Sunday, 24 July 2011

ભારતીય હિતો સાથે રમત



સ્વપ્ન દાસગુપ્તા

એક ભારતીય અખબારના પત્રકાર તરીકે 90ના દશકના મધ્યમાં મે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં જમ્મુ-કાશ્મીર પર આયોજીત એક વાતચીતમાં ભાગ લીધો હતો. આ બેઠક કોઈ ખાસ મહત્વપૂર્ણ ન હતી અને તેમાં ભાગ લેવાનું એકમાત્ર કારણ એ હતું કે દૂતાવાસના એક ભારતીય અધિકારીએ મારા પર તેમાં સામેલ થવાનું દબાણ કર્યું હતું. તે દિવસોમાં કાશ્મીર ઉકળી રહ્યું હતું અને પશ્ચિમી સરકારોની અલગતાવાદીઓ પ્રત્યે મૂક સંવેદના હતી. બેઠક બિલકુલ ફીકી રહેત જો ત્યાં દશ તથાકથિત કાશ્મીરી કાર્યકર્તા સૂત્રોચ્ચાર ન કરત. મજબૂર થઈને સુરક્ષાકર્મીઓએ હસ્તક્ષેપ કરવો પડયો અને આખો હોલ ખાલી કરાવવો પડયો. સ્પષ્ટ છે કે આ બધાંથી ભારતીય અધિકારી ગુસ્સે ભરાયા હતા, પરંતુ તેઓ અસહાય હતા. માત્ર દશ પ્રતિબદ્ધ નવયુવાનોએ પાકિસ્તાનને એક નાનકડી જીત અપાવી દીધી હતી.
ગત વર્ષ મારા હ્રદયમાં આ ઘટનાની યાદો તાજી થઈ ગઈ, જ્યારે લંડન પ્રવાસ દરમિયાન મે પચાસ તોફાની દેખાવકારોને ભારતીય ઉચ્ચાયુક્ત સામે ધરણા પર બેઠેલા જોયા. બાદમાં મે ભારતીય દૂતાવાસના એક અધિકારીને પુછયું કે દેખાવકારો શેના માટે ગડબડ ફેલાવી રહ્યાં હતા? નિશ્ચિતપણે ભારત-પાકિસ્તાન કૂટનીતિ હવે લંડનમાં સૂત્રોચ્ચારની બેહૂદગીથી ઘણી આગળ નીકળી ચુકી છે. દૂતાવાસના અધિકારીએ જવાબ આપ્યો કે આ મૂર્ખતાપૂર્ણ તમાશો છે. પાકિસ્તાન પોતાના સ્થાનિક ટેકેદારોને કુશ કરવા માટે અવાર-નવાર આવા પ્રદર્શન કરતું રહે છે. બસમાં ભરીને કેટલાંક દેખાવકારોને અહીં લાવવામાં આવે છે, જે કેટલાંક કલાક સુધી સૂત્રોચ્ચાર કરે છે. ત્યાર બાદ અહીંથી દૂર ઉભેલા પાકિસ્તાની એજન્ટો તેમને કેટલાંક પાઉન્ડ અને સિગરેટ આપે છે અને તેઓ ચાલ્યા જાય છે. આ પાકિસ્તાનની નિરર્થક કવાયત છે. 

મને લાગે છે કે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના નિદેશક ગુલામ નબી ફઈ પણ વોશિંગ્ટન ડીસીમાં આવી જ કવાયતનો હિસ્સો હતો. તે હવે યુએસ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈના ઉલ્લંઘનના કારણે એફબીઆઈના શિકંજામાં છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો દાવો છે કે ફઈના સંગઠનને 90ના દશકના મધ્યથી પાકિસ્તાની સરકાર પાસેથી લગભગ 40 લાખ ડોલરની મદદ મળી ચુકી છે. તેના સંગઠનની લંડન અને બ્રુસેલ્સમાં પણ શાખાઓ છે. એ પણ આરોપ છે કે ફઈ ગત 20 વર્ષોથી ઈસ્લામાબાદના નિર્દેશાનુસાર કામ કરી રહ્યો છે અને જૂન-2008થી પાકિસ્તાની ગુપ્તચર વિભાગના લોકો સાથે ચાર હજાર વખત વાત કરી ચુક્યો છે. આરોપોથી સંકેત મળે છે કે ફઈ કુખ્યાત આઈએસઆઈના ખુલ્લા મંચ તરીકે કામ કરી રહ્યો હતો. 

ફઈની પ્રવૃતિઓ લંડનમાં એક સિગરેટ પેકેટ માટે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા નવયુવાનોથી વધારે કુટિલ હતી. તે સંમેલન અને સેમિનારનું આયોજન કરતો હતો અને કાશ્મીર પર અમેરિકી નીતિને પ્રભાવિત કરવા માટે કાયદા ઘડનારાઓ માટે લોબિંગ કરતો હતો. જો તમે તેની નિષ્ઠા પાકિસ્તાન સાથે જોડાયેલી મેળવો છો તો તેની પ્રવૃતિ કાયદાની મર્યાદામાં કહી શકાય છે, પરંતુ પાકિસ્તાનના હિતોના પ્રોત્સાહનના અંગ તરીકે ફઈ મોટા જતનથી ભારતથી આવા ભારતીયોને લોભાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે વોશિંગ્ટનમાં દરેક વર્ષ સંમેલન આયોજીત કરતો હતો અને તેમાં પસંદગીના ભારતીયોને બોલાવીને તેમની ખૂબ આગતા-સ્વાગતા કરતો હતો. તેમને આવવા જવા માટે બિઝનેસ ક્લાસની ટિકિટ પણ મોકલતો હતો. સ્વાભાવિક છે, તેની દિલચસ્પી એવા ભારતીયોમાં હતી, જેમનો ઝુકાવ પાકિસ્તાની હિતો તરફ રહે છે. તેની દિલચસ્પી ખાસ પ્રકારના ભારતીયોમાં હતી. એવા ભારતીયો જે ભારતીય સત્તાના આલોચક હોય સાથેસાથે બૃહત્તર ભારતીય પ્રતિષ્ઠાનોમાં જાણીતી વ્યક્તિ હોય. તથાકથિત માનવાધિકાર કાર્યકર્તા અને સ્વતંત્ર પત્રકાર અથવા સ્તંભકારની પ્રાથમિકતા ફઈની યાદીમાં શીર્ષસ્થ હતી. એ જણાવવાની જરૂરત નથી કે જે ભારતીય કાશ્મીર પર આધિકારીક નીતિથી અસંમતિ દર્શાવતા હતા, તે ઈસ્લામાબાદને ખુશ કરવા માટે તેમ કરતાં હતા.

મુદ્દો એ નથી કે એક ભૂતપૂર્વ ન્યાયાધીશ અથવા પછી એક મોટા સમૂહના સંપાદક એટલા માટે વિરોધી વિચાર રાખે છે, કારણ કે લોકતાંત્રિક ભારત તેમને આવું કરવાનો અધિકાર આપે છે. મુદ્દો એ છે કે શું તેમને એ અહેસાસ નથી કે એક ત્રીજા દેશમાં ફઈ તેમના વિચારોનો પાકિસ્તાનના હિતોને પ્રોત્સાહન આપવામાં દુરુપયોગ કરી શકતો હતો. પુરાવાથી માલૂમ પડે છે કે જે ભારતીય ફઈ દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમેરિકા ગયો હતો, તે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના એજન્ડાથી સારી રીતે પરિચિત હતા. પર્યટનની લાલચ તેમના માથા પર એટલી હદે ચઢીને બોલી રહી હતી કે તેઓ એક શત્રુ રાષ્ટ્રના હિતોની પૂર્તિ માટે પણ તૈયાર થઈ ગયા. આપણને આ સંદર્ભે કોઈ ગલતફેમી ન હોવી જોઈએ કે પાકિસ્તાન એક શત્રુ દેશ છે, જેની સાથે ભારત અઘોષિત યુદ્ધ લડી રહ્યું છે. આગતા-સ્વાગતા અને આઈએસઆઈ પ્રાયોજીત ખાતિરદારીમાં અંતર છે. જે લોકો આ અંતરને સ્વીકારતા નથી, તેમને જાહેર જીવનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. 

ફઈની કેટલાંક ભારતીયો સાથે નિકટતાએ પાકિસ્તાનના ભારતને એક હજાર જખ્મો આપવાના યુદ્ધમાં ભારતને કૂટનીતિક રીતે શર્મિંદા જ નથી કર્યું, પરંતુ તેણે આ ટકરાવને વધારવામાં યોગદાન આપ્યું જેનાથી નિર્દોષ લોકોના જીવ ગયા. ફઈને ભારતીયોના અપરાધોને ખોટો નિર્ણય માનીને માફ કરી દેવા બેહદ વિનમ્ર વલણ હશે. ભારતીયો માટે ન રમવું અપરાધ નથી, પરંતુ પાકિસ્તાન માટે રમવું વિશ્વાસઘાત છે.

(સૌજન્ય- દૈનિક જાગરણ)

No comments:

Post a Comment