Thursday, 4 August 2011

રાજ્યો પર સીધો પ્રહાર


એ. સૂર્યપ્રકાશ

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સલાહકાર પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવિત કોમવાદ અને લક્ષિત હિંસા નિવારક બિલમાં લઘુમતીઓ અને બહુમતીઓ વચ્ચે કોમવાદી દુશ્મની પેદા કરવા સિવાય અન્ય પણ બેહદ ખતરનાક જોગવાઈ છે. તેના માધ્યમથી કેન્દ્ર રાજ્યો પર ફરીથી દાદાગીરી ચલાવવા ચાહે છે અને રાજ્યોના વહીવટ પર પોતાનો દબદબો ચાહે છે. એટલું જ નહીં, તેના માધ્યમથી કોમવાદી ગુનાઓના વર્ગીકરણની કુટિલ જોગવાઈ લાગુ કરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. આ બિલ કોમવાદી હિંસાની પ્રત્યેક ઘટનામાં પંથિક લઘુમતીઓનો શિકાર અને પંથિક બહુમતીઓને અપરાધી ઠેરવે છે. પ્રસ્તાવિત કાયદાનું અન્ય ઘાતક પાસું એ પણ છે કે તે કોમવાદી હિંસાના બહાનાથી રાજ્યોને કમજોર કરવા ચાહે છે અને કાયદો-વ્યવસ્થા કાયમ રાખવાના રાજ્યના અધિકારને હડપવા ચાહે છે. આ પ્રસ્તાવિત બિલ રાજ્યોના નોકરશાહો અને પોલીસકર્મીઓને જણાવવા ચાહે છે કે દિલ્હીમાં બેઠેલા મોટા ભાઈ તેમની પર નજર રાખી રહ્યાં છે. સ્પષ્ટ છે કે કેન્દ્ર એ નિરંકુશ શક્તિઓને ફરીથી હાસિલ કરવા ચાહે છે, જે બોમ્મઈ મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા કલમ-356 હેઠળ તેમની પાસે હતી.
બોમ્મઈ મામલાથી પહેલા કેન્દ્ર સરકાર મનમરજીથી કલમ-356 થોપતી રહેતી હતી. પ્રાદેશિક શક્તિઓથી ભયાક્રાંત કેન્દ્ર આ જોગવાઈના આધારે ચૂંટાયેલી રાજ્ય સરકારોને અવાર-નવાર બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરતી હતી. ઉદાહરણ માટે, 1950માં બંધારણ લાગુ થવાથી લઈને 1994 સુધી સુપ્રીમ કોર્ટે બોમ્મઈ ચુકાદા આપ્યો ત્યાં સુધી સરકારે 102 વાર કલમ-356નો ઉપયોગ કર્યો હતો. આમાથી 77 મામલાઓમાં કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું. માત્ર એક વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ જોગવાઈનો 50 વખત ઉપયોગ કર્યો હતો. કલમ-356નો દુરુપયોગ એટલી હદે વધી ગયો હતો કે બાધ્ય થઈને સુપ્રીમ કોર્ટે બોમ્મઈ મામલાના ચુકાદાના માધ્યમથી તેના પર રોક લગાવી. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઘોષણા કરી કે કલમ-356ની ઉદઘોષણા ન્યાયિક પુનર્વિચારની મર્યાદામાં આવશે અને કોર્ટ નિર્ણય કરશે કે તેને લાગુ કરવા પાછળ દુર્ભાવના તો નથી ને. કોર્ટે કહ્યું કે જો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલો નિર્ણય દુર્ભાવનાગ્રસ્ત હશે, તો કોર્ટ ચુકાદાને બદલી પણ શકે છે. આ ચુકાદાએ વસ્તુત્ કલમ-356ના રાજકીય દુરુપયોગ પર રોક લગાવી દીધી હતી. હવે કોમવાદી હિંસા બિલના માધ્યમથી કેન્દ્ર ફરીથી રાજ્યોમાં કુટિલ ચાલો ચાલવા ઈચ્છે છે. આ સ્પષ્ટપણે પાછલા દરવાજે કલમ-356 લાગુ કરવાનો પ્રયાસ છે.

શરૂઆતમાં બિલના પ્રસ્તાવક કોઈ રાજ્યમાં સંગઠિત કોમી હિંસાને આંતરીક ગડબડ તરીકે વર્ગીકૃત કરવા ચાહતા હતા, જેવું કે અનુચ્છેદ-355માં કહેવામાં આવ્યું છે. અનુચ્છેદ-355 પ્રમાણે, કેન્દ્ર સરકારનું એ દાયિત્વ છે કે તે પ્રત્યેક રાજ્યની બહારી આક્રમણ અને આંતરીક ઉપદ્રવથી રક્ષા કરે અને એ સુનિશ્ચિત કરે કે પ્રત્યેક રાજ્યમાં શાસનનું સંચાલન બંધારણને અનુરૂપ થઈ રહ્યું છે. સ્પષ્ટ છે કે આ કાયદો અને વ્યવસ્થાનો પ્રબંધ કરવાના રાજ્યોના બંધારણીય અધિકાર છીનવવા અને તેના બહાને રાષ્ટ્રપતિ શાસન થોપવાનો એક ચતુર પ્રયાસ હતો. જો કે જાહેર વાંધાઓ-વિરોધ બાદ રાષ્ટ્રીય સલાહકાર પરિષદે હાલ ઘોષણા કરી છે કે ડ્રાફ્ટ બિલમાંથી આ જોગવાઈ હટાવી દેવાઈ છે. તેમ છતાં પણ રાજ્ય સરકારોની સ્વતંત્રતા પર ઉત્પન્ન થયેલું જોખમ સમાપ્ત થયું નથી, કારણ કે કેટલાંક અન્ય પ્રાવધાન હજીપણ યથાવત છે. પોલીસ અને નોકરશાહી સંબંધિત સેક્શન- 9,13,14 અને 16 તથા રાજકીય પક્ષોના પદાધિકારીઓને સીધા નિશાનમાં લેનારા સેક્શન-15માં આવી જ જોગવાઈ છે.

સેક્શન-13 એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જિલ્લામાં તેનાત અથવા રાજ્ય પ્રશાસનમાં સામેલ કોઈપણ એવો અધિકારી, જેની કાયદો અને વ્યવસ્થામાં પ્રબંધની થોડી પણ ભૂમિકા છે, કોમવાદી હિંસાની કોઈ ઘટનામાં આસાનીથી કર્તવ્ય નિર્વહનમાં બેજવાબદારીના આરોપમાં નિશાના પર લઈ શકાય છે. બસ તેની વિરુદ્ધ લઘુમતી સમુદાયના કોઈ વ્યક્તિની તરફથી આંગળી ચિંધવામાં આવે તેટલી જ જરૂરત છે. અધિકારીઓ પર બહુમતી સમુદાયના કથિત દોષિતોને મદદ કરવાના પણ આરોપ લગાવી શકાય છે. સેક્શન-14 તે લોકસેવકો માટે છે જે પોતાના અધિકાર ક્ષેત્રમાં લોકો પર નિયંત્રણ કરવામાં અસફળ રહે છે. બીજા શબ્દોમાં આ પોલીસ અધિકારીઓ પર કેસ ચલાવી શકાય છે કે જેમના અધિનસ્થ કોઈ અપરાધ કરે છે અથવા તેમને પર લઘુમતી સમુદાયની વિરુદ્ધ અપરાધ કરવાનો આરોપ લગાવાય છે. સ્પષ્ટ છે કે આ કાયદો એ માનીને ચાલે છે કે કોઈ અધિકારીએ એ જાણવું જોઈએ કે તેના અધીનસ્થ શું અપરાધ કરી શકે છે? સૌથી વધારે વાંધાજનક જોગવાઈ સેક્શન-16 છે, જેમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં જવાનો એક પ્રકારથી પોતાના વરિષ્ઠ અધિકારીઓની અવજ્ઞા કરવા માટે ઉકસાવાયા છે. આ જોગવાઈનો ઉદેશ્યથી એ પ્રતીત થાય છે કે પ્રત્યેક પોલીસકર્મી એ ચિંતા કરે કે કેન્દ્ર સરકાર તેના કાર્યોને કઈ નજરથી જોશે અને પોતાની આ ધારણાને આધારે જ તેનું આચરણ હોવું જોઈએ. કોઈ કાયદામાં આનાથી વધારે બિનજવાબદાર જોગવાઈ શોધવી કઠિન છે.

પ્રસ્તાવિત કાયદા હેઠળ કોમી સૌહાર્દ, ન્યાય અને ક્ષતિપૂર્તિ માટે એક રાષ્ટ્રીય પંચની સ્થાપના કરવાની છે. આવા પંચો કે સમિતિઓ રાજ્યોમાં પણ બનવાના છે. રાષ્ટ્રીય પંચને કોઈપણ ઈમારતમાં ઘુસવાનો અને દસ્તાવેજો જપ્ત કરી લેવાનો અધિકાર હશે. તેનો અર્થ છે કે તેને રાજ્ય સરકારોની કાર્યાલયોમાં ઘુસવાનો અને ત્યાં સુધી કે મુખ્યમંત્રીની ચેમ્બરમાં પણ ઘુસવાની આઝાદી હશે. બિલમાં અન્ય અનેક એવી જોગવાઈ છે કે જે સંઘીય માળખાના મૂળ પર પ્રહાર કરે છે અને રાજ્યોને કમજોર બનાવે છે. સૌથી વધારે ચિંતાજનક એ છે કે આ કાયદો ગુનાઓને કોમવાદી દ્રષ્ટિકોણથી જોવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ લઘુમતી સમુદાયની મહિલાઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓને અલગ સ્વરૂપે જોવે છે અને બહુમતી સમુદાયની મહિલાઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓને અલગ સ્વરૂપે જોવે છે. લોકતાંત્રિક દુનિયામાં ગુનાઓને આ પ્રકારે કોમવાદી દ્રષ્ટિકોણથી જોવાનું અન્ય ઉદાહરણ શોધવું શક્ય નથી. રાજકીય પક્ષોએ સેક્શન-15 પર ધ્યાન આપવું જોઈએ, જેમાં રાજ્યોમાં સત્તાધારી પક્ષના પદાધિકારીઓને નિશાન પર લેવામાં આવ્યા છે. મતલબ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર આ કાયદા દ્વારા પોતાના રાજકીય વિરોધીઓ પર ગાળિયો કસવાનો અવકાશ બનાવવા જઈ રહ્યાં છે.

(સૌજન્ય- દૈનિક જાગરણ)

No comments:

Post a Comment