Saturday, 25 March 2023

રાહુલ ગાંધીનો એક મરણિયો 100 પર ભારેનો અંદાજ, ભારે કરી! -

  - આનંદ શુક્લ

લોકસભા સંસદની સદસ્યતા ગયા બાદ રાહુલ ગાંધીએ એક મરણિયો સો પર ભારેના અંદાજમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પીએમ મોદી અને લોકસભા સ્પીકરને નિશાને લીધા અને પોતે સાવરકર નહીં પણ ગાંધી હોવાથી માફી નહીં માંગે તેઓ હુંકાર પણ કર્યો હતો.

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા છીવનાયા બાદ કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે સ્પીકરને તેમણે બે વખત પત્ર લખ્યો, ત્રીજી વાર મળ્યા પણ તેમણે બોલવાનો મોકો આપ્યો નહીં.  મોદી સરનેમ માનહાનિ મામલે માફીને લઈને સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ કોઈનાથી ડરતા નથી અને સાવરકર નહી પણ ગાંધી છે. આમ કહીને તેમણે હિંદુત્વ પોલિટિક્સના આઈકોન વિનાયક દામોદર સાવરકર દ્વારા અંગ્રેજોની માફી માંગ્યાનો મુદ્દો ઉઠાવીને ભાજપની રાજનીતિને ફરીથી નિશાને લીધી છે.  મોદી સરનેમ માનહાનિ મામલે રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાયના અપમાન કર્યાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે અને કહ્યુ છે કે અદાણી સમૂહની સાથે જોડાયેલા સવાલોથી ધ્યાન ભટકાવવા માટે ઓબીસી સમુદાયના અપમાનનો આરોપ લગાવાયો છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમને લોકસભા સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા, કારણ કે વડાપ્રધાન મોદી તેમનાથી ડરેલા હતા. તેમણે કહ્યુ કે અદાણીની શેલ કંપની છે, તેમાં 20 હજાર કરોડ રૂપિયાનું કોઈએ રોકાણ કર્યું છે, આ નાણાં કોના છે? રાહુલ ગાંધીએ મંત્રીઓ પર ખોટું બોલવાનો આરોપ લગાવીને કહ્યુ છે કે લંડન સ્પીચ પર જેવા આરોપો લગાવાય છે, તેવી કોઈ વાત તેમણે કરી ન હતી. રાહુલ ગાંધીએ વાયનાડના લોકો માટે પત્ર લખવાની વાત કરતા કહ્યુ કે હિંદુસ્તાનના લોકતંત્ર માટે તેઓ લડી રહ્યા છે અને આગળ પણ લડશે. તેઓ ડરતા નથી. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરતની કોર્ટે 2 વર્ષની સજા અને અપીલ માટે 30 દિવસની જામીન આપ્યા બાદ લોકસભા સચિવાલયે તેમની સદસ્યતા રદ્દ કરવાની કાર્યવાહી કરી હતી.

No comments:

Post a Comment