કર્યો છે કે વર્ષ 1996 ભાજપના જીવનમાં એક નિર્ણાયક વળાંકનું હતું. 13 દિવસની સરકારમાં રાજકીય મેનેજરો તથા પાર્ટી માટે નાણાંની ઉઘરાણી કરનારાઓ માત્ર મજબૂત જ ન હતા થયા, પરંતુ તેઓ પાર્ટી અને વરિષ્ઠ નેતાઓને દિશાનિર્દેશ પણ આપવા લાગ્યા હતા.
મુખ્યમંત્રી બનતા પહેલા ઉમા જ્યારે કેન્દ્રની રાજનીતિમાં હતા, તો તેમણે આવા લોકો વિરુદ્ધ મોરચો પણ ખોલ્યો હતો. જેવું ઉમા જણાવ છે કે આ સંદર્ભે તેમણે અડવાણીને પણ કહ્યું હતું કે દાદા તમે આજે એવા લોકોની સંગતમાં છો કે જે તમારા સ્વભાવની બિલકુલ વિપરીત છે. પોલીટિકલ અને ફ્રંટ મેનેજરોને આની જાણ થઈ ગઈ હતી. સ્પષ્ટ છે કે તેઓ આનાથી નારાજ થયા. પરંતુ અયોધ્યા આંદોલનથી નીકળેલી ઉમાને પાઠ ભણાવવો તેમના વશની વાત ન હતી. ક્યારેક કોલસા મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહેલા ઉમા ભારતીએ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યમાં કાળા કારનામા કરનારાઓ પર ગાળિયો કસવાનું શરૂ કર્યું. આ ગાળિયાની પકડમાં માત્ર કોંગ્રેસી જ નહીં, પરંતુ ભાજપના લોકો પણ આવ્યા.
મધ્ય પ્રદેશમાં પક્ષ અન વિપક્ષ વચ્ચે અદભૂત જુગલબંધી ચાલી રહી હતી, પરંતુ ઉમા ભારતીના મુખ્યમંત્રી બન્યા બાદ ખેલ બગડવા લાગ્યો.
ઉમાએ મુખ્યમંત્રી બનતા પહેલા મધ્ય પ્રદેશની રાજનીતિમાં કમાલનું મેનેજમેન્ટ હતું. શર્મા કહે છે કે ઉમાના આવતા પહેલા બંને મુખ્ય પક્ષો અર્થાત કોંગ્રેસ અને ભાજપે એક એવી સિસ્ટમ વિકસિત કરી હતી કે જેના આધારે બંને મળીને રાજ્યને લૂંટતા હતા. વિપક્ષ જેવી કોઈ વસ્તુ ન હતી. વિપક્ષ સત્તાપક્ષને છેડતો ન હતો અને ન તો તેમના કાળા કરતૂતો સામે એટલું બોલતો હતો કે કોઈ સાંભળી લે. તેના બદલામાં સત્તાપક્ષ વિપક્ષને એ સુવિધાઓ આપતો હતો કે જે તેને ખુદને હાસિલ હતી. આ અદભૂત સમાજવાદમાં બધાં મજાથી ખાઈ-કમાઈ રહ્યાં હતા. કોઈને કોઈનાથી ભય ન હતો. પક્ષ અને વિપક્ષ વચ્ચે આ પ્રકારની આપરાધિક સંમતિની પરંપરા 90ના દશકમાં અર્જુન સિંહના કાર્યકાળમાં શરૂ થઈ હતી. તેમના સુંદરલાલ પટવા સાથે હંમેશા સારા સંબંધ રહ્યાં હતા. જ્યારે પટવા મુખ્યમંત્રી બન્યા તે દરમિયાન શ્યામા ચરણ શુક્લ વિરોધ પક્ષના નેતા હતા. પરંતુ વિધાનસભામાં કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો અર્જુન સિંહ કેમ્પમાંથી હતા. પટવાની સરકાર બાબરી મસ્જિદના ધ્વંસ બાદ ભલે બરખાસ્ત થઈ ગઈ, પરંતુ જ્યાં સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યાં અર્જુન સિંહે તેમને ગૃહમાં કોઈપણ અસુવિધા થવા દીધી નહીં. દિગ્વિજય સિંહના બીજા કાર્યકાળમાં બાબૂલાલ ગૌર વિરોધ પક્ષના નેતા હતા. ગૌરના દિગ્ગી સાથે સારા સંબંધ હતા, અર્જુન સિંહ, કમલનાથ સહીત કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે પણ તેમને સારું બનતું હતું. બાદમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા તો તેમના આ વ્યવહારને કારણે ભાજપના નેતાઓ કહેવા લાગ્યા હતા કે તેઓ ભાજપની સરકારના કોંગ્રેસી મુખ્યમંત્રી છે.
પક્ષ અને વિપક્ષ વચ્ચેની આ અદભૂત જુગલબંધી ઠીક-ઠાક ચાલી રહી હતી કે ઉમા ભારતી વચ્ચે આવી ગયા. તેમણે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી. સૌથી પહેલા તેમણે સહકારિતાના ભ્રષ્ટાચાર પર નિશાન સાધ્યુ, જે લાંબા સમયથી કોંગ્રેસીઓના કબ્જામાં હતા. ઉમાના કાર્યકાળમાં સહકારિતા મંત્રી હતા ગોપાલ ભાર્ગવ. ભાર્ગવે તપાસમાં ઝડપ દેખાડી અને ઝડપથી અર્જુન સિંહના એક નજીકના નેતાને જેલમાં જવાનો વખત આવી ગયો. ભાર્ગવ પર કેટલાંક નેતાઓએ મામલો કોલ્ડ બોક્સમાં નાખવા માટે દબાણ બનાવવાનું શરૂ કરી દીધું, પરંતુ ઉમા પાસેથી આ મામલે ગ્રીન સિગ્નલ મેળવી ચુકેલા ભાર્ગવ તેના માટે તૈયાર ન હતા. ત્યારે 1994ના હુબલી હુલ્લડ મામલામાં એક ધરપકડ વોરંટ ઉમા વિરુદ્ધ જારી થાય છે. કેન્દ્રથી લઈને રાજ્ય સુધી ઉમાથી ખાર ખાનારા નેતાઓ માટે ઉમાથી નિપટવાનો આ એક મોટો મોકો હતો. દિલ્હીથી લઈને ભોપાલ સુધી ઉમાની રાજકીય હત્યાની સાજિશ રચાવા લાગી. ઉમાને સમજાવવામાં આવ્યું કે તેઓ કેટલાંક સમય માટે પોતાનું પદ છોડી દે અને જેવા તેઓ મામલામાંથી બરી થશે, તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે. ક્યારેક કેન્દ્રમાં ખેલ રાજ્ય મંત્રી રહેલા ઉમા ભારતી પોતાની જ પાર્ટીના નેતાઓનો ખેલ સમજી શક્યા નહીં. તેમણે રાજીનામું આપી દીધું.
ઓગસ્ટ, 2004નો તે દિવસ ઉમાના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ દિવસે તેઓને અનિશ્ચિતકાળ માટે સત્તામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. મામલામાંથી મુક્ત થઈને જ્યારે તેમણે મુખ્યમંત્રી પદની માગણી કરી તો તેમને નિરાશા હાથ લાગી. તેમના વિરોધીઓએ પોતાની ચાલ ચાલી નાખી હતી. તેમણે પહેલા બાબૂલાલ ગૌરને મુખ્યમંત્રી બનાવ્યા પછી શિવરાજને સ્થાપિત કરી દીધા. ભાવુક અને લાગણીશીલ ઉમા માટે આ બધું સહન કરી શકવું અસંભવ થઈ ગયું. પીડા જ્યારે હદથી વધી ગઈ તો તેમણે વ્યવહારને હિંસક અને અશોભનીય બનાવી દીધો. ઉમાએ એક-એક કરીને કેન્દ્ર અને રાજ્યના તમામ મોટા નેતાઓને ઘઘલાવાનું શરૂ કરી દીધું. ગૌર જ્યારે મુખ્યમંત્રી હતા તો તેમણે એક જાહેરસભામાં ગૌર પર દુરાચારી અને વ્યભિચારી હોવાનો આરોપ લગાવી દીધો હતો.
ઉમાને એ ખબર હતી કે આ ષડયંત્રની રચના દિલ્હીમાં થઈ હતી. તેમને માટે પીડાની સૌથી વધારે વાત એ હતી કે આખરે અટલ અને અડવાણી તેમની વિરુદ્ધ થયેલા ષડયંત્રમાં કેવી રીતે ભાગીદાર બની ગયા. આ અસહ્ય પીડા તે દિવસે ખુલીને તેમની જીભ પર આવી ગઈ જ્યારે અડવાણી ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં હતા. આ બેઠકમાં તેઓ અડવાણી સાથે ઝગડી પડયા અને નારાજ થઈને મીટિંગની બહાર નીકળી ગયા. જતા-જતા કહી ગયા કે અડવાણીજી મારા આ વ્યવહાર માટે તમે મારી સામે કાર્યવાહી કરો. સમગ્ર મીડિયા સામે થયેલી આ ઘટના બાદ ઉમા પાર્ટીમાંથી સસ્પેન્ડ થઈ ગયા. મે-2005માં સંઘના દબાણમાં ઉમાનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું. પરંતુ ફરી એકવાર ભોપાલમાં થયેલા વિધાયક દળની મીટિંગમાં શિવરાજને મુખ્યમંત્રી બનાવવાના પ્રસ્તાવનો વિરોધ કરીને તેઓ મીટિંગની બહાર ચાલ્યા ગયા. આ વખતે તેમના વિરોધીઓ તેમને પાર્ટીમાંથી કાઢવામાં સફળ રહ્યાં.
ત્યાર બાદ ઉમા ભોપાલથી અયોધ્યા સુધી રામરોટી યાત્રા પર નીકળી પડયા. શર્મા તે દિવસોને યાદ કરતાં કહે છે કે તેઓ જ્યાં જતા ત્યાં દરેક જગ્યાએ લોકોની ભીડ ઉમડી પડતી હતી. દરેક જગ્યાએ બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓ તેમને પગે લાગતા અને તેમને જોવા માટે દોડી આવતા હતા.
જાણકારો પ્રમાણે, લોકોના આ જનસેલાબે ઉમાની અંદર એવો ભાવ ભરી દીધો કે ભાજપે તેમને તેમની શરતો પર પાછા લેવા પડશે. પરંતુ જ્યારે લાંબા ઈન્તજાર બાદ પણ આવું થયું નહીં, તો તેમણે ભારતીય જનશક્તિ પાર્ટી બનાવી લીધી. ઉમાને સંપૂર્ણ વિશ્વાસ હતો કે વિશાળ ભીડ રામરોટી યાત્રામાં તેમની એક ઝલક મેળવવાલ માટે બેતાબ છે તે તેમને જરૂરથી વોટ આપશે. ઉમાને એ વિશ્વાસ હતો કે યા તો તેઓ ભાજપને લોઢાના ચણા ખવડાવશે જેના કારણે તેમને પાર્ટીમાં ફરીથી સ્વીકારવા પડે અથવા તેઓ રાજ્યમાં ભાજપના વિકલ્પ બનીને ઉભરશે. પરંતુ અહીં જ તેઓ ચૂંટણીના રાજકારણને સમજવામાં ભૂલ કરી ગયા. દર્શન કરવા આવેલી જનતાએ સાધ્વી પાસેથી આશિર્વાદ તો લીધો, પરંતુ બદલામાં પોતાના વોટની શ્રદ્ધા તેમને અર્પિત કરી નહીં. ઉમા ચૂંટણીઓમાં હારતા રહ્યાં. એક વખત એવો આવ્યો કે આ કરિશ્માઈ નેતા પોતાની બેઠક સુદ્ધા જીતી શક્યા નહીં. ભાજપને છોડીને જે નેતાઓ તેમની સાથે ગયા હતા, તેઓ પણ એક પછી એક ભાજપમાં પાછા જતાં રહ્યાં. ત્યાર બાદ ભાજપમાં પાછા ફરવાનો એકમાત્ર વિકલ્પ તેમની પાસે બાકી રહ્યો હતો.
વિશ્લેષકો એ વાત પર એકમત છે કે ઉમાએ પોતાની ક્ષમતાને વધુ આંકી લીધી હતી. ઉમા ક્યારેક કહેતા હતા કે તેઓ ભાજપ પાસે નહીં જાય, પરંતુ ભાજપ તેમની પાસે આવશે. હવે આ તો તેઓ જ બતાવી શકશે કે આ વખતે કોણ કોની પાસે ગયું હતું. એ જગજાહેર છે કે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી કોઈપણ મોટા નેતા ઉમાની વાપસીના પક્ષમાં નથી, પરંતુ સંઘના દબાણ અને ગડકરીના ઉમા પ્રત્યેના શ્રદ્ધાભાવને કારણે તેઓ પાછા આવ્યા છે. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ગિરિજાશંકર કહે છે કે ઉમાના મામલામાં નિર્ણય હંમેશા યા તો સંઘે કર્યો છે અથવા તો હાઈકમાન્ડે. ઉમાના આખા રાજકીય કેરિયરમાં સ્ટેટ લીડરશીપનો કોઈ રોલ રહ્યો નથી. 2003માં પણ ઉમાને મધ્ય પ્રદેશ મોકલતા પહેલા હાઈકમાન્ડે સ્થાનિક નેતાઓનો મત જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો. આ વખતે પણ લગભગ તે જ થયું છે. આ વખતે ખાસ વાત એ છે કે આ નિર્ણય ભાજપે નહીં, પરંતુ સંઘે ભાજપના રાજ્યથી લઈને કેન્દ્ર સુધીના તમામ નેતાઓને સંભળાવ્યો અને સ્વીકારવા મજબૂર કર્યા છે.
ઉમા ભારતીને ઉત્તર પ્રદેશની સરહદોમાં બાંધી શકાય?
બૃજેશ સિંહનું વિશ્લેષણ, સૌજન્ય-તહેલકા હિંદી
દુશ્મની જમકર કરો લેકિન યે ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાયે તો શર્મિંદા ન હો- બશીર બદ્રના આ શેરને ઉમા ભારતીએ પહેલા જરૂર વાંચ્યો હશે અને સાંભળ્યો હશે. પરંતુ તેમા છુપાયેલા મર્મને ઘણી સારી રીતે તેઓ આજે અનુભવી રહ્યાં હશે. 2005માં પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ અટલ-અડવાણીથી લઈને ભાગ્યે જ પાર્ટીનો કોઈ મોટો નેતા એવો હશે જેને તેમણે સારું-ખોટું કહ્યું નહીં હોય. છ વર્ષના રાજકીય વનવાસ બાદ તેઓ ફરી એકવાર ભાજપમાં પાછા આવ્યા છે. આ દરમિયાન ભાજપના અન્ય નેતાઓ સાથે તેમના સંબંધો કેટલા તળિયે પહોંચી ગયા હતા, તેની ઝલક તે કાર્યક્રમમાં સારી રીતે જોવા મળી કે જેમાં ગડકરીએ ઉમા ભારતીની ઘર વાપસીની ઘોષણા કરી.
ઉમાના ઘર વાપસી કાર્યક્રમમાં પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીને બાદ કરતા કોઈ મોટો નેતા ન હતો. ઉમા ભારતીના ગૃહ રાજ્યમાંથી કે જ્યાં તેમણે દિગ્ગીના દસ વર્ષના શાસનને ત્રણ ચતુર્થાંસ બુહમતીથી ઉખાડી ફેંક્યું હતું અને તેમને જે ઉત્તર પ્રદેશની રાજકીય જવાબદારી સોંપવામાં આવી છે, ત્યાંથી પણ કોઈ મોટો નેતા હાજર રહ્યો ન હતો.પાર્ટીમાં પાછા લેવાનો ઉત્સાહ ન તો ગડકરીને ચહેરા પર દેખાઈ રહ્યો હતો અને ન તો ઘર વાપસીની ખુશી ઉમા ભારતીના ચહેરા પર દેખાઈ રહી હતી. કંટાળાથી ભરેલા તે કાર્યક્રમમાં ઉમા અને ગડકરી બંનેના ચહેરા દર્શાવી રહ્યાં હતાં કે હજી ઘર વાપસી થઈ છે, દિલ વાપસી નહીં.
મધ્ય પ્રદેશમાં અસલી ખેલ 2013માં થશે જ્યારે વિધાનસભાની ટિકિટ વહેંચવાનો વખત આવશે. શું ત્યારે તેમાં ઉમા ભારતીની કોઈ ભૂમિકા નહીં હોય?
ગત છ વર્ષોમાં ભાજપમાં ઘણો ફેરફાર થઈ ચુક્યો છે. આ સમયગાળામાં જ્યાં ઉમા ભારતી પહેલી-બીજી પંક્તિના નેતાઓને સારું-ખોટું કહેતાં રહ્યાં, ત્યાં ભોપાલથી લઈને દિલ્હી સુધી તેમના રાજકીય વિરોધી વધુ મજબૂત બનીને સ્થાપિત થતા ગયા. જ્યાં શિવરાજ સિંહ ચૌહાન એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે રાજ્ય અને પાર્ટીમાં સ્થાપિત થઈ ચુક્યા છે, ત્યાં કેન્દ્રમાં અટલ-અડવાણી યુગ લગભગ સમાપ્તિની અણિ પર છે. અટલજી ક્યારનો સંન્યાસ લઈ ચુક્યા છે અને અડવાણી પરિવારના એક એવા વડીલ તરીકે છે કે જેમનું સમ્માન બધાં કરે છે, પરંતુ સાંભળતુ કોઈ નથી. પાર્ટીની કમાન પૂર્ણપણે બીજી પંક્તિના નેતાઓના હાથમાં છે. આ એ નેતા છે જેમની સાથે ઉમાને ક્યારેય બન્યું નથી. આ નેતાઓએ મળીને ઉમાની રાજકીય હત્યાની સ્ક્રિપ્ટ પણ લખી હતી. હવે આ સ્થિતિમાં ઉમા રાજ્યથી લઈને કેન્દ્ર સુધી દિલ પર ઝખમ આપનારા આ નેતાઓ સાથે કેવી રીતે તાલમેળ બેસાડશે તે જોવા જેવી વાત હશે. ભાજપના જે નેતાઓની હેસિયત તેમની આસપાસ પણ ન હતી, તેઓ આજે પાર્ટીની ટોપ પોસ્ટ પર છે. ઉદાહરણ તરીકે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન. જે સમયે ચૌહાને રાજકારણનો કક્કો શીખવાની શરૂઆત કરી હતી, તે સમયે ઉમા ભારતી રાજકીય ક્ષિતિજ પર છવાયેલા હતા.
લોકોમાં એ વાતની ચર્ચા છે કે જે સ્થિતિમાં ઉમાની પાર્ટીમાં વાપસી થઈ છે તેનાથી શું ઉમાના વ્યવહાર પર કોઈ અસર પડશે? શું હવે તે પાર્ટીના અનુશાસિત સિપાહી બનીને, પહેલા ઘટેલી વાતો ભૂલીને તેમને જે કહેવામાં આવશે તે કરશે? શું તેઓ પહેલાની જેમ આખાબોલા અને આક્રમક નહીં રહે, કારણ કે પોતાના આ ગુણો અથવા અવગુણોની કિંમત તેમને છ વર્ષ વનવાસ સહન કરીને ચુકવવી પડી હતી. મોટાભાગના જાણકારો માને છે કે આજે ભલે ઉમા ભારતી પર વિભિન્ન શરતો લાદીને તેમની ઘર વાપસી થઈ છે, પરંતુ તેઓ આગામી સમયમાં પોતાના મૂળ સ્વરૂપમાં ફરીથી દેખાશે. તો શું તેમની ઘર વાપસી, શિવરાજ સિંહ ચૌહાન અને ભાજપના કેટલાંક રાષ્ટ્રીય નેતાઓ માટે ખતરાની ઘંટડી છે જેને વાગતી રોકવા માટે આ નેતાઓએ ગત કેટલાંક સમયથી આકાશ-પાતાળ એક કર્યું હતું. તહેલકાના મધ્ય પ્રદેશ બ્યૂરો ચીફ કહે છે કે ભલે ઉમાએ પુનરાગમનને ધ્યાનમાં રાખીને પાર્ટી અને સંઘની તમામ શરતોનો સ્વીકાર કરી લીધો છે પરંતુ તેઓ વધારે દિવસ તેને નિભાવી શકશે નહીં. જે લોકો ઉમાને ઓળખે છે તેઓ એ વાતને પણ સારી રીતે જાણે છે કે તેમને કોઈપણ શરત કે સીમામાં બાંધી શકાય તેમ નથી.
ઉમા અને તેમનું આંગણુ
મધ્ય પ્રદેશના રાજકીય વર્તુળોથી લઈને કોફી હાઉસ અને ચ્હાની દુકાન પર આ સમયે જ ચર્ચા ચાલી રહી છે કે ઉમાના પુનરાગમનથી રાજ્યની રાજનીતિ પર શું અસર થશે. કેટલાંક લોકો શિવરાજ સિંહ પર કટાક્ષ કરીને કહી રહ્યા છે કે અબ તેરા ક્યા હોગા રે કાલિયા. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એન. ડી. શર્મા કહે છે કે ભલે ઉમાને હજી ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ તેમને મધ્ય પ્રદેશ પર અસર નાખતા કોઈ રોકી શકશે નહીં. મોડા વહેલા તેઓ રાજ્યની રાજનીતિ અને અહીંના રાજનેતાઓને જરૂરથી પ્રભાવિત કરશે. તેને વધારે સ્પષ્ટ કરીને શર્મા જણાવે છે કે રાજ્ય ભાજપમાં મોટી સંખ્યામાં એવા ધારાસભ્યો અને કાર્યકર્તા છે જે ઉમા સાથે જોડાણ રાખે છે. પહેલા તેઓ ઉમા ભારતીને મળી શકતા ન હતા કારણ કે તેઓ પાર્ટીમાં ન હતા અને મામલો અનુશાસનનો બની જાત. પરંતુ હવે તેમને રોકી શકાશે નહીં. હવે તેઓ ઉમાને કોઈને કોઈ બહાને મળી શકશે. ઉમાને ઉત્તર પ્રદેશ સુધી સીમિત રાખીને મધ્ય પ્રદેશથી દૂર કરવાની ભાજપની કોશિશ પર શર્મા કહે છે કે હવે પાર્ટીના કોઈ નેતા અથવા કાર્યકર્તા એમ કહે કે તેઓ લખનૌ થઈને બનારસ જઈ રહ્યા છે, ગંગા સ્નાન કરવા તો કોઈ શું કરી લેશે
.
ઉમાની નજીક રહેલા પ્રદેશ ભાજપના એક નેતા જણાવે છે કે તેમના પુનરાગમનની અસર ઝડપથી પાર્ટી અને સરકારના નિર્ણયો પર પણ દેખાવા લાગશે. હવે પાર્ટી અને સરકારથી નારાજ કોઈપણ ભાજપી નેતા અને કાર્યકર્તા પાસે એક નવું ઠેકાણું છે, જ્યાં જઈને તેઓ પોતાનું દુખડું રડી શકશે. શર્મા કહે છે કે શિવરાજ પણ હવે આ પ્રકારે મુક્ત થઈને કામ કરી શકશે નહીં અને ઉમાના ટેકેદારોને સાથે લઈને ચાલવાની કોશિશ કરશે. તેમના પ્રમાણે, અસલી ખેલ તો 2013માં હશે જ્યારે વિધાનસભામાં ટિકિટ વહેંચણીનો વખત આવશે. આ અસલી ખેલ સંદર્ભેના સવાલના જવાબમાં શર્માએ સવાલ કર્યો છે કે શું તમને લાગે છે કે આમા ઉમા ભારતીની કોઈ ભૂમિકા નહીં હોય?
હવે પાર્ટી અને સરકારથી નારાજ કોઈપણ ભાજપી નેતા અને કાર્યકર્તા પાસે તેમના દુખડા રોવાનું એક નવું ઠેકાણું છે.
જો ઉપર-ઉપરથી સમજવામાં આવે તે માની લો કે ટીકમગઢના લોકો ઉમા પાસે જઈને તેમને કોઈ ફરીયાદ કરે છે અથવા મદદ માંગે છે તો શું તેઓ એમ કહેશે કે તેઓ અત્યારે કંઈ કરી શકશે નહીં કારણ કે તેઓ હવે ઉત્તર પ્રદેશ જોઈ રહ્યાં છે. રાજકીય પંડિતોના જણાવ્યા પ્રમાણે, એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઉમાના કદના પ્રદેશ ભાજપમાં કોઈ નેતા નથી. તેમના કદની આગળ આ તમામ ઘણાં ટૂંકા છે. નદીમાં મોટી હોડી ઉતરે તો નાની નાની કશ્તિઓ પર અસર પડવી નક્કી છે. શર્મા કહે છે કે કંઈપણ થઈ જાય પરંતુ ઉમાના મનમાં રાજ્યના નેતાઓ પ્રત્યે કડવાશ છે, તે ઓછી નહીં થાય. હા, બની શકે છે કે તેઓ તેને થોડા સમય માટે છુપાવી લે, પરંતુ તેને ભૂલી શકશે નહીં. તેની અસર આગળ દેખાશે.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ગિરિજાશંકર કહે છે, ઉમાના આવવાથી પ્રદેશ ભાજપ પર કોઈ ખાસ પ્રભાવ પડશે નહીં, કારણ કે ગત છ વર્ષોમાં ઘણો ફેરફાર થઈ ચુક્યો છે. ભારતીય જનશક્તિ પાર્ટીના રાજ્યમાં જે હાલ થયા છે તે જણાવે છે કે તેમણે પોતાની ક્ષમતાઓને ઘણી વધારે આંકી લીધી હતી. પરંતુ ધનંજય સિંહ, ગિરિજાશંકરની વાત સાથે સંમત નથી. ઉમા ભારતીના પુનરાગમનની રાજ્યની રાજનીતિ પર અસર ન પડે તે અસંભવ છે, ભલે તે લખનૌમાં રહીને કામ કરે, પરંતુ શું તેઓ રાજ્યથી બહાર રહી રાજ્યની રાજનીતિને પ્રભાવિત નહીં કરે. ધનંજય સિંહ કહે છે, હાલ શિવરાજ સિંહ ચૌહાન એક મોટા ક્ષત્રપ બની ચુક્યા છે. તેવામાં શું ભાજપમાં કોઈ વૈકલ્પિક કેન્દ્ર બિંદુ શોધી રહેલા નેતા ઉમા ભારતીની આસપાસ એકઠા નહીં થાય. ઉત્તર પ્રદેશમાં જે રાજકીય કોકટેલ તૈયાર થશે, મધ્ય પ્રદેશ તેની અસરથી અછૂત રહી શકશે નહીં. રાજ્યની રાજધાનીમાં ઉમાના પુનરાગમનની સાથે ઢોલ-નગારા તેના સાક્ષી છે.
બીજી તરફ પાર્ટી ઉમાના મામલામાં ફૂંકી-ફૂંકીને ડગ માંડી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે લોધ બહુલ જબેરા બેઠક પર પેટાચૂંટણી થવાની છે, પરંતુ ભાજપે ઉમાને સ્ટાર પ્રચારકોની યાદીમાં જગ્યા આપી નથી. મધ્ય પ્રદેશ પર ઉમાની દૂરગામી અને અવશ્યભાવી અસર પડવાની વાત ધ ટેલિગ્રાફના એસોસિએટ એડિટર રશીદ કિડવઈ કૂટનીતિક ભાષામાં કંઈક આવી રીતે વ્યક્ત કરે છે, ઉમા ટ્રેનથી જ મોટા ભાગે પ્રવાસ કરે છે અને તમે જાણો છો કે દિલ્હીથી ભોપાલ જનારી ટ્રેન ઉત્તર પ્રદેશ થઈને જાય છે. જો આને કંઈક સ્પષ્ટ કરીએ તો કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં મળનારા દરેક પડકારને પાર કરીને ઉમા ત્યાં કંઈક કમાલ કરવામાં સફળ થઈ જાય છે, તો મધ્ય પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે પોતાના વિરોધીઓ માટે તેઓ નવી મુસીબતનો પર્યાય બની જશે. અને જો તેઓ ત્યાં કંઈ ખાસ કરી શકશે નહીં અથવા તેમને કંઈ ખાસ કરવા દેવામાં આવશે નહીં, તો પોતાના ઘરમાં તો બધાંને શરણ જોઈએ જ.
ઉમા અને ઉત્તર પ્રદેશ
ઉમાના પુનરાગમન સમયે પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીએ તેમને ફૂલોનો ગુલદસ્તો આપીને કાંટાવાળો તાજ પણ પહેરાવી દીધો. ગડકરીએ ઘોષણા કરી કે ઉમા ભારતી 2012માં થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. ઉત્તર પ્રદેશમાં પાર્ટી ચોથા ક્રમે છે. ઉત્તર પ્રદેશ જ એ સ્થાન છે, જ્યાં અયોધ્યા આંદોલને બે બેઠકોવાળી પાર્ટીને આગળ જતા સત્તામાં પહોંચાડી દીધી. પાર્ટી આ વખતે પણ કંઈક આ પ્રકારનો કરિશ્માની રાહ જોઈ રહી છે. તાજેતરમાં લખનૌમાં થયેલી પાર્ટી કાર્યસમિતિની બેઠકમાં રાજનીતિની ચાસણીમાં હિંદુત્વના ઘોલને મેળવવાની ઈચ્છા ફરીથી મજબૂત થતી દેખાઈ રહી છે. અને જ્યારે ચૂંટણીની વૈતરણી હિંદુત્વની નાવના સહારે પાર કરવાની ઈચ્છા હોય તો ઉમાથી સારો નાવિક અન્ય કોઈ હોઈ શકે નહીં. જણાવવાની જરૂર નથી કે 90ના દશકના અયોધ્યા આંદોલનની આગ સળગાવવાનું અને તેમાં સતત ઘી નાખવાનું કામ ઉમાએ સારી રીતે કર્યું. આગથી ભલે ઘણું બધું સળગીને રાખ થઈ ગયું, પરંતુ એ આગની જ્વાળાઓથી ઉમાની રાજકીય કેરિયરને ચમક મળી જે આજે પણ કાયમ છે. ઉત્તર પ્રદેશે જ ઉમાના રાજકીય કદને રાતો રાત એટલું ઉંચું કરી દીધું કે તેમના નામની સાથે ફાયરબ્રાંડ જોડાઈ ગયું અને તેઓ સમકાલીન નેતાઓથી વર્ષો આગળ નીકળી ગયા.
આજે ઉમાને આ રાજ્યની જવાદારી સોંપવામાં આવી છે. જો કે 92થી લઈને અત્યાર સુધીમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ચુકી છે. રાજ્યમાં ભાજપ આજે ઘણી ખરાબ સ્થિતિમાં છે. અહીં ભાજપના મોટા નેતા ભૂતકાળમાંથી બહાર આવવા ઈચ્છતા નથી. મુરલી મનોહર જોશીને લાગે છે કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી રહી ચુક્યા છે, તેમનું ઉત્તર પ્રદેશમાં શું કામ. રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રમાં મંત્રી અને ત્યાર બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ખુમારીમાં ડૂબેલા છે. કલરાજ મિશ્ર ઉત્તર પ્રદેશના સફળ અધ્યક્ષોમાંથી એક માનવામાં આવતા હતા, હવે તેનાથી ઉપર ઉઠીને કિંગ મેકર બની ચુક્યા છે. વિનય કટિયાર રામમંદિર આંદોલનના સૌથી તેજ-તર્રાર નેતા હતા. તેમના પર પણ તે જ બજરંગી ભૂતકાળ સવાર છે. આવો જ કંઈક હાલ લાલજી ટંડન, કેશરીનાથ ત્રિપાઠી, ઓમપ્રકાશ સિંહ વગેરે ભૂતપૂર્વ અધ્યક્ષોનો પણ છે. કોઈપણ વર્તમાન પરિસ્થિતિઓ પ્રમાણે પોતાની ભૂમિકા નિભાવવા જ ચાહતુ નથી. બધાં પોતાના જૂના રેકોર્ડને છાતીએ વળગાડીને ચાલી રહ્યાં છે. નવી ભૂમિકામાં આવવા માટે ન તો તેમની પાસે દમ બચ્યો છે અને નતો તેઓ કોઈ જોખમ ઉઠાવવા ચાહે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહ પહેલા જ પાર્ટીમાંથી બહાર છે.
ઉમા ભારતી મહિલા, સાધ્વી અને પછાત વર્ગમાંથી છે, તેના કારણે તેઓ માયાવતીના સોશ્યલ એન્જિનિયરીંગને પડકારવાનું વિચારી શકે છે.
ઉત્તર પ્રદેશની રાજનીતિ પર લાંબા સમયથી નજર રાખનારા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક શરત પ્રધાન કહે છે કે ભાજપ રાજ્યમાં ઘણી દયનીય સ્થિતિમાં છે. ઉપરથી પરસ્પરની જૂથબંધી કોઢમાં ખાજનું કામ કરી રહી છે. પ્રધાન માને છે કે ઉમા ભારતીને રાજ્યની કમાન સોંપવાથી ભાજપને નિશ્ચિતપણે ફાયદો થશે. ઉમા આખા ઉત્તર પ્રદેશમાં કોઈ પરિચયના મોહતાજ નથી. આખા રાજ્યમાં તેમને લોકો જાણે છે. ત્યારે રાજ્યના નેતાઓ એક સીમિત ક્ષેત્રમાં જ પ્રભાવ ધરાવે છે. પ્રધાનના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશમાં ઉમાના આવવાથી રાજ્ય ભાજપને બે મોટા ફાયદા થશે. પહેલો કલ્યાણ સિંહના પાર્ટીમાંથી બહાર થવાને કારણે બુંદેલખંડ અને રુહેલખંડની 20થી 22 બેઠકો પર લોધ વોટોના નુકસાનની સંભાવનાને ઉમા ભારતી ઘણી હદ સુધી ઓછી કરી શકશે. બીજું ઉમાની છબી એક કટ્ટર હિંદુ નેતાની છે, જે આક્રમક છે, મહિલા, સાધ્વી ને પછાત વર્ગમાંથી છે. હિંદુઓને ફરીથી ભાજપ સાથે જોડવામાંતેઓ કામિયાબ થઈ શકે છે. આ સિવાય ભીડ ખેંચવામાં તેમનો કોઈ હરીફ નથી. તેઓ જણાવે છે કે વિનય કટિયારે પણ પોતાની એક કટ્ટર હિંદુની છબી બનાવી છે, પરંતુ સમસ્યા એ છે કે લોકો તેમને ગંભીરતાથી લેતા નથી. આ સિવાય માયાના સોશ્યલ એન્જિનિયરીંગને પડકારવાનું ઉમા વિચારી શકે છે. માયા વિરુદ્ધ ઉમાની લડાઈ રોચક હશે.
પરંતુ આવું થશે તો ત્યારે જ્યારે ઉમા ભારતીને ઉત્તર પ્રદેશમાં ખુલીને કામ કરવાનો મોકો આપવામાં આવશે. પ્રધાન કહે છે, ઉમાની રાહ અહીં પણ મુશ્કેલીઓથી ભરેલી છે. કારણ કે અહીંના નેતા ઉમાની ઉપસ્થિતિથી ખુશ નથી. દબાયેલા અવાજમાં કહે છે કે પાર્ટીએ એક બહારના વ્યક્તિને અહીં નેતા બનાવીને મોકલી દીધી. અમે લોકો આટલા વર્ષોથી શું ઘાસ કાપી રહ્યા છીએ. ઉમાના બેહદ નજીકના એક સજ્જન જણાવે છે કે પ્રેસ કોન્ફરન્સમાં મૌખિક ઘોષણા સિવાય પાર્ટીએ ઉમાજી માટે હજી કોઈ જવાબદારી સ્પષ્ટ કરી નથી. જો પાર્ટીની આવી જ મનસા છે તો તેમણે પાર્ટીના બંધારણ પ્રમાણે લેખિત ઘોષણા કરવી જોઈએ, કોઈ સમિતિના સભ્ય બનાવીને અથવા પછી પ્રદેશ પ્રભારી ઘોષિત કરીને. અહીં તો તમામ વાતો હવામાં થઈ રહી છે. આ ખીજ ઈશારો છે કે ગડકરી અને સંઘને જેટલું જોર ઉમાને પાર્ટીમાં લાવવા માટે લગાડવું પડયું છે તેનાથી ઘણું વધારે જોર પાર્ટીમાં આગળ વધારવા લગાડવું પડશે.
ઉમા અને રાષ્ટ્રીય રાજનીતિ
જ્યારે ઉમા છ વર્ષ પહેલા પાર્ટીમાં હતી, ત્યારની ભાજપ અને છ વર્ષ બાદની ભાજપમાં ઘણો ફેરફાર થઈ ચુક્યો છે. જ્યારે તેઓ પાર્ટી છોડીને ગયા હતા, ત્યારે પાર્ટી અટલ-અડવાણી યુગમાં હતી, હવે સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીનો યુગ ચાલી રહ્યો છે. પાર્ટીને દશા અને દિશા આપવાની જવાબદારી બીજી પંક્તિના નેતાઓના હાથમાં આવી ગઈ છે, જેમની સાથે ઉમાને ક્યારેય બન્યું નથી અને તેઓ તેમની વિરુદ્ધ સતત બોલતા રહ્યાં છે. એન. ડી. શર્મા કહે છે કે કેન્દ્રની રાજનીતિ કરી રહેલા આ બીજી પંક્તિના નેતાઓને ઉમાના કદ અને ક્ષમતાઓનો સારી રીતે અહેસાસ છે. તેમાંથી મોટાભાગના ઉમાની આગળ ક્યાંય ઉભા રી શકે તેમ નથી. તેથી જ તો તેમણે ઉમાની વાપસીના માર્ગમાં રોડા નાખી રાખ્યા હતા, પાર્ટીમાં કોઈ મોટો નેતા એવો નથી જે ઉમાની વાપસીના પક્ષમાં હતો. તમામની વચ્ચે એક આમ રાય બની ચુકી હતી કે તેમને પાર્ટીમાં પાછા આવવા દેવા નથી, કારણ કે ઉમા પાર્ટીમાં પાછા ફરશે તો આ બધાં પર ભારે પડશે.
આજે નહીં તો કાલે ઉમા ભારતીએ બીજી પંક્તિના નેતાઓ સાથે સંઘર્ષ કરવો પડશે. કારણ કે તેમની પાસે પોતાનું કદ અને ઈતિહાસ છે.
ધનંજય સિંહે કહ્યું છે કે અટલ-અડવાણી બાદ કોઈ અન્ય નેતા જે તેમના કદની આસપાસ પણ દેખાતા હતા, તો તે હતા ઉમા ભારતી. બીજી પંક્તિના નેતાઓમાં તે સૌથી આગળ હતા. અટલ-અડવાણી બાદ ઉમા જ ભાજપના એકમાત્ર નેતા હતા જેમને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક શખ્સ ઓળખતો હતો. માટે એ સ્વાભાવિક હતું કે અટલ-અડવાણી યુગ બાદ ઉમાના હાથમાં પાર્ટીની કમાન હોત. આ વાતનો પાર્ટીના દરેક નેતાને આભાસ હતો, માટે તો તેમની વાપસી ન થાય તેના માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં હતા. આજે ભલે શિવરાજથી લઈને રમનસિંહ સુધીના ઘણાં નેતાઓ ઉભરી આવ્યા હોય, પરંતુ આ લોકો ગત પાંચથી દસ વર્ષનું પરિણામ છે. અને ઉમા 90થી રાજનીતિમાં એક મજબૂત સ્તંભ બની ચુક્યા હતા. શર્મા કહે છે કે જો આપણે ભાજપની બે મહિલા નેતાઓ અર્થાત સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીની સરખામણી કરીએ તો માલૂમ પડશે કે ઉમાના મુકાબલે સુષ્મા ક્યાંય ઉભા રહી શકે તેમ નથી. તેમની સ્થિતિ એ છે કે તેઓ પોતાના દમ પર વિદિશાની પોતાની લોકસભાની બેઠક પણ જીતી શકે તેમ નથી. આજે પણ અટલ-અડવાણી બાદ ભાજપમાં ઉમાના કદને ટક્કર આપનાર કોઈ નથી. જો કે નરેન્દ્ર મોદી જેવા નેતા પણ ગત દસ વર્ષમાં ઘણાં શક્તિશાળી થઈને ઉભર્યા છે. શર્મા કહે છે કે આજે નહીં તો કાલે ઉમાનો બીજી પંક્તિના નેતાઓ સાથે સંઘર્ષ થઈને રહેશે. કારણ કે તેમનું પોતાનું એક કદ અને ઈતિહાસ છે. ભવિષ્યમાં પાર્ટીના નેતાઓમાં પાર્ટી પર વર્ચસ્વ માટે યુદ્ધ છેડાવાની પ્રબળ સંભાવના છે. હજી તો પાર્ટીએ ઉમાને ઉત્તર પ્રદેશમાં મોકલ્યા છે, પરંતુ ઉત્તર પ્રદેશની ચૂંટણીની સમાપ્તિ બાદ શું.
જાણકાર ઉમા ભારતી વિરુદ્ધ વધુ એક ષડયંત્ર રચાવા તરફ ઈશારો કરે છે. તેમના માનવા પ્રમાણે, જો કે એ સ્પષ્ટ છે કે ઉમાની ભાજપમાં વાપસી સંઘના દબાણમાં થઈ છે અને કોઈ નેતા તેમની વાપસીના પક્ષમાં ન હતા, તો સ્પષ્ટ છે કે આ બધાં નેતા ચાહશે નહીં કે ઉમા ભારતી મજબૂત બને. માટે તેઓ રાજકીય રીતે તેમને ક્યારેય સફળ થવા દેશે નહીં અને સતત કમજોર કરવાની કોશિશ કરતાં રહેશે.
આવી સ્થિતિમાં ઉમાની રાહ ઘણી મુશ્કેલી ભરેલી છે. બીજી તરફ કેટલાંક જાણકારો એમ પણ માને છે કે નીતિન ગડકરી પણ ઉમાની જેમ સંઘ દ્વારા અધ્યક્ષની ખુરશી પર બેસાડવામાં આવ્યા છે અને પાર્ટીમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે તેમને પણ ઉમા ભારતી જેવા સહારાની જરૂરત છે. ઉમા પણ સ્વચ્છ છબીને કારણે તેમને પસંદ કરે છે. તો આવી સ્થિતિમાં ગડકરી, તેના સમર્થક અને વર્તમાનમાં હાશિયા તરફ જઈ રહેલા કેટલાંક નેતા ફરી એકવાર ભાજપમાં સ્થાપિત થવામાં ઉમાના ઘણાં કામમાં આવી શકે છે.
Subscribe to:
Comments (Atom)