Wednesday, 24 August 2011

પરિવર્તનના બિંદુઓ



હરિવંશ

વ્યવસ્થા પરિવર્તનની પહેલી સીડી છે, ચૂંટણી પદ્ધતિ-પ્રક્રિયામાં સુધારા. ચૂંટણીમાં સુધારાનો ક્યો રસ્તો અપનાવામાં આવે? લગભગ તમામ સાંસદ (કેટલાંક અપવાદોને બાદ કરતાં) અથવા ધારાસભ્ચ સોગંદનામામાં ખર્ચનું વિવરણ આપે છે, શું તે સાચું છે? આખો દેશ-સમાજ જાણે છે કે આ જૂઠ્ઠું છે.
ચૂંટણી માટે નક્કી ખર્ચની મર્યાદા પણ આજની મોંઘવારીમાં વ્યાજબી નથી. ખોટું બોલીને લોકતંત્રના મંદિરમાં પ્રવેશ કરનારા કેવી રીતે સાત્વિક અને સૈદ્ધાંતિક લોકશાહીના પક્ષધર બનશે? ચૂંટણી જીતવા માટે મોટી મૂડી જોઈએ. કાળું ધન જોઈએ.

ભારતના માનસમાં બેચેની છે. આ બેચેનીનું પ્રતિબિંબ છે, અન્ના હજારે. હજારો વર્ષની ગુલામી, આ દેશ અને સમાજે જોઈ છે. માટે ડૉ. રામમનોહર લોહિયા કહેતા હતા કે તે જીદ જે પરિવર્તન, બદલાવ અથવા ક્રાંતિ માટે જરૂરી છે, તે ભારતમાં નથી. પરંતુ 1857ના બળવા અને સ્વતંત્રતાની લડાઈએ સ્વાભિમાન સાથે જીવવાની પ્રેરણા આપી. લોહિયા અને જયપ્રકાશ નારાયણના આંદોલનોને સમાજને હલબલાવ્યો. 1974 અને 1989માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલા આંદોલને પરિવર્તનની ભૂખ જગાડી, પરંતુ પરિવર્તન થયું નહીં. જો કે બંને વખત સત્તા બદલાઈ. હકીકતમાં વ્યવસ્થા પરિવર્તન વગર હકીકતમાં વ્યવસ્થા પરિવર્તન વગર ભારત બદલાવાનું નથી.

અન્નાના આંદોલનથી ભારત જાગી રહ્યું છે. તેની બેચેની સાર્વજનિક થઈ રહી છે, સડકો પર દેખાઈ રહી છે. પરંતુ માત્ર બેચેનીના પ્રદર્શનથી દેશ બદલાવાનો નથી. જયપ્રકાશ નારાયણે 1974માં જ કહ્યું હતું કે સત્તા પરિવર્તન તો એક પડાવ છે. અસલી હેતુ છે, સંપૂર્ણ ક્રાંતિ. સંપૂર્ણ ક્રાંતિ એટલે વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન. એટલે કે ચૂંટણી પદ્ધતિમાં પરિવર્તન, રાજકીય પક્ષોના કામકાજમાં પરિવર્તન, રાજકારણમાં સિદ્ધાંત અને મુદ્દાઓનો પ્રવેશ, લોકસભા અને વિધાનસભાઓને સાર્થક બનાવવી. આ પ્રકારે જીવન અને વિચારમાં પરિવર્તન. જો આ ક્ષેત્રોમાં પરિવર્તનના પગલાં ઉઠાવવામાં નહીં આવે, તો દેશમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. 1974ના અસલ આંદોલનકારી અને 1989માં વ્યવસ્થા પરિવર્તનની લડાઈ લડનારા નિરાશ થયા, કારણ કે ભ્રષ્ટાચાર વધતો જ ગયો. એવું એટલા માટે થયું, કારણ કે વ્યવસ્થા બદલાઈ નહીં. 

વ્યવસ્થા બદલવાની પહેલી સીડી છે, ચૂંટણી પદ્ધતિ-પ્રક્રિયામાં સુધારા. ચૂંટણીમાં સુધારાનો ક્યો રસ્તો અપનાવવામાં આવે? કેટલાંક અપવાદોને બાદ કરતાં લગભગ તમામ સાંસદો અથવા ધારાસભ્યો સોગંદનામામાં ખર્ચનું વિવરણ આપે છે, શું તે સાચું છે? આખો દેશ-સમાજ જાણે છે કે તે જૂઠ્ઠું છે. ચૂંટણી માટે નક્કી કરાયેલી ખર્ચની મર્યાદા પણ આજની મોંઘવારીમાં વ્યાજબી નથી. ખોટું બોલીને લોકશાહીના મંદિરમાં પ્રવેશ કરનારા કેવી રીતે સાત્વિક અને સૈદ્ધાંતિક લોકશાહીના પક્ષધર બનશે? ચૂંટણી જીતવા માટે મોટી મૂડી જોઈએ. કાળું ધન જોઈએ. આ પ્રકારે સાંસદ, ધારાસભ્ય અથવા સંસદ-ધારાસભાની રચનામાં સાત્વિક અને પવિત્ર મૂડી કેટલી લાગે છે? હવે કાળાધનના ગર્ભમાંથી નીકળતા સાંસદ-ધારાસભ્યો સફેદ (ઈમાનદાર) મૂડીના ઉપાસક કેવી રીતે બનશે?

તેવી જ રીતે રાજકીય દળોમાં પરિવર્તન વગર ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થશે? આજે પક્ષોની અંદર લોકતંત્ર ક્યાં છે? શું પક્ષોના વાર્ષિક અધિવેશ થાય છે? આ અધિવેશનોમાં શું પક્ષોના પ્રતિનિધિઓ પાર્ટીના પદાધિકારીઓની ચૂંટણી કરે છે? પક્ષના વાર્ષિક અધિવેશનોમાં દેશની ઘરેલુ અને વિદેશી નીતિ પર વાત થાય છે? આ તમામ પ્રક્રિયા ઓછા વત્તા પ્રમાણમાં ખતમ થઈ ચુકી છે. કેટલાંક અપવાદો છે. પક્ષોમાં હાઈકમાન્ડ છે. પક્ષ પારીવારીક સંપત્તિ બની ગયા છે. એક જ પરિવારના લાકોના ખિસ્સામાં છે, પક્ષ.

મોટા નેતાઓની ગણેશ પરિક્રમા કરીને લોકો મોટા પદો પર પહોંચે છે. ટિકિટ મેળવે છે. પોતાની પ્રતિભા, સિદ્ધાંત, કૌશલ અને વિચારના કારણે કોઈ પાર્ટીના કોઈ સાધારણ કાર્યકર્તા હવે શીર્ષસ્થ ં આ પદો પર પહોંચવાનું સપનું પણ જોઈ શકતા નથી. પક્ષો હવે પ્રતિભાઓથી નહીં, દલાલોથી ચાલે છે. પ્રતિભા, સ્વાભિમાન, ચરિત્ર અને પ્રતિબદ્ધતાની રાજનીતિમાં જગ્યા નથી. પક્ષોની અંદર ટિકિટ ખરીદવામાં અને વેચવામાં આવે છે. એક ઈમાનદાર કાર્યકર્તા આસાનીથી પોતાનું ભવિષ્ય સારું કરી શકતો નથી. તેને ડગલેને પગલે સમજૂતીઓ કરી પડે છે. સ્વાભિમાનનો સોદો કરીને તે આગળ વધે છે. શું આવા લોકો સારા જનપ્રતિનિધિઓ થઈ શકે છે? આનું પરિણામ ક્યાં દેખાય છે? સંસદ અને ધારાસભામાં.

આજે સંસદ, ખાસ કરીને લોકસભામાં, મહત્વપૂર્ણ ચર્ચા પર ઉપસ્થિતિ જોવો. પછી ચર્ચાઓમાં ભાગીદારીનું આકલન કરો. વક્તાના ભાષણની ગુણવત્તાને પરખો. એટલે કે ભાષણની સમીક્ષા કરો. મોંઘવારી, ભ્રષ્ટાચાર, વિદેશ નીતિ અથવા પછી અન્નાના સવાલ પર જ્યારે સંસદમાં પૂરી હાજરી હોવી જોઈએ, ત્યારે કેટલાં લોકો દેખાય છે? આ પ્રકારે રાજ્યની ધારાસભાઓનો શો હાલ છે? અનર્ગલ પ્રલાપ. બૂમાબૂમ. અભદ્ર પ્રદર્શન. આરોપ-પ્રત્યારોપ. આ સ્તર છે, ધારાસભાઓનું? શું આને શ્રેષ્ઠ બનાવ્યા વગર લોકશાહીને સમૃદ્ધ અને બહેતર બનાવી શકાશે? શું આનાથી ભ્રષ્ટાચાર મુક્ત શાસન-સમાજ અથવા દેશ શક્ય છે? આ પ્રકારે જનલોકપાલની રચના તો થાય, અન્નાના આંદોલનની માગણી હોવી જોઈએ કે ચૂંટણી પદ્ધતિની સમીક્ષા થાય, ચૂંટણી ખર્ચના વિકલ્પ પર વિચાર થાય. ન્યાયતંત્રમાં પરિવર્તન થાય.
ભ્રષ્ટાચારના કેસોની શું સ્થિતિ છે? ચારા ગોટાળાની સુનાવણી 16 વર્ષોથી ચાલી રહી છે. જો આ 20-30 વર્ષો સુધી આ ઝડપથી મામલા ચાલે, ત્યારે પણ ચુકાદા આવવાના નથી. તેમાં મોટા-મોટા રાજનેતાઓ ફસાયેલા છે? આ પ્રકારે ભ્રષ્ટાચારને જન્મ આપનારી સિસ્ટમને બદલવાની શરૂઆત થાય? આ કઈ વ્યવસ્થા અથવા અર્થતંત્ર છે, જ્યાં આટલી ઝડપથી સંપત્તિ વધે છે? દુનિયાની કોઈ આર્થિક પ્રણાલીમાં આ ચમત્કાર શક્ય છે? હકીકતમાં આ રાજનીતિ અને સત્તાની લૂંટ પ્રણાલીમાં જ સંભવ છે. માટે આ લૂંટ પ્રણાલીને યોગ્ય અને ઈમાનદાર અર્થતંત્રમાં બદલાની વાત થાય. આ તમામ ક્ષેત્રોમાં વ્યવસ્થાગત પરિવર્તન વગર ન દેશ બદલાશે, ન વ્યવસ્થા. અન્ના આંદોલનની અગ્નિપરીક્ષા છે કે તે આ જરૂરી ક્ષેત્રોમાંથી કોઈ એક ક્ષેત્રમાં પણ બદલાવનો પાયો નાખી શકે છે. ચૂંટણી પ્રણાલી, રાજકીય પક્ષ, સમાજ-દેશનું વ્યક્તિગત અને જાહેર ચરિત્ર, સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર, અર્થતંત્ર આ બધાંમાં પરિવર્તન વગર અન્નાનું આંદોલનના સપના સાકાર થવાના છે?

રાજકીય પક્ષોના કામકાજ પર નવી ચર્ચા થાય, તેમાં પરિવર્તન હોય, જેથી દરેક પક્ષની અંદર પ્રતિભાવાન, સક્ષમ અને સારા લોકો સામે આવે. ભાટ, ચમચા અને ચાપલૂસ નહીં. અન્ના આંદોલનના લોકોની માગણી હોય કે રાજકીય પક્ષો પારીવારીક પક્ષ અને વારસો તૈયાર કરનારી સંપત્તિ બને નહીં. નહીંતર તેનું પરિણામ શું થશે? 19 ઓગસ્ટના સમાચાર છે. સીબીઆઈની ટીમે જગનમોહન રેડ્ડી અને આંધ્ર પ્રદેશના ગૃહ સચિવના ઘરે છાપા માર્યા. સાત વર્ષોમાં જગનમોહન રેડ્ડીની સંપત્તિ 11 લાખથી વધીને 43 હજાર કરોડ થઈ ગઈ. હૈદરાબાદમાં સીબીઆઈએ તેમના 60 બેડરૂમવાળા ભવ્ય મકાન પર પણ છાપો માર્યો. હૈદરાબાદના સૌથી મોંઘા વિસ્તાર બંજારા હિલ્સમાં. તેમની બહેનના ઘરે પણ. 

આંધ્ર પ્રદેશના ગૃહ સચિવ જ્યારે આંધ્ર પ્રદેશ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર કોર્પોરેશનના પ્રબંધ નિદેશક હતા, ત્યારે એક ગૃહ સાથે સમજૂતી દરમિયાન આ સરકારી કોર્પોરેશનને 1 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે જગનમોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના દિવંગત ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાઈ. એસ. રાજશેખર રેડ્ડીના પુત્ર છે. રાજશેખર રેડ્ડીના મુખ્યમંત્રી કાળ દરમિયાન આ સંપત્તિ અર્જિત થઈ છે. જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટીમાં બળવો કર્યો છે, માટે તેમના પર કાર્યવાહી ચાલી રહી છ. એવો તેમના ટેકેદારોનો આરોપ છે. પરંતુ જગન રેડ્ડીની જેમ ઓછાવત્તા અનેક નેતાઓના રાજકુમાર છે. તમિલનાડુના આવા ઘણાં નેતાઓના રહસ્યો સામે આવ્યા છે. 2જી મામલામાં જ જોઈ લો. આ પરિસ્થિતિ મહારાષ્ટ્ર અને દેશના અન્ય ક્ષેત્રોમાં પણ છે. શું આ રાજકીય પક્ષોની અંદરની સફાઈ વગર ભ્રષ્ટાચાર મુક્ત શાસન શક્ય છે?

સૌજન્ય- પ્રભાત ખબર

No comments:

Post a Comment