- આનંદ શુક્લ
બોલો રાહુલ
ગાંધીએ સુરત કોર્ટના માનહાનિ કેસમાં દોષિસિદ્ધિ-સજા પર સ્ટે લીધો નથી, તો તેનાથી મુશ્કેલી
ભાજપને થઈ રહી છે. ભાજપની આ મુશ્કેલીના મૂળિયા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના આગામી
યુદ્ધ સાથે જોડાયેલા છે. આવો જાણીએ કેવી રીતે?
રાહુલ ગાંધીની
લોકસભા સદસ્યતા જવા પર તેમને શહીદ તરીકે રજૂ કરવાનું પોલિટિકલ નરેટિવ સેટ કરવાની
કોશિશ થઈ રહી છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ પૂર્વ સાંસદ રાહુલ ગાંધી આક્રમક અને
ઝુકેંગા નહીંની મુદ્રામાં પોતે સાવરકર નહીં ગાંધી હોવાનું જણાવીને માફી માંગવાનો
સ્પષ્ટ ઈન્કાર કરી રહ્યા હતા.
હજી સુધી રાહુલ
ગાંધીએ મોદી સરનેમ માનહાનિ કેસમાં દોષસિદ્ધિ પર સ્ટે લીધો નથી. આ મામલાને ભાજપના
નેતા રવિશંકર પ્રસાદે ઉઠાવતા કહ્યુ છે કે કોંગ્રેસી નેતા પવન ખેડાના મામલામાં
તેમને બચાવવા માટે એક કલાકમાં સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લેવામાં આવ્યો હતો. પણ
રાહુલ ગાંધીના મામલામાં કોંગ્રેસે આવું કર્યું નથી. તેથી સ્પષ્ટ છે કે કર્ણાટક
વિધાનસભાની ચૂંટણીની દ્રષ્ટિએ મામલાને રાજકીય ફાયદામાં બદલવાની કોશિશ થઈ રહી છે.
રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ટીકાનો મતલબ ગાળ આપવાનો થતો નથી. રાહુલ ગાંધીએ એક
સરનેમનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધી એકલા નથી કે જેમની સદસ્યતા ગઈ છે.
ભાજપ અધ્યક્ષ જે.
પી. નડ્ડાએ તો સુરત કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધી પર ઓબીસી સમુદાયના અપમાનનો
આરોપ લગાવીને પોલિટિકલ નરેટિવ સેટ કરવાનું શરૂ કર્યું હતું. કર્ણાટક વિધાનસભાની
ચૂંટણી અને અન્ય રાજ્યોમાં પણ આ પોલિટિકલ નરેટિવ કોંગ્રેસને ખૂબ મોટું રાજકીય
નુકશાન કરવાની ક્ષમતા ધરાવે છે.
કર્ણાટકમાં
વિધાનસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે ભાજપની બસવરાજ બોમ્મઈની સરકારે ઓબીસી
મુસ્લિમોનું 4 ટકા અનામત સમાપ્ત કરીને વોક્કાલિગા અને લિંગાયત સમુદાયના અનામતને
વધાર્યું છે. વોક્કાલિગાને 4 ટકાથી વધારીને 6 ટકા અને લિંગાયતને 5 ટકાથી વધારીને 7
ટકા અનામત અપાયું છે. રાજ્યમાં કુલ અનામત હવે 56 ટકા થઈ ચુક્યું છે. ત્યારે ઓબીસી કેટેગરીના અનામતના રાજકીય
દાંવપેચમાં રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્તિની સહાનુભૂતિની અસર નાબૂદ કરવાની ચાલ પણ
ચાલવામાં આવી છે.
તો કોંગ્રેસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્ણાટક મુલાકાત પહેલા જ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે
124 ઉમેદવારોની યાદીને જાહેર કરી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના
પુત્ર પ્રિયાંક ખડગે અને ડી. કે. શિવકુમારને ટિકિટો અપાય છે. યાદ રહે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ થયા
બાદ શુક્રવારે સાંજે કોંગ્રેસના નેતાઓઓની બેઠકમાં મંથન થયું અને પ્રિયંકા ગાંધીએ
કર્ણાટકમાં જીત દ્વારા જવાબ આપવાની વાત કરી હતી.
જો કે શુક્રવારે
બેંગલુરુમાં રેલીના મંચ પર પૂર્વ સીએમ બી. એસ. યેદિયુરપ્પા અને મંત્રી સોમશેખરે
અમિત શાહનું સ્વાગત એક તસવીરથી કર્યું હતું. જેમાં ચાણક્ય અને અમિત શાહના ચિત્રો
હતા. એમ કહો કે બે ચાણક્ય અથવા ગઈકાલના અને આજના ચાણક્ય આ તસવીરમાં જોવા મળ્યા અને
તેનો રાજકીય સંકેત કોંગ્રેસ માટે કર્ણાટકમાં રણ આસાન નહીં રહે તેમ જણાવે છે.
No comments:
Post a Comment