તવલીન સિંહ
અન્ના હજારે વિરુદ્ધ હાલના સમયમાં કંઈપણ બોલવું ભગવાન વિરુદ્ધ બોલવા સમાન છે. તેમ છતાં પણ બોલવા મજબૂર છું, એક જવાબદાર પત્રકાર હોવાના નાતે. પરંતુ ફરીયાદ કરતાં પહેલા તેમના આંદોલનની સારી વાતોનો ઉલ્લેખ પણ કરવા ચાહું છું. સૌથી સારી વાત તો એ માનું છું કે 20 વર્ષના લાંબા અરસા બાદ જ્યારે ઉત્સાહિત નવયુવાનો, વિદ્યાર્થીઓના સરઘસ દિલ્હીની સડકો પર ઘણાં સારાં લાગ્યા. એ પણ સારું લાગ્યું કે આ વખતે તે શિક્ષણ સંસ્થાઓમાં પછાત જાતિઓ માટે અનામતનો વિરોધ કરવા માટે સડકો પર ઉતર્યા નથી. આ વખતે દેશભક્તિનો અંદાજ દેખાઈ રહ્યો છે, પ્રદર્શનકારીઓમાં. હાથમાં તિરંગો છે અને મુખ્ય સૂત્ર છે, વંદેમાતરમ
અન્નાએ એક એવી પેઢીમાં દેશભક્તિની જ્યોતિ જગાવી છે, જે માત્ર પોતાના ભલા માટે કંઈક કરે છે. પ્રદર્શનકારીઓને ધ્યાનથી જો તમે જોવો, તો તેમાંના મોટાભાગના મધ્યમવર્ગના લોકો છે, જેમણે એ જૂનું ભારત જોયું નહીં હોય, જેમાં ન તો ચમકતો માલ હતો, ન મોબાઈલ ફોન, ન ઈન્ટરનેટ, ન સંપન્નતાના આસાર. સ્પષ્ટ છે, નવા ભારતમાં પેદા થયેલી પેઢીને દેશની ઓછી પરવાહ છે અને પોતાની વધારે, તો તેમનામાં દેશભક્તિ જગાડવી ઘણી મોટી ઉપલબ્ધિ છે. આ કાર્યમાં અન્નાની જીવથી મદદ કરી છે ખાનગી ટીવી ચેનલોએ અને તેમાં કોઈ વાંધો પણ નથી. દૂરદર્શનના જમાનામાં અન્નાનો ચહેરો, તેમના અનશન ક્યારેય ટીવી પર દેખાડવામાં આવત નહીં. અન્નાથી મને ફરીયાદ છે તો એટલી કે તેઓ અજાણતા પોતાના સમર્થકોને ગુમરાહ કરી રહ્યાં છે, ઘણી રીતે. પહેલા તો એ કહેવાથી કે સંસદમાં જે પણ પહોંચે છે, રાજકીય ચોરીથી પહોંચે છે. આવું કહેવું માત્ર ખોટું નથી, ખતરનાક પણ છે. કારણ કે તેમના મોટાભાગના સમર્થક એવા છે જેમને ન તો લોકતંત્રની સમજ છે, ન રાજકારણની. ભારતનું લોકતંત્ર આપણી શાન છે. તેને જીવિત રાખ્યું છે દેશભક્તોએ ઘણાં તોફાનોમાંથી પસાર થયા બાદ. સંસદ આ લોકતંત્રનું ચમકતું પ્રતીક છે, જેનું મુખ્ય દાયિત્વ કાયદો બનાવવું છે. સંસદમાં જો ખોટા પ્રકારના લોકો પહોંચ્યા છે, તો તેમની વિરુદ્ધ નિશંકપણે અવાજ ઉઠાવી શકાય છે, પરંતુ સંસદની મજાક ઉડાડવી ખોટું છે. માટે જ્યારે અન્ના આમરણ અનશન પર બેઠા છે, એ નક્કી કરીને કે તેમનું લોકપાલ વિધેયક સંસદે સ્વીકારવું જ પડશે, તો તે સંસદને નીચું દેખાડી રહ્યાં છે.
તેમના આંદોલન સાથે એવા લોકો જોડાયા છે, જે એમના કહેવા પર માની ગયા છે કે ભ્રષ્ટાચારનો સંપૂર્ણ ઈલાજ છે એક શક્તિશાળી લોકપાલ. પોતાના દિલમાં કદાચ અન્ના પણ જાણે છે કે આવું થવાનું નથી, કારણ કે ભ્રષ્ટાચારના મૂળિયા ઉંડા છે આ દેશમાં અને એટલા ફેલાયેલા છે કે નાનામાં નાના ગામનો નાનામાં નાનો અધિકારી પણ લાંચ લે છે. આમ નાગરીકથી લઈ ધનવાનમાં ધનવાન ઉદ્યોગપતિને લાંચ આપવા માટે મજબૂર કરે છે સરકારી અધિકારી અને રાજનેતા. પરંતુ અન્નાના આંદોલનમાં જોડાયેલા છે એવા લોકો, જે વારંવાર દોહરાવે છે આ જૂઠ્ઠાણું કે ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર જીવિત છે, ભ્રષ્ટાચારને કારણે. ભારતે જો ગત 20 વર્ષોમાં સંપન્નતાના રસ્તા પર પગ મૂક્યો છે, તો તેમાં ભારતીય ઉદ્યોગપતિઓનું યોગદાન વધારે અને સરકારનું ઓછું છે. પરંતુ અન્નાની ટીમમાં એવા લોકો છે, જે ભારતીય ઉદ્યોગપતિઓને દેશના દુશ્મન કહે છે.
અન્નાના આંદોલનની આખરી આલોચના મારી તરફથી એવી છે કે તેમણે પોતાની સાથે એવા સાથીઓ જોડયા છે, જે માત્ર ખુદને જ ઈમાનદાર માને છે. મે હમણાં જાણવાની કોશિશ કરી હતી કે મેઘા પાટકરની સતત હવાઈ યાત્રાનો ખર્ચો ક્યાંથી આવે છે, તો ખબર પડી કે તેમની બિનસરકારી સંસ્થા રજીસ્ટર્ડ ન હોવાથી, તેમના ખર્ચાનો પણ હિસાબ કોઈ રાખતુ નથી. તેમના કાર્યાલયમાં ફોન કર્યો તો તેમના એક સાથીએ જણાવ્યું કે તેમનો ખર્ચ જનતાના નાણાંથી પૂરો થયા છે. આટલી અમીર છે દેશની જનતા, તો પછી તેમની સંસ્થાની શું જરૂરત?
અન્નાની ટીમમાં તમામ લોકો બિનસરકારી સંસ્થાઓ ચલાવે છે, તો એ પુછવાનો અધિકાર છે આપણને કે તેમની આવક-ખર્ચાનો હિસાબ છે કોઈ? મારો વ્યક્તિગત અનુભવ એ છે કે જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત છે, દૂધથી ધોયેલા ઓછાં જ લોકો મળે છે આ દેશમાં, આંગળીઓ ઉઠાવનારા વધારે મળે છે. અન્નાના સાથીદારોની આદત બની ગઈ છે કે બીજા પર આંગળીઓ ઉઠાવે. જરૂરત છે થોડી વિનમ્રતાની, થોડાક અસલી ગાંધીવાદીની, જે હજી સુધી અન્નાના સાથીદારોમાં જોવામાં આવ્યા નથી.
No comments:
Post a Comment