સુભાષ કશ્યપ
ભ્રષ્ટાચારને લઈ મધ્યમવર્ગ અને યુવાનોમાં ભારે આક્રોશ છે. તેનાથી આજે દેશનું એક મોટું જનમાનસ પ્રભાવિત અને પરેશાન છે. માટે ભ્રષ્ટાચારને લઈને લડાઈ રહેલી સિવિલ સોસાયટીની માગણી પ્રત્યે સરકારનું ટકરાવપૂર્ણ વલણ કોઈપણ દ્રષ્ટિએ યોગ્ય કહી શકાય નહીં, પરંતુ તે સરકારની હઠધર્મિતાનું પરિચાયક છે. આ સંસદીય લોક પ્રક્રિયાની દ્રષ્ટિથી પણ હટીને છે. દેશના પ્રત્યેક નાગરીકને બંધારણે આ અધિકાર આપ્યો છે કે તે કેવળ પોતાની માગણી જ ન કરી શકે, પરંતુ તેનાથી સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ સરકાર પાસે વિચારાર્થ પ્રસ્તુત કરી શકે છે. આ પ્રસ્તાવ અથવા બિલને માનવું અથવા ન માનવું સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તે ચાહે તો સંસદમાં મૂકે અથવા ન મૂકે? અન્ના હજારેની ટીમ દ્વારા બનાવાયેલું જનલોકપાલ બિલ પણ આ શ્રેણીમાં આવે છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અન્ના હજારેની ટીમ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે લાંબો વિચાર-વિમર્શ અને મેળ-મિલાપ થવા છતાં સંસદની સ્થાયી સમિતિ પાસે જે પ્રસ્તાવ મોકવામાં આવ્યો તે સશક્ત લોકપાલની સંભાવનાઓ કમજોર કરનારો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર ભ્રષ્ટાચાર સામે લડાઈ પ્રત્યે ઘણી પ્રતિબદ્ધ નથી અને તેની પાસે એ અપેક્ષા પણ કરી શકાય નહીં, કારણ કે વર્તમાન રાજકીય પક્ષ વ્યવસ્થા અને ચૂંટણી વ્યવસ્થા દોષપૂર્ણ હોવાથી ભ્રષ્ટ લોકોની સંખ્યા સંસદમાં વધારે છે અને ભ્રષ્ટ લોકો ક્યારેય ઈચ્છશે નહીં કે આવો કોઈ પ્રસ્તાવ પારિત થાય અથવા કાયદો બને જેનાથી તેમના હાથ આસાનીથી મરડી શકાય.
ભ્રષ્ટાચાર સામે લડાઈ માટે અન્નાની ટીમને અને દેશના બીજા વર્ગોને કેટલીક વધારે વ્યવહારીક વાતો પર ભાર મૂકવાની જરૂરત છે. સૌથી પહેલા આપણે એ વાતને સમજવી પડશે કે ભ્રષ્ટાચાર છે શું અને તેનું કારણ તથા સ્ત્રોત શું છે? ભ્રષ્ટાચારના મૂળમાં વ્યવસ્થા સર્વોપરી છે અને વ્યવસ્થાને બદલ્યા વગર આપણે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી શકીએ નહીં. આ વ્યવસ્થામાં ફેરફાર માટે સૌથી પહેલું પગલું છે તે દોષપૂર્ણ રાજકીય પક્ષ વ્યવસ્થા અને ચૂંટણી પ્રક્રિયામાં તાત્કાલિક સુધારો લાવવો. આ સિવાય આપણે સંસદીય, વહીવટી અને ન્યાયિક વ્યવસ્થામાં પણ મોટા સ્તરે ફેરફાર કરવા પડશે, જેના માટે વધુ મોટા પ્રયાસની જરૂરત છે. અન્ના હજારેએ સમજવું જોઈએ કે તેમની લડાઈ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે છે, ન કે જનલોકપાલ માટે. એક સશક્ત લોકપાલની તેમની લડાઈ યોગ્ય છે, પરંતુ એ માની લેવું પણ ઠીક નહી થાય કે માત્ર લોકપાલ બનાવી દેવાથી ભ્રષ્ટાચારનો રાવણ મરી જશે.
લોકપાલની મર્યાદામાં ન્યાયતંત્ર અને વડાપ્રધાનને અનિવાર્યપણે સામેલ કરવાની તેમની માગણી પણ યોગ્ય નથી, કારણ કે કોઈ એક સંસ્થા પાસે આટલી વધારે શક્તિઓ હોવી કોઈપણ દ્રષ્ટિથી યોગ્ય નથી. એક જ લોકપાલને આટલી વધારે શક્તિ આપવાથી તો સારું એ છે કે આપણે સંસદીય લોકપાલ અલગ બનાવીએ અને ન્યાયિક લોકપાલ અલગ કરીએ. તેનાથી સંસ્થાઓની વચ્ચે પરસ્પર ટકરાવને પણ રોકી શકાશે અને તેમના અધિકાર ક્ષેત્રોની વિશિષ્ટતા પણ કાયમ રહેશે, પરંતુ તેના માટે બંને પક્ષોએ ફરીથી મળી-બેસી એક રાજકીય સમાધાન શોધવાની દિશામાં કામ કરવાની જરૂરત છે. જ્યાં સુધી અન્નાના આમરણ અનશનની વાત છે, તો એ પણ યોગ્ય નથી, કારણ કે સમાધાનનો રસ્તો વાતચીતથી જ નીકળી શકે છે, ન કે પોતાની વાતો પર અક્કડ રહેવાથી. સરકારે શરૂઆતમાં જ અન્નાની ધરપકડ કરી તેમને અને તેમના ટેકેદારોને વધુ આક્રોશિત થવાનો મોકો આપી દીધો જેના માટે નિશ્ચિતપણે સરકાર દોષિત છે, પરંતુ હવે જ્યારે સરકારે પણ વાતચીતની પેશકશ કરી છે તો અન્નાની ટીમએ ફરીથી પોતાની વાત મૂકવી જોઈએ. એક રસ્તો એ પણ હોઈ શકે છે કે અન્નાની ટીમ સંસદની સ્થાયી સમિતિની સામે પોતાની વાતો અને પ્રસ્તાવ રજૂ કરે. તેના સિવાય કોઈ સાંસદ વ્યક્તિગત રીતે પણ સિવિલ સોસાયટીના બિલને સંસદમાં રજૂ કરી શકે છે.
સંસદની સ્થાયી સમિતિની પાસે સરકાર દ્વારા રાખવામાં આવેલા લોકપાલ બિલનું સ્વરૂપ હજી અંતિમ નથી અને તેમાં ફેરફાર કરી શકાય છે. સ્થાયી સમિતિ જ્યારે તેને અંતિમ સ્વરૂપ આપી દેશે તો તેને સંસદીય પટલ પર રજૂ કરવામાં આવશે, જેના પર સાંસદો ચર્ચા કરશે અને જો જરૂરત પડશે તો તેની જોગવાઈમાં અંતિમ અનુમતિ મળ્યા પહેલા ફેરફાર કરી શકશે. માટે હજી પણ સમય છે કે ટકરાવનો રસ્તાને છોડીને આમ સંમતિનો રસ્તો શોધવો જોઈએ. બીજું એ પણ સમજવું પડશે કે સરકાર અને સંસદ એક નથી. જો સરકાર અન્નાની વાતોને માને નહીં, તો સંસદમાં જઈ શકાય છે. જેના માટે બાકી રાજકીય પક્ષોએ પહેલ કરવાની જરૂરત છે. અન્ના હજારેને જોઈએ કે તેઓ પોતાના આમરણ અનશન ખતમ કરે અને બંધારણીય પ્રક્રિયામાં કોઈ પ્રકારની અડચણ ઉભી થવા ન દે. સિવિલ સોસાયટી આખા દેશની પ્રતિનિધિ થઈ શકે નહીં અને સંસદ તેનાથી ઘણી વધારે સર્વોચ્ચ અને સાર્વભૌમ છે. માટે પોતાની વાત અનિવાર્યપણે મનાવવા માટે સંસદ પર કોઈ પ્રકારનું દબાણ અથવા શરત થોપવાની વાત ઠીક નથી. તેમાં કોઈ બેમત નથી કે વર્તમાન વ્યવસ્થામાં તમામ ખામીઓ, વ્યાપક ભ્રષ્ટાચાર અને અસંવેદનશીલતાના કારણે જ સ્થિતિઓ આટલી ગુંચવાઈ છે.
સરકારનું એ કહેવું યોગ્ય નથી કે સિવિલ સોસાયટીનો મુસદ્દો સંસદમાં રજૂ કરી શકાય નહીં. જો સોનિયા ગાંધીના નેતૃત્વમાં બનેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદા પ્રસ્તાવો કેબિનેટની મંજૂરીથી સંસદમાં મૂકવામાં આવે છે, તો સિવિલ સોસાયટીના પ્રસ્તાવોને સરકાર પોતાના પ્રસ્તાવમાં સામેલ કેમ કરી શકે નહીં? આ સંદર્ભમાં આપણે ભૂલવું જોઈએ નહીં કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ જેવી સુપર કેબિનેટ સંસ્થાઓની કોઈ વૈધાનિકતા નથી, માટે સિવિલ સોસાયટીને પણ સંસદનો પર્યાય માની શકાય નહીં, પરંતુ અહીં સવાલ ભ્રષ્ટાચારના મુદ્દાનો છે. લોકતાંત્રિક સંસ્થાઓની મર્યાદા અને અધિકાર ક્ષેત્રની વ્યાખ્યામાં પડવાથી વધારે જરૂરી ભ્રષ્ટાચારના પગ પર કુહાડી મારવાનું છે, જે અન્નાનો પણ ઉદેશ્ય છે. આજે જે સૌથી મોટી જરૂરત છે આખી વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની, કારણ કે સખત કાયદા બનાવી દેવા માત્રથી પરિવર્તન આવી જવાની અપેક્ષા કરવી યોગ્ય નથી. તાત્કાલિક પણે ચૂંટણી અને રાજકીય પક્ષ વ્યવસ્થામાં એવું પરિવર્તન લાવવામાં આવે જેથી ભ્રષ્ટ લોકો ચૂંટાઈને જ ન આવી શકે અને જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી ભ્રષ્ટાચારનું કેન્સર ખતમ થવાનું નથી.
સૌજન્ય- દૈનિક જાગરણ
No comments:
Post a Comment