ભરત ઝુનઝુનવાલા
નોર્વેના આંદે બ્રેવિકે 76 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દીધા, કારણ કે તે લોકો મુસ્લિમ દેશોથી ઈમિગ્રેશનનું સમર્થન કરતા હતા. બ્રિવિક પહેલા નોર્વેની પ્રોગેસ પાર્ટીનો સભ્ય રહી ચુક્યો છે. આ પાર્ટી ઈમિગ્રેશનનો વિરોધ કરે છે. આ કોઈ નાની-મોટી પાર્ટી નથી. નોર્વેની સંસદમાં તે બીજા ક્રમે છે. બ્રેવિકનું માનવું છે કે વર્ષ 2070 સુધી યૂરોપના અનેક દેશોમાં મુસલમાનો બહુમતીમાં આવી જશે. તેનાથી યૂરોપની ખ્રિસ્તી સંસ્કૃતિ ખતમ થઈ જશે. પોતાની આ વાતને સશક્ત રૂપથી કહેવા માટે તેણે નરસંહારનો રસ્તો અપનાવ્યો, અસલી નારાજગી ઈમિગ્રેશન પોલિસીને લઈને છે.
યૂરોપના ઉચ્ચ જીવન સ્તરની લાલચમાં વિકાસશીલ દેશોના તમામ લોકો ત્યાંના વિભિન્ન દેશોમાં વસવાની કોશિશ કરે છે. ગત વર્ષ ત્યાં 390000 લોકોએ રાજકીય શરણની દરખાસ્ત કરી છે. એકલા ઈંગ્લેન્ડમાં 76 હજાર લોકોએ રાજકીય ઉત્પીડનથી બચવા માટે પ્રવેશ માટે અરજી કરી છે. પરંતુ આજથી ત્રણ-ચાર દશક પહેલા આવી સ્થિતિ ન હતી. 1988માં અહીં આવવા માટે માત્ર ચાર હજાર વ્યક્તિઓએ અરજી કરી હતી.
તેમના પોતાના શ્રમિકો મોંઘા છે
પહેલા આ પ્રકારના ઈમિગ્રેશન માટે એશિયા પણ આકર્ષક હતું, પરંતુ ત્યારે યૂરોપને સસ્તા શ્રમની વિશેષ જરૂરત ન હતી. યૂરોપ નોકિયા ફોન અને રોલ્સ રોયસ જેવી ઉચ્ચ તકનીકી ઉત્પાદનોનું સુખપૂર્વક નિકાસ કરી રહ્યું હતું. આ માલને વેચીને તેનાથી ભારે નફો થતો હતો અને પોતાના શ્રમિકોને તે ઉચ્ચ વેતન ઉપલબ્ધ કરાવતા હતા. ત્યારે બીજા દેશોથી સસ્તા શ્રમની આયાત કરવી જરૂરી ન હતી.
તેમની કંપનીઓ પિટાઈ રહી છે
ગત કેટલાંક વર્ષોમાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. યૂરોપીય કંપનીઓ વૈશ્વિક બજારમાં પિટાઈ રહી છે. જેમકે કોરિયાની સેમસંગે નોકિયા કંપનીને જબરદસ્ત ટક્કર આપી છે. ફોક્સ વેગન જેવી કાર કંપનીઓ ભારે દબાણમાં છે. યૂરોપીય કંપનીઓના પિટાવાનું મુખ્ય કારણ ઘરેલુ શ્રમનું મોંઘુ હોવું છે. ત્યાંનું વર્ક કલ્ચર પણ સુસ્ત છે. આ કારણ યૂરોપમાં ઉત્પાદનની પડતર વધારે આવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા માટે યૂરોપે ઈમિગ્રેશનને પ્રોત્સાહિત કર્યું છે. ફેબ્રુઆરીમાં જર્મનીની ચાંસેલર અંગેલા માર્કેલે સ્પેનના યુવાનોને જર્મનીમાં કામ કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. એક વ્યાપારીક સલાહકાર કંપની અર્નસ્ટ એન્ડ યંગ અનુસાર પોલેન્ડથી ઈંગ્લેન્ડમાં થઈ રહેલા માઈગ્રેશનનો ઈંગ્લેન્ડની અર્થવ્યવસ્થા પર ઘણો સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.
ઈમિગ્રેન્ટ શ્રમિક ઓછા વેતનમાં કામ કરવા માટે તૈયાર રહે છે. તેનાથી કંપનીઓના ઉત્પાદનની પડતર ઓછી થાય છે. અને તે વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ટકી શકે છે. આ ઉદાહરણ યૂરોપીય યૂનિયનની અંદર એક દેશથી બીજા દેશમાં પલાયનનું છે. પરંતુ આ વાત બીજા વિકાસશીલ દેશોથી પલાયન પર પણ લાગુ થાય છે. જો ઈંગ્લેન્ડ માટે પોલેન્ડના શ્રમિક લાભદાયક છે, તો ભારતના શ્રમિક તેનાથી પણ વધારે ફાયદાકારક છે. તેઓ પોલેન્ડના શ્રમિકોથી ઓછાં વેતન પર કામ કરવા માટે તૈયાર છે.
બ્રેવિક જે ઈમિગ્રેશનથી ગુસ્સામાં હતો, તે ઈમિગ્રેશનને યૂરોપની સરકારો અને કંપનીઓ જ પ્રોત્સાહન આપી રહી છે. હાલમાં યૂરોપમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસરના ઈમિગ્રેશન થઈ રહ્યાં છે. પહેલા ત્યાંની સરકારો ગેરકાયદેસર ઈમિગ્રેશન રોકવામાં સફળ રહેતી હતી. તેમની ઘરેલુ અર્થવ્યવસ્થા સુદ્રઢ હતી. પોતાના શ્રમિકોને ઉંચા વેતન આપ્યા બાદ પણ તેઓ પોતાના મોંઘા માલની નિકાસ કરવામાં સફળ રહેતા હતા. આજે વૈશ્વિકરણના કારણે આ નિકાસ દબાણમાં આવી ગઈ છે. જે માલને પહેલા નિકાસ કરી રહ્યાં હતા, તેને તેઓ હવે ખુદ યજમાન દેશોમાં બનાવી રહ્યાં છે. જેમ કે જર્મનીની ફોક્સ વેગન કંપની આજે ભારતમાં ઉત્પાદન કરી રહી છે. તે મોડલની જર્મનીમાં ઉત્પાદિત કાર મોંઘી પડે છે, કારણ કે શ્રમિકોનું વેતન ઉંચુ છે. હાલમાં યૂરોપીય દેશોમાં લઘુત્તમ વેતન 4500 રૂપિયા પ્રતિદિન છે, જ્યારે ભારતમાં 400 રૂપિયા પ્રતિદિન છે. ભારતમાં ઉત્પાદિત તે કાર સસ્તી પડે છે, કારણ કે અહીં શ્રમ સસ્તો છે. ફોક્સ વેગન માટે આ ફાયદાકારક છે કે તે ભારતમાં કારનું ઉત્પાદન કરે. પરંતુ બીજાએ આ સમસ્યાનું સમાધાન ઈમિગ્રેશનના માધ્યમથી શોધ્યું છે.
ઉદાહરણ તરીકે ફ્રાંસમાં દારૂ બનાવવા માટે દ્રાક્ષની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. સરકાર દ્વારા નિર્ધારીત લઘુત્તમ વેતન ઉંચુ હોવાને કારણે આ ખેડૂત આફ્રિકાથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા શ્રમિકોનો ઉપયોગ કરે છે. યૂનિવર્સિટી ઓફ મિલાનના ઈમિલિયો રેનેરીએ તેનો એક અભ્યાસ કર્યો છે કે કેવી રીતે સસ્તા શ્રમની આ માગણી ગેરકાયદેસર ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપી રહી છે.
યૂરોપીય દેશોના પોતાના યુવાનો બેરોજગાર છે. ત્યાંની કંપનીઓ તેમને રોજગાર આપતી નથી, કારણ કે તેમને નિર્ધારીત લઘુત્તમ વેતન આપવું પડે છે. તેઓ ગેરકાયદેસર ઈમિગ્રેન્ટોને પસંદ કરે છે, કારણ કે તેમને વેતન ઓછું આપવું પડે છે. ઈમિગ્રેશન પર પ્રતિબંધ લગાવવાનું પરિણામ એ હશે કે ત્યાંના ઉદ્યોગો ચોપટ થઈ જશે.
યૂરોપીય દેશોની સામે હવે બે જ વિકલ્પ છે. એક એ કે તેઓ પોતાના ઘરેલુ શ્રમિકોનું વેતન ઘટાડી દે, જેથી તેમના માલના ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ટકી શકે. બીજો વિકલ્પ છે કે વિદેશોથી શ્રમિકોની આયાત કરે. યૂરોપીય દેશોએ બીજો વિકલ્પ અપનાવ્યો છે.
વૈશ્વિકરણમાં રોક સંભવ નથી
પરંતુ આ આયાત કરાયેલા શ્રમિકોથી યૂરોપીય સંસ્કૃતિ વિઘટિત થશે. ઈમિગ્રેશનની સાથે બહારી સંસ્કૃતિનો પ્રવેશ અનિવાર્ય છે. માટે મૂળ પ્રશ્ન ઈસ્લામ દ્વારા યૂરોપીય સંસ્કૃતિ પર આક્રમણનો નથી, પ્રશ્ન યૂરોપીય સંસ્કૃતિ વિરુદ્ધ યૂરોપીય અર્થવ્યવસ્થા છે. બ્રેવિક જેવાં લોકો આ વાતને સમજી રહ્યાં નથી. તેઓ ઈમિગ્રેશન રોકશે તો સંસ્કૃતિ બચશે. બદલામાં તેમણે પોતાનું વેતન ઘટાડવું પડશે. ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપશે, તો બહારી સંસ્કૃતિનો પ્રવેશ થશે જ. વૈશ્વિકરણમાં તેના વગર ગુજારો શક્ય નથી. તેમણે પોતાનો વિચાર બદલવો જ પડશે.
સૌજન્ય- નવભારત ટાઈમ્સ
No comments:
Post a Comment