- આનંદ શુક્લ
2024ની લોકસભાની
ચૂંટણીમાં ભાજપની રણનીતિક ડિઝાઈન શું રહેશે, તેની સૌથી મોટી
ચિંતા વિપક્ષી દળોને કોરી ખાય છે. વિપક્ષી દળોની આવી સ્થિતિ કેમ છે, તો તેના પર એક નજર
કરીએ...
ભારતની
રાજનીતિનું સંપૂર્ણ હિંદુકરણ કરવા તરફ ભાજપ-સંઘ પરિવારનું ફોકસ છે અને આ લક્ષ્ય
2024ની લોકસભાની ચૂંટણીમાં મોટી જીતથી પુરું થઈ શકે છે. આના માટે ભાજપે પણ સંઘ
પરિવારના સમર્થનથી અસરદાર રણનીતિ પર કામગીરી શરૂ કરી છે. હરિયાણાના પાણિપતમાં
યોજાયેલી આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં આને લઈને કેટલુંક સીધું અને
કેટલુંક આડકતરું મંથન અવશ્ય થયું છે. યુપી, બિહાર પશ્ચિમ
બંગાળના હિંદુ વોટરોને ભગવા રંગમાં રંગવા સંઘ પરિવાર અને ભાજપની પહેલી પ્રાથમિકતા
છે. 2019માં ભાજપે યુપી, બિહાર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહીતના 13
રાજ્યોમાં કુલ વોટના 50 ટકાથી વધારે વોટ મેળવ્યા હતા. તેમાં હિમાચલ પ્રદેશમાં 69
ટકા, ગુજરાતમાં 62 ટકા
અને ઉત્તરાખંડમાં 61 ટકા વોટ ભાજપને મળ્યા હતા. ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી સહીતના 6
રાજ્યોમાં ભાજપને 57 ટકાથી લઈને 59 ટકા વચ્ચે વોટ મળ્યા હતા. તો છત્તીસગઢ, કર્ણાટક, ગોવા, ચંદીગઢ જેવા રાજ્યો અને
કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપને 51 ટકા વોટ મળ્યા હતા. યુપીમાં ભાજપને 50 ટકા વોટ
મળ્યા હતા. આ 13 રાજ્યોની કુલ 273 બેઠકોમાંથી ભાજપને 243 બેઠકો મળી હતી.
બિહારમાં
જેડીયુના વોટને અલગ કરીએ, તો ભાજપ અને
ચિરાગ પાસવાનની પાર્ટીના ત્યારના કુલ વોટ 32 ટકા હતા. બંનેને ફાળે 23 બેઠકો આવી
હતી. જેડીયુના ત્યારે 22 ટકા વોટ હતા. તો પશ્ચિમ બંગાળમાં 2019ની લોકસભાની
ચૂંટણીમાં ભાજપને 41 ટકા વોટ અને 18 બેઠકો મળી હતી. આમ 15 રાજ્યોની કુલ 355
બેઠકોમાંથી ભાજપ પાસે હાલ 284 બેઠકો છે. 2024માં
જો 2019ની તર્જ પર પરિણામોનું પુનરાવર્તન થાય અથવા તો ભાજપ માટે વધુ સારું પરિણામ
આવે, તો પછી અખિલેશ, મમતા, અરવિંદ કેજરીવાલ અને
નીતિશ કુમાર શું કંઈ બાકી બચે તેમ છે?
No comments:
Post a Comment