હ્રદયનારાયણ દિક્ષિત
વેદાંતમાં બ્રહ્મ સત્ય છે અને સંસાર મિથ્યા. સોનિયા-કોંગ્રેસમાં સત્તા સત્ય છે અને બંધારણ મિથ્યા. કોંગ્રેસી સમજ અને આચરણમાં બહુમતની સરકાર જ સાર્વભૌમ છે. બંધારણ અને તમામ બંધારણીય સંસ્થાઓ આ સરકારની ગુલામ છે. સંસદીય બહુમત જ સર્વશક્તિમાન સત્તા છે, સત્તાનો અર્થ કોંગ્રેસ છે અને કોંગ્રેસનો અર્થ સોનિયા ગાંધી છે. માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીપરિષદ, રાજ્યપાલ, સંસદ, સંસદની સમિતિઓ, કોર્ટો, ચૂંટણી પંચ, કેગ, સીવીસી, અનુસૂચિત જાતિ પંચ, પોલીસ અને પ્રશાસન-તમામ બંધારણીય સંસ્થાઓએ સત્તા સાથે કદમતાલ કરવો જોઈએ. તેઓ સત્તાના સૂરમાં વાજું વગાડે તો ઠીક નહીંતર કોંગ્રેસ તેમને તેમની હેસિયત બતાવવા માટે તત્પર છે. સોનિયાની કોંગ્રેસે વડાપ્રધાન સંસ્થાની હેસિયત ઘટાડી. મનમોહન સિંહ પોતાના આખા કાર્યકાળમાં વાસ્તવિક બંધારણીય અધિકારથી વંચિત રહ્યાં. સંસદીય સમિતિઓ બંધારણીય લોકશાહીનો પ્રાણ છે. કોંગ્રેસે લોકલેખા સમિતિનું અપમાન કર્યું. સંચાર ગોટાળાની તપાસ કરનારી સંયુક્ત સંસદીય સમિતિની પ્રતિષ્ઠા પણ કોંગ્રેસે ઘટાડી. કોંગ્રેસ તમામ બંધારણીય સંસ્થાઓની ગરિમા મહિમા પર હુમલાખોર છે.
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે કેગ પર પણ હુમલો છે. ખુદ ભ્રષ્ટાચારની તમામ હદો અને સરહદો તોડનારી કોંગ્રેસ કેગને તેમની હદ બતાવી રહી છે. કેગ બંધારણીય સંસ્થા છે. ભારતીય બંધારણના અનુચ્છેદ- 149થી 151 સુધી તેના અધિકારોનો ઉલ્લેખ છે. જનાદેશની દુહાઈ આપનારી કોંગ્રેસ આ કાયદામાં સીએજીનો જનાદેશ કેમ વાંચતી નથી? કેગે ઉત્તર પ્રદેશ સહીત ઘણાં રાજ્યોના ભ્રષ્ટાચાર પણ ઉજાગર કર્યા છે. કેગ સરકાર અને સંબંધિત વિભાગો દ્વાર બનાવાયેલી નિયમાવલીની પરિઘિમાં જ ખર્ચાનું પરીક્ષણ કરે છે. મૂલ્યાંકન અને અપવ્યયના તેના પોતાના કોઈ માપદંડ હોતા નથી. તેમ છતાં કોંગ્રેસ કેગ પર આક્રમણખોર છે તો નિષ્કર્ષ સ્પષ્ટ છે કે કોંગ્રેસ કોમનવેલ્થ ગેમ્સ અથવા દૂરસંચાર ગોટાળામાં કોઈ ભ્રષ્ટાચાર જોતી નથી. આ લોકધનના દુરુપયોગના સંબંધમાં કોઈપણ નિરીક્ષણકર્તાની ટિપ્પણી અથવા તપાસ સહન કરી શકતી નથી. તે બંધારણીય સંસ્થાઓ પર પણ પલટવાર કરે છે. રાષ્ટ્રપતિ ભારતના રાજમુકુટ છે, મહામહીમ છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પદની મહત્તા અને ગરિમાના બદલે પોતાના ઉમેદવાર મહિલા હોવાનો પ્રચાર કર્યો. રાષ્ટ્રપતિ રાજ પ્રમુખ હોતા નથી, રાષ્ટ્ર પ્રમુખ હોય છે. તેમને રાજકીય વિવાદોથી દૂર રાખવા જોઈએ. રાજ્યપાલ પણ બંધારણીય સંસ્થા છે. કોંગ્રેસે રાજ્યપાલને હિઝ માસ્ટર્સ વોઈસ બનાવ્યા. કેન્દ્રીય સત્તા પોતાના રાજ્યપાલ જ ચાહે છે. મનમોહન સિંહે વર્ષ 2004માં ખાસ વિચારધારાના આરોપમાં ચાર રાજ્યપાલ હટાવી દીધા હતા.
માનવાધિકાર પંચ પ્રતિષ્ઠિત સંસ્થા છે, અધ્યક્ષ કે. જી. બાલકૃષ્ણન પર ગંભીર આરોપ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહેસૂલ વિભાગથી કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ પાસે તપાસ કરવવાના પત્ર પણ લખ્યા હતા, પરંતુ તેઓ પદ પર આસિન છે. કેન્દ્રીય સતર્કતા આયુક્ત થોમસની નિમણૂકમાં ખુદ વડાપ્રધાન પર પણ આરોપ લાગ્યા. કોર્ટે નિમણૂકને ખોટી ગણાવી, ત્યારે તેઓ હટાવાયા. પરંતુ કોંગ્રેસે નૈતિકતાનો નવો પાઠ ભણાવ્યો કે કાયદાકીય રૂપથી ખોટાને પણ નૈતિક રૂપથી ખોટું કહી શકાય નહીં. સુરેશ કલમાડીએ રાજ્ય સરકારની આંખો સામે ભ્રષ્ટાચાર કર્યો. તેઓ જેલ ગયા, પરંતુ કોંગ્રેસ તે ભ્રષ્ટાચારને લઈ કેગ પર હુમલાખોર છે.ચૂંટણી પંચની ગરિમા કોંગ્રેસી કૃપાપાત્ર નવીન ચાવલા પર પડી. ન્યાયમૂર્તિ સચ્ચર અને રંગનાથ મિશ્ર પંચનો દુરુપયોગ કોણ જાણતું નથી? કાશ્મીર સમસ્યા પર વાર્તાકાર પત્રકાર દિલીપ પડગાંવકર પણ આ યાદીમાં છે.
કોર્ટ ભારતની જનતાની ધીરજ અને આસ્થા છે, પરંતુ સોનિયા-કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર કોર્ટોને દાઢમાં રાખીને બેઠા છે. અનાજના સડવાને બદલે ગરીબોમાં વહેંચવાની ટિપ્પણીથી ચિઢાયેલી સરકારે કોર્ટને મર્યાદા બતાવવાની ભૂલ કરી. દૂરસંચાર ગોટાળો, કોમનવેલ્થ, કાળુંનાણું વગેરે મામલા પર કોર્ટે બંધારણીય દાયિત્વોનું જ નિર્વહન કર્યું. વોટના બદલે નોટ પર પણ કોર્ટની સક્રીયતાથી જ તપાસ વધી, પરંતુ આવા તમામ મામલામાં કેન્દ્રે ક્યારેય કોઈ પ્રાયશ્ચિત કર્યું નહીં. વર્ષ 2007માં ન્યાયાધીશો અને મુખ્યમંત્રીઓના સંમેલનમાં પણ આ જ વડાપ્રધાને કોર્ટને ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો કે ન્યાયિક સક્રીયતા અને ન્યાયિક કાર્યક્ષેત્ર વચ્ચે એક પાતળી વિભાજન રેખા છે. સંવેદનશીલ મુદ્દાને સાવધાનીથી ઉકેલવા જોઈએ. ઈશારો સ્પષ્ટ હતો કે કોર્ટ ન્યાયિક કાર્યક્ષેત્રથી બહાર જઈ રહી છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે દેશ બંધારણના શાસનથી શાસિત છે, કાયદાની બંધારણીય વ્યાખ્યા સામાન્ય પ્રક્રીયા છે.
ઈન્દિરા ગાંધીએ કટોકટીમાં બંધારણને તહેસ-નહેસ કરવાનો નિર્લજ્જ પ્રયત્ન કર્યો હતો. જેમ તે બહુમતને જ સત્ય અને સત્તાનું નિર્ણાયક માનતી હતી, તેવી જ રીતે સોનિયા કોંગ્રેસ પણ. બેશક બહુમત સરકાર ચલાવે છે, પરંતુ બંધારણની તમામ સંસ્થાઓ પણ સ્વતંત્ર રૂપથી અલગ-અલગ સક્રીય રહે છે. સરકાર અને તમામ સંસ્થાઓ બંધારણથી જ શક્તિ મેળવે છે. બંધારણનો આદેશ ચૂંટણીના જનાદેશની ઉપર હોય છે. બંધારણમાં કાયદા સમક્ષ સમતાનો મૌલિક અધિકાર છે. સોનિયાની રાષ્ટ્રીય સલાહકાર પરિષદમાં સાંપ્રદાયિક હિંસા રોકથામ વિધેયકમાં હિંદુઓના મૌલિક અધિકારની સાથે સંઘીય માળખા પર પણ હુમલો છે. કેન્દ્ર અથવા સંસદ બંધારણથી મોટા નથી. અમેરિકાએ કોર્ટોને શક્તિ આપી અને ભારતે બંધારણને શક્તિ આપી. સરકારને છોડીને કોઈપણ બંધારણીય સંસ્થા મર્યાદા ઉલ્લંઘન કરતી નથી. તેમ છતાં કોંગ્રેસી સત્તા ખુદ પાપ કરીને બંધારણીય સંસ્થાઓ પર તેને નાખે છે.
સૌજન્ય- દૈનિક જાગરણ
No comments:
Post a Comment