સુધીશ પચૌરી
મીડિયા દેખાડી રહ્યું છે. અનશન કરતાં અન્ના મંચ પર સુતા છે. પછી તેઓ બેઠેલા નજરે પડે છે.
રવિવારની બપોર છે. બ્રાન્ડ-સરકાર વિરુદ્ધ બ્રાન્ડ-અન્નાનો મુકાબલો છે. સરકારી લોકપાલ અને સિવિલ સોસાયટીનું જનલોકપાલ મહીનાઓથી આમને-સામને છે. તેના નિર્માતાઓમાં મુકાબલો છે. તમામ મજબૂત લોકપાલ ચાહે છે. મજબૂતીનું બજાર છે. એવા એન્કરોની કોઈ અછત દેખાતી નથી જે અન્નાને આવતા જોઈને ખિલી ઉઠે છે. તે મીડિયાના રામલીલા મેદાનના કવરેજને એક મનચાહેલા અવસર તરીકે દેખાડે છે અને અન્ના તથા જનલોકપાલના પક્ષમાં નજરે પડે છે. તેઓ સરકારને વિપક્ષમાં દેખાડે છે અને સિવિલ સોસાયટીના પક્ષમાં નમેલા નજરે પડે છે. સલામન ખુર્શિદે મીડિયાની જવાબદેહી પર સવાલ ઉઠાવ્યા છે.
આપણું મીડિયા વિલોમોથી કામ કરે છે. તેમાં કેટલીક વિલોમ બાઈટો સતત બની રહી છે- જેમ કે સંસદ વિરુદ્ધ સડક, નેતા વિરુદ્ધ સિવિલ સોસાયટી, સંસદીયતા વિરુદ્ધ જનતા, સ્થાયી કમિટી વિરુદ્ધ સિવિલ કમિટી, સરકારનું બહેરાપણું વિરુદ્ધ મીડિયા, સીનાનો શોર, અવાક સરકાર વિરુદ્ધ ગોળો ફેંકતા લોકો! આ વિલોમ પણ ઘુળતા-મળતા છે. ઠહેરાવમાં નથી. પકડમાં આવતા નથી. દર્શક પણ તેમાં પોતપોતાના અર્થ શોધી શકે છે. વિલોમ રિમિક્સ થઈ જાય છે. કેટલાંક ભિન્નતા છતાં તે પ્રસ્તુતિ છે જે રામદેવ-લીલા પ્રસારણમાં જોવા મળી હતી.
ભ્રષ્ટાચારનું મૂળ, મૂડીવાદનો અસલ ચહેરો જોવો મીડિયાના વશમાં નથી. ભ્રષ્ટાચારના મામલામાં તેમના મનમાં ચોર છે. તેઓ પણ તુરંત ફાયદો ચાહનારી કોમનસેન્સથી કામ કરે છે. તે કોઈ ભ્રષ્ટાચારીનને ઉત્તેજક બનાવીને દેખાડે છે. તે તેને દેખાડતા જ તુરંત મહાભ્રષ્ટાચારી અથવા સદીનો સૌથી મોટો ભ્રષ્ટાચારી બનાવીને દેખાડવા માટે આદી છે. તે એક જ કવરેજમાં આરોપ લગાવી, કલમ લગાડી, પોતાનો તાત્કાલિક ચુકાદો આપીને સજા પણ સંભળાવી દે છે. તે સામાજીક ન્યાયનું કિફિક્સ છે. જેનલોકપાલ પણ એક કિફિક્સની જેમ જ લેવા દેવામાં આવી રહ્યું છે. કિફિક્સનું બજાર ઉત્તેજક હોય છે. પરંતુ કિ- હોય છે-સેરિડોન અથવા એસ્પોની ગોળીની જેમ તાત્કાલિક દર્દ નિવારક. હજી ભ્રષ્ટ થયું, હજી ઠીક કરી દીધું. અલગ-અલગ મીડિયામાં ભ્રષ્ટાચારી પણ અલગ-અલગ હોય છે. તે જ ખાતામાં હેરાફેરી કરનારા, કાયદો તોડનારા, લાંચની લેતી-દેતીવાળા અથવા તેને જોવાવાળા ભ્રષ્ટાચારના પરિચિત ચહેરા છે. ભ્રષ્ટ માનસિકતા કેમેરાની પકડની બહાર છે. બનાવટી મેકઅપ અને સૌંદર્યીકરણના બજારમાં ચહેરાની પાછળ ચહેરાની આગળ ચહેરો છે. મ્હોરા છે અને ડાઘ પણ સારા છે.
ભ્રષ્ટાચારનો કિફિક્સ શોધતું મીડિયા અને સિવિલ સોસાયટી જોર્જ આરવેલની ખ્યાતનામ નવલકથા ઉન્નીસો ચૌરાસીના બિગ બ્રધરની જરૂરત છે જે બધાંને જોશે, સજા આપશે પરંતુ જેને કોઈ જોઈ શકશે નહીં તેને સજા આપી શકાશે નહીં. જે કોઈના પ્રત્યે જવાબદાર નહીં હોય. જનલોકપાલ એવી જ કિફિક્સ બ્રાન્ડનો ભરમ આપે છે.
ઉદારીકરણના ગત વીસ વર્ષોમાં, ફ્રી ગ્લોબલ માર્કેટ, ઈલેક્ટ્રોનિક ક્રાંતિ અને ફેસબુકી બ્લેકબેરીના એકાંતિક સક્રિય મેસેજ, નવી સાઈબર કમ્યુનિટીઝની આઝાદી અને જનતંત્રનો લાભ ઉઠાવી જાડી અને ખાઉધરી બનેલી મેટ્રો શહેરનો અંગ્રેજી મિડલ ક્લાસ અરસાથી તહરીર ચોક માટે આકળવિકળ છે. અન્નાનું આંદોલન જનક્રાંતિ બનતું ચાલ્યુ છે. ક્રાંતિમાં સામેલ થઈને પોતાના પાપને પ્રક્ષાલિત કરી પવિત્ર થવાય રહ્યું છે. એડ ગુરુ પ્રહલાદ કક્કડ ટીવીમાં કહે છે કે અન્ના પવિત્રતાના પ્રતિનિધિ છે. કબીર બેદી કહે છે કે જનલોકપાલ હોવો જરૂરી છે. શાહરૂખ ખાન પણ ખુદને અન્નાની સાથે ગણાવીને કહે છે કે સારું છે. ગજબની પોપ્યુલર બ્રાંડિગ છે. સાધનની પવિત્રતાથી સાધ્યની પવિત્રતાનો ગાંધીવાદી પરમ વિચાર આ તમાશામાં ખંડિત છે. આ ગાંધીવાદમાં સાધ્ય પ્રમુખ છે, સાધન ગમે તે હોય. પ્રહલાદને પવિત્રતાની બ્રાન્ડ દેખાઈ રહી છે. પાપ ધોવા માટે પવિત્રતાનું નિરમા જોઈએ.
ઉદારીકરણના વાતાવરણમાં ફ્રી માર્કેટમાં નિરપરાધિત, પોતાની જ વધેલી લાલચથી ભરેલા, મંદીની ખબરોથી વારંવાર વિચલિત નવો ઉપભોક્તા મિડલ ક્લાસ કઈ પવિત્રતાને શોધી રહ્યો છે? બ્રાન્ડમાં કઈ પવિત્રતા મળી શકે છે? આ મિડલ ક્લાસ પણ તો એક બ્રાન્ડ છે! આ પ્રકાંડ મલ્ટિ બ્રાન્ડિંગ છે. મીડિયા મસ્ત છે. મોટું દર્શક બજાર એકઠું થયું છે. આ સીનોની ઉન્મદ વિકટતા રોમાંચિત કરે છે. સાથે ડરાવે પણ છે. કેટલીક વાતો કહેવી પ્રતિબંધિત છે. કેટલાંક સવાલ પુછવાની મનાઈ છે. આ સરકારનું નહીં, સિવિલ સોસાયટી અને મીડિયાની સંયુક્ત કટોકટી છે. કેટલીક વાતો કહેતાની સાથે જ વીજળી પડે છે. તમે આ બાજુ નથી તો દુશ્મન છો. મીડિયાના તમામ દ્રશ્ય તરલિત યથાર્થ છે. હાઈપર છે. તમે તેને સ્થિર કરી શકો નહીં.
ભ્રષ્ટાચાર જો ડાઘનું ચિન્હ છે, તો લોકપાલનો આઈડિયા નિરમા-ટિનોપોલ છે. ભ્રષ્ટાચાર સર્વાધિક હાઈપર તરલ ચિન્હ જે નિર્ગુણ બ્રાહ્મની જેમ દરેક જગ્યા, દરેક વાત અને દરેક વ્યવહારમાં છે. પરંતુ પકડથી પર છે. અવરોધથી પર છે. માયા સિદ્ધ લોકો ભ્રષ્ટાચારના નિર્ગુણ તત્વને પકડવાના મોહને પાળે છે. જનલોકપાલ હશે તો પાસઠ ટકા ભ્રષ્ટાચાર કપાશે. 35 ટકાનું શું થશે? દ્રશ્યોનું મૂળ આકર્ષક જાદૂઈ તત્વ એ છે કે તમામ ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે. જ્યારે તમામ વિરુદ્ધ છે તો તેને ખતમ થયેલો માની શકાય છે. દ્રશ્ય અંતર્વિરોધી છે. મીડિયાએ અત્યાર સુધી ભ્રષ્ટાચારને ખૂબ વિખંડિત કસરી શકાય નહીં કારણ કે તે સપાટી પર જીત્યા છે. તત્વ ચિંતનની જગ્યાએ તમાશા દર્શન જ તેમનો ધંધો છે. અન્ના એક વ્યક્તિ હતા. પછી એક ગાંધીના પ્રતીક બન્યા. પછી એક પવિત્ર તત્વ બન્યા. હવે તે એક પવિત્ર બ્રાન્ડ છે. બ્રાન્ડની પોઝિશનિંગ કરવામાં આવી ચુકી છે. પોઝિશનિંગ ગજબની છે. મીડિયાને અન્નાની એક્શન વગર મોલે મળ્યું છે. સિવિલ સોસાયટીને મીડિયા મફતમાં મળ્યું છે. બંને પૂરક છે.
પ્રોડક્ટ ઓફ ધ ઈયરના વિજ્ઞાપન વિશેષજ્ઞ ચારુલતા રવિવકુમાર બ્રાન્ડિંગ અન્ના હજારે નામની ટિપ્પણીમાં આમ લખે છે- બ્રાન્ડ પ્રતીક હોય છે. સપના જગાડે છે. જો તે ડિલીવર કરતાં નથી તો તે ટકાઉ નથી. નિસંદેહ આ વખતે બ્રાન્ડ અન્ના સર્વાધિક નવોન્મેષી, સર્વાધિક મત હાસિલ કરનારા અને સર્વાધિક ચર્ચિત છે. અન્ના આ વર્ષના સૌથી મોટી બ્રાન્ડ છે. તેમ છતાં અન્નાજી, એ તો બતાવો કે તમારી એજન્સીનું નામ શું છે?
સૌજન્ય- રાષ્ટ્રીય સહારા
No comments:
Post a Comment