Friday, 24 June 2011

ઈતિહાસનું કાળું પાનુ


 (એ. સૂર્યપ્રકાશ, સૌજન્ય- દૈનિક જાગરણ)
દેશની અંદર અને બહાર દરેક એ સારી રીતે જાણે છે કે કેન્દ્ર સરકારની અંદર જે પણ કંઈ ચાલે છે, તેને એક બંધારણેત્તર શક્તિ કેન્દ્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એ પણ કોઈ રહસ્ય નથી કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 2004ની લોકસભા ચૂંટણીમાં યુપીએની જીત બાદ સીધે-સીધા મનમોહન સિંહને વડાપ્રધાન બનાવીને સુપર બંધારણીય સત્તા બની ગયા હતા. સરકાર પર પકડ જાળવી રાખવા તે નિયમિત રીતે પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. જો કે કોંગ્રેસમાં આ પ્રકારની બંધારણેત્તર શક્તિઓની પરંપરા રહી છે, માટે કોંગ્રેસને તેમા કોઈ સિદ્ધાંત, બંધારણના ઉલ્લંઘન જેવી વાત નજરે આવતી નથી. નેહરુ-ગાંધી પરિવાર કોંગ્રેસના કામકાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પાર્ટી એ ધારણા પર ચાલી રહી છે કે આ પરિવારના સભ્યને સરકારી કામકાજમાં દખલ આપવા માટે કોઈ ઔપચારીક પદની જરૂરત નથી.

સામાન્ય ધારણાથી વિપરીત, આ પ્રક્રિયા નેહરુના દિવસોમાં જ શરૂ થઈ ગઈ હતી. તેમની પુત્રી ઈન્દિરા ગાંધીએ રાજકારણમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું અને 1950ના દશકના આખરી વર્ષોમાં નેહરુએ તેમને કોંગ્રેસ અધ્યક્ષ પણ બનાવી દીધા હતા. આ પરિવારના સભ્યોની આક્રમક રીતે બંધારણેત્તર પ્રવૃતિઓમાં દખલ 1970ના દશકના મધ્યમાં જોવા મળી. ત્યારે યુવક કોંગ્રેસના અધ્યક્ષ સંજય ગાંધીએ કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આદેશ આપવાનું શરૂ કરી દીધું હતું. શાસનની આ પદ્ધતિ કટોકટી દરમિયાન તમામ હદો પાર કરી ગઈ. પોતાની માતા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા પ્રેરીત સંજય ગાંધીએ સંઘીય સ્તર પર અને રાજ્યોમાં સમાંતર સત્તા કેન્દ્ર સ્થાપિત કરી લીધા હતા. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પાંખો કાપી નાખવામાં આવી હતી અને આખા ભારતમાં ભયનું શાસન કાયમ કરી દેવામાં આવ્યું હતું. ઈન્દિરા ગાંધી સંજય ગાંધીના કારનામાઓથી એટલા બધાં અભિભૂત હતા કે તેમણે પોતાની પ્રચંડ બહુમતીના જોરે 1971-76ની લોકસભાના કાર્યકાળને એક વર્ષ માટે વધારી દીધો હતો. આ ભયજનક તબક્કો ત્યારે ખતમ થયો કે જ્યારે લોકોએ ચૂંટણીમાં કોંગ્રેસને ઉખાડી ફેંકી. ઈન્દિરા ગાંધીએ આ ચૂંટણી એ ગુપ્ત રિપોર્ટો બાદ કરાવી કે જનતા તેમનું સમર્થન કરશે.

આ કોંગ્રેસના શાસનનો ઈતિહાસ છે, પરંતુ ઘણાં કોંગ્રેસીઓ દેખાડો કરે છે કે આવું કંઈ થયું જ નથી અથવા આ લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગયું છે. પરંતુ તે લોકો જેમનો લોકતંત્રમાં અટલ વિશ્વાસ છે, તેઓ ફરીથી આવું થવા દેવા ઈચ્છતા નથી. આતંકના દિવસોને ભૂલવા મુસીબતોને ફરીથી નોતરું આપવા સમાન છે. માટે લોકતંત્રને ખાતર કટોકટીની વર્ષગાંઠ 25 જૂન પર તેના કાળા દિવસોને યાદ કરવા જરૂરી છે. આ સંદર્ભે કેટલાંક સંગઠનો અને વ્યક્તિઓ પર સમાંતર સત્તા ઉભી કરવા સંબંધિત કેન્દ્રીય મંત્રીઓના આરોપોની ભર્ત્સના કરવી જરૂરી થઈ જાય છે. ઉદાહરણ માટે, ભ્રષ્ટાચારની સમસ્યાનું સમાધાન કરવાની ઈચ્છા ન ધરાવતી સરકાર વડાપ્રધાન અને સાંસદોને લોકપાલની મર્યાદામાં લાવવાથી પગ પાછા ખેંચી રહી છે. આ એવો મામલો છે જે નાગરીકોને મોટા વર્ગને પરેશાન કરી રહ્યો છે. નેહરુના સમયથી જ કોંગ્રેસ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાના પગલા લેતા ખચકાતી રહી છે. ઉદાહરણ માટે આઝાદી બાદથી જ કોંગ્રેસ પાર્ટીના વફાદાર સભ્યોને જ રાજ્યપાલ તરીકે નિયુક્ત કરતી રહી છે. આ પ્રકારે તેણે હંમેશા પ્રયાસ કર્યો છે કે ચૂંટણી કમિશનર એવો વ્યક્તિ ન બની જાય જે સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકતો હોય. કટોકટી દરમિયાન કોંગ્રેસ ખુલ્લેઆમ સ્વતંત્ર મીડિયા અને ન્યાયતંત્ર વિરુદ્ધ અભિયાન ચલાવતી રહી છે. બંધારણમાં 42મા સંશોધન પર સંસદમાં થયેલી ચર્ચાથી જ સ્પષ્ટ થઈ જાય છે કે કોંગ્રેસ ન્યાયતંત્ર, મીડિયા અને સ્વતંત્ર વિચારવાળા નોકરશાહોથી કેટલી હદે વિરુદ્ધ છે. સી. એમ. સ્ટીફેન જેવા લોકોએ ખુલ્લેઆમ સમર્પિત ન્યાયતંત્રની તરફેણ કરી હતી. આ સમર્પણ બંધારણ પ્રત્યે નહીં, પરંતુ કોંગ્રેસ પ્રત્યે અભિષ્ટ હતું. ત્યાર બાદ પણ પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. હંમેશા એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાર્ટીના ટેકેદાર અથવા પછી દાગદાર છબીવાળા વ્યક્તિ બંધારણીય પદો પર તેનાત કરી દેવામાં આવે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ચૂંટણી કમિશનર તરીકે નવીન ચાવલાની તેનાતી, જેમને શાહ તપાસ પંચ કોઈપણ જાહેર પદ માટે અયોગ્ય ઠેરવી ચુક્યું છે. તેનું બીજું ઉદાહણ છે, કોંગ્રેસ દ્વારા માપદંડોનો છેદ ઉડાડીને ભ્રષ્ટાચારના એક આરોપીને કેન્દ્રીય વિજિલન્સ કમિશનર તરીકે તેનાત કરવો.
                                                                         
આ પરિપેક્ષ્યમાં કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બર જેવા કેટલાંક કેન્દ્રીય મંત્રીઓના પ્રવચન સાંભળવા ઘણાં અજીબ લાગે છે, જે 1980ના દશકમાં મીડિયા વિરોધી બિલ લાવવાના કર્ણધાર હતા. કેટલાંક દિવસો પહેલા તેમણે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કરતા મજબૂત લોકપાલ બિલ લાવવાની પક્ષધર સિવિલ સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો કે બહારના લોકો દ્વારા કરવામાં આવેલા નિર્ણયોના આધારે સરકાર ચલાવવી યોગ્ય નથી. મજબૂત લોકપાલની વિરુદ્ધ તેમની અન્ય એક દલીલ હતી કે સરકારની સમાંતર વધુ એક માળખું ઉભું કરી શકાય નહીં. આ મંત્રીઓએ આશ્ચર્ય દર્શાવતા કહ્યું કે સરકાર પોતાની શક્તિઓને ઘટાડવાનું કામ કેવી રીતે કરી શકે છે? પરંતુ શું મનમોહન સિંહ સરકાર ગત સાત વર્ષોથી આ જ નથી કરી રહી? શું તેણે પોતાની શક્તિઓ બંધારણેત્તર સત્તા સોનિયા ગાંધીના હાથમાં સોંપી દીધી નથી? પી. ચિદમ્બરમની દલીલ તો તેનાથી પણ વધારે હાસ્યાસ્પદ હતી કે દેશમાં બંધારણ છે, તેના મૂળ ઢાંચામાં બદલાવ કરી શકાય નહીં. કોંગ્રેસના ડઝનબંધ સાંસદો અને નેતાઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિપાદિત બંધારણના મૂળભૂત ઢાંચાના વિચારની સંસદની અંદર અને બહાર અનેકવાર ફજેતી કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યુ કે તેમની પાસે સુપ્રીમ કોર્ટના જજોને પાઠ ભણાવવાની પોતાની રીતો છે.

કટોકટીની વર્ષગાંઠ પર આપણે આ ભયાનક બંધારણીય સંશોધનો પર પણ નજર નાખવી જોઈએ કે જે કોંગ્રેસે કટોકટી દરમિયાન કર્યા હતા. તેમાં વડાપ્રધાનને બંધારણથી ઉપર સ્થાપિત કરવા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની શક્તિઓને ઓછી કરવી અને રાષ્ટ્રપતિને કાર્યકારી આદેશના માધ્યમથી બંધારણ સંશોધનની શક્તિ પ્રદાન કરવાની બાબત સામેલ હતી. આ સંશોધનોએ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને જ ધ્વસ્ત કરી દીધા હતા. કોંગ્રેસના વલણમાં હજી પણ કોઈ પરિવર્તન આવ્યું નથી, માટે વધારે સાવધાન રહેવાની જરૂરત છે. આપણે 25 જૂનનો ખુદને એ યાદ દેવડાવવા માટે ઉપયોગ કરવો જોઈએ કે કોંગ્રેસ અથવા તેના નેતૃત્વવાળી સરકાર કઈ કઈ શરારતો કરવામાં સમર્થ છે? આપણે વિરોધથી ધૃણા કરનારી કોંગ્રેસ દ્વારા કટોકટી દરમિયાન મારવામાં આવેલા, સતાવાયેલા અને જેલમાં પૂરી દેવાયેલા લાખો લોકોનું સ્મરણ કરવું જોઈએ.

અન્નાની સમાંતર સરકાર બનાવવાની ચાહત: સિબ્બલ


કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે શુક્રવારે કહ્યું કે ગાંધીવાદી નેતા અન્ના હજારે જન લોકપાલ બિલ દ્વારા બંધારણના પાયાગત માળખાનું ઉલ્લંઘન કરીને જવાબદેહી વગરની સમાંતર સરકાર બનાવવા ચાહતા હતા.

રાંચીમાં એક પત્રકાર પરિષદમાં સિબ્બલે કહ્યું કે અન્ના લોકપાલ માટે જવાબદેહી વગર કામ ચલાવવાની શક્તિ આપવાની માગણી કરી રહ્યાં છે. તેનો અર્થ છે કે તે એક સમાંતર સરકાર ચાહે છે. શું આપણા બંધારણના ઘડવૈયાઓએ અત્યારે પેદા થયેલી પરિસ્થિતિ સંદર્ભે ક્યારેય વિચાર્યું હશે?

સિબ્બલે કહ્યુ કે અન્ના લોકપાલ માટે એવી શક્તિ ચાહતા હતા કે જેનાથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગમે તેના પર નજર રાખી શકાય. તેમણે કહ્યુ કે આ ભારતીય ટેલિગ્રાફ એક્ટનું ઉલ્લંઘન છે. શું આ એક સૈન્ય શાસન છે? શું આપણે એક પોલીસ રાજ્ય બનવા ચાહીએ છીએ?

વડાપ્રધાન કાર્યાલય અને ન્યાયતંત્રને લોકપાલ હેઠળ લાવવાની માગણી પર સિબ્બલે કહ્યું કે સરકાર સંસદ પ્રત્યે જવાબદેહ છે અને કોઈપણ સંસદ જન લોકપાલ બિલ પર સ્પષ્ટીકરણની માગણી કરી શકે છે. કોઈપણ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. આ બધાં બંધારણીય મુદ્દા છે.

સિબ્બલે ભાજપ અને આરએસએસ પર આ બિલની આડમાં આખા દેશમાં અરાજક માહોલ પેદા કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે આ લોકો લોકતંત્રને સુચારુપણે ચલાવવામાં બંધારણીય માળખાના મહત્વ સંદર્ભે કંઈ બોલતા નથી.

સિબ્બલે દાવો કર્યો છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ એ જાણી ગયું છે કે તે આગામી દશ વર્ષ સુધી સત્તામાં આવવાનું નથી, માટે તે આવું કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે માટે આ લોકોએ યોગગુરુ  રામદેવને સામે કરીને આવી પરિસ્થિતિ પેદા કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસે 824 બેઠકોમાંથી 356 બેઠકો પર ચૂંટણી લડીને 172 પર જીત હાસિલ કરી છે, જ્યારે ભાજપે 400 બેઠકો પર ચૂંટણી લડીને માત્ર પાંચ બેઠકો પર જીત નોંધાવી છે.

ભાજપ દ્વારા સંસદને બાધિત કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યુ કે ભાજપના નેતા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા માટે આગળ આવવાની જગ્યાએ હરિદ્વાર જઈને રામદેવના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર દેશની સામે એક પડકાર છે અને તેનો એક સ્વરમાં વિરોધ કરવાની જરૂરત છે.

સિબ્બલે કહ્યુ કે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારનો વિરોધ કરવાના પુરાવો એ. રાજાનું જેલમાં હોવું છે. તેમણે કહ્યુ કે બીજી તરફ નાયબ વડાપ્રધાન કાળ દરમિયાન લાલકૃષ્ણ અડવાણીએ તત્કાલિન ભાજપ અધ્યક્ષ બાંગારુ લક્ષ્મણ અને જ્યોર્જ ફર્નાંડિઝના મામલામાં કંઈ કર્યું ન હતું.

અડવાણી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યુ કે બંગારુ લક્ષ્મણને કેમેરામાં લાંચ લેતા દેખાયા અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાંડિઝની સંરક્ષણ સમજૂતીઓમાં ભ્રષ્ટાચારના મામલા પર અડવાણીએ શું કર્યું? તેમણે અડવાણી પાસેથી જાણવા ઈચ્છયુ છે કે તેમના કાર્યકાળમાં તેઓ લોકપાલ બિલ કેમ લાવી શક્યા નહીં?

માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે જાણવાની ઈચ્છા કરી છે કે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સામાજીક કાર્યકર્તા અન્ના હજારેના ગુજરાતમાં ભ્રષ્ટાચારના આરોપોને કેમ સ્વીકારતા નથી?

સિબ્બલે પત્રકારોને કહ્યુ કે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી કહે છે કે તેઓ અન્ના હજારેની સાથે છે. અને અન્ના હજારે કહે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે. માટે ગડકરીએ સ્વીકાર કરવુ જોઈએ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશન પર જવું જોઈએ.

સિબ્બલે કહ્યુ કે ભાજપે એ પણ જોવું જોઈએ કે યોગગુરુ રામદેવે કઈ રીતે સરકારી જમીન અધિગ્રહીત કરી. તેમણે કહ્યુ કે જમીન કોણે આપી? શું મધ્ય પ્રદેશ, ઝારખંડ અથવા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આવું કર્યુ છે? આરએસએસે સ્વીકારવું જોઈએ કે તે તેમને ટેકો આપી રહ્યું છે.

ભાજપને લોકતાંત્રિક મૂલ્યો અને વિકાસ કાર્યોની જરૂરત પર ધ્યાન આપવાની સલાહ આપતા સિબ્બલે કહ્યુ કે આરએસએસ અને ભાજપ એવો માહોલ ન બનાવે કે જેનાથી વિકાસનો માર્ગ અવરોધાય.

તેમણે કહ્યુ કે કોંગ્રેસ અને યુપીએ માટે આરોગ્ય, શિક્ષણનો અધિકાર, મનરેગા, જાહેર વિતરણ પ્રણાલી, ખાદ્ય સુરક્ષા મહત્વપૂર્ણ વિષયો છે. માટે વિપક્ષે આવો માહોલ ન બનાવવો જોઈએ કે જેનાથી આર્થિક વિકાસ અવરોધાય.

પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ નફા-નુકસાનનો છે: અમેરિકા


અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનું કહેવું છે કે અમેરિકા જ્યારે પણ ભારત સાથે સંબંધ સુધારવાની કોશિશ કરે છે, તો પાકિસ્તાનમાં એક પ્રકારની અસહજતા ઉત્પન્ન થઈ જાય છે, જેમાં નફા અને નુકસાનનો દ્રષ્ટિકોણ હોય છે.

હિલેરીએ કહ્યું કે અમે જ્યારે ક્યારેય ભારત સાથે સંબંધો સુધારવાની કોશિશ કરીએ છીએ, પાકિસ્તાનમાં અસહજતાનો ભાવ પેદા થઈ જાય છે. ભારત સાથે અમે 1990ના દશકથી જ સંબંધો સુધારવાની શરૂઆત કરી દીધી હતી.

તેમણે સેનેટની વિદેશ મામલાઓની સમિતિની સમક્ષ ગુરુવારે કહ્યું કે પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ હોય છે કે શું તમે અમારા દોસ્ત છો અથવા તેમના દોસ્ત. આ બાબતો તેમના માટે નફા-નુકસાનની કસોટી પર તોળવાનો ખેલ છે. 

હિલેરીએ કહ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની બહાલીથી ઉત્સાહિત છે. તેની સાથે જ તેમણે ભારતના એ વલણનું સમર્થન કર્યુ છે કે પાકિસ્તાને પોતાની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃતિઓ માટે થવા દેવો જોઈએ નહીં.

CPC દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી


ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)ના સભ્યોની સંખ્યા આઠ કરોડના આંકડાને પાર પહોંચવાની સાથે જ તે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે.

સીપીસીની કેન્દ્રીય સમિતિના ઓર્ગેનાઈઝેશન ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ વાંગ ક્વિંગફેંગે જણાવ્યુ કે ગત વર્ષના અંતમાં પાર્ટીના સભ્યોની સંખ્યા આઠ કરોડને પાર પહોંચી ગઈ હતી. તેમણે 1 જુલાઈએ પાર્ટીની 90મી વર્ષગાંઠ પહેલા મીડિયાને આ જાણકારીથી અવગત કર્યું છે.

સામ્યવાદના પ્રતીક ચીની નેતા માઓત્સે તુંગે માત્ર 50 સભ્યોની સાથે 1921માં પાર્ટીની સ્થાપના થઈ હતી. 1949માં સત્તામાં આવવા સુધી પાર્ટીના સભ્યોની સંખ્યા 45 લાખ સુધી પહોંચી ગઈ હતી. વાંગે કહ્યું કે 62 વર્ષ સત્તામાં રહ્યા બાદ પાર્ટી હજી પણ લોકોમાં લોકપ્રિય છે અને ગત વર્ષ 30 લાખથી વધારે લોકોએ તેનું સભ્યપદ લીધુ છે.

પાર્ટી સાથે જોડાયેલા નવા સભ્યોમાં કોલેજના વિદ્યાર્થીઓના પણ બે સમૂહ છે. તેના સિવાય ઔદ્યોગિક કર્મચારી, ખેડૂત, પશુપાલકો પણ નવા સભ્ય છે. આ સિવાય પાર્ટીમાં એક કરોડ 80 લાખથી વધારે મહિલાઓ છે. 2010 સુધી આ ગણના પ્રમાણે, પાર્ટીમાં લગભગ 53 લાખ લઘુમતી સમુદાયોના લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

ઓસામા અને ISI વચ્ચે લિંકના પુરાવા મળ્યા


ઓસામા બિન લાદેન પર કરવામાં આવેલી અમેરિકી કાર્યવાહીમાં જપ્ત કરાયેલા અલકાયદા સરગનાના એક વફાદાર સંદેશવાહકના મોબાઈલ ફોનથી પાકિસ્તાનની આઈએસઆઈના લાંબા સમયથી સહયોગી રહેલા આતંકવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીન (એચયૂએમ) સાથે સંપર્કના સંકેત મળે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ઓસામા પાકિસ્તાનના આતંકવાદી સંગઠન એચયૂએમનો દેશમાં પોતાના સહયોગી નેટવર્ક તરીકે ઉપયોગ કરતો હતો. અખબારમાં અધિકારીઓ અને વિશ્લેષકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેનાથી એ પણ સવાલ ઉભો થાય છે કે શું આ સંગઠન અને આ પ્રકારના અન્ય સમૂહોએ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની તરફથી ઓસામાને શરણ અને અન્ય પ્રકારની મદદ આપી હતી.

મોબાઈલ વિશ્લેષણ સાથે જોડાયેલા અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે આ એક ગંભીર પુરાવો છે. આ એ કૂચી છે જેની તેઓ શોધ કરી રહ્યાં હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ પ્રમાણે આ ખુલાસાથી દસ વર્ષ પહેલા અમેરિકી હુમલા બાદ અફઘાનિસ્તાનના તોરાબોરા વિસ્તારમાંથી ઓસામાના ભાગવાની ગુત્થીની મહત્વની કડી પણ મળે છે.

સીઆઈએના એક ભૂતપૂર્વ અધિકારી બ્રૂસ ઓ રીડેલે કહ્યું, હરકત અલકાયદાનું એક ઘણું જ જૂનું અને નજીકનું સહયોગી છે તથા આઈએસઆઈની અત્યંત નજીક છે. રેકોર્ડથી ખબર પડે છે કે હરકતે ગુપ્તચર અધિકારીઓને ફોન કર્યા હતા, પરંતુ પરંતુ એ ખબર પડી નથી કે શું તે ફોન ઓસામા સાથે સંબંધિત હતા.

હરકતના નેતા અલકાયદા અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે મજબૂતાઈથી જોડાયેલા છે અને તેઓ કોઈપણ સ્થાને આવાગમન કરી શકે છે, કારણ કે તેઓ પાકિસ્તાની છે, જે અલકાયદાની રેન્ક બનાવનારા કેટલાંક વિદેશી કરી શકે નહીં.

મોંઘા ભોજનનો અર્થ


એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોની મોંઘવારી ઓછી કરવાની કોઈ રીત સરકાર પાસે નથી. 11 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારી વધીને 9.13 ટકા થઈ. 4 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં તે 8.96 ટકા હતી. સરકાર અથવા નીતિ-નિર્માતા આ મોંઘવારીનો કોઈ ઉપાય શોધી શક્યા નથી, તમામ જાણકારોને પણ સમજ પડતી નથી કે મોંઘવારી કેવી રીતે ઓછી કરાય.

મુશ્કેલી એ છે કે માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં, તમામ ચીજોની કિંમતો વધી રહી છે. રિજર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, પરંતુ મોંઘવારી કાબૂમાં આવી રહી નથી. રિજર્વ બેંકના અધિકારીઓનો અભિપ્રાય એ છે કે ખાદ્ય મોંઘવારી ઓછી કરવા માટે સ્થાયી ઉપાય એ છે કે ખાવા-પીવાની ચીજોની આપૂર્તિ વધારવામાં આવે. હવે આશા મોનસૂનથી છે કે જો સારો વરસાદ થશે તો મોંઘવારી ઓછી થાય, પરંતુ વરસાદથી પણ કેટલી આશા લગાવી શકાય. ગત વર્ષ શાનદાર મોનસૂન અને રેકોર્ડ ઉપજ છતાં મોંઘવારીમાં ક્યાં કોઈ ફરક પડયો?

હવે એક વાત સ્વીકાર કર્યા બાદ જ આગળ વધી શકાય છે કે ખાદ્ય પદાર્થોની આપૂર્તિમાં જે સમસ્યા છે, તેને દૂર કરીને જ આ મોંઘવારીનો ગ્રાફ સ્થાયી રીતે રોકી શકાય છે. સ્પષ્ટ છે કે જો આ સમસ્યાઓનો હલ કરી પણ લેવામાં આવે છે, તો તેની અસર થવામાં વખત લાગશે. માટે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કોઈ નથી.

એક મોટી સમસ્યા એ છે કે ગત વર્ષોમાં ખેતીની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી ખેતીનો વિકાસદર લગભગ નગણ્ય જ રહ્યો છે, જ્યારે વસ્તી વધતી ગઈ છે અને અનાજની માગણી પણ વધી રહી છે. બીજી સમસ્યા એ છે કે જો અનાજ અથવા અન્ય ખાદ્ય વસ્તુઓ પેદા થાય છે, તેમનો ગ્રાહકો સુધી પહોંચવાનો રસ્તો બેહદ જટિલ, વાંકોચુકો અને કંટકો ભરેલો છે.

તેનાથી થાય છે એ કે જે ખાદ્ય વસ્તુઓ ઉપલબ્ધ છે, તે પમ ગ્રાહકો સુધી પહોંચતી નથી અથવા પહોંચે છે, તો તેમાં ઘણી બધી બરબાદી છે. તેમાં ઘણાં નાણાં ખર્ચ થાય છે અને સમય પણ બરબાદ થાય છે, જેનું પરિણામ વસ્તુઓની અછત અથવા ખૂબ મોંઘવારીના સ્વરૂપે સામે આવે છે. આપણે ત્યાં આપૂર્તિ શ્રૃંખલા એવી છે કે તેમાં માત્ર વચેટિયાઓને ફાયદો થાય છે, ખેડૂત અને ગ્રાહકો,બંને નુકસાનમાં રહે છે.

ખેતીની ઉત્પાદકતા વધારવાની ચર્ચા સરકારી ક્ષેત્રોમાં ગત એક-બે વર્ષમાં શરૂ થઈ છે, પરંતુ જમીની સ્તર પર તેને અમલમાં લાવવામાં કેટલાંક વધુ વર્ષ લાગી જશે. લગભગ 45 વર્ષ પહેલા શરૂ થયેલી હરિત ક્રાંતિ દેશના મોટા ભાગ સુધી પહોંચી નથી. ખાસ કરીને દેશના પૂર્વ ભાગમાં ખેતી પર વિશેષ ધ્યાન આપીને ખાદ્યાન્ન ઉત્પાદન મોટા પ્રમાણમાં વધારી શકાય છે.

બીજી સમસ્યા ભંડારણ અને વિતરણની છે. દર વર્ષે દેશમાં ન જાણે કેટલું અનાજ યોગ્ય ભંડારણ વગર સડી જાય છે. તેવી જ રીતે શાકભાજી અને ફળોનો લગભગ એક ચતુર્થાંસ બાગ ગ્રાહકો સુધી પહોંચતા પહેલા સડી જાય છે. યોગ્ય ભંડારણ, ગ્રાહકો સુધી ઝડપી પહોંચ અને વચેટિયાઓની સંખ્યામાં ઘટાડાથી ખાદ્ય મોંઘવારી પર લગામ લગાવી શકાય છે.

ખાદ્ય મોંઘવારીની તેજ ચાલ દેશના વિકાસ પર પણ બ્રેક લગાવી શકે છે, કારણ કે જે પરિવાર ગરીબી રેખાની હદમાં નથી, પરંતુ તેની આસપાસ છે, તેમની આવકનો મોટો ભાગ ભોજનમાં ખર્ચાય જાય છે. મોંઘા ભોજનનો અર્થ એ છે કે તેમની તે આવક, જે તેમનું જીવનસ્તર ઉઠાવવામાં મદદગાર થઈ શકતી હતી, તે ભોજન પર ખર્ચાય જશે. સસ્તુ ભોજન માત્ર સારા આરોગ્ય અને ઉત્પાદકતા માટે જ જરૂરી નથી, પરંતુ તે દેસના ગરીબ વર્ગોના જીવનસ્તરને ઉંચે ઉઠાવવામાં પણ મદદગાર છે. પરંતુ આ સ્પષ્ટ છે કે સમસ્યા પાયાગત છે, માટે તેનો ઉકેલ પણ ઘણો જ બુનિયાદી અને જમીની સ્તરનો હોવો જોઈએ.

Thursday, 23 June 2011

કાળું ધન સ્વિસ બેંકોમાં નહીં, દેશની અંદર છે



સ્વામીનાથન અંકલેસરિયા અય્યર, સૌજન્ય- નવભારત ટાઈમ્સ

બાબા રામદેવનું વિદેશોમાં જમા કાળા ધન માટે આંદોલન અપ્રભાવી રહ્યું, કારણ કે તે માત્ર શંકા પર આધારીત હતું. પરંતુ આશ્ચર્યની એ વાત છે કે મીડિયા પણ આ કલ્પિત કથાને વારંવાર પુનરોચ્ચારિત કરી રહ્યું છે કે ઘણાં મોટા પ્રમાણમાં આપણા દેશનું કાળું ધન સ્વિસ બેંકોમાં પડેલુ છે. આવું માત્ર મૂર્ખ લોકો જ કરી શકે છે, જેમને પોતાના ધનની યોગ્ય વ્યવસ્થા કરવાનું આવડતું નથી. કારણ કે સ્વિસ બેંકોમાં વ્યાજનો દર એક ટકાથી પણ ઓછો છે. જે લોકો પાસે ખરેખર કાળું ધન છે, તેઓ તેની વ્યવસ્થા માટે આર્થિક સલાહકાર રાખે છે. બજારમાં આ પ્રકારના અનેક સલાહકાર અને વિશેષજ્ઞ હાજર છે, જેઓ આવા ધનને શેર માર્કેટ, બોન્ડ્સ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરાવી શકે છે અને 10થી 20 ટકા સુધી કમાણીનો ભરોસો અપાવી શકે છે. જ્યારે આ પ્રકારનો વિકલ્પ અહીં જ હાજર છે તો કોઈ નૌસિખિયો જ સ્વિસ બેંકોમાં નાણાં જમા કરાવવા જશે.

જર્મનીમાં માત્ર 18 ખાતા

જર્મનીની લિક્ટેંશ્ટાઈન બેંકના ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે. તેણે વિશેષ રૂપથી ઓળખ કરીને ત્યાં 26 ભારતીયોના ખાતા કાઢયા, જેમાંથી માત્ર 18 ખાતાઓ એવા છે કે જેમને અહીં ટેક્સની મર્યાદામાં લાવી શકાય. તેના સિવાય સંપૂર્ણ બે વર્ષોની મહેનત બાદ તેમાંથી માત્ર 39 કરોડ રૂપિયા ટેક્સની પ્રાપ્તિ કરી શકાય. બની શકે છે, જ્યારે સ્વિસ બેંકના રહસ્યો ખુલે તો કંઈક વધારે ટેક્સની વસૂલી થઈ જાય. સરકાર ઘણાં દેશો સાથે આ પ્રકારની સંધિ કરી રહી છે કે તેમની બેંકોમાંથી વધારેમાં વધારે માહિતી આપણને મળી શકે. કોઈ સારા રોકાણની રાહ જોવામાં કોઈ નેતા અથવા વેપારી થોડા સમય માટે આવી કોઈ સ્વિસ બેંકમાં પોતાનું કાળું ધન રાખી શકે છે, જ્યાં સુધી કોઈ સારા રોકાણ સલાહકારની વ્યવસ્થા થઈ જતી નથી. પરંતુ દશકો પહેલા જે કાળું ધન વિદેશોમાં મોકલવામાં આવ્યું છે અથવા દશકોથી જે મોકલાતું રહ્યું છે, તેનો મોટાભાગનો હિસ્સો કોઈપણ સંપત્તિના સ્વરૂપમાં વિશ્વના કોઈપણ ખૂણામાં છુપાવીને રાખવામાં આવ્યો હોઈ શકે છે.

છુપાવવા માટે ભારત શ્રેષ્ઠ

તે ક્યાં રાખવામાં આવ્યું હશે, કોઈ જાણતું નથી. પરંતુ તેને છુપાવવા માટે સૌથી સારી જગ્યા ભારત વર્ષ જ છે- સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા અથવા યૂરોપ નહીં. વર્ષ 2000થી અત્યાર સુધીના સમયગાળામાં અમેરિકામાં મકાનની કિંમતો બેગણી થઈ ગઈ, પરંતુ રિયલ એસ્ટેટમાં આ ઉછાળો એક ગુબ્બારાની જેમ હતો, જે ફૂટી ગયો. પરંતુ ભારત વર્ષમાં રિયલ એસ્ટેટ, ઘર અથવા જમીન-સંપત્તિની કિંમતો દશ ગણી થઈ ગઈ છે, જેવું કે રાજનેતા પોતાની સંપત્તિના ઘોષણાપત્રમાં દેખાડે છે. આ જમીન-સંપત્તિ પ્રત્યે તેમનું આકર્ષણ દેખાય છે.

ન્યૂયોર્કમાં દેખાઈ રહ્યું છે કે ડાઉ જોન્સનો ઈન્ડેક્ષ વર્ષ 2000થી ઉપર છે, પરંતુ ભારતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ છ ગણો ઉપર પહોંચ્યો છે. ભારતમાં બોન્ડનું વ્યાજ 8 ટકા છે. જ્યારે અમેરિકા અને જર્મનીમાં આ ત્રણ ટકાની નજીક છે. આજે ભારતમાં ઈન્કમટેક્ષના નિયમો ઘણાં જ સરળ છે, જેને જમા કરીને કોઈપણ ભારતીય પોતાની સંપત્તિ રાખી શકે છે. લભાંશ અને કેપિટલ ગેન પર કોઈ ટેક્સ નથી. આ પ્રકારે કાળા ધનના મોટાભાગને, જે વિદેશોમાં હતો, ગત બે દશકોમાં સફેદ બનાવીને દેશની અંદર લવાયો છે. સંભવ છે કે તે ધન આજે દેશના આર્થિક વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે. પરંતુ જમીન-સંપત્તિની કિંમતોમાં આટલો વધારો અને ચૂંટણીમાં આટલા મોટા પ્રમાણમાં ખર્ચ તો નિશ્ચિતપણે આ કાળા ધનનું જ પરિણામ છે.

આજે ભારતમાં લગભગ 6 અબજ ડોલર વાર્ષિક એનઆરઆઈ દ્વારા વિદેશોમાંથી મોકલાયેલુ અને 50 અબજ ડોલર વ્યવસાયમાં ભાગ તરીકે આવે છે. જે કાળું ધન વિદેશોમાં છે, તે પણ અહીં આ નાણાંના એક મોટા ભાગ તરીકે લાવામાં આવે છે. ઘણાં બધાં નાણાં એ દેશોમાંથી વ્યવસાયિક લેણદેણ તરીકે આવે છે, જે દેશો સાથે આપણા ડુઅલ ટેક્સ એવોયડેન્સ એગ્રીમેન્ટ છે અથવા જ્યાં ટેક્સના દર ઓછા છે. આ દેશોમાંથી કાળું ધન સફેદ બનાવીને ફરીથી ભારતમાં રોકાણ કરીને ઈન્કમટેક્ષ બચાવી શકાય છે. પરંતુ આપણે માત્ર વિદેશોથી આવનારા નાણાં પર જ આટલી હાઈતોબા કેમ મચાવી રહ્યાં છીએ? હજી ભારતમાં 3.1 કરોડ લોકો ઈન્કમટેક્ષ આપે છે, જે આપણી વસ્તીના માત્ર 2.5 ટકા છે. આ ટકાવારી 10 ગણી વધીને ઓછામાં ઓછી 25 ટકા હોવી જોઈએ. દેશની અંદર કોઈપણ અડચણ વગર કાળું ધન સફેદ અને સફેદ ધન કાળું થતું રહે છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં હજારો કરોડ રૂપિ.યા દર વર્ષે લગાવાય છે. તેના જાણકારો તમને સલાહ આપશે કે કેવી રીતે તમારા નાણાં કાળા-સફેદ કરી શકાય છે. ગામડાંઓમાં કરોડો રૂપિયાનો કારોબાર પણ કેશથી જ થાય છે. ત્યાં કોઈ ઈન્કમટેક્ષ આપતું નથી. આયકર અધિકારી ભ્રષ્ટ છે અને તેમને તકનીકી જાણકારી પણ ઓછી છે. માટે પકડાવાની સંભાવના ઘણી ઓછી છે. કંપનીઓ પોતાની અંદર સેંકડો કંપનીઓ બનાવે છે અને તેમાથી પેદા થાય છે અભેદ્ય જાળું. દેશનો એક મોટો ભાગ ઈન્કમટેક્ષ ઓફિસના 50 કિલોમીટરના અંતરથી બહાર છે.

બાબા પહેલા આ શોધે

અહીં એટલું સંભવ નથી કે કાળા ધનના દરેક સંભવિત માર્ગોનું વર્ણન કરી શકાય. પરંતુ જો બાબા રામદેવ, અન્ના હજારે અને સરકાર કાળું ધન શોધવા માટે ગંભીર છે, તો તેમની પ્રાથમિકતા સ્વિસ બેંક ન હોવી જોઈએ. તેઓ સૌથી પહેલા દેશની અંદર રહેલા કાળા ધનને શોધે. મોટાભાગનું કાળું ધન દેશની બહાર જતું નથી અને જે જાય છે, તેમાંથી ઘણું બધું ધન સફેદ થઈને દેશની અંદર ફરીથી આવી જાય છે.