સુભાષ કશ્યપ
સંસદનું મોનસૂન સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષની તૈયારીઓને જોઈને એ શંકા પ્રબળ થઈ રહી છે કે આ સત્ર હંગામાની ભેંટ ચઢી શકે છે. શું હોઈ શકે તેનાથી બચવાના રસ્તા, આ મુદ્દા પર પેશ છે, એક બંધારણવિદ્દનો દ્રષ્ટિકોણ.
સંસદનું મોનસૂન સત્ર સોમવારથી શરૂ થયું છે. ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી યુપીએ સરકાર આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની ઘોષણા કરી ચુકી છે. બીજી તરફ વિપક્ષ ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દા પર સરકારને ઘેરવા માટે કમર કસી ચુક્યો છે. તેવામાં આમ લોકો એ આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે આ સત્ર પણ હંગામાની ભેંટ ચઢી શકે છે. સંસદ સત્રને હંગામાથી બચાવવાનો શું છે રસ્તો, આ એક રાજકીય પ્રશ્ન છે અને તેનો હલ પણ રાજકીય પક્ષોને જ મળી-બેસીને કાઢવો પડશે.
કાયદાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો ગૃહમાં અવ્યવસ્થા ન થાય, કાર્યવાહી સુચારુરૂપથી ચાલી શકે અને સંસદની ગરિમા બનેલી રહે, તેના માટે અનેક જોગવાઈ છે. અધ્યક્ષ મહોદય કડક પગલાં ઉઠાવી શકે છે. અડચણ પેદા કરનારા સાંસદોને કાઢી શકાય છે. આ સંદર્ભે ભૂતકાળના ઉદાહરણો પણ છે, જ્યારે એક દિવસમાં 60થી વધારે સાંસદો ગૃહમાંતી કાઢી મૂકાયા હતા. પરંતુ ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને સરકારને બે તૃતિયાંશ બહુમતી હાસિલ હતી. આજે સરકારની બહુમતી અત્યંત ઓછી અને સંદિગ્ધ છે. ટેકો આપનારા ક્યારે તેમની વિરુદ્ધ થઈ જાય, કહી શકાય તેમ નથી. આવા વાતાવરણમાં સત્તાપક્ષ માટે એ સંભવ નથી કે વિપક્ષના હંગામા કરી રહેલા તમામ સાંસદોને બહાર નીકાળી દેવાય.
રાજકીય દ્રષ્ટિથી પણ જોઈએ, તો વિપક્ષી સાંસદોને નીકાળીને સંસદને શાંતિપૂર્વક ચલાવવી કેટલી યોગ્ય-અયોગ્ય હશે, તેના પર પણ ઘણી ચર્ચા થઈ શકે છે. તેવામાં હાલ એ રસ્તો જ બચે છે કે બંને પક્ષ સાથે મળી ઈમાનદારીથી રસ્તો કાઢે, જેનાથી સંસદની ગરિમા પર કોઈ આઘાત ન થાય. બંને પક્ષ એક એવી સમજૂતી કરે, જેના તત્વાધાનમાં ગૃહ સુચારુ રીતે ચાલી શકે. પરંતુ એવી કોઈ સમજૂતી સુધી પહોંચવા માટે બંને પક્ષોએ ઈમાનદારીથી પહેલ કરવી પડશે. બંને પક્ષોએ એક હાથે આપવાની અને બીજા હાથે લેવાની નીતિ અપનાવવી પડશે. સત્તાપક્ષે વિપક્ષની કેટલીક માગણીઓ માનવી પડશે, જ્યારે વિપક્ષે પણ પોતાની કેટલીક માગણીઓ પર હઠનો ત્યાગ કરવો પડશે.
સત્ર શરૂ થતાં પહેલા સર્વપક્ષીય બેઠકની જોગવાઈનો આ હેતુ છે. પરંતુ સામાન્ય રીતે બંને પક્ષો સત્ર શરૂ થતાં પહેલા આવી કોઈ સમજૂતી સુધી પહોંચવાની ઈમાનદાર કોશિશ કરતાં નથી. બાદમાં હંગામો થવાથી સત્તા પક્ષ આરોપ લગાવે છે કે વિપક્ષ ગૃહની ગરિમાનું હનન કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ આરોપ લગાવે છે કે સરકાર તેમની માગણીઓ પર ધ્યાન ન આપીને ગૃહનો અનાદર કરી રહી છે, તેઓ તો યોગ્ય કોશિશ કરી રહ્યાં છે કે સરકાર જનતાનો અવાજ સાંભળે, જેથી લોકતંત્ર મજબૂત બની રહે. સંભાવના એ છે કે આ સત્રમાં પણ અમે અને તમે સત્તાપક્ષ તથા વિપક્ષ વચ્ચે આવી જ રસ્સાકશી થતા જોશો.
આ સમસ્યાની જડ આપણી રાજકીય વ્યવસ્થામાં છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે જ્યારે પણ કોઈ પક્ષની તરફથી ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે છે, તો બીજો પક્ષ પોતાનો બચાવ કરવાની જગ્યાએ એ કહે છે કે તમે પણ ભ્રષ્ટ છો. સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર બંને પક્ષોમાં ઘર કરી ચુક્યો છે. કોઈપણ દૂધનો ધોયેલો કહી શકાય તેમ નથી.
હકીકતમાં આપણી રાજકીય વ્યવસ્થા જ એવી છે કે જેમાં તમામ પક્ષોને ભ્રષ્ટ બનવા માટે મજબૂર થવું પડે છે. કોઈપણ પક્ષને પોતાનો રાજકીય કાર્યક્રમ ચલાવવા અને ચૂંટણીમાં ભાગ લેવા માટે કરોડો-અબજો રૂપિયા જોઈએ. હવે કોઈ વ્યક્તિ નિ:સ્વાર્થ ભાવથી ઘોષિત ધન તો આ પક્ષોને દાનમાં આપશે નહીં, માટે આ પક્ષો માટે આવકનું સાધન બને છે અમીરોનું કાળું ધન અને ભ્રષ્ટાચાર. તેવામાં માત્ર એ કહેવાથી કે ભ્રષ્ટાચાર માટે રાજનેતા અને રાજકીય પક્ષ દોષી છે, અથવા પછી તેમના ઉપર જનલોકપાલ અથવા કોઈ અન્ય નામથી કોઈ પહેરો બેસાડી દેવાતી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય. આ ભ્રષ્ટાચારથી લડવાનો એક જ રસ્તો છે વ્યવસ્થાગત પરિવર્તન. આ પરિવર્તનની શરૂઆત જો કોઈ એક પગલાંથી કરવાની છે, તો આ પગલું લોકપાલ બિલન ન હોઈ શકે. તેના માટે પહેલું પગલું હશે ચૂંટણી સુધારનું. એક એવો સુધારો, જેનાથી રાજકીય પક્ષો માટે ભ્રષ્ટાચાર મજબૂરી ન રહી જાય અને જનતાના સાચા પ્રતિનિધિ ચૂંટાઈને સંસદમાં પહોંચે. જ્યારે સંસદમાં સારા લોકો ચૂંટાઈને આવશે, તો ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા અને યોગ્ય નીતિઓ બનાવવા માટે આટલી માથાકૂટની જરૂર પડશે નહીં.
અત્યારે લોકસભાના 150થી વધારે સાંસદો પર આપરાધિક મામલા ચાલી રહ્યાં છે. ત્રણસોથી વધારે સાંસદો કરોડપતિ છે, તેવું તેમણે ખુદ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે. બીજી તરફ 78ટકા સાંસદો એવા છે કે જેમના પક્ષમાં ઓછા, વિરોધમાં વધારે મત પડયા છે. ચૂંટણીની આવી વ્યવસ્થાથી ચૂંટાઈને આવેલા લોકોને જનતાના સાચા પ્રતિનિધિ કહેવા પર પણ સવાલ ઉઠે છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત સાંસદોની સંખ્યા પણ નિરાશાજનક છે. જ્યારે ગૃહમાં આવા સાંસદો બેઠા હોય તો તેમની પાસે જનહિતના મુદ્દા પર ચર્ચાની આશા કેવી રીતે કરી શકાય છે? આ ચર્ચાથી બચવા માટે તેઓ હંગામો કરશે જ.
કેટલાંક સમય પહેલા મીડિયાએ દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ માહોલ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેનાથી સરકારને જ્યારે વ્યવસ્થા પરિવર્તનનું જોખમ મહેસૂસ થવા લાગ્યું, તો તેમણે જનાતનું ધ્યાન ભ્રષ્ટાચારથી હટાવીને લોકપાલ બિલ પર લગાવી દીધું. હવે લોકપાલ બિલનો મુસદ્દો કરીને ચર્ચાને એ તરફ વાળી દીધી છે કે વડાપ્રધાન લોકપાલ હેઠળ લાવવામાં આવવા જોઈે કે નહીં. આ આખી કવાયત ભ્રષ્ટાચારથી આમ જનતાનું ધ્યાન હટાવવાની સમજી-વિચારીને કરાયેલી સાજિશ છે.
આપણે કોઈ એવી રાજકીય અને ચૂંટણી વ્યવસ્થા પર ચર્ચા કેમ કરતાં નથી, જેમાં એક સાચા અને ઈમાનદાર વ્યક્તિ વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચે. એવો ભ્રષ્ટ વ્યક્તિ વડાપ્રધાન તરીકે ચૂંટાય જ નહીં કે જેના પર પહેરો બેસાડવો પડે. અને પછી તમે કેટલાં પર પહેરા બેસાડી લેશો? વડાપ્રધાન પર પહેરો કરનાર જ ભ્રષ્ટ થઈ જાય તો શું તેની ઉપર, પછી તેનાથી પણ ઉપર વધુ એક પહેરો બેસાડતા જઈશું?
સમય આવી ગયો છે કે હવે ભ્રષ્ટાચાર ખતમ કરવાના અને સંસદની ગરિમાને બચાવવાના છીછરા પ્રયાસો બંધ કરી આ સમસ્યાના મૂળ પર પ્રહાર કરવામાં આવે. રાજકીય અને ચૂંટણી વ્યવસ્થામાં એવો ફેરફાર કરવામાં આવે, જેનાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે અને જનતાના સાચા હમદર્દ જ ચૂંટાઈને સંસદ સુધી પહોંચે.
(સૌજન્ય- પ્રભાત ખબર)
No comments:
Post a Comment