રણવિજય સિંહ, સમૂહ સંપાદક, રાષ્ટ્રીય સહારા દૈનિક
આખો દેશ મોંઘવારીની મારથી ત્રસ્ત છે. તેનાથી બચાવની સરકારી કોશિશો અપુરતી સાબિત થઈ છે.
માર્ચ, 2010થી લઈ અત્યાર સુધી સોળ માસમાં ભારતીય રિજર્વ બેંકે 11 વખત વ્યાજ દરો વધાર્યા છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે માર્ચ, 2012થી પહેલા મોંઘવારી ઘટવાની નથી. આવી સ્થિતિમાં સંસદમાં મોંઘવારી પર સરકારને ઘેરવાની જગ્યાએ મુખ્ય વિપક્ષી ગઠબંધન એનડીએ તેમની સાથે જ ઉભેલું દેખાયું.
મોંઘવારી પર રજૂ થયેલા પ્રસ્તાવમાં સરકારની નિંદા કરવા માટે ડાબેરી મોરચા દ્વારા લવાયેલા સંશોધનનો ભાજપ સહીત એનડીએએ સરકારનો સાથે આપ્યો તો સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બીજૂ જનતાદળ વગેરે પ્રાદેશિક પાર્ટીઓએ આખરી સમયમાં ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરીને સરકારને મદદ કરી. મોંઘવારી પર એનડીએ અને સરકારની નૂરા-કુશ્તીથી જનતાના વિશ્વાસને આકરો ઝાટકો લાગ્યો છે, જે પ્રતિનિધિ સંસ્થાઓ અને પ્રતિનિધિઓથી તેનો મોહભંગ દર્શાવે છે. આ લોકતંત્ર માટે શુભ નથી.
યુપીએના સાત વર્ષના શાસન કાળમાં બારમી વખત સંસસમાં મોંઘવારી પર ચર્ચા થઈ. સત્તા પક્ષ સાથે સંમતિ બાદ વિપક્ષે આ પ્રસ્તાવમાં સરકારને સીધી દોષિત ઠેરવી ન હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે ગૃહમાં વારંવાર ચર્ચા છતાં મોંઘવારી વધતી જઈ રહી છે. આ ગૃહ સરકારને મોંઘવારી પર અંકુશ લગાવવા માટે અસરદાર પગલાં ઉઠાવવાનો આગ્રહ કરે છે. માટે સરકાર મતવિભાજનના પ્રસ્તાવવાળા નિયમ-184 હેઠળ ચર્ચા માટે તૈયાર થઈ. મોંઘવારીનો સીધો સંબંધ ભ્રષ્ટાચાર સાથે છે. લોકોને આશા હતી કે મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ આ મહત્વના સવાલ પર સરકારને સંસદમાં ઘેરશે. તેને કારગર પગલાં ઉઠાવવા માટે બાધ્ય કરશે.
ગૃહમાં કોઈ નક્કર જવાબ ન મળવાથી તે સંસદની બહાર મોટું આંદોલન ઉભું કરશે, પરંતુ તેના નેતાઓએ પોતાને ચર્ચા સુધી જ સીમિત રાખ્યા. આગળની રૂપરેખ જણાવી નહીં. તેની વિપરીત સરકારે મોંઘવારી રોકવા માટે થઈ રહેલા પ્રયત્નો માટે પોતાની પીઠ જરૂર થાબડી, પરંતુ મુદ્રાસ્ફીતિથી નિપટવા માટે તે ભવિષ્યમાં શું કરવા જઈ રહી છે, તેનો ખુલાસો કર્યો નહીં. સચ્ચાઈ એ છે કે મોંઘવારી ગરીબો પર સૌથી ઘટિયા ટેક્સ છે. ગત ત્રણ વર્ષોમાં મોંઘવારી દર આઠ ટકા ઉપર રહ્યો છે. જેના કારણે દેશની જનતા પર છ લાખ કરોડનો વધારાનો બોજો પડયો છે.
એટલું જ નહીં, એશિયન ડેવલોપમેન્ટ બેંકના રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો ગત વીસ માસમાં ખાદ્યાન્નોની જે મોંઘવારી રહી, તેના કારણે વધુ પાંચ કરોડ લોકો ગરીબી રેખાની નીચે ચાલ્યા ગયા છે. સરકારી આંકડા કહે છે કે દેશની વસ્તીના સૌથી નીચેના 20 ટકા લોકો પોતાની કમાણીના 67 ટકા ખાવા પર ખર્ચ કરે છે. જો રસોઈમાં જ આગ લાગી હોય તો તે 20 ટકા લોકોની શું હાલત હશે? તેવામાં સરકાર દેશના 8 ટકાના ગ્રોથનો ઢોલ પીટી રહી છે. શું આ ગ્રોથથી આ ગરીબોની ભૂખ મટી જશે? આ ગ્રોથ તેમને જ ખાઈ રહ્યો છે. માટે મોંઘવારી વધારનારા ગ્રોથથી તોબા કરવાની જરૂરત છે.
મારી સમજમાં મોંઘવારી રોકવાના મૌદ્રિક ઉપાય જ મોંઘવારી વધારવા લાગ્યા છે. પ્રશાસનિક નિયંત્રણ ઉપરથી જ ગેરહાજર છે. તેવામાં વારંવાર મૌદ્રિક ઉપાયોનો સહારો લેવો જણાવે છે કે સરકાર મોંઘવારીના અસલ કારણોનો સામનો કરવાથી બચવા ચાહે છે. તેને એ સમજવું જોઈએ કે ખાવા-પીવાની વસ્તુઓ માટે કોઈ બેંકમાંથી કર્જ લેતું નથી. માટે વ્યાજ દરોના વધારવાથી ચીજોની ખપત ઓછી થવાની નથી. આ કારણ છે કે વ્યાજ દરોમાં વધારો મોંઘવારીની બઢત રોકવામાં નાકામ રહ્યો છે. માટે સરકારે અન્ય ઉપાયો શોધવા જોઈએ.
ગોદામો ભરેલા હોવા છતાં ખાદ્ય પદાર્થોની કિંમતો વધી રહી છે, તો તેનું કારણ વચેટિયા છે, પરંતુ સરકાર જમાખોરો, વચેટિયા અને કાળાબજારીયાઓ પર લગામ કસવા અને આપૂર્તિ વ્યવસ્થાની ખામીઓ દૂર કરવા કોઈ નક્કર પહેલ કરી રહી નથી. સરકારી ખાદ્ય પ્રબંધનનો હાલ એ છે કે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનું અનાજ બરબાદ થઈ રહ્યું છે. તેના સિવાય કૃષિ વિકાસની દીર્ઘકાલિન નીતિઓના અભાવે પણ આ સમસ્યાઓને વધારી છે. કૃષિમાં માળખાગત સુધારાને લઈને પણ ખાસ થઈ રહ્યું નથી. માટે કૃષિ વિકાસને નિર્ધારીત કરનારા મોરચા પર આપણે માત ખાઈ રહ્યાં છીએ.
તેની સામે સરકાર મોંઘવારી પાછળ લોકોની ક્રય શક્તિ વધવાને પણ એક મહત્વનું કારણ માની રહી છે. આમ તો સરકારની તેંડૂલકર કમિટી માને છે કે દેશના 42 ટકા લોકો ઘોર ગરીબીમાં જીવન ગુજારી રહ્યાં છે. તેવામાં પણ જો આમ આદમીની ક્રય શક્તિ વધી છે, તો તેને પૂરું કરવાની તૈયારી કેમ નથી? વાસ્તવમાં આ વધેલી ક્રય શક્તિ ઉપર મુઠ્ઠીભર લોકોની છે. તેના કારણે દેશમાં અસમાનતા ઝડપથી વધી રહી છે. આ વધેલી માગણી પૂરી થવાની જગ્યાએ કિંમતોમાં વધારાને જન્મ આપે છે.
આમ તો રિજર્વ બેંકના ગવર્નરે વ્યાજ દરોમાં વધારા સમયે સ્વીકાર્યું હતું કે મોંઘવારી ઓછી કરવા માટે બેંકના પ્રયાસોને નક્કર રાજકીય પગલાં દ્વારા ટેકો આપી શકાય છે, પરંતુ આવા પગલાં માત્ર ચૂંટણી સમયે જ ઉઠાવાય છે. ઉદાહરણ તરીકે, વિધાનસભા ચૂંટણી સુધી પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારાને સરકારે રોકી રાખ્યો, પરંતુ જેવી ચૂંટણીઓ પુરી થઈ, તેવી જ તેલ કંપનીઓને નુકસાન અને મહેસૂલમાં ઘટાડાની ફિકર તેમને સરકારને સતાવવા લાગી.
પેટ્રોલિયમ પદાર્થોમાં થયેલી આ વૃદ્ધિએ મોંઘવારી વધારવામાં આગમાં ઘીનું કામ કર્યું છે. લોકતંત્રમાં જનપ્રતિનિધિ જનતાની ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તે તેમની ભાવનાઓને સંસદમાં રાખી શકતા નથી, તો જનતા પોતાને છેતરાયેલા અનુભવે છે, તેમનો ભરોસો તૂટે છે. તેને જ્યારે લાગે છે કે જનપ્રતિનિધિ તેમની અવાજ બની રહ્યાં નથી, તો તે તેના સિવાય વિચારે છે. પછી જનતા અને સંસદમાં ટકરાવની આશંકા વધી જાય છે. જનતા પોતાના હક માટે ઉભી થઈ જાય છે અને જનઆંદોલનનો સૂત્રપાત થાય છે.
મોંઘવારીના સવાલ પર ભાજપે સરકારનો સાથ આપી એક સોનેરી તક ગુમાવી દીધી છે. સરકાર જો સમજે છે કે જનતા રોટી, કપડાં અને મકાનની જુગાડમાં લાગીને બધું ભૂલી જશે, તો આ વિચાર તેમની સૌથી મોટી રાજકીય ભૂલ સાબિત થશે. જનતા સરકારને જ નહીં, વિપક્ષી પાર્ટીઓને પણ આ જ ત્રાજવામાં તોળી રહી છે. પોતાના વેતન અને ભથ્થામાં ત્રણ ગણો વધારો કરનારા આ સાંસદોને પોતાના સુખ આગળ જનતાના દર્દની યાદ નથી. તેમને તેનો જવાબ જનતાને આપવો પડશે. તેના માટે તેમણે તૈયાર રહેવું જોઈએ.
સૌજન્ય- રાષ્ટ્રીય સહારા
No comments:
Post a Comment