પ્રસ્તુતિ-જગદીશ્વર ચતુર્વેદી
અન્ના હાજારેએ પોતાના અનશનની ઘોષણા કરી દીધી છે. તેઓ 16 ઓગસ્ટથી અનશન પર બેસશે. હકીકતમાં આ અનશનનો કોઈ અર્થ નથી. અન્ના હજારેની રાજનીતિનો આધાર છે- હું સાચો અને બાકીના બધાં ખોટાં. લોકતંત્રમાં હું- માટે જેટલી જગ્યા છે, તેનાથી વધારે અન્ય- માટે જગ્યા રાખવાની હોય છે. અન્નાના રાજકીય એજન્ડામાં અન્ય માટે કોઈ જગ્યા નથી. અન્નાની રાજનીતિમાં જીદ્દનું ઘણું મહત્વ છે, આ એવા વ્યક્તિની જીદ્દ છે જેની કોઈ સામાજીક જવાબદેહી નથી. અન્ના અને તેમની ટીમની લોકશાહીના પ્રવર્તમાન માળખામાં કોઈ જવાબદેહી નથી. તેવે સર્વતંત્ર-સ્વતંત્ર છે.
અન્નાની આખી સમજ એ ધારણા પર ટકેલી છે કે સરકારી લોકપાલ ભરોસાપાત્ર નથી. તેઓ સરકાર પ્રત્યે શંકાની નજર ધરાવે છે. સરકાર પ્રત્યે અવિશ્વાસના આધાર પર રાજનીતિ ચાલતી નથી. સરકાર પ્રત્યે ટીકાત્મક થઈ શકે છે, પરંતુ સરકારનો પક્ષ સંપૂર્ણપણે દરકિનાર કરી શકાય નહીં. આખરે સરકાર પણ તો દેશની બૃહતર જનતાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જ્યારે અન્ના તો પોતાના જૂથો અને સહયોગી સંગઠનોનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
અન્નાની એક અન્ય મુશ્કેલી છે કે તેઓ હથેળી પર સરસવ જમાવવા માંગે છે. લોકતંત્રમાં આ સંભવ નથી. તાનાશાહીમાં આ સંભવ છે કે કોઈ એકે કહ્યું અને તેને આખા દેશ પર થોપી દેવામાં આવ્યુ. અન્નાની જીદ્દ છે જે કહ્યું છે તેને માનો. જેવું કહી રહ્યાં છે તેવું કરો. જે દિવસે કરવાનું કહ્યું છે, તે દિવસે કરો. અન્નાનો સ્વભાવ લોકતંત્રની પ્રક્રીયાની બહાર રમણ કરે છે. તેઓ ચાહે છે કે ભ્રષ્ટાચાર પર લગામ લાગે, ભ્રષ્ટ લોકોને દંડ મળે, પરંતુ મુશ્કેલી એ છે કે તેઓ તેને પોતાની ગતિ અને મતિના આધારે કરવા ચાહે છે.
અન્નાની ગતિ અને મતિનો લોકશાહીની ગતિ અને મતિ સાથે દૂરદૂર સુધી કોઈ તાર જોડાતો નથી. અન્ના લોકતંત્રના ડિક્ટેટર છે. લોકતંત્રમાં ડિક્ટેટરશિપ ચાલતી નથી ચાહે ગમે તેટલી સારી વાતો ડિક્ટેટર કરે. અન્નાના પહેલા અનશન વખતે માગણી હતી કે આખા દેશમાં મજબૂત લોકપાલની સ્થાપના થાય અને તેના માટે તુરંત લોકપાલ બિલ લાવવામાં આવે. કેન્દ્ર સરકારે તેમની આ માગણી પાયાગત રીતે માની લીધી અને સંસદના ઓગસ્ટથી આરંભ થયેલા સત્રમાં લોકપાલ બિલ રજૂ કર્યું છે. અનશન આરંભ થયા બાદ અન્નાએ સ્ટેન્ડ બદલ્યું અને કહ્યું કે લોકપાલ માટે સંયુક્ત સમિતિ બને જેમાં સરકાર અને અન્ના બ્રાન્ડ સિવિલ સોસાયટીના લોકો હોય. સરકારે એ પણ માની લીધું. સંયુક્ત મુસદ્દા સમિતિ બનાવવામાં આવી. બાદમાં અન્ના ખુદ જ સમિતિમાં ચાલ્યા આવ્યા જ્યારે શરૂઆતમાં તેઓ કોઈ સમિતિમાં રહેવા માંગતા ન હતા. મજેદાર વાત એ છે કે અન્ના શું ચાહે છે અને તેમની માગણી શું છે તેનું વિવરણ બાદમાં આમ જનતામાં આવ્યું. શરૂઆતમાં માગણી હતી કે લોકપાલ બિલ લાવો.
અન્ના હવે કહી રહ્યાં છે કે કેન્દ્ર સરકારે લોકપાલ બિલનો જે મુસદ્દો તૈયાર કર્યો છે તે દેશની જનતા સાથે છળ છે. અન્ના જાણે છે કે છળ ત્યારે થાય છે જ્યારે કોઈ વાત છુપાવવામાં આવે. વિશ્વાસઘાત ત્યારે થાય છે જ્યારે છેતરવામાં આવે. કેન્દ્ર સરકારે પોતાના દ્રષ્ટિકોણથી ન તો ઠગાઈ કરી છે અને ન તો વિશ્વાસઘાત કર્યો છે. કેન્દ્ર સરકારે ક્યારેય કહ્યું નથી કે તે અન્નાની તમામ વાતો માને છે.
કેન્દ્ર સરકારે પોતાના દ્રષ્ટિકોણથી એક લોકપાલ બિલ તૈયાર કર્યું છે અને તેને તેમણે સંસદમાં રજૂ કર્યું છે. સાંસદોની ઉપર છે કે તેઓ તેને કેવાં સ્વરૂપમાં પાસ કરે છે. કેન્દ્ર સરકારે લોકપાલ બિલનો વાયદો કર્યો હતો અને તે જે દ્રષ્ટિકોણથી જોઈ રહી છે તેના આધારે એક મુસદ્દો સંસદમાં રજૂ કરાયો છે. તમામ વાતો પારદર્શી છે. અન્નાના લોકો ખુલ્લેઆમ જેટલું બોલી રહ્યાં છે અને પોતાની અસંમતિઓનો ઈજહાર કરી રહ્યાં છે તેવું અન્ય પક્ષો કરી શકતા નથી કારણ કે મીડિયાએ આખા મામલાને અન્ના વિરુદ્ધ સરકારનો મુદ્દો બનાવી દીધો છે.
અન્ના અને સરકાર સિવાય અનેક રાજકીય પક્ષો છે અને જુદાંજુદાં પ્રકારના સેંકડો સંગઠન છે. તેમની લાખો-કરોડોની મેમ્બરશિપ છે. મીડિયાની ચર્ચામાં આ સંગઠન એક તરફથી ગાયબ છે. તેનાથી એક વાતની ખબર પડે છે કે અન્નાને લઈને મીડિયા ઓબ્સેશનનો શિકાર છે. ઉદાહરણ તરીકે વિભિન્ન વિચારધારાના મહિલા, ખેડૂત, મજૂર, યુવાનો અને વિદ્યાર્થી સંગઠનો છે, તેના સિવાય એવા પણ સ્વયંસેવી સંગઠનો છે કે જેમના સેંકડો એકમો છે. તેમનો મત એક તરફથી ગાયબ છે.
કોર્પોરેટ મીડિયા અન્ના પ્રત્યે ઓબ્શેસન એ વાતનો પુરાવો છે કે તે ભારતના બૃહત્તર ઓપિનિયનની ઉપેક્ષા કરી રહ્યું છે. વિગત દિવસોમાં ટીવી સ્ટુડિયોમાં ચર્ચાના નામે જે ભીડ અન્ના ભક્તોની ભેગી કરવામાં આવી હતી તે પણ કોર્પોરેટ મીડિયાના અન્ના ઓબ્શેસનને જ સામે લાવે છે. અન્નાભક્ત સ્ટુડિયોમાં અન્ના ટીમથી જુદો મત વ્યક્ત કરનારાઓને હૂટ કરી રહ્યાં હતા.
અન્ના ભક્તોની બોડી લેંગ્વેજમાં લોકતાંત્રિક વિનમ્રતા નથી. તેઓ આક્રમક અને ઉદ્ધત છે. બળજબરીથી વિશ્વાસ કરાવવામાં માને છે અને મીડિયાસેવી લોકો છે. તેમને લોકતંત્રના અધીર નાગરીક કહેવા યોગ્ય રહેશે. લોકતંત્ર અધીરોથી નહીં ધીરવાન સમાજથી ચાલે છે. લોકતંત્રમાં જીદ્દીભાવની નહીં લોકતાંત્રિક ભાવની જરૂરત છે. લોકતંત્રમાં હું-નહીં, આપણે-નો ખેલ છે.
લોકતંત્રમાં વ્યક્તિ નહીં સંસ્થા મહત્વપૂર્ણ છે. અન્ના- મનમોહન, સિવિલ સોસાયટી-કોંગ્રેસ-ભાજપ-સીપીએમ વગેરેથી ઘણું મોટું વર્તુળ છે લોકતંત્રનું. લોકતંત્રનો આધાર છે સંસ્થા. સંસ્થાઓની પોતાના કામ કરવાની ગતિ છે. આ ગતિની ઉપેક્ષા કરવાથી લોકતંત્રના નષ્ટ થવાનું જોખમ છે. અન્નાની મુશ્કેલી એ છે કે તેઓ લોકતંત્ર સાથે સંસ્થાઓની ગતિની બહાર રીને સંબંધ બનાવવા ચાહે છે.
અન્નાનું 16 ઓગસ્ટે અનશન પર બેસવું એક તરફથી ખોટું છે. તેમણે લોકપાલબિલના અંતિમ રૂપ લેવા સુધી રાહ જોવી જોઈએ. હજી પહેલું ચરમ છે જેમાં મુસદ્દો તૈયાર થયો છે અને તે સંસદમાં જશે તો તેને અન્ય પ્રક્રીયાઓમાંથી પસાર થશે. તેમાં જે પણ સમય લાગે તે આપવો પડશે, પરંતુ અન્ના પાસે ધૈર્ય નથી. અધીરતાથી અન્નાની નાની ટીમ તો ચાલી શકે છે પરંતુ લોકતંત્ર ચાલી શકે નહીં. લોકતંત્રમાં પ્રક્રીયાઓ મહત્વપૂર્ણ છે અને તેના વિભિન્ન તબક્કામાં ગતિ બનાવી રાખવા માટે અપાર ધૈર્યની જરૂરત છે.
અન્નાની વધુ એક મુશ્કેલી છે કે તેઓ લોકતંત્રના કાલ્પનિક સંસારમાં રહે છે. લોકતંત્રની કલ્પનામાં જોવું અને સંસ્થાની પ્રક્રીયામાં નક્કર રૂપે જોવામાં જમીન-આસમાનનું અંતર છે. લોકતાંત્રિક સંસ્થાઓ ઘેટાં-બકરાં નથી જેમને કોઈ ચારનાર હાંકીને લઈ જાય.
લોકપાલ બિલ આરંભ છે તે અંતિમ પડાવ નથી લોકપાલનો. અન્નાની મુશ્કેલી છે કે તેઓ લોકપાલ અને ભ્રષ્ટાચારના ભવિષ્યની તમામ સમસ્યાઓ એક સાથે પૂરા પરફેક્શનની સાથે સુલટાવી દેવા ચાહે છે. લોકતંત્રમાં પરફેક્શન, અનુભવથી આવે છે. ખ્યાલોથી પરફેક્ટ બિલ અથવા કાયદા હંમેશા ડિક્ટેટર બનાવે છે. આ અર્થમાં અન્ના લોકતંત્રના ડિક્ટેટર છે. આપણને લોકતાંત્રિક અન્ના ક્યાંય પણ નજરે પડતા નથી કે જેમનામાં ધૈર્ય હોય, અન્ય માટે જગ્યા હોય, સંસદની પ્રક્રીયાઓ પ્રત્યે નમનીય ભાવ હોય.
અન્ના ટીમનું પ્રચાર અભિયાન મીડિયા ઓબ્શેસન પર ટકેલું છે. તમામ ચર્ચાઓમાં અન્ના ટીમને સેલીબ્રિટી તરીકે મૂકવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટુડિયોમાં એવા લોકો બોલાવવામાં આવે છે જે અન્નાના ફેન છે અથવા અનુયાયી છે. અન્ના ટીમને મીડિયાએ સામાજીક કાર્યકર્તા તરીકે નહીં, પરંતુ સેલિબ્રિટી તરીકે કલ્ટીવેટ કર્યા છે.
અન્નાના આ સમયે જેટલાં અનુયાયી નેટ પર છે તેટલાં જમીન પર નથી. જમીન પર તેઓ છે જે નેટ પર છે. તેમાંથી મોટાભાગના લોકો તે છે જે સોશ્યલ નેટવર્કથી જોડાયેલા છે અને સોશ્યલ નેટવર્કિંગ અને મીડિયા ઓબ્શેસનનો શિકાર છે.
તેમાંથી એક વર્ગ એ લોકોનો પણ છે કે જે ભીડતંત્રના ભાગ છે. ભીડતંત્ર અને લોકતંત્રમાં કોર્પોરેટ મીડિયા ભેદ કરવાનું જાણતું નથી. ભીડતંત્રની ભાષામાં જ ખિજાઈને અન્નાટીમે લોકપાલ બિલને જોકપાલ બિલ કહ્યું છે. ભીડતંત્રના તર્કશાસ્ત્રમાં સરકાર અથવા અધિકારીની વાત ન માનવાનો ભાવ હોય છે. તેઓ સરકારની ખૂબ મજાક ઉડાવે છે. અન્ના ટીમના લોકો લોકતંત્રની મજાક ઉડાવી રહ્યાં છે, મતદારોની મજાક ઉડાવી રહ્યાં છે, તેઓ વોટરોની અજ્ઞાનતા, ઉપેક્ષા, સંવાદહીનતા, ભાગ લેવાના અભાવની મજાક કરી રહ્યાં છે. ખુદ અન્ના હજારે આ પ્રકારના હથકંડાઓ અપનાવી ચુક્યા છે. ખુદ અન્નાએ આમ નાગરીકોની મજાક ઉડાવી છે. અન્ના ટીમ પોતાને જ્ઞાની અને આમ આદમીને મૂર્ખ માનીને તર્ક આપી રહી છે. સંસ્થાના નિયમ, કાયદાનું શાસન, કાયદાની ગતિ, સરકારની મજબૂરીઓ અને જવાબદારીઓ વગેરે પ્રત્યે અન્ના ટીમનો અનૈતિહાસિક દ્રષ્ટિકોણ છે. તેઓ ન તો સંરચનાઓને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોઈ રહ્યાં છે અને ન સંસદ તથા બંધારણને.
No comments:
Post a Comment