Sunday, 17 July 2011

2000 હજાર કરોડની મિલ્કતો મુસ્લિમોને સોંપવાની સરકારી તૈયારી

મનમોહન શર્મા

દિલ્હી નગરપાલિકા અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી વર્ષે થનારી ચૂંટણીમાં મુસ્લિમોના વોટ મેળવવા માટે દેશની સેક્યુલર સરકારે લાગે છે કે કટ્ટરવાદી મૌલાનાઓની માગણી સામે સંપૂર્ણપણે ઘૂંટણિયા ટેકવી દીધા છે. દેશના ખૂણે-ખૂણે આવેલી પ્રાચીન મસ્જિદોને ભારતીય પુરાતત્વ વિભાગ પાસેથી લઈને મુસ્લિમ સંગઠનોને હવાલે કરવાની તૈયારી છે. આ મસ્જિદો અને મદરસાઓની જમીનની કિંમત અંદાજે 2000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાનને મળીને આ મિલ્કતો મુસ્લિમોને સોંપવાની માગણી કર્યા બાદ જમિયત ઉલેમાના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જે જાણકારી આપી તેનાથી સંકેતો સ્પષ્ટ છે કે સરકાર આમ કરવા જઈ રહી છે.

ભારતીય પુરાતત્વ વિભાગના દિલ્હી ક્ષેત્રના અધિક્ષક કે. કે. મોહમ્મદના જણાવ્યા પ્રમાણે, પ્રાચીન સ્મારક અને પુરાતન સ્થલ અધિનિયમ હેઠળ જે પ્રાચીન ધાર્મિક/મજહબી સ્મારક વિભાગના નિયંત્રણમાં છે, તેમા પૂજા અથવા નમાજ અદા કરવાની મંજૂરી કોઈને આપી શકાય નહીં. તેમણે એ વાત પર ઉંડો ખેદ પ્રગટ કર્યો કે દેશની રાજધાની દિલ્હીમાં 27 પ્રાચીન મસ્જિદો એવી છે જેના પર લોકોએ બળજબરીથી કબજો કરી રાખ્યો છે. આ અતિક્રમણ વિરુદ્ધ વારંવાર પોલીસમાં પુરાતત્વ વિભાગના અધિકારીઓએ ફરીયાદ નોંધાવી હતી. પરંતુ રાજકીય દબાણના કારણે પોલીસે આ સ્મારકો પર ગેરકાયદેસર કબજો કરનારા વિરુદ્ધ આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. દિલ્હીની શીલા દિક્ષિત સરકાર પણ મસ્જિદોના મામલાને ઉછાળીને ચૂંટણીઓમાં મુસ્લિમ મતોને કોંગ્રેસની જોળીમાં નખાવવા માટે સુનિયોજીત યોજના હેઠળ કામ કરી રહી છે.

દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ પર જંગપુરામાં ડીડીએની જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી નૂર મસ્જિદ જ્યારે પાડવામાં આવી તો તેની વિરુદ્ધ રાજકીય મતભેદોને ભુલાવીને તમામ મસ્લિમ નેતાઓ એક થઈ ગયા. આ નેતાઓએ ખાલી કરાવેલી સરકારી જમીનની ચારે બાજુ બનાવાયેલી દીવાલ તોડી નાખી અને જામા મસ્જિદના ઈમામ અહમદ બુખારી, મતીન અહમદ, શોએબ ઈકબાલ અને આસિફ ખાનની આગેવાનીમાં હજારો મુસ્લિમોને રાજધાનીના એકત્રિત કરીને, બળજબરીથી આ જમીન પર કબજો કરીને નમાજ અદા કરવાનો સિલસિલો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો. સ્થાનિક રેસિડેન્ટ વેલફેર એસોસિએશને આ મામલામાં દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. આ મામલો હજી કોર્ટમાં વિચારાધીન છે.

દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિતે એક મુસ્લિમ પ્રતિનિધિ મંડળને એમ કહીને આશ્વાસન આપ્યું કે સરકાર મસ્જિદને તેની જૂની જગ્યા પર કોઈપણ ભોગે ફરીથી બનાવડાવશે. કહેવામાં આવે છે કે ડીડીએએ નૂર મસ્જિદ પ્રબંધન સમિતિને એવો પ્રસ્તાવ કર્યો છે કે તે 400 મીટર જમીન પર મસ્જિદનું પુનર્નિમાણ કરવા દેવા માટે તૈયાર છે. પરંતુ તેના માટે મસ્જિદ પ્રબંધન સમિતિએ 45 લાખ રૂપિયાની રકમ ડીડીએમાં જમા કરવાની રહેશે. પ્રબંધન સમિતિ મસ્જિદ માટે જમીન તો મેળવવા માંગે છે, પરંતુ તેના માટે એકપણ પૈસાની અદાયગી કરવા માટે તૈયાર નથી. મુસ્લિમ નેતાઓના દબાણ પર શ્રીમતી દિક્ષિતે એ ઘોષણા કરી છે કે આ મસ્જિદ માટે જમીન દિલ્હી સરકાર ખરીદીને આપશે. સવાલ એ પેદા થાય છે કે બિનસાંપ્રદાયિકતાનું મ્હોરું ઓઢનારી દિલ્હી સરકારે શું આજ સુધી કોઈ મંદિર અથવા ગુરુદ્વારા બનાવવા માટે સરકારી ખજાનામાંથી રકમ આપી છે? જો ન આપી હોય, તો લઘુમતીઓના એક વર્ગ પર વિશેષ દયા શા માટે?

આ પ્રકારે મહરૌલીની જમાલી-કમાલી મસ્જિદની બહાર કેટલાંક તત્વોએ સરકારી જમીન પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા ચાહી તો દિલ્હીના કોંગ્રેસી નેતાઓના દબાણને કારણે આ મામલો ઘોંચમાં નાખી દેવાયો. સરકારી જમીન પર આજે પણ આ લોકોનો ગેરકાયદેસર કબજો છે. આ કહાણી કાલકાજીની અલકનંદા કોલોનીની પણ છે. ત્યાં પણ સરકારી જમીન પર કબજો કરીને મદની મસ્જિદ નામની બહુમાળી ઈમારત બનાવી દેવાઈ છે. સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો, પણ તેમનું કંઈ ચાલ્યું નહીં. જૂની દિલ્હીમાં પણ અંસારી રોડ અને બજાર સીતારામમાં પાર્કોની જમીન પર ગેરકાયદેસર કબજો કરીને ત્યાં નિર્માણ કાર્ય કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આને દિલ્હીની જામા મસ્જિદના ઈમામ અહમદ બુખારી પ્રોત્સાહન પુરું પાડી રહ્યાં છે. કુદસિયા બાગમાં આવેલી ત્રણસો વર્ષ જૂની એક ઈમારત પર પણ મેવાતના રહેવાસી એક મૌલવીએ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. રાજકીય દબાણને કારણે પુરાતત્વ વિભાગ સરકારી ઈમારતો અને જમીન પર કબજો કરનારા તત્વો વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં લાચાર છે. બીજી તરફ રોહિણીના સેક્ટર 16માં ડીડીએની જમીન મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ સંસ્થાને આપી દેવામાં આવી. આ નિયમની વિરુદ્ધ હતું.

લાલ કિલ્લાની સામે આવેલા એડવર્ડ પાર્ક, જેને હવે સુભાષ પાર્ક કહેવામાં આવે છે, તેના પર પણ કબજોકરવા માટે કોંગ્રેસી મુસ્લિમોના એક મોટા વર્ગમાં હોડ લાગેલી છે. કોંગ્રેસી ધારાસભ્ય મતીન અહમદનો દાવો છે કે આ બધી જમીન જૂની અકબરી મસ્જિદની છે, જેને 1857માં અંગ્રેજોએ ધ્વસ્ત કરી દીધી હતી. દિલ્હીની શીલી દિક્ષિત આ અબજો રૂપિયાની જમીનને પણ મુસ્લિમોને સોંપવાની તૈયારીમાં છે. કહેવામાં આવે છે કે તેમણે જામા મસ્જિદના ઈમામ બુખારી, ધારાસભ્ય શોએબ ઈકબાલ, રાહત ચૌધરી વગેરેને એ સૂચન પણ કર્યું છે કે તેઓ આ સંદર્ભે સોનિયા ગાંધીના દરબારમાં વિનંતી કરે. ત્યાંથી સંકેતો મળ્યા બાદ આખો એડવર્ડ પાર્ક તેમના હવાલે કરી દેવામાં આવશે.

સંસદમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, દેશમાં 385 પ્રાચીન ઉપાસના સ્થાનો એવા છે જે પુરાતત્વ વિભાગના સંરક્ષણમાં છે. તેમાં પૂજા અથવા ઉપાસના કરવાની મંજૂરી નથી. અબજો રૂપિયાની જમીન વોટબેંકને પાક્કી કરવા માટે સરકાર મુસ્લિમ સંગઠનોમાં વહેંચી ચુકી છે. તેની શરૂઆત 1960માં થઈ હતી. જ્યારે બહાદૂરશાહ જફર માર્ગ પર પાંચસો વર્ષ જૂની અબ્દુલ ગની મદરસા, જેનું ક્ષેત્રફળ 11 એકર છે, તેને મુસ્લિમ સંગઠન જમિયતે ઉલેમાને હવાલે કરી દેવાઈ હતી. હાલ આ ઈમારતમાં જમિયતે ઉલેમાનું મુખ્ય કાર્યાલય છે. આ જમીનની કિંમત પાંચસો કરોડ રૂપિયાથી પણ વધારે આંકવામાં આવે છે.

વી.પી.સિંહ સરકારે મુસ્લિમ વોટબેંકમાં ગાબડું પાડવા માટે દિલ્હીના 21 ઐતિહાસિક સ્મારકો પર લઘુમતીઓની ભીડને નમાજ અદા કરવાની આડમાં ગેરકાયદેસર કબજો કરવાની ઉઘાડી છૂટ આપી દીધી હતી. બાદમાં જ્યારે એચ. ડી. દેવગૌડાની સરકાર સત્તામાં આવી તો તેના મંત્રી સી. એમ. ઈબ્રાહીમે મુસ્લિમોને સંરક્ષિત ઐતિહાસિક ઈમારતો પર કબજો કરવા માટે ઉશ્કેરવાના શરૂ કર્યા. દિલ્હીમાં જે ઐતિહાસિક અને પ્રાચીન સ્મારકો પર નમાજીઓએ બળજબરીથી કબજો કર્યો છે, તેમાં કેટલાંક મુખ્ય સ્મારકો છે- મસ્જિદ ખૈરુલ ઈસ્લામ, કોટલા ફિરોજ શાહ મસ્જિદ, અરબદ સરાય, મકબરા સફદરજંગ વગેરે. હાલ જોરબાગ ખાતે દરગાહ શાહ મરદાનની કનાતી મસ્જિદ પર પણ બળજબરીથી કબજો કરવાનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે. જ્યારે નવી દિલ્હી નગરપાલિકા અને પોલીસે આ કબજો રોકવાનો પ્રયત્ન કર્યો તો સોનિયા દરબારમાંથી ફરમાન આવ્યું કે આ મામલામાં હસ્તક્ષેપ કરવામાં ન આવે. આ કેવી લોકશાહી અને કેવો સેક્યુલરવાદ છે, જેમાં વોટોના લોભને કારણે સરકારી જમીન અને ઐતિહાસિક સ્મારકો પર ગેરકાયદેસર કબજો કરનારાઓની પીઠ થપથપાવામાં આવે છે? હવે કેન્દ્ર સરકાર 200થી વધારે ઐતિહાસિક સ્મારકોને તમામ નિયમો અને કાયદાઓને તાક પર રાખીને લઘુમતીઓને સોંપવા જઈ રહી છે.
(સાભાર- પાંચજન્ય)

No comments:

Post a Comment